Opinion Magazine
Number of visits: 9770136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

A SECULARIST RESPONDS TO MINISTER RAJNATH SINGH ….

Ram Puniyani|English Bazaar Patrika - OPED|30 November 2015

NEW DELHI: The celebration of Constitution day ( November 26 2015) marked the revival of the debate, rather questioning of the concept of secularism, yet again. Rajnath Singh, the home minister repeated the arguments which the RSS parivar has been raising time and over again. He said that the perverse use of the term secularism is causing social tensions. As per Singh, secularism is the most misused term in the country and it is this misuse of the term which is causing social tensions. He repeated that this term has Western roots and stands for separation between religion and state. In India since its religion itself is secular such a concept is not needed here. He repeated the earlier arguments of RSS ideologues that there is no need to have the word Secularism the Preamble of Indian Constitution.

Most of these arguments which keep coming from Sangh parivar have a deeper purpose. They are uncomfortable with the very concept of a secular state so they bring forward this debate in different guises. One recalls that on the eve of Republic Day January 26 2015, the Government issued an advertisement in which the words secular and socialist were missing. The argument put forward after a strong protest was that these words were inserted into the Preamble during the Emergency were not there originally. The point however is that the Indian Constitution has all the provisions for secular values in different clauses of our Constitution, still in the face of rising communal politics this addition to the Preamble made in 1975 merely reinforces the goals of our Constitution.

Is secularism a Western concept? It is true that this value originated in the Western World but the context of the word is not mere geographical it has all to do with the process of modernization, the rise of industrialization and modern education accompanying the process of abolition of kingdoms, feudal values. It runs parallel to coming of the society with equality of all human beings. This process comes in the wake of a change in societal dynamics whereby the hold of organized religion, the clergy, on social affairs starts diminishing or is abolished altogether. This process of secularization heralds the beginning of the modern society where religion, the organized institution in contrast to other facets of religion, is relegated to the margins of society.

The argument that India is different as here there was no organized Church, this concept is not needed in India. As far as the scattered clergy of Hinduism is concerned, it played the same role, allying with the feudal powers to sanctify the divine power of kings or landlords, is no different. For that matter whatever be the religion, the clergy does play the same role in every pre-industrial society. It is a bane of South Asian countries that clergy or ‘politics in the name of religion’ keeps dominating the and acts as an obstacle to the strengthening of democratic values and relationship of equality.

The assertion that the Indian religion, Hinduism is secular, defies all sociological understanding of India, Hinduism and society here. Hinduism, of course is not a Prophet based religion, but is dominated by the Brahminical clergy, which was part of the ruling social powers. Hindu clergy, namely the Brahmins had the same role in giving sanctity to the feudal lord-king as any other clergy had, although in one sense the most visible of this is the organized Catholic Church and so that becomes the most cited example.

In the BJP scheme of things the religions of Indian origin, Buddhism, Jainism, Sikhism are all the sects of Hinduism. This is a political elaboration; not a theological one as all these religions are full-fledged religions as far as scriptures, rituals and values are concerned. This is deliberately done to create ‘the other’ in the followers of Islam and Christianity. So to say that the religions of Indian origin are the only Indian religions is faulty again. Religions don’t have nationality, they are universal.

The origin of religion in that sense is incidental. Look at the spread of Buddhism. Look at the followers of these religions trotting all over the globe. The very formulation of Indian versus foreign religion is a political construct. Hinduism does have different sects like any other religion having many sects. India has many religions thriving here. What are Indian religions is well answered by Gandhi. Gandhi states that in India “Apart from Christianity and Judaism, Hinduism and its offshoots, Islam and Zoroastrianism are living faiths.” (Gandhi’s collected works, Volume XLVI p. 27-28). This is very contrary to the RSS-BJP formulation of Islam and Christianity being foreign religions.

It is true that the practice of secularism has been tardy in India due to the weakness of the political leadership and due to the absence of effective land reforms. In tune with that, the RSS parivar has been coining different terms to criticize secularism as such and to hide its total opposition to religious pluralism and secularism.

First it began with the term appeasement for the affirmative policies of the Congress, and then went on to coin the term pseudo secular and lately sickular as a derogatory term for those trying to uphold the Constitutional values of secularism. The BJP slogan of ‘Justice for all and appeasement of none’ in a way underlines the way Hindu nationalism will operate, with no concern for the weaker religion minorities. Its agenda has been structured around identity issues related to a section of Hindus. Earlier the major issue used on the ground was the Ram temple, and today and the ‘Cow as mother’ is the reigning identity issue.

‘India First’ the highly emotive phrase coined by Prime Minister Narendra Modi as a substitute for secularism is a clever maneuver to bypass the word secular, which is a big obstacle to the agenda of Hindu nationalism of the RSS-BJP. While the freedom movement was totally diverse, plural and secular to the core the ideological foundations of today’s BJP lay in the Hindu nationalism as brought up by Savarkar and later by RSS. This begins with the formulation of India as a Hindu nation from times immemorial, in contrast to the self understanding of Indian national movement that ‘we are a nation in the making’.

Although the BJP currently has no choice but to uphold the Indian constitution it is trying to subvert the spirit of secular values by various means. And that’s what the RSS pracharak Rajnath Singh is doing as a minister in the Indian Government! Such distortions of the spirit of Indian Constitution need to be combated at the ideological, social and political level.

#secularism, # pseudosecular, #sickular #Ram Puniyani # Hindu nationalism, # Indian Nationalism #Indian Constitution # India First #plural# Freedom movement

Loading

ઓહ મોદી, આહ મોદી

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|30 November 2015

आदतन तुम ने कर दिये वादे 

आदतन हम ने ऐतबार किया

                                         ~ गुलज़ार 

સન 1986ના અરસામાં એન્ડૃીઅસ વ્હીટમ સ્મિથ, સ્ટીવન ગ્લૉવર અને મૅથ્યૂ સીમન્ડ્સ નામના ત્રણ નામી પત્રકારોએ “ધ ઇન્ડિપેન્ડન્ટ” નામક એક દૈનિકનો અહીં આરંભ કરેલો. એણે એક નવી કેડી કંડારી; અનેરી નવી હવા ઊભી કરી. રૂપર્ટ મર્ડોકને વૉપિંગ મુદ્દે ઉધામા ચડેલા અને પછી અખબારી જગતમાં નવી આબોહવા ફેલાઈ, તેમાં 2010થી એક રુસી તાલેવંત એલેકઝાન્ડર લેબૅદૅવ તે અખબારના માલિક બન્યા છે અને મૂળ હિન્દવી નસ્સલના અમલ રાજન આ ભાતીગળ દૈનિકના મુખ્ય તંત્રીપદે બિરાજમાન છે. આ જાજરમાન દૈનિકનાં ઠઠ્ઠાચિત્રો(કાર્ટૂન)નું આ મુલકે ગૌરવ શું સ્થાન છે. તેમાં ડેવ બ્રાઉન નામક ઠઠ્ઠા-ચિત્રકાર અગ્રગામી છે. 07 નવેમ્બર 2015ના અંકમાં ડેવ બ્રાઉને ‘ધ રેડ કારપેટ’ મથાળા સાથેનું ઠઠ્ઠાચિત્ર આપ્યું છે. 10 ડાઉનિંગ સ્ટૃીટ માંહે દેશના વડાઓનું સ્વાગત કરવા રાતી જાજમની બિછાત થતી હોય છે. અહીં નીંગળતાં લોહીની જાણે કે જાજમ બિછાવાઈ છે. વડા પ્રધાન ડેવિડ કેમરૂન બાલદી ને લૂછણિયું લઈને સાફસૂફી કરતાં દર્શાવાયા છે. અને તેમાં પડેલાં પગલાંમાં ચીનના વડા શી જિન પિંગ, ઇજિપ્તના વડા અબ્દેલ ફતાહ અલ-સીસીનાં નામો ઉપસી આવેલાં છે.

અને વિધિની વક્રતા તો જૂઓ : આ હારમાળામાં આ બે વડાઓની પાછળ ભારતના નરેન્દ્ર મોદીની પધરામણી થઈ. અને હવે ડેવ બ્રાઉનની પીંછી કમાલ કરે છે 13 નવેમ્બર 2015ના દૈનિકમાં. પોતાના ત્રણ દિવસના રોકાણ વેળા, બીજે દિવસે, બ્રિટિશ વડાપ્રધાન અને તેમના મહેમાન નરેન્દ્ર મોદી ગાંધીની પાર્લામેન્ટ સ્ક્વેરમાં મુકાઈ નવીનક્કોર પ્રતિમાએ પુષ્પાંજલિ  અર્પવા ગયા છે. અને ત્યારે મોદીભાઈ હેરત પામેલા કેમરૂનભાઈને તિલક કરે છે અને વદે છે : ‘બિન્દી … ? ઊપ્સ ! જસ્ટ અૅ સ્પૉટ અૉફ બ્લડ અોન માઇ હેન્ડ્સ !’ 

વરસોથી, અહીં, ‘આવાઝ ફાઉન્ડેશન’ નામે એક એનજીઓ કાર્યરત છે. આ મુલકના કેટકેટલાં બુદ્ધિશાળી કર્મશીલોમાંના એક સુરેશ ગ્રોવર પણ આ સંસ્થાના અગ્રેસર છે. દક્ષિણ એશિયાઈ દેશોના મૂળ વતનીઓને અડતા-નડતા-સાંકળતા અનેક મુદ્દે, ધર્મનિરપેક્ષતાને કેન્દ્રમાં આરોપતી સક્રિય આ સંસ્થાએ આઠમી નવેમ્બરની મોડી સાંજે, આધુનિક ટેકનોલોજી વડે, પેલેસ અૉવ્ વેસ્ટમિનસ્ટરની દિવાલો પર બીંબ પાડી જાહેર કર્યું : ‘મોદી નોટ વેલકમ’. વળી, સાથે, મોદીની આકૃિત ને હાથમાં નાગી તલવાર ચીતરી હતી. નાઝીવાદની ચાડી ખવાતી હોય તેમ સ્વસ્તિકને ઠેકાણે ઓમકારનું મનઘડત પણ ઘસાતું આલેખન દર્શાવ્યું હતું. વળતે દિવસે હાઉસ અૉવ્ કૉમન્સમાં પણ આ ઘટનાના વિપરીત પડઘા ય પડ્યા.

વારુ, બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉરપોરેશનના સંવાદદાતા જુબૈર અહમદ પૂછતા હતા તેમ પૂછીએ, બ્રિટન પ્રવાસને પરિણામે મોદીએ શું મેળવ્યું ? આ સવાલના જવાબ આપણે કોને પૂછીએ છીએ તે મુજબ અલગ અલગ છેડાના મળવાના છે, અને તેની ક્ષેત્રમર્યાદા વચ્ચે જબ્બર ખાઈ વર્તાતી રહેવાની. બ્રિટનમાં મોદીનું ‘સુપરસ્ટાર’ જેવું સ્વાગત થયું. આવું છતાં, આ બ્રિટિશ યાત્રા મોદી માટે એમની ઇચ્છા મુજબ નહોતી તે નહોતી. અમારા વડા પ્રધાન કેમરૂન સાથે યોજાયેલી પત્રકાર પરિષદમાં બ્રિટિશ પત્રકારોએ મોદીને ય અણિયાણા સવાલો પૂછી જ કાઢ્યા હતા. ગુજરાતના 2002ના કોમી તોફાન વિશેના સવાલ પણ તેમાં સામેલ. મોદીને આ ગમતું જ નહોતું. ગાંધી પ્રતિમાએ ફૂલ ચડાવી રહ્યા હતા ત્યારે નેપાળી, કાશ્મીરી તથા પંજાબી સમુદાયે વિરોધી નારાબાજી કરી હતી. દેશી સમૂહમાધ્યમોમાં આલોચકો એમને ઇજ્જતના દાયરામાં સારાનરસા ચીતરતા રહેતા હોય છે; પરંતુ અહીં તો આ સમુદાય ‘મોદી હત્યારા’ અને ‘મોદી આતંકવાદી’ જેવા જેવા નારા લગાવ્યા કરતો રહ્યો.

ભારતીય તેમ જ અહીંના દેસી સમૂહમાધ્યમોમાં મોદીના વધતા જતા કદની વાહ વાહ પોકારાતી હતી, તો બીજી પાસ, બ્રિટિશ મીડિયામાં કંઈક જૂદું ચિત્ર ય ઊપસતું રહ્યું. “ધ ગાર્ડિયને” તેના એક સંપાદકીયમાં લખ્યું, ‘ઓવર ધ ટૉપ …’ એટલે કે જરૂરતથી વધારે ! જ્યારે “ધ ઈન્ડિપેન્ડન્ટ” તો કહેતું રહ્યું કે ગુજરાતના તોફાનો થયા તેની જવાબદારી જો કોઈની હોય તો તે એ ખુદ જ જવાબદાર છે કેમ કે એમના રાજમાં આ ગમખ્વાર ઘટનાઓ ઘટેલી. કંઈ કેટલાંય અખબારોએ વળી ડેવિડ કેમરૂનને ભારતીય વડા પ્રધાનની ખુશામત કરવા સારુ આડે હાથ વીંઝી કાઢ્યા છે. આ ખુશામતની ચાડી આ લિંક પર વર્તી શકાય : https://www.youtube.com/watch?v=zoCSWxfWT8Y

દરમિયાન, જાણીતા લેખક પત્રકાર સલિલ ત્રિપાઠીના ફેઇસબુક પાને, 14 નવેમ્બર 2015ના રોજ, અંગ્રેજીમાં એક સંવાદ પેશ હતો. તેનો ગુજરાતી અનુવાદ આમ છે :

ઊબેરની ટેક્સીમાં બેસતી વેળા મેં કૂરતો પહેર્યો છે અને ફરતે શાલ વીંટી છે. મારો ચાલક સોમાલી છે. ભારતનો છું તેમ હું તેને કહું છું. કાંઈ બોલ્યા વગર તે તો ગાડી હંકારતો રહ્યો. અને પછી બોલ્યો : ‘તો તમે ગઈ કાલે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા, નહીં ?’

અને તે મને તરત ગમી ગયો. અમારી વચ્ચે મનોબંધનની લાગણી પેદા થયાનું લાગ્યું. મોદી આજકાલ આવા મનોબંધનની જ વાત કહ્યા કરે છે ને. તેણે જારી રાખ્યું, ‘તે સાવ સામાન્ય માણસ છે, તમારા લોકો તેને આટઆટલો કેમ ચાહે છે ? શીખને તે ગમતા નથી, ખરું ને ?’

ગઈ કાલે અને પરમ દિવસે શીખોએ ય દેખાવો કર્યા જ હતા ને. મેં હા ભણી; કહ્યું, તેમને જૂની અદાવત છે.

અને નેપાળી પ્રજાને ય વાંધાવચકા છે, તે બોલતો રહ્યો. ભારત નેપાળ સામે કેમ ઘૂરક્યા કરે છે ?

મેં ખૂલાસા કરવાનો પ્રયત્ન કર્યો પણ થોડા વખત પછી દલીલ ટાળી − નેપાળ વિષેની ભારતની મનસ્વી નીતિને બચાવવાનું કામ મારું નહોતું.

તે દિવસે સાંજે એક મજલિસમાં હતો અને મને મઝા પડી ગયેલી. મિલનમાં કેટલાય વેપારવણજના અગ્રેસરોને મળવાનું થયું. આગલી સાંજે વેમ્બલી જવાનો તેમને જે મોકો મળેલો તેનાથી તે દરેક આનંદવિભોર હતા. હું તેમને કહેતો રહ્યો કે આમ જોઈએ તો ત્યાં કેમરૂનની પ્રતિષ્ઠામાં જ વધારો થતો હતો.

અલબત્ત, ખરું, એકે વાત સ્વીકારી. પરંતુ દરેક ત્યાં મોદીને નામ જ હતા.

જરૂર, મેં કહ્યું. પાડ માનીએ કે તેમને ભારતમાં મતદાન આપવાનો યોગ થવાનો નથી, મેં ઉમેર્યું.

હા, તે માણસે કહ્યું.

વિન્સટન ચર્ચિલથી માંડીને આજ સુધીના તમામ બ્રિટિશ વડા પ્રધાનોમાં આટલી નિમ્ન સ્તરે જઈ ભાટાઈ કરનારા વડા પ્રધાન જોયાજાણ્યા નથી. વિચારતા, કદાચ, નેપોલિયન બૉનાપાર્ટને નામ ખતવાયેલું વાક્ય સ્મરણમાં આવતું રહ્યું : ‘ઇંગ્લૅન્ડ ઈઝ અૅ નેશન અૉવ્ શોપકિપર્સ’ ! આજના કોરપોરેશન પ્રભાવક જાગતિક અર્થતંત્રમાં દિશા અને દશાની પોતીકી ભાળ કાઢવામાં બ્રિટન મુંઝાયેલું દેખાય છે. યુરોપીય સંઘમાં રહેવું કે નીકળવું તેની વાવંટોળિયા અડિયોદડિયોમાં બ્રિટન સપડાયું છે. તો બીજી પાસ, વેપારવણજમાં જ્યાંત્યાં ફાફાં માર્યા કરવાની નીતિ પોકારાઈ રહી છે. અને તેથી ચીન, ઇજિપ્ત અને ભારત સાથેનો આ સંગ.

અને તે પછી પણ એક વાત દીવા જેવી ચોખ્ખીચણક રહી : વેમ્બલી સ્ટેિડયમમાં જનારા તો મોટે ભાગે બ્રિટિશ દેસીઓ હતા અને તે આ મુલકે જ મતદાન કરે છે. તેનો ફાંટું ભરીને લાભ તો કેમરૂનને અને ટોરી પક્ષને જ ફાળે રહેવાનો ! સરેરાશ ભારતીય બ્રિટિશ ભણેલો છે, મહત્ત્વાકાંક્ષી છે, અને બહુધા બે પાંદડે સુખી છે. ટૂંકામાં, તે કન્સર્વેટિવ પક્ષનો જ તરફદાર.

કહે છે કે કુડીબંધ સાંસદોએ હાજર નહીં રહેવાની રજૂઆત કરી તેથી હાઉસ અૉવ્ લૉર્ડના એક સભાખંડમાં મોદીનું ભાષણ ગોઠવાયું. દેખીતું હતું કે મૂળ ભારતીય નસ્સલનાં સાંસદો જ હોંશીલા ફૂલાયાં કરતાં હતાં. પણ આ મુલકની આમ જનતા પર તેની કેવડી અને કેટલી અસર ?

વેમ્બલી સ્ટેિડયમમાં ભરચક્ક હાજરી વચ્ચે રાજ બબ્બર જેમને પરિધાન મંત્રી કહે છે તેમ મોદીની સભા થઈ. અને તે મહાસભાની ગતિવિધિની લિંક અહીં પેશ છે  : https://www.youtube.com/watch?v=dyoQWOHDdak

કેમરૂન બોલતા હતા ત્યારે મોદીની ‘બૉડી લેંગવેજ’ નીરખવા જેવી હતી. ખેર ! કેમરૂનભાઈ તો અધધધ હેરત વચ્ચે ડોલતા હતા. મોદીભાઈ માટે સ્ટેિડયમ માંહેની આવી આવી સભાઓ નવીનવાઈની નહોતી. ન્યૂ યૉર્કના મેડિસન ગાર્ડન, સિડનીના અૉલિમ્પિક સ્ટેિડયમ અને કેલિફોર્નિયામાં શાર્ક ટેન્કના અનુભવો એમને ગજવે વજન કરતા જ હતા. કેમરૂન કહેતા હતા તેમ મોદી માટે આ સૌથૌ મોટી રેલી હતી તેથી તેનો જબ્બર નશો ય દેખાતો હતો.

મોદીનું ભાષણ રસિક હતું. બોલતા હતા વેમ્બલીમાં, ને એમની નજર ભારતમાંના શ્રોતાઓ ભણી હતી. બિહાર ચૂંટણી પરિણામો પછીનું વાતાવરણ હતું. અસહિષ્ણુતાનું વાતાવરણ જે ફેલાતું રહ્યું છે તેની પછીત પણ હતી. મુલકમાંથી ગરીબી હટાવની વાત તેથી કેન્દ્રગામી રહી. વિવિધતામાં એકતા પર એ ભાર મુકતા હતા.

ટૂંકામાં, ભારત અને બ્રિટનના હિતોનો આ ત્રણ દહાડાની મુલાકાતમાં સંગમ બનતો હતો. કોણ કેનો વધુ લાભ મેળવે, તેની ગોઠવણ દેખાતી રહી.

પાનબીડું : 


हर सिम्त बड़े लोगों की भीड़ है निकहत 
हम इतने ख़ुदाओं की इबादत नहीं करते 

                                                       ~ नसीम निकहत 

ઓ નિકહત, ચારેકોર આપવડાઈવાળાં માણસોનાં ટોળાં છે. આપણે કંઈ આટઆટલાં દેવદેવીઓ(આપવડાઈવાળાં લોકો)ને ભજતાં નથી.

હૅરો, 20 નવેમ્બર 2015

Loading

ભારતીય સમાજમાં રહેલી ટ્રસ્ટ ડેફિસિટને દૂર કરવામાં ગાંધીજી જેવા ગાંધીજીની શક્તિ પણ ઓછી પડી હતી ત્યાં તમે કઈ વાડીનો મૂળો?

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Gandhiana|30 November 2015

ગાંધીજીએ એક તાવીજ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે બધી વિચારધારા અને પક્ષાપક્ષી છોડો અને માત્ર એમ વિચારો કે તમે જે વિચારો છો, બોલો છો, લખો છો કે પછી કરો છો એનાથી સમાજના છેવાડાના માણસને ફાયદો થશે કે નુકસાન? બસ, આટલી મૂળભૂત પ્રતિબદ્ધતા હોવી જોઈએ. મૂળભૂત માનવીય મૂલ્યોના પક્ષે અને છેવાડાના માણસના હિતના પક્ષે ઊભા રહો, બધી જ પક્ષાપક્ષી સમાપ્ત થઈ જશે

તમે તમારી જિંદગીમાં કોઈ મુસ્લિમનો કે દલિતનો વિશ્વાસ સંપાદન કરવાનો કેટલી વાર પ્રયાસ કર્યો છે? કાલ કે પરમ દિવસે નહીં, આખી જિંદગીમાં? છાતી પર હાથ રાખીને પૂછી જુઓ તમારી જાતને આ સવાલ. પાનું સાવ કોરું રહે તો આશ્ચર્ય નહીં થાય. પોતે જ પોતાની જાતને માણસાઈનું સર્ટિફિકેટ આપી દેવું અને જાતને સાબિત કરવી એમાં જમીન-આસમાનનું અંતર છે

•

બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ છેતરાયેલા લોકોનો ઉન્માદ છે જે થોડા વખતમાં શમી જશે. કોઈને સાક્ષાત્ ઐશ્વર્યવાન દેવ તરીકે પૂજ્યા હોય અને પછી જ્યારે એ દેવ માટીના સાબિત થાય ત્યારે થોડો વખત એ હકીકત માનવા મન તૈયાર નથી થતું. દાયકા પહેલાં પાંડુરંગ શાસ્ત્રીના અને બે વરસ પહેલાં આસારામના ભક્તોનો ઉન્માદ આપણે જોયો છે. છેતરાયેલા લોકોનો ઉન્માદ આવો જ હોય. કોઈના અનુયાયી થઈને આળોટનારા લોકો નિરાભિમાની હોય એવું નથી હોતું. હું શું બેવકૂફ છું કે કોઈની પણ આંગળી પકડી લઉં? આવું અનેક વાર આપણે બોલ્યા હોઈએ અને પોતાની જાતને કોઈની પાલખી ઊંચકવા માટે મનાવી હોય એ પછી જ્યારે બેવકૂફ બન્યા હોવાનું ભાન થાય ત્યારે એનો સ્વીકાર કરવામાં તકલીફ થતી હોય છે. બ્રહ્મજ્ઞાન વસમું હોય છે એમ બ્રહ્મજ્ઞાનીઓ કહી ગયા છે. સત્યનો સ્વીકાર કરવામાં વખત લાગતો હોય છે એટલે આપણે તેમને ઉદારતાપૂવર્‍ક વખત આપવો જોઈએ. આમ પણ આજકાલ ભારતમાં ઉદારતા વિશે ઊહાપોહ થઈ રહ્યો છે ત્યારે ઉદારતા બતાવવાની પહેલી ફરજ ઉદારમતવાદીઓની છે.

નયનતારા સેહગલથી લઈને આમિર ખાન સુધીના લોકોનાં વધતી અસહિષ્ણુતા વિશેનાં કથનોનો વિરોધ કરનારાઓ બે પ્રકારના છે. એક હિન્દુ કોમવાદીઓ છે જે જગતના બીજા કોઈ પણ ધર્મના કોમવાદીઓ જેવા હોવાના. તેમનાં રૂપરંગ, સ્વભાવ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, દલીલો બધું એકસરખું છે; માત્ર ગોત્ર અલગ છે. કોઈનું ગોત્ર હિન્દુનું છે, કોઈનું ઇસ્લામનું છે તો કોઈનું વળી ત્રીજું છે. તેઓ એકસરખી આવી દલીલો કરતા જોવા મળશે : ૧. અમારો ધર્મ તો સંપૂર્ણ છે, બીજાનો ધર્મ અધૂરો છે. ૨. અમારા ધર્મના તો પાયામાં જ શાંતિ અને સહિષ્ણુતા છે, બીજાના ધર્મમાં એનો અભાવ છે. ૩. અમે ખરાબ હોઈ જ ન શકીએ, પરંતુ બીજાને કારણે અમારે ખરાબ થવું પડે છે. ૪. અમારે સંખ્યાની ચિંતા એટલા માટે કરવી પડે છે કે બીજા તેમની સંખ્યા વધારી રહ્યા છે વગેરે-વગેરે. જગતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ધર્મના કોમવાદીઓ તમને આ જ દલીલ કરતા જોવા મળશે. તેમનું અસ્તિત્વ જ બીજાના અસ્તિત્વ પર આધારિત છે. જેમનું અસ્તિત્વ પોતા થકી નથી એવા પામરો પાસેથી સહિષ્ણુતાની અપેક્ષા રાખવી એ એરંડા પાસેથી છાયાની અપેક્ષા રાખવા જેવું છે.

બીજા પ્રકારના લોકો આગળ કહ્યું એમ છેતરાયેલા લોકો છે. તેઓ જ્યાં સુધી છેતરાયા હોવાનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી તેમને બચાવ કરવા સિવાય છૂટકો નથી અને બચાવ કરવા માટે એ જ દલીલોનો આશરો લેવો પડે છે જે કોમવાદીઓ પૂરી પાડે છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પૈસા લઈને પ્રચાર કે કુપ્રચાર કરનારા ભાડૂતી એજન્ટો જે દલીલો પૂરી પાડે છે એનો ઉપયોગ કરવો પડે છે. એ દલીલો નક્કર વાસ્તવિકતા સામે ટકી શકતી નથી એ તેમની બીજી પીડા છે. તેઓ ઉપર કહ્યા એવા બેશરમ કોમવાદીઓ તો છે નહીં જેમનો અંતરાત્મા મરી ગયો હોય! તેમનો અંતરાત્મા જીવતો છે અને તેમનો કોઈ અંગત સ્વાર્થ પણ નથી, માત્ર છેતરાયા હોવાનો ઘા તેમને સતાવે છે એટલે હાથમાં આવી એવી દલીલો ઝૂડે છે. દલીલો કોમવાદીઓ અને કોમવાદીઓ દ્વારા ફન્ડેડ સોશ્યલ મીડિયા પર કામ કરનારી કમ્યુનલ હેટ્રેડ જનરેટિંગ ઇન્ડસ્ટ્રી પૂરી પાડે છે.

આશા જીવનનું સત્ય છે એટલે છેતરાવાપણું પણ જીવનનું સત્ય છે. આમાં શરમાવા જેવું કંઈ જ નથી. આ લખનાર જનતા પાર્ટીથી લઈને જનતા દળ સુધી અનેક વિશ્વનાથ પ્રતાપ સિંહો દ્વારા છેતરાયો છે. ઇન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી, કૉન્ગ્રેસનો પરિવારવાદ અને પ્રચુર ભ્રષ્ટાચારથી આ લોકો દેશને બચાવશે એવી આશાએ આંગળી પકડી હતી અને છેતરાયો હતો. એ પછી સત્તાના રાજકારણનું સ્વરૂપ સમજાઈ ગયું અને કોઈને પણ દેવ માનવાનું બંધ કરી દીધું.

વ્યસનીને વ્યસન છોડતી વખતે જે વિધડ્રૉઅલ સિમ્પટમ્સનો સામનો કરવો પડે છે એનો બહુ ઓછો અનુભવ આ લખનારને થયો હતો. નેતાજીની મેદનીમાં અને બાપુઓના મંડપમાં બેસવામાં એટલું જ સુખ મળે છે જેટલું વ્યસનીને વ્યસન કરવાથી મળે છે. સપનામાં જીવી શકાય છે, વાસ્તવિકતા ભૂલી શકાય છે અને ટોળામાં ઓગળી શકાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે બુદ્ધિ ચલાવવાથી બચી શકાય છે. આને કારણે વ્યસનીને વ્યસન છોડતી વખતે જે વિધડ્રૉઅલ સિમ્પટમ્સનો સામનો કરવો પડે છે એવો સામનો ભક્તોએ પણ કરવો પડે છે. આપણી અંદર રહેલું અભિમાન છેતરાયા હોવાનો સ્વીકાર જાહેરમાં કરવા દેતું નથી એટલે આપણે આપણી જાતને છેતરીએ છીએ.

ગાંધીજીએ આનાથી બચવા એક તાવીજ આપ્યું છે. ગાંધીજીએ કહ્યું હતું કે બધી વિચારધારા અને પક્ષાપક્ષી છોડો અને માત્ર એમ વિચારો કે તમે જે વિચારો છો, બોલો છે, લખો છો કે કરો છો એનાથી સમાજના છેવાડાના માણસને ફાયદો થશે કે નુકસાન? બસ, આટલી મૂળભૂત પ્રતિબદ્ધતા હોવી જોઈએ. મૂળભૂત માનવીય મૂલ્યોના પક્ષે અને છેવાડાના માણસના હિતના પક્ષે ઊભા રહો, બધી જ પક્ષાપક્ષી સમાપ્ત થઈ જશે. કબીરે કહ્યું છે એમ નાહી કહુ સે દોસ્તી, નાહી કહુ સે બૈર. મારી દૃષ્ટિએ લોકતંત્ર, વ્યક્તિગત સ્વાતંત્ર્ય તેમ જ અધિકારો, દરેક પ્રકારની સમાનતા અને સેક્યુલરિઝમ મૂળભૂત માનવીય મૂલ્યો છે. આના અભાવમાં સ્થાપિત હિતોનું હિત છે અને આના હોવામાં છેવાડાના માણસનું હિત છે. જેમ કે લોકતંત્રના અભાવમાં સામંતોનું હિત છે, લૈંગિક સમાનતા ન હોવામાં પુરુષનું હિત છે અને સેક્યુલરિઝમના ન હોવામાં ધર્મના ઠેકેદારોનું હિત છે. જો મોકળો ખુલ્લો સમાજ જોઈતો હોય તો એને માટે આ અનિવાર્ય પદાર્થો છે. આમાં કોઈ ત્રાજવાં કે કોઈ કાટલાં ન ચાલે, આ ઍબ્સલ્યુટ વૅલ્યુઝ છે. જ્યાં સુધી તમે મુસલમાનને માપવા હિન્દુ કાટલાં કે હિદુને માપવા મુસલમાનનાં કાટલાં વાપરતા રહેશો ત્યાં સુધી તમે બાપુઓના (કે મૌલવીઓના) મંડપમાંથી અને નેતાજીની મેદનીમાંથી બહાર નહીં નીકળી શકો. જો મુક્ત થવું હોય અને ખુદવફાઈ કેળવવી હોય તો ગાંધીજીનું તાવીજ કામમાં આવે એવું છે અને બીજું કોઈ તાવીજ પણ નથી.

આ તાવીજને ગળે બાંધીને નરેન્દ્ર મોદીના શાસન વિશે નયનતારા સેહગલથી લઈને આમિર ખાન સુધીના જે કેટલાક લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા છે એ વિશે અભિપ્રાય બનાવો. પહેલી વાત તો એ કબૂલ કરવી પડશે કે દરેક વ્યક્તિને પોતાની રીતે આકલન કરવાનો અને અભિપ્રાય આપવાનો અધિકાર છે. આ લખનાર સહિત અનેક લોકોને એમ લાગે છે કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે તો એમાં તમને શા માટે તકલીફ થઈ રહી છે? તમને એવું ન લાગતું હોય તો એનું સ્વાગત છે. તમને રામરાજ્ય નજરે પડતું હોય તો જાહેરમાં આરતી ઉતારવાનો પણ તમને અધિકાર છે. જેટલો આમિર ખાનનો અધિકાર મૂલ્યવાન છે એટલો જ તમારો અધિકાર પણ મૂલ્યવાન છે. તમારા અધિકારની આડે કોઈ આવશે તો તમારા પડખે ઊભા રહેવાની હું ખાતરી આપું છું. ‘મી નાથુરામ ગોડસે બોલતોય’ નાટક મરાઠીમાં આવ્યું અને કેટલાક લોકોએ એના મંચન સામે વિરોધ કર્યો ત્યારે મેં નાથુરામના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો બચાવ કર્યો હતો. નાથુરામે ભલે ગાંધીજીનું ખૂન કરીને ગાંધીજીનું સ્વાતંત્ર્ય કાયમ માટે છીનવી લીધું હોય, પરંતુ ગાંધીજનોએ નાથુરામના સ્વાતંત્ર્યના પક્ષે ઊભા રહેવું જોઈએ અને એમાં ગાંધીજીનો વિજય છે. નાથુરામ ગાંધીજીને નુકસાન નહીં પહોંચાડી શકે, પણ જો આપણે નાથુરામના અધિકારના પક્ષે ઊભા નહીં રહીએ તો ગાંધીજીને નુકસાન જરૂર પહોંચાડીશું.

આ ગાંધીજીનું તાવીજ છે જે મંડપ અને મેદનીની ગુલામીથી બચાવે છે. આ તાવીજ અપનાવવાથી આંગળિયાત થવાપણાથી કે છેતરાવાથી બચી શકાશે. એ દરમ્યાન મહેરબાની કરીને તમારી છેતરાયા હોવાની પીડા બીજા પર લાદવાનું બંધ કરો. આમ કરવાથી આમિર ખાનને તો કોઈ નુકસાન થવાનું નથી. નરેન્દ્ર મોદીને થવાનો હશે તો થોડો રાજકીય ફાયદો થશે, પરંતુ દેશને લાંબા ગાળાનું નુકસાન થશે. તમે દ્વેષની તિરાડો પહોળી કરવાનું કામ કરો છો. આના કરતાં પણ વધારે મોટું નુકસાન એ છે કે તમે પોતે તમારા અંતરાત્માના ગુનેગાર ઠરો છો. આ ખોટનો સોદો પાછો એટલા માટે છે કે અસત્યના ઓજાર બનવામાં તમારો કોઈ અંગત સ્વાર્થ પણ નથી.

એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. આર્થિક શોષણ કેવું હોય એનો પ્રત્યક્ષ અનુભવ કરનાર શોષિત જેટલું સમજી શકશે એટલું તમે ક્યારે ય નહીં સમજી શકો. યૌન શોષણ કેવું હોય એ એનો ભોગ બનનારી સ્ત્રી જેટલું સમજી શકશે એટલું પુરુષ ક્યારે ય નહીં સમજી શકે, પછી તે ગમે એટલો સંવેદનશીલ હોય. સામાજિક ભેદભાવ કેવા હોય એ દલિત જેટલો સમજી શકશે એ સવર્ણ ક્યારે ય નહીં સમજી શકે, પછી ભલે તે મહાત્મા ગાંધી પોતે હોય. અસલામતી કેવી હોય એ બહુમતી કોમની વચ્ચે રહેતો લઘુમતી કોમનો માણસ સમજી શકશે એ તમે ક્યારે ય નહીં સમજી શકો, પછી ભલે તમે પ્રગતિશીલ સેક્યુલરિસ્ટ હો. પીડિતની પીડા પીડિત જ સમજી શકે. આ વાસ્તવિકતા છે જે મોટા દાવાઓ કરવાથી કે બાંયધરીઓ આપવાથી કે જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડવાથી મટવાની નથી. લોકોમાં રહેલી આવી પીડા અને અસલામતીમાંથી એક પ્રકારની ખાસ માનસિકતા જન્મે છે જેનો જે-તે વર્ગના રાજકારણીઓ રાજકીય લાભ લે છે.

સમાજના વિભિન્ન વર્ગો વચ્ચે અવિશ્વાસની ખાઈ (ટ્રસ્ટ ડેફિસિટ) છે એ ભારતની વાસ્તવિકતા છે. એ ટ્રસ્ટ ડેફિસિટ ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી નક્કર રાષ્ટ્રીય એકતા સધાવાની નથી. એ ટ્રસ્ટ ડેફિસિટ એટલી પ્રચંડ છે અને એટલી ર્દીઘકાલીન છે કે એ રાતોરાત દૂર થવાની નથી. ગાંધીજીએ પૂરી પ્રામાણિકતા સાથે આ ટ્રસ્ટ ડેફિસિટ ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ છતાં ભારતનું વિભાજન થયું હતું અને ડૉ. આંબેડકરે હિન્દુ ધર્મ ત્યજી દીધો હતો. ગાંધીજી જેવા ગાંધીજીની શક્તિ ઓછી પડી હતી ત્યાં તમે કઈ વાડીનો મૂળો? તમે તમારી જાતને સહિષ્ણુ હોવાનું સર્ટિફિકેટ આપી દો એટલે લોકો સ્વીકારી લેવાના? આને માટે સહિષ્ણુ બનવું પડે અને અસહિષ્ણુતાની નિંદા કરવી પડે. એ પછી પણ તાત્કાલિક પરિણામ નથી આવવાનું, કારણ કે અવિશ્વાસની ખાઈ ઘણી ઊંડી છે. આ ખાઈ ચોક્કસ પૂરી શકાશે જો ગાંધીજીનું તાવીજ અપનાવીને સત્ય અને માનવતાના પક્ષે ઊભા રહીશું.

ગાંધીજીની હત્યા પછી અને હજી થોડા આગળ જઈએ તો જવાહરલાલ નેહરુના અવસાન પછી કોઈ રાજકીય પક્ષે ટ્રસ્ટ ડેફિસિટ ઘટાડવાનો પ્રયાસ કર્યો નથી. ભારતીય જનતા પાર્ટી, અકાલી દળ, શિવસેના અને કેટલાક મુસ્લિમ પક્ષો નગ્ન કોમવાદી રાજકારણ કરે છે તો બાકીના પક્ષો તુષ્ટિકરણનું રાજકારણ કરે છે. ગાંધી-નેહરુના ગયા પછી અવિશ્વાસની ખાઈ વધી છે, ઘટી નથી.

હવે એક સવાલ સુજ્ઞ વાચકને : તમે તમારી જિંદગીમાં કોઈ મુસ્લિમનો કે દલિતનો વિશ્વાસ સંપાદન કરવાનો કેટલી વાર પ્રયાસ કર્યો છે? કાલ કે પરમ દિવસે નહીં, આખી જિંદગીમાં? છાતી પર હાથ રાખીને પૂછી જુઓ તમારી જાતને આ સવાલ. પાનું સાવ કોરું રહે તો આશ્ચર્ય નહીં થાય. પોતે જ પોતાની જાતને માણસાઈનું સર્ટિફિકેટ આપી દેવું અને જાતને સાબિત કરવી એમાં જમીન-આસમાનનું અંતર છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 29 નવેમ્બર 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-29112015-16

Loading

...102030...3,7383,7393,7403,741...3,7503,7603,770...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved