Opinion Magazine
Number of visits: 9576437
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ચાલો જોઉં, થોડાક ભૂંસુ સાથે ઘીથી લથબથ ઘારીનો આ ટુકડો મોંમા મૂકો તો ખરા. મજા પડી જહે …’

અંકિત દેસાઈ|Opinion - Opinion|12 February 2020

નકામો ખર્ચ કરવા બાબતે સુરત કેવું લહેરીલાલું છે એનો કડવો (બાપુ માટે હેં કે!) અનુભવ દાંડીયાત્રા વખતે ગાંધીજીને થયેલો. દાંડીયાત્રા વખતે ગાંધીજી ભરૂચ જિલ્લામાંથી સુરતમાં પ્રવેશેલા ત્યારે સુરત જિલ્લામાં ઉત્તરે આવેલા એરથાણમાં જરીક બબાલ થઈ ગયેલી. ગાંધીજીનો કાફલો કીમ નદી પાર કરીને સુરત જિલ્લામાં જેવો પ્રવેશ્યો કે તેમની બધી જવાબદારી કાનજીભાઈ દેસાઈ, કલ્યાણજી મહેતા કે કુંવરજીભાઈ મહેતા જેવા સુરતના ત્યારના અગ્રણીઓએ લઈ લીધેલી. આ સિવાય બીજા ય ઘણા અગ્રણીઓ હતા, જેમણે ગાંધીજી અને બીજા સત્યાગ્રહીઓને એરથાણથી જલાલપોરના દાંડી ગામ સુધી લઈ જવાની જવાબદારી લીધેલી.

હવે થયું એવું કે ઓલપાડ તાલુકામાં એ સમયે રેંટિયાનો પ્રચાર ઓછો અને એ કારણે ત્યાં સ્વદેશી ખાદીનું ચલણ ઓછું હતું. અને ગાંધીજી સુરત જિલ્લામાં આવવાના હતા એટલે આગેવાનોએ એમ વિચાર્યું કે બારડોલી સત્યાગ્રહ કરી ચૂકેલી પ્રજાના સ્વદેશી પ્રત્યેના આવા અભિગમથી ગાંધીજીને ખોટું લાગશે. એટલે તેઓ જો વળગ્યા તો બીજો કશો વિચાર ન કર્યો ને છેક બારડોલીથી થોડાં ગાડાં ભરીને રેટિંયા સુરત મગાવી લીધા! તેમને ખબર નહોતી કે લોકોની જરૂરિયાત જાણ્યા વિના આ રીતે બલ્કમાં રેંટિયા પહોંચાડવા અને એને માટે તાત્કાલિક ઊભો કરાયેલો ગાડાનો ખર્ચો ગાંધીજી જેવા મિનિમલિસ્ટને અત્યંત કઠી પડશે.

આ કિસ્સા પછી બાપુનું દિમાગ થોડું હટી તો ગયું હતું, પરંતુ ત્યારે તેઓ સમસમીને બેસી રહેલા. એવામાં ગાંધીજી પોતાના ઉપયોગમાં લેતા એ કાચનો પ્યાલો તૂટી ગયો. એટલે કલ્યાણજીભાઈ મહેતાએ એક નહીં ને બે કાચના ગ્લાસ ગાંધીજી માટે મોકલી દીધા. આ બાબતે ય ગાંધીજીનું હટી ગયું હતું કારણ કે આ ફકીર કંઈ ફકીર હોવાનો દાવો માત્ર નહોતો કરતો, ફકીરીને એ ખરા અર્થમાં જીવતો હતો. એટલે એ સાચ્ચેસાચ એ ઝોલો લઈને નીકળી પડતો અને એ ઝોલામાં જેટલી જરૂરિયાતની હોય એટલી જ વસ્તુઓ રહેતી. એમાં એક વધારાના પ્યાલાનું મોહનદાસ શું કરે?

આ સિવાય સુરતમાં ત્રીજો એક કિસ્સો બન્યો. દાંડી યાત્રાના દિવસોમાં મોહનદાસે તેમનો ખોરાક નિયત રાખેલો અને એ નિયત ખોરાક જ લેવાનો તેઓ આગ્રહ રાખતા. તેમના એ ખોરાક પર નજર કરીએ તો સવાર-બપોર અને સાંજે બકરીનું દૂધ (જો હોય તો જ!), સૂકી દ્રાક્ષ અથવા ખજૂર અને ત્રણ ખાટાં લીંબું ! બસ આટલી જ વાનગીઓ હતી. એવામાં સુરતમાં કોઈકે ડહાપણ કર્યું અને કોઈને પૂછ્યા વિના ગાંધીજી માટે સંતરા, લીલી દ્રાક્ષ, બાપુ કંઈક સારું પામશે એવા આશયથી ઘરની થોડી દૂધી અને ટમેટાં પણ મોકલ્યાં.

આ વખતે બાપુ ચૂપ ન રહ્યા અને આટલી બધી સરભરા તેમ જ પોતાને કારણે થઈ રહેલા નાહકના ખર્ચને કારણે તાત્કાલિક અસરથી તેમણે જાહેરાત કરી દીધી કે હવે હું આખી યાત્રા દરમિયાન લીંબુ સિવાય બીજું કોઈ ફળ નહીં લઉં અને કોઈએ પેલાં ખર્ચાળ રેટિંયા ન સ્વીકારી માત્ર તકલી ઉપર જ ૧૬૦ તાર નિયમિત કાંતવું.

ઉપર જણાવી એ ત્રણેય ઘટનાઓ એરથાણ ગામની હતી. ત્યાંથી દાંડીના સત્યાગ્રહીઓ ભટગામ જવાના હતા. એરથાણથી ભટગામનો રસ્તો અત્યંત ખરાબ હતો, વળી એ સમયે અંધારું હતું. એટલે કોઈ સુરતી નેતાએ બીજા કોઈને પૂછ્યા વિના બે ગેસની બત્તીની વ્યવસ્થા કરાવી રાખેલી અને એ બે બત્તીઓ દુર્બળ મજૂરો પાસે ઊંચકાવી હતી. ગાંધીજીએ જ્યારે આ જોયું કે બે દુર્બળ મજૂરો તેમની સાથે માથે ગેસની બત્તી લઈને ચાલવાના છે તો એમને સહેજ ચચર્યું. આથી એ મજૂરોને વધુ સમય કષ્ટ ન પહોંચે એમ વિચારીને મોહનદાસે તેમની ચાલવાની ઝડપ વધારી નાંખી. હવે મોહનદાસ આમે ય તેમની ઝડપી ચાલ માટે ખ્યાત હતા જ, એમાં જો તેમણે તેમની ચાલ વધુ ઝડપી કરી હોય તો તેઓ કેવા ફિલ્મી ઢબે આગળ વધ્યા હશે?

ગાંધીજીની સાથે ચાલનારાઓને એ બાબતે કશી ખબર નહોતી, તેઓ તો ગાંધીજીનું અનુકરણ કરતા વધુ ઝડપે ચાલવા માંડ્યા. પરંતુ પેલા બે મજૂરો બાપડા ગોથું ખાઈ ગયા અને લગભગ દોડી રહેલા મોહનદાસ સાથે તાલ નહોતા મિલાવી શકતા. એવામાં અડધેથી યાત્રામાં સાથે ભળેલા સુરતમાંના એકાદને થયું કે આ મજૂરો ધીરે ચાલે છે તો બાપુને અંધારામાં તકલીફ પડશે. એટલે તેણે જુવારના સાંઠકડાથી મજૂરોને ગોદો માર્યો. પેલાનું નસીબ પાધરું નહીં હોય એટલે ગાંધીજી આ જોઈ ગયા અને કોઈ અત્યંજને આ રીતે નકામી વ્યવસ્થા માટે ભોગગવું પડે એ વાતને લઈને તેઓ ઉશ્કેરાઈ ગયા.

અને ભટગામ પહોંચીને તેમણે ખિન્ન હ્રદયે લાંબુ વ્યક્તવ્ય આપ્યું, જેમાં તેમણે લાખ રૂપિયાની વાત કરી કે, ‘આપણી ગરીબીને છાજે તે કરતાં વધારે ખર્ચ કરવો એ પણ ચોરી જ છે.’ એ વક્તવ્યમાં જરૂરિયાત સિવાયની વધારાની વસ્તુઓ વાપરવા વિશે મોહનદાસે બીજી ય ઘણી વાતો કરેલી, જે વાતો આજના સમયના સંદર્ભમાં ક્યાં તો દંભ લાગે અથવા તો એ કોઈ પણ કાળે અશક્ય લાગે. એ સિવાય એમાં ત્રીજો કોઈ અવકાશ નહીં હોય.

પરંતુ આ આખા કિસ્સામાં મને જે વાતમાં મજા પડી ગઈ એ વાત હતી સુરતી મિજાજની. આમ તો આ ગુણ આખા ગુજરાતનો કહી શકાય, કારણ કે કાઠિયાવાડીઓ પણ આગતાસ્વાગતા બાબતે એવા જ હોશિલા અને પેટમાંનું કાઢી આપે એવા. પરંતુ સુરતનો મિજાજ જરા એવો ખરો કે જ્યાં માત્ર સાંઠ જ ખર્ચવાના હોય તો ય હોંશેહોંશે સો ખર્ચી નાંખે. આને ઉડાઉપણું ન કહેવાય, પરંતુ કરકસર આ પ્રજાનો સ્વભાવ નથી. અને કંજૂસાઈ કોને કહેવાય એની તો આ પ્રજાને ખબર જ નથી.

કરકસર સંદર્ભે આપણે જો કોઈક તાપી દક્ષિણ તટવાસી સાથે દલીલ કરીએ કે ‘આટલા બધા નાહકના ખર્ચાની શું જરૂર હતી?’ તો સામે આવતા જવાબમાં ખ્યાલ આવી જાય કે એ ખર્ચાના મૂળમાં દેખાડો ઓછો, અને ‘ભાઈ, છેલ્લી ઘડીએ ઘટી પઈડું કે વધારેની જરૂર તો ટાઈમ પર કાં દોડહું? એના કરતા થોડુંક વધારે જ લેઈ મૂકેલું હારું!’ જેવો આશય હોય.

અને બીજું ઑબ્ઝર્વેશન એ કે તાપીને દક્ષિણે વસતી આ પ્રજા ખાવાપીવાની બાબતે કે કમ્ફર્ટની બાબતે ગાંધીને ય ઘોળીને પી જાય. ગાંધી ભલે ઓછું ખાવામાં માનતા હોય, પરંતુ આ પ્રજાનો મિજાજ એવો જ રહે કે, ‘ગાંધીજીને હૂજે, એ તો બોઈલા કરે. આપણે એમને ખવડાવહું એટલે તે હો ખુશ થઈ જહે …’ સામે છેડે ગાંધીજી ય એમના નિયમોનું ચુસ્ત પાલન કરે એ વાત અલગ છે, પરંતુ આ પ્રજાનો ખવડાવવાનો શોખ અને જલસાપાણીનો શોખ ગજબ છે. હવે તો ગાંધીના કે ગાંધીજી પર લખાયેલા પુસ્તકોમાં એ શોધવું રહ્યું કે કોઈકે ક્યારેક મોહનદાસને ઘારી કે પોંકની ઑફર કરેલી કે નહીં? ગાંધીએ એ ન ખાધું હોય એ અલગ વાત છે, પણ કદાચ એકાદ એવો કિસ્સોઅ જડી ય જાય કે, ‘બાપુ સદાવ્રત સદાવ્રત હૂં કઈરા કરો … માણહ કંઈ ખાય હો ખરો કે ને? ચાલો જોઉં, થોડાક ભૂંસુ સાથે ઘીથી લથબથ ઘારીનો આ ટુકડો મોંમા મૂકો તો ખરા. મજા પડી જહે …’

તો પછી એ હિસાબે મહાદેવભાઈ જરૂર નોખી માટીના કહેવાય, જે મોહનદાસ સાથે આજીવન તાલ મિલાવી શકેલા!

તમે હૂં કેવ?

(માહિતી આધાર: 'દાંડીકૂચ' પુસ્તક)

https://www.facebook.com/ankit.desai.923/posts/10207050986468985    

Loading

Manufacturing Hate and Violence: Anurag Thakur’s ‘Shoot the Traitors’

Ram Puniyani|English Bazaar Patrika - OPED|10 February 2020

Social organisations and political parties need to cultivate Indian fraternity again.

Noam Chomsky is one of the leading peace workers in the world. In the wake of America’s attack on Vietnam, he brought out his classic formulation, ‘manufacturing consent’. The phrase explains the state manipulating public opinion to have the public approve of it policies—in this case, the attack of the American state on Vietnam, which was then struggling to free itself from French colonial rule.

In India, we are witness to manufactured hate against religious minorities. This hatred serves to enhance polarisation in society, which undermines India’s democracy and Constitution and promotes support for a Hindu nation. Hate is being manufactured through multiple mechanisms. For example, it manifests in violence against religious minorities. Some recent ghastly expressions of this manufactured hate was the massive communal violence witnessed in Mumbai (1992-93), Gujarat (2002), Kandhamal (2008) and Muzaffarnagar (2013). Its other manifestation was in the form of lynching of those accused of having killed a cow or consumed beef. A parallel phenomenon is the brutal flogging, often to death, of Dalits who deal with animal carcasses or leather.

Yet another form of this was seen when Shambhulal Regar, indoctrinated by the propaganda of Hindu nationalists, burned alive Afrazul Khan and shot the video of the heinous act. For his brutality, he was praised by many. Regar was incited into the act by the propaganda around love jihad. Lately, we have the same phenomenon of manufactured hate taking on even more dastardly proportions as youth related to Hindu nationalist organisations have been caught using pistols, while police authorities look on.

Anurag Thakur, a BJP minster in the central government recently incited a crowd in Delhi to complete his chant of what should happen to ‘traitors of the country…” with a “they should be shot”. Just two days later, a youth brought a pistol to the site of a protest at Jamia Millia Islamia university and shouted “take Azaadi!” and fired it. One bullet hit a student of Jamia. This happened on 30 January, the day Nathuram Godse had shot Mahatma Gandhi in 1948. A few days later, another youth fired near the site of protests against the CAA and NRC at Shaheen Bagh. Soon after, he said that in India, “only Hindus will rule”.

What is very obvious is that the shootings by those associated with Hindu nationalist organisations are the culmination of a long campaign of spreading hate against religious minorities in India in general and against Muslims in particular. The present phase is the outcome of a long and sustained hate campaign, the beginning of which lies in nationalism in the name of religion; Muslim nationalism and Hindu nationalism. This sectarian nationalism picked up the communal view of history and the communal historiography which the British introduced in order to pursue their ‘divide and rule’ policy.

In India what became part of “social common sense” was that Muslim kings had destroyed Hindu temples, that Islam was spread by force, and that it is a foreign religion, and so on. Campaigns, such as the one for a temple dedicated to the Hindu god Rama to be built at the site where the Babri masjid once stood, further deepened the idea of a Muslim as a “temple-destroyer”. Aurangzeb, Tipu Sultan and other Muslim kings were tarnished as the ones who spread Islam by force in the subcontinent. The tragic Partition, which was primarily due to British policies, and was well-supported by communal streams also, was entirely attributed to Muslims. The Kashmir conflict, which is the outcome of regional, ethnic and other historical issues, coupled with the American policy of supporting Pakistan’s ambitions of regional hegemony, (which also fostered the birth of Al-Qaeda), was also attributed to the Muslims.

With recurring incidents of communal violence, these falsehoods went on going deeper into the social thinking. Violence itself led to ghettoisation of Muslims and further broke inter-community social bonds. On the one hand, a ghettoised community is cut off from others and on the other hand the victims come to be presented as culprits. The percolation of this hate through word-of-mouth propaganda, media and re-writing of school curricula, had a strong impact on social attitudes towards the minorities.

In the last couple of decades, the process of manufacturing hate has been intensified by the social media platforms which are being cleverly used by the communal forces. Swati Chaturvedi’s book, I Am a Troll: Inside the Secret World of the BJP’s Digital Army, tells us how the BJP used social media to spread hate. Whatapp University became the source of understanding for large sections of society and hate for the ‘Other’, went up by leaps and bounds. To add on to this process, the phenomenon of fake news was shrewdly deployed to intensify divisiveness.

Currently, the Shaheen Bagh movement is a big uniting force for the country; but it is being demonised as a gathering of ‘anti-nationals’. Another BJP leader has said that these protesters will indulge in crimes like rape. This has intensified the prevalent hate.

While there is a general dominance of hate, the likes of Shambhulal Regar and the Jamia shooter do get taken in by the incitement and act out the violence that is constantly hinted at. The deeper issue involved is the prevalence of hate, misconceptions and biases, which have become the part of social thinking.

These misconceptions are undoing the amity between different religious communities which was built during the freedom movement. They are undoing the fraternity which emerged with the process of India as a nation in the making. The processes which brought these communities together broadly drew from Gandhi, Bhagat Singh and Ambedkar. It is these values which need to be rooted again in the society. The communal forces have resorted to false propaganda against the minorities, and that needs to be undone with sincerity.

Combating those foundational misconceptions which create hatred is a massive task which needs to be taken up by the social organisations and political parties which have faith in the Indian Constitution and values of freedom movement. It needs to be done right away as a priority issue in with a focus on cultivating Indian fraternity yet again.

Loading

વો સુબહ કભી તો આયેગીઃ લોકશાહીને ધ્રુવીકરણનો અપચો થશે ત્યારે ઘૃણાના રાજકારણનો તખ્તો ફેરવાશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 February 2020

ગમે એટલું ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી થાય પણ ભણેલા-ગણેલા લોકો માટે અંતે તો વિકાસલક્ષી, બને એટલી પારદર્શી, ઉદારમતવાદી અને નક્કર પરિણામ લાવી આપે એવી જ સરકારમાં રસ છે.

લોકશાહીમાં ચૂંટણી એક બહુ મોટું હથિયાર છે, આમ તો આ હથિયારની ધાર કાઢવી કે તેનો યોગ્ય ઉપયોગ કરવો નાગરિકોના હાથમાં જ હોય છે પણ સત્તા ભૂખ્યા રાજકારણીઓને આ હથિયારનો દુરુપયોગ બહુ સારી પેઠે આવડે છે. પણ છતાં ય ચૂંટણી નામના આ હથિયારનો હાથો અંતે તો નાગરિકોના હાથમાં જ હોય છે. દિલ્લીની ચૂંટણી માથે છે ત્યારે ઓપિનિયન પૉલ્સમાં અરવિંદ કેજરીવાલની જીત સ્વાભાવિક હોઇ શકે છે તેવું દેખાઇ રહ્યું છે. જો અરવિંદ કેજરીવાલ જીતી જાય તો એ સાબિત થઇ જશે કે લોકોને સુશિક્ષિત, વિકાસલક્ષી અને સમાજનું ધ્રુવીકરણ ન કરે તેવી લોકશાહીમાં જ રસ છે. પાટનગરની ચૂંટણીના માહોલમાં એક નવો શબ્દપ્રયોગ પ્રચલિત થયો છે, ‘પૉલિટિક્સ ઑફ હેઇટ’ અને આવું રાજકારણ એ લોકશાહી માટે ઊધઇ સાબિત થાય છે. મૂળ તો એ મુદ્દાની વાત કરવાની છે કે સાત દાયકાથી આપણે જે લોકશાહી જીવી રહ્યા છીએ તે આમ તો ઉદારમતવાદી હોવી જોઇએ, ન કે જ્યાં માત્ર બહુમતીનું શાસન ચાલતું હોય અને ધ્રુવીકરણનું રાજકારણ ટોચ પર હોય. ઉદારમતવાદી લોકશાહી નાગરિકોના મૂળભૂત અધિકાર, લઘુમતી અને સામાજિક રીતે વંચિતોના રક્ષણ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જૂદા પડતાં જૂથોની વાજબી સ્વાયત્તતા આ તમામનું રક્ષણ કરી શકે તેવું સ્વતંત્ર ન્યાયતંત્ર અને આ આખા ય માળખા પર ચાંપતી નજર રાખી શકે, કોઇપણ દબાણ વિના પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે તેવો લોકશાહીનો ચોથો પાયો એટલે કે મીડિયા.

છેલ્લા સાત દાયકામાં વાણી અને વ્યક્તિ સ્વાતંત્ર્યથી માંડીને લોકોના અધિકારોની વાતને મામલે આપણી લોકશાહીને બેલનશીટમાં એક કરતાં વધારે વાર અસંતુલન જોવા મળ્યું છે. સિત્તેરના દાયકામાં ઇંદિરા ગાંધીની સરકારે કટોકટી જાહેર કરી અને નાગરિકોના અધિકાર છીનવી લીધા. રાજકીય ઇતિહાસકારોના મતે આ બંધારણીય રીતે શક્ય હતું જેને પગલે રાષ્ટ્ર અને નાગરિકોના અધિકારોને શક્તિશાળી-સત્તાધારી કેન્દ્ર ધારે તો પોતાના હાથમાં લઇ શકે. બંધારણનાં બ્રહ્માસ્ત્રનો સરકારે સરિયામ દુરૂપયોગ કર્યો. પણ નાગરિકોને ત્યારે જ યાદ આવ્યું કે તેમના હાથમાં ચૂંટણી નામના શસ્ત્રનો હાથો છે અને તેમણે તેનો ઉપયોગ કર્યો. ઇંદિરા ગાંધીની સરકાર પડી ભાંગી, એ વાત અલગ છે તે કૉન્ગ્રેસ ફરી સત્તા પર આવી પણ પછી ઘણું બધું બદલાયું પણ. લોકશાહીને અંદરથી ખોતરીને પાંગળી કરતા રાજકરાણીઓને આવડ્યું જ છે. નરેન્દ્ર મોદીની ભા.જ.પા. આ મામલે બધી હદ પાર કરી ચૂકે એ સ્તરે પહોંચી છે. લોકશાહીને સતત પોલી કરતા રહે એવાં શક્ય એટલા બધા બેફામ નિર્ણયો, આડેધડ જાહેરાતો અને વિધાનો ઉચ્ચારવામાં આ સરકાર આંખનું મટકું પણ નથી મારતી.

૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ફલક પર રાજકારણી તરીકે પગ મૂક્યો ત્યારે તેમની છબી એક એવા માણસ તરીકે ખડી કરાઇ જેણે ગુજરાતનો ચહેરો બદલ્યો હતો અને તે બાકી રાષ્ટ્રમાં પણ એવો વિકાસ લાવી શકશે. વળી તેમના સામાન્ય બેકગ્રાઉન્ડને, તેમની જાતને પણ વારંવાર નાગરિકો સામે મુકવામાં આવ્યું એટલે લોકોને લાગે કે આ તો આપણામાંનું જ કોઇ છે. મોદીની સરકાર સત્તા પર આવી અને આર્થિક સફળતાનાં બધાં વચનો પોકળ સાબિત થયાં, બેરોજગારી વધી, રોકાણને નામે બધું તળિયે બેસી ગયું. કમનસીબે આ મુદ્દાઓ બધા ગૌ રક્ષા, બીફ બાન, ટ્રીપલ તલાક એ બધી બુમરાણમાં ઊંચા અવાજે અને સ્પષ્ટ ચર્ચાયા જ નહીં. ૨૦૧૯માં જ્યારે બીજી ટર્મ માટે ચૂંટણી લડવાની આવી ત્યારે રાષ્ટ્રવાદ, સામાજિક કલ્યાણ અને મોદીવાદ આગળ ધરાયા જેને કારણે ધ્રુવીકરણ વધ્યું, મીડિયાનું પક્ષપાતી વલણ વધારે ધાટું બન્યું અને ભા.જ.પા.ના સદ્દનસીબે વિરોધપક્ષ કોઇ આદર્શ પડકાર ન મેળવી શકવાને કારણે ભા.જ.પા. ૨૦૧૪ની ચૂંટણીમાં મેળવી હતી તેના કરતા કંઇક ગણી મોટી જીત મેળવી.

ઉદારમતવાદી લોકશાહીની સ્થિતિ આખી દુનિયામાં ચકાસણી માગે તેવી હાલતમાં છે પણ આપણે તો ઘરભણી જ નજર કરવી રહી. દિલ્હીની ચૂંટણીમાં જો કેજરીવાલની સરકાર આવે તો એ સાબિત થઇ જશે કે ગમે એટલું ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી થાય પણ ભણેલા-ગણેલા લોકોને માટે અંતે તો વિકાસલક્ષી, બને એટલી પારદર્શી (રાજકારણમાં કશું ય પૂરેપૂરું પારદર્શી નથી હોતું), ઉદારમતવાદી અને નક્કર પરિણામ લાવી આપે એવી જ સરકારમાં રસ છે. દિલ્હીની આસાપાસના જ રાજ્યોમાં જોઇએ તો ત્યાં નાગરિકોને ધ્રુવીકરણનું રાજકારણ માફક આવે છે અને તેનું સૌથી મોટું કારણ છે ત્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. ભણેલા-ગણેલા, મેટ્રો સિટીઝમાં રહેતા લોકોને ધર્મ, જાતિ, ઊંચ-નીચના રાજકારણમાં રસ નથી જ એવું કહી દેવું યોગ્ય નથી, પણ તેમને માટે આ મુદ્દાઓ જીવન-મરણનો સવાલ નથી. તેમને રસ છે એવી સત્તામાં જે તેમને કામ કરવા દે, જેની કામગીરીને કારણે વિરોધ પ્રદર્શનોના આવેગમાં શક્તિ ન ખર્યાય, લાઇટ-પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે અધધધ પૈસા ચૂકવ્યા બાદ પણ કરવેરાના બોજમા ખાલી ન થઇ જવું પડે, એવી સરકાર જ્યાં તેમને પોતે અમુક ધર્મનાં હોય તો ભેદભાવનો ભોગ ન બનવું પડે. કમનસીબે આવો વર્ગ ભારતમાં હોવા છતાં ય નિરક્ષરતા અને ઝનૂન એક બહુ મોટા વર્ગ પર અસર કરતો રહે છે. બહુમતીની સરકાર ચલાવનારાઓ માટે આ વર્ગને મેનેજ કરવો બહુ અઘરો નથી કારણ કે અહીં તેમણે વિવાદી-જોશ ઉછાળતા વિધાનો કરવાના છે અને વૉટ્સઅપ એક્ટિવિસ્ટ્સને કામે લગાડવાના છે. બહુ મોટો વર્ગ જે હવે સેલફોન ધારી છે તેને માટે ફોન પર ફેલવવામાં આવેલી બધી જ માહિતી સાચી છે અને તેમને તેની ખરાઇ કરવાની જરૂર તો શું વિચાર સુદ્ધાં નથી આવતો. ભારતીય ઇતિહાસને લગતી ધડ-માથાં વગરની ચર્ચાઓ ચલાવવામાં આ સેલફોનધારી ભક્તો મચી પડે છે અને તેમને લાગે છે કે તેમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. રાજકારણીઓનાં ઠાલાં વચનો તેમનું પેટ ભરી દેશે, દેશને સાફ કરી દેશે (લઘુમતીથી પીછો છોડાવીને) તેવું વિચારનારા આ વર્ગને લોકશાહીનું સત્વ નથી સમજાતું. આ પાછું આખી દુનિયામાં લાગુ પડે છે, પછી આ મોદી ભક્તો હોય, બ્રેક્ઝીટને ટેકો આપનારા હોય, બ્રાઝીલિયન પ્રેસિડન્ટ જેર બોલ્સોનારોને ટેકો આપનારા હોય કે ટ્રમ્પ પ્રેમીઓ હોય.

CAA સામેના વિરોધે જ્યારે ગતિ પકડી ત્યારે ઘણાંને ઉત્કંઠા હતી કે સરકાર શું કરશે? સરકાર આ વિરોધો જેમ ચાલે છે તેમ ચાલવા દેશે કે પછી તેમને ડામી દેશે? પણ ભા.જ.પા. જેમાં માહેર છે એ જ કરી રહ્યો છે અને આ વિરોધોનો ઉપયોગ તેઓ કોમવાદ અને હિંસા ફેલાવવામાં જ કરશે, જે દિલ્હીના ચૂંટણી પ્રચારમાં દેખાઇ જ રહ્યું છે. ભારતીય લોકશાહી પરનો આ બહુ મોટો ધબ્બો છે કે સંજોગાવસાત હિંસાનો ઉપયોગ મત ભેગા કરવામાં હંમેશાં કરવામાં આવે છે. આપણે એમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ કે હિંસાનું રાજકારણ કે ધિક્કારનું રાજકારણ હવે કામ નથી કરતું. જેને આ ફાવે છે તેઓ તેનો બિંધાસ્ત ઉપયોગ કરે છે. કટ્ટરવાદને કાબૂમાં લેવા માટે માત્ર ચૂંટણી કામ ન આવી શકે, ભારતીય રાજકારણનું માળખું, લોકશાહીની રચના બદલાઇ રહી છે. પરંતુ તેની સામે એ પણ એટલું જ સાચું છે કે અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન સાથે જોડવા, તેમને આતંકવાદી કહેવા, શાહીનબાગની વાત કર્યા કરવા જેવા આંડબરી વિધાનો કેટલા પોકળ છે એ લોકોને ખબર પડે જ છે.

અમિત શાહ, યોગી આદિત્ય નાથ કે અનુરાગ ઠાકુર (બધાની રાશિ તો પાછી મેષ જ છે) આ બધા માત્ર દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામ નથી કરી રહ્યા, તેઓ તેમના પક્ષની મર્દાનગીનું પ્રદર્શન કરવામાં એક્કા છે અને હજ્જારો યુવાનોને આવું બળવાન લાગતું સ્વમાન માફક આવે છે. હિંસાનો તર્ક બદલાઇ રહ્યો છે, લોકશાહી નહીં પણ બહુમતીના રાજકારણમાં આ તેનો પ્રભાવ વર્તાય જ છે. પણ છતાં ય દિલ્લી ચૂંટણીનું પરિણામ શિક્ષિત વર્ગની પસંદગી સ્પષ્ટ કરનારું સાબિત થશે, બસ, મત ગણતરીમાં બને એટલી પારદર્શિતા રહેવી જોઇએ. આ કહેવું જ પડે છે કારણ કે ઝનૂની રાજકારણનાં દાવપેચમાં કશું પણ અણધાર્યું બની જ શકે છે.

બાય ધી વેઃ

લોકશાહીની નક્કરતા જળવાય તે અંતે તો નાગરિકોના હાથમાં જ છે. આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા હોવા છતાં ય બહુ મોટા હિસ્સાને ધ્રુવીકરણનું રાજકારણ માફક આવવા માંડ્યું છે જે લોકશાહી માટે બહુ મોટું જોખમ છે. લોકશાહી માત્ર મોહરું રહી જાય તેવું ન બનવું જોઇએ કારણ કે અંતે તે આપણી ઓળખ છે. આપણે યાદ રાખવું પડશે કે આપણને ઝનૂનમાં નહીં પણ એક શાંત, સ્થિર, હળીમળીને રહેતા હોય એવા સમાજમાં રસ છે. સાત દાયકા સુધી લોકશાહી શ્વસેલું આપણું રાષ્ટ્ર, કટોકટી જેવા સંજોગોની સામે પણ જીતેલી આપણી લોકશાહી ‘વિવિધતામાં એકતા’વાળા સૂત્રને તાંતણે ટકી રહી છે, ગણ્યાગાંઠ્યા લોકોની સત્તા ભૂખને પગલે આપણે તેને પોકળ ન થવા દઇએ તે નાગરિક તરીકે આપણી જવાબદારી છે. દિલ્હીની ચૂંટણી ત્યાંના વહીવટને બહેતર બનાવવા માટે થઇ રહી છે તેમાં પાકિસ્તાન, કીચડ ઉછાળ માનસિકતા કે કટ્ટરવાદીઓને જ સાંભળવી ગમે એવી વાતો માટે નથી જ થઇ રહી. આ ચૂંટણીને CAA સાથે પણ લેવાદેવા નથી. રાજ્ય કક્ષાએ પક્ષે રસ્તા, પાણી, વાહન વ્યવહાર, પ્રદૂષણ, હેલ્થકેરની વાતો કરવાની છે અને લોકોને એ સમજાય છે. મજાની વાત એ છે કે લોકોની સમજણ અંગે અમુક રાજકારણીઓને ગતાગમ નથી અને તેઓ પોતાના ઘોંઘાટમાં મસ્ત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ફેબ્રુઆરી 2020 

Loading

...102030...2,5452,5462,5472,548...2,5602,5702,580...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved