Opinion Magazine
Number of visits: 9578817
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હસનના વ્યસનીને

વિરાફ કાપડિયા|Poetry|23 September 2018

(હરનિશ જાની સ્મૃિતકાવ્ય)


અહો દિલોજાની ! હસમુખ સખા મુક્ત મનના !
પિતા, નેતા, કિસ્સા અમરિકનની વાત કરતા !   
હસું છું, રોઉં છું ક્ષણ સકલને યાદ કરતાં
વીતી જે મ્હેિફલે, અવર મિલને, સૌ સ્વપનમાં.

આમારા સૌયેમાં શું હરનિશ, વાચાલ તું જ છે?
અરે, સ્કંધે મંડ્યો અનવરત વેતાલ તું જ છે;
બધી તાળીઓમાં ભીતર ભરિયો તાલ, તું જ છે; 
ન કે વર્ષે વર્ષે, અહરનિશ નાતાલ તું જ છે.

દિનોનાં દૈન્યોથી મીત, સભર પ્રત્યે તું લઈ જા,  
અને ‘છેને, છેને’ કહી અવનવી વાત કહી જા.
ભલે જાવાનો હો અગમ જ ભણી, તો તું ભઈ જા;
તું-હીણો હું છું તો તુજ હસનનાં દાન દઈ જા.

જનોની ચર્ચા તો જગત વીંટતી ચોગમ રહે,
અને વેગે વાણી સકલ જીભની તે ગમ વહે,
વહો એવી નિત્યે અમ જીભનીયે શુદ્ધ ઝરણી,
ખુશીના, હાસોના રસબસ મહાસાગર ભણી.

*     *     *

(વાતોડિયા હાસ્યલેખક હરનિશના મૃત્યુ પછીનું આ સ્મૃિતકાવ્ય ન્હાનાલાલના ‘પ્રભો! અંતર્યામી!’ સ્તુિતકાવ્યની પંક્તિઓનો પડઘો પાડે છે, જે વાચક વરતી જશે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 09

Loading

પાકિસ્તાનમાં નવા શાસન સમયે ભારત-પાકિસ્તાન બંધારણો વચ્ચે સરખામણી

અશ્વિનકુમાર કારીઆ|Opinion - Opinion|23 September 2018

પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે તા. ૧૮ ઑગસ્ટના રોજ શપથ લેનાર ઇમરાન ખાને ‘નયા પાકિસ્તાન’ની રચના માટે વચન ઉચ્ચારેલ છે. તેમણે કહ્યું કે નયા પાકિસ્તાનની રચના કરતી વખતે મહમદઅલી ઝીણા અને ઇકલાલે સૂચવેલ માર્ગ અપનાવશે. ઝીણાએ પાકિસ્તાનને રૂઢિચુસ્ત ઇસ્લામી રાજ્ય તરીકે જોવાને બદલે ઉદાર મતવાદી લોકશાહી રાષ્ટ્રની કલ્પના કરી હતી. પાકિસ્તાનમાં નવા શાસનની સ્થાપના થઈ રહી છે, તેવા સમયે ભારત અને પાકિસ્તાનનાં બંધારણીય પાસાંઓ વચ્ચે સરખામણી કરવાનું રસપ્રદ રહેશે.

બંધારણ : પાકિસ્તાન બંધારણમાં ‘સર્વશક્તિમાન અલ્લાહ’ અને પાકિસ્તાનના સ્થાપક તરીકે ‘કાયદે આઝમ’ મહંમદઅલી ઝીણાનો ઉલ્લેખ કરાયો છે. ભારતના બંધારણના આમુખમાં ઈશ્વર કે મહાત્મા ગાંધીનો નામોલ્લેખ નથી, કારણ કે બંધારણસભાએ આવો કોઈ ઉલ્લેખ બંધારણમાં કરવાની દરખાસ્ત નકારી હતી. પાકિસ્તાનના બંધારણમાં ‘લઘુમતીઓ, પછાત અને હાંસિયામાં ધકેલાયેલ વર્ગોના કાયદેસરનાં હિતોના પૂરતા રક્ષણનું તેમ જ સ્વતંત્ર ન્યાયતંત્રનું વચન અપાયેલ છે. ભારતના બંધારણમાં લઘુમતીઓને કેટલાક મૂળભૂત અધિકારો પ્રદાન કરાયા છે, પરંતુ તેમાં સ્વતંત્ર ન્યાયતંત્રનું વચન અપાયેલ નથી. ન્યાયતંત્ર સ્વતંત્ર રહે તે માટે બંધારણમાં કેટલાક પ્રબંધો કરાયા છે.’

પાકિસ્તાનના બંધારણમાં ગુપ્તતાનો અધિકાર (Right to Privacy) માન્ય કરાયો છે. ભારતના બંધારણમાં આ અધિકારનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. જો કે આપણી સર્વોચ્ચ અદાલતે ગત વર્ષે એક ચુકાદાથી આ અધિકાર મૂળભૂત અધિકાર તરીકે માન્ય કરેલ છે. ઉપરાંત પાકિસ્તાન બંધારણમાં ૫ થી ૧૬ વર્ષનાં બાળકોના શિક્ષણનો અધિકાર માન્ય કરાયો છે. ભારતના બંધારણમાં ૨૦૦૧ના વર્ષમાં બંધારણમાં ૮૬મા સુધારાથી ૬ થી ૧૪ વર્ષનાં બાળકો માટે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણની મૂળભૂત અધિકાર તરીકે જોગવાઈ કરાયેલ છે અને તે અંગેનો કાનૂન પણ તા. ૧-૪-૨૦૧૦થી અમલમાં છે.

પાકિસ્તાનના બંધારણમાં માહિતી-અધિકાર (Right to Information)ની બાંયધરી ઉપરાંત માનવ ગૌરવનો ઉલ્લંઘન ન કરી શકાય તથા અધિકાર તરીકે સ્થાન અપાયું છે, જ્યારે ભારતમાં સ્પષ્ટપણે બંધારણમાં માહિતી-અધિકારને સ્થાન અપાયું નથી. સર્વોચ્ચ અદાલતના એક ચુકાદાથી માહિતી-અધિકારને મૂળભૂત અધિકાર તરીકે ગુણાયેલ છે. ઉપરાંત ભારતની સંસદે માહિતી અધિકાર ધારો, ૨૦૦૫ ઘડી તેને લાગુ કરેલ છે.

પાકિસ્તાનમાં અખબારી સ્વાતંત્ર્યને સ્પષ્ટ માન્યતા બંધારણથી પ્રદાન કરાયેલ છે, પરંતુ આ સ્વાતંત્ર્ય ‘ઇસ્લામના ગૌરવ’ને આધીન છે, જ્યારે ભારતીય બંધારણમાં અખબારી સ્વાતંત્ર્યના કોઈ સ્પષ્ટ ઉલ્લેખનો અભાવ છે. સર્વોચ્ચ અદાલતના એક ચુકાદાથી તેને અનુચ્છેદ ૧૯(૧)(એ) હેઠળ વાણી અને અભિવ્યક્તિસ્વાતંત્ર્યના ભાગ તરીકે મૂળભૂત અધિકાર તરીકે સ્થાન મળેલ છે. પાકિસ્તાનમાં ધર્મસ્વાતંત્ર્યનો અધિકાર, અન્ય મૂળભૂત અધિકારો, નીતિમત્તા, જાહેર આરોગ્ય, કાયદો અને વ્યવસ્થાને આધીન છે, પરંતુ આ બાબતે એક તફાવત નોંધવો રહ્યો કે ભારતીય બંધારણ હેઠળ ધર્મસ્વાતંત્ર્યનો અધિકાર, પાકિસ્તાનની માફક, માત્ર નાગરિકોને નહીં, પરંતુ દરેક વ્યક્તિને ઉપલબ્ધ કરાયેલ છે.

ન્યાયતંત્ર : પાકિસ્તાન સરકારની ત્યાંની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂકમાં કોઈ ભૂમિકા હોતી નથી. પાકિસ્તાન-બંધારણ અનુચ્છેદ ૧૭૫ એ(૩)માં માત્ર એટલું જણાવાયેલ છે કે રાષ્ટ્રપ્રમુખ સૌથી સિનિયર ન્યાયાધીશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરશે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક, બઢતી અને બદલી બાબતે ઘડેલ કાનૂન National Judicial Appointments Commission. Act,-૨૦૧૪, સર્વોચ્ચ અદાલતે ૨૦૧૫માં ગેરબંધારણીય ઠરાવેલ છે.

પાકિસ્તાનના બંધારણમાં કોઈ ન્યાયાધીશના ગેરવર્તન બાબતે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, અન્ય બે સિનિયર ન્યાયાધીશો અને વડી અદાલતના બે સિનિયર મુખ્ય ન્યાયાધીશોની બનેલી ન્યાયિક પરિષદ રચવાની જોગવાઈ છે. જો આ પરિષદ એવા તારણ પર આવે કે તે ન્યાયાધીશ પોતાની ફરજો બજાવવા અસમર્થ અથવા ગેરવર્તન બદલ દોષિત છે, તો રાષ્ટ્રપ્રમુખ તરફથી તે ન્યાયાધીશ સામે મહાભિયોગ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જ્યારે ભારતના બંધારણમાં સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના ન્યાયાધીશ સામે ‘પુરવાર થયેલ ગેરવર્તન અથવા અસમર્થતા’ના કારણસર સંસદને મહાભિયોગ કાર્યવાહી કરવાની સત્તા છે.

ચૂંટણીઓ : પાકિસ્તાનમાં ચૂંટણીપૂર્વે વડાપ્રધાને રાજીનામું આપવાની જોગવાઈ છે. આવા પ્રસંગે વડાપ્રધાન અને વિરોધપક્ષના નેતા મળી રખેવાળ વડાપ્રધાન પસંદ કરે છે. જો તેઓ વચ્ચે આ બાબત અસંમતિ થાય, તો દરેક પોતાના પક્ષે બે નામો સંસદ-અધ્યક્ષને મોકલશે અને તેઓ આ નામો સંસદીય સમિતિને મોકલી આપશે. પાકિસ્તાનમાં ૨૫ જુલાઈ, ૨૦૧૯ના રોજ થયેલ ચૂંટણી અગાઉ રખેવાળ વડાપ્રધાન તરીકે નસીર ઉલ મુલ્કની પસંદગી થઈ હતી અને તેઓ ચૂંટણી સુધી ચાલુ રહ્યા હતા. ભારત અને પાકિસ્તાન, બંને દેશોમાં ચૂંટણીપંચ છે. ભારતમાં ચૂંટણી કમિશનરની પસંદગી સરકાર કરે છે અને તેઓ આઈ.એ.એસ. હોય છે. જ્યારે પાકિસ્તાનમાં ચૂંટણી-કમિશનર સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના વર્તમાન કે નિવૃત્ત ન્યાયાધીશ હોય છે. અથવા આવા ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવે છે. વડાપ્રધાન, વિરોધપક્ષના નેતા સાથે પરામર્શ કરી ત્રણ નામો, ૧૨ સભ્યોની બનેલી સંસદીય સમિતિને મોકલે છે. આ સમિતિમાં સરકાર અને વિરોધ પક્ષનું સમાન સ્થાન હોય છે. પાકિસ્તાન ચૂંટણીપંચમાં પંજાબ, સિંધ, બ્લુિચસ્તાન તેમ જ ખૈબરપ્રાંતની અદાલતમાંથી એક ન્યાયાધીશ ચૂંટણીપંચ કમિશનર બને છે. પાકિસ્તાનમાં ૨૦૧૭માં કાનૂનથી ચૂંટણીપંચને નાણાકીય સ્વાયત્તતા પણ પ્રદાન કરાયેલ છે, જ્યારે ભારતમાં ચૂંટણીપંચે નાણાં માટે કેન્દ્ર સરકાર પાસે હાથ લંબાવવો પડે છે.

પાકિસ્તાનમાં ચૂંટણી માટે મુસ્લિમ ઉમેદવારો સારાં ચારિત્ર્યનો, પ્રામાણિક અને ન્યાયી વલણ ધરાવતા હોવા જોઈએ. ઉપરાંત તેમને ઇસ્લામનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. તેમણે કોઈ મોટું પાપ આચરેલ હોવું જોઈએ નહીં. નવાઝ શરીફ છેલ્લી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ગેરલાયક ઠરાવાયા હતા. ભારતમાં ચૂંટણી-ઉમેદવાર માટે ઉંમર અને માનસિક સ્વચ્છતા સિવાય અન્ય કોઈ લાયકાત નિયત કરાયેલ નથી.

સરકારની રચના : પાકિસ્તાનમાં વડાપ્રધાન અને પ્રાંતીય મુખ્ય પ્રધાનોને નવા ચૂંટાયેલ ગૃહ ચૂંટે છે. ભારતની માફક ત્યાંના રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલની કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન હોય, તો પણ સરકારની રચનામાં કોઈ ભૂમિકા હોતી નથી. ઇમરાન ખાને તેના હરીફ શાહબાઝ શરીફને રાષ્ટ્રીય ધારાસભામાં પરાજિત કર્યા. ખાનને ૧૭૬ અને શરીફને ૯૬ મત મળ્યા હતા. પાકિસ્તાન બંધારણમાં વડાપ્રધાન કે મુખ્ય પ્રધાને વિશ્વાસનો મત લેવાની કોઈ જોગવાઈ નથી. ૨૦ ટકા સભ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે. ગૃહની કુલ સભ્યસંખ્યાની બહુમતીથી અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ શકે છે, જ્યારે ભારતમાં ગૃહમાં હાજર અને મતદાન કરતા સભ્યોની સાદી બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ શકે છે.

અનામત બેઠકો : પાકિસ્તાન રાષ્ટ્રીય ધારાસભામાં કુલ ૩૪૨ બેઠકો છે. તેમાં ૬૦ બેઠકો સ્ત્રીઓ અને ૧૦ લઘુમતીઓ માટે અનામત હોય છે. પ્રાંતીય ધારાસભામાં પણ સ્ત્રીઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો રાખવામાં આવેલ છે. પક્ષોએ ૫ ટકા ટિકિટો સામાન્ય બેઠકોમાં મહિલાઓને આપવી જોઈએ. જો ૧૦ ટકા કરતાં ઓછી મહિલા મતદાન કરે, તો પરિણામ વ્યર્થ થાય છે.

(તા. ૨૨ ઑગસ્ટ, ’૧૮ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં હૈદરાબાદ નૅશનલ લૉ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ફૈઝાન મુસ્તફાના લેખનો અનુવાદ)

પાલનપુર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 11-12 

Loading

કૃષ્ણ રેડ્ડીનું નિધન

જ્યોતિ ભટ્ટ|Opinion - Opinion|23 September 2018

૧૯૨૫માં આંધ્રના ખેતમજૂર પરિવારમાં જન્મેલા અને અગિયારની વય સુધી શાળાભ્યાસથી વંચિત રહેલા વિશ્વવિખ્યાત કળાકાર કૃષ્ણ રેડ્ડીનું ૯૩ વર્ષની વયે ન્યુયૉર્કમાં, આ વરસે ૨૨ ઑગસ્ટે નિધન થયું છે. ઇંગ્લૅન્ડના ગાર્ડિયન અને અમેરિકાના ન્યુયૉર્ક ટાઇમ્સ અખબારે કૃષ્ણ રેડ્ડીને (નિરીક્ષકનાં આઠેક પાનાં ભરાય તેટલી) માહિતીસભર વિગતો સાથે સ્મરણાંજલિઓ આપી છે.

ઋષિવેલી શાળામાં અભ્યાસ માટે જોડાયા પહેલાં તે  મંદિરો માટે મૂર્તિશિલ્પો બનાવતા પોતાના પિતાને મદદ કરતા અને ભીંતચિત્રો બનાવતા હતા. ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં સક્રિય હોવાથી  કારાવાસ પણ અનુભવ્યો. શ્રી. જે. કૃષ્ણમૂર્તિના પ્રોત્સાહનથી પહેલાં શાંતિનિકેતનમાં આચાર્ય નંદલાલ બોઝ અને રામકિંકર પાસે કળાભ્યાસ કર્યો. રવીન્દ્રનાથના પ્રભાવે પ્રકૃતિ પ્રત્યે પ્રેમાદર વધ્યાં, જે જીવનના અંત સુધી તેમના કળાસર્જનમાં કોઈ ને કોઈ સ્વરૂપે પ્રગટતાં જ રહ્યાં. શાંતિનિકેતનમાં અભ્યાસ પછી ચારેક વર્ષ ચેન્નાઈ ‘કલાક્ષેત્ર’ની આર્ટ કૉલેજમાં શિક્ષણકાર્ય કર્યું. પછી લંડનની કળાસંસ્થા ‘સ્લેડ’માં વિશ્વવિખ્યાત શિલ્પી હેન્રી મૂર પાસે અભ્યાસ કર્યા બાદ પૅરિસ જઈને રહ્યા. ત્યાં પણ પિકાસો, બ્રાન્કુસી, મિરો, જ્યાકોમેત્તી અને ઝેડકિન જેવા કલાજગતના અનેક આદરણીય કળાકારોનું સાંનિધ્ય મળ્યું. ઝેડકિનની સાથે કામ કરતા છાપકળા પ્રત્યે આકર્ષાઈ, હેઇટરના પ્રયોગાત્મક વલણ ધરાવતા સ્ટુડિયો ‘આતેલિયેર-૧૭’માં જોડાયા. મૂર્તિકાર હોવાને નાતે છાપ બનાવવા જરૂરી બીબું (પ્લેટ) કોતરવા માટે વપરાતાં પારંપરિક ઓજારોને સ્થાને મૂર્તિકામનાં સાધનો વાપરવા શરૂ કર્યાં. ત્યાં તેમણે અને કૈકુ મોતીવાલાએ પ્રયોગો કરીને એક જ બીબાનાં ઓછા વધારે કોતરેલાં દરેક સ્તરો પર વિવિધ રંગોની શાહી લગાડી તેની એક સાથે જ છાપ લેવાની પદ્ધતિ ઉપજાવી અને વિકસાવી. તે પદ્ધતિ હવે ‘વિસ્કોસિટી’ નામે જાણીતી થઈ છે.

પૅરિસમાં બે દાયકાના નિવાસ દરમિયાન આલ્જિરિઆ મુક્તિ આંદોલન માટે પોસ્ટરો બનાવેલ, તેથી તેમને આલ્જીિરયન માની ફ્રૅંચ પોલીસે મારપીટ કરેલી તેમ જ કસ્ટડીમાં લઈ હેરાન પણ કરેલા. તેમના યુવાન મિત્ર અને જાણીતા છબીકાર રામ રહેમાને તેમને ‘તિક્ષ્ણ રાજકારણી સમજની સાથોસાથ ટાગોર અને ગાંધીવિચાર સાથે જોડાયેલ મૂળ ધરાવતો તથા ફ્રૅંચ ડાબેરીઓના સમર્થક સૌમ્ય સજ્જન’ કહ્યા હતા. એક ઉત્તમ છાપગર – પ્રિન્ટમેકર તરીકે આંતરરાષ્ટ્રીય સાંપ્રત કળા ક્ષેત્રે કરેલા તેમના પ્રદાન માટે કૃષ્ણ રેડ્ડી જેટલી અને જેવી નામના અન્ય કોઈ ભારતીય કળાકારને મળી નથી. છાપકળાકાર તરીકે પ્રખ્યાત છે, તેથી પણ વધુ તે શિક્ષક તરીકે લોકપ્રિય હતા. વિવિધ દેશોની ૨૫૦ જેટલી કળાશાળાઓ, સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓમાં વર્ગો લેવા તથા કાર્યશાળા યોજવા માટે તેમને નિમંત્રિત કરાયા હતા. ભારત સરકારે પણ ૧૯૭૨માં ‘પદ્મશ્રી’ આપીને તેમને સન્માન્યા હતા.

એમની છાપકૃતિઓ મુખ્યત્વે અમૂર્ત (Abstract) કહી શકાય તેવી હતી. તેમની છાપો જોનારને તેમાં ‘કંઈ નથી’ને સ્થાને કોઈ અણદીઠેલી અલૌકિક ભોમકાની તથા પ્રકૃતિની લાક્ષણિકતા ધરાવતાં સ્વરૂપોની પ્રતીતિ કરાવે છે. બાંગલાદેશ મુક્તિ-સંગ્રામ બાદ નિર્વાસિત બનેલી એક નાની બાળકીને તેમણે અને તેમની કળાકાર પત્ની જ્યુડીએ દત્તક લઈને, અપર્ણા નામ આપી ઉછેરી છે. ત્રણેક વર્ષની નાનકડી અપૂ તેમની છાપોમાં પણ દેખાવા લાગેલી અને તે પણ મધ્ય સ્થાને.

તેમણે બનાવેલી ઘણી કૃતિઓ ‘રાષ્ટ્રીય આધુનિક કળા સંગ્રહાલય (NGMA) સહિત વિવિધ  ભારતીય કળાસંગ્રહોમાં પણ સ્થાન પામી છે.

E-mail : jotu72@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 12 

Loading

...102030...2,9902,9912,9922,993...3,0003,0103,020...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved