Opinion Magazine
Number of visits: 9553067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Home is Where the Trade Winds Take You

Abhirami Sriram|Diaspora - Reviews|22 February 2015

And Home Was Kariakoo : Memoir of an Indian-African; 
MG Vassanji; 
Hamish Hamilton; 
400 pages;
 Rs 599

And Home Was Kariakoo crosses genres as deftly as its author and his Gujarati forefathers crossed continents. An East African yatra packed tight with swathes of history and autobiography and freewheeling critiques of African politics, current affairs, religion, cultural practices and whatnot, M.G. Vassanji’s latest book is a ghar wapsi in the best possible sense.

Having been brought up with only the vaguest sense of his own heritage as an Asian-African, and irked in no small measure by how the Western world still tars Africa with the old broad-brush of Dark Continent, Vassanji (who holds a Canadian passport) returns to Dar-es-Salaam—not so much to write about his hometown as to rediscover his own moorings in it. Sure, the face and ethos of the Indian quarter, Gaam and the African area, Kariakoo, have both changed irrevocably; the sleepy small-town Dar of Vassanji’s boyhood is now a gleaming megalopolis whose Indian footprint has been all but wiped out. An entire generation fled Gaam for the West in the wake of the socialist takeover of Tanzania in the 1960s; in any case, the diasporic Gujaratis (unflatteringly known as the Jews of Africa) had always been the kabab mein haddi, as Vassanji puts it, in the eyes of European and African alike. Not all is lost, though: the KT Shop of Gaam still thrives, a little six-tabled stronghold, and its chai and camaraderie are as unsurpassed as ever.

Disheartened but determined, Vassanji sets out to retrace the routes (and roots) of the Gujarati in the rest of East Africa. This pilgrimage into the past, to places that seem to have fallen off the map and the history textbook alike, is full of surprises. Along the way, we discover the quaint coastal town of Tanga where a World War was waged by Indian soldiers on behalf of the British sahibs, only to be defeated by a cloud of bees; we learn that the East African Expedition of 1857 led by Richard Burton and John Speke in their quest for the source of the Nile was “brokered” by a Gujarati merchant; and that, in fact, the first Gujaratis had arrived at the east coast of Africa from the west coast of India, long before either had been a gleam in the Empire’s eye.

Vassanji is as fluent in Swahili—which he says “comes to the tongue as readily as the taste of a much-loved mango”—as he is in Gujarati; and the fact that he chose to title the book And Home Was Kariakoo rather than “And Home Was Gaam” is proof enough of his deep attachment and commitment to both. His is an Africa of warmth and many-splendoured exuberance, not merely “wars, HIV and hunger” (And he can’t resist cocking a snook at Paul Theroux’s Dark Star Safari here either.).

Vassanji delights equally in the raucous open-air TV screening of an English Premier League soccer game, as he does in the discovery of Africa’s own brand of Sufism, the Shadhiliyya sect whose “oddball nonconformism” has him in momentary mystical thrall. His travels on rickety buses over rough roads, marked by the familiar impedimenta of too-frequent police check-posts, are invariably enlivened by much chai pe charcha (“Where there are a few Asians, there is a chai place”) and generous helpings of the legendary Indian hospitality.

Written with the insight of the insider and the emotion of the returnee, this is both a celebration of the sheer diversity of Africa and a heartfelt paean to the spirit of the unsung Gujarati vania who believed that “home is where the trade winds take you.”

Sriram is a writer in Chennai

courtesy : http://indianexpress.com/article/lifestyle/books/home-is-where-the-trade-winds-take-you/99/ : February 21, 2015 4:50 am

Loading

લોકહૃદયના બેતાજ બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિક

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|22 February 2015

આંદોલનપુરુષ, ઇન્દુલાલ યાજ્ઞિક માટે વપરાયેલું વિશેષણ તેમના વ્યક્તિત્વને સૌથી વધારે બંધબેસતું છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આંદોલન-ધરણાંવાળા વગેરે શાસનવાળાનો જંગ જામ્યો હતો ત્યારે ઇન્દુચાચાનું સ્મરણ તીવ્ર બન્યું હતું, જેમણે આજીવન આંદોલન કર્યાં, કામદારો અને કિસાનો માટે અહિંસક લડતો લડયા, સ્થાપિત હિતો સામે જરૂર પડયે 'મુક્કો' બતાવ્યો અને સાથે સાથે ચૂંટણી જંગ પણ જીતી બતાવ્યા હતા. જો કે, ફકીરી પ્રકૃતિના ફાંકડા રાજનેતાને ક્યારે ય કોઈ પદ આર્કિષત કરી શક્યું નહોતું. મહાગુજરાત આંદોલનના અગ્રણી તરીકે તેમણે ધાર્યું હોત તો ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચતાં તેમને કદાચ કોઈ રોકી શક્યું ન હોત, પણ તેમને કોઈ પદમાં નહીં, માત્ર પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે. આજે ૨૨મી ફેબ્રુઆરીના રોજ ઇન્દુચાચાનો જન્મ દિવસ છે ત્યારે તેમની વંદના કરવાનું કેમ ચુકાય ?

આજે અમદાવાદમાં સાબરમતીથી કલોલ જતા હાઇવે અને મોટેરા સ્ટેિડયમ જતા રસ્તાના ક્રોસિંગ પર ઇન્દુચાચાની નવ ફૂટની કાંસ્ય પ્રતિમા સાથેના સ્મારકના લોકાર્પણનો કાર્યક્રમ યોજાવાનો છે. ઇન્દુચાચાને મોટા ભાગના લોકો મહાગુજરાત આંદોલનના નાયક તરીકે ઓળખે છે, આ ઓળખાણ સાચી છે, પણ આખી નથી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમનો ફાળો અનન્ય હતો એ કબૂલ, પરંતુ એ તો એમના જીવનકાર્યનો એક યશસ્વી અધ્યાય માત્ર હતો. આઝાદી આંદોલનમાં તેમનું યોગદાન નાનુસૂનું નહોતું. દેશને આઝાદી મળ્યા પછી સ્વરાજનું અમૃત ગરીબ-વંચિત-પછાત વર્ગના લોકો સુધી પહોંચાડવામાં તેમણે લીધેલી જહેમત યાદગાર છે. આઝાદ ભારતમાં ખેડૂતો અને આદિવાસીઓના કલ્યાણ માટે તેમણે સ્થાપિત હિતો સામે શિંગડાં ભરાવ્યાં હતાં. ગુજરાતના જ નહિ સમગ્ર દેશના ઇતિહાસમાં ઇન્દુચાચા એવું નામ છે, જેમને યાદ કર્યા વિના ચાલે જ નહીં, છતાં ઇન્દુચાચાની દેશમાં તો જવા દો ગુજરાતમાં પણ જોઈએ એવી કદર થઈ નથી, એ પીડાદાયક વાસ્તવિકતા છે.

આઝાદી આંદોલન વખતે ગાંધીજી સાથે ઇન્દુચાચાને આત્મીય સંબંધો હતા. સૌ જાણે છે કે ગાંધીજીનું 'નવજીવન' સાપ્તાહિક મૂળે તો ઇન્દુલાલ યાજ્ઞિકનું 'નવજીવન અને સત્ય' નામનું માસિક હતું, પણ ગાંધીજીની આત્મકથા જેટલું જ મહાન અને મહત્ત્વપૂર્ણ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ'ના ગણેશજી એટલે કે લહિયા ઇન્દુચાચા હતા, એ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. ગાંધીજી અને ઇન્દુચાચા યરવડા જેલમાં અમુક મહિનાઓ સુધી સાથે હતા ત્યારે ઇન્દુચાચાએ જ ગાંધીજીએ અધૂરા લખેલા આ પુસ્તકને પૂરું કરવાનો આગ્રહ કર્યો હતો અને ગાંધીજી બોલે એને લખી લેવાની જવાબદારી તેમણે સામેથી જ ઉપાડી લીધી હતી. દેશના વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન આપવાના કાર્યક્રમની ચર્ચા ચાલતી હતી ત્યારે ઇન્દુચાચા જ હતા, જેમણે વિદ્યાર્થી સમક્ષ કોઈ વિકલ્પ આપવાની, શૈક્ષણિક કાર્યક્રમ મૂકવાનો આગ્રહ સેવ્યો હતો અને તેને પરિણામે જ રાષ્ટ્રીય શાળા સ્થાપવાનો વિચાર વિકસ્યો હતો. એ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં પણ તેમનું પાયાનું યોગદાન હતું. 'જનતા કરફ્યૂ' જેવું અહિંસક સાધન તેમની જ દેન છે.

ગાંધીજી પ્રત્યે ભારોભાર સન્માન હોવા છતાં ઇન્દુચાચા દેશના પહેલા એવા રાજનેતા છે, જેમણે ગેર-કોંગ્રેસવાદની હાકલ કરી હતી અને એ પણ ગાંધી અને સરદારની કોંગ્રેસ સામે ! ઇન્દુચાચા એક માત્ર એવા અપક્ષ ઉમેદવાર છે, જેમણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતી છે. ઇન્દુચાચાનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે તેઓ કોઈ પક્ષ, સંસ્થા કે સંગઠનમાં સમાઈ ન શકે.

ગાંધીજીની ઇચ્છા છતાં તેઓ કોંગ્રેસનું વિસર્જન કરાવી શક્યા નહોતા, જ્યારે અહિંસક લોકલડતથી અલગ ગુજરાત રાજ્ય હાંસલ કર્યા પછી તેમણે વિજયના દિવસે જ મળેલી વિરાટ સભામાં જાહેર કર્યું હતું, આપણામાંથી કોઈએ પ્રધાન બનવાનું નથી. આપણું ધ્યેય પ્રધાનપદ નહિ પણ મહાગુજરાત હતું, તે મળી ગયું છે અને મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે … તેઓ પદલાલચુ નેતા નહીં પ્રજાના નેતા પુરવાર થયા હતા.

વિટાર વ્યક્તિત્વના સ્વામી ઇન્દુચાચાને જાણવા હોય તો તેમની છ ખંડોમાં વિસ્તરેલી આત્મકથા જરૂર વાંચવી જોઈએ. ગુજરાતની અસ્મિતાની ખરી લડત લડનારા ઇન્દુચાચા જેવા લોકનાયકનો લોકો આજે ય ઇન્તેજાર કરી રહ્યા છે. લીલાવતી કનૈયાલાલ મુનશીએ ઇન્દુચાચા માટે કહેલી વાત સાથે લેખ પૂર્ણ કરીએ : "ઇન્દુલાલ એટલે ટ્રેનની ઝડપ, ઇન્દુલાલ એટલે બાળકનાં તોફાન, ઇન્દુલાલ એટલે લશ્કરી સિપાઈ. ઇન્દુલાલમાં ઋષિમુનિનો સંયમ નથી પણ યૌદ્ધાઓનો નિગ્રહ છે. એમના બળવાન દેહમાં બાળકનો આત્મા વસે છે … એ પણ અનંતના આંગણે રમતું બાળક જ છે. દેશકાર્યનું અસિધારાવ્રત એમણે લીધું છે. હનુમાન માફક એમના હૃદયમાં ઊંડા ભાગમાં 'દેશ' શબ્દ કોતરેલો હશે."

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કતાર, “સંદેશ”, 22 ફેબ્રુઆરી 2015

છવિ સૌજન્ય : સૃષ્ટિ શુક્લ

Loading

ઇન્દુચાચાએ દીધો જાસો એક જનવાદી !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|21 February 2015

પ્રતીતિ 2015 : ‘ઘનઘોર અંધકાર હોય ત્યારે જ ઉષા પ્રગટ થાય છે અને કૂકડો નવપ્રભાતની આહલેક જગાવે છે’

જોઉં છું કે નવી દિલ્હી બેઠા ગ્રામીણ વિકાસ મંત્રી બીરેન્દ્રસિંહ ચીપિયો પછાડે છે કે કિસાનોના સવાલો અણ્ણાજી કરતાં હું વધારે સમજું છું ! દેખીતી રીતે જ, આવતે અઠવાડિયે નવી દિલ્હીમાં મોદી સરકારના જમીન અધિગ્રહણ વટહુકમ સામે છેડાઈ રહેલ લોકલડાઈના સંદર્ભમાં આ ઉદ્દગારો આવી પડ્યા છે. આ વટહુકમ કોર્પોરેટ સેક્ટર માટે વેપારી હિતોની દૃષ્ટિએ ખુલ્લી થતી જમીનોની દિશામાં છે; અને કથિત ગુજરાત મોડેલ હો કે હાલનું દિલ્હી ગાણું, બેઉ છેવટે તો નરસિંહ રાવ- મનમોહનના વારાથી શરૂ થયેલી નવી આર્થિક નીતિના અગ્રચરણરૂપે આમ જનતાવિરોધી પગલાં બાબતે બેહિચક માલૂમ પડે છે.

ગુજરાત મોડેલ વિશે મોદી એસ્ટાબ્લિશમેન્ટના છેડેથી નહીં પણ કંઈક પ્રતિલોમ – કંઈક પ્રજાસૂય છેડેથી વિચારીએ ત્યારે સમજાઈ રહેતું વાનું એ છે કે હરેક સિદ્ધિ, હરેક નવપરિવર્તનમાં લોકચળવળ અને લોકહિસ્સેદારીનો ખાસો હિસ્સો હોય છે. સ્વરાજ સરકારને મેદ અને કાટ ન ચડે તે જોવામાં સ્વાતંત્ર્યસંગ્રામના મોટા ગજાના લડવૈયાઓએ – જેમ કે રાજાજી અને કૃપાલાણીએ કે જયપ્રકાશ અથવા લોહિયાએ – લોકમોઝાર રહી વિરોધ અને અસંમતિનો અવાજ ઉઠાવવામાં સાર્થકતાનો અનુભવ કીધો હતો. પણ વાત આપણે પ્રતિલોમ પ્રજાસૂય છેડેથી ગુજરાત મોડેલની કરતા હતા. અને એ સંદર્ભમાં થઈ આવતું ઉત્કટ સ્મરણ સ્વાભાવિક જ ઇન્દુલાલ યાજ્ઞિકનું છે, જેમને કૃપાલાણી ‘મુક્કા-ભુક્કા યાજ્ઞિકજી’ કહેતા.

ગુજરાત ઇન્દુલાલ યાજ્ઞિકની રવિવવારે એક ઓર જન્મજયંતી ઉજવશે. આ જન્મજયંતી છેક જ લુખ્ખી નહીં હોય. ખરું જોતાં ગુજરાત રાજ્યની પચાસીએ, સ્વર્ણિમ શાનશૌકત સાથે અને કૃતજ્ઞતા તેમ જ કદરબૂજભેર સત્તાવાર પહેલથી થવું જોઈતું હતું તે બિનસરકારી રાહે જરી મોડેથી પણ ધોરણસર થઈ રહ્યું છે : સાબરમતીથી કલોલ જતા હાઈવે અને મોટેરા સ્ટેિડયમ જતા રસ્તાના ક્રોસિંગ પર, મહાગુજરાત આંદોલનના ઝંડાધારી ઇન્દુચાચાની નવ ફીટની કાંસ્ય પ્રતિમા ખુલ્લી મુકાઈ રહી છે.

સ્વર્ણિમ પ્રતિમા સમિતિ અને સનત મહેતા સરખા વરિષ્ઠ જનની જહેમતથી બની આવેલું આ સ્મારક માત્ર એક ઉજવણીની રીતે જ નહીં પરંતુ ચોક્કસ સંદેશ બલકે જાહેર જનવિધાન (સ્ટેટમેન્ટ) તરીકે ય વિપળવાર પણ વહેલું નથી. જરા જુદે ખૂણેથી જો એક પેરેલલ પાછે પગલે સંભારું તો ‘ગરીબી હટાઓ’ની મધ્યસત્ર ચૂંટણી ઇન્દિરા ગાંધી 1971માં લઈ આવ્યાં ત્યારે અપક્ષ ઇન્દુલાલ કોંગ્રેસના સમર્થનથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

આ ઇન્દુલાલે તરુણ વયે શરૂ કરેલંુ “નવજીવન અને સત્ય” સામયિક, પછીથી, ગાંધીજીને હાથે “નવજીવન”રૂપે કોળવાનું હતું. રોલેટ એકટ જેવા સાંસ્થાનિક કાળના કાળા કાયદા સામે ગાંધીજીએ આરંભેલા સંગ્રામના અઢાર સહીકારોમાં એક ઇન્દુલાલ પણ હતા. મહાગુજરાત આંદોલનના સુકાની તરીકે અપક્ષ સાંસદ તરીકે એ લોકસભામાં બેસતા થયા, એ તો ઘણે મોડેથી બન્યું. એમની કારકિર્દી અને કામગીરી આજીવન એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ રહી. ઇન્દિરાજી કંઈક નવું કરશે એ ઉમેદથી ખેંચાયેલાઓ પૈકી એક એ પણ હતા. (અને ત્યારે કોંગ્રેસમાં આવા અપક્ષ ઉમેદવારનું સમર્થન કરવાની નમનતાઈ પણ હતી.) પણ માર્ચ 1972માં લોકસભામાંનું એમનું છેલ્લું ભાષણ ‘ગરીબી હટાઓ’ના નારા તળે વધતી મોંઘવારી અને ભ્રષ્ટાચાર સબબ આક્રોશપૂર્વકના વિદાયસંદેશ જેવું હતું. કિરણ બેદી જેવી અપક્ષ પ્રતિભાને પક્ષીય રાહે લડાવી શકતા ભા.જ.પ. કને આવા અવાજો છે કે કેમ તે આપણે અલબત્ત જાણતા નથી. ગમે તેમ પણ, હર પળ, હર સરકારમાં એન્ટિ-એસ્ટબ્લિશમેન્ટ અવાજોની જરૂરત હતી, છે અને રહેશે.

વાતનો બંધ વાળતાં 2015ના ગુજરાત જોગ થોડુંક ઇન્દુલાલ યાજ્ઞિકનાં ષષ્ટિપૂર્તિ વચનોમાંથી : ’મારી વાત કેમ કેટલાક મિત્રો સમજી શકતા નથી? – મેં એ ઉપર વિચાર કર્યો છે. તેઓ દરિદ્રનારાયણની વાત કરે છે, પણ તેઓ મહેલમાંથી ઝૂંપડાં તરફ જુએ છે. ઝૂંપડાંમાંથી મહેલને જોવો અને મહેલમાંથી ઝૂંપડાંને જોવાં, એ બંનેમાં ભારે ફરક છે. હું તો ઝૂંપડીનો માનવી છું, પગથી પર જીવતો આદમી છું, ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબ કિસાનોની વચ્ચે બેસવું, એમની ઝૂંપડીઓમાં જવું અને એમની વિચારધારા ઝીલવી, એ મારું કાર્ય છે. એ શ્રમજીવીઓના શ્રમ અને આદર્શો તથા મારી સેવાનો સમન્વય સધાશે તો હું જે ક્રાંતિ કરવા ધારું છું એ કરી શકીશ. મારા ટીકાકારો યાદ રાખે કે ઘનઘોર અંધકાર હોય ત્યારે જ ઉષા પ્રગટ થાય છે અને કૂકડો નવપ્રભાતની આહલેક જગાવે છે. મારી એવી પ્રતીતિ છે કે આજે જો ઘનઘોર અંધકાર ફેલાયો છે તો શ્રમજીવીઓના ભવિષ્યના મંગળ પ્રભાતનો દિવસ નજીક આવી રહ્યો છે. આમાં મારી સફળતા નહિ હોય, એ તો વિરાટ શ્રમજીવી સમાજની હશે. હું તો એ શ્રમજીવી વિરાટનો હાથ પકડી આગળ વધીશ, એની સાચી ઉન્નતિ અને શાંતિ માટે જીવીશ અને મરીશ તો પણ એ કાર્ય કરતાં જ.’

1960ના સુરાજ્ય સંકલ્પ અને 1975-77ના ‘આઝાદી અને રોટી બંને સાથે’ એ જનતા જનાદેશથી ભટકી ગયેલા ગુજરાતને નાતજાતકોમથી ઉફરો આ છે ઇન્દુચાચાએ દીધેલો જાહેર, જનવાદી જાસો !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 21 ફેબ્રુઆરી 2015

Loading

...102030...3,8033,8043,8053,806...3,8103,8203,830...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved