અમે અમારા વલણને ચકાસી રહ્યા છીએ.
અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.
હાલની પ્રવાહી પરિસ્થિતિમાં
કશું પણ કહેવું વહેલું ગણાશે.
જે ખરબચડાં કવચ પહેરી લેશે,
માર્યા જશે.
જેઓ મહોરાં નહીં પહેરે,
ઓળખાઈ જશે.
જે જેટલાં ખુલ્લાં બનશે,
એટલાં જ બનશે વધ્ય.
શબ્દોમાં સમાઈ શકે એટલી
ગીચોગીચ અસ્પષ્ટતાઓથી જ શોભે
ખરેખરું નિવેદન.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 02
![]()


ઃ આજનાં પરિણામથી તમને દુઃખ તો બહુ થયું હશે, નહીં? કાઁગ્રેસ ક્યાં ય જીતી નહીં …
એક હતું પ્રજાબંધુ. પ્રજાના અવાજને એકનિષ્ઠાથી રજૂ કરતું અમદાવાદનું સાપ્તાહિક. છઠ્ઠી માર્ચ, ૧૮૯૮એ એનો જન્મ થયેલો. એ જીવ્યું ત્યાં સુધી પારકી જણીના છઠ્ઠીના જાગતલ જેવી એની ભૂમિકા રહી હતી. એની સ્મરણયાત્રા આજે સવાસોમા મુકામે પણ એટલી જ રોચક છે.