Opinion Magazine
Number of visits: 9684627
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતો અને કાશ્મીર

રાજુ સોલંકી|Opinion - Opinion|15 August 2019

મગન કુંભારની ચાલી,
કેશા બલુની ચાલી,
સળિયાવાળી ચાલી,
રતિલાલની ચાલી,
તારવાળી ચાલી,
પી. કસ્ટિયાની ચાલી,
ટેકરાવાળી ચાલી,
અબુ કસાઈની ચાલી,
કુંડાવાળી ચાલી,
હીરાલાલની ચાલી,
રાયચંદ મેઘરાજની ચાલી ……..
આ બધી ચાલીઓનાં નામ તો તેં સાંભળ્યા છે.
આ જ છે તારું કાશ્મીર.
આ જ છે તારું ગુલમર્ગ અને સોનમર્ગ.
કાશ્મીર જોડે તારે શું લેવાદેવા?
તેં કાશ્મીર જોયું છે?

ઉનાળાના ધોમધખતા તાપમાં તપતા પતરાની નીચે એક ઓરડીમાં ટીવી પર ‘કાશ્મીરની કલી’ પિક્ચરમાં તે કાશ્મીર જોયું છે. એની વાદીઓ, ઘટાઓ, એનું કુદરતી સોંદર્ય જોયું છે. કાશ્મીર તો તું ક્યારે ય ગયો નથી. કાશ્મીર તો છે તારા માટે એક કલ્પના. તારી પાસે તો અમદાવાદથી કાણ મોકાણે ક્યારેક તારા ગામે જવાનું ભાડું પણ નથી હોતું. તો કાશ્મીરની શું વાત કરવી?

અને ૩૭૦ની કલમ.

ઓહોહોહોહોહોહોહોહો.

એક વાર ખાડિયાની પોળમાં જઈને ઘર તો ખરીદ.

“નામ?”

“નયન જાદુગર.”

“જાદુગર? પણ કેવા?”

“પરમાર.

“સોરી. એસ.સી.ને ઘર નથી આપતા.”

અહીં હજારો ગામડાઓમાં (અને શહેરોમાં પણ) એક અઘોષિત, અદ્રશ્ય ૩૭૦ની કલમ તારી સામે પ્રવર્તે છે એ તો પહેલાં દૂર કર.
કાશ્મીરની ક્યાં પંચાત કરે છે?

આમ પણ, તું અહીં ફેસબુક પર કાશ્મીરની પંચાત કરીને ટાઇમ પાસ જ કરે છે.

કાશ્મીરની ૧.૨૫ કરોડની આબાદીને ચૂપ રાખવા છ લાખ જવાનો હાથમાં ઓટોમેટિક ગન લઇને ઊભા છે. એટલે કે દર ૨૦-૨૧ વ્યક્તિઓ માટે એક જવાન છે.

તું તારા બાળકોનાં શિક્ષણની ચિંતા કર, મૂરખ. કાલે ભારત માતાનો જય જય કાર કરતી પત્રિકાઓના રસ્તે ઊડતા કાગળો વીણી વીણીને થેલામાં ભરીને પેટ ભરવાનો વારો આવશે.

[લેખકની ફેસબુક પોસ્ટમાંથી સંપાદિત]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 07

Loading

એક પત્રકાર અને એક એમ.એલ.એ.ની વાત

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 August 2019

TMCની તેજતર્રાર MP મહુઆ મોઇત્રા સાથે અલપ-ઝલપ …

સવાલ : એમએલએ અને હવે લોકસભા. કેવી તૈયારી છે?

મહુઆ : આવી તૈયારી તો જીવનમાં ક્યારે ય ન હતી. ૧૦ વર્ષ સંગઠનમાં જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું છે. પક્ષની રાષ્ટ્રીય પ્રવક્તા છું. ૪૦ વર્ષમાં એમ.એલ.એ. બનેલી પહેલી બિન-ડાબેરી ઉમેદવાર છું.

સવાલ : સોશ્યલ મીડિયા પર જાસૂસીના મુદ્દે તમે એકલા હાથે સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં ત્રણ પિટિશન કરી છે.

મહુઆ : મારા આત્માને અનુસરીને, એક નાગરિક તરીકે આ પિટિશન કરી છે. સરકાર વ્યક્તિગત સ્વતંત્રતાને કિનારે કરીને ભારતને ઓરવેલિયન રાજ્યમાં ફેરવવા માંગે છે. તેની પાછળ મોટો દુષ્ટ માસ્ટરપ્લાન છે.

સવાલ : તમને વખતોવખત અંગત રીતે નિશાન બનાવવામાં આવે છે. કેવી રીતે સામનો કરો?

મહુઆ : હું નથી કરતી. મને એની પડી જ નથી. બાઇબલને ટાંકું તો, “ઈશ્વર તેમને માફ કરે, કારણ કે તેમને ખબર નથી કે તે શું કરી રહ્યા છે.”

સવાલ : આવા અંગત હુમલા પછી, એક સ્ત્રી તરીકે લડવું વધુ અઘરું લાગે?

મહુઆ : હું મારી જાતને રાજકારણી તરીકે જોઉં છું. મારી લડાઈની ક્ષમતા મારા જિગર પર નિર્ભર છે, મારા સ્ત્રી હોવા પર નહીં. (‘ધ ઇન્ડિયન એક્પ્રેસ’)

૪૪ વર્ષનાં મહુઆ મોઇત્રા, રાજકારણમાં જોડાતાં પહેલાં, અમેરિકન મલ્ટિનૅશનલ ઇન્વેસ્ટમૅન્ટ બૅંક, જે.પી. મૉર્ગનમાં, વાઇસ-પ્રેસિડેન્ટ હતાં. ૧૫ વર્ષની વયે પરિવાર સાથે અમેરિકા ગયાં હતાં અને ત્યાં માસાચ્યુસેટ્ટસમાં માઉન્ટ હોલિઓક કૉલેજમાં અર્થશાસ્ત્ર અને ગણિત ભણ્યાં હતાં. તે પછી તે ન્યુયૉર્ક અને લંડનમાં જે.પી. મૉર્ગનમાં જોડાયાં હતાં. ૨૦૦૯માં કૉંગ્રેસમાં જોડાવા માટે કૉર્પોરેટ કારકિર્દી છોડી હતી. થોડો વખત તેમણે યુથ કૉંગ્રેસમાં કામ કર્યું હતું. પણ લોકો વચ્ચે સંગઠનની હાજરી ન હોવાથી, મમતા બેનરજીની કૉંગ્રેસમાં જોડાયાં હતાં.

*  *  *

જેમને અંગ્રેજી પત્રકારત્વમાં રસ હોય, તેમને આ ગમશે.

લંડનમાં ‘ધ ઑબ્ઝર્વર’ નામનું રવિવારીય પેપર ૧૭૯૧થી પ્રગટ થાય છે. દુનિયાનું એ સૌથી જૂનું રવિવારીય પેપર છે. બીજું, ‘ધ સન્ડે ટાઇમ્સ’, બ્રિટનનું સૌથી વધુ વેચાતું રાષ્ટ્રીય પેપર છે, જે ૧૮૮૧માં શરૂ થયું હતું. એક સમયે, આ બંને પેપરની ઍડિટર-ઈન-ચીફ તરીકે મુંબઈ(ત્યારે બૉમ્બે)ની એક યહૂદી મહિલા હતાં. રેયલ બિયર નામની મહિલા, ૧૮૯૧માં ‘ધ ઑબ્ઝર્વર’ની (પહેલી મહિલા) એડિટર બની હતી. બે વર્ષ પછી તેણે ‘ટાઈમ્સ’ ખરીદ્યું હતું. આ એ વિક્ટોરિયન સમયની વાત છે, જેમાં મહિલાઓને મતદાન કરવાના, કોર્ટમાં જવાના અને સંપત્તિ રાખવાના અધિકાર ન હતા.

મુંબઈને તમે જાણતા હો, તો દક્ષિણ મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં, જહાંગીર આર્ટ ગૅલેરીની સામે, ખૂબસૂરત જાજરમાન ડેવિડ સસ્સુન લાઇબ્રેરી છે. વેનિસની ગોથિક શૈલીથી બનેલી આ ઇમારત હેરિટેજ કાનૂનથી રક્ષિત છે. ડેવિડ સસ્સુન ઍન્ડ સન્સ નામની જહાજી કંપનીના માલિક, આલ્બર્ટ સસ્સુને, આ લાઇબ્રેરી બનાવી હતી. આલ્બર્ટ સસ્સુન એટલે બગદાદના યહૂદી વેપારી ડેવિડ સસ્સુનનો દીકરો, ઇરાકનો આ સસ્સુન પરિવાર ૧૯મી સદીમાં એશિયાનો સૌથી સમૃદ્ધ પરિવાર હતો. ડેવિડ સસ્સુને લાઇબ્રેરી માટે ૬૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા.

આ ડેવિડ સસ્સુનની એક દીકરી પણ હતી – રેચલ સસ્સુન. ૧૮૫૮માં તેનો જન્મ, ૧૮૮૭માં. લંડનના જર્મન વેપારી અને ‘ધ ઑબ્ઝર્વર’ના માલિક જુલિયસ બિયરના દીકરા ફ્રેડરિક બિયર સાથે રેચલનાં લગ્ન થયાં. લગ્ન પછી તે પેપરમાં લખતી હતી. તેનો પતિ રોગમાં પટકાયો, પછી તે પેપરની એડિટર બની. બે વર્ષ પછી ‘ધ ટાઇમ્સ’ ખરીદ્યું અને એની એડિટર બની. ૧૯૨૭માં (પતિ તરફથી મળેલા) સિપિલિસના રોગમાં તેનું અવસાન થયું.

(લેખકની ફેસબુક વૉલ પરથી સંપાદિત)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019, પૃ. 11

Loading

પંદરમી ઓગસ્ટ, આઝાદી અને આપણે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 August 2019

આવતીકાલની પંદરમી ઓગસ્ટ, દેશના એક ઓર આઝાદી દિન તરીકે ઉજવાશે. એ નિમિત્તે દેશભરમાં ઠેરઠેર ત્રિરંગો લહેરાવાશે, રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વહેડાવાશે, દેશપ્રેમનાં ગીતો ગવાશે અને રાષ્ટ્રભક્તિના જ નહીં રાષ્ટ્રવાદના કોલ અપાશે.

૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતે ભારતે બ્રિટિશરોની ગુલામી ફગાવી હતી. દિલ્હીના લાલ કિલ્લે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો અને ‘ઝંડા અજર અમર રહેજે, વધવધ આકાશે જાજે’ જેવાં ગીતડાં ગવાયાં હતાં. આપણાં દેશમાં આપણું રાજ આવ્યું એટલે સૌનાં દળદળ ફીટશે, સૌ સારાં વાનાં થશે એવી આશા-આકાંક્ષાઓ ન માત્ર સેવાઈ હતી, મુખર રીતે વ્યક્ત પણ થઈ હતી, પરંતુ આજે આઝાદીના સવા દાયકે પાછળ વળીને જોઈએ છીએ તો ઘણીબધી નિરાશા પણ દેખાય છે. ભારતની આઝાદી માટે અંગ્રેજોએ ‘ટ્રાન્સફ્ર ઓફ પાવર’ એટલે કે ‘સત્તાનો બદલો’ એ શબ્દ વાપર્યો હતો.આજે લાગે છે કે તે જ સાચું છે. દેશમાં પ્રવર્તતી અસમાનતા, ભેદભાવ, આભડછેટ, શોષણ, ઉત્પીડન અને એવું ઘણું ઘણું વેઠતાં વર્ગ માટે માત્ર ગોરાને બદલે કાળા શાસકો કે યુનિયન જેકને બદલે ત્રિરંગો જ આવ્યાં છે. એમના જીવનમાં ઝાઝો ફેર પડયો નથી એમ લાગે છે.

ગાંધી-નહેરુ-પટેલની સ્વરાજ ત્રિપુટીના વડેરા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ૧૫મી ઓગસ્ટના આઝાદી દિને તેનો જશન મનાવવા દિલ્હીના લાલ કિલ્લે નહોતા. સુદૂર કલકત્તે કોમી આગ ઠારતા હતા. ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની સાંજે તેમણે કલકત્તાની મારવાડી ક્લબની મુલાકાત લઈ કહ્યું હતું, “આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈએ છીએ પણ હિંદુસ્તાનના ટુકડા થાય છે. એટલે (આઝાદી દિન) ખુશીનો તેમ જ ગમગીનીનો દિવસ છે”. તેના અઠવાડિયા પહેલાં પટણામાં એ વદેલા, “પંદરમી ઓગસ્ટ તો આપણી પરીક્ષાનો દિવસ છે. આ જે સ્વરાજ આવ્યું છે તે કાંઈ દીવાબત્તી કે રોશની કરી ઊજવવા જેવું નથી આવ્યું. આજની, અનાજ, કપડાં, ઘી, તેલ વગેરેની તંગીમાં ઉત્સવ શો ઊજવવો.” ગાંધીજી માત્ર આવું કહીને ન અટક્યા અમલ પણ કર્યો. સ્વરાજ મળ્યું પણ દેશના ભારત-પાકિસ્તાન એમ બે ભાગલા પડયા. ભાગલા અને ભાગલા પછીના રક્તપાતના દુઃખે દુઃખી ગાંધીજીએ ૧૫મી ઓગસ્ટે ઉપવાસ કર્યો હતો! દેશ આખો આઝાદીનો ઉત્સવ મનાવતો હતો ત્યારે ‘બિના ખડગ બિના ઢાલ’ આઝાદી અપાવનાર ગાંધીજી ઉપવાસ કરતા હતા.

૧૯૪૭ અને ૨૦૧૯ની ઓગસ્ટની પંદરમી વચ્ચે દેશ ઘણો બદલાયો છે. ઘણાં પરિવર્તનો આવ્યાં છે. શિક્ષણ વધ્યું છે, ગરીબીના આંકડા ઘટયા છે. અનાજમાં સ્વાવલંબન આવ્યું છે. દીકરીઓ ભણતી જ નથી, નોકરીઓ પણ કરે છે. દર ચૂંટણીએ લોકશાહી વધુ પુખ્ત થઈ છે. આ વરસે જ સત્તરમી લોકસભાની ચૂંટણી થઈ. ભારતીય જનતા પક્ષની સત્તાવાપસી વધુ બેઠકો સાથે થઈ છે. ૧૭મી લોકસભાના પ્રથમ સત્રમાં જે સંસદીય કાર્ય થયું છે તે વીત્યા ઘણાં દાયકા પછીનું મોટું કાર્ય છે, પરંતુ નવી લોકસભાના સભ્યોએ સોગંદ લેતી વખતે જે નારાબાજી કરી તે સંસદને ધર્મસંસદ કહેવી પડે તેવી હતી. સંસદનું બાકીનું સત્ર ભલે શાંતિ અને સરળતાથી ચાલ્યું પણ સોગંદવિધિ ટાણાના જય શ્રી રામ, વંદેમાતરમ્ કે અલ્લાહ હો અકબરના નારા એ કંઈ વિવિધતામાં એકતા નહોતા દર્શાવતા કે તેમાં કોઈ કોમી એખલાસ પણ નહોતો, તેમાં સબળાઈ કે ચડિયાતાપણું બતાવવાના પ્રયાસો હતા. દબાવીશું અને નહીં દબાઈએ, ડરાવીશું અને નહીં ડરીએનો એ સંદેશ હતો.

જે સંસદમાં જોવા મળ્યું તે સડક પર સમાજમાં પણ જોવા મળે છે. ટોળાં દ્વારા હિંસા અને અસહિષ્ણુતાની ઘટનાઓ, સ્ત્રીઓ, ખાસ કરીને બાળકીઓ અને કિશોરીઓના યૌનશોષણમાં વધારો, અર્થતંત્રમાં મંદીની વાતો અને બેરોજગારી, દલિતો-આદિવાસીઓ પરના જઘન્ય અત્યાચારો, ગુણવત્તાહીન સરકારી શિક્ષણ અને ધંધાદારી ખાનગી શિક્ષણની હાટડીઓ, આરોગ્યના નામે પ્રવર્તતું અનારોગ્ય, ર્ધાિમક ઉન્માદ અને સૌ કોઈની અનામત વર્ગમાં સામેલ થઈ જવાની દોડ – આ સઘળું દર્શાવે છે કે દેશ માટે આ લક્ષણો સારાં નથી. ઉન્નાવ અને સોનભદ્રની તાજેતરની ઘટનાઓ અને ઉન્નાવ મુદ્દે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછીની સ્થિતિ પણ આઝાદી કોના માટે છે તેવો સવાલ કરે છે. બળુકા અત્યાચારીઓને કથિત સત્તાની ઓથ અને માલ્યા જેવાની વિદેશમાં મોજ પણ લોકશાહી માટે ચિંતાનો વિષય છે.

ભારતીય જનતા પક્ષે લોકસભાની ૩૦૩ બેઠકો મેળવીને કેન્દ્રમાં સત્તા જાળવી રાખી છે. વડાપ્રધાને સંસદના આરંભે વિપક્ષે તેની સંખ્યાની ચિંતા કરવા જેવું નથી તેનાં સૂચનો લોકશાહીમાં જરૂરી છે તેમ કહીને સત્તાપક્ષ માટે જ નહીં લોકતંત્ર માટે વિપક્ષનું શું મહત્ત્વ છે તે ચીંધ્યું હતું, પરંતુ સત્તાભૂખ્યા ચૂંટાયેલા વિપક્ષી સભ્યો અને તેને આવકારવા સદા તત્પર સત્તાપક્ષોને જોતાં ગોવા, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, બંગાળ જ નહીં રાજ્યસભાના પક્ષપલટા – તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. નરી સત્તાલાલસા અને સત્તાપરસ્તીમાં મસ્ત જનપ્રતિનિધિઓના આ હાલ વચ્ચે વિધાનગૃહોમાં ચર્ચાનું નિમ્ન સ્તર અને બંધારણીય સંસ્થાઓનું પતન આઝાદી દિને નહીં તો ક્યારે વિચારવા મજબૂર કરશે?

લાલ કિલ્લાની રાંગેથી આઝાદી દિને અપાનારા વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંદેશમાં ન માત્ર એમના, પ્રત્યેક દેશવાસીના મનની વાત હશે. સૌના સાથ અને સૌના વિકાસમાં હવે વડાપ્રધાને સૌનો વિશ્વાસ શબ્દ ઉમેર્યો છે. તેમની સરકાર ગરીબ વંચિત તરફી હોવાની વાત તેમણે વારંવાર સ્પષ્ટ કરી જ છે. ‘મારા સ્વપ્નનું સ્વરાજ તો ગરીબનું સ્વરાજ છે. સ્વરાજમાં જ્યાં સુધી ગરીબ વર્ગને તેની સુવિધાઓની ખાતરી ન મળે ત્યાં સુધી તે પૂર્ણ સ્વરાજ નહીં હોય.’ તેવું ગાંધીજીએ કહ્યું હતું. ગાંધીજીના સ્વપ્નના સ્વરાજને ઢુંકડું લાવવાના પ્રયાસ જ ગરીબોને સ્વરાજનો શાતાદાયી સ્પર્શ કરાવી શકશે. ગરીબો માટે આઝાદી અને ત્રિરંગો એટલે સ્વમાનભેર, સ્વતંત્રતા સાથે મળતાં રોટી, કપડાં અને મકાન. આવી આઝાદી જે દિવસે જનજન સુધી પહોંચશે તે દિવસે ઓગસ્ટની પંદરમી રોજરોજ અને ઘેરઘેર હશે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 14 ઑગસ્ટ 2019

Loading

...102030...2,7532,7542,7552,756...2,7602,7702,780...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved