ધબ્બ
દઈને બંધ થઈ જાય
એ જ બારણું ?
આ તે હિમાલયને
ધબ્બ દઈને
બારણે બંધ કરવા
નિકળ્યા છે…
આ તે
કાશ્મીરના ખોળામાં
ખળખળ વહેતી
ઝેલમને
ધબ્બ દઈને
બારણે બંધ કરવા
નિકળ્યા છે.
ઋષિ મુનિઓએ
જ્ઞાનના હિમાલય પર
આરોહણ કર્યાં,
તર્કની તલવારો
હજારો વર્ષ
ચમકાવી, ટકરાવી
તલવારોના તણખાઓએ
પ્રકાશ પાથર્યો
કે
સસલાંને શિંગડાં
હોય
એ તો
કલ્પનાની પેલે પારની વાત
અને આકાશ કુસુમની
વાત ય
કલ્પનાને પેલે પાર.
આકાશ જેવડું ફૂલ
કોઈના સપનામાંય
સમાતું નથી!
આ તો
આકાશ જેવડું બારણું
ધબ્બ દઈને
વાસવા બેઠા છે!
આ તો ધબ્બ દઈને
ધબકતાં હ્રદયને
બારણે બંધ કરવા
ઊભા છે.
ધબકતાં હ્રદયની
ધમનીઓનાં બારણાં
ધબ્બ દઈને બંધ કરતા ડોક્ટરોને
કદી તમે જોયા છે ?
ડોક્ટરો
હ્રદયની બંધ નળીઓનાં
બારણે
ટકોરા મારે છે,
ખોલી નાંખે છે બંધ નળીઓનાં બારણાં,
ધબક ધબક ધબકે છે
હ્રદય.
શું
ધબ્બ દઈને
બંધ કરવા જ
બારણાં હોય છે ?
E-mail : manishijani@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 14
![]()


ડાહ્યાભાઈ લેખક કરતાં કવિ તરીકે વધુ પ્રખ્યાત છે કેમ કે એ એમના નામની આગળ હંમેશ કવિ લખતા. 'દિનેશ’નું ઉપનામ શા માટે ચૂંટ્યું એની ઝાઝી ખબર નથી.
યુગાન્ડામાં હતા ત્યારે પણ એમનું સાહિત્યસેવન, લેખન, સાહિત્યકારોનું બહુમાન અને સાહિત્યિક કાર્યક્રમ માટે પ્રોત્સાહન એમના વ્યક્તિત્વનું હૃદયસ્પર્શી પાસું હતું. કમ્પાલામાં તેમણે 'જાગૃતિ’ નામનું માસિક શરૂ કર્યું અને ચલાવ્યું. એમની વાર્તાઓનો વિશેષાંક તૈયાર કરાવ્યો હતો, તેને કદાચ આપણે ગુજરાતી સાહિત્યનો પહેલો ડાયાસ્પોરિક વાર્તા વિશેષાંક ને સંગ્રહ ગણી શકીએ.

ગુજરાતી સાહિત્યમાં મકરંદ દવેની કવિ તરીકેની નોંધાયેલી છે. તેમના વિવિધ કાવ્યસંગ્રહોમાં સંકલન ‘કોઈ ઘટમાં ગ્રહેકે ઘેરું’ ત્રણ ભાગમાં સંપાદિત થયેલ છે. સાહિત્યપ્રેમી ગુજરાતી સાહિત્યવિદોએ મકરંદ દવેને રણજિતરામ સુવર્ણચંદ્રકથી પોંખેલા છે. અને ઈ.સ. ૨૦૦૦માં ગુજરાતી કવિતાનો શ્રેષ્ઠ ઍવૉર્ડ નરસિંહ મહેતા મકરંદભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. કવિની સાથે જ નવલકથાકાર, નાટ્યકાર અને અનુવાદક તરીકે તેમની સાહિત્યિક ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે.