Opinion Magazine
Number of visits: 9456531
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મફતની આફત … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 February 2025

રવીન્દ્ર પારેખ

ઓકટોબર, 2024માં કેન્દ્રીય કેબિનેટમાં મફત અનાજની યોજના 2028 સુધી લંબાવવાની વાત થઈ ને લગભગ 81 કરોડથી વધુ લોકોને 2028 સુધી મફત અનાજ મળવાનું પાકું થયું. સરકારે એમ પણ કહ્યું કે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવાને કારણે કેન્દ્રની તિજોરી પર 11.8 લાખ કરોડનો બોજો પડશે. એવો જ બોજો 1 લાખ કરોડનો પડવાની વાત બજેટ વખતે નાણાં મંત્રીએ પણ કરેલી. 12 લાખની આવક સુધી ઇન્કમટેક્સ ન લાગવાને કારણે આ બોજો પડે એમ છે. જો કે, અન્ન યોજના સંદર્ભે સરકારે એમ પણ ઉમેર્યું કે સરકારને પૈસાની કોઈ કમી નથી. અહીં સવાલ એ થાય કે આટલા પૈસા સરકાર ઊભા કેવી રીતે કરે છે? ગયે વર્ષે ઇન્કમટેક્સથી સરકારને 12 લાખ 31 હજાર કરોડ મળ્યા હતા, તે આ વખતે, 1 લાખ કરોડની ઇન્કમટેક્સમાં ખોટ ખાવા છતાં, 14 લાખ 38 હજાર કરોડ થશે. જી.એસ.ટી.માં ગયા વર્ષ કરતાં આ વખતે 1,48,182 કરોડ વધારે મળવાની વાત છે. આ વર્ષે જી.એસ.ટી.નો આંકડો 11 લાખ 78 હજાર કરોડનો છે, જે ગયા વર્ષે 10 લાખ 30 હજાર કરોડનો હતો. આની વચ્ચે ઇન્કમટેક્સના 1 લાખ કરોડ જતાં કરવાની વાત સરકાર કરે તો હસવું જ આવે કે બીજું કૈં? ટૂંકમાં, બોર આપીને કલ્લી કઢાવતાં સરકારને આવડે છે, છતાં આટલી અઢળક કમાણી સરકાર મધ્યાહ્ન ભોજન યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના ને બીજી યોજનાઓ માટે ખર્ચે છે તે આવકાર્ય છે. કોરોના વખતે દુનિયા જ બંધ થઈ ગયેલી ને કામકાજ ઠપ થઈ ગયેલાં, ત્યારે સરકારે ગરીબોને મફત અનાજ આપવાનું સરાહનીય પગલું ભર્યું, પણ પછી કોરોના ગયો ને વ્યવહાર પૂર્વવત થયો, તો હવે 2028 સુધી અન્ન યોજના લંબાવવાનું ફેર વિચારણાને પાત્ર છે, એવું નહીં? 142 કરોડમાં અડધાથી વધુ વસ્તી-81 કરોડ-ને મફત અનાજ આપવું પડે એનો સંકોચ થવો જોઈએ, પણ ગૌરવ લેવાય છે.

સરકાર જાણે છે કે મફતનો લાભ ગરીબ નથી એવા લોકો પણ લે છે. આટલા વખતમાં મફતની એવી ટેવ પડી છે કે લોકો મહેનત કરીને રોટલો રળવા નથી માંગતા. એક તરફ શિક્ષિતોને કામ નથી મળતું ને બીજી તરફ મફત ખાનારો વર્ગ ખેતી ને અન્ય કામો કરવા તૈયાર નથી. આ સ્થિતિ વિકાસનાં કામો માટે બાધક બને તો નવાઈ નહીં ! જે વૃદ્ધ છે, અશક્ત છે ને કામ કરી શકે એમ જ નથી એવા ગરીબોને સરકાર મફત યોજનાનો લાભ આપે તે જરૂરી છે, પણ જે કામ કરી શકે એમ છે તેમને મફતની ટેવ પાડીને પાંગળાં બનાવવામાં દેશ સેવા નથી થતી તે રાજકીય પક્ષોએ સમજી લેવાની જરૂર છે. એવું ય નથી કે મફતથી મતદારો મત આપે જ છે. રાજકીય પક્ષો વિવેક વગરના વાયદાઓ ભલે કરે, પણ પ્રજા તો વિવેક વાપરે જ છે અને એ 2025ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં, વધુ વખત જીતેલી ‘આપ’ પાર્ટી પર મતદારોએ ઝાડુ ફેરવીને સાબિત કરી દીધું છે. આપના અધિષ્ઠાતાને તો એવું જ હતું કે દિલ્હીમાં આપને, આ જન્મમાં હરાવવાનું શક્ય જ નથી, એ આપ પર કાપ એવો પડ્યો કે આ જન્મમાં જ સત્તા જાળવવાનું શક્ય રહ્યું નહીં. વારુ, કાઁગ્રેસને એક પણ સીટનું નુકસાન નથી થયું કારણ, એક પણ સીટ તેને મળી જ નથી. એવું ન હતું કે મફતની લાલચ આપ પાર્ટીએ જ આપી હતી, પણ આમ આદમીએ જ, આમ આદમી પાર્ટી(આપ)ને વિપક્ષમાં બેસાડી દીધી.         

સત્તામાં હોય તે પક્ષ તો લહાણી કરે જ, પણ સત્તામાં આવવા પણ પક્ષો લાલચો આપતા રહે છે. કમાલ એ છે કે આવી યોજનાઓ ચૂંટણી વખતે જ જાહેર થતી હોય છે. 2024માં શરૂ કરવામાં આવેલી ‘લાડકી બહિણ’ યોજના મહારાષ્ટ્રમાં જીતનું મોટું કારણ બની. આ યોજના હેઠળ 21થી 65ની ઉંમરની તમામ મહિલાઓને 1,500 આપવાનું ઠરાવાયું. મહાયુતિએ એ રકમ વધારીને ચૂંટણી વખતે 2,100 કરી દીધી. ઝારખંડમાં પણ 2024માં ચૂંટણી હતી. તેમાં ‘મૈયા સન્માન’ યોજના હેઠળ 1,000ની રકમ વધારીને 2,500 કરી દેવાઈ હતી. ભા.જ.પે. 2023ની મધ્ય પ્રદેશની ચૂંટણી જીતી, તે કદાચ ‘લાડલી બહેના’ યોજના હેઠળ દર મહિને 1,000ની સહાય મહિલાઓને આપવાનું શરૂ કર્યું એટલે. એની સામે કાઁગ્રેસે 1,500 આપવાની જાહેરાત કરી તો ભા.જ.પે. 1,000ની રકમ વધારીને 1,250 કરી નાખી. મધ્ય પ્રદેશમાં બીજી યોજના ’લાડલી લક્ષ્મી’ દાખલ થઈ, જેમાં બલિકાઓને દર વર્ષે 6,000 જમા કરાવીને, પાંચ વર્ષને અંતે 30,000 ચૂકવવાની વાત હતી. 2025ની દિલ્હીની ચૂંટણી જીતવા આપ પાર્ટીએ ‘મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના’ની જાહેરાત કરી. તેમાં 18 કે તેથી વધુ વયની મહિલાઓને, દિલ્હી સરકારે, પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોય તેને, 1,000 રૂપિયા આપવાનું ઠરાવ્યું ને પાછળથી 1,000ની રકમ વધારીને 2,100 કરવામાં આવી. 

આવી યોજનાઓનું કારણ એ હતું કે 2024માં મહિલા મતદારોની સક્રિયતા જ નહીં, સંખ્યા પણ પુરુષ મતદારો કરતાં વધી હતી. 2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલાં કાઁગ્રેસે જાહેરાત કરેલી કે તે સત્તામાં આવશે તો ગૃહલક્ષ્મી યોજના હેઠળ પરિવારની મુખ્ય મહિલાને દર મહિને 2,000ની સહાય આપશે. છત્તીસગઢ સરકારે વિવાહિત મહિલાઓને ‘મહતારી વંદના યોજના’ હેઠળ વાર્ષિક 12,000 આપવાનું ઠરાવ્યું. આજ રીતે મહિલાઓને પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, હિમાચલ પ્રદેશની સરકારોએ મહિલાઓના મત મેળવવા જુદી જુદી યોજનાઓ દાખલ કરી છે. તેનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ પક્ષને મહિલાઓના મત ગુમાવવાનું પાલવે એમ જ નથી. 

સરકાર ગમે તેટલા મોટા દાવા કરે તો પણ, દેશમાં ગરીબી છે તેનો ઇન્કાર થઈ શકે એમ નથી, પણ તેનો ઈલાજ ‘મફત’માં નથી. લોકોને કામ આપીને આત્મનિર્ભર બનાવવાને બદલે, મફત આપીને સરકાર, મફતિયા પેઢી ઊભી કરી રહી છે. સમાન તકો ઊભી કરવાને બદલે, મત ખરીદવા રોકડા ચૂકવવા જેવું જ છે આ ! આ ચૂકવણી સત્તાધારી પક્ષોને કદાચ પરવડે, પણ વિપક્ષો એ કેવી રીતે મેનેજ કરતાં હશે તે સમજી શકાય એવું છે. ટૂંકમાં, એ માર્ગો સીધા અને સાચા હોવા વિષે શંકા જ રહેવાની. 

બે જજોની સુપ્રીમની બેન્ચ પાસે એક અરજી આવી. અરજીમાં શહેરી વિસ્તારમાં બેઘર લોકોને ઘર આપવાની વાત હતી. એની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ મુદ્દે ટીકા કરી કે મફતમાં અનાજપાણી મળી રહેતાં હોય તો કોઈ મજૂરી શું કામ કરશે? સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી સાચી ને સમયસરની છે, પણ મફતની યોજનાઓ પર આજ સુધી પ્રતિબંધ મુકાયો નથી કે નથી તો રાજકીય પક્ષો માટે કોઈ સૂચના કે ચેતવણી અપાઈ. આવું હોય તો સુપ્રીમ કોર્ટ ટીકા કર્યા કરે ને રાજકીય પક્ષો લહાણી કર્યા કરે એનો અર્થ નથી. 

અગાઉ ત્રણ વર્ષ પર, મફત પર પ્રતિબંધની માંગ સાથે સુપ્રીમમાં અરજી થયેલી, તેનો ચુકાદો હજી આવ્યો નથી. એટલે રાજકીય પક્ષો બરાબર જાણે છે કે ચુકાદો આવશે ત્યાં સુધીમાં તો બિનઅસરકારક થઈ ચૂક્યો હશે. ભા.જ.પ.ના જ એક નેતાએ માર્ચ, 2022માં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (પી.આઈ.એલ.) કરીને માંગ કરી હતી કે મફતિયા સંસ્કૃતિ બંધ થાય ને ચૂંટણી પંચ એવી સંસ્કૃતિને પોષતા પક્ષોની માન્યતા રદ્દ કરે. ઓકટોબર, 2024માં સુપ્રીમમાં એક અરજી એવી પણ થયેલી કે આ રીતે મફત અપાતાં નાણાંને લાંચ ગણવામાં આવે. આવી અરજીનો કોઈ મતલબ રહેતો નથી, કારણ તે પછી પણ હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ લહાણી કરવામાં કોઈ કસર રાખી નથી. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વધામણી ખાધી કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ દેશ 81 કરોડ લોકોને મફત અથવા સબસીડીવાળું રેશન આપે છે, તો સુપ્રીમનો સોંસરો સવાલ એ હતો કે ક્યાં સુધી આમ મફત અનાજ વહેંચવામાં આવશે? આને બદલે સરકાર રોજગારીની તકો કેમ ઊભી નથી કરતી? ખરેખર તો લોકોને કામ સોંપીને મુખ્ય પ્રવાહમાં લાવવા જોઈએ ને રાષ્ટ્રના વિકાસમાં યોગદાનની તકો આપવી જોઈએ, પણ, સરકારે એ વાત ધ્યાને લીધી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને અને ચૂંટણી પંચને નોટિસ પણ આપી ચૂકી છે, પણ સરકારને કે ચૂંટણી પંચને એથી કોઈ ફરક પડ્યો નથી. 

સરકારે સારા હેતુથી શરૂ કરેલી અન્ન યોજના અને રોકડની સહાય લોકોને મફતનું ખવાની ટેવ પાડી રહી છે તે ઠીક નથી. યોજના માટે ખર્ચાતાં નાણાં કરદાતાઓની પ્રમાણિકતાનું પરિણામ છે ને કમનસીબી એ છે કે એનો લાભ લેનારાઓને એ પ્રમાણિકતા, અપ્રમાણિક બનવાને માર્ગે લઈ જઈ રહી છે. મફતની આ આફત દૂર થવી જ જોઈએ ને લોકોને સ્વમાનભેર જીવવાની કિંમત સમજાવી જોઈએ. કોઈ પણ યોજના પ્રજાને સ્વમાન વિહોણા બનાવે તે ક્ષમ્ય નથી. નથી જ ! 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ફેબ્રુઆરી 2025

Loading

ये ज़मीन किसकी है?

राम पुनियानी|Opinion - Opinion|17 February 2025

राम पुनियानी

तमिलनाडु के मुख्यमंत्री एम.के. स्टॉलिन ने पूर्व-आधुनिक इतिहास पर नए शोध के आधार पर कहा है कि पुरातत्वविदों के अनुसार लौह युग सबसे पहले तमिलनाडु में शुरू हुआ था. तमिलनाडु में 5,300 साल पहले लोहा गलाया जाता था. अधिक सटीक अध्ययनों के अनुसार 3345 ईसा पूर्व में इस इलाके में सबसे पहले लोहे का इस्तेमाल शुरू हुआ. स्टॉलिन ने कहा कि यह खोज भारतीय उपमहाद्वीप के इतिहास की हमारी समझ को एक नया आयाम देती है. उन्होंने गर्व से कहा, “मैं लगातार यह कहता आया हूँ कि भारत का इतिहास तमिलनाडु ने लिखा है”. उनके वक्तव्य से यह साफ है कि पुरातात्विक शोध से ऐतिहासिक आख्यान किस हद तक प्रभावित होते हैं. मगर प्रश्न यह है कि आज हजारों साल बाद इस बात का कितना महत्व होना चाहिए.

कई राष्ट्रवादी व नस्लवादी प्रवृत्तियां इस आधार पर समाज में अपना वर्चस्व स्थापित करना चाहती हैं कि “वे” उस देश में सबसे पहले आए थे. श्रीलंका में सिंहलियों एवं तमिल हिन्दुओं के बीच टकराव में तमिल हिन्दू, सिंहली नस्लवादी राष्ट्रवाद के शिकार बने थे. इस राष्ट्रवाद के पैरोकारों का दावा था कि चूंकि सिंहली वहां पहले आए थे इसलिए श्रीलंका उनका है.

इस मामले में भारत का हिन्दू राष्ट्रवाद भी कोई अलग नहीं है. उसने भी इस्लाम और ईसाई धर्म के  “विदेशी” होने का हौवा खड़ा किया है. वह हिन्दुओं और आर्यों को एक मानता है और यह दावा करता आया है कि आर्य भारतीय भूमि के मूल निवासी हैं. यह दावा आरएसएस के द्वितीय सरसंघचालक एमएस गोलवलकर ने अपनी पुस्तक “व्ही ऑर अवर नेशनहुड डिफाइंड” में किया है. उन्होंने लिखा, “किसी भी विदेशी नस्ल के आक्रमण के आठ या शायद दस हजार साल पहले से हम हिन्दुओं का इस भूमि पर निर्विवाद एवं अबाधित कब्जा रहा है और इसलिए यह भूमि हिन्दुस्तान यानी हिन्दुओं की भूमि कहलाती है.” (गोलवलकर, 1939, पृष्ठ 6)

इसके विपरीत, लोकमान्य बालगंगाधर तिलक का मानना था कि आर्य, आर्कटिक इलाके से यहां आए थे. उन्होंने यह बात अपनी पुस्तक “आर्कटिक होम ऑफ द वेदास” में कही है. गोलवलकर ने तिलक की बात का खंडन किए बगैर आर्यों को भारत का मूलनिवासी बताने के लिए एक गज़ब की बात हमें बताई. उन्होंने बताया कि आर्कटिक क्षेत्र पहले उड़ीसा और बिहार के आसपास हुआ करता था. फिर वह यहां से उत्तर की तरफ खिसक गया. “….फिर वह उत्तर पूर्व की दिशा में खिसका और फिर कभी पश्चिम तो कभी उत्तर की तरफ यात्रा करते हुए वहां पहुंच गया जहां वह अब है.” अगर ऐसा सचमुच हुआ था तो सवाल यह है कि क्या हम आर्कटिक में रहते थे और फिर उसे छोड़कर हिन्दुस्तान आ गए या हम हमेशा से यहीं रहते थे और आर्कटिक हमें छोड़कर अपनी टेढ़ी-मेढ़ी यात्रा पर निकल गया.

यह सारी कलाबाज़ियां इसलिए की गईं ताकि किसी भी तरह से यह साबित किया जा सके कि आर्य इसी भूमि के मूलनिवासी हैं क्योंकि अगर ऐसा नहीं किया जाएगा तो यह दावा कि मुसलमान विदेशी हैं, क्योंकि वो बाहर से आए हैं, मुंह के बल गिर जाएगा.

इस मामले में कई सिद्धांत एवं विचार प्रचलित हैं. यूरोप के कई अध्ययेताओं, जिनमें भारतविद मैक्स मूलर शामिल हैं, का कहना है कि आर्यों ने भारत पर आक्रमण किया था. यह दावा आधारहीन है क्योंकि उस काल का समाज पशुपालकों का समाज था और पशुपालक एक स्थान से दूसरे स्थान पर जाते रहते थे. मगर इस प्रवास को आक्रमण कहना ठीक नहीं है. आक्रमण तो बाद में तब शुरू हुए जब साम्राज्य और राज्य अस्तित्व में आए. इस संदर्भ में जो सबसे तार्किक सिद्धांत है वह भाषा विज्ञान व भूगर्भशास्त्रीय साक्ष्यों पर आधारित है और उसके अनुसार आर्य कई चरणों या लहरों में भारत आए.

इस भूमि पर आने के बाद आर्यों के सामने जो सबसे बड़ी बाधा या चुनौती थी वह थी सिन्धु घाटी की सभ्यता, जो उनके यहां आने के पहले से यहां मौजूद थी. यह सभ्यता आर्य सभ्यता से एकदम भिन्न थी. वह शहरी सभ्यता थी. कई तरह की कलाबाजियों और धूर्तताओं के जरिए यह साबित करने का प्रयास किया गया कि सिन्धु घाटी क्षेत्र में घोड़े के चित्र वाली सील मिली है. फ्रन्टलाईन में छपे एक लेख के अनुसार, सींग वाले बैल के चित्र को कम्प्यूटर के इस्तेमाल से घोड़े में बदल दिया गया. इसका उद्देश्य था सिन्धु घाटी की सभ्यता में आर्य संस्कृति का प्रतीक घोड़ा जोड़ना.

आज यह कोई नहीं मानता कि कोई नस्ल, किसी दूसरी नस्ल से उच्च या श्रेष्ठ होती है. ये सिद्धांत औपनिवेशिक ताकतों ने गढ़े थे, ताकि वे यह साबित कर सकें कि वे उच्च नस्ल के हैं और इसलिए उन्हें दूसरों पर शासन करने का हक है. उसी तरह ब्राह्मणवादी विचारधारा ने भी यह दावा किया कि ब्राह्मण और अन्य ऊँची जातियों के लोग अन्यों से श्रेष्ठ नस्ल के वंशज हैं. यह दावा कर वे समाज में अपनी उच्च स्थिति और वर्चस्व को औचित्यपूर्ण साबित कर सकते थे.

आर्यों के यहां आने से पूर्व विद्यमान सिन्धू घाटी की सभ्यता शायद किसी प्राकृतिक आपदा के कारण नष्ट हो गई और उसके कई रहवासी दक्षिण की तरफ चले गए. तो आज आर्य व सिन्धु घाटी की सभ्यता से संबंधित विवादों के मामले में हम कहां खड़े हैं? पूर्व के पुरातात्विक व भाषा वैज्ञानिक अध्ययनों को त्रुटिरहित डीएनए जेनेटिक अध्ययनों ने पुष्ट किया है. पॉपुलेशन जेनेटिक्स (जनसंख्या अनुवांशिकी) किसी भी पूर्व-आधुनिक समाज के बारे में जानने का सबसे विश्वसनीय तरीका है.

कुछ वर्ष पहले एक भारतीय लेखक टॉनी जोसेफ ने अपनी पुस्तक “अर्ली इंडियन्स” में जनसंख्या अनुवांशिकी अध्ययनों एवं भाषा वैज्ञानिक व पुरातात्विक शोधों के नतीजों को जोड़ कर यह बताया था कि हम सभी मिश्रित नस्ल के हैं. भारत में कई चरणों में बाहर से लोग आए. पुस्तक के अनुसार करीब 65 हजार साल पहले दक्षिण अफ्रीका से पहली बार मनुष्य उस भूमि पर आया, जिसे हम आज भारत कहते हैं. डीएनए अध्ययनों के आधार पर टॉनी जोसेफ बताते हैं कि 7000 से लेकर 3000 ईसा पूर्व तक और उसके बाद आज से 2000 से 1000 साल पहले बड़े पैमाने पर अप्रवासी भारत आए. इनमें मध्य एशिया के घास के मैदानों से आए पशु पालक सम्मिलित थे. इस तरह आर्य और द्रविड़, दरअसल भाषाओं के समूहों के नाम हैं न कि अलग-अलग नस्लों के.

भाजपा के नेतृत्व वाली केन्द्र सरकार ने देश के 12,000 साल पुराने इतिहास का दस्तावेजीकरण करने के लिए एक समिति बनाई है. जब डीएनए व अनुवांशिकी अध्ययनों से पहले ही यह साफ हो चुका है कि हम सब भारतवासी मिश्रित नस्ल के हैं तब इस समिति की जरूरत ही क्या है. दरअसल यह समिति इसलिए नियुक्त की गई है ताकि यह साबित किया जा सके कि हिन्दू (आर्य) इस देश के मूल निवासी हैं. जनसंख्या अनुवांशिकी अध्ययनों के बाद इस संबंध में नया खोजने के लिए कुछ विशेष बचा नहीं है. मगर यह सारी कवायद इसलिए की जा रही है कि ताकि भारत भूमि पर दावा किया जा सके और यह बताया जा सके कि हिन्दू धर्म के लोगों का इस धरती पर ज्यादा अधिकार है.

हमारा समाज सदियों से बदलता आया है. पहले घुमक्कड़ पशुपालकों के समूह हुआ करते थे जो एक जगह से दूसरी जगह जाते रहते थे. फिर बादशाहतें कायम हुईं और अब दुनिया कई राष्ट्रों में विभाजित है. रबिन्द्रनाथ टैगोर एक ऐसी दुनिया की कल्पना करते थे जिसमें राष्ट्रों के बीच की सीमाएं हो हीं न. ऐसी दुनिया कम से कम आज तो एक कल्पना ही लगती है.

हम यहां पहले आए थे, इसलिए यह जगह हमारी है – यह दावा साम्प्रदायिक राष्ट्रवाद की पहचान होता है. इस तरह के दावे भारतीय संविधान के मूल्यों और संयुक्त राष्ट्र मानवाधिकार घोषणा के खिलाफ हैं. हमें इस बात पर जोर देना है कि देश के सभी नागरिक, चाहे वे किसी भी धर्म में आस्था रखते हों या कोई भी भाषा बोलते हों, एक बराबर हैं. अपनी विचारधारा के अनुरूप इतिहास को तोड़ने-मरोड़ने और गड़े मुर्दे उखाड़ने की आज के समय में न तो कोई उपयोगिता है और न ही ज़रूरत. यह काम संबंधित विषयों के विशेषज्ञों और अध्येताओं पर छोड़ देना चाहिए. इस पर राजनीति करने की तो कोई जरूरत ही नहीं है.

 बुधवार, 12 फरवरी 2025
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

ટોર્ચ

કવિ : મંગલેશ ડબરાલ [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|16 February 2025

મારા બાળપણના દિવસોમાં

એક વખત મારા પિતા એક સુંદર ટોર્ચ લઈ આવ્યા

જેના કાચમાં ગોળ ખાંચા પાડેલા હતા

જેવા આજકાલ કારની હૅડલાઈટમાં હોય છે

અમારા વિસ્તારમાં પ્રકાશનું એ પહેલું યંત્ર હતું

જેનો પાટડો ચમત્કારની માફક રાતને બે હિસ્સામાં વહેંચી દેતો હતો

એક સવારે મારા પાડોશમાં રહેતાં એક દાદીએ મારા પિતાને કહ્યું

બેટા, આ મશીનમાંથી ચૂલો પેટાવવા થોડો અગ્નિ આપ

પિતાએ સ્મિત સાથે કહ્યું કાકી આમાં અગ્નિ નથી હોતો માત્ર પ્રકાશ હોય છે

રાત પડે આને પરજળવામાં આવે છે

ને આનાથી પર્વતના ઉબડખાબડ રસ્તા સ્પષ્ટ દેખાય છે

દાદીએ કહ્યું અજવાળામાં થોડી આગ પણ હોત તો કેટલું સારું થાત

રાતથી મને સવારે ચૂલો સળગાવવાની ચિંતા સતાવવા લાગે છે

પિતાને કોઈ જવાબ ના સૂઝ્યો એટલે એ મૌન રહ્યા ક્યાં ય સુધી

આટલાં વર્ષો બાદ એ ઘટના, ટોર્ચનો એ પ્રકાશ, અગ્નિ માગતાં દાદી, પિતાનું એ મૌન,

ચાલ્યા આવે છે

અમારા સમયની વિડંબના વચ્ચે કવિતાની માફક

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...246247248249...260270280...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved