Opinion Magazine
Number of visits: 9672122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

हमें चाहिए ऐसा राष्ट्रपति

कुमार प्रशांत|Opinion - Opinion|26 June 2022

तो अब सारे पत्ते खुल गए और यह खुला रहस्य और भी खुल गया कि विपक्ष के पास कोई पक्ष है ही नहीं ! तृणमूल कांग्रेस की ममता बनर्जी ने राष्ट्रीय राजनीति की सारी पहल अपने हाथ में समेटने की जो चतुराई दिल्ली आ कर दिखलाई थी, वह कोई रंग पकड़ती इससे पहले ही मामला सिरे से बदरंग हो गया. उनके तीनों विकेट धड़ाधड़ गिर गए. सबसे पहले गिरे शरद पवार, फिर फारूख अब्दुल्ला और फिर गोपालकृष्ण गांधी. ये तीनों विकेट इसलिए नहीं गिरे कि सामने से कोई सधी गेंदबाजी कर रहा था. ये तीनों ही राष्ट्रपति बनने को तैयार थे बशर्ते कि उनकी जीत की गारंटी हो ! शरद पवार व फारूख अब्दुल्ला सत्ता की राजनीति के माहिर खिलाड़ी हैं. भले उनकी सारी संभावनाएं खत्म हो चुकी हों, उनकी राजनीतिक महत्वाकांक्षा अभी खत्म नहीं हुई है. इसलिए जिस खेल में न यश मिले, न जीत, ऐसा खेल खेलने से इन्हें इंकार करना ही था. गोपालकृष्ण गांधी अलग धारा के आदमी हैं. उन्होंने खुद ही कहा कि मेरे नाम पर सभी एकमत होते तो वे हार की फिक्र न कर, यह खेल खेल सकते थे. यह कम-से-कम अपेक्षा है जो गोपाल गांधी जैसा व्यक्ति कर सकता था. आप वह अपेक्षा भी पूरी न करें और चाहें कि गोपाल गांधी आपकी अपेक्षा पूरी करें, यह तो नितांत असभ्यता है. 

विपक्ष ने ऐसे सर्वोच्च पद के लिए गोपाल गांधी का नाम पहली बार नहीं लिया है और न यह पहली बार हुआ है कि विपक्ष उनके नाम पर आम सहमति नहीं बना सका. पिछली बार तो यह भी हुआ कि गोपाल गांधी ने इसी बिखरे विपक्ष की मान कर उप-राष्ट्रपति का चुनाव लड़ा भी और पराजित भी हुए. गोपाल गांधी प्रशासक ही नहीं, भारतीय चिंतन व संस्कृति के गहन अध्येता हैं, देश के सार्वजनिक जीवन में मूल्याधारित चिंतन व कर्म के प्रतीक भी हैं. इसलिए एकमत हो कर विपक्ष उनकी उम्मीदवारी चाहे, उनकी इतनी-सी मांग भी जो पूरी न कर सके, वह ऐसा विपक्ष नहीं है कि जिसका कोई मजबूत  पक्ष है. ऐसी हालत में गोपाल गांधी को जो करना चाहिए था वही उन्होंने किया और वैसी ही शालीनता से किया जिसके लिए हम उन्हें जानते हैं.

इतनी भद पिटने के बाद विपक्ष ने आम राय से यशवंत सिन्हा का नाम जाहिर किया. यह नाम भी तृणमूल कांग्रेस की तरफ से आया. तीन नामों के बदले यही एक नाम पहले ही आया होता तो प्रक्रिया की शालीनता और विपक्ष की प्रतिष्ठा, दोनों ही बनी रहती. लेकिन जैसा मैंने शुरू में लिखा, विपक्ष का अपना कोई पक्ष है ही नहीं, तो शालीनता-प्रतिष्ठा की फिक्र किसे है !

भारतीय जनता पार्टी ने अपनी पार्टी की समर्पित कार्यकर्ता द्रौपदी मूर्मू को राष्ट्रपति बनाना तय किया है. मुर्मू का चयन शालीनता व संयम से किया गया तथा उनके समर्थन में प्रधानमंत्री ने जो कुछ कहा, वह भी बताता है कि यह निर्णय कितने करीने से लिया गया. जब आपके पास भारतीय जनता पार्टी जैसा बहुमत हो और यह निश्चिंतता भी हो कि आप जिसे चाहेंगे उसे राष्ट्रपति बना लेंगे, तब संयम व शालीनता साधना आसान भी होता है लेकिन ऐसा कह कर भारतीय जनता पार्टी की राजनीतिक पटुता को कम नहीं किया जा सकता है.

ओडिशा में बीजू जनता दल के साथ मिल कर जब भाजपा ने सरकार चलाई थी तब मूर्मू उसमें मंत्री थीं. फिर वे झारखंड की राज्यपाल रहीं. दोनों ही भूमिकाओं में वे हिंदुत्व के दर्शन को मानने वाली राष्ट्रीय स्वयंसेवक संघ की समर्पित कार्यकर्ता की अपनी छवि को ही मजबूत करती रहीं. इसके अलावा उनका दूसरा कोई गुण राष्ट्र ने अब तक देखा नहीं है. अपनी जन्मजात सरलता, कर्मठता व लोक संपर्क की महत्ता समझने वाली मुर्मू भारत की अगली राष्ट्रपति होंगी, यह बात तय है. जब राष्ट्रीय राजनीति के माहिर लोग अपना फैसला इस आधार पर करते हों कि कौन उनके राज्य, उनकी जाति, उनकी भाषा का है, कौन अपनी तत्कालीन राजनीति में फिट बैठता है, तब मुर्मू जैसों की जीत निश्चित हो जाती है.

कहने वाले कहते हैं कि मुर्मू की जीत देश की आदिवासी, जनजाति को सशक्त करेगी, स्त्री की हैसियत मजबूत करेगी. क्या ऐसा होता है? हमने अबतक सारे इंसानों को ही तो राष्ट्रपति बनाया है तो क्या आमरे देश में इंसानों की हैसियत मज़बूत हुई है? हमने मुसलमान को भी, दलित को भी, औरत को भी राष्ट्रपति बनाया है तो क्या इन सबकी हैसियत मजबूत हुई? यह आत्मछल है जो राजनीति को पचता है, राष्ट्र को नहीं.

मेरा सवाल यह है कि मुर्मू जीत गईं तो क्या जीतेगा या यशवंत सिन्हा जीत गए तो क्या जीतेगा ? इन दोनों में से कोई भी जीते, न संविधान जीतेगा, न देश को कोई राष्ट्रपति मिलेगा. उम्र के 80 दशक पार चुके यशवंत सिन्हा और 60 दशक पार कर चुकी मुर्मू उस धारा की प्रतिनिधि हैं जो दलीय राजनीति व सत्ता की ताकत ही ओढ़ते-बिछाते हैं. यशवंत सिन्हा ने तो अपनी उम्मीदवारी से पहले अपनी पार्टी तृणमूल कांग्रेस से इस्तीफा दे दिया ताकि संविधान की मंशा की थोड़ी लाज तो रह जाए. भारतीय जनता पार्टी व मुर्मू ने आज तक उसकी जरूरत नहीं समझी.

संविधान की कल्पना यह है कि संसदीय प्रणाली की राजनीतिक व्यवस्था का मुखिया एक ऐसा व्यक्ति हो कि जो संसद से बंधा न हो, सत्ता के खेल खेलता न हो. प्रधानमंत्री ऐसा व्यक्ति नहीं हो सकता है क्योंकि वह तो दल व सत्ता के लिए सभी तरह के गर्हित खेल खेलता है और उसी बूते  कुर्सी पर बैठा रहता है. महात्मा गांधी ने इसलिए ही तो ‘हिंद-स्वराज्य’ में लिखा कि वे प्रधानमंत्री को देशभक्त मानने को भी तैयार नहीं हैं, क्योंकि उसके किसी भी निर्णय का आधार देशहित नहीं होता. वह तो अपनी सत्ता को देशहित बता कर सारे धत कर्म करता है.

फिर बच जाता है राष्ट्रपति ! हमारा संविधान एकदम सीधी-सी बात कहता है कि संसदीय राजनीति में अंपायर वही हो सकता है जो खुद किसी टीम की तरफ से खेलने न लगता हो. अंपायर खुद ही खेलने लगे तो खेल खत्म ! संविधान जुमलेबाजी नहीं है, लिखित दस्तावेज है. वह कहता है कि अंपायर का काम है कि वह खिलाड़ियों को खेलने दे और इस पर कड़ी नजर रखे कि सभी नियम से खेलें. कोई नियम से बाहर गया नहीं कि अंपायर की सिटी बजी. क्या ऐसा तटस्थ व्यक्ति खोजना व उसका मिलना संभव है ? बिल्कुल संभव है लेकिन तभी जब आप अपने दलीय व सत्तागत स्वार्थ के दायरे के बाहर देखने-खोजने लगें; और आप ऐसा तभी कर सकेंगे जब आप संविधान को अपना मार्गदर्शक मानेंगे. संविधान की आड़ में मनमाना खेल खेलने वालों के लिए यह समझना मुश्किल है कि संविधान के सामने सर झुकाना एक अर्थहीन कसरत है, असल बात तो संविधान को सर में बिठाना है.

हमें आज ऐसे राष्ट्रपति की जरूरत है. आजादी के बाद से हमने जिन 14 पूर्णकालीन  राष्ट्रपतियों का चयन किया उनमें पहले, दूसरे, दसवें तथा ग्यारहवें राष्ट्रपति ही मेरी निगाह में इस पद के नाप के थे- सर्वश्री राजेंद्र प्रसाद, सर्वपल्ली राधाकृष्णन, कोचेरिल रामन नारायणन तथा एपीजे अब्दुल कलाम. हमें आज ऐसा राष्ट्रपति चाहिए जिसमें इन चारों का समन्वय हो. खास ध्यान देने की बात यह है कि ये चारो दलीय राजनीति से दूर व विशिष्ठ हैसियत रखने वाले लोग थे.

राजेंद्र प्रसाद आजादी की लड़ाई लड़ने वाली कांग्रेस के नेतृत्व करने वालों में एक थे. उस दौर की ऐसी कोई बड़ी हस्ती खोज पाना संभव नहीं है शायद कि जो आजादी की लड़ाई का सिपाही भी हो लेकिन कांग्रेस से जुड़ा न हो. ऐसा ही राजेंद्र प्रसाद के साथ भी था. भारतीय गणराज्य के प्रथम अभिभावक की भूमिका में राजेंद्र प्रसाद इसलिए अनोखे हैं कि राष्ट्रपति कैसा हो, क्या करे-क्या न करे, क्या बोले-क्या न बोले, इन सबका निर्धारण उनका ही किया है. जैसे जवाहरलाल आजादी के बाद के प्रारंभिक वर्षों में इस देश के प्रधानमंत्री मात्र नहीं थे, संसदीय लोकतंत्र के मानकों के शिल्पकार थे, कुछ वैसी ही भूमिका राजेंद्र प्रसाद ने भी निभाई. जवाहरलाल की सरकार से वे कई मामलों में असहमत रहे. वह असहमति उन्होंने कभी दबाई-छिपाई भी नहीं. भारतीय राष्ट्रपति की संविधानसम्मत भूमिका की पहली गंभीर बहस उन्होंने अपने पहले कार्यकाल में ही खड़ी की थी और उससे काफी हलचल भी पैदा हुई थी. वे अपने प्रधानमंत्री से कहीं अधिक प्रतिष्ठित कानूनविद् थे लेकिन वे इसके प्रति सदा सचेत भी थे कि वे राजेंद्र प्रसाद की नहीं, भारत के राष्ट्रपति की संवैधानिक भूमिका के कील-कांटे बना रहे हैं जिस पर इस नवजात गणतंत्र को अपना ढांचा खड़ा करना है. भारत के हर राष्ट्रपति को यह उत्तरदायित्व राजेंद्र प्रसाद से विरासत में मिला है- कोई यह बोझ न उठा सके तो  बात अलग है.

सर्वपल्ली राधाकृष्णन उस दार्शनिक राष्ट्राध्यक्षों की श्रेणी में आते हैं जिसकी कल्पना दार्शनिक अरस्तू ने की थी. विद्वता में अपने उदाहरण आप राधाकृष्णन कभी मूक या रबरस्टांप राष्ट्रपति नहीं रहे. उन्होंने राष्ट्रपति का संवैधानिक दवाब जवाहरलाल पर भी और बाद में उनकी बेटी प्रधानमंत्री इंदिरा गांधी पर भी बनाए रखा. 1962 के चीनी हमले के बाद जवाहरलाल की प्रधानमंत्री पारी पूरी हुई, ऐसा मानने वालों में राधाकृष्णन थे और वे ही थे जिन्होंने राष्ट्रपति की विशेष रेलगाड़ी पटना जंक्शन पर रुकवा कर, जयप्रकाश नारायण को बुला भेजा था और उनसे सीधे ही कहा था कि अब देश की बागडोर संभालने में झिझकने का वक्त नहीं है.

के.आर. नारायणन राजनयिक, अध्येता तथा अर्थशास्त्री थे. यह सच है कि वे देश के पहले दलित राष्ट्रपति थे लेकिन वे अत्यंत कुशल व पैनी निगाह रखने वाले राष्ट्रपति भी थे. कलाम साहब अटलबिहारी वाजपेयी की पसंद थे लेकिन उन्होंने हर चंद कोशिश की कि वे दल की नहीं, देश की पसंद बनें. उन्होंने राष्ट्रपति पद को भी और उसकी कार्यशैली को भी लोकतांत्रिक जामा पहनाया. वे विज्ञान की दुनिया से राजनीति की दुनिया में जब लाए गए थे तब राजनीति का अपना गणित रहा ही होगा लेकिन कलाम साहब ने कभी उनका या इनका खेल नहीं खेला. अटलबिहारी की हार के बाद बनी मनमोहन सिंह की कांग्रेसी सरकार से भी उन्होंने वैसा ही नाता रखा जिसमें मृदुता तो थी, समर्पण नहीं था. उन्हें ‘जनता का राष्ट्रपति’ कहा गया तो इसलिए कि वे कहीं से भी न आतंकित करते थे, न आतंकित होते थे.

इन चारो के गुणों का समन्वय आज के राष्ट्रपति में इसलिए चाहिए कि भारतीय संसदीय लोकतंत्र भी और राष्ट्र के रूप में भारत भी एक बड़े ही नाजुक दौर से गुजर रहा है. तब आजादी को एक अर्थपूर्ण स्वरूप देने की चुनौती थी, आज 75 साल पुराने संसदीय लोकतंत्र को पटरी पर बनाए रखने तथा उसके विकास की संभावनाओं को पुख्ता करने की चुनौती सामने है. यह धीरज, कुशलता, विद्वता, संविधान की गहरी जानकारी व उसके प्रति प्रतिबद्धता की मांग करता है. संविधान के शब्द महत्व के हैं लेकिन संविधान की दिशा अत्यंत अनमोल है. इसलिए संविधान पढ़ने भर से नहीं, संविधान पचाने से बात बनेगी.  इसलिए आज राष्ट्र को ऐसे राष्ट्रपति की जरूरत है जो राष्ट्र व संविधान से आगे व उससे पीछे न देखे, न देखने दे.

क्या पक्ष व विपक्ष के उम्मीदवारों में ऐसी संभावना आपको दिखाई देती है ? भाजपा को अपने उम्मीदवार में और विपक्ष को अपने उम्मीदवार में यह सब दिखाई देता हो क्योंकि वे राष्ट्रपति नहीं बना रहे हैं, अपने दल के आदमी को राष्ट्रपति पद पर बिठा रहे हैं ताकि वह आगे उनके दलीय व सत्ताहित में काम करे. आप ही बताइए, इसमें राष्ट्र कहां है ?

(25.06.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

આસામ : પૂરની વચ્ચે ઉજાણી સાથે ઘોડબજાર …

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 June 2022

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચાલી રહી છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધીઓને તેમના પક્ષે પહેલાં સૂરત અને ત્યાંથી ગુવાહાતી દોડાવ્યા. સૂકા સૂરતમાંથી એકાએક અકળ રીતે ત્રણ ચાર્ટર્ડ વિમાનો ભરીને ધારાસભ્યો પૂરથી તારાજ આસામમાં ઊતરી પડ્યા. તેમને પંચતારાંકિત અતિથિગૃહોમાં નિવાસ આપવામાં આવ્યો છે.

આપણે જાણીએ છીએ કે આસામ પૂર અને ભૂસ્ખલનનો સામનો કરી રહ્યું છે. આસામમાં આ સહુથી વધુ  ભીષણ  રેલસંકટ  છે. તેમાં સો નાગરિકોના મોત થયાં છે, ત્રણ લાખ લોકો બેઘર થયા છે અને રાજ્યના 35માંથી 30 જિલ્લા પાણીમાં છે.

જેમણે મહારાષ્ટ્રના ગઠબંધનમાં આ દાવ ખેલ્યો છે તેઓ અત્યારે ખુશ હશે. પણ એક સવાલનો જવાબ મળતો નથી: અત્યારે Operation Grab Back  – આંચકીને પાછું લઈ લેવાનો બેહૂદો ખેલ જે કોઈ સત્તાધારીઓ પાડી રહ્યા છે તેમના ભેજામાં એવું શું આવ્યું કે તેમણે આ ઘોડબજાર આસામની અપૂર્વ આપત્તિ દરમિયાન આસામમાં જ ભરવાનું નક્કી કર્યું ?

મોંઘીદાટ હૉટલમાં ચાલી રહેલી ઉજાણી 1907માં અમેરિકામાં અત્યંત લોકપ્રિય થયેલાં Teddy bear's picnic ગીતની વક્રોક્તિપૂર્ણ યાદ આપાવે છે. ઉજાણીના આયોજકોને એમ ન થયું કે તેઓ આ સહેલગાહ ભૂખ અને રોગચાળાના તાંડવ વચ્ચે ગોઠવી રહ્યા છે ?

મીડિયાઘેલા ધારાસભ્યોને એમ નહીં થયું હોય કે ઘરઘરના પડદે દેશની જનતા જોઈ રહી છે. તેને દેખાઈ રહ્યું છે કે એક બાજુ જૂજ ઘરવખરી સાથે લઈને સલામત આશરા માટે ભટકી રહેલાં આ દેશના એક રાજ્યના ઘરવિહોણા લોકો છે; અને બીજી બાજુ આ જ દેશના લોકોએ ચૂંટેલા બીજાં એક રાજ્યના ધારાસભ્યો ખુદ મોંઘીદાટ હૉટલોમાં એકબીજાની પીઠ થાબડતા મલકાઈ રહ્યા છે.

આસામના મુખ્ય મંત્રી ભરપૂર પ્રચાર સાથે અસરગ્રસ્ત વિસ્તારોનો રેલવેપ્રવાસ કરી રહ્યા છે. એમના ધ્યાને એ તો આવ્યું જ હોય કે વિમાનમાંથી ફેંકવામાં આવી રહેલો ખોરાક અને રાહતસામગ્રી ખૂબ અપૂરતાં સાબિત થઈ રહ્યાં છે.

મુખ્ય મંત્રીએ મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યોને આવકારતાં કહ્યું કે આસામ આંતરરાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર બને તેનાથી એ રાજી છે, અને આવી રીતે મોટા પ્રમાણમાં સહેલાણીઓ આવે તો આસામની સરકારી આવકમાં વધારો થાય, જે પૂર રાહતના કામમાં આવી શકે. મુખ્ય મંત્રીએ  સહેલગાહના આયોજકોને એમ ન કહ્યું કે એમની ખુદની પહેલી ફરજ અત્યારે એમના આફતગ્રસ્ત નાગરિકો તરફ છે.

મહારાષ્ટ્રના ધારાસભ્યો અત્યારે તેમના જ દેશમાં, વિનાશ અને મોતથી ઘેરાયેલા એક રાજ્યમાં કોઈના પૈસે અને કોઈના ભોગે ફાઇવસ્ટાર હૉટેલમાં મહાલી રહ્યા છે. આ ધનરાશિ આસામના આપત્તિગ્રસ્ત લોકો માટે વાપરી શકાયો હોત. આસામમાં ચાલી રહેલાં ઉજાણી તેમ જ ઘોડબજાર આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ એના માટેનું એક રૂપક અને પ્રતીક છે. તેમાંથી અદના નાગરિક અને તે જેમને મત આપે છે રાજકારણીઓના વર્ગ વચ્ચે જે રેખાઓ ખેંચાઈ ચૂકી છે તે નજરે પડે છે. અત્યારના બળવાખોર ધારાસભ્યો ખરેખર તો તેમને મત આપનારા લોકો સાથે દગો  કરી  રહ્યા છે.

24 જૂન 2022ના ‘ધ ન્ડિયન એક્સપ્રેસ’માં મૃણાલ પાંડેએ લખેલા લેખમાંથી સારવીને

https://indianexpress.com/…/maharashtra-political…/

26 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ડિજિટલ ભારતનાં પ્રશ્નોઃ ઇ-કૉમર્સમાં ઇજારાશાહી, ઇન્ટરનેટની પહોંચ અને ધારાધોરણોમાં સંદિગ્ધતા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 June 2022

આપણને એમ લાગે કે આખો દેશ ડિજિટલી સધ્ધર છે પણ આંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ માધ્યમનો મનોરંજન સિવાયનો ઉપયોગ કરનારા લોકો આપણે ધારીએ છે તેની સરખામણીએ ઓછા છે

તાજેતરમાં બ્રિક્સ બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં વડા પ્રધાને દાવો કર્યો કે 2015 સુધીમાં ભારતની ડિજિટલ ઇકોનોમી 1 ટ્રિલયન ડૉલરે પહોંચી હશે. રોગચાળા પછી દેશમાં આવેલા બદલાવને કારણે આ શક્ય બનશે તેવું તેમનું કહેવું છે. ડિજિટલ ભારતનો વિચાર સતત ચર્ચામાં રહ્યો છે, જનતા અને સરકાર બન્ને જ આ વિચાર અંગે આશાસ્પદ છે. દુનિયા આખી રોજેરોજ ઇન્ટરનેટ દ્વારા વધુને વધુ મજબૂત બની રહી છે. ડિજિટાઇઝેશનથી થનારા લાભ વિશે બધા જ જાણે છે. હવે તો ડિજિટલ વૉલેટથી આર્થિક લેણ દેણ કરવું બહુ જ સામાન્ય બની ગયું છે. વિશ્વની દૃષ્ટિએ વાત કરીએ તો યુરોપના ડિજિટલ લીડર તરીકે એસ્ટોનિયાનું નામ મોખરે છે. અહીં હાઇ-ટૅક માળખું તો છે જ પણ ડિજિટલ ક્ષેત્રે આવનારા નવા આર્થિક ખેલાડીઓ વચ્ચે નિયંત્રણ અને યોગ્ય ધારા-ધોરણ સાથેની સ્પર્ધા પણ અર્થતંત્રને મદદરૂપ થાય તે રીતે થાય છે. યુરોપના જ અમુક દેશોમાં સ્પર્ધાથી બચવા માટે થઇને માર્કેટમાં સંપૂર્ણ ડિજિટાઇઝેશન નથી કર્યું. ભારતને ડિજિટલ ઇકોનોમી તરીકે જો સફળતાપૂર્વક વિકસવું હોય તો બહુ વિચારીને નીતિઓ ઘડવી પડશે.

આપણે ત્યાં પણ ડિજિટલ માર્કેટમાં ખડી થયેલી સ્પર્ધાઓ ચિંતાનો વિષય છે. ઇ-કોમર્સ માર્કેટ પ્લેસમાં સ્પર્ધા વિરોધી માહોલ હોવાની વાત ભારતમાં પ્રમોશન અને રેગ્યુલેશન ઑફ ઇ-કૉમર્સ અંગેના રિપોર્ટમાં નોંધવામાં આવી છે. અર્થશાસ્ત્રીઓને ઇ-માર્કેટ્સને મામલે ઇજારાશાહીનો ભય હંમેશાંથી રહ્યો છે કારણ કે ઇજારાશાહી હોય એટલે મહત્તમ પરિણામ ન મળે, ઇજારાશાહીને કારણે ભાવમાં વધારો થાય અને નવા માર્કેટ્સ પણ શરૂઆત કરતા ખચકાય. એક રીતે આ તમામ સંજોગોને કારણે ગ્રાહકોને ખોટ જ જતી હોય છે. ડિજિટલ સ્પેસમાં ભાવને લઇને તો ચિંતા છે જ કારણ કે વેચાણકારો આ પ્લેટફોર્મ્સ પર પોતાની પ્રોડક્ટનો ભાવ ફિક્સ નથી કરી શકતા, સ્પર્ધક ઉત્પાદક સાથે સંતુલન કરવાની તેમની મથામણ સતત ચાલતી રહે. આટલું ઓછું હોય તેમ ડિજિટલ ઇકોનોમીની બિજી ચિંતા છે પ્રાઇવસી – ઉપયોગકર્તાના ડેટાનો કોઇ પણ ઉપયોગ થઇ શકે છે અને તેની પર કોઇ પણ પ્રકારનું નિયંત્રણ શક્ય નથી. ઓનલાઇન પ્લેટફોર્મ્સ ડિજિટલ માર્કેટને લઇને સતર્કતા કેળવી રહ્યા છે. ભારતીય ડિજિટલ માર્કેટમાં ઇજારાશાહની વાત કરવી સહેલી નથી કારણ કે કોઇ ચોક્કસ પ્લેયર્સ પર નિર્દેશ કરી શકાય તેમ પણ નથી. પણ જાણીતા ઇ-માર્કેટ્સની સંખ્યા આંગળીને વેઢે ગણાય એટલી જ છે. ઘણી કંપનીઓ પોતાના ઉત્પાદનો અને સેવાઓ ગ્રાહકોને નિઃશુલ્ક પણ આપે છે અને ડિસ્કાઉન્ટને મામલે ડિજિટલ માર્કેટને કોઇ પહોંચી શકે તેમ નથી. ગ્રાહકને ચોક્કસ એમ સવાલ થાય કે ડિસ્કાઉન્ટ મળતું હોય તો વાંધો જ શું છે? પણ ટૂંકા ગાળાના લાભમાં વ્યાપારને લાંબા ગાળાનું નુકસાન થતું હોય છે. મોટા ડિસ્કાઉન્ટમાં વેચનારા ઉત્પાદકની સામે તેના સ્પર્ધકને પોતાની બનાવટો માટે બજારમાં જગ્યા કરવાનું મુશ્કેલ થઇ જાય, કાં તો તેણે ખોટ ખાઇને પોતાનો માલ વેચવો પડે. ડિજિટલ ખરીદી કરનારાઓ સતત જે મળતું હોય તેનો સસ્તો વિકલ્પ શોધવાની પેરવીમાં જ હોય છે અને તેમને ગુણવત્તામાં થોડી ઘણી બાંધછોડ કરીને એ મળી પણ જતો હોય છે. કિંમતોના ભેદભાવને કારણે ડિજિટલ માર્કેટમાં અસંતુલન આવે તે સાહજિક છે.

ઇ-માર્કેટ્સ આપણે ત્યાં પૉપ્યુલર થયા કારણ કે ભાવમાં ફેર પડે, ઘરને બારણે ચીજ વસ્તુની ડિલીવરી થાય અને માથાકૂટ વિના વસ્તુ પાછી આપી પણ શકાય, બદલી પણ શકાય અને રિફંડ પણ મેળવી શકાય. એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વીગિ, ઝોમેટો, મેક માય ટ્રીપ આ બધા એવા ઇ-માર્કેટ્સ છે જે હવે આપણી જિંદગીનો એક સાહજિક હિસ્સો છે. જે લોકો આ માર્કેટ્સ સર્જે છે, આ ઇ-માર્કેટ્સમાં જે પણ પોતાનાં ઉત્પાદનો વેચે છે તેમને સતત ગેરવાજબી વ્યાપાર નીતિઓનો સામનો કરવો પડે છે. વળી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા જાયન્ટ્સની સામે નાના વેચાણકર્તાઓની કોઇ વિસાત ન હોય તે સ્વભાવિક છે. આપણા દેશમાં ઇ-કોમર્સનું નિયમન કઇ રીતે કરવું તે અંગે હજી ઘણી સંદિગ્ધતા છે કારણ કે હજી તો ઇ-માર્કેટ્સનો શરૂઆતી તબક્કો ચાલે છે. વળી કોમ્પિટિશન એક્ટ ૨૦૦૨ અને સમગ્ર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પૉલિસી, ડ્રાફ્ટ ઇ કોમ્ર્સ પૉલિસી ૨૦૨૧ અને ઇન્ફર્મેશન ટૅક્નોલૉજી રૂલ્સ, ઇ-કોમર્સ માટેના કન્ઝ્યૂમર પ્રોટેક્શન રૂલ્સ  ૨૦૨૦ વગેરે ઇ-માર્કેટ્સને નિતંત્રિત કરવા માટે છે ખરાં પણ વિક્રેતાઓની મુશ્કેલીઓ ઉકેલવાને મામલે આ તમામ હજી સુધી બહુ કામ લાગ્યા નથી. વિક્રેતાને લાગે કે તેની સાથે અયોગ્ય થઇ રહ્યું છે ત્યારે ક્યાં જઇને પોતાની લડતનો મુદ્દો મૂકવો તે અંગે તેમની પાસે કોઇ સ્પષ્ટતા નથી. ઇ-કૉમર્સને લગતા પ્રશ્નો ખડા થાય ત્યારે માત્રને માત્ર ઇ-માર્કેટ્સનું નિયંત્રણ કરનારું કોઇ એક માળખું હોય તેવી નથી. તેને લગતા ધારાધરણો પર હજી કોઇ એક જ તંત્ર કામ કરતું હોય તેવું પણ નથી એટલે આ સમસ્યાઓનો નિવેડો આવવાને બદલે તે વધુ ગુંચવાય છે.

વિક્રેતાઓની સમસ્યા તો ખડી છે જ પણ તેની સામે ઇન્ટરનેટ સ્પીડ પણ બહુ મોટો પ્રશ્ન છે. 5G આવી જવાથી બઘું રાતોરાત બદલાઇ નથી જવાનું. આજે ભલે આપણને એમ લાગે કે આખો દેશ ડિજિટલી સધ્ધર છે પણ આંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ માધ્યમનો મનોરંજન સિવાયનો ઉપયોગ કરનારા લોકો આપણે ધારીએ છે તેની સરખામણીએ ઓછા છે. એમેઝોન કે ફ્લિપકાર્ટ કે પછી સ્વીગી કે ઝોમેટોની પહોંચ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે બિહારના કોઇ સાવ નાનકડા ગામડામાં હશે જ એવું માની લેવાની ભૂલ ન કરવી. વળી જો એ પહોંચ ત્યાં હોય તો ત્યાં રહેનારાઓને ઘરની બાજુની દુકાનેથી વસ્તુ લઇ લેવાનું વધારે માફક આવશે કારણ કે ત્યાં ડિજિટલ સાક્ષરતાનું સ્તર મનોરંજન મેળવવા સુધીનું જ છે.

બાય ધી વેઃ

ડિજિટલ ભારત બનવું હશે તો જોઇશે એક અલાયદું તંત્ર જે દરેક નાગરિક માટે ઉપયોગી હોય, વહીવટ અને સવલતો જે નાનામાં નાના ગ્રાહક કે વિક્રેતા માટે હાજર હોય, નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ, બ્રોડબેન્ડ હાઇવેઝ, પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ પ્રોગ્રામ જે દરેક ગામમાં સફળતાપૂર્વક ચાલતો હોય, મોબાઇલ કનેક્ટિવિટી, આઇ.ટી.માં રોજગાર માટે વધુ લોકોને તૈયાર કરવા જેવા ઘણાં પાસાં પર કામ થાય તે જરૂરી છે. સાયબર સિક્યોરિટીનો પ્રશ્ન કેટલા ગિગા બાઇટ્સનો છે તે ગણવું રહ્યું. બીજી ખાસ વાત, શહેરોમાં જે લોકો સતત ડિજિટલી આર્થિક વહેવારો કરે છે તેમને ક્યાંક એ વાતનો અહેસાસ છે કે પાકીટ ખોલીને જ્યારે પૈસા નથી અપાતા, ફોન પર એક ક્લિક માત્રથી જ અપાય છે ત્યારે ધાર્યા કરતાં વધારે પૈસા ખર્ચાય છે અને માટે જ આજે પણ એવાં ઘણાં લોકો છે જે અનિવાર્ય ન હોય ત્યાં સુધી ડિજિટલ લેવડદેવડ કરવાનું ટાળે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  26 જૂન 2022

Loading

...102030...1,4771,4781,4791,480...1,4901,5001,510...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved