Opinion Magazine
Number of visits: 9572330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક નમ્ર પત્ર …

ઈલિયાસ મનસૂરી|Opinion - Opinion|30 April 2021

આદરણીય સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ,

સિવિલ હોસ્પિટલ, કોરોના વિભાગ, અમદાવાદ.

જય જગત …

કોરોના સંક્રમણને કારણે હું અને મારો નાનો ભાઈ દસેક દિવસની સઘન સારવાર બાદ સાજા થઈ ઘરે આવી ગયા છીએ. રિકવરી મેડિસિન પર અને ડોક્ટર્સે સૂચવેલ સમય સુધી આઈસોલેશનમાં છીએ. સમગ્ર સિવિલ સ્ટાફની પ્રસંશા માટે શબ્દો ઓછા પડે તેમ છે. સલામ છે.

આમ છતાં, દસ દિવસની મારી સારવાર દરમિયાન ઝ્ર૧ વૉર્ડમાં બે દિવસ તથા છ૧ વૉર્ડમાં આઠ દિવસ સારવાર લેવાનું થયું અને ત્યાં જોયું, વિચાર્યું તેના આધારે કેટલાંક નમ્ર સૂચના ‘good faith’થી કરી રહ્યો છું. તમારા ભારણનો વધારો કરવાનો કોઈ ઈરાદો નથી, પણ એક અધ્યાપક તરીકે તથા ભૂકંપ, સુનામી, પૂર, તોફાનોનાં પ્રત્યક્ષ કામ અને ટ્રોમા કાઉન્સેલિંગના ખાસ્સા અનુભવને આધારે આ વાત અહીં આપને લખું છું જે આપને યોગ્ય લાગે તો રિવ્યુ મીટિંગમાં ચર્ચામાં લઈ શકાય …

૧. રિકવરી રેટ નીચે આવી રહ્યો છે, લગભગ ૮૦-૮૨%. જેના મૂળમાં ઘરડાં અશક્ત દરદીની સંભાળમાં પડતી માણસોની અછત છે, જે પૂરી કરી શકાય? ઘરડાં, અશક્ત દરદીઓ પોતાના ઓક્સિજન માસ્ક અવારનવાર કાઢી નાખે છે, જેના કારણે તેમના શ્વાસ ભારે થાય પછી એ કોઈ પણ મૂવમેન્ટ કરે તો પડી જાય છે, અને વધારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો શું ફૅમિલીના એક માણસને પૂરતા precautions સાથે દરદી સાથે રાખી શકાય? તો દરદી સચવાય, આખો દિવસ નહીં તો રાત્રે તો જરૂર પડે જ છે. સ્ટાફ સમગ્ર દિવસની મહેનત બાદ થાકેલો હોય છે એટલે નાનકડા નૅપ લે તો હોય છે તે દરમિયાન ઘટના વધારે બને છે.

૨. C1 જેવા એ.સી. વૉર્ડમાં દરદીઓ અને સ્ટાફની વ્યવસ્થા વચ્ચે ખામી હોય એવું જણાય છે. ઑટોમેટિક ડોરથી બંને અલગ છે, તેથી એ.સી. વૉર્ડમાંથી કોઈ દરદી મદદ માટે અવાજ આપે છે તે બહાર સ્ટાફને સંભળાતો નથી. તેમની વિઝિટ દરમિયાન જ કોઈ બાબત હોય તો પકડાય છે પણ ત્યાં સુધી દરદી પેનીકમાં આવી જાય છે અને જાતે કંઈ કરવા જાય છે તો વધુ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઓક્સિજન લેવલ ઘટી જાય અને રિકવરી ટાઈમ પર અસર પડે છે. શું કરી શકાય?

૩. ઍન્ટિબાયોટીકના લીધે વધારે પાણી, પેશાબ, ટોઈલેટ ઈશ્યુ છે, એમાં કેટલાક દરદીઓ પોતાની રીતે આયા ભાઈ-બહેનની મદદ વગર ટોઈલેટ ઉપડી જાય છે તેથી ઓક્સિજન લેવલ ઘટી જતાં પડી પણ જાય છે. એકવાર ઘરડું, ભારે શરીરવાળું પેશન્ટ પડી જાય પછી એનું પેનીક અત્યંત વધી જાય છે અને રિકવરીનો ચાન્સ લગભગ ખતમ થઈ જાય છે. પેશન્ટની ભૂલ જ હોય છે, પણ એ એટલો બેબાકળો હોય છે કે શું કરીએ? જો સ્ટાફને આવા પેશન્ટની વ્યક્તિગત જવાબદારી આપી દેવામાં આવે તો? ૬૦ દરદીઓના વૉર્ડમાં આવા ૧૦-૧૨ પેશન્ટ હોય જ છે. તો ૪-૪ પેશન્ટની જવાબદારી સરવન્ટ ભાઈ-બહેનોને વહેંચી શકાય અથવા એકદમ સારા થયેલા જવાન દરદીને એકની જવાબદારી સોંપી શકાય. મને ચાર દિવસ પછી એવી જવાબદારી નિભાવવાની રજા સિનિયર નર્સે આપી હતી. તો થોડાકને મદદરૂપ થઈ શક્યો. એ રીતે અન્ય સારા રિકવર પેશન્ટને જો હેલ્પ કરવા માટે પ્રોત્સાહિત કરાય તો ભારણ ઘટે.

૪. કેટલાક દરદીઓ પોતાનો ડ્રીપ પૂરો થાય અને લોહી પાઈપમાં ઉપર ચડતું જોઈ પેનીકમાં આવી જાય છે, જોર જોરથી બૂમો પાડવા લાગે છે, અને નર્સ કોઈ સીરિયસ દરદી પાસે હોય તો વાર લાગે તો એ દરદી વધુ પેનીક કરી એનું ઓક્સિજન માસ્ક કાઢી નાખે અને ધમાલ મચાવી દે છે. જો ડ્રીપ ચડાવતી વખતે જ દરદીને સૂચના આપવામાં આવે અને બતાવવામાં આવે કે ’બાટલો પૂરો થાય એટલે આ સ્વીચ નીચે કરી દે’જો એટલે કોઈ તકલીફ નહી પડે’ .. તો ઘણા પેશન્ટ કરી શકશે અને પછી જ્યારે સમય મળે એટલે નર્સ ડ્રીપ દૂર કરે. કરી શકાય?

૫. સીરિયસ પેશન્ટ આવે એટલે ડૉક્ટર્સ કે નર્સ માત્ર પહેલું વાક્ય એટલું બોલે કે ’ચિંતા ના કરો, તમે દવાખાને સમયસર પહોંચી ગયા છો, અહીં સારું જ થઈ જશે, અમે છીએ તમારી સાથે’. આ ઓક્સિજન માસ્ક કાઢવાનું નહીં એ દવા છે, તમારું લેવલ થોડીવારમાં આવશે એટલે તમારી દવા શરૂ કરીએ છે, અત્યારે ઓક્સિજન એ જ દવા ‘એટલું જ કહો તો ધરપત આવી જાય અને ડોક્ટર્સને સમય મળે. ગંભીર દરદીને પણ Remdesiver બધાંના સમય સાથે અપાય છે, એમાં ફેરફાર કરી શકાય? કેટલીક વાર તો લિસ્ટ ગયા પછી દરદી દાખલ થયો હોય તો બીજો દિવસ લાગી જાય છે. શું કરી શકાય? ડૉક્ટર્સને ગંભીર દરદી માટે તત્કાલ સ્ટોક મળે તથા પ્રોસેસ ઝડપી બને તે જરૂરી લાગે છે. શું વિચારી શકાય?

૬. કેટલાક મૃત્યુના કેસમાં ડેડ બૉડી ૬૦ના વૉર્ડમાં બધા દરદીઓની નજર સામે જોતા પૅક થાય તે કોઈ પણ રીતે યોગ્ય નથી. પલંગ મુવેબલ છે, એને એક ચોક્કસ જગ્યાએ લઈ જઈ કોઈ દરદી ન જોઈ શકે તે રીતે પૅક થાય તો ઘણા નબળા મનોબળવાળા દરદીઓને આપણે બચાવી શકીશું.

મારું ચોક્કસપણે માનવું છે કે ઉપરોક્ત કામ થઈ શકે એમ છે, એનાથી મોટો ફરક પડશે. આપણે ૮૦-૮૨ના રિકવરી રેટ પરથી આસાનીથી ૯૦% સુધી પહોંચી શકીશું …

ફરીવાર, સમગ્ર સિવિલ સ્ટાફને સલામ, મારા આ નાનકડાં સૂચનો આપ જોશો અને યોગ્ય જણાય તો કાર્યવાહી કરશો. હું ઓઈસોલેશન પીરિયડ પૂરો કરી મારી જાતને સ્વયંસેવક તરીકે રોજ છ કલાક ઓફર કરવા તૈયાર છું. મને ડ્રીપ બંધ કરી પાઈપ રિમૂવ કરતાં, ઓક્સિજન બોટલમાં પાણી ભરતાં, ઓક્સિજન માસ્ક પહેરાવતાં, વ્હીલચેર પર પેશન્ટને ટોઈલેટ લઈ જતાં તથા ટ્રોમા કાઉન્સેલિંગ કામ કરવાં, પાણી ડાયેટ વિતરણ વગેરે કામ ગમશે.

આપ સૌની તાકાત વધે અને આ પેન્ડેમિકમાંથી માનવજાત ઓછામાં ઓછા નુકશાન સાથે બહાર આવી જાય તેવી દુઆ .. આમીન …

આભાર,

ઈલિયાસ મનસૂરી, મહેસાણા 

(લેખકની ફેસબૂક વૉલ પરથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 16

Loading

જત ઉમેરવાનું કે…..

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|30 April 2021

13 ઍપ્રિલ 2021ના મુકાયેલા મારા લેખના અનુસંધાને : 

“અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલમાં ઉમેરણ જરૂરી છે. જેમ કે આધુનિક ગરબામાં સરૂપબહેનનો ગરબો “સરખી સહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાદ કરીને કહીશું રે લોલ”, પૂરા ગુજરાતમાં પ્રચલિત થયેલો અને હજી ગવાતો રહ્યો છે. તે રીતે વિભૂતિ, મીનળબહેન, ખેવના અને અન્ય લેખિકાઓનાં નામો પણ પોતાનાં પ્રદાન માટે ઉલ્લેખનીય છે. સરૂપબહેનને તો પોતાનાં નાટક માટે પણ સેન્સરશીપનો ભોગ બનવું પડ્યું હતું. જેની નોંધ લેવી જરૂરી છે. એમણે અમદાવાદમાં કલમ, મુંબઈમાં મીનલબહેન અને સાથીદારોએ લેખિની, વલસાડ – અમદાવાદ મળી વિમેન રાઈટર્સ કલેક્ટિવ, પ્રતિભા ઠક્કર – સ્ત્રીઆર્થ જેવાં ઉપક્રમો પણ થયા. જો કે કહેવું રહ્યું કે એનાથી જુવાળ ફેલાયો ન કહેવાય કારણ કે સ્ત્રીઓ હજી પણ પોતાની અંગત ઊલઝનોથી બહાર આવી શકી નથી. છતાં અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી હિલચાલ તો ખરી.

બીજી એક વાત પણ ઉલ્લેખનીય છે કે નિર્ભયા ઘટના સમયે આખો દેશ જાગી ઊઠેલો અને મોટી હિલચાલ દેખાતી હતી પણ પછી બળાત્કારની ઘટનાઓ બનતી રહી અને ક્યાંક રાજકીય હાથો બનવાનો મુદ્દો બનતો હોય તેવી સ્થિતિ પણ દેખાતી રહી છે. ક્યારેક તો એવું લાગે કે સ્ત્રીઓની સમસ્યાના મુદ્દાનું સરકારીકરણ થઈ રહ્યું હોય ! ઉમેરવાનું તો ઘણું છે. તો પણ કહી શકાય કે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢક આપતા પ્રયત્નો થતા રહ્યા છે, રહે છે અને થશે. અન્ય મિત્રો પણ પોતાની જાણકારીનું ઉમેરણ કરે તો માહિતી સમૃદ્ધ જ બનશે.”

[26/04, 12:48] Saroopben Dhruv: Hiren nu lakhelu Bhagatsinh vishe Itihas ni biji baju. Jenathi ant censorship movement sharu kari. 1984. Maru lakhelu R

[26/04, 12:53] Saroopben Dhruv: Raj privartan Dur darshan ma censor thayu. 1987. Highcourt ma gaya jitya 2000. Maru lakhelu Suno Nadi Kya kaheti hai. Theatre ma censor thayu. 2oo4. Fari movement pan courtma n gaya. Jitela e natak DD e na j batavyu . Technical problem batavyo.

[26/04, 12:55] Saroopben Dhruv: Haji ek Maanasjaat 1986 ma DDe adhu shooting karavine atkavyu.

પ્રાપ્ત વિગતો.

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

તંગ દોરડા પર ચાલવાની રમત

રમેશ ઓઝા|Opinion - Opinion|29 April 2021

ગોળમેજ પરિષદો, સો વરસ દરમ્યાન બ્રિટિશ સરકારે ભારત મોકલેલાં કુડીબંધ પંચો સમક્ષ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓએ આપેલી જુબાનીઓ, નેહરુ રિપોર્ટ અને એવા બીજા અનેક અનુભવો જોતાં ભારતીય નેતાઓને ડર હતો કે બંધારણ ઘડવાની પ્રક્રિયા અધવચ્ચે ક્યાં ય ચેરાઈ ન જાય! આવી પૂરી શક્યતા હતી કારણ કે ઉપરના દરેક પ્રસંગે ભારતીય નેતાઓએ મતભેદો જ પ્રગટ કર્યા હતા. મતભેદોનો અને એકબીજા ઉપરના અવિશ્વાસનો સો વરસનો અનુભવ હતો અને એમાં ઓટ આવતી નહોતી. દરેકને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કરનારા ગાંધીજીની હાજરી હોવા છતાં પરસ્પર શ્રદ્ધાનું વાતાવરણ ભારતીય રાજકારણમાં જોવા નહોતું મળતું. આ જે મતભેદો હતા એ ભારતના જે તે સમાજનું પ્રતિનિધિત્વ કરનારા નેતાઓ વચ્ચેના હતા અને દરેક આગ્રહી હતા. અથાક પ્રયાસો પછી પણ આગ્રહોના નહીં ઓગળવાનો ભારતનો સો વરસનો ઇતિહાસ સામે હતો.

આ સ્થિતિમાં બંધારણ સભા રચવામાં આવે અને એમાં એ જ ઇતિહાસનું પુનરાવર્તન થાય તો જે ઉપરના દરેક પ્રસંગે થયો હતો? સુખદ અપવાદ તો એક પણ નહોતો. બંધારણ સભાના સભ્યો એકબીજા ઉપર દોષારોપણ કરે, બીજાઓ સામે શંકા કરે, પોતાના સમાજ માટે રક્ષણ માગે અને બંધારણ સભામાં એવી રીતે ભાષણ કરે કે જાણે પોતાના કાર્યકર્તાઓની રેલીને સંબોધતા હોય. અંગ્રેજીમાં આને પ્લેયિંગ ટુ ધ ગેલેરી કહેવામાં આવે છે. આવી પૂરી શક્યતા હતી અને એ ટાળવી જરૂરી હતી. બંધારણ સભા એવી રીતે ચાલવી જોઈએ જેમાં દરેક સભ્ય નાગરિક તરીકે બોલે અને ભારતના નાગરિકો માટેનું બંધારણ ઘડે.

તો આને માટે કરવું શું? કોઈ સોગંદનામું તો કરાવાય નહીં કે તમારે તમારા સમાજ માટે કે કોઈ ચોક્કસ વર્ગવિશેષ માટે બોલવાનું નથી. ઊલટું એવા કેટલાક સભ્યોની જરૂર પણ હતી જે ચોક્કસ લોકોના હિત માટે બોલે. ખાસ કરીને ઇશાન ભારતની પ્રજા, સ્ત્રીઓ અને આદિવાસીઓ અને દલિતોનાં હિત માટે બોલનારાઓની. આમાં ખાસ કરીને પહેલા ત્રણ વતી બોલનારા કોઈ નહોતા. ઉપર સો વરસ દરમ્યાનના જેટલા પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે તેમાં સ્ત્રીઓ, આદિવાસીઓ અને ઇશાન ભારત માટે બોલનારા અને ન્યાય માગનારા ઓછા હતા. વળી સ્ત્રીઓ, આદિવાસીઓ અને ઇશાન ભારત વતી બોલનારાઓની જરૂર પણ હતી. આમ જરૂર હતી બંધારણ સભાના સભ્યો બંધારણ સભામાં નાગરિક બનીને નાગરિકો માટેનું બંધારણ ઘડે અને એની સાથે જ કેટલીક પ્રજાનાં હિતોનું વિશેષ ધ્યાન પણ રાખે.

આ સિવાય લગભગ ધર્મઘેલછા કહેવાય એટલી હદની ધાર્મિકતા ધરાવનારા મુસલમાનો બંધારણ સભામાં નાગરિક તરીકેની ભૂમિકા લઈને ભારતીય નાગરિકો માટેનું (જેમાં મુસલમાનો પણ આવી ગયા) ભારતીય બંધારણ ઘડવાની ભૂમિકા લેશે કે કેમ એ પણ પ્રશ્ન હતો. મુસલમાનોનો એક પક્ષ ભારતનું વિભાજન અને મુસલમાનો માટે સ્વતંત્ર પાકિસ્તાનની માગણી કરતો હતો તો બીજો પક્ષ રાષ્ટ્રવાદી મુસલમાનોના પક્ષ તરીકે ઓળખાતો હતો, પરંતુ તેણે સેક્યુલર ભારત માટેની દ્રઢ શ્રદ્ધા ખોંખારો ખાઈને વ્યક્ત નહોતી કરી. ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયામાંથી કોઈ પ્રજા કે સમાજ વિશેષને બહાર રખાય જ નહીં અને તેવો ઈરાદો પણ નહોતો.

તો પછી કરવું શું? તંગ દોરડા પર ચાલવાની રમત હતી અને એ આસાન નહોતી. આવડો મોટો દેશ, એમાં આટલી બધી વિવિધતા, દરેકને બંધારણ સભામાં પ્રતિનિધિત્વ આપવાનું, પાછી અપેક્ષા એવી કે તે પોતાના સમાજ વિશેષ માટે વકીલાત કરવાની જગ્યાએ એક નાગરિક તરીકેની ભૂમિકા અપનાવીને ભારતના સમગ્ર નાગરિકો માટેનું બંધારણ ઘડે અને એ સાથે જ દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને ઇશાન ભારતની પ્રજાને ખાસ હાથ પણ આપે. દુનિયાની કોઈ માર્ગદર્શિકા કામ આવે એમ નહોતી. આની કોઈ શરતો ન હોય અને કોઈ સલાહ પણ ન હોય. બંધારણ સભાના સભ્ય બનવા માટેની એવી કોઈ શરત કે સલાહ ચાલે એમ પણ નહોતી. માટે જ કહ્યું છે કે તંગ દોરવા ઉપર ચાલવા જેવી સ્થિતિ હતી.

આનો ઉપાય હતો બંધારણ સભામાં લગભગ રાંધેલી રસોઈ મુકવી જેનો માત્ર વઘાર કરવાનો બાકી હોય. કોઈને એમ ન લાગે કે અમારો કોઈ સહભાગ નહોતો અને કોઈને ચોક્કસ પ્રજાવિશેષના હિતના નામે કે મહાન આર્યાવર્તની પરંપરાને નામે લાંબાલાંબા ભાષણો કરવાની અને કારણ વિનાના મુદ્દા ઉઠાવવાની તક પણ ન મળે. હવે બીજો સવાલ, રસોઈ કોણ બનાવે? આનો જવાબ છે બંધારણ સભાનું કામ આસાન થાય અને સમય બચે એ માટે રચવામાં આવેલી પેટા-સમિતિઓ. એ પેટા-સમિતિઓ કેટલી હતી, કયા વિષય માટેની હતી, એમાં કોણ કોણ હતું અને તેમાં શું ચર્ચા થઈ હતી તેની વિગતો આગળ કહેવામાં આવશે. બંધારણ સભાની પેટા-સમિતિઓ રસોઈ બનાવતી હતી પણ તેના માટેનો કાચો સામાન કોણ પૂરું પાડતું હતું? તો એનો જવાબ છે બેનેગલ નરસિંહ રાવ. તેઓ કાચા મુસદ્દા ઘડીને આપતા હતા, મુદ્દાઓને પ્રશ્નોતરીમાં વણીને અને બંધારણ સભાના સભ્યોને પ્રશ્નો મોકલીને તેમનો અભિપ્રાય માગીને ટૂંકા ઘેરામાં બાંધતા હતા વગેરે. બી.એન. રાવે જે પાયો રચી આપવાનું કામ કરી આપ્યું એની વાત પણ હવે પછી આવશે.

ટૂંકમાં નીતિ એવી હતી કે બને ત્યાં સુધી મુદ્દાઓને અને તેના પરની ચર્ચાને ટૂંકા વર્તુળમાં બાંધવી કે જેથી પાકિસ્તાન અને બીજા દેશોમાં બન્યું હતું એમ બંધારણ ઘડવાની પ્રક્રિયા ચેરાઈ ન જાય. અને એમાં પાયો રચી આપવાનું કામ બી.એન. રાવે કરી આપ્યું હતું. બી.એન. રાવના યોગદાન વિષે બંધારણ સભાના અધ્યક્ષ અને ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે શું કહ્યું છે તે અહીં ટાંકવું જોઈએ. બી. શિવા રાવે સંપાદિત કરેલા ‘ઇન્ડિયાઝ કોન્સ્ટીટ્યુશન ઇન મેકિંગ’ નામના પુસ્તકમાં લખેલી પ્રસ્તાવનામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લખે છે : If Dr. Ambedkar was the skilful pilot of the constitution through all its different stages, Sri B. N. Rao was the person who visualised the plan and laid its foundation. He was superb in draftmanship, endowed with a style which was at once clear, illuminating and precise—qualities which are indispensable in any document of legal or constitutional importance.

ડો. રાજેન્દ્ર પ્રસાદ કહે છે કે બી.એન. રાવે ભારતના બંધારણની કલ્પના વિકસાવી હતી, એની યોજના બનાવી હતી અને બંધારણનો પાયો રચી આપ્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

Loading

...102030...1,9141,9151,9161,917...1,9201,9301,940...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved