Opinion Magazine
Number of visits: 9690909
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મનો આપણા જીવન પર પ્રભાવ

આશા બૂચ|Opinion - Opinion|28 July 2016

ધર્મનો તમારા જીવન પર શો પ્રભાવ છે? આવો પ્રશ્ન થોડાં વર્ષો પહેલાં કોઈ પૂછી શકે તેવી કલ્પના પણ નહોતી. ખરું પૂછો તો ભારતથી યુનાઇટેડ કિંગ્ડમ આવ્યાને ચાલીસ વર્ષ થવાં આવ્યાં, પણ તે પહેલાં વતનમાં આવો સવાલ કોઈએ પૂછ્યાનો કે એવી ચર્ચા થયાની સ્મૃિત જ નથી. સંભવ છે કે ભારતમાં સ્વધર્મી પ્રજાની એવડી મોટી સંખ્યા છે કે એ પ્રશ્ન અસ્થાને હતો. જો કે આજકાલ ભારતમાં ધર્મ અથવા ખરું કહો તો સંપ્રદાય ડગલે ને પગલે જીવનનાં તમામ પાસાંને અસરકર્તા બની રહ્યાંનું જાણવા મળે છે.

તાજેતરમાં એક અમેરિકન મહાવિદ્યાલયના પ્રોફેસરર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ અભ્યાસમાં ભાગ લેવાની તક મળી જેનો વિષય હતો, યુનાઇટેડ કિંગ્ડમમાં રહેતા લોકોના પરિવાર પર તેમના ધર્મની પ્રભાવક અસર. મુલાકાત લેનારે કેટલાક પ્રશ્નો પૂછ્યા્, જેના ઉત્તર રૂપે વાતચીત દરમ્યાન જે વાતો ઉભરી આવી તે અહીં ટપકાવું છું.

આપણો જન્મ કોઈ એક ધર્મનું પાલન કરનારના ઘરમાં થાય, જેમાં એ વ્યક્તિની પોતાની કોઈ પસંદગી નથી હોતી. ત્યાર બાદ, પાસ પડોશ અને મિત્રો પણ ઘણે ભાગે સંયોગો અને તકને આધારે મળતા હોય છે. અહીં જો કે જ્ઞાતિ અને વર્ગ વ્યવસ્થા એક નિર્ણાયક પરિબળ હોય છે ખરું. પુખ્ત વય સુધીની આપણી જીવન યાત્રા દરમ્યાન કેટલાંક રીત-રિવાજો, સમાજના ધારા-ધોરણો અને નિયમોનું સિંચન જાણ્યે અજાણ્યે માતા-પિતા, બૃહદ્દ્ કુટુંબ અને સમાજના સભ્યો દ્વારા કરવામાં આવે છે. એ મૂલ્યોની જાળવણીની ખરી કસોટી કયા પ્રકારનો વ્યવસાય કરવો, ક્યાં સ્થાઈ થવું, લગ્ન કોની સાથે કરી શકાય, કઈ પદ્ધતિથી કરવાં, સંતાનો કેટલાં અને ક્યારે પેદા કરવાં વગેરે જેવી અંગત લાગતી છતાં કુટુંબને સ્પર્શતી બાબતો પર ધર્મ અને સંસ્કૃિતનો ઘણો પ્રભાવ રહેતો હોય છે. મા-બાપ દ્વારા ગોઠવાયેલાં લગ્ન સામાન્ય રીતે એક જ જ્ઞાતિ અથવા કહો કે પેટા જ્ઞાતિમાં થતાં હોય છે એટલે એવાં ગોઠવેલાં લગ્ન આંતર ધર્મી હોવાનો સંભવ હોતો જ નથી. આધુનિક સમાજોમાં લગ્ન કરનાર સ્ત્રી અને પુરુષ જાતે જ પોતાના જીવન સાથી શોધે એ હવે માન્ય ગણાવા લાગ્યું છે. ભારતમાં રહેનાર યુવકો અને યુવતીઓને પોતાને સ્વધર્મી સાથીદાર શોધવામાં અડચણ નથી પડતી હોતી અને તેમના વડીલોનો પણ એમ કરવાનો જ આગ્રહ હોય તે સમજાય તેવી વાત છે. જો કે હવે શિક્ષણનો પ્રસાર અને રોજગારીની વિવિધ તકોને પરિણામે ગામડાં અને શહેરો વચ્ચે તેમ જ પ્રાંતો વચ્ચે અવર જવર વધી હોવાને લીધે જીવન સાથીની પસંદગીની બાબતમાં જ્ઞાતિનાં બંધનો થોડાં ઢીલાં પડવા માંડ્યાં છે. લગ્નસાથી પસંદ કરવા માટે મને મુક્તિ હતી, પણ બધાને એવી સ્વતંત્રતા ન પણ હોય.

મૂળ ભારતના અને વિદેશ જઈને વસેલ પહેલી પેઢીના કેટલાક સંતાનો પોતાના જીવન સાથીની પસંદગીમાં એ વ્યક્તિ સમાન જ્ઞાતિની તો શું, સમાન ધર્મની હોવી જ જોઈએ એવી માન્યતા નથી ધરાવતા. અહીં કુટુંબ જીવન પર ધર્મની અસર ખૂબ નબળી હોવાનો અહેસાસ થાય છે. તેની પાછળ એક કરતાં વધુ પરિબળો જવાબદાર ગણાવી શકાય. એક તો વિદેશ વસનારા લોકો પોતે કહેવાતા ધર્મના બધા આચાર વિચારો ચુસ્તપણે પાળવામાં માનતા નથી હોતા અથવા બદલાયેલ જીવન પદ્ધતિને કારણે કેટલાક ક્રિયાકાંડ અને વિધિ-વિધાનો છૂટી જાય તો ભારે હૃદયે સ્વીકારી પણ લે છે. આથી તેમનાં સંતાનો પોતાના જન્મ સમયે મળેલ ધર્મને જુદી રીતે સમજતા થાય તેમાં નવાઈ નથી. બીજું, સારી ય દુનિયામાં શિક્ષણ અને રોજગારી અર્થે અનેક દેશમાંથી આવેલા લોકો એકમેક સાથે મળે-ભળે રહે અને કામ કરે તેથી મોટા ભાગના લોકો વિવિધ પ્રકારના ધર્મ, સંસ્કૃિત, ભાષા, પોષાક અને જીવન પદ્ધતિ અનુસરનારા લોકો વચ્ચે રહેતા હોય છે. આથી પોતાના સંતાનોના અન્ય ધર્મી વ્યક્તિ સાથેના લગ્ન અને તેમના પછીની પેઢીમાંથી અદ્રશ્ય થતી માતૃભાષાની થાપણને કેટલાક લોકો ‘મારો ધર્મ ન રહ્યો’ એ શબ્દોમાં વ્યક્ત કરે તે નવાઈ નથી.

એવી જ એક બીજી મોટી બાબત છે સંતાનો કઈ ઉંમરે અને કેટલી સંખ્યામાં પેદા કરવાં એ વિશે ધર્મ કહો કે સંસ્કૃિતનો સારો એવો પ્રભાવ જણાય છે. હિન્દુ ફિલસૂફી પ્રમાણે જીવન ચાર આશ્રમોમાં વહેંચાયેલું મનાય છે, જેમાં ગૃહસ્થાશ્રમનો તબક્કો અતિ મહત્ત્વનો ગણાય છે કેમ કે તેના પર બીજા ત્રણેય – બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ ટકી શકે એથી સંતાનોત્પત્તિ એ માત્ર પતિ-પત્નીની કામુક ભાવનાને સંતોષવાનું પરિણામ ન બનતાં તેને એક કૌટુંબિક અને સામાજિક ફરજ પણ ગણવામાં આવે છે, જે સમાજના દરેક જવાબદાર સભ્ય બજાવે તેવી અપેક્ષા રખાય છે. જ્યારે સ્ત્રી માત્ર ઘરની સંભાળ રાખવાનું અને બાળકો તથા વડીલોની સેવા કરવાનું જ કામ કરતી અને મર્યાદિત શિક્ષણ મેળવતી ત્યારે લગ્નની ઉંમર નાની હતી અને સંતાનો પેદા કરવાની સંખ્યા વિશે તેનો કોઈ અભિપ્રાય માન્ય નહોતો ગણાતો, જે હવે સ્ત્રી શિક્ષણનું વધતું પ્રમાણ અને રોજગારીની દુનિયામાં તેની સમકક્ષ ભાગીદારીને પરિણામે બાળકો ઓછાં પેદા કરવા તરફ વલણ વિકસ્યું છે અને એ બાબતમાં દુનિયાના બીજા કેટલાક ધર્મો કરતાં હિન્દુ ધર્મે થોડી વધુ ઉદારતા દાખવી છે તેની સહર્ષ નોંધ લેવી રહી.

કઈ જગ્યાએ રહેવું અને કયા પ્રકારની કારકિર્દી ઘડવી એ થોડા દસકાઓ પહેલાં જ્ઞાતિ નિર્ધારિત હતું. જે જ્ઞાતિમાં તમારો જન્મ થાય તે જ્ઞાતિને ભાગે આવતા વ્યવસાયમાં તમારા પિતા જોડાયેલા હોય તેથી તમારે કશું પસંદ કરવા પણું હોતું નથી અને તમારા નામ અને અટક સાથે તમારી રોજી-રોટીના સ્ત્રોત પણ તમને જન્મ સમયે ભેટમાં મળતા હતા. વળી હિન્દુ માન્યતા પ્રમાણે સમુન્દર પાર જઈને વેપાર કરવાની અનુમતિ હતી, પરંતુ સપરિવાર અન્ય દેશ્માં જઈને સ્થાયી થવું અમાન્ય ગણાતું કેમ કે તેમ કરવાથી પોતાના ધર્મના સિદ્ધાંતો, સમાજના રિવાજો વગેરેનું પાલન ચુસ્ત પણે કરી ન શકાય અને તેમ થવાથી સમગ્ર વ્યવસ્થા પડી ભાંગે, નવી પેઢી પોતાનાં મૂળિયાં ગુમાવી બેસે એ ભીતિ હતી. એટલી હદે આ નિષેધ પાળવામાં આવતો હતો કે વિદેશ અભ્યાસાર્થે અથવા કમાણી અર્થે જનારને જ્ઞાતિમાંથી બહિષ્કૃત કરવામાં આવતા. પરંતુ સંસ્થાનવાદી રાજ્ય પ્રણાલી, ઔદ્યોગિક ક્રાંતિ અને શહેરીકરણ વગેરે જેવા ધરખમ પરિવર્તનોને પરિણામે લોકોને આજીવિકા મેળવવા તેમ જ વ્યક્તિગત જ્ઞાન પિપાસા સંતોષવા અને પ્રગતિ કરવા માટે પોતાનું ગામ, શહેર કે પ્રાંત જ માત્ર નહીં પણ દેશ સુધ્ધાં છોડવાં ફરજ પડવા લાગી કે માનોને કે જરૂરી બનવા લાગ્યું જેથી કરીને વિદેશ ગમન માટેનો વિરોધ શમવા લાગ્યો.

પરંતુ તેનો અર્થ એ નથી કે વિદેશ વસવાના નિર્ણયથી ઊભી થતી પરિસ્થિતિ નિવારી શકાય છે જેમ કે માતૃભાષાના ઉપયોગનો લોપ થવો, પોતાનાં સામાજિક મૂલ્યો છાંડીને અપનાવેલ દેશના મૂલ્યોને ન છૂટકે સ્વીકારવા, પોતાના ધાર્મિક સંસ્કારોનું ધોવાણ થતું જોવું વગેરે અનિચ્છનીય બદલાવ અનાયાસ આવે જ. અને તેવે સમયે કોઈ ભલેને સ્વદેશમાં રહેતા હોય ત્યારે ધાર્મિક વૃત્તિના ન હોય પણ વિદેશ આવ્યા બાદ જ્યારે પોતાની બીજી-ત્રીજી પેઢીને પોતાની સંસ્કૃિતથી દૂર હડસેલાતા જુએ ત્યારે પોતાના ધર્મના નિષેધમાં કશુંક તથ્ય જણાવા લાગે છે, પણ ત્યારે બહુ મોડું થઈ ચૂકેલું હોય છે. ઉત્તમ રસ્તો તો એ છે કે જે કોઈ કારણસર વિદેશ જવાનું અને સ્થાયી વસવાટ કરવાનું નક્કી કર્યું હોય, અને જે કોઈ પ્રકારનો વ્યવસાય કરવાની તક મળી હોય તેને ધ્યાનમાં લઈને પોતાની સમજણ પ્રમાણે વારસામાં મળેલ ઉત્તમ સાંસ્કૃિતક અને સામાજિક પ્રણાલીઓને શક્ય તેટલા માન-આદર સાથે અનુસરવા અને સંતાનોને તેમ કરવા સમજાવવા.

હું પોતે ધાર્મિક ક્રિયાકાંડમાં શ્રદ્ધા ધરાવતી ન હોવાને કારણે ધર્મ ટકાવવા કોઈ ખાસ વિધિવિધાનો કરવા કે સંતાનો પાસે કરાવવાનો આગ્રહ કદી સેવ્યો નથી. પરિણામે હિન્દુ ધર્મની માન્યતાઓને ટકાવવા અને અમારા પછીની પેઢીને આપવા કોઈ ખાસ વિધિ કરી નથી. મારે મન ધર્મને અનુસરવા કોઈ મૂર્તિ પૂજાની જરૂર નથી. હું હિન્દુ ધર્મની સહુથી મોટી દેણ જેમ કે અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન અને ભારતીય સમાજનાં મૂલ્યો વગેરે વાર્તાઓ, પૂરાણ કથાઓ અને મહાપુરુષોના જીવન કથનમાંથી શીખી. ઘરમાં શ્રદ્ધા દીપ કરું છું. આથી જ તો ખુદનાં સંતાનોને પણ એ રીતે જ સંસ્કાર આપ્યા, તેઓ દીપ ન કરે, પણ કુદરતી તત્ત્વો અને માનવીની સારપ માટે વિશ્વાસ ધરાવે છે તે મારા માટે પૂરતું છે.

ઘણા લોકો પુખ્તવયના થતાં પોતાની ધાર્મિક માન્યતા બદલે કે બીજા ધર્મને અંગીકાર કરે જેની પાછળ અનેક કારણો હોઈ શકે. અંગત વાત કરું તો મારાં માતા-પિતા ધાર્મિક વૃત્તિના નહીં, એનો અર્થ એવો નહીં કે ઈશ્વરના અસ્તિત્વમાં ન માને, પણ માનવ સેવા એ જ પ્રભુ સેવા એવી માન્યતા ધરાવે અને એ મૂલ્ય જાળવવાં પોતે સેવામય જીવન જીવી બતાવ્યું, એટલે મારે માટે એ માર્ગ સુગમ નીવડ્યો. આથી જ સ્તો મારે મન ધર્મનો અર્થ કુદરત પર શ્રદ્ધા અને માનવી માત્રમાં ઈશ્વરનું દર્શન કરવું એવો હોવાથી જન્મ સમયની ધર્મ પરની શ્રદ્ધા હજુ ટકી રહી છે. મારી ધાર્મિક માન્યતા બદલવાની કશી જરૂર જણાઈ નથી કેમ કે તેના માર્ગદર્શનથી મારું ઈચ્છા મુજબનું જીવન હું જીવી શકું છું. હા, અન્ય ધર્મો વિષે વધુ માહિતી મેળવતી થઈ છું અને નિજના ધર્મના અન્યોએ કરેલા અર્થઘટનને જુદી રીતે ઘટાવતી થઈ છું.

અમારા માતા-પિતાએ અમારું વ્યક્તિત્વ ખૂબ મજબૂત કેળવ્યું એ કદાચ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરવાનું પરિણામ હોઈ શકે. કોઈ પણ ધર્મમાં અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન નિહિત હોવાનાં, જેને વહન કરતાં પુસ્તકો પણ જરૂર હોવાનાં અને એ જરૂરી પણ છે, કેમ કે તેનાથી માનવ જીવનને ચોક્કસ દિશા મળે અને તેના વિચારો ઉર્ધ્વ ગમન કરે. એટલે કેટલાંક અધિકૃત પુસ્તકો દ્વારા અને વિષવિભૂતિઓનાં જીવન કાર્ય દ્વારા અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનનું સામાન્ય જ્ઞાન મેળવી શકી. રહી વાત પવિત્ર ધાર્મિક સ્થાનોની, જે કેટલાક માટે અતિ મહત્ત્વનાં હોય છે, મારે માટે તેવાં સ્થળો એક સામૂહિક મેળાવડાનું સ્થળ છે, જ્યાં ભક્તિ સંગીત અને સુંદર વાર્તાલાપો યોજવાથી સરખી વિચારધારાઓ વાળા સમુદાયના લોકોને મળવાનું શક્ય બને. કોઈ પણ ધર્મના ક્રિયાકાંડ મારે મન ઉપરછલ્લા શોભાના વસ્ત્ર સમાન છે જેની મારા મતે કોઈ ખાસ મહત્તા નથી જણાતી. પ્રાર્થના, કે જેમાં કુદરતી તત્ત્વોની મહાનતાનો સ્વીકાર, તેના સર્વવ્યાપી હોવાનો અહેસાસ અને માનવ માનવ વચ્ચેની સમાનતાની વાત હોય તે ગમે, આથી જ તો સૂફી સંગીત, સીખ શબદ, તુલસી, મીરાં, સૂરદાસ અને કબીરનાં ભજનો મનને તૃપ્ત કરે. અને મારા ધાર્મિક વિચારોને વ્યક્ત કરવા પ્રાર્થના પૂરતી થઈ પડે એટલે બીજા કશા ક્રિયાકાંડને અનુસરતી નથી અને તેથી મારાં સંતાનો પાસેથી એવી અપેક્ષા ન રહી, પરિણામે તેમને પણ મારા ધર્મને અનુસરવો સરળ બન્યું, કેમ કે તેમાં માત્ર આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનને સમાવે તેવા આચાર-વિચારનો જ સમાવેશ થાય છે. એટલું જરૂર કે વ્યક્તિગત ધાર્મિક માન્યતાઓ જેટલી ક્રિયાકાંડ અને પારંપરિક રિવાજોથી મુક્ત તેટલું એ અન્યને માટે સમજવાનું અને અનુસરવાનું સરળ બને એ હકીકત છે.

સંસ્કૃિત એ ધર્મની ઉપજ છે તેમ  કેટલાક માને છે, તો કેટલાકને મતે સંસ્કૃત માનવના દિમાગની ઉપજ વ્યવસ્થિત સંસ્થાકીય ધર્મના રૂપે પ્રગટ થઈ. ગમે તેમ પણ ધર્મ અને સંસ્કૃિત એકબીજાની અંતર્ગત જોડાયેલી બે અભિન્ન વિભાવનાઓ છે. આથી જ સાંસ્કૃિતક પ્રવૃત્તિઓ અને વલણો કુટુંબમાં ધર્મ ટકાવવામાં ઘણા અસરકારક થતા હોય છે. જે પરિવારમાં ધાર્મિક અનુષ્ઠાનો કે ક્રિયાકાંડને બદલે સાંસ્કૃિતક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવે તે પરિવારના સંતાનોને પોતાના ધર્મને ટકાવવા જેવી બાબતો પડકાર સમી ન  લાગે. કદાચ તેથી જ તો અમને અમારાં ધાર્મિક ખ્યાલો અને મૂલ્યો જાળવવામાં કોઈ અડચણો કે પડકારો નહોતા આવેલાં. મારાં વલણો મારા કુટુંબના અને હું જે સમાજમાં ઉછરી તેનાં મૂલ્યો પરથી ઘડાયાં, જેમ કે ભૌતિકવાદની પાછળ દોડવાને બદલે ઉચ્ચ વિચારો કેળવવા અને સમાજોપયોગી કર્મો કરવા પાછળ જિંદગી ખર્ચવી, બીજાને મદદરૂપ જીવન જીવવું, નિ:સ્વાર્થ અને પ્રામાણિક રહેવું અને તેને અનુસરીને જીવન ન જીવનારાને તેમના સ્વાર્થી અને અપ્રમાણિક કાર્યમાં સાથ ન આપવો એવું શીખી અને તે પ્રમાણે જીવન જીવવા પ્રયત્નશીલ રહી. આમ માનવ મૂલ્યોની જાળવણી એ જ સાચું ધર્મ પાલન છે એમ મા બાપે શીખવ્યું, જે મેં મારાં સંતાનોને જાણ્યે અજાણ્યે વારસામાં આપ્યું તેથી ‘મારો ધર્મ તેમની પાસે નિભાવવામાં’ મને કશી મુશ્કેલી પડી હોય તેવું હું નથી માનતી.  

મારી મુલાકાતને સમેટતાં એક છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવેલો: ‘શું વધુ મહત્ત્વનું – ધર્મના પારંપારિક વિચારોની જાળવણી કે તેના મૂળભૂત સિદ્ધાંતોને બદલતા સમયને તાલે સંકોરવા?’ આ સવાલનો જવાબ ઘણી મથામણ કરાવી ગયો. આગળ કહ્યું છે તેમ બાહ્યાચારો અને  ધર્મના પારંપારિક રૂઢિગત રીતરસમોમાં મૂળે રુચિ ન ધરાવતી હોવાને કારણે તેની જાળવણીનો સવાલ રહેતો જ નહોતો, પરંતુ જેનું મારે મન અતિ મૂલ્ય છે તેવાં મૂલ્યો જેમ કે પારિવારિક એકતા, વડીલોનું સન્માન, અતિથિની આવભગત, નિખાલસતા અને અન્યના સુખ માટે સ્વની ઈચ્છાઓ જતી કરવી વગેરે જેવાં મૂલ્યો કે જેને હું ભારતીય સંસ્કૃિતના મહત્ત્વના પાયા સમાન ગણું છું તેને ‘બદલાતા સમય’ કે ‘જુદા દેશમાં, જુદા સમાજમાં રહેવા’ને કારણે જતા કરવા ઇચ્છતી નથી. હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો જેવા કે અહિંસા પરમોધર્મ, સત્યમેવ જયતે, અપરિગ્રહમાં નિજનું અને સારા ય વિશ્વનું સુખ સમાયેલું છે, વસુધૈવ કુટુંબક્મ્‌, સર્વ પ્રત્યે સમભાવ વગેરેનું બદલાતા સમયના સંદર્ભમાં નવીન અર્થઘટન જાત માટે અને સંતાનોને સમજાવવા માટે કર્યું જ છે. એ કદાચ મારા ધર્મનો મારા પર અને અમારા પરિવાર પરનો પ્રભાવ છે તેમ માનુ છું.

ભારતીય સંસ્કૃિતના આવા અમૂલ્ય વારસાનું યથાશક્તિ પાલન કરી શકું અને મારા પછીની પેઢી તેને સમજીને જીવનમાં ઉતારે તો જીવન ધન્ય થયું માનીશ.

e.mail : 71abuch@gmail.com

Loading

કોઈની કનડગત કરવી એ રાષ્ટ્રવાદ નથી

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 July 2016

રાષ્ટ્રવાદ એક અલ્પ દર્શન છે. ઇતિહાસનો જરા ય બોધ ન હોય તેવી વ્યક્તિ પણ ઝનૂનના નામ પર રાષ્ટ્રવાદને સમજવાનો દાવો કરી શકે છે

રશિયા અને તુર્કી વચ્ચે 1877 અને 78 વચ્ચે યુદ્ધ થયું ત્યારે તુર્કીના મિત્રદેશ બ્રિટનમાં દારૂનાં પીઠાંમાં એક ગીત ફેમસ થયું હતું:

વી ડોન્ટ વોન્ટ ટુ ફાઇટ 
બટ બાય જિંગો ઇફ વી ડુ, 
વી હેવ ગોટ ધ શીપ્સ, 
વી હેવ ગોટ ધ મેન, 
વી હેવ ધ મની ટુ,
વી હેવ ફોર ધ બેર બીફોર, એન્ડ વ્હાઇલ 
વી આર બ્રાઇટન ટ્રુ
ધ રશિયન્સ શેલ નોટ હેવ કોન્સ્ટેન્ટેનોપલ.

એનો મતલબ એવો થાય કે અમારી પાસે બહુ તાકાત છે અને અમારે લડવાની ઇચ્છા નથી, પણ લડવાની ફરજ પડી તો કોન્સ્ટેન્ટેનોપલને બચાવવા માટે અમે લડીશું ખરા પણ અમારી એ લડાઈ કટ્ટર અને અંધરાષ્ટ્રવાદ(જિંગો)થી ભરેલી હશે. 1878માં જ્યોર્જ હોલીઓકે નામના એક કટ્ટર બ્રિટિશરે ડેઇલી ન્યૂઝ નામના સમાચારપત્રને એક પત્ર લખ્યો હતો. તેમાં એણે આ ‘જિંગો’ શબ્દ પરથી જિંગોઇઝમ નામનો શબ્દ પ્રયોજ્યો હતો. જિંગોઇઝમ એટલે દેશાહંકાર, કોમપરસ્તી, યુદ્ધપ્રિયતા અથવા અંધરાષ્ટ્રવાદ.

અંગ્રેજી ભાષાનો સૌથી મહાન શબ્દકોશ તૈયાર કરનાર ડૉ. સેમ્યુઅલ જ્હોન્સને એક પ્રસિદ્ધ વિધાન કરેલું કે, ‘રાષ્ટ્રવાદ એ બદમાશ લોકોનો છેલ્લો અખાડો છે.’ એમ્બ્રોસે બીયર્સે નામના બ્રિટિશ વ્યંગકારે આમાં સુધારો કરીને જોક કરેલી કે, ‘વિદ્વાન શબ્દકોશકારની માફી માગીને કહું છું કે રાષ્ટ્રવાદ એ બદમાશોનો છેલ્લો નહીં, પણ પહેલો અખાડો છે.’

ભારતમાં બે પવિત્ર ગાય છે, ધાર્મિક શ્રદ્ધા અને રાષ્ટ્રવાદ. બેમાંથી એકેયની બુરાઈ કે અવજ્ઞા કરો તો તેમને જીવવા દેવામાં ન આવે. બંને માટે બીજા બે શબ્દો પણ છે, હઠધર્મિતા અને જિંગોઇઝમ.

ગયા અઠવાડિયે કાશ્મીરમાં બુરહાન વાની નામનો એક આતંકવાદી યુવાન સુરક્ષા બળોના હાથે માર્યો ગયો એ પછી કાશ્મીર ભડકે બળ્યું અને અંધરાષ્ટ્રવાદે ફરી ઊથલો માર્યો. મીડિયાએ બુરહાનને ‘હીરો’ બનાવ્યો છે, સેક્યુલર લોકો (એના માટે સિક્યુલર શબ્દ વપરાય છે, સિક એટલે બીમાર) દેશ વિરોધી છે એટલે સેનાની કાર્યવાહીની ટીકા કરે છે, આતંકવાદીને ભડાકે દેવા બદલ સરકારે કે સૈન્યએ ‘સોરી’ અનુભવવાની જરૂર નથી, કાશ્મીરમાં તો ઇંટનો જવાબ (પાકિસ્તાનને) બંદૂકથી જ હોય અને આતંકવાદીઓ પ્રત્યે માનવતાવાદી અભિગમ ન જ હોવો જોઈએ એવા ‘ઉગ્ર આક્રોશો’ પાછા ઊછળ્યા.

એક વ્યક્તિ પોતાના વતન, પોતાની સંસ્કૃિત અને પોતાની ભાષાની સાથે પોતાની ઓળખ બતાવે અથવા લગાવ વ્યક્ત કરે એ રાષ્ટ્રવાદ છે. કેટલાક લોકોને આ સીમિત લાગે છે, અને દેશ માટે ‘મુસીબત’ સમાન હોય તેવા દેશ કે લોકો કે સમુદાયને આકરા પાઠ ભણાવવાની વકીલાત કરે છે જેને અતિ-રાષ્ટ્રવાદ અથવા જિંગોઇઝમ કહે છે.

પહેલી વાત તો એ કે રાષ્ટ્રવાદ એક નાનું અથવા અલ્પ દર્શન છે, માનવતાવાદ મોટું દર્શન છે, પરંતુ માનવતાવાદ વ્યાવહારિક સ્તરે એટલો સફળ થતો નથી કારણ કે દુનિયામાં મોટાભાગના લોકો અચ્છા ઇન્સાન બની જાય તો પણ નપાવટ લોકો દુનિયાને ચાલવા નહીં દે. આમાં મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે દુશ્મન કોણ છે અને કેવી રીતે છે તેની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ જુદી હોય.

રાષ્ટ્રવાદના ઝનૂનની ખૂબી એ છે કે કોઈ ધોરણસરની વિચારશક્તિ ન હોય. માનવજીવનની જટિલતાની સરખી સમજ ન હોય અને ઇતિહાસનો જરા ય બોધ ન હોય તેવી વ્યક્તિ પણ ઝનૂનના નામ પર રાષ્ટ્રવાદને સમજવાનો દાવો કરી શકે છે. મોટાભાગે આ નકલી રાષ્ટ્રવાદ હોય છે, કારણ કે એમાં ઝનૂન બતાવ્યાના સંતોષ સિવાય કશું નક્કર કામ હોતું નથી. જૂના જમાનામાં સામંતવાદી લોકો હતા જે કોમપરસ્તીના નામે એમના ચૂલા સળગતા રાખતા હતા. આજે તમને કોઈ એવો રાષ્ટ્રવાદી નહીં મળે જે ઘર બાળીને તીરથ કરતો હોય. એ પ્રજાતિમાં કદાચ ગાંધીજી અંતિમ રાષ્ટ્રવાદી હતા.

રાષ્ટ્રવાદનો મતલબ નફરત નથી. આ સમજવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. જ્યાંથી રાષ્ટ્રવાદ આવ્યો તે પશ્ચિમમાં પ્રથમ વિશ્વયુદ્ધનો પાયો જ નફરતમાં હતો. સર્બિયાના લોકો ઓસ્ટ્રો-હંગેરિયનોને નફરત કરતા હતા. ઓસ્ટ્રો-હંગેરિયનો રશિયનનોની ઘૃણા કરતા હતા. રશિયનો જર્મની લોકોના લોહીના તરસ્યા હતા અને જર્મનોને ફ્રેન્ચ પસંદ ન હતા. આમાં ઇટલી પણ કૂદ્યું કારણ કે અંગ્રેજો પૂરી દુનિયાના લોકોને નફરત કરતા હતા. નફરતની આ ચિનગારી સળગી એટલે બધા એકબીજા સાથે લડવા લાગ્યા.

બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે આ નફરતની આગમાં પૂરા યુરોપ અને અમેરિકાને ઝૂલસી દીધું તે પછી યુરોપની ઇલાકાઈ ઓળખ સમાપ્ત થઈ ગઈ અને યુરોપિયનોનો એક એવો સમૂહ બન્યો જે નફરતના બદલે સહકાર અને રાષ્ટ્રવાદના બદલે સીમાઓનું અરાષ્ટ્રીયકરણ ઇચ્છતો હતો. આમાંથી તો આપણે કશું શીખ્યા નહીં અને જે શીખ્યા એ ય ખોટું શીખ્યા. પશ્ચિમમાં તો એક દેશના લોકો બીજા દેશના લોકોની નફરત કરતા હતા. આપણા નકલી રાષ્ટ્રવાદીઓ પોતાના જ લોકોની વિરુદ્ધ છે.

એટલા માટે જ ભારત-પાકિસ્તાનની મેચ હોય, કાશ્મીર ગડબડ હોય, ભારત માતા કી જય ન બોલવાનું હોય, જન ગણ મનનું ગાન હોય, દાદરીમાં ગોમાંસ અને હત્યાનો મામલો હોય, દલિત યુવાન રોહિત વેમુલાની આત્મહત્યા હોય કે પછી કનૈયા કુમારના દેશવિરોધી નારા હોય આપણે ત્યાં બહુ આસાનીથી કોઈ પણ માણસ કોઈ પણ સમયે કોઈ પણ સામે અતિ-રાષ્ટ્રવાદનો ઝંડો લઇને ઊભો થઈ જાય છે.

કોઈ વર્ગ કે કોઈ માણસને પજવતો એ રાષ્ટ્રવાદ નથી. એક સાદું ઉદાહરણ છે. પંદર વર્ષ પહેલાં ચેન્નાઇમાં સચિન તેંડુલકરની જબરદસ્ત બેટિંગ અને ભારતીય ખેલાડીઓની કાબિલેદાદ જદ્દોજહદ છતાં પાકિસ્તાનની ટીમ ક્વૉલિટી ક્રિકેટમાં સવાશેર નીકળી અને માત્ર 12 રન માટે થઈને ભારતના હાથમાં આવેલી ટેસ્ટ મેચ ઝૂંટવી ગઈ. પાંચમા દિવસે મેચ પૂરી થઈ ત્યારે જે રીતે ચેન્નાઇના સ્ટેિડયમમાં પાકિસ્તાની ટીમને સ્ટેિન્ડગ ઓવેશન આપવામાં આવ્યું હતું તે કોઈ પણ દેશની મહાનતાને છાજે તેવું હતું. આજે? આજે આપણે પાકિસ્તાની ખેલાડીઓના ‘નાપાક’ કદમ ‘પવિત્ર’ ભારત ભૂમિ પર પડે તેના વિરોધી છીએ. એવું તે શું થઈ ગયું?

શું એ વખતના ચેન્નાઇના પ્રેક્ષકો દેશ-વિરોધી હતા? ઓછા રાષ્ટ્રવાદી હતા? એ પછીની તે વખતના, કોલકાત્તામાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાન વિરોધી જે માહોલ પેદા થયો અને વ્યાપક પ્રમાણમાં હિંસા ફાટી નીકળી એ રાષ્ટ્રપ્રેમનું પ્રદર્શન હતું? રાષ્ટ્રવાદની આપણી વ્યાખ્યા ધર્મ કેન્દ્રિત અને સમુદાય કેન્દ્રિત થઈ ગઈ છે.

આમાં સૌથી કમનસીબ બાબત એ છે કે નાનાં બાળકો, જેને હજુ ભણતરની ય ગડ પડી નથી, તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધની ભાષા બોલતાં થઈ ગયાં છે. જાપાનની એક આખી પેઢી આવી જ રીતે હિરોશીમાના ડંખ સાથે જન્મી હતી પરંતુ એ ડંખને કાબૂમાં રાખીને દેશને સુપરપાવર બનાવી દીધો હતો. જર્મન લોકો હિટલરની નફરત અને ઝનૂનને અતિક્રમીને યુરોપનું પાવરહાઉસ બની ગયા હતા. સાંસ્કૃિતક ક્રાંતિના નામે ચીનનો પણ એક બદનામ ભૂતકાળ છે, પણ એમાં બંધાયેલા રહેવાના બદલે ચીનાઓ એમના આધુનિક અને તરક્કીપસંદ દર્શનના જોરે આજે વિશ્વના પાવર કેન્દ્ર તરીકે ઊભર્યા છે. 

દેશની સીમાઓ અને દેશની જમીનો પવિત્ર ગાય છે અને પરદેશીઓ એમાં પગ ન મૂકવા જોઈએ એ માનસિકતા જૂની અને જાહીલ છે. દેશોની રાજકીય સરહદો દુનિયાભરમાંથી ભૂંસાઈ ગઈ છે, અને આપણે તો ખુદના ઘરમાં જ દીવાલો ચણી રહ્યા છીએ. આમાં ખાલી પાકિસ્તાનની જ વાત નથી. આપણો અતિ રાષ્ટ્રવાદ નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ચીન તરફ પણ એટલો જ અણિયાળો છે. હમણાં દિલ્હી એરપોર્ટ પર મણિપુરની એક યુવતીને એટલા માટે અટકાવવામાં આવી હતી કારણ કે એ ચાઇનીઝ દેખાતી હતી.

અમારા લેખક મિત્ર નિખિલ મહેતા લખે છે, ‘બુરહાન વાનીની અંતિમયાત્રામાં હજારો કાશ્મીરીઓ હાજર રહ્યા એ કાશ્મીરની સચ્ચાઈ છે કે પછી ત્રાસવાદીઓની ધમકીથી ડર્યા વિના લાખો કાશ્મીરીઓ ભારતની લોકશાહીના સમર્થનમાં ચૂંટણી સમયે મતદાન કરવા ઘરની બહાર નીકળ્યા હતા એ કાશ્મીરની સચ્ચાઈ છે?’

ક્રિકેટની મેચમાં પાકિસ્તાનની ટીમ માટે તાળીઓ પાડવી એ દેશદ્રોહ કહેવાય? એ પ્રશ્ન જેટલો જ ઉચિત પ્રશ્ન એ છે કે મતદાન કરવા આવેલા રાષ્ટ્રભક્ત કાશ્મીરીઓ બુરહાન વાનીની અંતિમયાત્રામાં જોડાઇને રાષ્ટ્રવિરોધી બની ગયા?

સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂસ’ નામક લેખકની કોલમ, ’રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 24 જુલાઈ 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-gujarati-news-5379664-NOR.html

Loading

चंपारण सत्याग्रह शताब्दी

जयंत दिवाण, जयंत दिवाण|Gandhiana|26 July 2016

संस्मरण

(Sitting L to R)Rajendra Prasad and Anugrah Narayan Sinha during Mahatma Gandhi's 1917 Champaran Satyagraha

‘भितहरवा’ पश्चिम चंपारण का छोटासा देहाती गांव है. नरकटीयागंज रेल का जंक्शन है. यहां से नेपाल की ओर रेल की पटरी बिछी है. ‘भितहरवा’ जाने के लिए इसी पटरी से रेल दौड़ती है. ‘भितहरवा’ आज रेल्वे स्टेशन है. लेकिन पहले यह रेल्वे स्टेशन नहीं था.

महात्मा गांधी जब चंपारण आये तब ‘भितहरवा’ में उन्होंने आश्रम खोला था. आज भी यह आश्रम ‘स्मारक’ के रूप में खड़ा है.

पुंडलीकजी कातगडे गांधीजी के आवाहन पर ‘भितहरवा’ के आश्रम में सेवा के लिए आये थे. तब गांधीजी चंपारण-सत्याग्रह में डटे थे. यह सन १९१७ की बात है. पुंडलीकजी जब आश्रम में आये तब उनकी उम्र मात्र २३ साल की थी.

चंपारण का सत्याग्रह ख़त्म हुआ. देश आजाद हुआ. चंपारण के कार्यकर्ताओं की इच्छा हुअी की ‘भितहरवा में रेल्वे स्टेशन होना चाहिये. ताकि इस ऐतिहासीक-स्मारक को यात्री भेट दे सके. पुंडलीकजी बेळगाव के थे. उन्होंने ‘भितहरवा में अपनी तरुणाई के दिन बिताये थे. उनके चंपारण के कार्यकर्ताओंसे आत्मिय संबंध थे. पुंडलीकजी काम में जुट गये. सरकारसे खटपट कर उन्होंने भितहरवा में रेल्वे स्टेशन बनवा ही लिया.

कार्यकर्ताओं का आग्रह था की रेल्वे स्टेशन का उदघाटन पुंडलीकजी के हाथों ही करना है. रेल मंत्रीने उनकी इच्छा को मान लिया. उदघाटन कार्यक्रम की तार पुंडलीकजी को भेजी गयी. तार घर पहुँची तब पुंडलीकजी घर पर नहीं थे. चार दिन बाद वे घर लौटे तब उन्हें उदघाटन की जानकारी मिली. हवाई जहाज का सफर कर दौड़धूप करते हुए वे ‘भितहरवा’ पहुँचे. लोगोंने कहा, “हमें पता ही था. कुछ भी हो जाये पुंडलीकजी जरुर आयेंगे.” कर्यकर्ताओ ने रेलमंत्रीजी से पहलेही कह रखा था, “अगर पुंडलीकजी नहीं आये तो ही आपके हाथों उदघाटन होगा.” पुंडलीकजी समय पर पहुँच गये. पहला रेल टिकट उनके हाथों यात्री को दिया गया.

उस समय के मंत्री, कार्यकर्ता व लोगों की ‘सहजता’ मन को प्रसन्न करती है. वैसेही पुंडलीकजी का बिहार से विशेषत: चंपारण से जुड़ा नाता भी मन को भा जाता है.

पुंडलीकजी कातगडे

पुंडलीकजी चंपारण आयें तब उनकी उम्र २३ वर्ष की थी. ‘भितहरवा’ आश्रम में वे सेवा के लिए आये थे. गांधीजीने चंपारण में तीन आश्रम(शाला) खोले थे. इन आश्रमों के लिये उन्हें कार्यकर्ताओं की जरूरत थी. गांधीजीने बेळगाव के गंगाधरराव देशपांडे को पत्र लिखा. कार्यकर्ताओं की मांग की. यह सन १९१७ की बात है.

गंगाधरराव देशपांडे टिळक के अनुयायी थे. उन्हें कर्नाटक सिंह कहा जाता था. बेळगाव कांग्रेस की जिम्मेदारी गंगाधरराव देशपांडे इन्होंने ही ली थी. टिळक के अनुयायी गांधी के साथ जुड़ गये उनमें गंगाधरराव देशपांडे का नाम विशेष है. पुंडलीकजी युवा अवस्था में गंगाधररावसे जुड़ गये. उनके अनुयायी बने. गंगाधरराव के कारण पुंडलीकजीको लोकमान्य टिळक का सान्निध्य मिला. पुंडलीकजी ऐसे व्यक्ति थे जिन्होंने टिळक को भी देखा और गांधी के तो वे साथ ही हो गये.

गंगाधरराव से जब गांधीजीने कर्यकर्ताओं की मांग की तो उन्होंने पहले सदाशिव लक्ष्मण सोमण को  चंपारण भेजा. सोमण जब वहां से लौटे तो उन्होंने चंपारण की स्थिती तथा गोरे कोठीवाले एमेन की ज्यादती के बारे में विस्तारसे साथियों को बताया. गोरे कोठीवालों में एमेन सबसे क्रूर व धूर्त था. सोमणने उसकी क्रूरता का वर्णन किया था. जब पुंडलीकजी पर चंपारण जाने की बारी आयी तब उन्होंने गांधीजी के सामने शर्त रखी. अगर वे उन्हें ‘भितहरवा’ आश्रम में भेजेंगे तो ही वे चंपारण आयेंगे.  एमेन से दो दो हाथ करने की कुलबुलाहट उनमे थी. गांधीजी ने उनकी शर्त मान ली. और २३ वर्ष का यह युवक भितहरवा पहुँच गया.

पुंडलीकजी तब तक भितहरवा डटे रहे जब तक अंग्रेज सरकारने उन्हें जिले से जिला-बदर (जिला निष्कासन) nनहीं किया. एमेन के प्रत्येक बेकानुनी बातों को पुंडलीकजीने आव्हान दिया. एमेन की मनमानी को वे नकारते गये. उनके इस कृती से लोगों का भय दूर होने में मदद हुई. एमेन व सरकार को भी आव्हान दिया जा सकता है यह विश्वास लोगों में जगा. गांधीजी का कहना ही था कि भयभीत लोगों में जाकर बैठना यही हमारा काम है. पुंडलीकजी गांधी के अनुयायी थे. गांधी का काम ही भितहरवा आश्रम में बैठकर पुंडलीकजी कर रहे थे.

पुंडलीकजी का चंपारण के लोग व कार्यकर्ताओंसे अपनापन बना. स्नेह बना. राजेंद बाबू, ब्रजकिशोर बाबू, रामनवमी प्रसाद इनके परिवार के ही वे सदस्य बन गये. यह स्नेह उनकी मृत्यु तक टिका रहा.

पुंडलीकजी अविवाहित थे. बेळगाव में रहते थे. गांधीजी के रचनात्मक कार्यक्रम पर वे काम करते रहे. आजादी के आंदोलन में सक्रीय रहे. महाराष्ट्र व कर्नाटक के लोग उन्हें जानते हैं. वे लेखक थे. ́“'पुंडलीक́' नामसे उन्होंने आत्मचरित्र लिखा है. मराठी भाषा में वह है. चंपारण सत्याग्रह पर उन्होंने विस्तारसे लिखा है. चंपारण के उनके संस्मरण रोचक है.

***************

(यह संस्मरण हिंदी व अन्य भाषओं में प्रकाशित होने चाहिये. ‘कहाँनि:चंपारण सत्याग्रह की” …. यह मेरी किताब सर्व सेवा संघ प्रकाशित कर रहा है. मेरे मूल मराठी किताब का यह अनुवाद है. मराठी किताब भी जल्द प्रकाशित होने जा रही है. इस किताब में पुंडलीकजी के चंपारण सत्याग्रह पर स्वतंत्र प्रकरण दिया गया है.)

Loading

...102030...3,5763,5773,5783,579...3,5903,6003,610...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved