Opinion Magazine
Number of visits: 9571167
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરક્ષાચૂક

ભરત મહેતા|Opinion - Opinion|14 January 2022

સુરક્ષિત નથી
કાશ્મીરમાં પંડિત કે કૉલેજમાં નજીબ
ફરવા નીકળેલા દાભોલકર કે દાદરીનો અકલાખ
ઘરમાં ચોપડી વાંચતા કુલબર્ગી કે ઉના-થાનના  બત્રીલાખેણા!
ધારાસભ્યે બળાત્કાર કરેલી પીડિતા
જળથળવાયુ કશું ય નથી
સુરક્ષિત
જીવતાં તો ઠીક મરેલાં ય નથી સુરક્ષિત
પછી ભલે ને હો મોટા મહાત્મા કે નહેરુ!
હવે તો બીક લાગે છે
કવિતા કરતાં કરતાં
ચિત્ર દોરતા કે ફિલ્મ કાર્ટૂન બનાવતાં
મિમિક્રી કરો તો ય તમારાં મરશિયા ગવાય!
ડર લાગે છે પોતાના પડછાયાનો ય!
એ વિશે
મીંઢુ મૌન ધારણ કરી
સીટીઓ પર સીટીઓ મારતો હોય એમ
ભાષણ ઠપકારે છે ચોકીદાર!
શું એ ય રહી શકશે સુરક્ષિત?

ભલે ને સહુને ફફડાવવા
ઊંઠા ભણાવતો હોય એમ એ ભણાવે છે
વાઘ આવ્યો ભાઈ વાઘની વાર્તા
પણ વાર્તા કહેતાં કહેતાં એ ય અંદરથી ફફડતો જ હોય છે!
એ બરાબર જાણે છે
બચાવી શકતા નથી
કેવળ મહામૃત્યુંજયના જાપ!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 02

Loading

કોરોનાકારણ, ઓમિક્રોન ચરણ

ડૉ. દુર્ગેશ મોદી|Opinion - Opinion|13 January 2022

ભારત સહિત વિશ્વભરમાં ઓમિક્રોનની લહર કૂદકેને ભૂસકે હમણાં વધી રહી છે તેનાં કારણો :

(૧) નવતર મ્યુટેશનોને કારણે વાઈરસની શરીરના કોષો સાથે જોડાણ કરવાની ક્ષમતામાં વધારો.

(૨) પૂર્વ સંક્રમણ કે રસીથી તેયાર થયેલ રોગપ્રતિકારકતાને (ખાસ કરીને વાઈરસ શરીરમાં પ્રવેશે ત્યારે શરૂઆતી બચાવમાં ભાગ લેતા એન્ટિબોડીને) આંશિક રીતે ચકમો આપવો.

(૩) પહેલાના વેરિયન્ટ્‌સની સરખામણીએ નવા રૂપની સ્વપ્રતિકૃતિઓ બનાવવાની પસંદીદા જગ્યા ફેફસાંને બદલે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ (જેમાં નાક, શ્વાસનળીનો સમાવેશ થાય).

આ ત્રણેય કારણો વિષાણુની પ્રસારણ ક્ષમતામાં અનેકગણો વધારો કરી આપે છે.

વિચાર એ થાય કે ઓમિક્રોન સંક્રમણથી થતી બીમારી હળવી કે ઓછી ગંભીર ગણી શકાય? શું આ બે શબ્દોમાં કોઈ ફરક ખરો? અને ફરક હોય તો એ કેટલો? સ્વાભાવિક રીતે જ જવાબ સીધો ને સટ તો નથી. ‘જો’ અને ‘તો’ની કંઈ કેટલીય જોડીઓ વચ્ચે સાઠમારી કરાવવી પડે. પણ બીજા દેશોમાંથી ઉપલબ્ધ આંકડાના આધારે સારો નહિ તો ઓછો ખરાબ હોય એવો – અંદાજ તો જરૂર લગાવી શકાય. આ નોંધ પૂરતું ધ્યાન બે દેશો પર આપીશુંઃ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ. બંને દેશોમાં ઓમિક્રોન લહર ભારત કરતાં ઠીકઠીક વહેલી ચાલુ થઈ છે. બંને દેશોનું સ્વાસ્થ્ય સેવાઓનું માળખું મહદ્‌ અંશે સરકારી દવાખાનાઓ પર આધારિત છે. આથી સ્વાસ્થ્ય સેવાઓને લગતા આંકડા જાહેર આરોગ્ય (પબ્લિક હેલ્થ) પર સમગ્રતયા પ્રકાશ પાડતા હોય છે. વધુમાં બંને દેશોનાં ઓમિક્રોન પહેલાંના કોવિડ-૧૯ સંક્રમણની સીરોપોસિટીવીટી ભારતની માફક ૭૦% કે તેથી વધુ રહી હતી. સાઉથ આફ્રિકાને સામેલ કરવાનું બીજું એક કારણ એ કે ત્યાંની પ્રજાની સરેરાશ આયુ ભારતની જેમ જ ૨૮-૨૯ વર્ષ છે.

                                                                                  સાઉથ આફ્રિકા          ઈંગ્લેન્ડ

(૧) ડેલ્ટા લહરની સાપેક્ષે ઓમિક્રોન લહરમાં કેસોની ટોચ                 ૧૫૦%               ૩૦૦%

(૨) અઠવાડિક કોવિડ સંલગ્ન મૃત્યુદર                                     ૨૦-૨૫%               (હાલ પૂરતું) ૨૫%

(૩) લહરનો સમયગાળો                                                       ૫૦%                   લહર ચાલુ

(૪) હોસ્પિટલમાં દાખલ થવાનો દર                                         ૩૩%                   ૫૦% અને વધતો દર

દેશમાં કુલ રસીકરણ

– એક ડોઝ          ૪૦%       ૯૦%

– બે ડોઝ            ૩૬%        ૮૨%

– બૂસ્ટર ડોઝ       –             ૬૧%

– પ્રજાની સરેરાશ આયુ     ૨૮ વર્ષ      ૪૦ વર્ષ

ઉપરોક્ત માહિતીને આધારે લગાવી શકાતા અંદાજ (આ તમામ અંદાજ ભારતની કોવિડ સંલગ્ન માહિતી એકઠી કરવાની ક્ષમતા કેટલી બિનકાર્યક્ષમ છે તેને ધ્યાનમાં રાખીને લગાવ્યા છે. અનધિકૃત આંકડા-સંક્રમણના અને મૃત્યુના-સ્વાભાવિક રીતે જ ઘણાં ઘણાં વધારે રહે છે) :

(૧) ભારતમાં આ લહર પહેલાંની લહરની સાપેક્ષે ટૂંકી રહેશે. આશરે બેથી અઢી મહિના ચાલી શકે.

(૨) દૈનિક નવા સંક્રમણનો અધિકૃત આંકડો પાછલી લહરની ટોચ(- ચાર લાખ પ્રતિદિન)ને પાર કરી શકે છે.

(૩) રસીકરણ અને મોટી સંખ્યામાં પૂર્વ સંક્રમણને કારણે મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે. તે છતાં ખૂબ ટૂંકાગાળામાં અતિ મોટા વસ્તીભાગમાં સંક્રમણ ફેલાવાને કારણે કોવિડ સંલગ્ન અધિકૃત દૈનિક મૃત્યુઆંક પૂર્વ લહરની ટોચ કરતાં અંદાજે ૨૫થી ૩૦% જેટલો રહી શકે (આંકડામાં વાત કરીએ તો દૈનિક અધિકૃત મૃત્યુઆંક ૧૦૦૦ને પાર કરી શકે છે.)

(૪) રસી હજી સુધી નથી અપાઈ તેવા લોકોમાં, ખાસ કરીને બાળકોમાં ટકાવારી વધુ રહી શકે છે.

(૫) આ સિવાય, સ્વાસ્થ્યસેવાઓ પરના ભારણને કારણે અન્ય રોગોથી પીડાતા લોકોની સમસ્યાઓ, તેમના મૃત્યુદરની ગણતરી, Long Covidનો વ્યાપ કે તેની તીવ્રતા વિશે હાલ અનુમાન લગાવવું તો અસંભવ જણાય છે.

બીજો સવાલ એ થાય કે શું નવી દવાઓથી કોવિડ મૃત્યુદરને હજી વધુ નીચો લઈ જઈ શકાય?

આ પહેલાંની લહરમાં કોવિડ માટે ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન, રેમડીસીવીર, આઈવરમેક્ટીન, ટોસીલી જુમાબ, પ્લાસ્મા થેરાપી, ફાવીપીરાવીર પૈકીની એક પણ દવા કોવિડ મૃત્યુદર કે ‘લોંગ કોવિડ’ (કોવિડ ઈન્ફેક્શન મટી ગયા પછી પણ લાંબાગાળાની અસરો રહી જાય તે) ને નોંધપાત્ર અને અર્થપૂર્ણ રીતે નીચા રાખવામાં નિષ્ફળ નિવડ્યા હતાં. એ સિવાય, ભારતમાં ઉપલબ્ધ બે પ્રકારનાં એન્ટિબૉડી મિશ્રણ (શરીરમાં ઍન્ટિબૉડી બને તને બદલે બહારથી જ લેબોરેટરીમાં બનાવેલ આપવામાં આવે તે) ઓમિક્રોન વેરિયન્ટ સામે તેમની અસરકારકતા સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યાં છે.

તાજેતરમાં સી.ડી.એસ.સી.ઓ. દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી પામેલી મોલ્નુપિરાવીર દવા ઓમિક્રોન સામે અગાઉ ધાર્યાં કરતાં કૈંક હદે ઓછી અસરકારક જણાય છે. મોટા ભાગના તબીબો પણ આ દવાનો પાંચ દિવસીય કોર્સ લખતાં હજી ખચકાય છે. તે છતાં ડેલ્ટા લહર દરમિયાન જે રીતનો અજંપોભર્યો લોકઉન્માદ રેમેડેસીવીર માટે જોવા મળ્યો હતો તે યાદ કરતાં થાય છે કે આવનારા ટૂંક સમયમાં આ દવાની પણ કાળાબજારી મોટા પાયે થવાની. ફાઈઝર કંપનીની નવી દવા પાક્સલોવીડ (Paxlovid) (નવતર રસાયણ નીરમાટ્રેલવીર અને જૂની જાણીતી એન્ટી એચ.આઈ.વી. દવા રીટોનાવીરનું મિશ્રણ) ક્લિનિકલ ટ્રાયલમાં હાલ ઉપલબ્ધ દવાઓ કરતાં ઘણું અસરકારક જણાયું છે. પરંતુ તેને ભારતીય ઉપયોગ માટે EUA મળતાં, અને બજારમાં આવતાં મહિનાઓ લાગી શકે છે.

એ સંજોગોમાં રસીકરણ, માસ્ક, સામાજિક અંતરની જાળવણી એ જ જૂના ઉપાયો શ્રેષ્ઠ છે. મેદસ્વિતામાં ઘટાડો અને ડાયાબિટીસને કાબૂમાં રાખવા એ બંને પણ કદાચ જ એટલાં જ મહત્ત્વનાં પગલાં છે જેના વિશે આપણે ત્યાંના કોરોના વિમર્શમાં ભાગ્યે જ ચર્ચા થઈ છે, એના વિશે ફરી ક્યારેક.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 01-02

Loading

ઓમિક્રોનનાં વધામણાં

જાગૃત ગાડીત|Opinion - Opinion|13 January 2022

ડેલ્ટા વેરિયન્ટ પરનો લેખ લખ્યા પછી એવી આશા હતી કે હવે આવા કંટાળાજનક લેખ વધુ નહીં લખવા પડે, અને ‘કાવ્યશાસ્ત્ર વિનોદેન’ સમય પસાર કરી શકાશે. પણ માણસજાત ખરેખર બુદ્ધિહીન, હાસ્યાસ્પદ અને દયાજનક બની ગઈ છે. પહેલાં માઇક્રોસ્કોપમાં જોઈને ડરવાનું શીખી અને હવે જીન સિક્વન્સ કરીકરીને છળી મરે છે.

મીડિયાએ ત્રીજી (ઓમિક્રોનની) લહેર જાહેર કરી દીધી છે. જ્યારે ઓમિક્રોનની વાતો શરૂ થઈ ત્યારથી એ ડેલ્ટા કરતાં ત્રણ ચાર ગણો વધુ ચેપી છે એ વાતને બિહામણી રીતે રજૂ કરવામાં આવી. જેટલા પ્રમાણમાં ચેપી હશે તેટલા પ્રમાણમાં જ હળવો પણ હશે, એ મૂળભૂત વાત કોઈ કરતું જ નથી.

મારા ડેલ્ટા પરના લેખમાં લખ્યું હતું :

‘વધારે CFR વાયરસના ફેલાવાની તકો ઓછી કરતો હોવાથી તેની reproductive fitness અને તેથી survival probability ઘટાડે છે. ટૂંકમાં, CFR અને Rnumber એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં જ ચાલી શકે. આમાં અપવાદ શક્ય નથી. હળવો રોગ પેદા કરનાર વેરિયન્ટ જ વધુ ફેલાઈ શકે. અથવા, વેરિયન્ટ જેટલો ઘાતક તેટલો ઓછો ફેલાય.’

આ વાતનું થોડું વધુ પૃથક્કરણ કરી શકાય. વાઇરસનું ચેપીપણું અને ઘાતકતા એ બે પાસાં લઈએ તો ચાર શક્યતા બને. એક – વધુ ચેપી, વધુ ઘાતક (ઊંચો Rnumber અને ઊંચો CFR); બે – વધુ ચેપી, ઓછો ઘાતક (ઊંચો Rnumber અને નીચો CFR); ત્રણ – ઓછો ચેપી, વધુ ઘાતક (નીચો Rnumber અને ઊંચો CFR); અને ચાર –ઓછો ચેપી, ઓછો ઘાતક (નીચો Rnumber અને નીચો CFR).

ગયા લેખમાં દર્શાવ્યું હતું કે ઉપરમાંથી પહેલો વિકલ્પ – વધુ ચેપી, વધુ ઘાતક (ઊંચો Rnumber અને ઊંચો CFR) શક્ય નથી, પણ બાકીના ત્રણેય શક્ય છે. અવતરણમાંની એ વાત કે ‘CFR અને Rnumber એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં જ ચાલી શકે’ સંપૂર્ણપણે સાચી નથી. વિકલ્પ ચાર – ઓછો ચેપી, ઓછો ઘાતક (નીચો Rnumber અને નીચો CFR) વાઇરસ ચોક્કસ હોઈ શકે, પણ એ સામે આપણને કોઈ વાંધો ન હોય.

ટૂંકમાં, વધુ ઘાતકતા, ઓછા ચેપીપણા અને વધુ ચેપીપણું ઓછી ઘાતકતા સાથે જ શક્ય છે. જો epidemiologyના ગ્રંથોમાં ન આપ્યો હોય, તો તેના એક મૂળભૂત ‘જાગૃતભાઈના સિદ્ધાંત’ તરીકે ઉમેરવો જરૂરી છે. બિલકુલ ટેક્‌નિકલ અને સાદા ગણિત પર આધારિત છે.

ઓમિક્રોન ડેલ્ટા કરતાં ચાર ગણો વધુ ચેપી છે, એમ વાત આવી ત્યારે મારી સ્વાભાવિક પ્રતિક્રિયા એ જ હતી – સરસ ! પણ લોકોને એમાં પરપીડનવૃત્તિનો ભાસ થાય છે. એમાં શું સારું છે ? વળી, મીડિયાવાળા શોધી લાવ્યા કે ડેલ્ટામાં બે મ્યુટેશન હતાં, જ્યારે આમાં તો ત્રીસ બાઁબ છે! કેટલો ખતરનાક! જાણે કોઈ આતંકવાદી પાસે બે ને બદલે ત્રીસ હોય! સમજાવતાં અઘરું પડે કે મ્યુટેશનની સંખ્યા અને ખતરનાકપણાને કોઈ સંબંધ નથી. પછી એમ કહ્યું, ‘વધારે ડિગ્રીવાળો વધુ હોશિયાર હોય એમ જરૂરી ખરું ?’ એમાં બધાનો મત સ્પષ્ટ હતો – બિલકુલ નહીં. ઊલટાનું વધુ ડિગ્રીવાળાની હોશિયારી પર શંકા ઊપજે. બસ,ઓમિક્રોનનું એમ જ સમજો.

વાઇરસનો કોઈ વેરિયન્ટ વધુ ચેપીપણા સાથે ઓછી ઘાતકતાથી ફેલાય એ સાચી દિશાનું હકારાત્મક અનુકૂલન (positive adaptation) છે. રોગચાળો હળવો થવાની દિશામાં જઈ રહ્યો છે. અત્યારે મોટા ભાગના કોવિડ કેસ ઓમિક્રોનના જ છે. ઓમિક્રોન કેસની જે સંખ્યા જાહેર થાય છે, તે ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે ખૂબ ઓછા કેસ જીન સિક્વન્સિંગ માટે જાય છે, પણ જે જાય છે, એમાંના મોટા ભાગના ઓમિક્રોન જ નીકળે છે.

ટેક્‌નિકલી કહીએ તો ‘Omicron has overtaken Delta in the population’. મોટા ભાગનાં રિસોર્ટ, ગેસ્ટહાઉસ અને ખાલી ઘરોની ચાવી મેળવીને ઘૂસી ગયો છે, એ આનંદના સમાચાર છે. ઓમિક્રોનનો રોગ ડેલ્ટા કરતાં ચાર ગણાંથી પણ વધુ હળવો છે. શ્વસનતંત્રના ઉપરના ભાગમાં (upper respiratory tract) જ એ મુખ્યત્વે નવી પેઢીઓ પેદા કરે છે અને ફેફસાં સુધી લાંબો થતો નથી. ગંભીર ન્યૂમોનિયા કે ઑક્સિજનની જરૂરિયાત ખાસ પેદા થતી નથી. જોખમ ઘણું ઓછું છે – શૂન્ય નથી.

આ બધામાં રસીકરણની જે ઝુંબેશ ચાલે છે તેની અસર શું? મધ્યમગાળે પણ – આવતાં વીસપચ્ચીસ વર્ષોમાં – જોખમી પરિણામો હવે દેખાય છે. વધુ ટેક્‌નીકલ મુદ્દાઓ સાથે એક ઓર બોરિંગ લેખ એ માટે લખવો પડશે!

કેસની સંખ્યા ખૂબ ઝડપથી ઉપર જશે અને તે જ રીતે નીચે પણ આવશે. પણ આ સંજોગોમાં ‘કોવિડ કેસ’ કોને કહેવો તેની વ્યાખ્યા સુધારવાની ખાસ જરૂર છે. બધા પૉઝિટિવ RT PCRવાળાને ‘કેસ’ ગણવા એ હવે બિનજરૂરી છે. શરીરમાં વાઇરસ હોવો અને કોવિડ હોવો બે અલગ વસ્તુ છે. Epidemiologist ગિરધર આર. બાબુ (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, ૮/૧/૨૨) એ જ સૂચન કરી રહ્યા છે. ૧૯૮૦ના દાયકામાં દરેક HIV પૉઝિટિવને એઈડ્‌સનો કેસ ગણવામાં આવતો હતો. સમય જતાં ખબર પડી કે ઘણા બધા HIV પોઝિટિવ લોકોને full-blown એઈડ્‌સ થતો જ નથી. એ પ્રમાણે વ્યાખ્યાને વખતોવખત સુધારવામાં આવી છે.

આ વખતે એ સારું છે કે ટી.વી. પર દેખાતા મોટા ભાગના ડૉક્ટરો એ વાત ખાસ જણાવી રહ્યા છે કે ઓમિક્રોનથી થતો રોગ ક્લિનિકલી ઘણો હળવો દેખાય છે. અને મેં આગળ લેખોમાં (‘પેરસીટમોલ’ વગેરે …) લખ્યા મુજબ જો આ હળવાં એક્યુટ લક્ષણો સાથે બિનજરૂરી છેડછાડ ન કરવામાં આવે, તો હોસ્પિટલો ઉભરાઈ જાય, ઑક્સિજન માટે લોકો દોડાદોડ કરતા હોય કે રાતદિવસ સ્મશાનગૃહ કામ કરતાં હોય એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય એમ નથી.

ટૂંકમાં, ઓમિક્રોન આ રોગચાળામાંથી નીકળવાનો ઓછા જોખમવાળો ઍક્ઝિટ માર્ગ છે. છોડિયાફાડ કવિતા લખવાનો ચાન્સ મળે એમ લાગતું નથી. મીસમૅનેજમેન્ટ અને બિનજરૂરી સારવાર અને રસીકરણને લીધે જે થોડીઘણી સમસ્યા પેદા થાય એમાં એકાદ હાઇકુ જરૂર લખી શકાશે. લાવો હું જ હાથ અજમાવું!

આ ઓમિક્રોન!
આવ્યા ભીડભંજન
કે વિધ્નહર્તા?

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 03

Loading

...102030...1,6341,6351,6361,637...1,6401,6501,660...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved