અરુણાબહેન આજે ખૂબ ચિંતામાં હતાં. પ્રેગ્નન્સીનો ડ્યું ટાઇમ થઈ ગયો હતો. ગમે ત્યારે હોસ્પિટલમાં દાખલ જવું પડે તેમ હતું. અરુણાબહેનની તબિયત ધાર્યા કરતાં સારી હતી, પણ ચિંતા બીજી વાતની હતી, કે શું થશે? બાળક, દીકરો હશે કે દીકરી. ઘરમાં બધાં દીકરા માટે ઉત્સાહિત હતાં. પરેશ પણ કાંઈ કહેતો નથી, પણ ઊંડે ઊંડે તેની ઈચ્છા પણ દીકરા માટેની હશે, તેમ તેના મોઢા પરથી લાગે છે. મમ્મીને કહેરાવ્યું છે. દૂરથી આવતાં વાર તો લાગે જ ને. અરુણાબહેન આમથી તેમ ઘરમાં ધીમાં પગલે આંટા મારતાં હતાં. આ પ્રથમ પ્રેગ્નન્સી હતી, એટલે શું થશે? અને કેમ થશે? એ જ દ્વિધામાં પડી ગયાં હતાં. અરુણાબહેનની ચિંતાનું બીજું પણ કારણ હતું. બીજાને ત્યાં દીકરીનો જન્મ થાય તો ઘરમાં બધા અણગમો પ્રદર્શિત કરતાં હતાં, જ્યારે આજે તો પોતાના માટેની જ વાત અને રાહ હતી.
અરુણાબહેનની ચિંતા સાચી પડી. ડ્યું ટાઇમનો દુઃખાવો શરૂ થઈ ગયો હતો. સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે. પ્રાઇવેટ હોસ્પિટલનો તો ખર્ચ પોસાય એમ નહોતો. વળી, પ્રાઇવેટ હોસ્પિટલમાં તો મોટા ભાગે સિઝેરિયન કરી નાખે છે, એવી ધારણા પણ મનમાં હતી. એટલે એ ડર પણ મનમાં હતો. અંતે સરકારી હોસ્પિટલમાં અરુણાબહેનને દાખલ થવું પડ્યું. જનરલ રૂમ હતો અને રૂમમાં આઠ જેટલા બેડ હતા. મોટા ભાગની પ્રથમ પ્રેગ્નન્સીવાળી બહેનો હતી. પણ જેમને બીજો કે ત્રીજો અનુભવ હતો તે લોકો થોડા સ્વસ્થ હતાં. હા, જેને અત્યાર સુધી દીકરીઓ જ અવતરી હતી એ બહેનો ચિંતામાં હતી.
આઠ બેડ હતા એટલે સગાં, સંબંધીઓ, સાસુ અને દીકરીઓની માતાથી રૂમ ભરચક થઈ ગયો હતો. બધાં પોતાના અનુભવો અને પડેલી તકલીફોની વાત કરતાં હતાં. કોઈએ કહ્યું, મને તો પહેલે ખોળે દીકરો આવે એ જ ગમે. જો જો ને મારી વહુ દીકરાને જ જન્મ આપશે. અરુણાબહેને જોયું તો તેનાં સાસુ પણ ચર્ચામાં સામેલ હતાં અને કહેતાં હતાં કે પહેલે ખોળે દીકરો આવે એ તો સહુને ગમે. મેં અરુણાને ડોક્ટરને બતાવી સોનોગ્રાફી પણ કરાવી. ડૉક્ટરને પૂછ્યું તો જવાબ ન આપ્યો, એટલું જ કહ્યું તબિયત સારી છે. ચિંતાનું કોઈ કારણ નથી. કોઈકે કહ્યું ડોક્ટરને ખબર પડી ગઈ હોય, તો પણ કહે નહીં. સરકારનો આદેશ છે એટલે ડોક્ટર પણ શું કરે. અને અત્યારનો માહોલ પણ આવો છે કે બધાંને દીકરા જ જોઈએ છે. કોઈ એ નથી સમજતું કે દીકરી વગર કોઈનો પણ વંશ વેલો કઈ રીતે આગળ વધશે. આવી બધી ચર્ચાઓ રૂમમાં થતી હતી જે ચિંતા સાથે અરુણાબહેન સાંભળી રહ્યાં હતાં.
સમય પસાર થતો હતો. અરુણાબહેનને તો પોતાના માટે સમય સ્થંભી ગયો હોય એમ લાગતું. દાખલ થયેલ દર્દીઓમાંથી ત્રણ બહેનો છૂટી થઈ ગઈ. વાતાવરણ ખુશી અને ના ખુશીથી ભરેલું હતું. દીકરાવાળા ખુશિયા મનાવી રહ્યાં હતાં ને દીકરીવાળા તમાચો મારીને ગાલ રાતો રાખી રહ્યાં હતાં. રૂમનું વાતાવરણ ખુશીવાળું હતું કે ગંભીર હતું એ અરુણાબહેનને સમજાયું નહીં.
અરુણાબહેને જોયું તો તેનાં સાસુ જ્યાં દીકરાનો જન્મ થયો હતો ત્યાં ખુશ મિજાજથી વાતો કરી રહ્યાં હતાં. આ દૃશ્ય જોઈને અરુણાબહેનની દિલની ધડકણ વધી ગઈ હતી. નર્સે આવીને અરુણાબહેનનું બી.પી. માપ્યું તો વધારે આવ્યું. તેણે કહ્યું, અરુણાબહેન, તમે જરા પણ ચિંતા ન કરતાં. ભલે લોકો આ હોસ્પિટલને સરકારી દવાખાનું કહે છે પણ અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલથી પણ સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
અરુણાબહેને મનમાં કહ્યું મને હોસ્પિટલની નહીં, પણ આવનાર બાળક વિશે ચિંતા છે. નર્સ તો દવા આપીને ચાલી ગઈ.
રૂમમાં ખુશી, નાખુશી અને ગંભીર વાતાવરણનો માહોલ બનતો રહ્યો. આખો દિવસ આમ જ પસાર થયો. અરુણાબહેનને થયું હું દુઃખાવાની ખોટી ભ્રમણાથી તો દાખલ નથી થઈ ગઈને? અહીંયા સમય પસાર કરવો અઘરો પડે એમ છે. ઘરની વાત જુદી હતી. ત્યાં તો જે હોય એ બધાં ઘરના જ હોવાનાં.
અરુણાબહેને પોતાના મમ્મીને આવતાં જોયાં. મનમાં થોડી ટાઢક થઈ કે મમ્મી આવી ગઈ છે એ બધું સંભાળી લેશે. અરુણાબહેનના બંને ભાઈને ત્યાં એક એક દીકરી જ છે. મમ્મીએ બધું સંભાળી લીધું હતું એમ કહીને કે બધાંયને દીકરાની આશા હોય પણ મારે તો લક્ષ્મીનો અવતાર એવી દીકરી જ જોઈતી હતી. દીકરીઓ તો તુલસીનો ક્યારો છે. દીકરીઓ પણ તેનું નસીબ લઈને જ આવતી હોય છે.
અરુણા, બેટા, કેમ છે?
અરુણાબહેને કહ્યું, “સારું છે મમ્મી. મને ચિંતા બહુ થાય છે.”
“તું ચિંતા કરમાં, બધાં જ સારા વાના થશે.”
“ચાલો વૅવાણ, જરા આપણે બહાર આંટો મારી આવીએ.”
અરુણાબહેનને મનમાં જે ભીતિ હતી એ જ થયું. દીકરીનો જન્મ થયો. અરુણાબહેને બધાં ય સામે જોયું પણ કોઈએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. અરે! મમ્મીએ પણ બે શબ્દો આશ્વાસનના ન કહ્યાં. બધાં જ વાતો કરે, પણ મનમાં ઈચ્છા તો દીકરાની જ રાખે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ અરુણાબહેન રિક્ષામાં બેઠાં. મનની ધડકણ તો વધેલી જ હતી કે અત્યારે ભલે કોઈ કંઈ નથી કહેતું પણ ઘરે તો દીકરી આવી છે એ નારાજગી અવશ્ય પ્રગટ કરશે. હશે! જેવી ભગવાનની ઈચ્છા.
અરુણાબહેન ઘરમાં દાખલ થયાને …. ઘરમાં ચારેકોરથી અવાજ ગુંજી ઊઠ્યો ….
“વેલ કમ આત્મજા”……” વેલ કમ આત્મજા……”
અવાજ સાંભળી અરુણાબહેન ભાવવિભોર થઈ ગયાં. તેણે સાસુ અને મમ્મી સામે જોયું.
સાસુએ કહ્યું, “હા, બેટા, અમારા માટે તો દીકરો હોય કે દીકરી બંનેનું સરખું જ મહત્ત્વ છે. અમને તારી ચિંતા હતી. તું સ્વસ્થ ઘરે આવી ગઈ અને તે પણ લક્ષ્મી રૂપ આત્મજાને લઈને. બેટા, હું ને તારી મમ્મી દૂરથી તારું ધ્યાન રાખતાં હતાં. પાસે રહીને તને ઢીલી પાડવા નહોતાં માંગતાં.”
અરુણાબહેને આત્મજાને જોઈને કહ્યું ….. તે આવીને અમારા ઘરને ખુશીઓમાં તરબોળ કરી દીધું. મારુ માન વધારી દીધું. અરુણાબહેનની આંખમાં હર્ષનાં આંસુ હતાં.
ભાવનગર
e.mail : Nkt7848@gmail.com
![]()




મા ઉત્તરાબહેન જાણે-અજાણે એમના આદર્શ થઈ ગયાં એવું એમને જોનારને લાગે. પિતાની વિદ્વતા પણ આવેલી જ હતી. ૧૯૪૮ના ભણતરના પાયા તો વેડછી ગ્રામશાળામાં જ નંખાયા. નારાયણભાઈનો પરિવાર બનારસ તો ૧૯૬૦માં ગયો, ત્યાં સુધી વેડછી સ્વરાજ આશ્રમની ગ્રામશાળામાં જ ભણ્યાં. એમનું શાળાકીય ભણતર ઘણી જગ્યાએ થયું. વેડછી, વડોદરા, આંબલા, ઓડિશા અને છેલ્લે બનારસ. બનારસમાં ગંગાકાંઠે આવેલી અને ૧૯૨૭માં સ્થાપિત થયેલી જે. કૃષ્ણમૂર્તિની વિચારધારા પ્રેરિત રાજઘાટ બેસન્ટ સ્કૂલમાં ભણવાનું થયું. એ મેધાવી છાત્રા હશે. ૧૯૬૭માં નીલ રતન સરકાર મેડિકલ કૉલેજ એંડ હૉસ્પિટલ, કલકત્તા(હાલ કોલકાટા)માં એમ.બી.બી.એસ.માં દાખલ થયાં. તબીબ તો થયાં, સાથે જ બંગાળી સરસ શીખ્યાં. ઓડિયા તો માતૃભાષા. આમ ગુજરાતી, ઓડિયા, બંગાળી અને હિંદી પર ગજબ પ્રભુત્વ ધરાવતાં થયાં. હિંદી સાહિત્ય પણ ઘણું વાંચ્યું. ગાંધી-વિનોબા સાહિત્ય અને વિચારજ્ઞાન તો માતા-પિતા અને ઘરે આવનારા ઘણાં-ઘણાં મહેમાનો પાસેથી સહેજે મેળવ્યું. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધના લીધે આજના બાંગ્લાદેશમાંથી હજારો હિજરતી આવ્યા. ત્યારે શરણાર્થીઓના શિબિરોમાં અનેક પ્રકારની સેવાઓ આપી. ૧૯૭૨માં એમ.બી.બી.એસ. પૂરું કર્યું. એ દરમિયાન જ ૧૯૭૨ની આરંભે ભાવિ જીવનસાથી સુરેન્દ્ર ગાડેકર સાથે પરિચય થયો. એ હાલમાં બાબા તરીકે ગુજરાતી સર્વોદય જગતમાં ઓળખાય છે. આઈ.આઈ.ટી. કાનપુરના મેધાવી વિદ્યાર્થી અને ત્યાંથી ફિઝિક્સમાં ડૉક્ટરેટ મેળવેલી. મળ્યા અને બેઉને એકમેકમાં જીવનસંગાથી દેખાયા. ઓક્ટોબર ૧૯૭૨માં પરણી ગયાં. બહેન-બનેવીની વાતો ભાઈ નચિકેતા મારી સાથે વડોદરા હૉસ્ટેલમાં રહેવા આવ્યો ત્યારે બડાઈથી કરે. અને હું તો પ્રભાવિત. મળવાનું મોડેથી થયું. ૧૯૭૨માં જ એક વરસ ઇંટર્નશીપ કરી. પછી ૧૯૭૩થી ઉત્તર પ્રદેશની સરકારમાં જ્ઞાનપુર, જિલ્લો ભદોઈ, અને કાનપુરના પ્રાથમિક આરોગ્ય કેંદ્રોમાં સેવા આપી. તેનો ઊંડો અનુભવ ચર્ચાઓમાં પ્રકટ થયા વિના રહે નહીં. વળી તરુણ શાંતિ સેના પ્રેરિત મેડિકો ફ્રેંડ સર્કલના સ્થાપના વરસ ૧૯૭૪થી જ સક્રિય સભ્ય. ૧૯૭૯ થી ૧૯૮૧ ના અરસામાં સુરેન્દ્રભાઈ અને ઉમાબહેન અમેરિકા ગયાં. ત્યાં ઉમાબહેને ન્યુટ્રિશનમાં અનુસ્નાતકની ડિગ્રી લીધી. ૧૯૮૨-૧૯૮૪ના ગાળામાં સર્વ સેવા સંઘ રાજઘાટ, બનારસના પરિસરમાં ક્લિનિક શરૂ કરી બે વરસ પ્રેક્ટિસ કરી. એ જ અરસામાં દુઆનો જન્મ થયો હતો. ૧૯૮૪માં ઉમાબહેન વસંતા કૉલેજ ફૉર વુમેનમાં જોડાયાં. જે. કૃષ્ણમૂર્તિ પ્રેરિત આ કૉલેજનું વાતાવરણ અને વિચાર-વારસો ઉમાબહેન માટે જરા ય નવા ન હતાં. ન્યુટ્રિશન ભણીને આવેલાં એટલે હોમ સાયંસ વિભાગમાં સરસ ગોઠવાયાં હશે. સાથે-સાથે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન રુરલ સેંટરના નેજા હેઠળ ચાલતી સંજીવની હૉસ્પિટલમાં હૉસ્પિટલ સુપરિનટેંડેંટ તરીકે સેવાઓ આપી.
૧૯૬૦-૬૧ થી ૧૯૮૯ સુધી એટલે લગભગ ૩૦ વરસ બનારસમાં ભણી, કામ કરી ખૂબ અનુભવ સાથે ૧૯૮૯માં વેડછી પરત આવ્યાં. નારાયણભાઈ ૧૯૮૧માં ઉત્તરાબહેન સાથે વેડછી પાછા ફર્યા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય શરૂ કર્યું. ઉમાબહેન અને સુરેન્દ્રભાઈ આવીને જોડાયા એનું એક મહત્ત્વનું કારણ ઉત્તરાબહેનનું અવસાન હતું. ત્યાર બાદ ઉમાબહેન અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય અભિન્ન બની રહ્યાં અને આ સાથ મૃત્યુ સાથે જ છૂટ્યો. સુરેન્દ્રભાઈ – બાબા, અને ઉમાબહેને લોક સેવક તરીકે જીવનદાન કર્યું. વિદ્યાલયના અંતેવાસી, શિક્ષક અને કર્મશીલ તરીકે જીવ્યાં. નારાયણભાઈના ગયા પછી તેઓ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ પણ રહ્યાં.

વિદ્યાલયમાં પ્રશિક્ષણ શિબિરો થાય અને તે વિદ્યાલય સ્થાપનાનો એક મુખ્ય ધ્યેય. જયપ્રકાશ નારાયણે ‘સંપૂર્ણ ક્રાંતિ’નું સૂત્ર આપ્યું પણ એનું કલેવર શું? એ ઘડાયું વિદ્યાલયમાં. સંઘર્ષ, રચના, સ્વાધ્યાય, પ્રશિક્ષણ. સમૂહ જીવન, ઉત્પાદક શ્રમ અને વિચાર સત્ર ત્રણેય પ્રશિક્ષણના અંગ. સંપૂર્ણ ક્રાંતિનાને સમજવા, અભ્યાસ કરવા માટેની જંગમ વિદ્યાપીઠ એટલે સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય. એના કુલગુરુ નારાયણ દેસાઈ ખરા પણ મહામાત્ર તે ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાબહેન. વિદ્યાલયમાં કોઈ ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ નહીં માત્ર પસાર થવાનું અને જેટલું નીખરી શકાય તેટલો નીખરવા પૂરતો અવસર. કાંતણ, વણાટ, રંગાઈ, વસ્ત્ર સીવણ, ખેતી કામ, બાગબાની, રસોઈ, અને સફાઈ એ બધાને ગોઠવવાનું કામ ઉમાબહેનનું. ૨૦૦૬ના અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના અમે થોડાક નારાયણભાઈને વિનંતિ કરવા આવ્યા કે તેઓ કુલપતિ બની માર્ગદર્શન આપે. ચર્ચાઓમાં ઉમાબહેન હાજર અને સક્રિય. એમણે ઘણી નિસ્બતો વ્યક્ત કરી હતી. આ જવાબદારીમાં શ્રમ, મુસાફરી અને કામ એ બધા વિશે ઝીણવટથી પૂછપરછ કરી હતી, મા દીકરાને બહાર મોકલે ત્યારે બધી તપાસ કરે એવી તપાસ જ હતી.
ઉમાબહેનના મોસાળની વાત રહી ન જવી જોઈએ. ઓડિશાનો પ્રભાવી પરિવાર. ગાંધી-વિનોબા માર્ગે ઈમાનથી ચાલવાવાળા નબકૄષણ ચૌધરી ઓડીશાના ૧૯૫૦ થી ૧૯૫૬ સુધી મુખ્ય પ્રધાન. ઉમાબહેનનાં નાની માલતીદેવી ચૌધરી એવાં ક્રાંતિકારી કે પતિ મુખ્યપ્રધાન થયા ત્યારે ચોખ્ખું કહેલું કે લોક વિરુદ્ધ કામ કરશો તો હું પહેલી લડવાવાળી હોઈશ! આ પરિવાર અને દીકરી ઉત્તરાબહેન પછી સંબંધો સાચવ્યા હોય તો ઉમાબહેને. એ પરિવારની નાની દીકરી એટલે કૃષ્ણા માસી. અમે પણ માસી જ કહીએ. ઉમાબહેનની એ માસી કરતાં બહેનપણી વધુ. હજી એપ્રિલના આરંભમાં હું અંગુલ (ઓડિશાનું શહેર જ્યાં ચૌધરી પરિવારે આશ્રમશાળા કરી અને સ્થાયી થયા) ગયો હતો અને મેં ઉમાદીદીને ફોન કર્યો અને કહ્યું કે કંઈ સંદેશ? ઉમાદીદી કહે કે માસીને વેડછી આવીને રહેવાનું કહેજે. માસી એક મહિનો રહીને લાંબુ રહેવા આવવાનાં હતાં અને ઉમાબહેન તો ગયાં. માસીનો ફોન પર જ કરુણ વિલાપ!