Opinion Magazine
Number of visits: 9456624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

खाली संविधान !

कुमार प्रशांत|Opinion - Opinion|20 November 2024

कुमार प्रशांत

तो राहुल गांधी के सबसे धारदार हथियार की धार भोथरी करने के लिए प्रधानमंत्री ने एक ऐसा झूठ बोला कि जिस बराबरी का झूठ खोजना उनके संसार में भी मुश्किल है. झूठ की शिफत यही है कि उसे हरबार पिछले से ज्यादा बढ़ा–चढ़ा कर बोलना चाहिए अन्यथा उसकी तासीर बेअसर हो जाएगी. प्रधानमंत्री इस कला के माहिर उस्ताद हैं. वे झूठ भी बोलते हैं – याकि झूठ ही बोलते हैं ! – और सार्वजनिक विमर्श कास्तर इतना गिराते जाते हैं कि शालीनता, विवेक, ज्ञान आदि के खड़े होने की जगह ही न बचे. जवाब में फिर दूसरी तरफ से भी उसी स्तर की बातें आती हैं.   

लोकसभा चुनाव के दौरान राहुल गांधी अपने भाषणों में भारतीय संविधान की लाल रंग की एक आवृत्ति दिखाते घूमते रहे. उनका कहना है कि भारतीय संविधान में वह सब कुछ है जो आंबेडकरजी, गांधीजी, फुलेजी आदि के दर्शन में है. वे समझाते हैं कि जनता के अधिकार, जनता की शिक्षा, जनता का आरक्षण, जनता का रोजगार, जनता की आजादी आदि सभी इसी संविधान से निकलती है और प्रधानमंत्री इसी संविधान को समाप्त करना चाहते हैं. बक़ौल राहुल गांधी प्रधानमंत्री व भारतीय जनता पार्टी ऐसा इसलिए चाहती है कि उसे समता व बराबरी का समाज नहीं चाहिए. वे इससे जुड़ी तमाम दूसरी बातें भी कहते हैं. राहुल गांधी जो कर रहे हैं, वह सब सही है, ऐसा तो कैसे कहें हम लेकिन हम यह कहना जरूर चाहते हैं कि राहुल जो कह रहे हैं, उस पर गहराई से विचार होना चाहिए. 

लेकिन किसी विचार की बात तो दूर, प्रधानमंत्री ने राहुल गांधी को ऐसा जवाब दिया कि जिसका सर है, न पांव ! प्रधानमंत्री दहाड़ कर बोले, बार–बार बोले और हर बार नई मुद्रा में बोले कि राहुल गांधी संविधान की जो किताब दिखाते हैं उसके भीतर कुछ लिखा ही नहीं है. वह खाली है. राहुल गांधी ने अपनी अगली सभा में फिर किताब दिखाई लेकिन इस बार उसे खोल कर भी दिखाया. उसमें बाजाप्ता लिखाहुआ था. वह खाली नहीं थी. अभी तक किसी ने उस किताब की ऐसी कोई प्रति सार्वजनिक भी नहीं की है जो ऊपर से लाल हो लेकिन भीतर से खाली हो. 

हमारा संविधान प्रधानमंत्री ने पढ़ा हो कि नहीं, देखा तो जरूर होगा. उसके सामने दंडवत होते वक्त भी उन्हें अनुमान तो हुआ ही होगा कि वह एक खासा भारी–भरकम ग्रंथ है. उतना बड़ा ग्रंथ उस गुटके में समाही नहीं सकता है. तो संविधान का सार बताने वाला वह प्रतीक संस्करण है. कांग्रेस ने तुरंत ही वह फोटो भी छाप दिया जिसमें प्रधानमंत्री स्वंय ही तत्कालीन राष्ट्रपति रामनाथ कोविद को वही लाल संस्करण भेंटकर रहे हैं. तो क्या प्रधानमंत्री ने राष्ट्रपति को कोरा गुटका दे कर झांसा दिया था. अगर नहीं, तो राहुल गांधी ऐसा झूठा काम क्यों करेंगे जो तभी–के–तभी, वहीं–के–वहीं पकड़ा जा सके ! पप्पू कैसा भी पप्पू हो, ऐसा फेंकू तो नहीं हो सकता ! 

अब अपना अमृत–प्रवचन दे कर प्रधानमंत्री देश से बाहर चले गए. भारतीय जनता पार्टी उनके इस झूठ को सन्नाटे में डुबो कर ही झेल सकती है. वह झेल रही है. लेकिन इससे भारतीय जनता पार्टी को हासिल क्या हुआ ? राहुल गांधी ने भारतीय राजनीति में अब अपनी ऐसी जगह तो बना ही ली है कि उन्हें प्रधानमंत्री वापस पप्पू साबित नहीं कर सकते. सहमति–असहमति, योग्यता–अयोग्यता सब अपनी जगह है लेकिन कांग्रेस को भी राहुल को उसी तरह ढोना है जिस तरह भारतीय जनता पार्टी को नरेंद्र मोदी को ढोना है. यह दोनों पार्टियों का अंदरूनी मामला है. लेकिन किसी को यह हक कैसे मिल सकता है कि वह मतदाता को ऐसा मूर्ख माने और चुनाव–प्रचार को इतनी फूहड़ता से ले !    

चुनाव प्रचार को झूठ का बवंडर और अर्थहीन जुमलों का ऐसा जंगल बना दिया गया है कि वहां लोक शिक्षण की जगह ही बाकी न हीं रही है.  चुनाव प्रचार मतदाता को जागरूक करने का नहीं, उसके ही पैसेसे उसे मूर्ख बनाने का सबसे बड़ा संवैधानिक आयोजन बन गया है. सारी संवैधानिक संस्थाएं इस शर्मनाक प्रहसन की मूक दर्शक भर हैं. देश के सार्वजनिक व वैधानिक जगत का ऐसा पतन संविधान निर्माताओं की कल्पना में नहीं रहा होगा. 1977 के अत्यंत नाजुक लोकसभा चुनाव के वक्त भी कम नहीं थे ऐसे ज्ञानी–धुरंधर जो जयप्रकाश नारायण को समझाते रहे थे कि साधारण लोग कहां समझेंगे आपकी यह लोकतंत्र व तानाशाही की बात ! “ दो में से एक चुनना है : लोकतंत्र या तानाशाही !” का सीधा नारा दे कर, वे यह कहते हुए आगे निकल गए कि आप लोग अपनी समझ की फिक्र कीजिए, जनता की नहीं! साधारण मतदाता ने वह चुनौती समझी और लोकतंत्र उभर आया.     

संविधान की किताब दिखा कर चुनाव की तासीर बदलने की राहुल की कोशिश आज भी जारी है. कांग्रेस संगठन में कोई राजनीतिक समझ होती तो वह इसी का बड़ा आंदोलन खड़ा कर सकती थी. जब सामने वैचारिक शून्यता का घटाटोप रचा जा रहा हो, तब आपकी सामान्य वैचारिक बातें भी जड़ जमा लेती हैं. लेकिन कांग्रेस में ऐसी समझ होती तो उसका ऐसा हाल होता ही क्यों! कोई चिढ़ कर जवाब देता हैकि जहां राहुल गांधी की अपनी सरकारें हैं, वहां भी तो वह सब नहीं हो रहा है जो राहुल गांधी कह रहे हैं. बात गलत नहीं है लेकिन यह राहुल गांधी की बात का जवाब नहीं है. जिस तरह मतदाताओं को नंगों–कंगलों–भीखमंगों की भीड़ समझ कर रुपये बांटने की नई शैली चली है, जिसमें कांग्रेस–भाजपा में एक–दूसरे को मात देने की होड़ चल रही है, वह भी इस बात का जवाब नहीं है कि संविधान में कैसा भारत बनाने का सपना दर्ज है, और वैसा भारत बनाने का क्या रास्ता संविधान बताता है. सबसे बड़ा क्षद्म यह है कि अब सभी संविधान की शपथ लेते हैं, उसे पढ़ता कोई नहीं है. अभी–अभी सेवानिवृत हुए हमारे सर्वोच्च न्यायमूर्ति चंद्रचूड़ साहब ने तो बाकायदा घोषणा ही कर दी कि संविधान पढ़ना ईश्वर का काम है, न्यायपालिका का काम ईश्वर से पूछ लेना भर है. 

देश इतना खोखला बना दिया गया है, मतदाता इतनी बार, इतनी तरह से छला गया है कि आज सारा कुछ संविधान में सिमट आया है. प्रधानमंत्री भले खिल्ली उड़ाएं कि राहुल गांधी खाली संविधान दिखा रहे हैं, देश को आज जरूरत खाली संविधान की ही है. खाली संविधान की कसौटी पर विधायिका–कार्यपालिका–न्यायपालिका को कसने की ताकत देश एक बार पा ले तो गाड़ी पटरी पर लौट सकती है. मीडियासंस्थानों का विष–दंत भी संविधान ही तोड़ सकता है. मतदाता को यह ताकत व यह दृष्टि खाली संविधान से ही मिल सकती है. हम सब अपनी–अपनी जगह पर इसके औजार बनें तो 1977 का चमत्कार फिर दोहराया जा सकता है.

(20.11.2024)  
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

આદિવાસી અધિકારોનો મુદ્દો વિકાસયાત્રામાં નડતરરૂપ હોય ખરો?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 November 2024

પ્રકાશ ન. શાહ

જનજાતીય ગૌરવ દિવસના રાજસી તામઝામ વચાળે લગરીક ન્યારે છેડેથી, મેઘાણી ને જયન્ત કોઠારીના હવાલેથી વાત શરૂ કરવા ઈચ્છું છું. સહેજે ત્રણ-ચાર દાયકા થઈ ગયા એને – જયન્તભાઈનો ફોન આવ્યો કે આ બિરસા મુંડા કોણ છે. 

એમની પૃચ્છાનું નિમિત્ત અલબત્ત મારી કલમકથની હતી. મેઘાણી જયંતીએ લખતાં મેં મારતી કલમે ટપકાવેલું કે જે રીતે મેઘાણી જનઆંદોલનનો સ્પંદ ઝીલતા હતા એ જોતાં, જો એ આપણી વચ્ચે હોત તો બિરસા મુંડા અને સૂ ચી (કી) સહિતના કેટલાયે પ્રજાસૂય જોધ્ધા વણગાયાં ન રહ્યાં હોત. કોઠારીની પૃચ્છામાં જે જિજ્ઞાસા ને નમ્રતા હતાં એ બેઉથી મહાત થવા સિવાય વિકલ્પે શો હોઈ શકે. 

ખરું પૂછો તો મેં લખતા શું લખી નાખ્યું’તું, પણ બિરસા બાબતે નિરાંતે ને વિગતે વાત કરવાની સજ્જતા મારી કને ય ત્યારે ક્યાં હતી? સધિયારો અલબત્ત એક જ હતો, મહાશ્વેતાદેવીનો : એમની નવલકથા ‘અરણ્યેર અધિકાર’ (‘અરણ્યનો અધિકાર’, અનુવાદક : સુકન્યા ઝવેરી, 1985) વાંચવાનું બન્યું હતું અને બિરસા મુંડાના જીવનકાર્યની કંઈક ઝાંખી મળી હતી. ઝારખંડ શા આદિવાસી ઈલાકામાં, ટૂંકી જિંદગીમાં એણે જે જીવી જાણ્યું, લોક એને ભગવાન કહેતું.

બિરસા મુંડા

બિરસાનો જન્મ 1875ના નવેમ્બરની પંદરમીએ અને જેલજુલમે મૃત્યુ 1900ના જૂનની નવમીએ : પૂરાં પચીસ વરસમાં પણ પાંચ મહિના ઓછા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વારાથી શરૂ થઈ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાથી આરંભાયેલ બ્રિટિશ રાજઅમલનો ગાળો જળ, જમીન અને જંગલના અધિકારો મૂળ વતનીઓ પાસેથી ક્રમે ક્રમે રાજ હસ્તક જવાનો ગાળો છે. જંગલની જમીનોને ખેતીલાયક બનાવતાં બદલાતા માલિકી હક્ક એ પણ એક સંસ્થાનવાદની દાસ્તાં છે. બાળક બિરસા, કેમ કે પિતા એને ભણાવવા ચાહે છે ને પોતે પણ ભણવા ઈચ્છે છે, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી મિશન સ્કૂલમાં ભરતી થાય છે. ખેંચાણ અલબત્ત ધર્મનિષ્ઠા તરેહનું નથી. ખ્રિસ્ત મતાવલંબી એક શિક્ષકનાં મહેણાંટોણાંથી શાળા બદલે છે અને બહારની દુનિયામાં પગ મૂકતાં જે સિતમ ને શોષણ અનુભવે છે એમાં હજુ વીસી પણ વટાવે તે પહેલાં તીરકામઠાં સાહે છે. જુવાનોનું દળ ખડું કરે છે. બંદૂક સામે તીરની લડાઈ, પરિણામ નક્કી છે. પણ જે બની આવે છે તે નવો, પલટાતો મિજાજ. બિરસા થકી પ્રચલિત પ્રયોગ, ઉલગુલાન.

1857માં દેશજનતાએ રોટી ને કમલના સંકેત સાથે ‘મારો ફિરંગી કો’ એવો એક ભેરીઘોષ સાંભળ્યો હતો. પછીની પચાસીમાં ‘વંદે માતરમ્’ના નારાએ જનમાનસનો કબજો લીધો હતો. વીસમી સદીનો ત્રીજો દાયકો આવતે આવતે આ સ્વદેશવત્સલ જયઘોષ ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા સાથે નવાં નિશાન સાધતો આવતો હતો. પણ ‘વંદે માતરમ્’ અને ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ની સાથે અંતરિયાળ ભારતમાં આદિવાસી ઈલાકામાં પરચમ પેઠે લહેરાતો નાદ, સંભળાતો સાદ હતો ઉલગુલાન કહેતા ક્રાન્તિ.

બિરસા ચરિત્ર ક્યારેક યથાસંભવ જરૂર મૂકીશું, પણ અત્યારે તો એવી સાર્ધ શતાબ્દીનું નિમિત્ત પકડીને જે એક મુદ્દો ખાસ કરવો છે તે સ્વાતંત્ર્યલડતના સતત ચાલુ દોરનો 1857ની શતાબ્દી મનાવાઈ ત્યારે ભારતીય વિદ્યાભવનની સુપ્રતિષ્ઠ ભારત ઇતિહાસ શ્રેણીના વડા સંપાદક આર. સી. મઝુમદારે સત્તાવનના સંગ્રામને પહેલો સ્વાતંત્ર્યસંગ્રામ કહેવાની ના ભણી હતી. નહીં કે એમને સત્તાવનનું મહત્ત્વ નહોતું વસ્યું. પણ એમનું કહેવું એમ હતું કે 1857 પહેલાં અને તે પછી દેશમાં અલગ અલગ ઠેકાણે સ્વાતંત્ર્યસંઘર્ષ ચાલતો રહ્યો છે. દેશના આદિવાસી ઈલાકાઓમાં અઢારમી સદીથી આરંભીને ઓગણીસમી ઉતરતે પણ દોર જારી રહ્યો છે.

વેલ, બિરસા તો એકસો પચાસ વરસ પરનું નામ છે, પણ હજુ માંડ પાંચ દાયકા પર આપણી વચ્ચે નાગાલેન્ડ-મણિપુરનાં લક્ષ્મીબાઈનું બિરૂદ પામેલાં રાણી ગાઈદિન્લિયુ હતાં જ ને. 1931માં 16 વરસની આ કન્યકાએ ચાર હજારના સશસ્ત્ર દળ સાથે આસામ રાઈફલ્સનો મુકાબલો કરી જેલ વહોરી હતી. 1937માં એને મળ્યા પછી જવાહરલાલે ‘રાણી’નું માનબિરૂદ આપ્યું તે એના નામનો હિસ્સો બની ગયું. આઝાદ હિંદે એને સ્વાતંત્ર્યસેનાની સન્માન આપ્યું ને પદ્મભૂષણે પોંખી. બાય ધ વે, આખી લડતમાંથી એક નાનો વિગતમુદ્દો ઊંચકી ભા.જ.પ. પોતાની એન્ટિ-ક્રિશ્ચન રાજનીતિનો ખેલ આ કિસ્સામાં પાડે છે. જેમ, બિરસા ચરિતમાં જેકબ વકીલ અને બીજા ખ્રિસ્તી કર્મશીલોની સ્મૃતિ કોરાણે મેલી કોમી રંગની કોશિશ થતી માલૂમ પડી છે. વસ્તુત: ફ્રિન્જલાઈન ચર્ચવેડા બાદ કરતાં મેઈન લાઈન ચર્ચો તો ભીમા-કોરેગાંવ કેસ દરમ્યાન જેલમાં શહીદ થયેલા સ્ટેનસ્વામી પેઠે જળ-જમીન-જંગલના અધિકારો સારુ ઝૂઝતા કર્મશીલોની કાર્યાશાળા છે.

બ્રિટિશ અમલમાં ફોરેસ્ટ એક્ટ અને આનુષંગિક પગલાં સાથે કોલસા ને સોનાની ખાણોની જેમ જંગલો ને વેસ્ટલેન્ડ રાષ્ટ્રીય સંપત્તિ કહેતાં સુવાંગ સરકારી માલિકીના બની ગયાં … હા, રાજવીઓ ને લાટસાહેબો માટે મૃગયા સારુ અંકિત ઈલાકા બાદ!

સ્વરાજ પછી, મોડે મોડે જળ-જમીન-જંગલના અધિકારો મુદ્દે જરૂર હિલચાલ છે. 1988થી ગ્રામસભા અને વન અધિકારીઓની સહિયારી વ્યવસ્થા હેઠળ કંઈક ફેરફાર શરૂ થયો. 2006માં મનમોહન સિંહની સરકારે ધ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ (રેકગ્નિશન ઓફ ફોરેસ્ટ રાઈટ્સ) એક્ટ – એફ.આર.એ. અન્વયે કંઈક ભોંય ભાગવાની શરૂઆત કરી. પણ છેલ્લો દસકો એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદે સ્થાપવા જેવા ઉપચારો બાદ કરતાં આદિવાસી અધિકારોના સંકોચનનો છે. વનરક્ષણ અને આદિવાસી અધિકારોનો મુદ્દો રેલવે, વીજળી, કોલસા, પેટ્રોલિયમ મંત્રાલયોને અને નીતિ આયોગને વિકાસયાત્રામાં રુકાવટ (બોટલનેક) જેવો લાગે છે. એપ્રિલ 2024ના સર્વેક્ષણ પ્રમાણે વન-ગ્રામસભા મામલામાં સરકારી અધિકારીઓ કોમ્યુનિટી રાઈટ્સ પર હાવી માલૂમ પડે છે.

સાર્ધ શતાબ્દીના તામઝામમાં વિગતો સંભળાશે? ન જાને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 નવેમ્બર 2024

Loading

લાગણીનું બંધન

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|19 November 2024

“હાલો વાળુ કરી લ્યો, ચાર-પાંચ દીથી તમે ધરાઈને ધાન નથી ખાધું, ખાવું તો પડશે ને?” ભૂરો હજી પણ ગમાણને તાકીને બેઠો હતો. ફરી રૂખીએ અવાજ કર્યો, “કવ છું હાભળો છો, હાલો વાળુ કરી લઈએ.”

ભૂરો ગમગીન ચેહરે ઊભો થયો, ભાણે બેઠો, “રૂખી, ખાવાનું મન નથી થતું.”

“ખાવું તો પડશે ને? ક્યાં સુધી આમ છોરું વગર ઝૂરશો?” ભૂરાએ ભાણામાં જોયું, બાજરાનો રોટલો, બે મરચાં, લસણની ચટણી અને છાશ હતી. ભૂરાને આ પણ શાહી ભોજન લાગતું હતું.

“રૂખી, ભૂખ નથી.” ભૂરો અન્ન દેવતાને પગે લાગી પાણીનો ઘૂંટડો પી ઊભો થઈ ગયો. રૂખીએ આ જોયું રૂખીની આંખમાંથી પણ દડદડ આંસુ વહી રહ્યાં હતાં.

ભૂરા પાસે પશુધનમાં બે બળદ, એક ગાય માતા અને એક ભેંસ હતી. નાની એવી ખેતીવાડી હતી. સામાન્ય સંજોગોમાં રૂખી, ભૂરાનું અને પશુધનનો ગુજારો થઈ જતો હતો, પણ આગલા બે વરસ મોળાં ગયાં અને આ વર્ષે તો દુકાળ ડોકા દેવા લાગ્યો હતો. ઘાસચારો, પશુ આહારની અછત ઊભી થઈ ગઈ હતી અને મોંઘાં દાટ થઈ ગયાં હતાં. ભૂરાએ બચત હતી એ વાપરીને છોરું જેવા પશુધનનો ગુજારો કર્યો પણ મોંઘવારીનાં મારે તેને ડુકાવી દીધો હતો. આર્થિક પરિસ્થિતિ કાબૂ બહારની થઈ ગઈ હતી. ગામ લોકો સાથે તેણે પણ કાળજું કઠણ કરી પોતાના છોરું જેવાં પશુધનને પાંજરા પોળમાં મુકવાનું નક્કી કરી, નજીકની પાંજરા પોળમાં પાંચ દી પહેલાં મૂકી આવ્યો હતો, પણ મનમાં કોચવાતો હતો કે મેં ખોટું કર્યું છે. છોરું જેવાં પશુધનને પાંજરાપોળમાં મૂકી આવ્યો. એટલે મોં માં અન્નનો દાણો નાખવાનું મન નહોતું થતું.

ભૂરો, રોજ રૂખીને પૂછતો, “હે, રૂખી, ત્યાં આપણા છોરુને ગમતું તો હશે ને? પાંજરા પોળવાળા સાચવતા તો હશે ને? રોજ મનગમતું નિરણ તો આપતા હશે ને? સારી રીતે ધમારતા તો હશે ને?” રૂખી પાસે આશ્વાસન આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. રૂખીએ એટલા દિવસ તો આશ્વાસન આપી આપીને કાઢ્યાં હતાં.

“કવ, છું, હાભળો છો.”

“હા, બોલ.”

“મારી પાસે થોડા દાગીના છે, તે શાહુકાર કાકા પાસે ગીરો મૂકી, આપણા છોરુને લઈ આવીએ. એ પૈસાથી તેંનું ભરણ પોષણ કરીએ.” ભૂરાએ રૂખી સામે જોયું, આમ તો રોજ રૂખીને જોતો હતો પણ આજની રૂખી કંઈક અલગથી લાગી, ભૂરાએ સ્નેહભરી નજરે જોયું, રૂખી આજ તેને અન્નપૂર્ણાનો અવતાર, માતૃસ્નેહથી ભરપૂર રૂખી લાગી.

“સારું તું કહે તેમ આપણી પાસે બીજો ઉપાય પણ શું છે?”

ભૂરો, શાહુકાર કાકા પાસે ગયો. “આવ ભૂરા શું કામ છે?”

“કાકા, આ દાગીના ઉપર મળે એટલે પૈસા જોઈએ છે.”

“ભૂરા, તારે વળી આટલા બધા પૈસાની શું જરૂર પડી?” ભૂરાએ શાહુકાકાને વિગતથી વાત કરી.

શાહુકાર કાકા અનિમિશ નજરે ભૂરાને જોઈ રહ્યા, “ભૂરા એક વાત પૂછું?”

“હા કાકા, પૈસા આપવાની ના સિવાય જે પૂછવું હોય તે પૂછો” “ભૂરા, આપણા ગામમાં જે વ્યક્તિઓ પોતાના પશુધનનો નિર્વાહ કરી શકે એવી વ્યક્તિઓ પણ સરકારી ખર્ચનાં પાંજરાપોળમાં પોતાનું પશુધન મૂકી આવ્યા, અને તું ઘરવાળીના દાગીના ઉપર પૈસા લઈ પશુધન પાછું લઈ આવવાની વાત કરે છે?”

“કાકા, બીજાની મને કાંઈ ખબર ન પડે. મને અને રૂખીને તો અમારા છોરું વગર ગમતું નથી, એટલે આ તોડ કાઢ્યો છે.”

“ભૂરા, કેટલા પૈસા જોઈએ છે?”

“જેટલા આપો એટલા, મારે તો મારા છોરુને જીવાડવા છે.”

“લે, આ પચાસ હજાર આપું છું.” ભૂરો થોડો નારાજ થયો. “ભૂરા, અત્યારે આટલા આપું છું, પછી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મારી પાસેથી તું લઈ જજે.”

“ભલે કાકા, પણ તમારું વ્યાજ બહુ ઊંચું છે હું એટલું નહીં આપી શકું, મારી પાસેથી ઓછું લેશો ને?”

“ભૂરા તારે વ્યાજ જ આપવાનું નથી. તારા દાગીના મારી પાસે ગીરો નહીં પણ તારી અમાનત તરીકે રહેશે.”

ભૂરાને પહેલાં તો વિશ્વાસ ન બેઠો, જે શાહુકાર કાકા એક ફદિયું પણ જતું ન કરે તે મને વગર વ્યાજે પૈસા આપે છે. ભૂરાની દ્વિધા કાકા સમજી ગયા, ઊભા થઈ પૈસા આપ્યા અને કહ્યું, “તું મનમાં કઈ શંકા ન રાખતો. મારી વાત સો ટકાની છે કે તારે વ્યાજ આપવાનું નથી.”

ભૂરો બોલ્યો, “કાકા એક સવાલ પૂછું?”

“હા, પૂછ, મને તારા સવાલની ખબર છે.”

“શાહુકાર કાકા, તમારું વ્યાજ બહુ ઊંચું, નિયત સમયે પૈસા વસૂલી લો, તમારી કડક અને પઠાણી ઉઘરાણી હોય, તમે તસુ ભાર પણ જતું ન કરો. એટલે મને તમારી આ વ્યાજ નહીં વસૂલવાની વાત ન સમજાણી.”

“ભૂરા, તારામાં અને રૂખીમાં મને આજે સાક્ષાત પ્રભુના દર્શન થયા. ગામનાં પહોંચતા પામતા લોકોને તેનું પશુધન પાંજરાપોળમાં મુકતા જરા પણ ખચકાટ ન થયો. તને તો સંજોગોએ મજબૂર કર્યો હતો અને તારી ઘરવાળીએ જીવન મૂડી દાવ ઉપર લગાવી દીધી. જે માણસ પોતાના પશુને, પશુ નહીં પણ છોરું, સંતાન માનતો હોય એ કોઈ સંજોગોમાં મારા પૈસા ઓળવી ન જાય. મારી પાસે પશુધન નથી, પણ પ્રભુએ તારા દ્વારા પશુ દેવોની સેવા કરવાની તક આપી છે, તો હું કેમ તે જવા દઉં.”

ભૂરાએ શાહુકાર કાકાને પ્રણામ કર્યા, “ભૂરા, તારે મને નહીં પણ મારે તારો અને રૂખીનો સન્માન સાથે આભાર માનવો જોઈએ. આ કળિયુગમાં પણ માનવ દેવતા તારા જેવા માણસમાં વસે છે.”

તે દિવસે ભૂરાના ઘરે, તેત્રીસ શાક અને બત્રીસ ભોજન બન્યા. શાહી ભોજનમાં ખાલી ભાણામાં એક વધારામાં શાક બન્યું હતું. પણ ભૂરા અને રૂખી માટે તે દીનું છોરું સાથેનું શાહી ભોજન હતું. ભૂરો, રૂખી અને સાથે ભૂરાનું વહાલું પશુધન સાથે વાળુ કરવાં બેઠું.

ભૂરાએ રૂખીને કહ્યું, “જો રૂખી, આપણી બળદની જોડ, ગાય માતા અને ભેંસ આપણી સામે જોઈને એમ કહે છે કે જેમ તારી અને રૂખીની જોડી સાત જનમની છે એમ અમને પણ તમારી સાથે સાત જનમ રહેવા મળે.” ભૂરાની વાતને જાણે અનુમોદન આપતા હોય તેમ ગમાણમાં બંધાયેલ ચારેયની આંખમાંથી હર્ષનાં આસું વહી રહ્યાં હતાં.

તે દિવસે ભૂરાએ, રૂખીએ અને છોરું જેવા પશુધને પેટ ભરીને અન્ન આરોગ્યું. એમ લાગે જાણે રાત પણ આ ક્ષણ માણવા રોકાઈ ગઈ હોય તેમ મંથર ગતિથી વહી રહી હતી.

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...348349350351...360370380...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved