Opinion Magazine
Number of visits: 9674072
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સુબોધ નિવેદન

યોગેશ ભટ્ટ|Poetry|26 February 2022

ભલો છું
બૂરો છું
મન બુદ્ધિ દિમાગી આકારે, પ્રકારે, પ્રકાશે, અંધારે!
પણ
ગગનલહેરી દિલની ભોંયભીતર સચ્ચાઇની
વધુમાં વધુ કરીબ રહેવાનો જન્મજાત નિર્ધાર છે –
– પાળું પણ છું જ.
– જૂઠ,
– વચનભંગ,
– દંભ,
– બેઈમાની,
– મક્કારીઓ …..
તેજમતેજ ગતિએ દોડતી રહેતી
વારસાઇ લોહીની ટ્રેન સાથે અથડાઈ, ઘસાઈ ને
વિરોધી દિશાઓના પવનોની જેમ સૂસવાટાભેર
ફેંકાઈ જઇ
દૂર … સુદૂર …
ક્ષિતિજોએ ડૂબી ઓઝલ થઇ જતાં રહે છે! …
ભલો છું – આ વાતે;
બૂરો છું  – આ ચૂક્યે!

Loading

સરકારી સ્કૂલોમાં ભણવા હવે બાળકો જન્મતાં જ નથી કે શું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 February 2022

ગુજરાતમાં હવે બાળકોએ જન્મવાનું બંધ કરી દીધું લાગે છે અથવા તો તે હવે સીધાં હાઇસ્કૂલમાં જવાની ઉંમરે જ જન્મે તો નવાઈ નહીં ! થોડાં વર્ષો પછી સીધા કોલેજિયન્સ જ જન્મે તો હાઇ સ્કૂલ સુધીનું શિક્ષણ આપવાનું મટે ને વાલી તથા સરકારને પણ શિક્ષણના ખર્ચા બચે એમ બને. વાલી તો બિચારો ઉધાર-ઉછીનું કરીને પણ બાળકોને શિક્ષણ આપવા મથે કદાચ, પણ બાળકોને ભણાવવાનું હવે સરકારને પરવડતું નથી. આમ સરકાર ભલે ખોટમાં ચાલતી હોય કે લોકોને ખોટમાં નાખતી હોય, તો પણ તેને પ્રાથમિક શિક્ષણ મોંઘું પડતું હોય એમ લાગે છે. તેને જેમ બધું વેચવા કે બંધ કરવાની ટેવ પડી છે તેમ પ્રાથમિક સ્કૂલોને પણ તે દાવ પર લગાવે એમ બને. આજે જ વડોદરા – દહીસરનો હાઇવે વેચીને 20 હજાર કરોડ સરકાર ઊભા કરવા માંગે છે એવા સમાચાર છે. એમ જ એલ.આઇ.સી.નો પણ અમુક ભાગ સરકાર વેચવાની છે એવી વાત છે. આ બધાંમાં લોકો તો તમાશો જુએ કે વીડિયો ઉતારે એમ બને. લોકો આથી વધુ કૈં કરી શકે એમ જ નથી. આઝાદી પછી સૌથી વધુ નિર્માલ્ય અને મતલબી પ્રજા કદાચ આ સમયમાં મળી છે. એ ખૂન થાય તો ય જુએ છે ને ધૂન વાગે તો ય જુએ છે.

લોકડાઉન ને કરફ્યુના લાંબા બે વર્ષ વીત્યાં એ દરમિયાન શિક્ષણ વિભાગે શિક્ષણનો ઘડો લાડવો કરી નાખ્યો છે. જે અગાઉ ન હતું તે ઓનલાઈન શિક્ષણ પેધું પડ્યું અને તેની (કુ)ટેવ પડવાને લીધે કેટલાંક વિદ્યાર્થીઓ ‘ઘેર’હાજર રહીને ગેરહાજર જેવું જ ભણ્યા. પરીક્ષાઓ આપી, પણ પુસ્તકમાંથી ઉતારો કરીને. વાંચીને પરીક્ષા આપવાને બદલે પરીક્ષા વખતે જ વાંચીને ઉતારવું એવું જ્ઞાન તેમને હાથ લાગ્યું. એમાં  વાલીઓ અને મિત્રોએ સહાય કરી એટલે અંતે તો પરીક્ષા સમૂહલેખનનો જ ઉપક્રમ બની રહી. હવે ઓફલાઇન શિક્ષણ ફરજિયાત થયું છે ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી ખેંચાવાનું ભારે પડે છે. શિક્ષકની પ્રત્યક્ષ નજરનો સામનો કરવાની ટેવ છૂટી ગઈ હતી, તે ટેવ ફરી પાડવાની અઘરી લાગે છે ને પ્રત્યક્ષ શિક્ષણ હજી માંડ શરૂ થયું છે ત્યાં તો બોર્ડની પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. શિક્ષણ વિભાગને પરીક્ષાની છે એટલી ચિંતા લર્નિંગ લોસની નથી. એને તો પરીક્ષા થાય એટલે ગંગા નાહ્યા ! શિક્ષણ વિભાગ શિક્ષણ વગર પરીક્ષાઓ કેવી રીતે લેવી એમાં પાવરધો છે. મુખ્ય હેતુ તો વિદ્યાર્થીને ઉપર ચડાવવાનો છે ને તે કૃપા ગુણથી ચડી ય જાય છે. આમાં અંતરિયાળ વિસ્તારનું શિક્ષણ સરકારની જેમ જ રામ ભરોસે ચાલે છે. જો કે, હવે મોબાઈલ કે નેટની તકલીફ કદાચ ગામડાંના વિદ્યાર્થીઓને વેઠવાની નહીં આવે, પણ તેણે દૂરની સ્કૂલે ભણવા જવું પડે એમ બને. કારણ શિક્ષણ વિભાગે સ્કૂલોનાં વિલીનીકરણનો રાજ્ય વ્યાપી ઉપક્રમ શરૂ કર્યો છે.

આમ માતૃભાષા દિવસને નામે બધું ગુજરાતી કરવાનું નાટક દર વર્ષની જેમ આ વખતે પણ થયું, પણ ગુજરાતીની હાલત બદથી બદતર થતી જાય છે તે તરફ સરકારનું ધ્યાન જ નથી. તેનું કારણ છે કે ઉજવણું એક જ દિવસ ચાલે છે ને બાકીના દિવસોએ તો ઉઠમણું જ હોય છે. જો ધ્યાન અપાયું હોત તો છેલ્લાં પાંચ વર્ષમાં ધોરણ 10-12માં 7.80 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ નાપાસ ન થયા હોત ! ગુજરાતી માધ્યમની જ વાત કરીએ તો એનાં પરિણામમાં 12.44 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતી માધ્યમની 50 સ્કૂલો માત્ર અમદાવાદમાં બંધ થઈ છે. આ બધાં પરથી પણ ગુજરાતીની હાલત સમજી શકાય એમ છે. ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો 1,500 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ છે. આમાંની મોટા ભાગની સ્કૂલો સરકારની ગ્રાન્ટ અને ટોકન ફી લઈને ચાલતી હતી. એક અંદાજ પ્રમાણે દર વર્ષે રાજ્યમાં 100 જેટલી સ્કૂલો બંધ થઈ રહી છે તે કદાચ ‘વિકાસ’નું જ પરિણામ છે.

હવે જરા પ્રાથમિક શિક્ષણની દશા જોઈએ. એમાં 14 હજાર શિક્ષકોની જગ્યા જ ભરાઈ નથી. 1થી 5માં 5,868 અને 6થી 8માં 8,173 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એમાં પણ 1,862 જગ્યાઓ તો માત્ર 6થી 8 ધોરણના ભાષાના શિક્ષકોની છે. જે શિક્ષણનો પાયો ગણાય તે પ્રાથમિક શિક્ષણની દશા દયનીય છે. સરકાર બેન્કોની જેમ પ્રાથમિક શાળાઓમાં મર્જર લાવી ચૂકી છે. અત્યાર સુધીમાં ધોરણ 6થી 8ના 1,659 વર્ગો નજીકની સ્કૂલમાં મર્જ કરાયા છે, વાત વર્ગોના મર્જર પૂરતી જ સીમિત નથી, આખીને આખી 472 પ્રાથમિક સ્કૂલો નજીકની સ્કૂલોમાં મર્જ કરી દેવાઈ છે. આ કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. સ્કૂલો બંધ કરવાનું કે મર્જ કરવાનું પ્રાથમિક સ્કૂલોમાં જ છે. એ ખાનગી સ્કૂલોમાં નથી. ખાનગી સ્કૂલો તો ખૂલતી જ જાય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં 1,157 ખાનગી પ્રાથમિક સ્કૂલોને માન્યતા મળી છે. એનો અર્થ એ થાય કે પ્રાથમિક સ્કૂલોને ભોગે ખાનગી સ્કૂલો ચાલે છે. દાખલો તો એવો પણ ગણાય છે કે જે યુનિટ ખોટમાં ચાલે છે તેને સરકાર બંધ કરે છે અથવા તો મર્જ કરે છે. એ થિયરી જો સરકાર પ્રાથમિક શિક્ષણમાં લાગુ કરતી હોય તો તે ભીંત ભૂલે છે. જો સરકારની દાનત આવી જ હોય તો જતે દિવસે એક પણ પ્રાથમિક સ્કૂલ નહીં રહે એમ બને. એક બાજુ સરકાર એમ કહે છે કે ધંધો કરવાનું તેનું કામ નહીં, બીજી બાજુએ તે કરે તો ધંધો જ છે. ગંધ તો એવી આવે છે કે સરકાર જ શિક્ષણ માટે ખર્ચ કરવા નથી ઇચ્છતી. તેણે પ્રાથમિક શિક્ષણમાં કમાવાનું નથી તો તે સ્વાભાવિક રીતે જ ઈચ્છે કે પ્રાથમિક શિક્ષણની કોઈક રીતે લપ જાય.

સરકાર બહુ યુક્તિપૂર્વક કહે છે કે પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ થતા નથી એટલે 30થી ઓછી સંખ્યા હોય ત્યાં તે બંધ કરવામાં આવે છે અથવા તો તેને નજીકની સ્કૂલમાં મર્જ કરી દેવામાં આવે છે. 5,610 પ્રાથમિક સ્કૂલોમાં 100થી ઓછાં બાળકો છે. સરકારે જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરીને પુછાવ્યું છે કે આ સ્કૂલોની આસપાસ એક કિલોમીટર વિસ્તારમાં બીજી સ્કૂલ હોય તો તેમાં જે તે શાળા મર્જ થઈ શકે એમ છે કે કેમ? સરકારે શિક્ષણાધિકારીઓને એમ પણ પૂછ્યું છે કે જો શાળાઓ મર્જ થઈ શકે એમ નથી તો તેનાં કારણો કયાં છે? એ બધું સરકારી રાહે ચાલશે અને નજીકના ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ન મળવાને કારણે હજારો સ્કૂલો બંધ થાય એમ બને. મોટી કંપનીઓ પણ કોઈ યુનિટ નબળું ચાલે કે નફો ન કરે તો તેને સુધારવાની કોશિશ કરે છે, પણ તેને બીજી કંપનીને માથે નથી મારતી, જેમ બેન્કોની બાબતમાં થયું છે, નબળી બેંકને બીજી બેન્કોને માથે મારી જ છે કે બંધ કરી છે. આ જ ધંધો સરકાર પ્રાથમિક શિક્ષણમાં કરી રહી છે. આ બરાબર નથી. જો સરકાર ઇચ્છતી હોય કે ગામડાંનું બાળક પણ ભણે, તો તેણે સ્કૂલોને બંધ કરવાનું કે મર્જ કરવાનું પડતું મૂકવું જોઈએ. ગામડાંમાં એક જ સ્કૂલ હોય ને તે બીજામાં મર્જ થાય તો જે તે ગામડાંમાંથી તો સ્કૂલ જશે જ, પણ બાળક દૂર જવા તૈયાર નહીં થાય તો તે ભણતું પણ અટકશે. આ ખોટ ખાવા જેવી ખરી કે ખોટ જતી હોય તો પણ જે તે વિસ્તારમાં સ્કૂલો ચાલુ રાખવી તે સરકારે વિચારવાનું રહે. સરકારની દાનત સાફ નથી લાગતી. જો સ્કૂલો મર્જ થાય તો શિક્ષકો પણ મર્જ થાય. એટલે જે શિક્ષકોની ઘટ પડે છે તે સંખ્યા ઘટે. તેમનો પગાર બચે ને જગ્યા નથી ભરાતી-નો જે હોબાળો થાય છે તે પણ અટકે. બને કે આવી કોઈ ગણતરી સ્કૂલો બંધ કરવા પાછળ રહી હોય, પણ એમ થશે તો શિક્ષિતોની બેકારી વધશે એ ધ્યાને લેવાનું રહે.

વિદ્યાર્થીઓ નથી મળતા એ બહાનું છે. કોલેજોમાં, ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતું, ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં પણ મોટી ફી ભરીને વિદ્યાર્થીઓ ભણે જ છે, ત્યાં વિદ્યાર્થીઓની તંગી નથી, તો સરકારી સ્કૂલોમાં મફત ભણવાનું છે ત્યાં વિદ્યાર્થીઓની તંગી કેવી રીતે હોય? સરકારી સ્કૂલો માટે બાળકોએ જન્મવાનું છોડી દીધું છે કે શું? આખા રાજ્યની વસ્તી વધે છે ને બધે જ એડમિશનના પ્રશ્નો છે તો સરકારી સ્કૂલોને જ વિદ્યાર્થીઓ ન મળે એ વાત સમજાતી નથી. સરકારી સ્કૂલોને અસરકારક શિક્ષણ માટે સજ્જ કરવામાં આવે તો રાજ્યમાં એટલા ગરીબો તો છે જ જે પ્રાથમિક સ્કૂલોમાં પોતાનાં સંતાનોને ભણાવવા તત્પર હોય. કોરોના કાળમાં એવું બન્યું છે કે સ્કૂલો બંધ હતી, છતાં ખાનગી સ્કૂલોએ ફીની ઉઘરાણી ચાલુ રાખી ને જેમની આવક જ ન હતી એવા વાલીઓએ તેમનાં સંતાનોને એ સ્કૂલમાંથી ઉઠાડી લઈ સરકારી સ્કૂલોમાં દાખલ કરાવ્યાં. એટલે બધાં જ ખાનગી સ્કૂલોમાં સંતાનોને મોટી ફી ભરીને ભણાવવા માંગે છે એવું નથી. સરકારે એટલું સમજી લેવાનું રહે કે કોઈ પણ કાળમાં પ્રાથમિક સ્કૂલો ચાલુ રહે એટલા ગરીબો તો રાજ્યમાં રહેવાના જ છે. એટલે વિદ્યાર્થીઓ નથી મળતા એ વાત હમણાં જ નહીં, કોઈ પણ કાળમાં સાચી નથી લાગવાની તે સરકારે સમજી જવાનું રહે. મૂળભૂત સવાલ જ દાનતનો છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ફેબ્રુઆરી 2022

Loading

यूक्रेन : गूंगी दुनिया की त्रासदी

कुमार प्रशांत|Opinion - Opinion|25 February 2022

दुनिया के मानचित्र पर एक नया तिब्बत आकार ले रहा है. इस बार उसका नाम यूक्रेन है.  अपनी ऐतिहासिक भूलों के कारण जो इतिहास में गुम हो जाता है उसे वर्तमान में प्रागऐतिहासिक तरीकों से ढूंढ़ना मूर्खता भी है, मूढ़ता भी और अशिष्टता भी. यूक्रेन में रूसी राष्ट्रपति ब्लादामीर पुतिन जो कर रहे हैं वह अनैतिक भी है, अशिष्ट भी और सड़कछाप शोहदों जैसी दादागिरी भी. और दुनिया के वे तमाम लीडरान, जो अपने को विश्व राजनीति का आका बताते, सीना फुलाए घूमते रहते हैं, किसी कायर जोकर जैसे दिखाई दे रहे तो हैं तो इसलिए नहीं कि वे पुतिन के सामने निरुपाय हो गए हैं बल्कि इसलिए कि इन सबके भीतर एक पुतिन सांस लेता है अौर इन सबके अपने-अपने यूक्रेन हैं.

दोनों महायुद्धों में एक बात समान हुई – हिंसा की महाशक्तियों के बीच संसार का मनमाना बंटवारा ! यूरोप, अफ्रीका व एशिया के छोटे व पराजित देशों की सीमाओं का मनमाना निर्धारण कर के एक ऐसा घाव बना दिया गया जो सदा-सदा रिसता रहता है. यह बहुत कुछ वैसा ही था जैसे दो बिल्लियों के बीच बंदर ने रोटियों का बंटवारा किया जिससे बिल्लियां भूखी रह गईं और बंदर सारी रोटियां लील गया. स्वतंत्रता, लोकतंत्र, मानवीय अधिकार व मानवता के नाम पर ऐसा ही खेल हुआ था. उसका जहर फूटता रहता है.

एकमात्र गांधी थे जो इस गर्हित खेल को समझ भी रहे थे और समझा भी रहे थे. वे बार-बार यही कह रहे थे कि यह महायुद्ध न लोकतंत्र के लिए है, न फासिज्म के खिलाफ है और न मानवीय गरिमा व स्वतंत्रता की रक्षा के लिए हो रहा है. यह साम्राज्यवाद को नई धार देने के लिए, साम्राज्यवादी शक्तियों का रचा खेल है. गांधी ने इसके प्रमाणस्वरूप भारत को गुलाम बनाए रखने का संदर्भ सामने रखा था, और पूछा था : यह कैसे संभव है कि फासिज्म के खिलाफ व लोकतांत्रिक मूल्यों के रक्षण का दावा करने वाले मित्र-राष्ट्र भारत जैसे विशाल देश को सदियों से गुलाम बना कर रखें, उसे उसकी मर्जी के खिलाफ युद्ध में झोंक दें और फिर भी फासिस्ट व लोकतंत्रहंता न कहलाएं ? उनका सवाल इतना सीधा व मारक था कि व्यावहारिक राजनीति के उस्ताद समझे जाने जवाहरलाल, सरदार, मौलाना जैसे सभी बगलें झांकने लगे थे और लाचार होकर इस बूढ़े के पीछे, सन् 42 के भारत छोड़ो आंदोलन में आ खड़े हुए थे. आज विश्वपटल पर कोई गांधी नहीं है.

यूक्रेन पर खुला हमला करने से पहले राष्ट्रपति पुतिन ने अपने राष्ट्र को संबोधित करते हुए, दुनिया से जो कुछ, जिस भाषा व जिन शब्दों में कहा, उसमें हिटलर से आज तक के जितने दक्षिणपंथी नेता हुए हैं, और हैं, उन सबकी साफ गूंज सुनाई  देती है. भारत की भी. वामपंथ व उदारवाद कभी ऐसा दक्षिणपंथी नहीं हुआ था जैसा आज बना दिया गया है. अब इनके बीच कोई विभाजक रेखा बची नहीं है; बचे हैं सिर्फ कुछ नाम जिन्हें आप अासानी से अदल-बदल कर सकते हैं.

पुतिन अपने संबोधन में अतीत का महिमामंडन करते हैं, रूस की पुरानी हैसियत वापस लाने का आह्वान करते हैं, और लेनिन, स्टालिन, ख्रुश्चेव के सर यूक्रेन बनने का ठीकरा फोड़ते हैं और फिर गर्बाचोव को वह निकम्मा राजनेता बताते हैं जिसने रूसी मुट्ठी से यूक्रेन को निकल जाने दिया. अपना सर बचा कर, दूसरे का सर फोड़ना कायराना खेल है.

पुरातन स्वर्णिम था? होगा; लेकिन वर्तमान ? क्या इसकी कोई हैसियत नहीं है ? आज जो है क्या वह भी ठोस हकीकत नहीं है ? यह ठोस हकीकत है कि यूक्रेन विश्व बिरादरी का एक संप्रभु राष्ट्र है जिसे अपने दोस्त, कम दोस्त व दुश्मन चुनने का वैसा ही अधिकार है जैसा अधिकार रूस को है. यह भी संभव है को यूक्रेन जिसे भी चुने, उससे रूसी हित को धक्का लगता हो. तो क्या करेंगे आप ? यूक्रेन पर हमला कर देंगे ? अगर ऐसा ही चलना है तो दुनिया में सामान्य लोकतंत्र भी नहीं बचेगा. इससे तो यहां वह जंगल-राज बन जाएगा जिसमें बड़ी मछली छोटी मछली को खा भी जाती है और इसे प्राकृतिक न्याय कहती भर नहीं है बल्कि इससे असहमत आवाजों को कुचलने की कोशिश भी करती है.

रूसी हमला अचानक नहीं हुआ है. इसकी घोषणा काफी पहले कर दी गई थी. तलाश सबसे उपयुक्त मौके की थी. वह मौका अमरीका ने अपना नाटो नाटक रच कर दे दिया. साम्यवाद के प्रसार को रोकने के नाम पर बनाया गया नाटो दरअसल अमरीकी-यूरोपीय हित का संरक्षण करने वाला मुखौटा भर था. सोवियत संघ के विघटन के बाद तो इसका शाब्दिक औचित्य भी नहीं रह गया था. लेकिन अमरीकी-यूरोपीय आकाओं ने इसे बनाए रखा ताकि खंडित सोवियत संघ के टुकड़ों को अपने भीतर समेट कर, बचे-खुचे सोवियत संघ को अंतिम चोट दी जा सके. लेकिन हम यह न भूलें कि यह वही खेल है जो अपनी तरफ से सोवियत संघ भी खेलता रहा है. यह याद करना भी दिलचस्प होगा कि यही पुतिन थे कि जो अपने राष्ट्रपतित्व के प्रारंभिक दौर में नाटो में शामिल होने की कोशिश कर रहे थे. उन्हें जब यह समझ में आ गया कि नाटो में उनकी हैसियत का निर्धारण अमरीका ही करेगा, तब उन्होंने उधर से मन फेर लिया. मतलब यह कि पुतिन को मुल्कों की ऐसी दुरभिसंधियों से तब तक एतराज नहीं  होता है  जब तक वे उसमें मुखिया की हैसियत रखते हों. यह साम्राज्यवाद का ही बदला हुआ चेहरा है.

अब रूस व नोटो के दो पाटों के बीच पिसता हुआ यूक्रेन है. यूक्रेन के भी अंतरविरोध हैं जैसे हम मुल्क में जातियों-भाषाओं-प्रांतों के अंतरविरोध होते हैं. उन अंतरविरोधों का न्याय व समझदारी से शमन करना यूक्रेन की सरकार का दायित्व है. लेकिन  दूसरे किसी को यह अधिकार कैसे मिल जाता है कि वह किसी भी मुल्क के अंतरविरोधों पर पेट्रोल छिड़कने का काम करे ? रूस ने भी और नाटो ने भी यही जघन्य अपराध किया है. यूक्रेन की यह त्रासदी हर सभ्य व स्वतंत्रचेता देश व नागरिक के लिए शोक व शर्म का विषय है.

इसलिए इसे थामना जरूरी  है. कोरोना की मार से त्रस्त संसार अभी ऐसे किसी युद्ध को सहने में असमर्थ है. असमर्थ मानवता पर युद्ध लादे तो जा ही सकते हैं लेकिन उसका विष सबके लिए मारक साबित होगा. इसलिए आर्थिक प्रतिबंध आदि नहीं, सीधे संवाद का ही रास्ता है जो गाड़ी को पटरी पर ला सकता है. अमरीका, फ्रांस व जर्मनी को कटुता फैलाना छोड़ कर पुतिन को साथ लेना ही होगा. पुतिन को यह सच्चा भरोसा दिलाना जरूरी है कि यूक्रेन की सरहद का इस्तेमाल कभी भी और कैसी भी स्थिति में रूस को अरक्षित करने में नहीं किया जाएगा. नाटो के 30 सदस्य देशों का ऐसा संयुक्त बयान संयुक्त राष्ट्रसंघ में दिया जाए. यह ऐसा प्रयास है जिसकी पहल भारत को तत्परता से करनी चाहिए. चीन ने रूस को बता दिया है कि वह रूसी कदम का सीधा विरोध नहीं करेगा लेकिन वह यूक्रेन की सार्वभौमिकता का सम्मान करता है. मतलब यह ऐसा मसला बन सकता है जिसमें भारतीय प्रयास को चीन का समर्थन मिले याकि इसका ऐसा स्वरूप बने कि भारत-चीन की संयुक्त पहल हो. यह यूक्रेन को भी  राहत देगा और भारत-चीन के बीच की बर्फ को भी पिघलाने के काम आएगा. इस प्रयास से संयुक्त राष्ट्रसंघ की गुम सामयिकता को भी शायद थोड़ी संजीवनी मिल सकेगी. तब पूछना का यही एक सवाल बचा रह जाता है कि क्या भारतीय विदेश-नीति में इतनी गतिशीलता व साहस बचा है कि वह ऐसी पहल कर सके ? जवाब कौन देगा ?

(25.02.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

...102030...1,6221,6231,6241,625...1,6301,6401,650...

Search by

Opinion

  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved