ફરી ન આવીશ:
હે ૨૦૨૦, તું રહમ કર,
જરાક તો તું શરમ કર.
હજી કેટલાં જુલમ કરીશ?
ખબરદાર જો પાછો ફરીશ!
———————————
માનવજાતિના હાલ:
કેટલાયને તેં બિમાર કર્યા,
હજારોને તેં બેકાર કર્યા,
બેશરમીની હદ કરી તેં,
લાખોને નિરાધાર કર્યા!
હે ૨૦૨૦, તું રહમ કર!
એકવાર જઈને જોઈ લે,
નાનાં ભૂલકાંઓ સંગ રોઈ લે.
વૃદ્ધાશ્રમમાં નજર કરી છે?
લાચારીએ માઝા મૂકી છે.
હે ૨૦૨૦, તું રહમ કર!
———————————
ભણતરના હાલ:
વિદ્યાલયોને તાળા લગાવ્યા,
વિદ્યાર્થીઓને દી’રાત રડાવ્યા,
શિક્ષકો પણ કરગરી રહ્યાં,
શાને સહુનાં વરસ બગાડ્યાં?
હે ૨૦૨૦, તું રહમ કર!
———————————
રોજગારના હાલ:
કાર્યાલયો સાવ ભેંકાર છે,
કારીગરો પણ બેકાર છે,
સ્થગિત કરી નાંખ્યું જનજીવન તેં,
સહુ પરિવારો લાચાર છે.
હે ૨૦૨૦, તું રહમ કર!
———————————
ઋગ્ણાલયોના હાલ:
ખાટલાઓની તાણ છે,
દવાઓની ય મોંકાણ છે,
તબીબોની તો વાત ન પૂછો,
બુકાની (માસ્ક) પાછળ ભગવાન છે!
હે ૨૦૨૦, તું રહમ કર!
———————————
ધર્મસ્થાનોના હાલ:
મંદિરોની દશા ખરાબ છે,
દેવાલયે પાદરી ઉદાસ છે,
મસ્જિદોની તો વાત ન પૂછો,
ખુદાના બંદા નાસીપાસ છે.
હે ૨૦૨૦, તું રહમ કર!
——————————-
સામાજિક સ્થાનોના હાલ:
રેસ્ટોરન્ટમાં પાંખી હાજરી,
મયખાને ય હડતાળ છે,
ઘરખૂણે જ બેઠા છે ‘મૂકેશ’
ઘરઘરમા આવા હાલ છે.
હે ૨૦૨૦, તું રહમ કર!
——————————
ડિસેમ્બર ૪, ૨૦૨૦
e.mail : mparikh@usa.com
![]()


ઇઝરાયલી લેખક યુવલ નોઆ હરારીનું પુસ્તક છે, ’21 લેસન્સ ફોર 21st સેન્ચ્યુરી’. આ પુસ્તકમાં બધા જ પ્રકારની સમસ્યાઓ, વિખવાદો, વિવાદોની વાતો કર્યા પછી, યુવલ અંતે એક જ સલાહ આપે છે કે ધ્યાન ધરો, મેડિટેશન કરો. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને મળેલી સૌથી સારી સલાહ હતી, ‘શ્વાસ પર ધ્યાન આપો’, (યુવલની આ વાતનું અનુસંધાન અંતે જડશે). 2020નું વર્ષ બસ પૂરું થયું જ સમજો. આપણે બનાવેલા પ્લાન્સ કોરાણે મુકાઇ ગયા અને રડતાં, કકળતાં, કંટાળતાં, ગભરાતાં, ચિંતા કરતાં આખું વર્ષ આપણે ઘરનાં કપડાંમાં, લૅપટૉપ્સ સામે અને ઝૂમ કૉલ્સ પર જીવી ગયાં. હજી કશું પણ રાતોરાત બદલાવાનું નથી એ હકીકતથી આપણે વાકેફ છીએ. આ વર્ષે જે શીખવ્યું હશે એ ખરું પણ બહુ લોકોએ એમ કહ્યું કે તેઓ જાત સાથે જોડાયા (એ વાત અલગ છે કે આવું પાછું એમણે સોશ્યલ મીડિયા પર આખા ગામને કહ્યું) તેમને આત્મમંથન કરવાનો સમય મળ્યો. હા એવું થયું જ હશે, થવું જોઇએ અને ખાસ એક વાત તો લોકોએ એમ કહી કે ‘ઓછામાં ચાલે છે, થોડી વસ્તુઓ સાથે પણ જીવી શકાય છે.’ આ એક વાક્ય પર ઊંડો વિચાર કરવો જરૂરી છે.
કરવા તૈયાર છીએ ખરાં? જે લોકો સાદગીની વાત કરે છે એ ખરેખર એમાં જીવે છે ખરા? વાઇરસ કાળ દરમિયાન એવા પોલ્સ થયા જેમાં એવું કહેનારા લોકો હતા કે તેઓ ‘નોર્મલ’ તરફ જવા નથી માગતા – તેમને ઓછો ટ્રાફિક, ચોખ્ખી હવા, વર્ક ફ્રોમ હોમ માફક આવે છે, પણ આ પોલ્સનું સત્ય કેટલું નક્કર? મૂડીવાદે આપણને જે સવલતો આપી છે, ઓછા પૈસામાં ઘણું અને 99/- થી 999/-નું જે બજાર કોટે વળગાડ્યું છે એ આપણને માફક આવી ગયું છે. આ સરળતાએ પર્યાવરણની હાલત બગાડી છે.
ગાંધીજીનું ૧૯૧૫માં ભારતમાં આગમન થયું અને માત્ર ચાર જ વર્ષમાં, ૧૯૧૯-૧૯૨૦માં અપવાદ વિના ભારતના પ્રત્યેક નેતાને નિર્ણય લેવાનો વારો આવ્યો કે આ માણસનું કરવું શું? એમની સાથે જવું? એમનો વિરોધ કરવો? એમનાથી જુદા પડીને પોતાને રસ્તે ચાલવું કે પછી રાજકારણને રામરામ કરવા? વિકલ્પ આ ચાર જ હતા, પાંચમો કોઈ વિકલ્પ નહોતો. ભારતના દરેકે દરેક નેતાએ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડે એમ હતો. ભારતીય રાજકારણમાં આવું આ પહેલાં ક્યારે ય નહોતું બન્યું.