પૂછ ના કોના સાટું ગુંજે …
દ્વિપ નથી કોઈ જણ આ માટીનો
આખેઆખો ને સૌથી અળગો
છે એકેએક ટુકડો ખંડનો
કોઈ એક વિશાળ અખંડનો
તાણી જાય જો દરિયો કોઈ દિ'
ટુકડો નાનો આ ભૂમિનો
તો થાય જરૂર આ યુરોપ ઢુંકડો
જેમ એક ભૂશિરનો કટકો
જેમ તારા ઘરઆંગણ ઓટલો
કાં મિત્રની મઢૂલીનો ઉંબરો
જન એક મરે, ઘટે આતમ મારો
કારણ જીવ હું રહ્યો ના જુદો
કણ કણમાં વસતો મારો માંહ્યલો
પૂછ ના કોને સાટું ગુંજ્યો
ગિરજાઘરનો ઘંટ એ મોટો
ગાજે તારા ય અંતનો ડંકો
![]()


ગાંધીજીના જમાનાથી મારી એવી ફરિયાદ રહી છે કે આપણા સેવકો ઉત્તમ કામમાં લાગેલા છે, તેઓ વિચારોનું અધ્યયન કરે છે. અધ્યયનમાં આપણા લોકોને રુચિ ઓછી છે. ગાંધીજીના વખતમાં હું કાર્યકરોને પૂછતો કે “હરિજન”માં ગાંધીજીનો ફલાણો લેખ આવ્યો છે, તે તમે વાંચ્યો ? તો જવાબ મળતો કે ‘નહીં, વાંચવાથી શું વળવાનું છે ? તેમાં લખી-લખીને એમ જ લખ્યું હશે ને કે હરિજનોની સેવા કરો, સૂતર કાંતો, વગેરે વગેરે. અમે એ કરીએ જ છીએ તો !’ મતલબ કે તેઓ એવા જ ખ્યાલમાં રહેતા કે પોતે ગાંધીજીને આખા ને આખા પી લીધા છે, હવે કશું વાંચવા કરવાની જરૂર નથી ! ત્યારે હું એમને કહેતો કે તમને વાંચવાની ફિકર નથી તો ગાંધીજી દર અઠવાડિયે લખવાની ફિકર શું કામ કરતા હશે ? આ રીતે હું વારંવાર કાર્યકરોને સમજાવતો રહેતો કે કામ કરવાની સાથોસાથ વાંચવાની, ચિંતન-મનન કરવાની ટેવ રાખવી જોઈએ.
પરંતુ ગાંધીજીનાં પુસ્તકો ગાંધીના લોકો પણ બરાબર નથી વાચતા. કાર્યકરોની આવી અધ્યયનશૂન્યતા જોઈને મને બહુ ચિંતા થાય છે. અધ્યયનની ઊણપ આપણા આ કામને માટે બાધક નીવડશે. આઝાદી માટેના આંદોલનના દિવસોમાં તો તે ચાલી ગયું. એટલા વાસ્તે ચાલી ગયું કે ત્યારે બસ એક આઝાદી મેળવવાની વાત જ સામે હતી અને બીજું − ત્રીજું અધ્યયન ન કરે તો ચાલી જાય. પરંતુ આજે તો આપણે દુનિયાના ચોકમાં ઊભા છીએ. ચારે કોરથી વિચારોનો મારો થઈ રહ્યો છે − સદ્દવિચારોનોયે અને કુવિચારોનોયે. આપણે બિલકુલ મેદાનમાં ઊભા છીએ. આ બધા વિચારો વચ્ચે આપણે આપણા વિચાર મુજબ આપણું કામ કરતા રહેવાનું છે, અને આપણા વિચારને પરિશુદ્ધ કરતાં-કરતાં આગળ વધારવાનો છે. આવા સંજોગોમાં આપણે અધ્યયન વિના તો હાર ખાઈશું ને માર ખાઈશું.
ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝની જગવિખ્યાત નવલકથા ‘વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યૂડ’ મને ખૂબ જ ખૂબ, ખૂબ જ ખૂબ, ગમતી, મારી પ્રિય નવલકથા છે. એ વિશે મેં એક દીર્ઘ અને બીજાં બે ટૂંકાં વ્યાખ્યાનો આપ્યાં છે. લેખ કરવાનું રહી ગયું છે.