Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૨૭)

સુમન શાહ|Opinion - Opinion|24 January 2025

પાબ્લો નેરૂદા

કંઈક હળવું લખવાની ઇચ્છા થયેલી, કેમ કે, ગમ્ભીર ગમ્ભીરથી થોડોક કંટાળો આવતો’તો. મને થયું, પ્રેમકાવ્યો પાસે જઉં. 

વિચારતાં વિચારતાં પાબ્લો નેરુદા પાસે ગયો. એમનાં કેટલાંક કાવ્યોના ભાવાનુવાદ મેં પહેલાં કરેલાં, ‘ખેવના’-માં પ્રકાશિત છે, એ યાદ આવ્યા; જોયું તો લાગ્યું કે આવા અનુવાદ તો ન જ ચાલે, એ કક્ષાના છે. એટલે, મેં એ નવેસર કરવા માંડ્યા છે. 

પણ એક ભાવાનુવાદ હસ્તપ્રતમાં મળ્યો, અપ્રકાશિત, જે પ્રેમકાવ્ય નથી. બલકે ગ્લોબિઝેશન ઉદારમતવાદ બજારવાદ અને મલ્ટિનેશનલ્સની જે વાતો લઈને હું આજકાલ બેઠો છું એને જ સ્પર્શતું એ એક જલદ કાવ્ય છે. 

એટલે સમજો, એ-ની-એ જ ગમ્ભીર સૃષ્ટિ! પણ આશ્વાસન એ કે એ સૃષ્ટિ કાવ્યશીલ છે. 

નેરુદાની The United Fruit Company —

એ ભાવાનુવાદ નવેસર કર્યો, આ પ્રમાણે :  

The United Fruit Company  —  ધ યુનાઇટેડ ફ્રુટ કમ્પની  

ટ્રમ્પેટ બજી એટલે ધરતીવાસી સૌ સજ્જ થઈ ગયાં, 

દેવ યહોવાહે 

દુનિયા

Coca-Cola, Anaconda, Ford Motors અને 

બીજાં Corporationsને અર્પણ કરી.

પણ

મારી દુનિયાનો દરિયાકિનારો 

દક્ષિણ અમેરિકાની કમનીય કટિ 

અતિ રસદાયી ટુકડો 

The United Fruit Companyએ 

પોતા માટે રાખી લીધો.

એણે એ બધી કમ્પનીઓનું 

Banana Republics

એવું નવું સહિયારું નામ પાડ્યું. 

અને એણે

સૂતેલા મૃતકો 

વિજયી નાયકો પર

વાવટાઓ ને ધજાપતાકાઓ પર 

સ્વાતન્ત્ર્ય અને ગૌરવ પર

જાપતો બેસાડીને 

opera buffa કહો કે 

હાસ્યાસ્પદ ફારસ શરૂ કરી દીધું —

મુક્ત ઇચ્છાનો નાશ કર્યો

સૌને સમ્રાટશાહી મુગુટ પ્હૅરાવ્યા

ઇર્ષા ભડકાવી

અને 

કામણ કરીને

નિમન્ત્રણ આપ્યાં 

સરમુખત્યારશાહી મક્ષિકાઓને —

Trujillo મક્ષિકાઓ Tachos મક્ષિકાઓ

Carias મક્ષિકાઓ Martinez મક્ષિકાઓ

Ubico મક્ષિકાઓ 

Fruit Company પર 

આવી પ્હૉંચી

દમિતોનાં રક્ત અને માર્માલેડ જેવા 

છૂંદામાં લદબદ મક્ષિકાઓ 

લોકોની કબરો પર બણબણતી નશીલી મક્ષિકાઓ 

જુલમમાં નિપુણ સરકસી મક્ષિકાઓ

લોહીતરસી મક્ષિકાઓ 

Fruit Company પર 

આવી પ્હૉંચી

સાગરતટે લાંગર્યાં  

કૉફી અને ફળથી ભર્યાં વહાણ 

ઉજ્જડ અમારા પ્રદેશના ખજાનાથી

ઠસોઠસ ભરેલી જાણે તાસકો!

દરમ્યાન 

દેશીઓએ બંદરનાં સાકર-મીઠાં પાણીમાં ઝંપલાવ્યું

અને સવારના ધુમ્મસમાં અદૃશ્ય થઈ ગયા

ગબડી રહેલું એક શબ …

એક નિર્નામ વસ્તુ …

કો’કનો એકલો નમ્બ ર… 

સડેલાં ફળની એક લૂમ

ઉકરડા પર …

= = =

જરૂરી નૉંધ :

The United Fruit Company નામની એક મોટી અમેરિકન કમ્પની હતી, ૧૮૯૯-માં સ્થપાયેલી. વિકાસશીલ રાષ્ટ્રો, દક્ષિણ અમેરિકા અને આફ્રિકા, Third world plantations ગણાતાં, એશિયા પણ ખરું. કેમ કે, એ દેશોમાં ટ્રૉપિકલ ફ્રૂટ્સનો પાક ખૂબ થાય. દક્ષિણ અમેરિકાથી આ કમ્પની ટ્રૉપિકલ ફ્રૂટ્સ, ખાસ તો કેળાં અને અનેનાસ, યુ.ઍસ.એ. અને યુરપમાં વેચે, મોટો નફાકારક વેપાર કરે. ઓછું મહેનતાણું, કામ કરવાની કંગાળ જગ્યાઓ, શ્રમિકોના મર્યાદિત હક્કો, વગેરે કારણસમવાય હતો; તેથી, શોષણ ઘણું થતું. 

૧૯૭૦ સુધી આ કમ્પની ચાલેલી. એથી એણે ૨૦મી સદીના ઘણા દાયકાઓ લગી કેળાંના વેપારમાં પોતાનો ઇજારો ઊભો કરેલો. સૅન્ટ્રલ અમેરિકાના, ઉપરાન્ત, વેસ્ટ ઇન્ડીઝ તેમ જ કોલમ્બિયાના કૅરેબીયન દરિયાકિનારાના, વિશાળ પ્રદેશોના ટ્રાન્સપોર્ટેશન્સ પર પણ એણે કબજો જમાવેલો. એટલે કેળાંના આન્તરરાષ્ટ્રીય વેપારમાં આ કમ્પની ‘ખેલાડી’ કહેવાય છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં આર્થિક અને રાજકીય વિકાસ પર એનો ખાસ્સા સમય લગી પ્રભાવ રહેલો. 

સમીક્ષકોએ એવાં કારણોથી આ કમ્પનીને exploitative neocolonialism-નું દૃષ્ટાન્ત કહી છે અને જણાવ્યું છે કે ‘banana republics’-માં ‘રીપબ્લિક’ જેવું કશું નથી, બલકે એમાં મલ્ટિનેશનલ કમ્પનીઓના અંદરોઅંદરના રાજકારણની ભારે અસરો છે; કમ્પની એવી અસરોનો મૂળ નમૂનો છે.

નેરુદાના આ કાવ્યનું વસ્તુ જોઈને મને માર્ક્વેઝની નવલકથા “One Hundred Years of Solitude’-ના બનાના પ્લાન્ટેશનની યાદ આવી ગઈ. માકોન્ડો ગામમાં એની સ્થાપક પણ અમેરિકન કમ્પની જ છે. એમાં પણ કમ્પનીના અંકુશ હેઠળ શ્રમિકોના શોષણ તેમ જ તેમની યાતનાઓની જ કથા છે. ૧૯૨૮-ના Banana Massacre in Colombia-ની ઐતિહાસિક દુર્ઘટનાવલીનો એ કથાભાગ પર પ્રભાવ છે. 

મને એ વિચાર આવ્યો કે આપણા સમયની મલ્ટિનેશનલ્સથી પ્રેરાઈને કાવ્ય લખાય કે વાર્તા, તો એમાં વીડિયો ગેમ્સ અને સાયન્સ ફિક્શનનું સર્રીયાલિઝમ ઘણું હશે. 

એ વાત બીજી કોઈ વાર, તક મળશે ત્યારે …

(ક્રમશ:)
(23JanUSA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

 

Loading

શાળાઓમાંથી એકમ કસોટી દૂર થશે તો શિક્ષણ વધુ નજીક આવશે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 January 2025

રવીન્દ્ર પારેખ

કોરોના વખતે બધું આડેધડ બંધ કરાયું તેમાં શિક્ષણ જગત પણ શરૂઆતમાં બંધ જેવું જ રહ્યું. તે પછી ઓનલાઈન શિક્ષણ પ્રવેશ્યું ને તે સાથે જ ગુજરાતમાં એકમ કસોટીઓ પણ દાખલ પડી ગઈ. કોરોના તો ગયો, પણ તેના અવશેષ જેવી એકમ કસોટી, સોટીની જેમ વાગ્યા કરે છે. સરકાર બદલાઈ. શિક્ષણ મંત્રીઓ એકથી ભલા બે થયા, 2020થી નવી શિક્ષણ નીતિ આવી, તેમાં પરીક્ષાનું ભારણ ઘટાડવાની વાત હતી, પણ એકમ કસોટીનો બોજ વિદ્યાર્થીઓને કે શિક્ષકોને માથે ખડકાયેલો જ રહ્યો તે દુ:ખદ છે. કોરોના વખતે તેનું મૂલ્ય હશે, પણ હવે તે શું કામ છે તે નથી સમજાતું. એક તરફ કાયમી શિક્ષકોની ઘટ છે ને કામચલાઉ શિક્ષકોથી કામ લેવાતું હોય ત્યારે કાયમી થઈ ગયેલી એકમ કસોટીનું વિસર્જન થવું જોઈએ, પણ નથી થતું ને તે કેમ છે તેનું કોઈ લૉજિક શિક્ષણ વિભાગ નથી આપતું, ત્યારે તેનો સાર્વત્રિક વિરોધ થાય તે શક્ય છે. 

કોણ જાણે કેમ પણ ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓ ચાલ્યા જ કરે છે. ભણતર એટલે પરીક્ષા એવો અર્થ રૂઢ થતો આવે છે. ભણ્યા કે ભણાવ્યા વગર પરીક્ષાઓમાં જીવવું એ જ નવી શિક્ષણ નીતિની નીતિ હોય એવું  ગુજરાતમાં તો લાગે જ છે. ઓન પેપર ગુલાબી ચિત્ર ઊભું થતું રહે અને વાસ્તવિકતા વરવી હોય એવી વ્યવસ્થા તંત્રોએ ગોઠવી છે. પરિપત્રોએ અને ડેટાએ એટલા ડાટા માર્યા છે કે શિક્ષકો કારકૂન થઈ ગયા છે અને વર્ગશિક્ષણ અપવાદરૂપે જ થાય છે. પરિપત્રોના ખરા ખોટા જવાબો મોકલાય છે, અપેક્ષિત ડેટા આપી દઈને સ્કૂલો ભાર ઉતારી દે છે ને એ મેળવીને શિક્ષણ વિભાગ પણ રાજી રહે છે. એ ડેટાનું સરકાર શું કરે છે તે નથી ખબર, પણ એનાથી અસરકારક પરિણામો સુધી પહોંચાતું હશે કે કેમ એની શંકા રહે છે. નહિતર એ સવાલ થાય કે પચાસેક હજાર શિક્ષકોની ઘટ છે ને જ્ઞાન સહાયકો નોકરી કાયમી ન હોવાથી હાજર થતા નથી, તો શિક્ષણ ચાલે છે કેવી રીતે? 

શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું છે છતાં સુરત જિલ્લા પંચાયતની સ્કૂલોનાં 36 હજાર વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળ્યા નથી ને કમાલ એ છે કે 2 કરોડની જોગવાઈ યુનિફોર્મ વિતરણ માટે ઓલરેડી થઈ ચૂકેલી છે. આખેઆખી સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે તો શિક્ષક ભણાવે છે શું ને વિદ્યાર્થીઓ ભણે છે શું એ સવાલ થવો જોઈએ. 22 જાન્યુઆરીના જ સમાચાર છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 99માંથી 4 સ્કૂલો જર્જરિત છે. શાળા નંબર 1 અને 51 માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ છતાં, કામગીરી ટેન્ડર સુધી પણ નથી પહોંચી. 2008થી શાળા નંબર 99 ભાડાના મકાનમાં ચાલે છે. એમાં 1થી 5નાં 222 વિદ્યાર્થીઓની વચ્ચે 4 જ રૂમ છે. શાળા નંબર 100 કપાતમાં જાય છે ને 1થી 5નાં બાળકોને ભગવતીપરાની આધુનિક હાઇસ્કૂલમાં ખસેડવાની નોબત આવી છે, પણ કરમની કઠણાઇ એ છે કે આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ થઈ ચૂક્યું હોવા છતાં, તેને મંજૂરી મળી નથી. 

આ એકલાં રાજકોટની જ વાત નથી, ઘણાં શહેરોની ને ગામડાઓની હાલત કૈં બહુ જુદી નથી. એમાં પરીક્ષાઓ માથે મરાતી રહે તો શિક્ષણનું કેવું ને કેટલું કામ થતું હશે તે કલ્પી શકાય એમ છે. ખરેખર કેટલી નિયમિત હશે તે તો ખબર નથી, પણ ધોરણ 3થી 8/9 કે ક્યાંક તો 12 સુધીની દર શનિવારે સરકારી શાળાઓમાં એકમ કસોટી લેવાની વાત છે જ ! એનું કેલેન્ડર શાળાઓને મોકલવામાં આવ્યું છે ને સરકાર એમ માને છે કે એ કેલેન્ડરથી શિક્ષકો સમયસર અભ્યાસક્રમ પૂરો કરી શકશે. જો કે, પરીક્ષાનાં કેલેન્ડરથી અભ્યાસક્રમ પૂરો કરવામાં મદદ કેવી રીતે મળે એનો ખુલાસો સરકારે કર્યો નથી. બને કે શિક્ષકો ને આચાર્યો એ જાણતા હોય. વિદ્યાર્થીઓ સંદર્ભે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર એવો ખુલાસો પણ કરે છે કે નિયમિત કસોટીઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના સતત ડરનો સામનો કરવામાં મદદ કરે છે. એમાં તથ્ય હશે, પણ સતત પરીક્ષા, પરીક્ષા પ્રત્યે વિદ્યાર્થીને બેપરવા કરે અને માત્ર પરીક્ષાલક્ષી તૈયારીઓમાં જ વ્યસ્ત રાખે એમ બને. એ સ્થિતિમાં વિદ્યાર્થી અભ્યાસ અને ચિંતન મનનને બદલે જવાબો આપવા જેટલું જ યાંત્રિક કૌશલ્ય કેળવે એવું, નહીં? 

એકમ કસોટીઓ નિરર્થક છે એવી વાત GCERTના પૂર્વ નિયામક ડો. નલિન પંડિતે ઘણા વખતથી સરકારને કાને નાખી છે, પણ સરકારે અત્યાર સુધી તો એ વાત કાને ધરી નથી. એમણે એટલે જ ઉપવાસથી આંદોલનનાં મંડાણ કર્યાં છે. એમને અનેક શિક્ષક સંઘોએ ટેકો જાહેર કર્યો છે ને જોતજોતામાં તેની રાજ્ય વ્યાપી અસરો પણ પડી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી ડિંડોરને પત્ર લખીને એકમ કસોટીની સમીક્ષા કરવા અંગે પત્ર પણ લખ્યો છે. મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ – ભાવનગરે તો શિક્ષણ મંત્રીને એકમ કસોટી નાબૂદ કરવાની રોકડી વાત કરી છે. 

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતે એકમ કસોટી સંદર્ભે 14,302 શિક્ષકોને 14 પ્રશ્નો પૂછીને એક સર્વે કર્યો છે, જેમાં 97.6 ટકાએ કબૂલ્યું છે કે કસોટી અને તેને લગતી કામગીરીને લીધે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરી ખોરંભે ચડે છે. 97.2 ટકા શિક્ષકો માને છે કે ડેટા વગેરે સરકાર સુધી પહોંચાડવામાં અભ્યાસક્રમ પૂરો કરવામાં મુશ્કેલીઓ સર્જાય છે. સરકાર સુધી ડેટા પહોંચાડવામાં એટલો સમય જાય છે કે 91.4 ટકા શિક્ષકો માને છે કે તેને માટે વહીવટી પોસ્ટ અલગથી સ્કૂલોમાં ઊભી કરવી જોઈએ. 78.4 ટકા શિક્ષકો માને છે કે એકમ કસોટીથી વિદ્યાર્થીની શૈક્ષણિક યોગ્યતામાં કોઈ વધારો થતો નથી. આ ઉપરાંત પણ એવાં તારણો મળ્યાં છે જે સૂચવે છે કે એકમ કસોટી કોઈ રીતે વિદ્યાર્થીઓને કે શિક્ષકોને ઉપકારક નથી.

એકમ કસોટીની અસરકારકતા અંગે ડો. નીરજ રાજ્યગુરુએ પ્રસ્તુત કરેલ સંશોધનપત્રમાં પણ એ સ્પષ્ટ કર્યું છે કે એકમ કસોટીની અસરકારકતા પ્રસ્થાપિત થઈ શકી નથી. 95 ટકા પાત્રોનું માનવું છે કે પુન:કસોટી, મહાવરો અને ઉપચારાત્મક કાર્ય કઠિન છે અને ઘણો સમય માંગે છે. દર 15 દિવસે લેવાતી એકમ કસોટીમાં એકંદરે સાડા આઠ કલાક જેટલો સમય ખર્ચાય છે. આ કસોટી દર અઠવાડિયે લેવાતી હોય તો અઠવાડિયે સાડા આઠ કલાક કસોટી પાછળ બગડે છે તે નોંધવું ઘટે. શિક્ષકો ઓછા હોય એ સંજોગોમાં આ સમય અસરકારક શિક્ષણમાંથી ખર્ચાય છે તે પણ સમજી લેવાનું રહે. 

આખું પ્રારંભિક શિક્ષણ આંકડાઓની માયાજાળમાં અટવાઈ ગયું છે. દર શનિવારે એકમ કસોટી લેવાય, તેના માર્કસ અપાય, તેનું ઉપચારાત્મક કાર્ય થાય, તેનો ડેટા સરકારને મોકલાય, એ બધાંમાં એટલો સમય જાય છે કે અભ્યાસક્રમ પૂરો જ ન થાય ને થાય તો તેમાં ભલીવાર ન હોય. આ બધું વિદ્યાર્થીઓ માટે ઓછું, પણ ડેટા મોકલવા થતું હોય એવું વધારે છે. શિક્ષણ થાય તો પરીક્ષણનો અર્થ છે, પરીક્ષણ જ શિક્ષણ ગણાતું હોય તો આ આખો વ્યાયામ મજૂરીથી વધારે કૈં નથી.

ડો. નલિન પંડિતને કસોટીનો વાંધો છે, મૂલ્યાંકનનો નથી. મૂલ્યાંકન પણ 360 ડિગ્રી થવું જોઈએ ને એ નવ સંસ્કરણ પામેલ હેન્ડ, હાર્ટ અને હેડથી સંભવિત છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 12માં મોટે ઉપાડે એકમ કસોટી દાખલ તો કરી દેવાઈ છે, પણ હવે રાજ્યભરમાંથી એ અંગે વિરોધનો વંટોળ ઊઠયો છે, ત્યારે સરકારની ચૂપકીદી ભેદી બની રહી છે. ગમ્મત તો એ છે કે રાજ્ય એક, સરકાર એક, શિક્ષણ ને શિક્ષણ પદ્ધતિ એક, પણ સરકારી સ્કૂલોમાં એકમ કસોટી ફરજિયાત અને ખાનગી સ્કૂલોને તે મરજિયાત છે. આ બરાબર છે? ઘણી સ્વનિર્ભર સ્કૂલો એકમ કસોટીમાં જોડાઈ જ નથી ને સરકારીનો માસ્તર અઠવાડિયે સાડા આઠ કલાક એકમ કસોટીની મેથી મારવામાંથી જ ઊંચો નથી આવતો ! આમાં વિદ્યાર્થીના સમયની તો વાત જ નથી આવતી. એ ભણે છે ઓછું ને કસોટીમાં ખપે છે વધુ ! 

એકમ કસોટીઓ ચાલુ રાખીને શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં સમય અને શક્તિ બગાડવાનું કોઈ કારણ જણાતું નથી, પણ શિક્ષણ વિભાગમાં શિક્ષણ શાસ્ત્રીઓ ઓછા છે ને વહીવટી અમલદારો વધારે છે એટલે ડેટા ભેગા કરવાનું ગૌરવ જ લેવું હોય તો સરકાર એકમ કસોટી ચાલુ રાખશે. એકમ કસોટી નાબૂદ કરવાને બદલે સરકાર તેને કસોટીએ ચડાવવાનો આનંદ લૂંટે એમ બને. એવે વખતે પ્રાર્થના જ કરવાની રહે કે સબકો સંમતિ દે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જાન્યુઆરી 2025

Loading

भारत कब स्वाधीन हुआ

राम पुनियानी|Opinion - Opinion|24 January 2025

राम पुनियानी

सांसद और बॉलीवुड कलाकार कंगना रनौत ने भारत की स्वतंत्रता के संबंध में अपनी समझ को पहली बार तब जाहिर किया था जब उन्होंने हमें बताया था कि भारत दरअसल 2014 में तब स्वतंत्र हुआ जब मोदी जी ने देश की सत्ता संभाली. 2014 में पहली बार भाजपा को अपने दम पर लोकसभा में बहुमत हासिल हुआ था. इस टिप्पणी का क्या अर्थ था? इसका अर्थ यह था कि 2014 से पहले तक भारत एक गुलाम देश था. या तो वह विदेशी शासकों का गुलाम था या ऐसी सरकारों का जो धर्मनिरपेक्ष और प्रजातांत्रिक मूल्यों की पैरोकार थीं. कंगना रनौत का मतलब था कि मोदी सरकार के आते ही हिन्दू राष्ट्रवाद का देश में बोलबाला हो गया और यही भारत की असली आजादी थी. एक अन्य फिल्म कलाकार विक्रांत मैसी ने हाल में यही बात दोहराते हुए कहा कि भारत को आजादी सन 2015 में हासिल हुई जब ‘हमें’अपनी हिन्दू पहचान को अभिव्यक्त करने की स्वतंत्रता मिली.

अब आरएसएस के मुखिया मोहन भागवत ने देश के ‘असली स्वतंत्रता’ हासिल करने की एक नई तारीख घोषित कर दी है. मध्यप्रदेश के इंदौर में एक कार्यक्रम में बोलते हुए उन्होंने कहा कि भारत को 22 जनवरी 2024 को आजादी मिली थी. उन्होंने कहा कि “इस दिन को प्रतिष्ठा द्वादशी व भारत के असली स्वाधीनता दिवस के रूप में मनाया जाना चाहिए.” उन्होंने कहा कि “भारत को कई सदियों तक विदेशी हमलों का सामना करना पड़ा और इन हमलों से उसे 22 जनवरी 2024 को स्वतंत्रता मिली.” उन्होंने यह भी कहा कि “भगवान राम, कृष्ण और शिव के आदर्श और जीवनमूल्य भारत के ‘स्व’ का हिस्सा हैं और ऐसा नहीं है कि ये केवल उन लोगों के देव हैं जो उनकी आराधना करते हैं.”

भागवत ने आगे बताया कि बाहरी हमलावरों ने देश के मंदिरों को नष्ट किया ताकि भारत का ‘स्व’  मर जाए. राम मंदिर की प्राण प्रतिष्ठा को हमारी सारी सामाजिक समस्याओं का हल बताते हुए भागवत ने कहा कि “मैं लोगों से पूछता हूँ कि 1947 में स्वतंत्रता हासिल करने के बाद से ही हमने समाजवाद की बात कही,हमने गरीबी हटाओ का नारा दिया, हम लगातार यह कहते रहे कि हमें लोगों की आजीविका की चिंता है. मगर इस सब के बाद भी 1980 के दशक में भारत कहाँ था और इजराईल और जापान जैसे देश कहाँ पहुंच गए थे.” आरएसएस के मुखिया ने यह भी कहा कि वे ऐसे लोगों से कहा करते थे कि उन्हें यह याद रखना चाहिए कि “खुशहाली और रोजगार का रास्ता भी राम मंदिर से होकर जाता है.”

भागवत तो कंगना रनौत और विक्रांत मैसी से एक कदम और आगे बढ़ गए हैं.  वे बाबरी मस्जिद को ढहाने के अपराध को औचित्यपूर्ण ठहराना चाहते हैं. वे इस देश की विविध सांस्कृतिक और धार्मिक परंपराओं को दरकिनार कर केवल भगवान राम को देश का एकमात्र सांस्कृतिक प्रतीक साबित करना चाहते हैं. हिन्दू धर्म में भी शिव, कृष्ण और काली जैसे अन्य देवी-देवता हैं. फिर हमें भगवान महावीर, गौतम बुद्ध, नानक और कबीर की परंपराओं को भी याद रखना होगा. वे भी उस विशाल कैनवास का हिस्सा हैं जिसे हम भारत कहते हैं.

जेनेटिक अध्ययनों से यह साफ है कि आर्य भी बाहर से भारत आए थे और उनके आने से पहले इस भूमि पर अन्य लोग रहते थे. भारत में आने वाले अलग-अलग नस्लों और क्षेत्रों के लोगों को केवल आक्रांता बताना ठीक नहीं है. चोल राजा श्रीलंका पर राज करते थे. सिकंदर ने भी भारत को जीतने की कोशिश की थी. शक, हूण,खिलजी और मुगल – ये सभी भारतीय उपमहाद्वीप का हिस्सा थे. इन सब को सम्प्रदायवादी ‘हमारी’ सभ्यता पर हमला करने वालों के रूप में देखते हैं. जबकि भारत की स्वाधीनता के लिए लड़ने वाले इस ऐतिहासिक प्रक्रिया को विविध लोगों का एक दूसरे के साथ घुलमिल जाना मानते थे. वे यह भी मानते थे कि इसी कारण भारत की नींव विविधताओं से भरी हुई है. जवाहरलाल नेहरू ने इस स्थिति का बहुत सारगर्भित वर्णन किया है. उन्होंने भारत को एक ऐसी प्राचीन स्लेट बताया है जिस पर एक के बाद एक कई परतों में विचार और आकांक्षाएं दर्ज किए गए. मगर कोई भी परत न तो पिछली परतों को पूरी तरह ढंक सकी और न ही उनमें लिखे को मिटा सकी.

आरएसएस के मुखिया के अनुसार आक्रांता मंदिरों को गिराकर हमारी आत्मा को कुचलना चाहते थे. मध्यकालीन भारत और देश के प्राचीन इतिहास के अंतिम दौर में मंदिरों को केवल सत्ता और दौलत के लिए ढहाया गया. इसके पहले ब्राह्मणवाद के चलते जैन और बौद्ध आराधना स्थलों को ढहाया गया था. इसलिए मंदिरों को गिराने के लिए केवल मुस्लिम शासकों का दानवीकरण करना उचित नहीं है. मगर मुसलमानों के खिलाफ नफरत फैलाने के लिए कई तरह के मिथक गढ़ लिए गए हैं,जिनका सच से कोई लेना-देना नहीं है. इस संदर्भ में दो उदाहरण पर्याप्त होंगे. जहां औरंगजेब ने करीब 12 मंदिरों को गिराया वहीं उसने सैंकड़ों हिन्दू मंदिरों को दान भी दिया और कश्मीर के 11वीं सदी के शासक राजा हर्षदेव के दरबार में एक अधिकारी का काम केवल यह था कि वो मंदिरों की मूर्तियां उखाड़कर उनके नीचे जमा सोने और हीरे-जवाहरात के खजाने को खोद निकाले.

भागवत और उनके जैसे अन्य लोग भारत को एक संकीर्ण ब्राह्मणवादी नजरिए से देखते हैं. भारत को एक राष्ट्र का स्वरूप ब्रिटिश औपनिवेशिक काल में मिला. केवल यही वह काल था जिसे हम भारत की गुलामी का दौर कह सकते हैं. उसके पहले जो आक्रांता यहां आए वे यहीं बस गए और देश के सांस्कृतिक जीवन का अंग बन गए. उनकी पीढ़ियां भारत की धरती पर ही दफन हैं. अंग्रेजों की फूट डालो और राज करो की नीति के चलते यह प्रचार किया गया कि हमलावरों ने भारत को लूटा और मंदिरों को नष्ट किया. अंग्रेजों के पहले के भारतीय शासक देश की संपत्ति को बाहर नहीं ले गए. केवल अंग्रेज ही भारत से संपत्ति को लूटकर उसे इंग्लैंड ले गए जिससे भारत कंगाल हो गया. अंग्रेजों ने भारत को गुलाम बनाया और उनके विरूद्ध जो संघर्ष हुआ केवल उसे ही स्वाधीनता संग्राम कहा जा सकता है और कहा जाना चाहिए. स्वाधीनता संग्राम के नतीजे में 15 अगस्त 1947 को भारत आज़ाद हुआ और 26 जनवरी 1950 को हमारे देश में हमारा अपना नया संविधान लागू हुआ.

जो लोग 15 अगस्त 1947 के अलावा किसी भी दूसरी तारीख को भारत के स्वतंत्र होना की तारीख बताते हैं वे दरअसल धार्मिक राष्ट्रवादी हैं और स्वाधीनता,समानता और बंधुत्व के उन मूल्यों में आस्था नहीं रखते जो हमारे संविधान का आधार है और जो स्वाधीनता संग्राम से उपजे थे. भागवत ने देश की समृद्धि के बारे में भी अपने विचार साझा किए. उन्होंने कहा कि “हमने हमेशा समाजवाद, रोजगार, और गरीबी की बात की लेकिन हुआ क्या. हमारे साथ चले जापान और इजराईल आज कहां से कहां पहुंच गए.”

भागवत को इस बात पर विचार करना चाहिए कि जापान और इजराईल ने जो हासिल किया है उसके लिए वे किस राह पर चले. क्या ये दोनों देश इसलिए समृद्ध और उन्नत बन सके क्योंकि उन्होंने पुराने धार्मिक स्थलों को गिराकर उनकी जगह नए धार्मिक स्थल बनाए? भागवत को यह भी समझना चाहिए कि राममंदिर आंदोलन से भारत की प्रगति बाधित हुई है और उसकी एकता कमजोर हुई है. स्वास्थ्य, पोषण और शिक्षा के विभिन्न मानकों पर हम खराब स्थिति में हैं.

भारत की आर्थिक, शैक्षणिक, वैज्ञानिक और औद्योगिक प्रगति और समृद्धि की नींव सन 1980 के दशक में राममंदिर के लोगों को बांटने वाले आंदोलन से बहुत पहले रख दी गई थी.

सोमवार 20 जनवरी, 2025
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...277278279280...290300310...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved