Opinion Magazine
Number of visits: 9688306
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યકારને ઇનામો

ઝવેરચંદ મેઘાણી|Opinion - Literature|16 May 2017

સાહિત્યકારને ઇનામો કોણ આપી શકે? કોની પાસેથી ઇનામો સ્વીકારવાં? એ વાત સહુએ ઘણી ખીલે બાંધવા જેવી લાગે છે.

મહાવીરસ્વામીનું જીવનચરિત્ર લખવા માટે પૈસાદાર જૈન કોમે મોટાં ઇનામની લાલચ આપી છે. ‘જૈન’ પત્ર પૂછે છે : ‘આવી લાલચોથી મહાન પુરુષોની ભાવનાઓને મહત્તાપૂર્વક રજૂ કરતું પુસ્તક તૈયાર થઈ શકે કે? પૈસાની લાલચથી નહીં, પણ અંતરની તાલાવેલીથી જ મહાન સર્જનો થઈ શકે.’

ગુજરાત પાસે રણજિતરામ સુવર્ણચંદ્રક છે, તે પછી મહિડા ચંદ્રક થયો. સુરતવાસીઓએ નર્મદચંદ્રકની યોજના કરી. છેલ્લે ‘કુમાર’ માસિકમાં વર્ષ દરમિયાન અનુકૂળ લેખો લખનારને માટે કુમારચંદ્રક યોજાયો છે.

એક વાત સરૂપ ચંદ્રકો પરત્વે કહેવા જેવી છે. મુદ્દો આ છે, કે ચંદ્રકની પ્રતિષ્ઠાને આપણે કેવી રીતે આંકીએ તો સારું? ચંદ્રક એની વિરલતાએ કરીને વધુ શોભે કે વિપુલતાએ? ધારો કે આ રીતે વધુ સામયિકો ચંદ્રકદાન આપતાં બની જાય. સંસ્થાઓ પોતપોતાના ચંદ્રકો કાઢવા માંડે, વ્યક્તિઓ પણ એ મારગે ચાલવા લાગે તો? વર્ષે સોએક રૂપિયાના ખર્ચે ચંદ્રકદાતા તરીકેની નામના ખાટવાનો હિસાબ મૂકનારા વધી નહીં પડે?

ચંદ્રક તો એક ગૌરવચિહ્ન છે. ચંદ્રકોની સંખ્યા વધારવાથી સાહિત્યની ગતિ વધારી શકાય એવું લાગતું નથી. પાંચ-સાતને બદલે એકાદ-બે જ ચંદ્રકો હોય, અને એના વડે વિભૂષિત બનનાર વ્યક્તિનું નામ પડતાં અનેક હૃદયો એ કક્ષાએ પહોંચવાની આકાંક્ષાએ સ્પંદાયમાન બની રહે, સમસ્ત ‘પ્રજાને મન એ ચંદ્રકાર્યણવિધિ મહાપર્વ બની રહે, એવા કોઈ આદર્શ પર આપણે ચંદ્રકને આસન આપીએ તો ઠીક નહીં?’

કોઈ પણ સાહિત્યકારની સાહિત્યસેવા જો જન્મમહોત્સવની અધિકારી હોય, તો પછી હજાર-પંદરસો માણસોની વચ્ચે એની ક્ષણિક ‘પ્રસ્તુિતના અર્થહીન જલસાથી સંતોષ લેવો એ હાંસી છે. એની કૃતિઓ જ ગુજરાતનાં ઘરોઘરમાં સંઘરાતી જાય તેવી ભાવના પ્રસરવી ઘટે છે. એનાં પુસ્તકોની કલાવંત આવૃત્તિ સસ્તેભાવે વેચવી ઘટે છે. કવિ બોટાદકરની અજરામર જયંતી તે એનાં પુસ્તકોનો અવિરત ઝુકાવ છે. સાહિત્યકારની કૃતિઓનો કલા રમ્ય અને સસ્તો પ્રચાર એટલે જ એની સાચી જયંતી.’’

જયંતીઓ, સુવર્ણમહોત્સવો એ સાહિત્યકારો, કલાકારો કે શિક્ષણકારોનાં જીવનના થાક ઉતારવા માટે ને તેમનામાં શુભેચ્છકોની સહાનુભૂતિનું નવું બળ રેડી એમના પગને પ્રોત્સાહિત કરવા માટે જરૂરનાં બને છે. શુભચિંતકોનું મંડળ જો સમણું હશે, તો આવા ઉત્સવોની મર્યાદાનું પાલન કરવામાં જ પોતાના સન્માનપત્રનું રૂપ સમજશે. અતિશયતા જેવી બીજી એકેય હાંસી નથી.

પારિતોષિકો, ચંદ્રકો આપવાનો અધિકાર ફક્ત વિદ્યાપીઠોને અથવા લોકમાન્ય સાહિત્યસંસ્થાઓને જ હોઈ શકે. સાહિત્યકારને જો સ્વમાન જેવી કોઈ ભાવના હોય, તો તેઓએ ઇતર પ્રવૃત્તિ ઇનામી પ્રથાઓનો વિરોધ કરવો જોઈએ. એમાં સાહિત્યનું અપમાન રહેલું છે.

(‘પરિભ્રમણ : નવસંસ્કરણ, ખંડ-૧’માંથી સંકલિત કરનાર મહેન્દ્ર મેઘાણી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 17 

Loading

શબ્દ

સંધ્યા ભટ્ટ|Poetry|16 May 2017

ભરબજારે શબ્દ રગદોળાય છે,
શબ્દ અહીંયા જૂઠથી છોલાય છે.

શબ્દ પોતે શસ્ત્ર છે જાણે બધાં,
એ છતાં જાતે કદી વીંધાય છે.

ગર્જના કે વંદના હો ભીતરી,
શબ્દ દ્વારા એ છતી થઈ જાય છે.

શબ્દ વાવાઝોડું  ને ધરતીનો કંપ,
શબ્દરેલે સઘળે કાદવ થાય છે.

હા, શુચિતા પામવાની છે પ્રથમ,
શબ્દપશ્ચાત્‌મંત્ર બનતા જાય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 18

Loading

વાસ્તવિક્તા

મનીષી જાની|Poetry|16 May 2017

વાસ્તવિકતા
એટલે વાસ્તવિકતા.
વાસ્તવિકતા નગ્ન હોય છે,
એકદમ.
તમે આંખો બંધ રાખીને
બેસી રહ્યા છો,
એ વાસ્તવિકતા છે.
તમે કહો છો કે
તમારી આંખો દુઃખે છે,
ખુલ્લી આંખો વધુ દુઃખે છે,
બધું ઝાંખું દેખાય છે.
તમે કહો છો એ
તમારે માટે વાસ્તવિકતા છે.
તમારે બજારમાં તો
જવું જ પડશે,
નહીં જાવ, તો
કૂલે લાત મારીને
તમને
ઘરમાંથી બહાર
તગેડી મૂકશે,
એ ય વાસ્તવિકતા છે.
બજારમાં તો
જવું જ પડશે.
બજારમાં
દવાની દુકાને જઈ
તમે
આંખમાં નાંખવાનાં ટીપાં માંગશો
ને
તમારા ખિસ્સામાંથી
બે હજાર રૂપિયાની
ભીની નોટ
આપશો દુકાનદારને
એ ય વાસ્તવિકતા છે.
બધી ય
બે હજારની નોટો
ફક્ત પરસેવાથી જ
ભીની થાય એવું નથી હોતું,
એ ય વાસ્તવિકતા છે.
તમને પેશાબ કરવા
પથારીમાંથી ઊભા
થવાનોય કાંટાળો કંટાળો છે,
એ ય વાસ્તવિકતા છે.
ઠેઠ
હિમાલયમાં આવેલી
આયુર્વેદિક ભારતીય સાંસ્કૃિતક જડીબુટ્ટી
રિસર્ચ લૅબોરેટરીમાં માન્ય થયેલી
દવાનાં ટીપાંની
નાનકડી શીશી
તમારા હાથમાં પકડાવી
તમારાં પૅન્ટનાં તમામ ખિસ્સાઓમાં
બાકીના રૂપિયાના
દસ-દસનાં સિક્કા
ફટાફટ
ખોબલે-ખોબલે
દુકાનદારે
ભરી દીધા,
એ ય વાસ્તવિકતા છે.
બજારમાં
તમે કશું ય બોલી નથી શકતાં
એ ય વાસ્તવિકતા
અને
પૅન્ટને
ઊતરતું
રોકવાના
વાસ્તવિક પ્રયત્નોમાં
તમે ચાલવા માંડો છો …
તમે
નીચે ઊતરતાં
પૅન્ટને પકડી રાખી ચાલી
શકતાં નથી,
તમારાં ચપ્પલમાં
નીચે ઊતરતાં પૅન્ટની મોરી
અટવાયા કરે છે,
એ ય વાસ્તવિકતા ..
અને
પાસેની દુકાનમાં જઈ
ઊતરતા પૅન્ટને
રોકવા માટેનો,
બાંધવા માટેનો,
બેલ્ટ ખરીદવાની
ને
બેલ્ટ બાંધવાની
તમને હિમ્મત થતી નથી,
એ ય વાસ્તવિકતા ..
તમને ઘરે પહોંચવા સિવાય
કોઈ રસ્તો
નથી દેખાતો,
એ ય વાસ્તવિકતા ! 
ને
વાસ્તવિકતા તો
નગ્ન હોય છે,
તમારી આંખે ઝાંખું
દેખાય છે
અને
ઝાંખી દેખાતી
નગ્નતા
એ ય વાસ્તવિકતા છે.
ઊતરી ગયેલાં પૅન્ટ સાથે
તમે
ઘરે પહોંચશો
એ ય વાસ્તવિકતા!
વાસ્તવિકતા
સ્વીકારવી કે
ન સ્વીકારવી
એ ય
વાસ્તવિકતા
પણ
નગ્ન વાસ્તવિકતા
સ્વીકારી
તમે
આંખો
બંધ રાખશો
એ ય
નગ્ન વાસ્તવિકતા !

૮ મે, ૨૦૧૭   

(ફ્રૅન્ચ પ્રમુખ-ચૂંટણી પરિણામ દિવસ)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 19

Loading

...102030...3,4193,4203,4213,422...3,4303,4403,450...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved