જો કલમમાં શબ્દોની શાહી પુરાય છે.
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,
ક્ષિતિજે જ્યાં આદિત્યનો અસ્ત થાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,
ધરતી જેવી ધીરજ સમુદ્રની ગહેરાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,
બે ડાળીનાં ફૂલડાંઓ વચ્ચે વાતો થાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,
ડોલતું નાવડું કાંકરે કાંકરે પાળ બંધાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,
ચંદ્રવિના ચકોરીના દિલમાં દુઃખ દેખાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,
વાગે ઝાંઝરી ને પગ નદીમાં ઝબોળાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,
રાત જેવું રડી મેઘ જેવું મનમાં વર્તાય છે
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,
જળથી સફેદ રણ પર અક્ષરો ચિતરાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,
ચારણી છંદમાં અહર્નિશ ગાન ગવાય છે
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.
ઘરમાં ચોકમાં ચારો ધામ રામ રામ બોલાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.
આતમ તત્ત્વ જાણી જ્યાં હરિ ગીત ગવાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com