૧
કીડીઓ
અરર … આ શું ?
કીડીઓ ટપો-ટપ મરી રહી છે,
કંઈ-કેટલી ય આઈસીયુમાં છે.
એનાથી લાખો-કરોડો
દૂરસંચારની અફવાઓ સાથે અથડાતાં
મૂર્છિત થઈ છે.
એમાંની કેટલીક દિશાહીન થઈ છે.
એને લાગી છે લા'હ, પેટમાં.
એને ઠારવાનુ તો દૂર …
આ …
અસહ્ય યાતનાઓ વચ્ચે
એની કોઈ ખર-ખબરે ય લેતું નથી.
બધા છૂપાઈ બેઠા છે, બિલમાં.
કેટલાક ઝીલમાં.
એ બધા કાને મુંગા
મુખે આંધળા
અને
આંખે બહેરા થયા છે,
હવે એનો કોઈ ઈલાજ નથી.
ભૂખ અને મોત વચ્ચે
કીડીઓ ઝઝુમી રહી છે, એકલી.
૨
કરોળિયાનું જાળું
કરોળિયાએ ગૂંથ્યુ છે, એક જાળું.
એમાં આવી ફસાયું,
કીડીઓનું ટોળું.
તે બચવા આમ-તેમ ફાંફાં મારે છે,
તરફડે છે,
ને
અંદરને અંદર ગૂંચવાઈ મરે છે.
એને શી ખબર
કરોળિયે લગાવ્યું છે,
પ્રથમી આખીને તાળું.
૩
છપ્પનની છાતીઓ
એ મજૂર છે,
એ જ તો રોગ ફેલાવે છે,
એનાથી જ અર્થતંત્ર ભાંગ્યું છે.
હા, આ બધો જ વાંક મજૂરો ને આમ જનતાનો છે,
એવું ‘એ' કેહે છે.
ને હવે આ એકાએક,
બધાને છૂટછાટ મળી ગઈ છે,
જુઓ, આ કીડીઓના
ટોળેટોળાં જઈ રહ્યાં છે,
કોઈ ઉત્તર
કોઈ દખણ
બધી જ દિશાઓમાં ભમી રહ્યા છે.
એને કોઈ રોકતું નથી, કોઈ ટોકતુ નથી.
છપ્પનની છાતીઓ તૈયાર છે !!
e.mail : shiyalmanish1996@gmail.com
![]()


એક મિત્રએ મને સવાલ કર્યો કે દેશમાં આટ-આટલું બની રહ્યું છે ત્યારે સંઘપરિવારમાં ચૂપકીદી કેમ છે? કોઈ કેમ કાંઈ બોલતું નથી? એક વરસથી કાશ્મીરને લશ્કરી બેરેકમાં ફેરવી નાખવામાં આવ્યું છે. મનસ્વીપણે નાગરિક ધારો લાગુ કરીને બીજા તો ઠીક, પણ ઇશાન ભારતના હિંદુઓને નાગરિકતા વિહોણા કરી નાખ્યા અને બીજા કરોડો હિંદુઓ નાગરિકતાવિહોણા થવાના છે. ચાર કલાકની નોટિસમાં લોકડાઉન જાહેર કરીને લાખો મજૂરોને રઝળાવી મૂક્યા જેમાં અંદાજે ૯૦ ટકા હિંદુઓ હશે. તેમની યાતના અને વલોપાત જોઇને ભલભલાની આંખ ભીની થઈ જાય ત્યારે સંઘપરિવારમાંથી કોઈએ ગ્લાનિ નહીં અનુભવી હોય? ગાલ્વાનની ખીણમાં હિંદુ જવાનો શહીદ થાય અને વડા પ્રધાન કહે કે ભારતમાં કોઈ આવ્યું જ નહોતું ત્યારે સંઘપરિવારમાં કોઈનું હિંદુ દિલ કણસતું નહીં હોય? હિંદુ હોવા માટે ગર્વ લેનારાઓની હિંદુ સંવેદનશીલતા ક્યાં? તેઓ વધારે વ્યાપક બને એવી તો આપણે અપેક્ષા પણ રાખતા નથી.

વહેમો અને ધર્મશ્રદ્ધાની ભેળસેળ જેવી માનસિકતા આ કોરોનાકાળે છે, ત્યારે પણ હતી. ત્યારે પણ જનમાનસમાં એ જ વાત ઘર કરી ગયેલી કે પ્લેગ ઈશ્વરે મોકલ્યો છે. ફિલ્મમાં flagellants -નું એક સરઘસ નીકળ્યું હોય છે. એમાં એ લોકો પોતાની જાતને ચાબૂકથી ફટકારતા હોય છે, જેથી પોતે કરેલાં પાપોનો નાશ થાય, પોતમાં વસતા સેતાનને તગેડી દેવાય, સરવાળે પ્લેગને ભગાડી મુકાય. એક ધરમશાળામાં બેઠેલા કેટલાક ચર્ચાએ ચડ્યા હોય છે કે – આ ખતરનાક પ્લેગની અસરો તો શી યે થવાની છે. ત્યાં એક સ્ત્રી હતી તે બોલી કે : આ તો ભઈ કયામતનો દિવસ છે, અપશુકનો તો જુઓ – પેલીએ વાછડાના મૉઢાવાળું બાળક જણ્યું ! કોઈ કોઈએ તો આગમાં શેકાઈને મૉત વ્હૉરી લીધું ! જો કે પાદરી એમ કહે છે કે નરકમાં જવા કરતાં તો સારું જ ને !