રોઝી, બાર વાગવા આવ્યા. હવે ઘરમાં આવવું છે ? ભૂખ-તરસ કંઈ યાદ આવે છે કે, તારાં છોકરાંઓ પાસે જ બેસી રહેવું છે ?’
‘બસ, હમણાં આવી. આ જોને, એંજલાને કેટલી તરસ લાગી છે ! આપણું બાળક તરસ્યું હોય તો એને પાણી તો આપવું જોઈએ ને !’
સ્મિથ દંપતીના પાડોશીઓને પીટર હયાત હતો ત્યાં સુધી લગભગ રોજ આવા સંવાદો સાંભળવા મળતા. હા, એમાં એંજલા પછી એંથની અને જૉયનાં નામ પણ આવતાં. અજાણ્યા હોય તેને ખ્યાલ ન આવે પણ આ જૂના પાડોશીઓને ખબર હતી કે, રોઝીએ પોતાના આંગણામાં રોપેલી નાળિયેરીઓને પોતાનાં ત્રણ સંતાનોનાં નામ આપ્યાં હતાં. માત્ર નામ આપ્યાં હતાં એટલું જ નહીં પણ દૂર દેશાવરમાં વસેલાં દીકરા-દીકરીઓ આ નાળિયેરીના માધ્યમથી વાતો પણ કરતી રહેતી. ગોવાના સમુદ્રતટની આબોહવામાં નાળિયેરીઓ મજાની ફૂલીફાલી હતી.
‘એંજલા, તું તારા સંસારમાં સુખી છે એથી મને કેટલો સંતોષ થાય છે, જાણે છે ? વળી તું પ્રેગનન્ટ છે એ ખબર મળતાં તો હું ને તારા ડેડી હરખઘેલાં થઈ ગયાં છીએ.’
‘એંથની, હવે ગોવા આવવાનું આટલું ઓછું કેમ કરી નાખ્યું છે ? કંઈ નહીં તો બે વર્ષે એક વાર તો તારા પરિવારને લઈને આવતો જા, દીકરા !’ ‘જૉય, હવે તું નથી, તારા ડેડી નથી. તમે કોઈ ન હો તો આ ઘરડી મા કોને આધારે જીવે ?’
પીટરના ગયા પછી રોઝી મોટે ભાગે આ ત્રણ નાળિયેરીઓ સાથે જ સમય વિતાવતી. સૌથી મોટી એંજલા શાળામાં ભણતી ત્યારે એક દિવસ શાળામાંથી આવી ત્યારે નાળિયેરીનો રોપો લેતી આવેલી. ખુશ થતાં એણે કહેલું, ‘માઈ, આ રોપો આપણા વાડામાં રોપીશું ?’
રોઝીએ ત્યારે પીટરને કહ્યું હતું,
‘દીકરી તો પરણીને સાસરે જતી રહેશે. એના ગયા પછી આ ઝાડ આપણને એની સાથે જોડેલાં રાખશે. ચાલ, આપણે એના હાથે જ નાળિયેરી રોપાવીએ.’
એણે રોપેલી નાળિયેરી પર ફળ આવે એ પહેલાં એંજલા લગ્ન કરીને લંડન જતી રહેલી. ત્યાર પછી રોઝીના લાડકવાયા એંથનીને કુવેતમાં સારા પગારની નોકરી મળતાં એને પણ નજરથી દૂર કરવાનો વારો આવ્યો. એ સમજુ અને સંવેદનશીલ હોવાથી રોઝીને આ દીકરા માટે અનહદ પ્રેમ હતો. એની કુવેત જવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે એક દિવસ રોઝીએ કહ્યું,
‘બેટા, હું ઇચ્છું છું કે જતાં પહેલાં તું એંજલાવાળી નાળિયેરીની બાજુમાં તારે હાથે એક નાળિયેરી રોપતો જાય. રોજ સવારે તારા માથે હાથ ફેરવીને તને ઉઠાડું છું. તારા ગયા પછી એ સુખ તો નહીં મળે પણ તારી રોપેલી નાળિયેરી પર હાથ ફેરવીને … ‘રોઝી વાક્ય પૂરું નહોતી કરી શકી.’ ‘રડ નહીં માઈ, રડ નહીં.’ કહેતાં એંથનીએ એને બાથમાં લઈ લીધી હતી.
એંજલાની બાજુમાં એંથનીને રોપાયાને કંઈ ઝાઝો સમય નહોતો થયો. હવે તો માત્ર જૉયને કારણે ઘરમાં વસતી લાગતી. પીટર અને રોઝી બંને વૃદ્ધ થતાં જતાં હતાં એટલે બેઉને એમ હતું કે, જૉય એમનું ઘડપણ પાળશે. પણ એક દિવસ જૉય પર મેલ આવ્યો કે, એને હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમીશન મળી ગયું છે.
એંજલા અને એંથનીની પડખે જૉય પણ રોપાઈ તો ગયો, પણ એના વિદેશગમન પછી રોઝીની પડખે પીટર લાંબો સમય ન રહ્યો. આટલાં વર્ષો રોઝીને પ્રેમભર્યો સથવારો આપતો રહેલો પીટર અચાનક સદાને માટે ચાલ્યો ગયો. હર્યું-ભર્યું ઘર સાવ ભેંકાર થઈ ગયું. ઘરમાંથી અને જીવવામાંથી રોઝીનો રસ ઊડી ગયો. માત્ર એક જ રસ ટકી રહ્યો હતો – ત્રણે સંતાનોને પાણી પાવાનો અને એમની સાથે રોજેરોજની વાતો કરવાનો. ઝાડ પર સુંદર અક્ષરે એણે ત્રણેનાં નામ કોતર્યાં હતાં. એ નામો પર હાથ ફેરવતી વખતે એની આંગળીઓનાં ટેરવાંમાંથી વ્હાલ નીતરવા લાગતું.
છેલ્લા બે-ત્રણ દિવસથી રોઝી બહુ બેચેન હતી. રજિસ્ટર એ.ડી.થી એને એક પત્ર મળ્યો હતો. બાજુવાળા એડવર્ડને બતાવ્યો ત્યારે એણે કહ્યું, ‘ભૂમિ-અધિગ્રહણ ધારા હેઠળ આપણા રસ્તા પર આવેલા દરેક ઘરની આગળની બાજુની જમીન કપાતમાં જવાની છે. સાંભળ્યું છે કે, રસ્તા પહોળા કરવાના છે.’
‘એમ સરકાર આપણી જમીન કેવી રીતે લઈ શકે ?’ રોઝીએ વ્યગ્રતાથી પૂછ્યું. ‘એમાં આપણું કંઈ ચાલે નહીં. અમારી તો વીસ વીસ નાળિયેરી કપાઈ જવાની. તમારે તો સારું છે કે ત્રણ જ છે.’
‘હેં ? નાળિયેરી કપાવાની ? મારા જીવતા એ કોઈ કાળે નહીં થવા દઉં.’ પથારીમાં પડ્યા પડ્યા ખુલ્લી આંખોમાંથી વહેતાં આંસુ એનું ઓશીકું પલાળી રહ્યાં હતાં. એ જીસસને કાલાવાલા કરી રહી હતી,
‘મને મારાં સંતાનોથી દૂર ન કરશો. પ્લી…ઝ… મારું ઘર-બાર બધું જાય તો વાંધો નહીં પણ મારાં ઝાડવાંને બચાવી લેજો.’
પણ જીસસે એનું સાંભળ્યું હોય એવું લાગ્યું નહીં. બીજે દિવસે સવારના પહોરમાં એક જીપમાં અધિકારી અને મજૂરો આવી પહોંચ્યા. મજૂરોના હાથમાં કુહાડી જોઈ રોઝી પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. દોડતી જઈને એંજલાને વળગીને ઊભી રહી ગઈ. ‘નહીં કાપવા દઉં. આ ઝાડ નથી, આ તો મારાં બાળકો છે. એક માની સામે એનાં બાળકોની હત્યા તમે કેવી રીતે કરી શકો ?’
મુખ્ય અધિકારીએ ઈશારો કર્યો એટલે મજૂરો ઝાડને વળગેલી રોઝીને ખેંચવા લાગ્યા. રોઝી તસુભાર ખસવા તૈયાર નહોતી. ઝપાઝપીમાં એક મજૂરના હાથની કુહાડી રોઝીના માથામાં વાગી. એ તમ્મર ખાઈને પડી. એડવર્ડ દોડતો આવ્યો. એને જોઈને રોઝીના મોં પર સ્મિત ફરક્યું. એણે તરડાતા અવાજે કહ્યું, ‘છેલ્લી વાર મને મારાં બાળકો પાસે લઈ જા ભાઈ, હું એમને ગુડબાય કહી દઉં.’ ઝાડ પરનાં નામ પર હાથ ફેરવતાં એણે કહ્યું, ‘મેં નહોતું કહ્યું એડવર્ડ, કે મારા જીવતા હું કોઈ કાળે આમનાથી છૂટી નહીં પડું ?’ અને એણે આંખો મીંચી દીધી.
(દામોદર માવજોની કોંકણી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ડિસેમ્બર 2015; પૃ. 24
![]()


The death of Rohith Vemula has been projected as suicide by some and murder by others, depending on their political orientation. Rohith’s being dalit and his participation in Ambedkar Students Association (ASA) and active contribution to this politically vibrant dalit group is the major cause of his death. Apart from issues directly related to dalits, this association did raise the issues related to democratic rights which are relevant today, like beef eating, opposition to death penalty; as was given to Mumbai blast accuses Yakub Memon and went on to screen the film Muzzafarnagar Baki hai. This film on Muzzafarnangar violence (2013) exposes the role of communal forces.
(વિનોબાજી ૧૯૫૮માં ગુજરાત આવ્યા ત્યારે તેમની જોડે વિવિધ લોકોએ પ્રશ્નોત્તરી કરેલી તેની લેખમાળાનો પહેલો લેખ)