Opinion Magazine
Number of visits: 9573578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૌમુદી મુન્શી : દેહવ્યવસાયની જગ્યામાં કોઈ સંગીત શીખવા જાય? એમણે હિંમત કરેલી

સોનલ શુક્લ|Opinion - Opinion|15 October 2020

ઘટના અને અર્થઘટન –

કૌમુદી મુન્શી : જન્મ – ર ફેબ્રુઆરી ૧૯૨૮ — અવસાન – ૧૩ ઓક્ટોબર ૨૦૨૦

પચાસ વર્ષ સુધી જેમણે ગુજરાતી સંગીતરસિકોના હૃદય પર રાજ કરેલું, તે કૌમુદી મુન્શીનું તા.૧૩ ઓક્ટોબરે કોવિડ-૧૯ને કારણે અવસાન થયું છે. તેમનો જન્મ બનારસના જમીનદાર રાજા મુન્શી માધોલાલના પરિવારમાં થયેલો. જ્યારે એમનાં માતા સ્વાતંત્ર્ય પૂર્વેના સૌથી વધુ લોકપ્રિય નવલકથાકાર ર.વ. દેસાઇના બહેન હતાં. આ રીતે બાળપણથી જ તેઓ હિન્દી અને ગુજરાતી બોલતાં. ૧૯૫૧-૫૨માં તેઓ મુંબઇ આવ્યાં. પરિવારની ઇચ્છા હતી મુરતિયો શોધવાની પણ કૌમુદીબહેનની મહેચ્છા તો રેડિયો પર આવી શકે એવી ગાયિકા થવાનો હતો. પ્રારંભમાં તેઓએ અવિનાશ વ્યાસના જૂથમાં કામ કરેલું પણ ત્યાં ગાયિકા તરીકે ઊભરી શક્યાં નહોતાં.

૧૯૫૨માં તેમના ભાઇએ પેલા બંને કારણોસર નિનુ મઝુમદારનો સંપર્ક કર્યો. કૌમુદીબહેનનાં અતિશય મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની જાણકારીએ નિનુભાઇ પર મોટો પ્રભાવ પાડ્યો. તેઓ પોતે ત્યારે ગાયક, ગીતકાર અને સંગીતકાર હતા. તેમણે કૌમુદીબહેનના અવાજ અને આવડતને અનુરૂપ ગીતો રચ્યાં. પોતાના બધા જ કાર્યક્રમોમાં એમને મુખ્ય ગાયિકા તરીકે લીધા અને એક ફિલ્મમાં પ્લેબેક પણ આપ્યું. નિનુ મઝુમદારના પિતા મૂંગી ફિલ્મના સમયથી દિગ્દર્શક હતા અને નિનુભાઇ પોતે હિન્દી ફિલ્મમાં સંગીત આપતા. કપૂરને પ્લેબેક માટે તેઓ એ બ્રેક આપેલો. દલસુખ પંચોલી દિગ્દર્શિત ફિલ્મ ‘ભાઇસાહેબ’માં કૌમુદીબહેને બેથી ત્રણ ગીત ગાયાં. આ ફિલ્મમાં સી.એસ. આત્મા હીરો તરીકે હતા.

૧૯૫૪માં નિનુભાઇનાં પ્રથમ પત્નીના અવસાન બાદ બંને લગ્નગ્રંથિથી જોડાયાં. એક આકસ્મિક અને સુખદ બનાવ એ થયો કે કૌમુદીબહેનને સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરી, દાદરા વગેરે શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આકસ્મિક એટલે કે સિદ્ધેશ્વરી દેવી પોતાના માસી રાસેશ્વરી દેવી જોડે રાજા મુન્શી માધોલાલની એસ્ટેટ પર રહેતાં, જેમ એમને ત્યાં રોજના કારીગરો વગેરે પણ વસતા. જમીનદારો તે સમયે પોતાના બાગબગીચાઓ, નૌકાઓ તો ક્યારેક ઘરમાં જલસા કરતા. આમાં ઘરની સ્ત્રીઓ પડદામાં હોય અને હાજર ન રહી શકે. કૌમુદીબહેન વિદ્યાર્થીકાળમાં રિયાઝ કરતાં તો પણ એમનાં માતાએ બારીબારણાં બંધ કરી તડોમાં રૂ ભરી દેવું પડતું.

બીજી બાજુ કૌમુદીબહેન પોતે ઠુમરીમાં વિશેષ આગળ વધવા ચાહતાં હતાં. નિનુભાઇ બનારસ અને આસપાસના ગામમાં રહી ચૂક્યા હતા અને તેમને પણ યુ.પી.નાં લોકગીતો જેવા કે કજરી, ચૈતી, હોરી વગેરે અતિપ્રિય હતાં. લગ્ન પછી કૌમુદીબહેન બનારસ જાય તો સિદ્ધેશ્વરી દેવીને મળવા ઝંખે. ઘરના લોકો જવા ન દે કારણ કે એ માટે ‘દાલકી મંડી’ વિસ્તારમાં જવું પડે જ્યાં દેહવ્યવસાય પણ થતો હોય. એક વાર નિનુભાઇ પણ જોડે બનારસમાં હતા અને એમણે કહ્યું, ‘ચાલ, હું તને લઇ જઇશ.’ બંને ગયાં. સિદ્ધેશ્વરી દેવીને મળ્યાં અને સંગીતની વાતવાતમાં નિનુભાઇએ કહ્યું કે આ તમારી શિષ્યા બનવા આવી છે તે રાજા મુન્શી માધોલાલની પૌત્રી છે. માધોલાલ તેમ જ કૌમુદીબહેનના પિતા નંદલાલ મુન્શી સિદ્ધેશ્વરી દેવીના ચાહકોમાંના હતા. સિદ્ધેશ્વરી દેવીએ આનંદ અને આદરપૂર્વક શિષ્યા તરીકે સ્વીકાર્યાં. ત્યાર પછી પોતે લાંબો સમય બનારસમાં અને પછીથી દિલ્હીમાં રોકાતા અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવતાં. નિનુભાઇએ પોતે જ એમને પિયરની અટક ચાલુ રાખવાની પ્રેરણા આપેલી.

કૌમુદીબહેન મુનશી શાસ્ત્રીય સંગીત શીખવનાર ગુરુ સિદ્ધેશ્વરી દેવીની પાર્શ્વભૂમાંની છબિની ઓથે

મણિ કોલની દસ્તાવેજી ફિલ્મમાં ‘સિદ્ધેશ્વરી’નો પ્રારંભ જ કૌમુદીબહેને કરેલી રેકોર્ડથી અને સિદ્ધેશ્વરી દેવી એમને કંઇ કહે છે એનાથી શરૂ થાય છે.

એકવાર એવું બનેલું કે ‘દાલકી મંડી’થી કૌમુદીબહેનને ઘરે પહોંચાડવા કોઇ માણસ મળ્યો નહોતો. સિદ્ધેશ્વરી દેવી આ યુવાન શિષ્યાને એકલાં જવા ન દે. એ પોતે રિક્ષામાં મૂકવાં આવ્યાં. ઘર આવ્યું એટલે કૌમુદીબહેને કહ્યું, "તમે અંદર આવો. રાજમહેલમાં તો રહ્યાં નહોતાં પણ ‘મુન્શી કટરા’ નામની એક સારી જગ્યામાં એમનું મકાન હતું. સિદ્ધેશ્વરી દેવીએ ના પાડી. સંબંધ જૂનો હતો પણ એ ‘ઘરનો’ નહોતો, બહારનો હતો. કૌમુદીબહેનના આગ્રહથી એ અંદર આવ્યા તો ખરા પણ કૌમુદીબહેનના માતા જે પાટ પર બેઠા હતાં ત્યાં ન બેઠાં અને નીચે જ બેઠાં. એમને માતાએ કહ્યું કે, ‘તમે મારી જોડે બાજુમાં બેસો,’ તો તેમણે કહ્યું, ‘મુન્શી પરિવારમાં મારે તમારી જોડે ના બેસાય.’ કૌમુદીબહેનનાં માતાએ કહ્યું, ‘તમે અહીં એ સંબંધથી નથી આવ્યાં. તમે મારી દીકરીનાં ગુરુ છો એટલે તમારે મારી જોડે જ બેસવાનું.’ અહીં કૌમુદીબહેનના ઘરની મધ્યકાલીન અંધારયુગની પરંપરા પૂરી થતી હતી, અને આધુનિક સંગીત સમાજનો પ્રારંભ થતો હતો. કૌમુદીબહેનના ભૂતકાળના બંને પાસાં ગણિકાનું ગાન અને ઘરની શરીફ ગણાતી ઘરની સ્ત્રીઓ બંને માટેનો અન્યાયી ભેદભાવ તૂટ્યો. સનુબહેન મુન્શીએ સિદ્ધેશ્વરી દેવીને પાટ પર જોડે બેસાડી અને સિદ્ધેશ્વરી દેવીએ કૌમુદીબહેનને શિષ્યા તરીકે સ્વીકારી.

કૌમુદી મુન્શીએ ઘણાં સંગીતકારો સર્જિત ગીતો ગાયાં છે. નિનુ મઝુમદારનાં, ‘મને છેડી ગયો છે નંદલાલા’, ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો’, વગેરે તેમ જ પ્રિયકાંત મણિયારનાં, ‘ફૂલનો પવન’ પ્રખ્યાત છે. બંનેના સાયુજ્યનો પ્રારંભ તો ૧૯૫૨માં એમને માટે નિનુભાઇએ લખેલી ઠુમરી, ‘મેશ ન આંજુરામ’થી થયેલી. આ ગીત ‘કુમાર’ સામયિકમાં પ્રગટ થયું હતું. તે ઉપરાંત પછીના કાળમાં દિલીપ ધોળકિયાના, ‘આ રંગભીના ભમરાને’ કે ‘તમે થોડું સમજો તો સારું,’ કિરીટ સંપટના ‘કેવડિયાનો કાંટો, મુજને વનવગડામાં વાગ્યો રે’, ઘણાં ગીતો ગાયાં. એમણે અવસ્થાને કારણે ગાવાનું બંધ કર્યુ. એ અગાઉ તેમનાં પુષ્ટિસંપ્રદાયના ભજનો અને વિધિગાનના સંગીતઆલ્બમ સ્મરણિકાની લાખો નકલોના વેચાણથી ખ્યાતિ મેળવેલી. ગાયક હોવું તે માટે શરીરના અંગો પણ સ્વસ્થ હોવાં જરૂરી છે જે ઉંમર વધવા સાથે બની શકતું નથી. પણ ત્યાં સુધીમાં તો કૌમુદીબહેન પોતે સંગીતગુરુ તરીકે ભૂમિકા નિભાવે છે. એમણે અનેક ગૃહિણીઓ તેમ જ વ્યાવસાયિક ગાયિકાઓને તાલીમ આપી છે. મોટામાં મોટા શ્રીમંત અને વિખ્યાત મારવાડી પરિવારોમાં તેમણે દરેક શુભપ્રસંગે નવું સંગીત સર્જન કરીને આપ્યું છે. ગુજરાતી સમાજમાં પણ તેમ જ હતું. ડૉ. શાંતિલાલ સોમૈયાનાં પત્ની એમનાં વિદ્યાર્થી હતાં અને જ્યારે કૌમુદીબહેનને કોરોના લાગુ પડ્યું ત્યારે એમને માટે વિશેષ વ્યવસ્થા વિદ્યાવિહારની હોસ્પિટલમાં થઇ ચૂકી હતી.

એમની ગાયક શિષ્યાઓ અત્યારે મોટું નામ કમાઇ રહી છે, એમાં પ્રભાવશાળી ગાયિકા ઉપજ્ઞા પંડ્યા અને પરિતા પંડ્યા તેમ જ જાહ્નવી શ્રીમાંકરનું નામ આગળ છે. અમેરિકાના વ્હાઇટહાઉસમાં એ.આર. રહેમાન સાથે તેમ જ ગ્રેમી એવૉર્ડસ માટે શોર્ટ લિસ્ટેડ થયેલી ‘ફાલુ’ એટલે કે ફાલ્ગુની દલાલ શાહ, જાહ્નવીની જેમ જ બાળપણથી જ કૌમુદીબહેન પાસે શાસ્ત્રીય તેમ જ સુગમ સંગીત શીખેલી છે.

કૌમુદીબહેન આપણાં પ્રથમ વ્યાવસાયિક ગાયિકા છે. તે અગાઉ વીણા મહેતા, માલિની મહેતા જેવાં સુંદર ગાયકો આપણી પાસે હતાં. પણ કોઇએ વ્યાવસાયિક ગાયિકા તરીકે કામ કરવું, પોતાની ગીતસમૃદ્ધિ વધારવી, મહાનગુરુની શિષ્યા બનવા જનાર, મહત્ત્વની શિષ્યાઓ તૈયાર કરનાર ગાયિકા કૌમુદી મુન્શી હતાં. એ રીતે અજોડ રહ્યાં. છેક હવે એકવીસમી સદીના બીજા દાયકામાં આપણે ત્યાં ગુજરાતી ગાયિકી ક્ષેત્રમાં આવી છે, જે પોતાની રીતે પોતાની કેરિઅર સંભાળે છે અને વધારે છે. એ સૌ માટે કૌમુદીબહેનને સ્નેહભર્યો આદર હતો. ૧૯૬૦ પછી એમણે પોતાની કેરિઅર પોતે જ વિકસાવેલી. સાત સાત દાયકા સુધી ગુજરાતી સંગીત સમૃદ્ધિ વધારનાર કૌમુદી મુન્શી એક ફિનોમિનન હતાં, નિનુ મઝુમદારે એમનો ટેલંટ જોયો અને તક આપી ત્યારે એ ૧૯૫૨-૫૩માં એ રેડિયોમાં સુગમસંગીત વિભાગના અધ્યક્ષ નહોતા. એ તો ૧૯૫૪માં થયા. તે છતાં કૌમુદી મુન્શીની સફળતા માટે એમના પતિની લાગવગ છે એમ કહેનારાને એમણે અનેક સંગીતકારોનાં ગીતો ગાઇને ચાટ પાડી દીધાં. કોઇ આઘે આઘેથી વેણુ વાય છે ને મને જતી રહું, જતી રહું થાય છે’ કે ‘મને ફાગણનું એક ફૂલ આપો કે લાલ મોરા, કેસૂડો કામણગારોજી રે’ નિનુ મઝુમદારની રચનાઓ નહોતી. કૌમુદીબહેને એ સ્ટેજ, કેસેટ, ટી.વી. વગેરે અનેક માધ્યમોથી વિખ્યાત કરાવેલી.

આ બહુમુખી સંગીત સામ્રાજ્ઞી છે ‘બાળગીતા’નું આલ્બમ બહાર પાડવું, મુસ્લિમ કવિઓને કૃષ્ણભક્તિનાં કાવ્યોનો સંગીતમય રસાસ્વાદ કરાવવો વગેરે અનેક ક્ષેત્રો એકલે હાથે ખેડેલાં છે. એમને લક્ષ્યાંકો ગોઠવવા, આયોજન કરવું. એને અમલમાં મૂકવું. તે માટે નાણાં સહિત સંસાધનો મેળવવા સંપર્કો જાળવવા વગેરે અનેક આવડતો પર હથૉટી હતી. તે સિવાય સાત સાત દાયકા સુધી સફળ શી રીતે થયા હોત? આ વ્યાવસાયિક મહિલાને સલામ.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 15 ઑક્ટોબર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=657648

Loading

India: Communalists, Indian Constitution and Muslim Minorities

Ram Puniyan|English Bazaar Patrika - OPED|15 October 2020

A Year ago, RSS Chief Mohan Bhagwat had stated (October 10, 2019) that Indian Muslims are happiest in the World due to Hindus. Now he goes on to say that most content Muslims are only in India. Not content with that he went on to state that “if there is any example world over wherein a foreign religion that ruled over the people of a country still exists there”, it is here in India. And further “"Our Constitution did not say that only Hindus can stay here; hereafter only Hindus will be heard here; if you want to stay here, then you have to accept the superiority of Hindus. We created a space for them. This is the nature of our nation, and that inherent nature is called Hindu". Wearing the hat of a historian he stated that many a Muslims fought for Rana Pratap against Akbar, exemplifying that people of all faiths stood together whenever there was an attack on India’s culture.  He labeled Ram Temple is a symbol of national values and character.

Most of these formulations are a ploy to deflect the criticism which RSS, as the patriarch of Hindu Communalism is facing currently, at home and also internationally. The plight of Muslims has been deteriorating at rapid pace during last few decades. Adding on to the violence against them in the wake of Rath yatras for Ram Temple, the mob lynching’s in the name of cow-beef, the social intimidations in the name of love jihad, ghar Wapasi have peaked during last few years. The cumulative intimidation of Muslim community did find its expression in the most democratic Shaheen bagh movement. The violence that took place in the aftermath saw the heavy loss of Muslim lives and great damage to their properties and holy places. The image of communalism as tormentor of weaker sections of society is going up, so probably Mr. Bhagwat is quoting Indian Constitution, which most leaders from his Parivar decry, criticize and call it as being unsuitable for India as it is based on foreign values. On the contrary Shaheen bagh movement showed the peak respect for the same when ‘Preamble of Indian Constitution’ formed its core slogan and ideology.

Undoubtedly, Indian Constitution wants a plural democratic India while RSS parivar wants a Hindu nation. For Indian Constitution religions are not foreign or native, they are universal and we have a full freedom to practice, preach and propagate our religion, we also have a freedom not to adhere to any religion.

The RSS Sarsanghchalak probably does not know that nationalism and religion were separate in the scheme of freedom movement of India where people from different religions and atheists participated with equal zest in fighting against the British rule. He may be unaware that in South East Asian countries the major religion is Buddhism, which originated in this land but is the major religion in those countries.

The communal view of History has been the mainstay of his organization, rather his Parivar’s politics. When he says that even Muslims participated in battle against Akbar, to save the Indian culture, he is taking the distortion of History to further level. In what way did Rana Pratap represent Indian culture? He was a King of Mewar. In what way the battle between Akbar and Rana Pratap was for Indian culture. Akbar, for that matter most of the Muslim kings, who ruled here, became the part of this land. Akbar in particular was for multi-faith society, that’s why he conceptualized Sulh-E-Kul (Harmony among religions). And as Muslim Hakim Khan Sur was part of Rana Pratap’s army (saving Indian culture!), so was Raja Mansingh leading the forces of Akbar! Quiet a garbled up exercise to project Rana Pratap as symbolizing Indian culture, forgetting Raja Mansing was leading forces from opposite side.

So far RSS history has been presenting Rana Pratap and Shivaji as heroes of Hindu nationalism, now probably they have learnt that both these warriors had Muslims in their army and similarly their rival Muslim Kings had Hindus also on their side. These battles have nothing to do as being for and against Indian culture. As such Indian culture flourished during this period leading Jawaharlal Nehru to call this as ‘Ganga Jamani Tehjeeb’ (Syncretism, pluralism at peak). The peak of this was Bhakti and Sufi traditions, which focused on humane aspects of life.

As far as Ram Temple being the symbol of national values and culture, we should recall Bhimrao Ambedkar’s ‘Riddles of Rama and Krishna’, where Ambedkar and later Periyar criticize the Lord for killing a Shudra Shambuk, when he was doing penance, killed Bali from behind and banished his pregnant wife Sita on mere suspicion. Symbol of Indian nationalism is freedom movement and Indian Constitution.

Indian Constitution gives equal citizenship rights to people of all religions, ethnicities, regions and languages. The problem is that communalism regards this as a Hindu nation and so Muslims and Christians are regarded as foreigners.  Accordingly earlier Sarsanghchalak M.S. Golwalkar in his book, ‘Bunch of thoughts’; calls them internal threat to the nation.

To call that Indian Muslims are happiest in the World due to Hindus or they are most content in the World, must a joke. In the light of the rising violence against them, the rising ghettoisation of the community and their declining political representation tells another tale. To cap it; now a section of media, which is part of the communal project, is coining words like Corona Jihad, Corona bomb and the last in the series is from Sudarshan Channel, which sees four odd percent successful Muslim candidates as Jamia Jihadis and others with them as a part of planned jihad to take over civil services!

Such statements like Indian Muslims are most content or happiest is like rubbing salt on the wounds of a besieged community, which is trying its best to live the values of Indian Constitution as witnessed during Shaheen bagh movement.

Loading

સ્ત્રીઓ પરની હિંસા કેમ અટકતી નથી ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 October 2020

ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પરના બળાત્કારની ઘટના કંઈ પહેલી નથી અને કદાચ છેલ્લી પણ નહીં હોય. દેશમાં દર પંદર મિનિટે બળાત્કારની એક ઘટના નોંધાતી હોવાનું દેશનું ગૃહ મંત્રાલય સત્તાવાર રીતે કબૂલે છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે છેલ્લા સત્તર વરસોમાં સ્ત્રીઓ પરના બળાત્કારના કેસો બે ગણા વધ્યા છે. બીજી તરફ બળાત્કારીઓને સજાનો દર ઘટી રહ્યો છે. ૨૦૦૬માં બળાત્કારના ગુનેગારોની સજાનો દર ૨૭ ટકા હતો તે ૨૦૧૬માં ઘટીને ૧૮.૯ ટકા થઈ ગયો હતો.

શું બળાત્કાર સહિતની મહિલાઓ પર ગુજારાતી હિંસા કાયદો અને વ્યવસ્થાનો જ સવાલ છે ? તેનો જવાબ હા પણ છે અને ના પણ છે. દિલ્હી, કઠુઆ, ઉન્નાવ, હૈદરાબાદ અને હવે હાથરસ જેવા જે મોટા સ્ત્રી હિંસાના અને સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે, તે દર્શાવે છે કે દેશમાં કાયદાનું મજબૂત શાસન છે અને તે તેમને છોડશે નહીં તેવો ગુનેગારોને ડર નથી. નિર્ભયા કાંડ અને તે પછીના જે કેટલાક બળાત્કારના બનાવો નોંધાયા છે, તેમાં મહિલા વિરોધી યૌન હિંસા અસહનીય હદે ક્રૂર રીતે પ્રગટી છે. સભ્ય સમાજ હોવાના આપણા તમામ દાવાને તેણે નકારી દીધા છે. હાથરસમાં જે જઘન્ય હિંસા આચરાઈ છે તેણે તો કોઈ પુરુષ કઈ હદે ક્રૂર બની શકે તે દર્શાવ્યું છે.

ભૂતકાળના બળાત્કાર અને યૌન હિંસાના બનાવો અને હાલના બનાવો એ વાતે પણ નોખા છે કે હવેના બનાવો સામૂહિક બળાત્કારના હોય છે, તેમાં બળાત્કાર પછી મહિલાને રહેંસી નાંખવામાં આવે છે, એટલે આ કોઈ સામાન્ય અપરાધી કે અપરાધી માનસનું કૃત્ય નહીં પણ અપરાધ સમૂહોનું કૃત્ય હોય તેવો પણ અંદેશો જાગે છે. પ્રતિષ્ઠિત અને ધર્મ, રાજ તથા અર્થસત્તા ધરાવતા લોકો યૌન હિંસા આચરવામાં મોખરે હોય છે. જાણે આખા સમાજનું અપરાધીકરણ થયું હોય તેમ આ બનાવોની પેટર્ન જોતાં લાગે છે. તેમાં પોલીસ અને તેને જેની ઓથ છે તે સરકારોની ભૂમિકા બહુ ભૂંડી છે.

જેમ હૈદરાબાદમાં તેમ હાથરસમાં પણ પોલીસ શરૂઆતમાં ફરિયાદ અને તપાસમાં વિલંબ કરતી જોવા મળી છે. સ્ત્રી હિંસાને ડામવા માટે પોલીસનું સંવેદનશીલ હોવું તે પોલીસ રિફોર્મનું પ્રથમ પગથિયું જ હજુ ભરાતું નથી. દેશ વિદેશમાં બહુ ગાજેલા ૨૦૧૨ના દિલ્હીના નિર્ભયા કાંડના દોષિતોને સજા અપાવવામાં સાત વરસ થયાં હતાં મહારાષ્ટ્રના ખેરલાંજી બળાત્કાર અને હત્યાકાંડને ચૌદ વરસ અને રાજસ્થાનના ભંવરીદેવી બળાત્કારને તો ત્રીસ વરસ થયાં છે પણ હજુ અંતિમ ન્યાય મળવાનો બાકી છે.

ભારતની સર્વોચ્ચ અદાલતમાં આશરે પચાસ હજાર, વડી અદાલતોમાં પચાસ લાખ અને દેશની અન્ય અદાલતોમાં ત્રણ કરોડ કેસો ન્યાયની આશા રાખીને ઊભા છે. સ્ત્રી વિરોધી હિંસા આચરતા અપરાધીઓને જાણે કે કાયદાથી બચવાના તમામ પ્રયાસોની ખબર છે પોલીસ તપાસ અને ન્યાયની અદાલતોમાં ત્વરિતતા અને તત્પરતાનો અભાવ છે. અદાલતોમાં લંબિત મામલાઓની સંખ્યા કરોડોની હોય, ન્યાયાધીશોના ઘણા પદ ખાલી હોય અને બળાત્કારના લાખો કેસ ન્યાયની રાહમાં અદાલતોમાં પડતર હોય તો મહિલાઓ પરની હિંસા અટકે ખરી ? બળાત્કારના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો અનુભવ પણ પણ સારો નથી. માર્ચ ૨૦૧૯માં ૫૮૧ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ૫,૯૦,૦૦૦ કેસો પડતર હતા. બળાત્કારના કુલ કેસોમાં મોટો હિસ્સો ધરાવતા રાજ્યોમાં તો ફાસ્ટ કોર્ટો જ નથી.

ન્યાયની ઓછી અને પુરાવાની વધુ એવી ભારતની અદાલતોમાં દર ચારમાંથી એક જ બળાત્કારના આરોપીને સજા થાય છે અને બાકીના ત્રણ નિર્દોષ છૂટી જાય છે. ૨૦૧૮માં બળાત્કાર વિરોધી કાયદા હેઠળના કેસોમાંથી ૯૩.૨ ટકા અને પોક્સો એકટ હેઠળના કેસોમાંથી ૯૪.૩ ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ થયા હતાં. પરંતુ આ બંને ગુના હેઠળ અનુક્રમે ૨૭.૩ ટકા અને ૩૧.૫ ટકા જ આરોપીઓ દોષિત ઠર્યા હતા. યૌન હિંસામાં ૯૯.૧ ટકા કિસ્સામાં તો ફરિયાદ જ થતી ન હોય ત્યારે સજાનો આટલો નીચો દર ચિંતાજનક છે.

૨૦૧૨ના નિર્ભયા કાંડ પછી રચાયેલી જસ્ટિસ વર્મા સમિતિની ભલામણોને અનુલક્ષીને કાયદામાં સુધારા કરાયા છે. મહિલા સલામતી માટે વિશેષ નિર્ભયા ફંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ રાજ્ય સરકારો મહિલા સુરક્ષાના મુદ્દે ઉદાસીન જણાય છે. નિર્ભયા કોષના પોણા ભાગનાં નાણાં વણવપરાયેલા રહ્યા છે. યુ.પી., દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાએ તેને ફાળવેલા નિર્ભયા ફંડમાંથી માત્ર સાત જ ટકાનો ખર્ચ કર્યો હતો. મણિપુર, ત્રિપુરા, સિક્કિમ અને દમણ-દીવે એક પણ રૂપિયાનું નિર્ભયા ફંડ વાપર્યું નથી. સૌથી વધુ ખર્ચ કરેલ રાજ્યો, મિઝોરમ અને ઉત્તરાખંડે પણ પચાસ ટકા રકમ જ વાપરી હતી.

મહિલાઓ પરના અત્યાચારો ખાસ કરીને યૌન હિંસા માટે સરકાર જેટલો જ સમાજ પણ જવાબદાર છે. પુરુષોની એટલે પુરુષસત્તાક સમાજની દૂષિત માનસિકતા બદલાશે નહીં ત્યાં સુધી આ બાબતમાં ઝાઝો ફેર પડવાનો નથી. ઉત્તર પ્રદેશના બદાયું બળાત્કાર કાંડ વખતે પોતાના જાતભાઈઓની તરફેણમાં બુઝુર્ગ સમાજવાદી નેતા ઓચર્યા હતા કે, ‘લડકે હૈ ભૂલ હો જાતી હૈ’. હવે આવાં વલણો અને માનસિકતા ચાલશે નહીં. યૌન હિંસા માટે સ્ત્રીઓની દિનચર્યા કે વેશભૂષાને પણ જવાબદાર ઠેરવવાની માનસિકતા છે. ગામડાંની ખેતકામદાર સ્ત્રીઓ કે ગરીબ, દલિત ,આદિવાસી સ્ત્રીઓ હિંસા અને બળાત્કારનો સૌથી વધુ ભોગ બને છે. નાની બાળકીઓ અને વૃદ્ધાઓ પર પણ બળાત્કાર થાય છે એટલે સ્ત્રીઓની આધુનિકતા અને વેશભૂષા નહીં પુરુષોની નીચ માનસિકતા  આ માટે જવાબદાર છે.

સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક તાકાત દેખાડવા કે સ્ત્રીઓ પર અને તે દ્વારા નબળા અને દબાયેલા વર્ગો પર નિયંત્રણ અને વર્ચસ્‌ સ્થાપવા બળાત્કારનું હથિયાર ઉગામવામાં આવે છે. રોજ ચાર દલિત મહિલાઓ પર બળાત્કાર થતા હોવાનું સત્તાવાર અહેવાલો જણાવતા હોય તો તેની ગંભીરતા સરકાર અને સમાજને સત્વરે સમજાવી જોઈએ. દારૂ અને નશાનું જોર પણ સ્ત્રી હિંસાનું પ્રમુખ કારણ છે. હિંસક અને અશ્લીલ ફિલ્મો અને પોર્નોગ્રાફીનો ફાળો પણ આ સમસ્યાને વકરાવે છે. મહિલાઓ પરની યૌન હિંસાને અટકાવવા વ્યાપક પ્રમાણમાં સમાજ સુધારણા થવી જોઈશે. બાળકોમાં શરૂઆતથી જ સ્ત્રી-પુરુષ સમાનતાના સંસ્કારો રોપવાની અને તેની સતત માવજત કરતા રહેવાની પણ જરૂર છે.

(તા.૧૪-૧૦-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...2,1282,1292,1302,131...2,1402,1502,160...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved