Opinion Magazine
Number of visits: 9577282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, તેની સાથે માણસનો વિનાશ પણ જોડાયેલો છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|22 May 2019

દુનિયાના જૈવિક વૈવિધ્ય અને પર્યાવરણ અંગેનો નવો અહેવાલ ચેતવે છે. વળી તે કુદરત સાથે સંવાદિતા સાધનારા આદિવાસી-વનવાસી સમૂહો પાસેથી શીખવાનું પણ કહે છે. બુધવારે પર્યાવરણ દિન છે.

ધોમ ધખતા મે મહિનામાં તેજસ્વી પીળાં ફૂલોનાં ઝૂમખાંથી લચી પડેલાં ગરમાળાનાં ઝાડ  હમણાં પાંચ-સાત વર્ષ પહેલાં સુધી અમદાવાદમાં ઠેર ઠેર જોવાં મળતાં, હવે તે બહુ જ ઓછાં છે, હજુ બે-પાંચ વર્ષ પછી બિલકુલ નહીં હોય. ગુલમહોરનું તો એવું થયું જ  છે. સફેદ ફૂલોવાળું ચાંદનીનું ઝાડ હવે ભાગ્યે જ દેખાય છે. છત્રી આકારની ઘટા જેવા આસોપાલવ ગયાં. ખિસખોલી, કાચિંડા, ભમરા, તમરા નથી દેખાતાં. ચકલીઓ અને સમડીઓ લગભગ ગઈ. ઊંટ બહુ ઓછાં દેખાય છે, ગધેડાં દેખાતાં નથી. અમદાવાદમાં આપણી આસપાસમાં આ બધું થતું રહ્યું છે, જે માત્ર એક સાવ નાનો દાખલો છે. દુનિયામાં બધે જ આ થતું રહે છે. માનવ સિવાયની જીવસૃષ્ટિનાં અનેકવિધ રૂપોની આવરદા કુદરતી ક્રમમાં પૂરી થાય તેના કરતાં વહેલાં પૂરી થઈ રહી છે. કોઈક એક હેતુ માટે એક બાંધકામ ઊભું થાય છે. રહેઠાણ, ઉદ્યોગ, વાહનવ્યવહાર, બજાર … સેંકડો વાજબી હેતુઓ હોઈ શકે. એટલે એ બાંધકામ થવાની સાથે એ જગ્યા પરની માટી જાય છે. માટી સાથે પાણી, ઘાસ, મૂળિયાં, વનસ્પતિ, કેટલાં ય જીવો એ જગ્યા પરથી નાશ પામે છે અથવા પોતાનું રહેઠાણ ગુમાવે છે. આવાં સેંકડો બાંધકામો દર ક્ષણે દુનિયાભરમાં ઊભાં થતાં રહે છે અને તેની સાથેની જીવસૃષ્ટિ ખતમ થતી રહે છે. આ રીતે પૃથ્વી પરનાં જીવવૈવિધ્યના નાશની સાદી, કદાચ વધારે પડતી સરળ, સમજૂતી આપી શકાય.

માણસ સિવાયની જીવસૃષ્ટિનો આ નાશ અટકાવી ન શકાય તો ય ધીમો પાડવો પડે કારણ કે તે માણસના જ નાશ તરફ દોરી જવાનો છે. કેવી રીતે ? બે સાદી વાત : ઝાડ અને માટીની. ઝાડનો નાશ ચાલે નહીં, ઝાડ કાપીએ એટલે તે જે પ્રાણવાયુ આપે છે તેનું પ્રમાણ ઘટે, તે હવામાંથી જે અંગારવાયુ લે છે તેનું પ્રમાણ આપણી હવામાં વધે, વળી ધુમાડાના ફેલાવાથી અંગારવાયુમાં ઉમેરો થાય. ઝાડ કપાતાં જમીન સહિત સર્વત્ર ઠંડકનો અભાવ થાય, પૃથ્વીનું તાપમાન વધે, જળસ્રોતો જલદી સૂકાય, વરસાદ ઘટે ,દુષ્કાળ માનવજીવનનો નાશ કરે. અતિઠંડા પ્રદેશોમાં ય તાપમાન વધે, એટલે બરફ ઓગળે, નદીઓ અને સમુદ્રોમાં પૂર આવે માનવજીવનનો નાશ કરે. માટીનો નાશ ચાલે નહીં, કારણ કે જીવવા માટે અનિવાર્ય એવાં પાણીનાં રહેવાનું અને વનસ્પતિનાં ઊગવા-ટકવાનું એકમાત્ર સ્થાન જ માટી છે. મુદ્દો એ છે કે સૃષ્ટિના એક પછી એક ઘટકોનો નાશ થતો જશે તો માનવનું જીવન વધુ ને વધુ આકરું બનશે અને અંતે નાશ પામશે. આ બંનેમાં પહેલો વારો હાડમારીમાંથી થોડાક સમય માટે પણ બચવાના રસ્તા જેમની પાસે નથી એવાં વંચિતોનો આવશે. કુદરતનો નાશ ધીમો પાડવો પડશે.   

કુદરત પહેલાં ક્યારે ય નહીં એવી ઝડપે ખતમ થઈ રહી છે એવી ચેતવણી તાજેતરમાં બહાર પડેલાં ગ્લોબલ ઍસેસમેન્ટ રિપોર્ટ ઑન બાયોડાઇવર્સિટી ઍન્ડ ઇકોસિસ્ટમ સર્વિસેસ (જીવવૈવિધ્ય અને પરિસરતંત્ર સાથે સંકળાયેલી સેવાઓ પરનું વૈશ્વિક મૂલ્યાંકન) નામના અહેવાલમાં આપવામાં આવી છે. અહેવાલ જણાવે છે કે દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, પૃથ્વી પરની જમીનના 75% અને 66% દરિયાઈ હિસ્સાને નોંધપાત્ર નુકસાન થયું છે. વેટલૅન્ડ એટલે કે સપાટી પર દેખાતાં પાણીવાળી કે ભીનાશવાળી જમીનનો 85% ભાગ અલોપ થયો છે. દુનિયાની 23% જમીનની ફળદ્રૂપતા ઘટી ગઈ છે. દરિયાકાંઠા પરનાં કુદરતી જીવોનાં વસતીસ્થાનો (હૅબિટાટ્સ) ખલાસ થઈ રહ્યાં છે. આ હૅબિટાટ્સથી પૂર અને વાવાઝોડાં કાબૂમાં રહેતાં. પણ આ આપત્તિઓનાં જોખમ હેઠળ હવે દુનિયાના એક કરોડથી ત્રણ કરોડ જેટલા લોકો જીવી રહ્યા છે. પ્લાસ્ટિકને કારણે ફેલાતાં પ્રદૂષણમાં 1980થી દસ ગણો વધારો થયો છે.

કુદરતને થઈ રહેલાં નુકસાન અંગેની અનેક હકીકતો આપતો ઉપર્યુક્ત અહેવાલ ઇન્ટરગવર્નમેન્ટલ સાયન્સ-પૉલિસી પ્લૅટફૉર્મ ઑન બાયોડાઇવર્સિટી ઍન્ડ ઇકોસિસ્ટમ સર્વિસેસ નામના મંચે તૈયાર કર્યો છે, આ મંચની સાથે 135 દેશો જોડાયેલા છે. હમણાંના અહેવાલ માટે પચાસ દેશોના 145 નિષ્ણાતોએ ગયાં પચાસ વર્ષને લગતાં પંદર હજાર વૈજ્ઞાનિક અભ્યાસો અને સરકારી દસ્તાવેજોને આધારે ત્રણ વર્ષ કામ કર્યું છે. પોતાની રીતે પહેલા એવા આ અભ્યાસમાં આર્થિક વિકાસની કુદરત પર અને અને પર્યાવરણ પર પડેલી અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેના જર્મન સહપ્રમુખ જોસેફ સેટલ કહે છે: ‘અનેક પ્રજાતિઓ, પરિસર શૃંખલાઓ, વન્યજીવોની વસ્તીઓ, રોજબરોજની જિંદગીમાં જોવા મળતાં વનસ્પતિ અને પ્રાણીઓ – આ બધાંની સંખ્યા ઘટી રહી છે એટલું જ નહીં તે અલોપ પણ થઈ રહ્યાં છે. એકબીજા સાથે જોડાયેલી જીવશૃંખલાઓની પૃથ્વી પરની જાળ નાની થતી જઈ રહી છે અને ઘસાઈ જઈ રહી છે. આ માનવ-પ્રવૃત્તિઓને કારણે થઈ રહ્યું છે અને તેને લઈને દુનિયાના તમામ પ્રદેશોના માણસો જોખમમાં છે.’

બાયોડાઇવર્સિટી અહેવાલમાં સંખ્યાબંધ મહત્ત્વની વિગતો આપવામાં આવી છે. વનવિસ્તારની બાબતમાં એ કહે છે કે ખેતીના કુલ ફેલાવાનો અરધો વિસ્તાર એ જંગલોને ભોગે થયો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના પાંચસો ચોરસ કિલોમીટરથી મોટો વિસ્તાર ધરાવતાં જંગલોમાં 2000 પછીના તેર વર્ષમાં 7% ઘટાડો નોંધાયો છે. 1992થી લઈને અત્યાર સુધીમાં શહેરીકરણ 100% વધ્યું છે અને 1970થી અત્યાર સુધી વિશ્વની વસ્તી 3.7 બિલિયનથી વધીને 7.6 બિલિયન એટલે કે 105% વધી છે. આ ગાળામાં પાણી, ખોરાક અને જમીન માટે 2500 સંઘર્ષો નોંધાયા છે. દરિયાઈ પેદાશોમાં 3-10% અને ફિશ બાયોમાસમાં 3-25 % ઘટાડો નોંધાયો છે. દુનિયાનાં પાણીમાં દર વર્ષે ત્રણસોથી ચારસો ટન ઔદ્યોગિક કચરો છોડવામાં આવે છે. 1980થી અત્યાર સુધીમાં હવામાં છોડવામાં આવતાં કાર્બન ડાયોકસાઈડ, ક્લોરોફ્લુરોકાર્બન સહિતના વાયુઓનાં પ્રમાણમાં 100% વધારો થયો છે તેને કારણે પૃથ્વીનું તાપમાન ઓછામાં ઓછું 0.7 ડિગ્રી વધ્યું છે. પર્યાવરણ માટે લડનારા કર્મશીલો અને તેના માટે લખનારા પત્રકારોમાંથી સો જણની 2001-13 દરમિયાન હત્યા કરવામાં આવી.

અનેક ચેતવણીઓની વચ્ચે આ અહેવાલમાં એક આશાસ્પદ વાત કહેવામાં આવી છે : ‘મૂળનિવાસી લોકો (ઇડિજેનસ પીપલ) અને સ્થાનિક સમૂહો (લોકલ કમ્યૂનિટીઝ) કુદરતનો ઉપયોગ જ્યાં કરે છે ત્યાં કુદરતને માથે જોખમ ઓછું છે.’ આ બાબત મહત્ત્વની એટલા માટે છે કે અહેવાલમાં જણાવ્યા મુજબ આ લોકો દુનિયાની ઓછામાં ઓછી ચોથા ભાગની જમીન સાથે જુદી જુદી રીતે જોડાયેલા છે. તેઓ પરંપરાગત રીતે કાં તો એના માલિકો છે અથવા તેની પર સદીઓથી રહે છે, તેઓ તેનો ઉપયોગ કરે છે અને તેની સાથે તેની સંભાળ પણ રાખે છે. એટલા માટે આ અહેવાલ એ સ્વીકારે છે કે મૂળ નિવાસી અને સ્થાનિક સમૂહોનાં મંતવ્યો, દૃષ્ટિકોણ, અધિકાર અને તેમની પ્રદેશની તેમ જ તેના પર્યાવરણની સમજને પૂરેપૂરી બેશક રીતે ધ્યાનમાં લેવામાં આવે તો દુનિયાને ફાયદો થશે. સાદી ભાષામાં કહીએ કે સદીઓથી દુનિયા સંસ્કૃતિ અને પ્રગતિને નામે આદિવાસી-વનવાસી-ગિરીવાસીઓને તેમની ભૂમિમાંથી ખદેડતી આવી છે. તેમને કુદરતી સંપત્તિના આપણા ઉપભોગમાં અને વિકાસમાં અવરોધ માનતી આવી છે. પણ ખરેખર તો તેમનાં સૂઝબૂઝ, જીવશૈલી, કેટલાંક રીતરિવાજો અને પરંપરાગત જ્ઞાનમાં જળ-જંગલ-જમીનની સાચવણીનો ખ્યાલ રહેલો જ છે. તેમની પાસેથી દુનિયાએ ઘણું શીખવાનું છે.

*******

14 મે 2019

પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 22 મે 2019  

Loading

Gandhi’s Assassin Godse’s ideological inheritors

Ram Puniyani|English Bazaar Patrika - OPED|21 May 2019

Pragya Thakur, Malegaon blast accused out on bail on health ground, is at the centre of the present turmoil around Nathuram Godse. The story begins with her filing nomination papers for Bhopal Loksabha constituency. The criticism came up that how can an accused of act of terror be a candidate of elections. Narendra Modi; jumped into the controversy stating that calling her a terrorist is the insult to the five thousand year old glorious civilization and that no Hindu has ever indulged in an act of terror. As per him and his party the earlier coining of the term Hindu terror, Saffron terror, in the wake of series of blasts which took place between 2006-2008; was to defame Hindus.

The next link in the whole controversy comes with big film star, now turned politician, Kamal Haasan stating that Nathuram Godse was the first terrorist of Independent India. When he was attacked for stating this, slippers were thrown at him in a public meeting. He further confirmed that every religion has its own terrorists. Pragya Thakur, the new recruit of BJP, went out to pour her heart stating that Nathuram Godse was a nationalist, is a nationalist and will remain a nationalist Her statement threw the BJP in tizzy and she was asked to apologize. She was not the only one coming forward to uphold Godse and express their real and deeper ideological stand. Anantkumar Hegde, the current Union Minister, who has been asking for change in Constitution, stated that there is no need to be apologetic about Godse any longer. While another Karnataka BJP leader Nalin Kumar Kateel also came in Godse’s defense. To cap it all BJP Madhya Pradesh media in charge Anil Saumitra said that Mahatma Gandhi was father of Pakistan. Saumtira has been suspended while others have been asked to apologize and notices have issued against them by BJP.

Narerndra Modi surpassed hypocrisy when he said that while Thakur has apologized, he will never be able to forgive her! While some reprimand has been administered against her, she continues to be BJP candidate for Bhopal constituency. Is BJP really serious about taking action against those upholding Godse? It is not the first time Godse is being upheld. Many a times in the past, those belonging to BJP-RSS-Hindu nationalists have expressed their praise for Godse. One recalls the RSS Sarsanghchalak Rajendra Singh, alias Rajju Bhaiyya, stating that Godse’s intentions were right, he believed n Akhand Bharat (expanded India incorporating Afghanistan Myanmar, Srilanka etc.) Then we have Sakshi Maharaj, the present BJP MP, who has been given ticket to fight the election again, who had also called Godse as Nationalist. Despite such ideas he is part of BJP. During last few years glorification of Godse, temple for him in Meerut, demand for land for his memorial and busts are gaining strength in the country.

When he is called a nationalist, in a way what is hidden from the word is its essential prefix, Hindu to the word nationalist. Godse was a Hindu nationalist for sure. It is only from Hindu nationalists, RSS and its affiliates that Godse is upheld and praised. BJP is in a dilemma. They do hold on to Hindu nationalism, they have deeper sympathy for what Godes did; still they cannot support it openly. The dilemma is that BJP does pursue the path of Hindu nationalism, in contrast to Indian nationalism as propounded in our constitution. Why can it not openly support Godse and his assassinating Gandhi? One recalls that after the murder of Gandhi sweets were distributed in RSS shakhas. One recalls that RSS chief even at that time expressed his sorrow and stopped RSS work and declared thirteen days mourning. One recalls that RSS was banned by Sardar Patel for spreading hatred in the society. Still the point remains that that all those upholding Godse cannot yet openly say so. That is not yet ‘politically correct’ for BJP. This is what the BJP line is. Support Godse’s nationalism internally but do not say so openly. The reason is Gandhi cannot be criticized and bypassed in the country. His contribution in making of modern India, his central mission of cultivating fraternity, cutting across the lines religion, region and language are too profound to be ignored. The path delineated by him, the one of non violence has captured the imagination not only of the country but of the whole World. His campaign against untouchablity had deeper impact. His contribution in this direction was in the line of what Ambedkar wanted His acting as ‘one man army’ in the sectarian violence has been a landmark in the story of India and the World!

So BJP, while pursuing Hindu nationalism has to make the show of respecting Mahatma. Very conveniently it has made him symbol of ‘Swatchta Abhiyan’ (cleanliness campaign), bypassing Gandhi’s central mission of Hindu Muslim unity and his path of Indian nationalism. What we are witnessing on one hand is the contradictions of BJP on the electoral arena and its long term goals. In electoral arena, to make a success it is BJP’s compulsion to uphold Gandhi, while all its major leaders and workers are trained in the values of Hindu nationalism, in its shakhas and training camps. In its training module Savarkar, the progenitor of HIndutva Hindu nationalism, has a pride of place, while Gandhi is presented as appeaser of Muslims and the one who was responsible for partition of the country. Godse was ardent follower of Savarkar. Savarkar was also a murder accused along with Godse but escaped the punishment in the absence of any corroborative evidence.

Savarkar-Godse duo is looked up among most of the followers of Hindutva ideology. That’s what explains the spontaneous outbursts of the likes of Sakshi maharaj, Anantkrishna Hegde and Pragya Thakur. BJP is compelled to make the show of speaking against them, bowing to electoral and global compulsions, while letting them thrive in the party in various capacities!  

Loading

આત્મરતિ

સુમન શાહ|Opinion - Opinion|21 May 2019

વિચરતા વિચારો …

આ મહિનાની ૯ તારીખે મેં [આ પેજ પર] ‘લૂઝ કનેક્શન’ લેખ મૂકેલો. ૧૨૪થી પણ વધુ મિત્રોનું એ પર ધ્યાન ગયેલું. એક મિત્રે મને ફોનમાં કહ્યું કે ‘લૂઝનેસ’ જેવી માનવ-સમ્બન્ધોમાં બીજી અનેક સટપટર હોય છે, મને એમ છે કે તમે માનવસમ્બન્ધો વિશે આવું બધું વધારે લખો. મેં એમને કહ્યું કે તમારો ‘સટપટર’ શબ્દ મને ગમ્યો છે, કેમ કે સમુચિત છે. હું પ્રયત્ન કરીશ. આભારી છું.

પછી એ ‘સટરપટર’ શબ્દે મારા મગજમાં ચકલીની જેમ કૂદાકૂદ કરવા માંડી. મને થયું, સમ્બન્ધોમાં ઝીણી-મોટી કેટલી બધી સટરપટર હોય છે; મારે એ વાતો કરવી જોઇએ. પણ મને થયું, હું કોઇ મનોવિજ્ઞાની કે સમાજવિજ્ઞાની તો છું નહીં. થયું, નથી કરવી એવી વાતો કે લખવું પણ નથી એવું કશું.

છતાં સટરપટરની સટરપટર ચાલુ રહી. સટરપટર મને કહે, તારી પાસે સાહિત્યસર્જનની સૂઝબૂઝ જે કંઇ છે ને એથી તને માણસની જે અને જેટલી કંઇ ખબર પડી છે એને આધારે મિત્રો આગળ બે વાત કરવામાં તારું શું જાય છે, વાંધો શો છે, વિજ્ઞાનબિજ્ઞાનની ચિન્તા છોડ …

એટલે પછી, ‘લૂઝ કનેક્શન’-ના જેવો જ વિચારણીય મને એક શબ્દ દેખાયો – આત્મરતિ.

આત્મરતિ એટલે પોતાને વિશેની રતિ. સૅલ્ફ-લવ. આત્મરત માણસ એ છે જેને પોતાની જાત વિશે પ્રેમ છે. મને થયું, આ તો એકદમ સારી ચીજ છે. માણસ આત્મને, સ્વને, ચાહતો હોય એ તો બહુ જ સરસ કહેવાય. કેમ કે જે પોતાની જાતને, સ્વને, નથી ચાહતો તે પરને કે સર્વને તો શી રીતે ચાહી શકવાનો’તો? એવો કોઇ એની પત્નીને શું પ્રેમ કરવાનો’તો? એવી કોઇ એના પતિને કેટલું ચાહી શકવાની’તી? સન્તાનોને? પરિવારને? પડોશીઓને? સહકાર્યકરોને?

જેને પોતાનો ચ્હૅરો સુન્દર લાગતો હોય એ બધે સુન્દર ચ્હૅરા શોધતો હોય છે. પોતાની હોય એવી હૅઅર-સ્ટાઈલ, પોતાનું હોય એવું શર્ટ, એવા શૂઝ, એવી કાર, એ બધે શોધતો રહેવાનો. એના જાત-પ્રેમે એને દોરવ્યો હોય. પોતાના જેવું એને જ્યાં જ્યાં જોવા મળે, એને સારો સંતોષ થાય, ન દેખાય તો પણ એને સારું લાગે કે જોયું, મારા જેવું તો આ વિશ્વમાં કોઇ નથી. આમ, આત્મરતને બેયે બાજુથી સુખ જ સુખ હોય છે. બને છે એવું કે એથી એની આત્મરતિ દૃઢ અને સુદૃઢ થતી હોય છે.

મારા એક સાથી અધ્યાપક હતા, જેને જાત પ્રત્યે જરાપણ લગાવ નહીં. સ્લીપર પ્હૅરીને આવતા. લપટા પડી ગયેલા ને મૅલચૉંટેલા સ્લીપર. એમાંથી એમનાં નખવૃદ્ધિ પામેલાં આંગળા દેખાય, બિચારાં આંગળાં ધૂળની પથારીમાં ગોઠવાયાં હોય. ઘણા દિવસ પછી દાઢી કરે એટલે ત્યારે એમની અસલિયતની ખબર પડે. હવેનો અધ્યાપક તો કારમાં આવે છે-જાય છે. બ્રાન્ડેડ શર્ટ નહીં તો શૂઝ તો ઠઠાડે જ છે. અધ્યાપકબાનુ એની હૉન્ડાનું ડોર આસ્તેથી ખોલીને એના હાઈ-હિલ જૂતાંથી જમીન પર ખડાં થાય છે ત્યારે ચોપાસના સૌ એમને જોતા જોતા સ્તબ્ધ, એટલે કે સ્ટૅચ્યુ, થઇ જાય છે. સાક્ષાત્ આત્મરતિ ઊભાં લાગે. હવાને એમનું પરફ્યુમ મઘમઘતી કરી મૂકે.

મને પોતાને ઘણા વખત સુધી પરફ્યુમની ટેવ હતી. હું જ્યાં અધ્યાપક હતો ત્યાં એની જરૂર પણ હતી. સભા વખતે પણ મને એમ સુવાસિત રહેવું જરૂરી લાગતું. એક વાર, ભાવનગરમાં એક કાર્યક્રમ હતો. આયોજકોએ કરેલી જોગવાઈ અનુસાર મારે બે સાહિત્યકારો જોડે સહ-વાસ કરવાનો પ્રસંગ પડેલો. એમાંના એક કહે, પરફ્યુમની શી જરૂર? બૈરાં જેવું …! મેં સૌ પહેલાં એમને એ શબ્દ પાછો ખૅંચવા કહ્યું ને એમ પણ કહ્યું કે ક્યાં ય નારીવાદી ભાષણ કરવા જો ગયા તો તમારી ખૅર નથી. સ્ત્રીદ્વેષી તમારી અસલિયત પરખાઇ ગઇ છે. બીજું એમને મેં એ કહેલું કે દુનિયામાં મેલ અને ફિમેલનાં જુદાં જુદાં પરફ્યુમ આવે છે, જાણી રાખો. તો બન્ને જણા સાથે બોલ્યા, અમારે પશ્ચિમનું એવું બધું નથી જાણવું …આમે ય એમને પશ્ચિમનો ‘પ’ સાંભળતાં ટાઢ ચડતી …

હું અને રશ્મીતા ૧૯૯૨માં અમેરિકા પહેલી વાર ગયેલાં તે પાછા ફરતી વખતે થયેલું કે મિત્રો માટે કંઇક લઇ જઇએ. અમે કેટલાંક સૅન્ટેડ કાર્ડ્ઝ ખરીદેલાં. હાથમાં લેતાંમાં જ અવનવી સુગન્ધ આવે. મારી સહાધ્યાયી બેના ભારતી દલાલને એવું કાર્ડ આપ્યું તો કહે, સરસ, અમેરિકાથી સુગન્ધાતા સુગન્ધાતા પાછા આવ્યા ! સ-હાસ્ય વ્યંજના એ હતી કે ગયા’તા તો ગન્ધાતા’તા ગન્ધાતા’તા …પછી અમે ખૂબ જ હસેલાં, આમે ય, ભારતીના સંગમાં કોઇ હસ્યા વિના ન રહી શકે, ફર્ક એટલો કે એ ખૂબથી ખૂબ હસી શકે …

સાહિત્યસર્જકો કલાસર્જકો અભિનેતાઓ કે કોઇ કોઇ સાધુ મહાત્માઓ બધા વત્તેઓછે અંશે આત્મરતિને વરેલા જીવો હોય છે. બચ્ચન શાહરૂખ દીપિકા ઐશ્વર્યા શિલ્પા ઝાકિર હુસેન શિવકુમાર શર્મા અરિજિત પાપોન કે શ્રેયા, અરે મનીષ પૉલ પણ. સુવર્ણન્દ્રક તો ઘણાને મળ્યા હોય છે પણ આપણા કવિ સુન્દરમ્-ની જેમ રેશમિયા રંગના ઝભ્ભા પર લટકાવીને મ્હાલવાની હિમ્મત મેં આપણા કોઇ સાહિત્યકારમાં હજી જોઇ નથી. સુન્દરમ્-ને તો તૈયાર થતાં પણ બહુ વાર થતી. એક વાર ભાષાભવનના હૉલમાં અમે અને સભા આખી એમની રાહ જોઇને બેઠેલાં, ક્યારે આવશે, ક્યારે આવશે … આવ્યા, તો ક્હૅ, જગતને કારણે મૉડો પડ્યો. મેં પૂછેલું એવું કેવી રીતે? તો કહે, યજમાનપરિવાર હું સમયસર પ્હૉંચું એ કાજે અતિવ્યસ્ત હતો. મને સમજાઇ ગયેલું કે કવિએ પોતાના ઠાઠમાઠ માટે કેટકેટલી માગણીઓ મૂકી હશે. ગળામાં સોનાનાં અનેક ઘરેણાં ઝુલાવીને ફરતા ભપ્પી લ્હૅરીની આત્મરતિ હસી કાઢવાજોગ લાગે, પણ ભૂલ થાય. કોઇ સંગીતકારના જરીથી ફૂલવેલ ગૂંથેલા કીમતી ઝભ્ભાને વિશેની કે એની પશ્મીના શૉલને વિશેની એની રતિ એની કલામાં, એના પરફૉરમન્સમાં, એની ચાલમાં, બલકે એની ટોટલ લાઈફસ્ટાઈલમાં રસાઈ ગઈ હોય છે. એટલું જ નહીં, એક હરતીફરતી પ્રેરણા રૂપે વાતાવરણમાં એનો પ્રાણસભર સંચાર હોય છે.

આવુંતેવું એમને બધાંને પોસાય ને આપણને ક્યારે ય નહીં – એમ વાતનું પિંડલું વાળીને આઘા નહીં જતા રહેવાનું. આત્મરત વ્યક્તિઓના દોષ ને વાંક દર્શાવીને એમને એકાકી અહંકારી અભિમાની ઉધ્ધત તોછડા કહી દેવાનું સરળ છે, એવા કેટલાક આત્મરત હોય છે પણ ખરા. એક તો છે એવા, ઊંચા. સામે ઊભા હોય, તે હું એમને ઉત્કણ્ઠ થઇને જોતો રહું પણ એમને નતમસ્તકે બે શબ્દ બોલતાં પણ જોર પડે. ઊભા છતાં પોતામાં ડૂબેલા. એક બીજા છે, મળે ત્યારે એવી રીતે જુએ જાણે જીવનમાં પહેલી વાર મળતા હોય. પરાયાપણાની – ઍલિયેનેશનની – વાતો સાહિત્યવાચનમાં અનેક વેળા આવેલી પણ તેવે વખતે એનો તરત જલદ અનુભવ થતો. આત્મરતિનો અર્થ તળાવમાં કલાકોથી બેસી રહેલી ભૅંસ નથી થતો. માછલાની ફિરાકમાં ચૂપ બગલાની મીંઢી ને લુચ્ચી હોય એવી નથી આ આત્મરતિ …

પણ એવાઓને આપણે શું કામ તુચ્છકારવા? આપણે એમને હસી કાઢી શકીએ. તમને કહું, આત્મરત વ્યક્તિઓ મસ્તીમાં ને મસ્તીમાં હોય. જાતની કે બીજાની મજાક-મશ્કરી કરીને હસી શકે બહુ. એમની જોડે, આઈ મીન, એમની સર્જકતા જોડે, જો એકવાર આપણે કનેક્ટ થઇ ગયા તો સમજવાનું એ કનેક્શન કદી પણ લૂઝ નથી થવાનું. સદા ચાર્જ થવાશે, ને પ્રસન્ન રહેવાશે.

આત્મરતિ કરોડરજ્જુ છે. એ વિનાનો માણસ બેસી પડે છે. નમાલો નક્કામો ને નિરાશાવાદી થઇ જાય છે. આપણા અસ્તિત્વનું એક મહત્ રસાયણ આત્મરતિ પણ છે. કેમ કે આપણી ચોપાસ એ કોઇકનો રતિવિલાસ જ વિલસ્યો છે…

(૧૮ મે ૨૦૧૯ : યુ.ઍસ.એ.)

https://www.facebook.com/suman.shah.94/posts/2497642803599951   

Loading

...102030...2,7852,7862,7872,788...2,8002,8102,820...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved