આયખાને સીવે કોઈ અક્કલની સોયે, તોયે રુદિયાનો દોર ગાંઠો વાળે.
કાશ્મીરી, પોલો કે સાંકળીના ટાંકે, રેશમી મુલાયમ ભરતકામ આંકે.
ભાઈ, કાપડના તાકાની હજારો જાત
કોઈ હોય કાઠું ને કોઈ રદ્દી સાવ
એને તૂણે કે વણે, સીવે કે ટાંકે,
ચારણી-શાં છિદ્રને રફૂથી ઢાંકે,
આ દોરો જ મનખાના પોતને સજાવે … આયખાને સીવે કોઈ અક્કલની સોયે …
નાજુક સંવેદનાની અણિયાળી ધારે
ખૂણે ખાંચરેથી ખૂબ ખેંચી ચલાવે,
કેટલાયે બખિયા ને કેટલાંયે ઓટણ.
મનડાંના મોરનું ભાતીગળ ગૂંથણ
કોતરી ભીતરની ભાતને નિખારે … આયખાને સીવે કોઈ અક્કલની સોયે …
e.mail : ddhruva1948@yahoo.com
![]()


‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’ લેખક – કર્મશીલ – અનુવાદક અને આજીવન શિક્ષક એવા નડિયાદનિવાસી કાન્તિભાઈ મકવાણાની જીવનસફર વર્ણવતું પુસ્તક છે.
જીવનસફર લખનાર ખુદ દલિત હોય ત્યારે જાતિવાદી પીડાની લોહીઝાણ વેદનાઓ જે એણે વેંઢારી છે, તેનો ને તેમાંથી તેને મુક્તિ અપાવનારા મુક્તિદાતા ડૉ. ભીમરાવ આંબેડકરનો ઉલ્લેખ એના લેખનમાં સહજપણે વણાતો જતો હોય છે.