Opinion Magazine
Number of visits: 9570904
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોણ હશે ઉત્તરાધિકારી?: અંબાણી પરિવારમાં આગલી પેઢીને સુકાન સોંપવા યોગ્ય ‘મૉડલ’નું સંશોધન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 November 2021

મૂકેશ અંબાણી સંશોધનના માણસ છે, તે બુદ્ધિશાળી લોકોના મંતવ્યો, કાબેલ લોકોના નિર્ણયો, વૈશ્વિક સામાજિક પરિબળો બધું ગણતરીમાં લઇને ત્રિ-રાશી માંડે એવી વ્યક્તિ છે

આપણે બાળવાર્તાઓમાં વાંચ્યું છે કે એક રાજાને ત્રણ દીકરા હતા પણ કોને ગાદી આપવી એ નક્કી કરવા માટે તેણે પોતાના દીકરાઓની કસોટી કરવાનું નક્કી કર્યું. મોટે ભાગે વાર્તાઓમાં એમ થતું કે નાનો દીકરો ગાદીને લાયક કામ કરી બતાડે અને પછી બાકીના સંતાનો તેની જીત, તેની આવડત અને તેના સંસ્કારને સન્માન આપી તેને ગાદી પર આરુઢ થવા દે. હવે આ તો પરીકથાઓની દુનિયા છે. આજકાલ રાજાઓ રહ્યા નથી, જેને રાજા કહી શકાય તેવા જે છે તે તમામ છે ફોર્બ્ઝના લિસ્ટમાં આવેલા ભારતીયો છે. આમ તો મૂકેશ અંબાણીના સમાચાર આવે અને તે ટ્રેન્ડ ન થાય તેવું તો બને જ નહીં. છેલ્લા અઠવાડિયામાં મૂકેશ અંબાણી એકથી વધુ વાર ટ્રેન્ડ થયા છે. એક સમાચાર તો એ હતા કે ગૌતમ અદાણીએ મૂકેશ અંબાણીને સૌથી ધનિક ભારતીયોની રેસમાં પાછળ પાડી દીધા છે. માર્કેટ કેપિટલાઇઝેશનના અપ-ડાઉનને કારણે આ સરખામણીઓની ચર્ચા છેડાઇ. જો કે માર્કેટ કેપિટલાઇઝેશનમાં રિલાયન્સ ઇઆવ્યુન્ડસ્ટ્રીઝ વધારે હોવા છતાં અદાણીનું નામ આગળ આવ્યું કારણ કે પોતાની કંપનીઝમાં તેમની ભાગેદારી મૂકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપનીઓ કરતા વધારે છે. આ માર્કેટનો ખેલ તો ચાલ્યા કરશે પણ મૂકેશ અંબાણીની તોલે પહોંચી જવુ કંઇ સરળ નથી.

આ સમાચાર ઉપરાંત એક બીજી બાબતે મૂકેશ અંબાણીની ચર્ચા ચાલી હતી અને તે હતી કે તેઓ પણ આપણી વાર્તાઓના રાજાની માફક પોતાની ગાદી કોને આપવી તે અંગે વિચાર કરી રહ્યા છે. મૂકેશ અંબાણી સંશોધનના માણસ છે, તે બુદ્ધિશાળી લોકોના મંતવ્યો, કાબેલ લોકોના નિર્ણયો, વૈશ્વિક સામાજિક પરિબળો બધું ગણતરીમાં લઇને ત્રિ-રાશી માંડે એવી વ્યક્તિ છે. તેમના ત્રણ સંતાનોમાં પોતે ખડા કરેલા સામ્રાજ્યની વહેંચણી કેવી રીતે કરવી તેના પર મૂકેશ અંબાણી હાલમાં કામ કરી રહ્યા છે તે સમાચારે ભારે કૌતુક ખડું કર્યું. હવે આ કંઇ પ્રાચીન કાળ તો છે નહીં કે રાજા સંતાનોને કસોટી આપે અને પછી કોઇ મ્હોમાં બજરબટ્ટુ મૂકીને આગનો દરિયો પાર કરતા શીખી જાય કે પવનપાવડી પહેરીને ઊડી જઇને કોઇને બચાવી લે એવી બધી ઘટનાઓ થાય. વળી મૂકેશ અંબાણી પરીકથાના રાજા નથી, તે પોતાના સંતાનોની આવડત, ક્ષમતાઓ અને ક્ષતિઓ સારી પેઠે જાણતા જ હોય એટલે કોને માટે સામ્રાજ્યનો કયો પોર્ટફોલિયો બંધ બેસતો રહેશે તે નક્કી કરવામાં તેમને મુશ્કેલી ન પડે.

વિશ્વભરના ધનિકોએ પોતાની સંપત્તિની વહેંચણી કેવી રીતે કરી છે તેની પર મૂકેશ અંબાણી નજર ફેરવી રહ્યા છે. તેમનું સામ્રાજ્ય ૨૦૮ બિલિયન ડૉલર્સ જેટલું છે. વૉલ્ટનથી માંડીને કોચ પરિવાર જેવા ધનિકોએ કઇ રીતે પોતાની સંપત્તિની વહેંચણી કરી તેની પર તેમણે અભ્યાસ કર્યો છે. તેમણે વિવિધ પરિવારોની વ્યૂહરચનાઓ દ્વારા જાણવાનો પ્રયાસ કર્યો કે તેમના પરિવાર પર કયું મૉડલ ગોઠવાઇ શકશે. સ્વાભાવિક છે કે કોઇ પિતા એમ ન ચાહે કે સંપત્તિ કે મિલકતને મામલે સંતાનોમાં વિખવાદ થાય અને માટે જ વસિયતનામું બનાવવું એક અગત્યની કામગીરી ગણાય છે. એમાં પાછું મૂકેશ અંબાણીની વાત આવે તો દુકાનના ચાર ગાળા કે, પાંચ ફેક્ટ્રી કે ચાર ફ્લેટની વાત તો ન જ હોય તે સ્વભાવિક છે. એક રિપોર્ટ અનુસાર મૂકેશ અંબાણીએ કરેલા સંશોધન પછી તેમને વૉલ્ટન પરિવારે પોતાની સંપત્તિની વહેંચણી જે રીતે કરી છે તે મોડલ માફક આવ્યું છે.

પહેલાં તો વૉલ્ટન પરિવાર અને તેમની સંપત્તિની વહેંચણીના મોડલ પર નજર કરીએ. વૉલમાર્ટ ઇંક કંપનીના ફાઉન્ડર સેમ વૉલ્ટનનું ૧૯૯૨માં મૃત્યુ થયું. વૉલ્ટન પરિવારે ૧૯૮૮ની સાલથી જ પોતાના તમામ કારોબારને રોજિદાં હિસાબથી મેનેજર્સન સોંપ્યો હતો અને આ આખી કામગીરી પર નજર રાખવા એક ખાસ બોર્ડની રચના કરાઇ હતી. આ બોર્ડમાં સેમ વૉલ્ટનના મોટા દીકરા રૉબ વૉલ્ટન હતા અને તેમના ભત્રીજા સ્ટુઆર્ટ વૉલ્ટનને પણ તેમાં સમાવવામાં આવ્યા. સેમની પૌત્રીના પતિ ગ્રેગ પેનરને આર્કન્સાન્સની બેન્ટોવિલ કંપનીના ચેરમેન બનાવાયા જે ૨૦૧૫માં થયું. સેમ વૉલ્ટને પોતાના મૃત્યુના ૪૦ વર્ષ પહેલાં ૧૯૫૩માં પોતાના સક્સેશનના પ્લાનિંગ પર કામ શરૂ કરી દીધું હતું. તેમના ફેમિલી બિઝનેસનો એંશી ટકા ભાગ તેમણે પોતાના ચાર સંતાનોમાં વહેંચી દીધો હતો. દરેકના હાથમાં વીસ ટકા ભાગ આવ્યો હતો. આમ વધુ પડતો ટેક્સ કોઇ એક પર ન આવે તેની પણ તકેદારી રખાઇ અને સામ્રાજ્ય વધતું ચાલ્યું, પ્રોફેશનલ સુકાની આવ્યા તો ય પરિવારનો કાબૂ તો રહ્યો જ. આજે પણ વૉલ્ટન પરિવાર આખા સામ્રાજ્યમાંથી વૉલમાર્ટના ૪૭ ટકા પર માલિકી ધરાવે છે જે વૉલ્ટન એન્ટ્રપ્રાઇસિઝધ એલ.એલ.સી. અને અન્ય પરિવારની માલિકીના ટ્રસ્ટ દ્વારા મેનેજ થાય છે. શેર હોલ્ડર્સને બદલે ઘરનાં લોકોને આગળ કરાયા તે વાતે વૉલ્ટન પરિવારની ટીકા થઇ પણ મોટા ભાગના દૂરનાં સગાંઓ એટલે કે પિતરાઇ વગેરેએ વૉલમાર્ટ સ્ટોર સિવાયના બિઝનેસિઝ પર ધ્યાન આપ્યું જેમાં સસ્ટેનેબલ એનર્જી અને ફિલાન્થ્રોફી વગેરેનો સમાવેશ થતો હતો.

હર્મિઝ ફેશન એમ્પાયર ધરાવતો ડ્યુમાસ પરિવાર અને એસ.સી. જ્હોન્સન એન્ડ સન્સને સંભાળતો જ્હોન્સન પરિવાર પણ પોતાના સગાંઓને રોજિંદી કામગીરીમાં પરોવતો. વૉલ્ટન પરિવારે તો માત્ર બોર્ડ સ્તરે જ ઓવરસાઇટ રાખી બાકી તેમનો રિટેલ બિઝનેસનું મેનેજમેન્ટ ૧૯૮૮થી આઉટસોર્સ કરાયું જ્યારે સેમ વૉલ્ટને ડેવિડ ગ્લાસને સી.ઇ.ઓ. તરીકે નિમ્યા. આ મોડલમાંને સમજવા માટે એક જૂદો લેખ જરૂર પડે એટલી વિગતો તેમાં છે પણ એ વાંચતા પહેલાં આપણે કોઇ એક એશિયાના ધનિક જેટલી સંપત્તિ પણ એકઠી કરી લઇએ.

છેલ્લા અઠવાડિયામાં જે મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે તે અનુસાર મૂકેશ અંબાણી પોતાની સંપત્તિને ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરશે. આ ટ્રસ્ટ પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માલિકીના હક હશે જેમાં અંબાણી પરિવારના સભ્યો – એટલે કે મૂકેશ તથા નીતા અંબાણી અને ત્રણેય સંતાનોની ભાગીદારી હશે. આ ટ્રસ્ટના સલાહકાર તરીકે અમુક ચોક્કસ વિશ્વાસુ લોકોને નિયત કરાશે. એવી શક્યતા છે કે તેઓ બોર્ડના મેનેજમેન્ટ માટે બહારના લોકોને સુકાન સોંપશે – જેઓ આ પ્રકારનું કામ પ્રોફેશનલી કરવા કેળવાયેલા હોય.

વળી પોતાના સામ્રાજ્યનો આગામી તબક્કો શું હોવો જોઇએ તેવું નક્કી કરનારા મૂકેશ અંબાણી એક માત્ર છે તેમ નથી. એશિયાના ધનિકો જે હવે ઉંમરના એ તબક્કે છે કે તેમણે આગળનો પ્લાન વિચારવો જોઇએ તે બધા જ પરિવર્તન કઇ રીતે કરવું તેની પર વિચાર કરી રહ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી આ સામ્રાજ્ય ખડા કરનારાઓએ અણધારી સંપત્તિ બનાવી.  ક્રેડિટ સુઇસ ગ્રૂપ એજી અનુસાર એશિયામાં ૧.૩ ટ્રિલિયન ડૉલર્સ જેટલી સંપત્તિ આ ધનિકોના સામ્રાજ્યમાં છે અને એશિયાના પહેલી પેઢીના આ ધનિકો આગામી દાયકામાં આગલી પેઢીને પોતાના સામ્રાજ્યનું સુકાન આપવાની યોજના બનાવી રહ્યા છે. કોરોનાવાઇરસ રોગચાળાને પગલે એશિયાઇ ધનિકોમાં આગલી પેઢીને સુકાન આપવાની બાબતે વધુ ગંભીરતાથી ચર્ચા વિચારણા થવા લાગી છે.

બાય ધી વેઃ

ધીરૂભાઇ અંબાણીની સંપત્તિની વહેંચણી અને વિવાદ અંગે કોણ વાકેફ નથી. આખરે મેરે પાસ માં હૈ વાળા ડાયલોગને શોભે એ રીતે કોકિલાબહેને વચ્ચે પડી પોતાની સૂઝબૂઝ વાપરીને બધું થાળે પાડ્યું. પછી કોણે શું ભુંહાડિયો વાળ્યો અને કોણે યોગ્ય દિશામાં સામ્રાજ્યને આગળ વધાર્યું તે આપણે જાણીએ છીએ. જો કે જરૂર પડ્યે પરસ્પરને પડખે ઊભા રહી સમસ્યા ઉકેલવામાં અંબાણી ભાઇઓએ ક્યારે ય પાછું વળીને નથી જોયું. આપણે અંબાણી ન થઇ શકીએ તો કંઇ નહીં પણ કમ સે કમ તેમના આ પ્રોફેશનલ મેનેજમેન્ટવાળા સત્તા પરિવર્તનમાં કંઇક મેનેજ કરવા જેટલી આવડત કેળવી લઇએ તો ય બહુ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  28 નવેમ્બર 2021

Loading

યાદ છે :

મૂકેશ પરીખ|Opinion - Opinion|27 November 2021

ત્રાંસી આંખે તમે જોતાં હતાં, મને યાદ છે,
જોયો ન જોયો તમે કરતાં હતાં, મને યાદ છે.

નજર ફેરવીને ખુમારીથી ચાલી જતા હતાં,
વળી પાછું ફરીને જોતાં હતાં, મને યાદ છે.

વરસાદના દિવસો તો હરગિજ હતા નહિ,
કેશ ખંખેરી વાછંટ વેર્યાનું હજી મને યાદ છે.

“આઈ લવ યુ” કહેવાના એ દિવસો નહોતા,
આંખો વડે કરી હતી એ કબૂલાત મને યાદ છે.

‘મૂકેશ’ યાદ કરીને વિતાવી રહ્યાં શેષ જિંદગી,
તમને એ જ ફરિયાદ છે, શાને બધુ મને યાદ છે.

ન્યુ જર્સી, યુ.એસ. એ.

e.mail : mparikh@usa.com

Loading

પોલીસિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ : પોલીસની કામગીરીનું આકલન

કિરણ કાપુરે|Opinion - Opinion|27 November 2021

હાલમાં ભારતમાં પોલીસિંગની સ્થિતિ અંગે એક અહેવાલ પ્રકાશિત થયો છે. આ અહેવાલ રિસર્ચ ક્ષેત્રે પ્રતિષ્ઠિત કહેવાતી સંસ્થાઓ દ્વારા થયું છે. તેમાં એક નામ ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલોપિંગ સોસાયટીઝ’નું છે. આ સિવાય ‘કોમન કોઝ’, ‘લોકનીતિ’, ‘ટાટા ટ્રસ્ટ્સ’ અને ‘લાલ ફેમિલિ ફાઉન્ડેશન’ રિસર્ચ સાથે જોડાયેલાં છે. પોલીસિંગને લઈને આવેલો લેટેસ્ટ રિપોર્ટ 2020-21નો છે અને તેમાં મુખ્ય ચર્ચા પોલીસ કોન્ફ્લિક્ટ ઝોનમાં કેવી રીતે કાર્ય કરે છે તે છે. આ જ રિપોર્ટનો બીજો ભાગ છે જેમાં પોલીસે મહામારી દરમિયાન કરેલાં કાર્યનું વિસ્તૃત આલેખન છે. જો કે આ બંને રિપોર્ટ પર નજર કરતાં અગાઉ 2019નો ‘સ્ટેટ્સ ઓફ પોલિસિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ – 2019’ છે તે વિશેષ જોઈ જવા જેવો છે. આ રિપોર્ટમાં પોલીસ કેવી સ્થિતિમાં કાર્ય કરે છે તેનું વિવરણ છે.

2019ના વર્ષના રિપોર્ટમાં આઠ પ્રકરણ છે પણ તેમાં પ્રજા તરીકે આપણે પોલીસને જાણવા માટે જે સૌથી અગત્યનું પ્રકરણ લાગે છે તે ‘ઇન્ડિયન પોલીસ, ઑલ્વેઝ ઑન ડ્યૂટી’નું છે. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે પોલીસના રોજ બ રોજનાં કામના બોજ વિશે આ રિપોર્ટમાં ચર્ચા છે. આ માટે સંશોધન કરનારી સંસ્થાઓએ 21 રાજ્યોમાંથી માહિતી એકઠી કરી છે. અને તેમાં તમામ રેન્કના પોલીસ અધિકારીઓ પાસેથી ફિડબેક લેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં જે ફાઇન્ડિગ આવ્યાં છે તેમાં મુખ્ય છે કે પોલીસ સરેરાશ દિવસના 14 કલાક કામ કરે છે. અને પોલીસમાં એંસી ટકા સ્ટાફ 8 કલાકથી વધુ ડ્યૂટી પર હાજર રહે છે. પોલીસ પર લાંબા સમય સુધી કામ કરવાનું ભારણ માત્ર નાગાલેન્ડ રાજ્યમાં નથી, તેવું અભ્યાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત દર બે પોલીસ અધિકારીમાંથી એક પોલીસ અધિકારીને રેગ્યુલર ઓવરટાઇમ કરવો પડે છે. આનું એક કારણ ભારતની પોલીસ તેની ક્ષમતાના 77 ટકા સ્ટાફ સાથે જ કામ કરી રહી છે. ભારતભરમાં થયેલાં આ અભ્યાસમાં ચોંકાવનારી વિગત એ છે કે દેશમાં હજુ પણ 70 પોલીસ સ્ટેશન એવાં છે જેમની પાસે વાઇરલેસ ડિવાઇઝ નથી અને 214 પોલીસ સ્ટેશન હજુ પણ ટેલિફોન મેળવી શક્યા નથી. આ કારણે ઓવરટાઇમ કરનારાં દસ પોલીસકર્મીઓમાંથી આઠ પોલીસકર્મીઓ ઓવરટાઇમ માટે કોઈ જ વળતર મેળવતાં નથી તેવું પણ અભ્યાસમાં પ્રકાશિત થયું છે.

આ સ્કેલ પર જ્યારે અભ્યાસ થાય છે ત્યારે તેની વિગતોને નકારી શકાતી નથી, કારણ કે અભ્યાસ કરનાર કોઈ પણ વિગત માટે ઢીલાશ રાખતો નથી અને તે જ કારણે આવાં રિપોર્ટ વિશ્વાસપાત્ર બને છે. પોલીસના આ રિપોર્ટ વિશે પણ એમ કહી શકાય. પોલીસકર્મીઓને સરકાર હાઉસિંગ ક્વાર્ટસ આપે છે, પરંતુ અભ્યાસમાં એ પણ તારણ પ્રકાશમાં આવ્યું છે કે પાંચમાંથી ત્રણ પરિવારોને હાઉસિંગ ક્વાર્ટર્સથી સંતોષ નથી. ગુજરાતના પોલીસ આંદોલનમાં પણ મહદંશે આ જ મુદ્દાઓને લઈને માગણીઓ થઈ રહી છે.

જો કે સરકારમાં ફરજ બજાવતાં અનેક વિભાગોમાં આ રીતે કર્મચારીઓ કામ કરે છે. પોલીસ તેમાં અપવાદ નથી. પરંતુ પોલીસનું કામ રોજ બ રોજ પ્રજા સાથેનું છે અને સુરક્ષા ઉપરાંત કાયદો વ્યવસ્થા તેમની જવાબદારી છે, ત્યારે તેમનું આ રીતે કાર્ય કરવું જોખમી બની શકે છે. આ જોખમ કામના કલાકો વધવાથી તો વધે જ છે પણ સામાન્ય સંજોગોમાં તેઓ રજા પણ મેળવી શકતા નથી. અભ્યાસમાં આવેલા તારણ મુજબ દર બે પોલીસકર્મીઓમાંથી માત્ર એક જ પોલીસકર્મી અઠવાડિયામાં એક રજા મેળવે છે. અને મહદંશે પોલીસકર્મીઓ એવું સ્વીકારે છે કે તેમના પર રહેલા કામના બોજના કારણે તેઓની શારીરિક સ્થિતિ તો બગડે જ છે, પણ માનસિક સ્વસ્થતાને પણ તે અસર કરે છે.

કામ કરવાના કલાકો, વીકલી ઓફ અને અન્ય સગવડો મામલે તો પોલીસ પાછળ દેખાય છે, પરંતુ તે સાથે પોલીસ વર્તુળની કેટલીક બદીઓ એવી છે જેની જાણ પોલીસ બહારના લોકોને ભાગ્યે જ હોય છે. જેમ કે પોલીસનું સ્ટ્રક્ચર મજબૂત છે. તેમાં ઉપરીના હૂકમને ટાળી શકાતો નથી. અને આ સ્ટ્ર્ક્ચરના કારણે અભ્યાસમાં એ પણ પ્રકાશમાં આવ્યું છે કે ચારમાંથી ત્રણ પોલીસકર્મીઓને એમ સ્વીકારે છે કે તેમના સિનિયર અધિકારીઓ તેમને ઘરકામ કે અંગત કામ સોંપે છે. આવાં કામ કરવાની તેમની કોઈ જવાબદારી હોતી નથી, તેમ છતાં તે સોંપાય છે અને જુનિયરે તે કરવા પડે છે. અભ્યાસમાં આ કિસ્સામાં જાતિગત ભેદ પણ સામે આવ્યા છે. આવાં કામોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓ.બી.સી. વર્ગના પોલીસકર્મીઓને વધુ જોતરવામાં આવે છે. સિનિયર ઓફિસર તેના કરતાં જુનિયર ઓફિસર સાથેનો ભેદભાવ માત્ર અન્ય કામ સોંપવાને લઈને જ નથી, બલકે દસમાંથી પાંચ જુનિયર પોલીસકર્મીઓ તેમના સિનિયરો ખરાબ ભાષામાં વાત કરે છે તેમ પણ કહ્યું છે. પોલીસકર્મીઓ આ બધી મર્યાદા સાથે કામ કરે છે પણ જ્યારે તેમને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે જો તેમને હાલમાં મળતી સગવડ અને વળતર અન્ય કોઈ ક્ષેત્રમાં આપવામાં આવે તો તેઓ પોલીસીંગ છોડી દે કે નહીં? આ પ્રશ્નના ઉત્તરમાં 37 ટકા પોલીસ અધિકારીઓએ નોકરી છોડી દેવાનો વિકલ્પ સ્વિકાર્યો છે.

પોલીસની આ સ્થિતિ એ કારણે પણ છે કે આઝાદી પછી પણ ઘડાયેલાં ઇન્ડિયન પોલીસ લૉઝમાં જે મૂળિયાં દેખાય છે તે અંગ્રેજો વખતે તૈયાર થયેલાં ઇન્ડિયન પોલીસ એક્ટ – 1861 મુજબના છે. 1861ના પોલીસ ઍક્ટમાં 22માં સેક્શનમાં થયેલી એક જોગવાઈ પ્રમાણે એમ કહેવામાં આવ્યું છે કે, દરેક પોલીસ અધિકારી દર્શાવેલા ઉદ્દેશ મુજબ હંમેશાં તેને ડ્યૂટી પર હોય તેમ ગણવામાં આવશે. અને તેને કોઈ પણ સમયે પોલીસ ડ્યૂટી નિભાવવાની રહેશે. હવે હાલમાં પોલીસનું માળખું જેને આધારે કાર્યરત છે તે જૂનો કહેવાય તેવો 1861નો સેન્ટ્રલ પોલીસ એક્ટ છે અથવા તો 2006ના વર્ષનો મોડલ પોલીસ એક્ટ. 2006ના આ નવાસવા એક્ટમાં પણ પોલીસના કાર્ય કરવા વિશે સેક્શન 18મા જે કહેવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે : “પોલીસકર્મીઓના કામના કલાકો આઠ કલાકથી વધુ ન જ થાય તે માટે રાજ્ય સરકારોએ અસરકાર પગલાં લેવા જોઈએ, કેટલીક ‘અપવાદરૂપ સ્થિતિ’માં પોલીસ ઓફિસરના કાર્ય કલાક 12 કલાક સુધી વધારી શકાય કે તેથી પણ વધુ કલાક” હવે અહીં જે ‘અપવાદરૂપ સ્થિતિ’ અંગે કહેવામાં આવ્યું છે તે ખરેખર તો કાયમની છે. પોલીસ આઠ કલાક કામ કરીને વધુ કાર્યદક્ષ કેવી રીતે થઈ શકે તે માટે મુંબઈ પોલીસના કોન્સ્ટેબલ રવીન્દ્ર પાટીલે ‘8 અવર્સ ડ્રીમ પોલીસ’ નામનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં તેણે શિફ્ટ બેઝ્ડ સિસ્ટમ પર પોલીસની ક્ષમતા વધારવા પર ભાર મૂક્યો છે. જોકે રવીન્દ્ર પાટીલનો રિપોર્ટ અમલ ક્યારે થશે તે હજુ પણ સવાલ છે.

પોલીસ અતિશય ખરાબ સ્થિતિ આવે તેમ છતાં આંદોલન કરવા સુધી જતી નથી અને જાય ત્યારે તેમના પર આકરાં પગલાં લેવાય છે. 2018માં આવી ઘટના પટનામાં હતી જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ બીમાર હોવા છતાં તેને રજા આપવામાં આવી નહોતી અને જે કારણે તેનું અવસાન થયું હતું. આ ઘટનાના વિરોધમાં 400 પોલીસ કોન્સ્ટેબલ વિરોધમાં ઊતરી આવ્યા. આ ઘટનાના પરિણામે 167 પોલીસ કોન્સેબલને ડિસમિસ્ડ કરવામાં આવ્યા. આવી જ ઘટના કર્ણાટકમાં 2016માં 6 જૂનના રોજ બની હતી જ્યારે પચાસ હજાર પોલીસ ફોર્સ સામૂહિક રજા પર ઉતરી ગઈ હતી. તેઓનો વિરોધ પણ લાંબા વર્કિંગ અવર્સ, રેન્ક મુજબ પગારમાં અસામનતા અને નિયમોને આધીન રહેવા માટે જે કટક ડિસિપ્લનરી એક્શનનો સામનો કરવામાં આવે તે હતો. જો કે આ વિરોધ છતાં તેઓના વર્કિંગ અવર્સ કે અન્ય બાબતોમાં ઝાઝો ફરક ન આવ્યો. વર્કીંગ અવર્સને લઈને ગુજરાતની સ્થિતિ આ રિપોર્ટમાં અન્ય રાજ્યો કરતાં સારી છે. ઓડિસ્સા, પંજાબ, આંધ્ર પ્રદેશ, બિહાર, તેલંગાણામાં પોલીસની સરેરાશ ડ્યૂટી 18થી 16 કલાકની થાય છે, જ્યારે ગુજરાતમાં આ કલાકો 12 છે. જો કે અન્ય રાજ્ય કરતાં સ્થિતિ સારી કહેવાનો અર્થ એ નથી કે આઠ કલાકના આદર્શે ન પહોંચવું. પોલીસ પાસે યોગ્ય કાર્ય લેવું હશે તો તેમની સ્થિતિ સમજીને નિર્ણય લેવાવો જોઈએ, જે સામાન્ય સંજોગોમાં આપણે ત્યાં બનતું નથી.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,6851,6861,6871,688...1,7001,7101,720...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved