Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાન નાગરિક સંહિતા (UCC) સમાન ખરી કે… 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 January 2025

રવીન્દ્ર પારેખ

સમાન નાગરિક સંહિતા (UCC) ભારતમાં લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય, ઐતિહાસિક રીતે પણ બન્યું છે અને એને પગલે ગુજરાત, આસામ જેવાં રાજ્યો આગળ આવે એમ બને. જો કે, ગુજરાતમાં UCC લાગુ કરવા અંગેની કોઈ હિલચાલ નથી. આમ તો કોમન સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત ગુજરાતે વિધાનસભા ચૂંટણી પહેલાં કરેલી, પણ એ અંગેની એકાદ સમિતિ પણ આજ સુધી રચાઈ નથી. એ તો થાય ત્યારે, પણ અત્યારે તો ઉત્તરાખંડમાં UCC બિલે કાયદાનું રૂપ લઈ લીધું છે તે ખરું. ભા.જ.પ. શાસિત ઉત્તરાખંડ સરકારના મુખ્ય મંત્રી પુષ્કર ધામીએ ૭૬માં પ્રજાસત્તાક દિનથી સમાન નાગરિક ધારો લાગુ કરી દીધો છે. UCC લાગુ કરવાનું વચન ત્રણ વર્ષ પહેલાં અપાયું હતું ને એ પૂરું થયું છે. મુખ્ય મંત્રી ધામીનું કહેવું છે કે UCCનો હેતુ કોઈને ટાર્ગેટ કરવાનો નથી. 27 જાન્યુઆરી હવેથી ‘સમાન નાગરિકતા દિન’ તરીકે ઓળખાશે. 

બે પ્રકારના કાયદા દેશમાં છે. ક્રિમિનલ લો દરેક નાગરિકને એકસરખી રીતે લાગુ પડે છે, પણ સિવિલ લોમાં લગ્ન, સંપત્તિ, છૂટાછેડાના કાયદા બધા ધર્મ ને બધી કોમ માટે સરખા નથી. એવા કાયદા પર્સનલ લો તરીકે ઓળખાય છે. મુસ્લિમોમાં લગ્ન અને સંપત્તિને લગતો કાયદો જુદો છે, એમ હિન્દુઓમાં પણ એ જુદો છે. એ જ રીતે ખ્રિસ્તી અને શીખના પર્સનલ લો પણ અલગ અલગ છે. કોઈ પણ ધર્મ યા કોમને હવે પર્સનલ લો નહીં, પણ UCC લાગુ થશે. 

આમ તો ધામીએ 12 ફેબ્રુઆરી. 2022ને રોજ વિધાનસભા ચૂંટણીના આગલે દિવસે જ UCCની જાહેરાત કરી હતી. મે, 2022માં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં વિશેષ સમિતિની રચના કરવામાં આવી. સમિતિને વીસેક લાખ જેટલાં સૂચનો મળ્યાં. અઢી લાખ લોકો સાથે સીધો સંવાદ થયો. 6 ફેબ્રુઆરી, 2024ને રોજ UCC બિલ રજૂ થયું ને બીજે દિવસે તે વિધાનસભામાં પસાર થયું. 11 માર્ચે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી. 2025ની 20 જાન્યુઆરીએ નિયમોને કેબિનેટની મંજૂરી મળી અને 27 જાન્યુઆરીએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો. 

UCC લાગુ થતાં રાજ્યમાં તમામ લગ્નોની નોંધણી હવે ફરજિયાત બનશે. લોકોએ નોંધણી માટે સરકારી ક્ચેરીઓએ જવું ન પડે એ રીતે લગ્ન ઓનલાઈન રજિસ્ટર કરવાની સુવિધાઓ ઊભી કરાઈ છે. 27 માર્ચ, 2010 પછીનાં તમામ લગ્નોની નોંધણી 6 મહિનાની અવધિમાં કરાવવાનું ફરજિયાત છે. એ જ રીતે લિવ ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન કરાવવાનું પણ ફરજિયાત છે, એટલું જ નહીં, લિવ ઇનમાં રહેવા માટે માતાપિતાની મંજૂરી પણ હવે અનિવાર્ય છે. કોઈને પણ જાણ કર્યા વગર બે વ્યક્તિઓ એક મહિનાથી વધુ સમય માટે લિવ ઇનમાં રહેતી હશે, તો તેમને 10,000 રૂપિયાના દંડની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. રજિસ્ટ્રાર સમક્ષ સંબંધની શરૂઆત કે તેના અંતની જાણકારી આપવાનું પણ અનિવાર્ય છે. લિવ ઇન રિલેશનથી થયેલું બાળક કાયદેસર ગણાશે. UCC હેઠળ કોઈ પણ ધર્મ કે કોમની દીકરીને દીકરા જેટલો જ મિલકતમાં સમાન અધિકાર રહેશે. લિવ ઇન રિલેશનશિપ ન ટકે તે સ્થિતિમાં સ્ત્રી ભરણપોષણ માંગી શકે છે. અહીં સવાલ એ થાય કે લિવ ઇન, લગ્ન કરતાં કઈ બાબતે અલગ છે? જો લિવ ઇનમાં બધી વિધિ લગ્ન જેવી જ કરવાની હોય કે છૂટાછેડામાં પણ રજિસ્ટ્રારને જાણ કરવાની હોય તો લિવ ઇનમાં રહેવાનું કોઈ શું કામ પસંદ કરશે? લિવ ઇનને કાયદેસર કરવાને બહાને એ પ્રથા ખતમ કરવાનો હેતુ તો નથીને એવો સવાલ પણ થાય છે.

UCC આમ તો કોઈ ધર્મ અને કોમની વિરુદ્ધ નથી એમ કહેવાયું છે, પણ તેની અસર હલાલાની પ્રથા પર પડે એમ છે. તલાક થયા પછી જો પત્ની એ જ પતિને ફરી પરણવા ઈચ્છે તો તે મહિલાએ બીજા લગ્ન કરવાં પડે અને બીજા પતિને તલાક આપ્યા પછી જ એ પહેલા પતિને પરણી શકે. આ પ્રથા ઇસ્લામમાં હલાલા તરીકે ઓળખાય છે. આમ તો હિન્દુઓમાં પણ એકથી વધુ સ્ત્રી કરનાર મળી રહે, પણ મુસ્લિમોમાં એક પર ચાર પત્ની કરવાનો બાધ નથી. એવું પણ નથી કે બધા જ મુસ્લિમો ચાર પત્ની કરે છે, પણ UCC લાગુ થતા બહુપત્નીત્વ પર બ્રેક લાગી જશે એ ખરું. જમીયત ઉલેમા-એ-હિન્દ ઉત્તરાખંડમાં લાગુ થયેલ UCCને નૈનિતાલ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. જમીયતના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીનું સ્પષ્ટ કહેવું છે કે UCC બધી રીતે ભેદભાવ અને પૂર્વગ્રહ પર આધારિત છે. આ કાયદો નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારે છે. અમને કોઈ એવો કાયદો સ્વીકાર્ય નથી જે શરિયત વિરુદ્ધ હોય. અમારો કૌટુંબિક કાનૂન માણસો દ્વારા નહીં, પણ કુરાન અને હદીસ દ્વારા બનાવાયો છે. એક તરફ આ વાત છે તો બીજી તરફ સુપ્રીમમાં એવો મામલો પણ સામે આવ્યો છે, જેમાં મુસ્લિમ પરિવારમાં જન્મેલી કેરળની એક મહિલાએ સુપ્રીમમાં પુછાયેલા સવાલના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે તે ઇસ્લામ નથી પાળતી એટલે તેને સંપત્તિમાં હકને મામલે દેશનો બિનસાંપ્રદાયિક કાયદો લાગુ કરવામાં આવે. 

તો, આ પરિસ્થિતિ છે. UCC બધાંને માફક ન આવે એમ બને. મુસ્લિમો ઉપરાંત અન્ય ધર્મી લોકોના પ્રતિભાવ સામે આવ્યા નથી. એમને પણ બધું માફક આવે જ એવું નથી, પણ બાળ લગ્નો, વસ્તી નિયંત્રણ જેવી બાબતે UCC ઉપકારક નીવડી શકે એમ છે. આ કાયદાની મર્યાદા કદાચ એ છે કે અન્ય ધર્મીઓને વિશ્વાસમાં લીધા વગર જ તે લાગુ કરી દેવાયો છે. એ સાથે જ દરેકે એ પણ સમજી લેવાનું રહે કે બધાંને જ માફક આવે એવો કાયદો ઘડવાનું મુશ્કેલ છે. દરેકને લાભ ન થાય એમ જ દરેકને હાનિ જ પહોંચે એવું ય નથી. લગ્નની ઉંમર પુરુષ માટે 21 વર્ષ અને સ્ત્રી માટે 18 વર્ષ તો UCC લાગુ કરવા પહેલાંથી નક્કી છે. એટલે એ બધા જ ધર્મોને લાગુ પડે એમાં કશું ખોટું નથી. એનું પાલન થશે તો બાળલગ્નોનું પ્રમાણ ઘટશે. મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી સમુદાય માટે વસિયતના નિયમો અલગ હતા. UCC લાગુ થતાં, બધાં માટે નિયમો સરખા હશે. બધા ધર્મના લોકોને બાળક દત્તક લેવાનો અધિકાર મળશે. જો કે, બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં એ પણ ખરું. 

એટલું છે કે યુનિફોર્મ સિવિલ કોડ બંધારણનાં અનુચ્છેદમાં ઉલ્લેખ છે એવી અનુસૂચિત જનજાતિને લાગુ નહીં પડે, જેથી જાતિઓ અને રિવાજોનું રક્ષણ થાય. એ ઉપરાંત ટ્રાન્સજેન્ડરોની પરંપરાઓમાં પણ કોઈ બદલાવ નહીં આવે. ઉત્તરાખંડ સરકારે લગ્ન અને લિવ ઇનની નોંધણી માટે ucc.uk.gov.in નામે એક વેબસાઇટ બનાવી છે. એના પર લગ્ન, છૂટાછેડા અને વસિયત નામાની નોંધણી અંગેની માહિતી મુકાયેલી છે. આ વેબસાઇટ પર 500 રૂપિયા ભરીને લિવ ઇનનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. 

કાયદાનો વિરોધ કરનારા નીકળે તો ય UCC સ્ત્રીઓને લાભ કરનારો છે, એનો નકાર થઈ શકે એમ નથી. છૂટાછેડા, બહુપત્નીત્વ, લિવ ઇન જેવામાં સ્ત્રીઓને વર્ષોથી અન્યાય થતો આવ્યો છે. UCC લાગુ કરતી વખતે એ વાતનું ધ્યાન રખાયું છે કે સ્ત્રીઓને અન્યાય ન થાય. કમ સે કમ વિવાહનું રજિસ્ટ્રેશન તમામ ધર્મ, કોમ માટે ફરજિયાત થયું છે અને એક હયાત હોય ત્યારે બીજી પત્ની કરવાની બંધી ફરમાવાઈ છે, એથી સ્ત્રીઓને ઘણી પીડામાંથી મુક્તિ મળશે. આવા મામલાઓમાં વધારે વેઠવાનું તો સ્ત્રીઓને જ આવે છે. વિવાહ ભંગના કિસ્સામાં સ્ત્રી અને પુરુષ માટે આધાર બંનેના સમાન રખાયા છે ને એનું ય રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. વડા પ્રધાને પણ કહ્યું છે કે UCC માતાઓ અને પુત્રીઓ માટે ગૌરવપૂર્ણ જીવનનો પાયો બનશે. આમ છતાં પતિ, અન્ય સ્ત્રી સાથે દુષ્કર્મ કરે તો પત્ની છૂટાછેડા લઈ શકે છે, પણ પતિ, પત્ની પર બળાત્કાર કરે તો તેને છૂટાછેડાનો અધિકાર નથી. આવી વિસંગતિઓ સંદર્ભે UCCનો વધુ અભ્યાસ થવો જરૂરી છે. 

જોવાનું એ છે કે આવા સુધારાઓ સાથે અન્ય રાજ્યોમાં UCC ક્યારે લાગુ થાય છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 જાન્યુઆરી 2025

Loading

उम्मीद और मायूसी: भारतीय गणतंत्र के 75 साल

राम पुनियानी|Opinion - Opinion|31 January 2025

राम पुनियानी

छब्बीस जनवरी 1950 का दिन हमारे देश की यात्रा में एक महत्वपूर्ण मील का पत्थर है. इसने हमें आजादी, बराबरी, भाईचारे और इंसाफ के अमूल्य मूल्य दिए. सिवाय हिन्दू राष्ट्रवादियों के, सभी ने नए संविधान का स्वागत किया. हिन्दू राष्ट्रवादियों का मानना था कि भारत के संविधान में कुछ भी भारतीय नहीं है, उसमें उन मूल्यों का समावेश नहीं है जो हमें हमारी पवित्र मनुस्मृति  ने हमें दिए हैं. सावरकर का कहना था कि मनुस्मृति ही देश का कानून है. यह हमारा सौभाग्य है कि उस समय भारत का नेतृत्व प्रगतिशील नेहरु और प्रजातान्त्रिक मूल्यों के पैरोकार अम्बेडकर के हाथों में था और वे हमारे देश को सही दिशा में आगे ले गए. आधुनिक भारत के निर्माता पंडित नेहरु ने यह सुनिश्चित किया कि नए भारत की नीतियां और कार्यक्रम सार्वजनिक क्षेत्र, शिक्षा, वैज्ञानिक शोध और सिंचाई व स्वास्थ्य सेवाओं की बेहतरी पर केन्द्रित हों.

हमारे संविधान में राज्य के नीति निर्देशक सिद्धांत शामिल हैं और वैज्ञानिक सोच को बढ़ावा देना इनका हिस्सा है. भले ही कई कमियों के साथ, मगर वैज्ञानिक सोच को कुछ हद तक बढ़ावा दिया जा रहा था. भारत ने बंटवारे और लाखों हिन्दुओं और मुसलमानों के एक देश से दूसरे देश में पलायन के रूप में एक भयावह त्रासदी भोगी. मगर इसके बावजूद विभाजित भारत ने मूलभूत ज़रूरतों जैसे भोजन, स्वास्थ्य सुविधाओं, शिक्षा और रोज़गार लोगों को मुहैय्या करवाने के लिए काम शुरू किया. यह भारत के विकास की बुनियाद थी. उस दौर में भी सांप्रदायिक संगठन परदे के पीछे सक्रिय थे और वे समय-समय पर हिंसा भी भड़काते रहते थे. मगर 1980 तक वे देश के सामाजिक-राजनैतिक जीवन के हाशिये पर ही रहे. सामाजिक न्याय की स्थापना के लिए बेशक प्रयास किये गए. मगर न तो जाति व्यवस्था ख़त्म हुई और ना ही दलितों के खिलाफ पूर्वाग्रह समाप्त हुए.

इसके अलावा, धार्मिक अल्पसंख्यकों, मुख्यतः मुसलमानों और बाद में ईसाईयों के खिलाफ भी दुष्प्रचार किया गया. उनके खिलाफ नफरत फैलाई गई और उन्हें हिंसा का शिकार भी बनाया गया. इन ताकतों ने शाहबानो मामले में लिए गए गलत निर्णय का भरपूर फायदा उठाया. उन्होंने कहा कि सरकार मुसलमानों का तुष्टिकरण कर रही है. मंडल आयोग की सिफारिशों के आधार पर पिछड़े वर्गों (ओबीसी) को 26 प्रतिशत आरक्षण दिया गया. इसके बाद हिन्दू राष्ट्रवादियों के असली मंसूबे सामने आए. उन्होंने जोर देकर यह कहना शुरू कर दिया कि बाबरी मस्जिद, राममंदिर को गिरा कर बनाई गई थी अतः उस स्थल पर एक भव्य राममंदिर का निर्माण किया जाना चाहिए. इस मुद्दे पर बड़े पैमाने पर हिन्दुओं को गोलबंद किया गया. आरएसएस की शाखाओं और उसके साथी संगठनों ने बाबरी मस्जिद के नीचे राममंदिर के गड़े होने की बात इतने जम कर प्रचारित की कि लोगों को उस पर विश्वास हो गया. नतीजे में बाबरी मस्जिद को ढहा दिया गया और फिर मुंबई, भोपाल और सूरत सहित देश के कई हिस्सों में मुसलमानों के खिलाफ जबरदस्त हिंसा भड़काई गई.

इसके बाद गुजरात कत्लेआम (2002) हुआ और फिर कंधमाल (2008), उत्तर प्रदेश (2013) और दिल्ली (2019) में व्यापक सांप्रदायिक हिंसा हुई. ओडिशा के केओंझार में बजरंग दल के राजेंद्र पाल (दारा सिंह) ने ईसाई पादरी फादर ग्राहम स्टेंस को जिंदा जला दिया और फिर कंधामल में बड़े पैमाने पर ईसाई-विरोधी हिंसा भड़काई गई. अब पवित्र गाय, गौमांस, लव जिहाद और अन्य दर्जनों प्रकार के जिहादों के बहाने से मुसलमानों को डराया-धमकाया जा रहा है. वे डर के साए में जीने पर मजबूर हैं. कई शहरों में मुसलमान अपने-अपने मोहल्लों में सिमट गए हैं. जिन भी इलाकों में सांप्रदायिक हिंसा हुई, वहां अगले चुनाव में भाजपा का प्रदर्शन पहले से बेहतर रहा. अब ईसाई समुदाय के कुछ तबके भी आतंकित महसूस कर रहे हैं.

एक लम्बे समय से प्रजातान्त्रिक मूल्यों और बहुवाद को कमज़ोर किया जा रहा है. ये हमारे देश की मूल आत्मा हैं. पिछले दस वर्षों के भाजपा के शासन में हालात और ख़राब हुए हैं. इस अवधि में कहने को सरकार एनडीए की थी मगर भाजपा और हिन्दू राष्ट्र का उसका एजेंडा सर्वोपरि रहा. इसी अवधि में सरकारी एजेंसीयों जैसे ईडी, इनकम टैक्स और गुप्तचर संस्थाओं सहित चुनाव आयोग और न्यायपालिका जैसी संवैधानिक संस्थाएं भी हिन्दू दक्षिणपंथ के प्रभाव में आ गईं हैं और इससे हमारे संवैधानिक मूल्यों को अत्यंत गंभीर क्षति पहुंची है.

बढ़ती हुई गरीबी और गहराती आर्थिक असमानता और शिक्षा और स्वास्थ्य के क्षेत्र की बदहाली अत्यंत चिंताजनक है. अल्पसंख्यकों को दूसरे दर्जे का नागरिक बना दिया गया है. मुसलमानों के राजनैतिक प्रतिनिधित्व में ज़बरदस्त गिरावट आयी है. सत्ताधारी भाजपा का एक भी सांसद मुसलमान नहीं है और ना ही केन्द्रीय मंत्रिमंडल में एक भी मुसलमान है. वैज्ञानिक सोच – जो कि संविधान के नीति-निर्देशक सिद्धांतों का हिस्सा है, को दरकिनार कर दिया गया है.  शीर्ष संस्थान एक ‘मास्टर रेस’ बनाने की जुगत में हैं और इसके लिए गर्भ संस्कार आयोजित हो रहे हैं. आईआईटी मद्रास के निदेशक ने गौमूत्र को कई रोगों के लिए रामबाण औषधि बताया है. बाबा, जिनमें से कई राज्य पोषित हैं, हर तरह का ज्ञान बाँट रहे हैं.

अब हमें यह बताया जा रहा है कि भारत को आज़ादी 15 अगस्त 1947 को नहीं बल्कि अयोध्या के राममंदिर में प्राणप्रतिष्ठा के दिन 22 जनवरी 2024 को हासिल हुई थी.  यह कहा जा रहा है कि संविधान हमारे सभ्ग्यतागत मूल्यों के अनुरूप नहीं है और पूजा स्थल अधिनियम 1991 जैसे कानूनों को रद्दी की टोकरी में फेंकने की मांग हो रही है. यह अधिनियम कहता है कि पूजा स्थलों का वही स्वरुप बरक़रार रखा जाएगा जो 15 अगस्त 1947 को था.

इस अन्धकार में आशा की किरण कहा हैं? भारत जोड़ो यात्रा और भारत जोड़ो न्याय यात्रा ने हमें कुछ सांत्वना दी है. हमारे देशवासियों के एक बड़े तबके को यह समझ आ रहा है कि जो पार्टी धर्म का इस्तेमाल अपने राजनैतिक लक्ष्यों को हासिल करने के लिए करती है, वह हमारे प्रजातंत्र और हमारे संविधान की दुश्मन है. इसके साथ ही, कई राजनैतिक दल इंडिया गठबंधन बनाने का प्रयास कर रहे हैं.

कुछ सामाजिक समूह सद्भाव और शांति को बढ़ावा देने के लिए अभियान चला रहे हैं. कई सामाजिक समूह. जो आमजनों को उनके अधिकार दिलाने के अभियान में शामिल रहे हैं, एक मंच पर आकर सांप्रदायिक पार्टी और उसके पितृ संगठन द्वारा किये जा रहे दुष्प्रचार के बारे में लोगों को जागरूक कर रहे हैं. वे संवैधानिक नैतिकता के असली अर्थ से लोगों को परिचित करवा रहे हैं. इस बारे में समाज में बढ़ती जागरूकता, संतोष का विषय है. भाईचारे और संविधान के अन्य मूलभूत मूल्यों को बढ़ावा देने के ये अनूहे प्रयास सकारात्मक हैं.

हमारे पड़ोसी देशों ने साम्प्रदायिकता और कट्टरता का सहारा लिया और आज उनकी बुरी गत बन चुकी है. सांप्रदायिक ताकतें हमें उसी दिशा में ले जा रही हैं. आज हमें नए उत्साह के साथ संवैधानिक मूल्यों को मजबूत करते की ज़रुरत है.

बुधवार, 29 जनवरी 2025
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

ગાંધીહત્યાના કાવતરાના પર્દાફાશ પરનું વાચિકમ્‌ : અજોડ અંજલિ

સંજય સ્વાતિ ભાવે|Gandhiana, Opinion - Opinion|31 January 2025

પુણ્યતિથિએ મહાત્માને અમદાવાદમાં અજોડ કહી શકાય તેવી અંજલિ મળી. પાલડી વિસ્તારના મુક્ત રંગમંચ સ્ક્રૅપયાર્ડમાં ગાંધીહત્યા અને તેના પાયામાં રહેલી હિંદુત્વવાદી વિચારધારાનો પર્દાફાશ એક વિચારપ્રેરક પ્રભાવક કાર્યક્રમ થકી સંગીન રીતે કરવામાં આવ્યો. 

ગુરુવારે સાંજે વાચિકમ્‌ના આ યાદગાર પ્રયોગમાં ‘ગોડસેને ગાંધી કો ક્યોં મારા?’ પુસ્તક પર આધારિત વિગતો અને વિચારો ગુજરાતીમાં સોંસરી રીતે શ્રોતાઓ સુધી પહોંચ્યા. અશોક કુમાર પાંડેયના ઉપરોક્ત અકાટ્ય હિન્દી પુસ્તકનો જાણીતા નિર્ભિક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ હેમન્તકુમાર શાહે એ જ નામે કરેલો ગુજરાતી અનુવાદ ગયા વર્ષે ગાંધી પુણ્યતિથિએ પ્રસિદ્ધ થયો. 

વાચિકમ્‌માં અર્થશાસ્ત્રના નિવૃત્ત અધ્યાપક હેમન્તકુમારની સાથે તેમના જ ચિરંજીવી અને તેમના જ વિષયના યુવા અધ્યાપક આત્મન બીજા વાચક હતા. અનુવાદ પર આધારિત આલેખમાં ગાંધીજીની હત્યાના દરેકે દરેક પાસાંનું આધાર-પૂરાવા સાથે સચોટ વિશ્લેષણ છે. ભારતીય જનમાનસમાં ગાંધીહત્યાને લગતા જે બધા સવાલો છે તેના જવાબ, ગેરસમજની સ્પષ્ટતા અને ફેલાવવામાં આવેલાં જૂઠાણાંની સામેનું સત્ય પ્રતીતિજનક રીતે રજૂ  થયું છે.

આલેખમાં આવરી  લેવાયેલી કેટલીક બાબતો આ મુજબ હતી : ગાંધી હત્યાના છ પ્રયાસો, ગાંધીહત્યાની સાજીશના ગુનેગારોનો પરિચય, ગુનેગારોને પ્રેરણા આપનાર વ્યક્તિઓ અને પરિબળો, ચિત્તપાવન બ્રાહ્મણો અને હિન્દુ રાષ્ટ્રનું સ્વપ્ન, હત્યા, મુકદ્દમો, સાવરકરની સંડોવણી અને કપૂરપંચ, હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ, કાશ્મીર અને ગાંધીજી,  ગોડસેના બયાનને આધારે ગાંધીજીના નામે ચલાવાતાં રહેલાં જુઠ્ઠાણાં (પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા, ભાગલાના જવાબદાર ગાંધી, ભગતસિંહને ફાંસી અને ગાંધી ઇત્યાદિ).

પ્રયોગની રજૂઆતમાં રંગમંચનિહિત નાટ્યાત્મકતા તેમ જ રંજકતા, આલેખમાં કોઈ જાતનો સાહિત્યસ્પર્શ અને વાચનમાં વાગ્મિતા લગભગ ગેરહાજર હતા. બંને વાચકો પૂરી તૈયારી સાથે અસ્ખલિત રીતે વાંચતા હતા. સીધાસટ, stark naked, સઘન ગદ્યના બનેલા આલેખમાં હકીકતો, તારણો અને વિચારમુદ્દાઓ એવા ખીચોખીચ છતાં સંતુલિત હતા કે દોઢસો જેટલા શ્રોતાઓ સવા કલાક જકડાયેલા રહ્યા, કશું પણ ચૂકી જવું પોષાય તેમ ન હતું. 

વાચિકમ્‌ના આરંભે હતું ગીત ‘તારી હાક સુણીને કોઈ ના’વે …’. મધ્યમાં ગવાયું ‘રઘુપતિ રાઘવ રાજારામ’ અને અંત થયો ‘વૈષ્ણવજન’થી. ત્રણેય ગીતોનું ગાન હાર્મોનિયમની સંગતે સેન્ટ ઝેવિયર્સ કૉલેજના વિદ્યાર્થી સ્નેહમ(Sneham)એ તન્મયતાથી કર્યું. તેને કારણે આમ તો કેવળ ગદ્યના, અને અસ્વસ્થ બનાવનારા વાચિકમ્‌ને સૂરલયની અર્થપૂર્ણ છાલક મળી. 

કાર્યક્રમમાં એમ લાગ્યું કે જાણે કાલપુરુષ દેશ અને દુનિયાના ઇતિહાસનું એક પીડાજનક છતાં ય સાંપ્રતમાં અતિશય પ્રસ્તુત પ્રકરણ ભારતીયોને તેની વિદારક ભવ્યતા સાથે સંયત રીતે વાંચી સંભળાવતો હતો.

બે પેઢીના બે સજ્જ-સક્રિય અધ્યાપકો (અહીં તો પિતા-પુત્ર) ગ્રંથાલય અને શિક્ષણ સંસ્થાથી આગળ વધીને બહોળા સમાજને મહત્ત્વના વિચારો કેવી લોકભોગ્ય રીતે પહોંચાડી શકે તેનું આ કાર્યક્રમ એક નોંધપાત્ર દાખલો હતો. તદુપરાંત, એક દસ્તાવેજી તેમ જ વૈચારિક પુસ્તકને ઓછામાં ઓછી સાધનસામગ્રીથી લોકો સુધી લઈ જવામાં રંગમંચ કેવી રીતે અસરકારક માધ્યમ બની શકે તે પણ જોવા મળ્યું. અને આ મંચ તકલીફમાં મૂકવાની ક્ષમતાવાળા કાર્યક્રમોને માટે આપનાર (બલકે તેના પર આવા પ્રયોગોને આવકારનાર) નેહા-કબીર અને ઠાકોર પરિવાર અમદાવાદનું ઘરેણું ગણાય.

હેમન્તકુમાર શાહ અનુવાદિત ઉપરોક્ત પુસ્તક અમદાવાદના કલ્પવૃક્ષ પ્રકાશને પ્રસિદ્ધ કર્યું છે. તેની છસોથી વધુ નકલો વાચકોએ વસાવી છે, અને નવું સંસ્કરણ ટૂંક સમયમાં થશે એવું પ્રકાશક કેયૂર કોટકે જણાવ્યું છે. આ પુસ્તકની હજારો નકલો વેચાવી જોઈએ. તેની પર આધારિત વાચિકમ્‌ના સંખ્યાબંધ પ્રયોગો પણ થવા જોઈએ. 

(આભાર : નયીમ; તસવીર અને કોલાજ સૌજન્ય : પાર્થ)
31 જાન્યુઆરી 2025
 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...266267268269...280290300...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved