જરા પૂછ્યો મેં સવાલ ને કબૂતર ઊડી ગયું !
જોઈ હાથમાં મશાલ ને કબૂતર ઊડી ગયું !
પ્રસૂતિ કરી છે સાવ વચોવચ મારા પલંગ પર;
પછી 'રાખજો ખ્યાલ’ – કહી કબૂતર ઊડી ગયું !
કબૂભાઈના વકીલને બતાવી – ચરક કહ્યું :
'કરો આનો કંઇ નિકાલ '- તો કબૂતર ઊડી ગયું !
હતો પ્રશ્ન ત્યાં સમાન પણ, અસર થઇ જુદી-જુદી ;
કરે કાગડો બબાલ ને કબૂતર ઊડી ગયું !
કરી વાત સિંહની ને સિંહ – અચાનક પ્રકટ થયો;
બદલાઈ ગઈ રવાલ ને કબૂતર ઊડી ગયું !
કબૂતર વિષે એ પત્રમાં લખ્યું છે ખુલીને મેં;
મળી આપને ટપાલ કે કબૂતર ઊડી ગયું ?
અહીં કેટલાક કબૂતરો નથી ઊડતાં ધરાર ;
હતો કેવો એ સવાલ કે કબૂતર ઊડી ગયું ?
e.mail : radhikapatel1976@yahoo.com
![]()


જુલાઇ 29, 2020. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્મૃતિદિને દેશની નવી શિક્ષણનીતિ રજૂ કરવામાં આવી. 34 વર્ષ બાદ ઘડવામાં આવેલી એકવીસમી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ દેશને નવા આયામો તરફ લઈ જશે તેમ જ એકવીસમી સદીના પડકારોને પહોંચી વળવા સક્ષમ વિદ્યાર્થીઓનું સર્જન કરશે — તેવા દાવા સાથે આવેલી આ શિક્ષણનીતિને અનેક શિક્ષણવિદો, પ્રગતિશીલ લોકો, આવકારી રહ્યા છે, એવા સમયે તર્કબદ્ધ રીતે તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે.
ભારતના સોશિયલ મીડિયા પર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ ધૂમ મચાવી છે. તેમાં સી.બી.આઇ. તપાસની માંગ થઈ. બીજી બાજુ આપણી સંવેદનહીનતા જુઓ. પુલવામામાં 40 લશ્કરી જવાનો શહીદ થયા હતા, તે સંદર્ભે સી.બી.આઇ. તપાસની માગ નથી થતી! ભારતમાં વર્ષ 1995થી 2018 સુધીમાં ત્રણ લાખ ત્રીસ હજાર ખેડૂતોની આત્મહત્યા એ કેવળ આંકડા છે. એનાથી કોઈનું રુંવાડું ય ફરકતું નથી! નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, પ્રતિ વર્ષ સરેરાશ 10 હજારથી 12 હજાર ખેડૂતો આત્મહત્યા કરે છે. લૉક ડાઉનમાં સરકારે કામદારવિરોધી નિર્ણયો લીધા (જેમ કે કામના કલાકો બાબતમાં) એ રીતે પાંચમી જૂને ત્રણ વટહુકમો એવા કર્યા છે કે જેથી ભારતનો ખેડૂત વધુ મોટા સંકટમાં ધકેલાશે.