Opinion Magazine
Number of visits: 9558032
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આષાઢી બપ્પોર

'ભભાઈ' ભરત પાઠક|Poetry|8 August 2014

આષાઢી બપ્પોર

સ્યુગર લેન્ડ ગામના તળાવ મહીં ઝિલાતી,
આષાઢી નોમની બળતી બપ્પોર મને એવી તો વ્હાલી, સઇ, લાગી,
કે રૂ જેવાં વાદળાં આકાશી નીલમાં સરતાં ભાળીને
મારી સાંભરણ ગામ ભણી ભાગી.

“સૂમસામ બપ્પોરે દોડતી’તી સાઇકલ, ડામરમાં તરતા તડકાઓ,
ગરમાળો, ગુલમહોર ખીલવે ને ખેરવે કંઈક નવી જૂની કથાઓ”
આજ સૂરજ ભણીના ગાલ પરની બળબળ
મને ગામથી આવી હો એવી લાગી !
અલી, રૂ જેવા વાદળાં આકાશી નીલમાં ફરતા ભાળીને
મારે તંન જૂની આશાઢો જાગી.

“આજે જે તાપ છે તે કાલ ઘામ કહેવાશે, વાદળાં વધુ ને વધુ ઘેરાશે,
પરસેવો તડકામાં સૂકાશે નહીં, એ તો વરસે પછી જ તો ધોવાશે…”
એવી એવી કંઈક વાતોના ભણકારા અહીંની હવામાં ય વાગે,
અને રૂ જેવા વાદળાં આકાશી નીલમાં તરતા ભાળીને સઇ
મંન મારું વીતેલું તાગે.

વીત્યા ઉનાળા ને વીત્યા એ તાપની ઝરમર વણથોભ એમ ચાલતી,
જેમ ભીંજાતી આંખોની સામે તળાવમાં બત્તક ને કાચબીઓ મ્હાલતી;
આજ, રૂ જેવા વાદળાં ચાળતી બ્પ્પોરમાં એવું તો વ્હાલ, સઇ, વાધ્યું
કે આકાશી નીલને ઝીલતાં તળાવોનું
સ્યુગર લેન્ડ નામનું એક નવું ધામ મને લાધ્યું.

સ્યુગર લેન્ડ, ટેક્સાસ, યુ.એસ.એ., જુલાઈ ૨૦૦૯ 

[૨૦૧૩માં પ્રકાશિત તેમના પદ્યસંગ્રહ “ચાલ, ચાલ, ચાલ…”માંથી ]

e.mail : bhabhai@hotmail.com

Loading

કેમેરો ક્યાં માંડવો, બહાર કે ભીતર?

ભદ્રાયુ વછરાજાની|Profile|8 August 2014

તસવીરકાર અિશ્વન મહેતાએ બાવીસ વર્ષે હિ‌માલયનો પગપાળા પ્રવાસ કર્યો ત્યારે તે સૌપ્રથમ ફોટા પાડયા. એ ફોટા “ધર્મયુગ” અને “ઇલસ્ટ્રેટેડ વીકલી”માં છપાયા અને તેઓ વિશ્વસ્તરે ખ્યાત બની ગયા તેમણે છવ્વીસ વર્ષ માત્ર ફોટોગ્રાફી કરી અને ચૌદ વર્ષ પહેલાં ફોટોલીલા સંકેલી. હમણાં વિરાટની વાટ પકડી.

કળાકાર એ છે કે જે કશું પામવા નહીં, પણ પામી ચૂકેલું ખોજવા જીવે છે. કળાકાર એ છે કે જે કશું પામવા નહીં, પણ પામી ચૂકેલું ખોજવા જીવે છે. તસવીરકાર 'નથી’ની શોધમાં નથી, છે પણ નરી આંખે દીસતું નથી ત્યાં ભીતરનો કેમેરો માંડે તે તસવીરકાર છે. નાનાની હવેલીની પાછલી ગલી. સાંકડી ધૂળિયા શેરી. એમાં એક કાબરચીતરો બકરો. ભડક નડિયાદી લીલા રંગના બારણા પાસે ઊભો હતો. બાર-તેર વર્ષનો એક કિશોર દૂર ઊભો ઊભો આ રંગોનું સંયોજન તાકી તાકીને જોયા જ કરે છે અને તેમાંથી ખોવાય જાય છે જીવનભર રંગો-દૃશ્યો અને તેની તસવીરોમાં બાવીસ વર્ષે હિ‌માલયનો પગપાળા પ્રવાસ કરે છે ત્યારે તે સૌ પ્રથમ ફોટા પાડે છે, આ ફોટા “ધર્મયુગ” અને “ઇલસ્ટ્રેટેડ વીકલી”માં છપાય છે … અને એ યુવાન 'સુપ્રસિદ્ધ તસવીરકાર અિશ્વન મહેતા’ના નામે વિશ્વસ્તરે ખ્યાત બને છે.

પહેલા ફોટા પાડયા ૧૯પ૨માં હિ‌માલયના, તો છેલ્લા પાડયા ૧૯૯૯માં દક્ષિણ ભારતની કુદરતી ચાદરના. આ સુડતાલીસ વર્ષોમાંથી, અનુસ્નાતક અભ્યાસ+બેકારી+નોકરીનાં મળીને એકવીસ વર્ષો બાદ કરીએ તો અિશ્વન મહેતાએ છવ્વીસ વર્ષ માત્ર ને માત્ર ફોટોગ્રાફી કરી. કશુંક જોયું નથી ને કેમેરો માંડયો નથી, એવું નહીં. કેમેરો બહાર માંડવાનો પણ ખોજ અંદરની કરવાની. અંદરની ઠંડક લઈને બહારના હિ‌માલય પર કેમેરો માંડવાનો. પ્રકૃતિના આંગણામાં ઊગેલા અશોકના છોડની તસવીર લઈ ભીતરમાં તે છોડને વાવી દેવાનો. અિશ્વન મહેતા નોખા નહીં પણ ચોખ્ખા અને ચોખલિયાળા તસવીરકાર..

એમણે ફોટોગ્રાફી શરૂ કરી તે પહેલાં ખબર હતી કે આજીવિકાનું એકમાત્ર સાધન આ ફોટોગ્રાફી છે, છતાં છતાં અિશ્વન મહેતાએ સ્વયં માટે આચારસંહિ‌તા ઘડી :

૧. ગમે તેટલા પૈસા મળતા હોય તો પણ કાપડ-કપડાં, દારૂ-તમાકુની જાહેરખબર માટે ફોટા પાડવા નહીં કે પાડેલા ફોટામાંથી કશું વેચવું નહીં.

૨. જાહેરખબરમાં સ્ત્રીનો દેહ કેન્દ્રમાં રહેતો હોય એવા ફોટા પાડવા નહીં કે પાડેલા ફોટામાંથી જાહેરખબર માટે આપવા નહીં.

૩. કુદરતી પ્રકાશમાં જે કામ થાય તે કરવું, સ્ટુડિયો કે મલ્ટિફ્લેશ વગેરેની ઝંઝટમાં પડી બજારુ ફોટોગ્રાફી કરવી નહીં.

૪. 'રિયોતાર્જ’ના ફોટા પણ સામયિકનો વાચક પ્રાકૃતિક-સૌંદર્ય તરફ આકર્ષાય અને આપણા ભવ્ય વારસાથી અવગત થાય એવા હેતુથી પાડવા.

પ. રેલ-વિમાન-બસ અકસ્માત, ગેસ ગળતર, પૂર, ધરતીકંપ, સુનામી કે યુદ્ધ જેવી માનવીય કે પ્રાકૃતિક દુર્ઘટનાનો ઉપયોગ આપણે પોતાના રોટલા શેકવા કરવો નહીં …

આવી લશ્કરી આચારસંહિ‌તા છતાં અિશ્વન મહેતા વિશ્વવ્યાપી કેમ બની રહ્યા??

અિશ્વન મહેતા સ્વામી આનંદના આત્મીયજન, કવિ ઉમાશંકર જોષીના પ્રિયજન, સંગીતજ્ઞ બટુક દીવાનજીના સ્વજન, ઇન્દિરા ગાંધીના સ્નેહીજન. બે ઋષિતુલ્ય મહાનુભાવો જે. કૃષ્ણમૂર્તિ‌ અને પીટર ડ્રકર તથા ભારતનાં જાજરમાન મહિ‌લા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની બાજુમાં બેસી પોતાના ફોટોગ્રાફ્સ બતાવવાનો અને તે અંગે કલાકો સુધી વિગતો વર્ણવવાનો જીવન-લહાવો અિશ્વન મહેતાને મળ્યો છે. સિક્યુરિટીથી ઘેરાયેલાં ઇન્દિરાજીને ખુમારીથી અિશ્વન મહેતાએ કહી દીધેલું કે : 'આપ આટલાં દૂર બેસીને ફોટોગ્રાફ્સ જોશો તો જામશે નહીં. અહીં મારી પાસે બેસો તો બરાબર દેખાશે અને તમે શું જોઈ રહ્યાં છો તે હું કહી શકીશ.’

અંગરક્ષકોનો વડો તો આ સાંભળી દોડી આવ્યો, પણ નહેરુ કુટુંબનું ગૌરવ ભેગું લઈને જીવતાં ઇન્દિરાજી અિશ્વન મહેતાની પડખે બેઠાં અને ખૂબ જ રસપૂર્વક ચર્ચા કરતાં કરતાં ચારસો પારદર્શીઓ (ટ્રાન્સ્પેરન્સી) નિરાંત જીવે માણી. આ બેઠકની ફલશ્રુતિરૂપે અિશ્વન મહેતાએ કેમેરામાં મઢેલાં હિ‌માલયનાં ફૂલોની ચાર ટપાલ ટિકિટો બહાર પડી … ડો. જયંત નાર્લીકરની એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સની સંસ્થા 'આયુકા’એ અ.મ.ના 'કોસ્મિક ઇમેજીસ’ના ફોટા ખરીદ્યા અને અિશ્વનભાઈએ જાતે પૂણે જઈ તે ગોઠવ્યા આ ફોટા લેવામાં બે વર્ષ વીત્યાં, ત્રીસ દિવસો ઉપયોગના હતા તેમાંથી પણ અિશ્વન મહેતાએ કહ્યું : 'બ્રહ્માંડના સહોદર થવાનો મને લહાવો મળ્યો.

આ ત્રીસ દિવસોનું મારી જીવન-અલમારીમાં અલાયદું ખાનું છે, નિરતિશય આનંદનું, 'એક્સ્ટસી’નું …’ સિંગાપોર એરલાઇન્સને તો અિશ્વન મહેતાની તસવીરો મનમાં ઘર કરી ગઈ. આઠ વર્ષો સુધી પોતાના માસિકમાં અિશ્વન મહેતાના 'ફોટો-ફિચર’ છપાયાં. ચાર મોટા પ્રોજેક્ટ પણ તેમને સોંપ્યા ને અિશ્વન મહેતા ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા, કેનેડા અને દક્ષિણ આફ્રિકાની અભરેભરી પ્રકૃતિ સંપદાવાળા પ્રદેશો ઘૂમી વળ્યા. ૬૬થી ૮૦ વચ્ચે નવ વન-મેન શો કર્યા. પણ પ્રત્યેકનો એક વિષય, ફોટો પ્રદર્શનોના ઉદ્દઘાટન નહીં, ઘી-મીણના દીવડા પ્રગટાવવાના નહીં … દરેક પ્રદર્શનનો એક જ કેન્દ્રસ્થ વિષય કેમ? આ પ્રશ્નનો રોકડો જવાબ અિશ્વન મહેતા આપે : હું તસવીરકાર છું. ભજિયાંવાળો નથી કે મિક્સ્ડ પ્લેટ ધરી દઉં.

જાન્યુઆરી, ૨૦૦૦થી પ્રવાસો બંધ કર્યા. કેમેરા વેચી કાઢયા ને ફોટોલીલા આંશિક સંકેલી લીધી. એક મોટી કંપનીના ભીમકાય અનુદાનથી અ.મ.ના ફોટો-સંગ્રહમાંથી તેર શ્રેણીમાં વહેંચાયેલા ૯૧પ ફોટા પસંદ કરી 'હાઇ-રેઝોલ્યુશન સ્કેિનંગ’ કરાવી ચૌદ ડીવીડીમાં સંગ્રહિ‌ત કર્યા. તેનો એક સેટ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલય-દિલ્હીને, એક સેટ પોતાના ફોટો-એજન્ટને અને બે સેટ જુદી જુદી ફોટો-ગેલેરીને આપી, પોતાના જીવતાં જ પોતાનું 'ફોટો-શ્રાદ્ધ’ અિશ્વન મહેતાએ કરી લીધું અિશ્વન મહેતાએ વિરાટની વાટ તો હમણાં પકડી, પણ પોતાનું શ્રાદ્ધ તો વર્ષો પહેલાં પોતે જ કરી લીધું … એ એકલયાત્રી બની જીવી રહ્યા હતા તીથલના સાંઈબાબા રોડના તેમના પ્રકૃતિ પરિસર 'તુલસી’માં .. તમે જઈ ચડો ને તેમની ઈચ્છા ન હોય તો તો તેઓ જ બારણું ખોલી તમને કહી દે : 'તમે આવ્યા તે સારું કર્યું, પણ મને બહુ જામશે નહીં એટલે આપણે નહીં મળીએ, આવજો …’ આ અિશ્વન મહેતાનું ગદ્ય પણ બેનમૂન.

તેઓના શબ્દોમાં તેઓની વાત : 'મારા મુરબ્બી અકબર પદમશીની સલાહને માથે ચડાવી છે, કે કળાકારે મૂંગા મરવું ને કળાકૃતિને બોલવા દેવી … મારી એક મુશ્કેલી છે. જીવનની બારાખડીમાં અધ્યાત્મનો 'અ’ પહેલા આવે છે ને કળાનો 'ક’ પછી …’ ભીતરની ઊંચાઈ એટલી જબરી કે … કહેવું હોય તે સોઇ નહીં, તલવાર ઝાટકીને કહી જ દે … નાનપણથી એમની મહત્ત્વાકાંક્ષા હતી કે શોગાકુકાન મારું પુસ્તક પ્રકાશિત કરે તો દાદુ, આપણે ફોટોગ્રાફી કરી કહેવાય ૧૯૯૬માં આ અવસર આવ્યો.

શોગાકુકાનની ન્યુયોર્ક ઓફિસના જાપાની મેનેજર કામ જોઈ આફરીન થઈ ગયા. તેમણે ટોકિયોને પુછાવ્યું. ટોકિયોને કામ ગમી ગયું, પણ એક શરતે. નામમાંથી એક અક્ષરની અને અટકમાંથી બે અક્ષરની બાદબાકી કરી અિશ્વન મહેતામાંથી 'અસીન માયાટા’ કરવાની શરતે. તરત જ અિશ્વન મહેતાએ જવાબ આપ્યો : 'થેંક્સ સામે વહેતી હડસન નદીમાં બધું પધારાવી દેવાનું હું વધુ પસંદ કરીશ …’ આ અિશ્વન મહેતા તુલસીદળમાં સમાયા, ઘૂઘવતો દરિયો જાણે સમેટાઈને તુલસીક્યારે સમાધિ લગાવી બેસી ગયો. કેમેરાની આંખે નિજ અંત:ચક્ષુઓને માંડવાના છે તો જ વિરાટ વિશ્વદર્શન શક્ય છે. છબિ તો ભીતરની લેવાની છે, ભલે ને કેમેરો બહાર માંડવાનો હોય …'

e.mail : bhadrayu2@gmail.com

સૌજન્ય : ‘સન્નડે પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 અૉગસ્ટ 2014

Loading

ઉત્તર પ્રદેશમાં ૭૦ દિવસમાં ૬૦૫ હુલ્લડો કરાવાય એને સબકા સાથ, સબકા વિકાસ કહેવાય?

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|7 August 2014

હુલ્લડોની પૅટર્ન એકસરખી છે. તમામ રમખાણો એકસરખાં છ બહાનાંઓ આગળ કરીને કરાવવામાં આવ્યાં છે. એ છ બહાનાંઓમાં મસ્જિદ, મદરેસા કે કબ્રસ્તાનનાં બાંધકામ સૌથી મોટું કારણ છે

લોકસભાની ચૂંટણી પહેલાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમાજવાદી પાર્ટીએ મળીને ૨૦૦થી વધુ સ્થળોએ કોમી હુલ્લડો કરાવ્યાં હતાં જેમાં મુઝફ્ફરનગરનાં કોમી હુલ્લડો હાથમાંથી સરકી ગયાં હતાં જેને પરિણામે બન્ને પક્ષોની મિલીભગત ઉઘાડી પડી ગઈ હતી. એ રમતમાં BJPને પ્રચંડ ફાયદો થયો હતો અને સમાજવાદી પાર્ટી(SP)ને મોટું નુકસાન પહોંચ્યું હતું. લોકસભાની ચૂંટણી જે વિધાનસભ્યોએ લડી હતી એમાંથી ૧૨ વિધાનસભ્યો ચૂંટાઈ આવ્યા છે એટલે આવનારા મહિનાઓમાં એ ૧૨ મતદારક્ષેત્રોમાં પેટાચૂંટણી યોજાવાની છે અને એમાં મતદાતાઓનું કોમી ધ્રુવીકરણ કરીને ચૂંટણી જીતવાનો જૂનો ખેલ પાછો શરૂ થયો છે.



“ઇન્ડિયન એક્સપ્રેસ”ના અહેવાલ મુજબ ૧૬ મેએ લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ પછીથી અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના સંબંધિત પ્રદેશોમાં કોમી હુલ્લડોની ૬૦૫ ઘટનાઓ બની છે. ૭૦ દિવસમાં ૬૦૦ ઘટનાઓ બની શકે તો એનો અર્થ એ જ કરવો રહ્યો કે કોઈ કોમી હુલ્લડો લોકોના રોષના પરિણામે નથી થતાં, પણ સ્થાપિત હિતો દ્વારા કરાવવામાં આવે છે. એકથી વધુ સંનિષ્ઠ નિવૃત્ત પોલીસ-અધિકારીઓએ કહ્યું છે કે કોમી હુલ્લડો થોડા કલાકો કે એક દિવસથી વધુ લંબાય તો સમજી લેવું કે એ હુલ્લડો સ્થાપિત હિતોએ પોલીસને સાથે રાખીને કરાવડાવ્યાં છે. લોકોનો રોષ થોડા કલાકોથી વધુ નથી ટકતો. ગયા વખતની જેમ જ આ વખતે પણ બને ત્યાં સુધી નાના પાયે સ્થાનિક હુલ્લડો કરાવવામાં આવી રહ્યાં છે. જે ગામ કે કસબામાં હુલ્લડો થાય ત્યાં તાત્કાલિક કોમી ધ્રુવીકરણ થઈ જતું હોય છે અને એના દ્વારા રાજકીય પક્ષોની વોટબૅન્ક અસ્તિત્વમાં આવે છે. ૧૨ મતદારક્ષેત્રોમાં ચૂંટણી થવાની છે એટલે ગણતરીપૂર્વક એ જ પ્રદેશોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.



“ઇન્ડિયન એક્સપ્રેસ”ના અહેવાલ મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોમી હુલ્લડોની ૨૫૯ ઘટનાઓ બની છે જેમાં સહારનપુરનાં હુલ્લડો હાથમાંથી સરકી ગયાં હતાં અને છાપે ચડ્યાં હતાં. આ રમત ફરી વાર ઉઘાડી પડી ગઈ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી BJPના વર્તમાન અધ્યક્ષ અમિત શાહે કોઈ રાજકીય જાદુ કરીને નહોતી જીતી, પણ તેમણે ઠેકઠેકાણે કોમી હુલ્લડો કરાવીને જીતી હતી. ચૂંટણી જીતવાની પૅટર્ન તેઓ આપતા ગયા છે જે ફરી વાર લાગુ કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં પાંચ મતદારક્ષેત્રોમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં નેપાલની સરહદે આવેલા તરાઈ પ્રદેશમાં બે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે અને ત્યાં કોમી ધ્રુવીકરણ કરવા ૨૯ સ્થળે હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. અવધ પ્રદેશમાં એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે એટલે ત્યાં ૫૩ હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે એટલે ત્યાં ૧૬ સ્થળે હુલ્લડો થયાં છે. બુંદેલખંડમાં બે મતદારક્ષેત્રમાં ચૂંટણી જીતવા ૬ જગ્યાએ હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. 



હુલ્લડોની પૅટર્ન એકસરખી છે. તમામ રમખાણો એકસરખાં છ બહાનાં આગળ કરીને કરાવવામાં આવ્યાં છે. એ છ બહાનાંઓમાં મસ્જિદ, મદરેસા કે કબ્રસ્તાનનાં બાંધકામ સૌથી મોટું કારણ છે. ગયા માર્ચ મહિનામાં મુઝફ્ફરનગરમાં પણ હુલ્લડોનું આ જ કારણ મુખ્ય હતું. ૭૦ હુલ્લડો બાંધકામ સામે વિરોધ કરીને કરાવવામાં આવ્યાં છે. ૪૦૦માંથી ૧૨૦ હુલ્લડો નમાજના સમયે મસ્જિદની બહાર લાઉડસ્પીકર વગાડવાને કારણે થયાં છે. ૬૧ સ્થળે ગાયની હત્યા કરવામાં આવી હોવાનું બહાનું આગળ કરીને હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. હુલ્લડોની ૫૦ ઘટનાઓ મુસ્લિમ છોકરા દ્વારા હિન્દુ છોકરીની છેડતી કે પછી હિન્દુ પ્રેમિકાને લઈને નાસી જવાના બહાને થયાં છે. છ બહાનાં અને ૬૦૦ હુલ્લડો માત્ર બે મહિનામાં થાય એને વૈમનસ્ય ન કહેવાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘સબકા સાથ સબકા વિકાસ’ની મધુર વાતો કરી રહ્યા છે. આમાં કયો સાથ અને કયો વિકાસ નજરે પડી રહ્યો છે? ચૂંટણી જીતવા એક કોમને સતત ટાર્ગેટ બનાવવામાં આવે એ લોકતંત્ર નથી, વિકૃત ફાસીવાદી લોકતંત્ર છે.



ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકાર ફરી એક વાર નિષ્ફળ સાબિત થઈ છે. મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને રાજ કરતાં નથી આવડતું. દેશના સૌથી ફૂહડ મુખ્ય પ્રધાન જો કોઈ હોય તો અખિલેશ યાદવ છે. લોકસભાની ચૂટણીમાં બુરી રીતે દાઝવા છતાં તેમની અક્કલ ઠેકાણે નથી આવી. શક્ય છે કે SP કોમી હુલ્લડોમાં વળતી બૅટિંગ કરીને મુસ્લિમ મતનું ધ્રુવીકરણ થાય એની તક શોધતી હોવી જોઈએ. લોકસભાની ચૂંટણી વખતે BJP અને SP મળીને કોમી હુલ્લડો કરાવીને વોટબૅન્ક ઊભી કરતી હતી જેમાં SPને માર પડ્યો હતો. મુસલમાનોએ ચિડાઈને SPને મત નહીં આપીને તમાચો માર્યો હતો. અખિલેશ યાદવ જો એની એ રમત ફરી વાર રમતા હોય તો તેમને મૂરખ શિરોમણિ જ કહેવા જોઈએ. 



લોકસભાની ચૂટણીમાં SP કરતાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીને મત વધુ મળ્યા હતા. આ વખતે માયાવતીના પક્ષના મત કાપવા એવાં પસંદ કરેલાં પૉકેટ્સમાં હુલ્લડો કરાવવામાં આવી રહ્યાં છે જ્યાં દલિતો અને મુસલમાનોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય. માયાવતી આયોજનપૂર્વકનાં હુલ્લડો સામે ઊહાપોહ કરી રહ્યાં છે, પણ એ પૂરતો નથી. BJPની રમત કોમી ધ્રુવીકરણ કરીને દલિતોને મુસલમાનોની વિરુદ્ધ હિન્દુ ફોલ્ડમાં લેવાનો છે જેથી માયાવતીનું દલિત-મુસ્લિમ સમીકરણ તૂટી પડે. BJPનું હિન્દુ રાજકારણ હિન્દુિહતનું રાજકારણ નથી, દેશહિતનું રાજકારણ પણ નથી, પરંતુ સત્તા માટેનું છે એ હજી પણ જો કોઈને ન સમજાતું હોય તો એવી વ્યક્તિ કાં કોમવાદી હોવી જોઈએ અને કાં મૂરખ હોવી જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉગસ્ટ 2014

Loading

...102030...3,9083,9093,9103,911...3,9203,9303,940...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved