Opinion Magazine
Number of visits: 9672653
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

बहुत गुस्से में है अदालत !

कुमार प्रशांत|Opinion - Opinion|9 July 2022

सर्वोच्च न्यायालय बहुत गुस्से में है. नुपूर शर्मा का नाम सुनते ही जस्टिस सूर्यकांत-पारडीवाला बेंच जिस तरह भड़का, उसका सामना तो हिंदुत्व वाली कोई नूपुर शर्मा ही कर सकती थीं. लेकिन इस गुस्से का एक परिणाम यह भी आया कि गूंगे बोलने लगे ! 15 अवकाशप्राप्त जजों, 77 सेवानिवृत नौकरशाहों तथा 25 पेंशनभोगी फौजियों ने चीफ जस्टिस के नाम एक खुला पत्र लिखा कि नूपुर शर्मा मामले में जज ने फैसले के बाहर जो टिप्पणी की, वह हमारे संविधान की आत्मा तथा भावना की बलि चढ़ाने जैसा है. मैं हैरान हूं. न्यायपालिका से लेकर सारी संवैधानिक परंपराओं व संस्थानों को वीर्यहीन करने के प्रतिवाद में जिनका मुंह नहीं खुला, वे अब मिमियाने लगे हैं. कायरता की बहादुरी ऐसी ही होती है. इसलिए ऐसी कायर बहादुरों की बात नहीं करता हूं. लेकिन मैं अदालत को बुजुर्गों की वह सीख याद दिलाना चाहता हूं कि गुस्सा गलती करने का दूसरा नाम है. व्यक्ति पर गुस्सा छूंछा होता है, परिस्थिति पर गुस्सा परिणामकारी होता है. अदालत को यह फर्क करना भी चाहिए और करता हुआ दिखाई भी देना चाहिए. 

यह सब मन में घुमड़ रहा ही था कि हमारे चीफ जस्टिस रमना साहब का अमरीका में दिया व्याख्यान पढ़ा कि भारत में हमारी परेशानी यह है कि हमारे सभी पक्ष चाहते हैं कि अदालत उनका पक्ष ले लेकिन मैं साफ कह देना चाहता हूं कि हमारा एक ही पक्ष है और वह है संविधान. हम उसी के पक्ष में खड़े रहते हैं. मुझे लगता है कि हमें अदालत के पक्ष के बारे में कुछ बात कर ही लेनी चाहिए.

नूपुर शर्मा का पूरा मामला भारतीय राजनीति के उस क्षद्म को उजागर करता है जिसकी खिचड़ी  काफी समय से पकाई जा रही थी लेकिन जो तैयार अब हुई है. क्या है वह क्षद्म ? मुहावरे में कहूं तो दूसरों के कंधे पर रख कर बंदूक चलाना. संघ-परिवार का शीर्ष नेतृत्व, सरकार हो कि संगठन या कोई दूसरा साइनबोर्ड टांगे हो, येनकेणप्रकारेण काम एक ही करना चाहता है: उन सबकी ज़ुबान बंद करो  जो आपसे असहमत हैं. शीर्ष यह काम बहुत बारीकी से करता है, भोंडे तरीके से दूसरों से करवाता है ताकि अपनी कमीज उजली रहे, समाज का मुंह काला हो.

जब प्रधानमंत्री सार्वजनिक मंच से कपड़ों से आदमी पहचानने की बात कहते हैं, श्मशान-कब्रिस्तान की तुकबंदी खड़ी करते हैं, ममता बनर्जी को घटिया शैली में आवाज देते हैं, तथ्यहीन बातों को दहाड़ कर सच बनाते हैं, जब उनकी पार्टी के अध्यक्ष कहते हैं कि हम देश जोड़ रहे हैं, विपक्ष देश का विनाश कर रहा है तब दरअसल वे सब अपनी पैदल सेना को इशारा कर रहे होते हैं कि किसी भी हद तक जा कर दूसरी आवाजों को कुचल दो ! कोई अनुराग ठाकुर या कपिल मिश्रा या प्रवेश वर्मा या आदित्यनाथ या हेमंत विश्वा शर्मा या इसी स्तर का कोई भी राजनीतिक प्यादा इशारा पकड़ लेता है और शीर्ष का काम पूरा हो जाता है. दूसरी तरफ हैं भूपिंदर तोमर, पिंकी चौधरी, बजरंग दास, नरसिंहानंद, वसीम रिजवी जैसे लोग हैं जो समाज में पहले भी थे, हैं भी और रहेंगे भी. ये उस वर्ग के लोग हैं  जिनका सांस्कृतिक विकास रुद्ध हो गया है जिसका परिणाम इनके दिमागी संतुलन पर पड़ता है. इन्हें स्वस्थ, संतुलित सामाजिक अस्पताल में रखने की जरूरत है. जब सारा समाज असंतुलित बना दिया जाता है, तब ऐसे तत्वों की जुबान खुलती है और आग उगलती है. जैसे पागलों को आप सड़क पर खुला नहीं छोड़ते हैं वैसे ही ऐसे तत्वों को भी सामाजिक विमर्श के मंच पर जगह नहीं मिलनी चाहिए.

नुपूर शर्मा ने जो कहा वह मुहम्मद साहब को बुरे इरादे से, बुरा कहने जैसी बात नहीं थी, मुसलमानों को उनकी औकात बताने की सरकारी नीति का हिस्सा थी. सारे चैनल, सारे अखबार इसी सरकारी नीति को आगे बढ़ाने में लगे हैं. मालिकों ने यही काम उन्हें दे रखा है. ‘जिसका खाते हैं उसका गाते हैं’ जैसी दासवृत्ति है. हम गलती से इन्हें पत्रकार माने बैठे हैं. इनकी अपनी कोई प्रतिबद्धता नहीं है. कुर्सी व थैली के इशारे पर हर असहमति को, हर तरह से अपमानित करना इनका पेशा है. अदालत नुपूर शर्मा को डांट सकती है, तो इन्हें क्यों नहीं ? सूर्यकांत-पारडीवाला बेंच ने ठीक ही मीडिया का कॉलर पकड़ा था और पूछा था कि मुकदमा तो चैनलों व एंकरों पर चलना चाहिए. लेकिन श्रीमान, आपने यह सवाल पूछा किससे ? देश तो आपसे पूछता है कि सत्ता या उसके प्यादे घृणा फैलाने का जो काम कर रहे हैं, क्या यह अदालत को दिखाई नहीं दे रहा है ?

दिखाई दिया था दिल्ली हाईकोर्ट के जज जस्टिस एस. मुरलीधरन को. नागरिकता आंदोलन के वक्त जब इसी तरह घृणा को राजनीतिक हथियार बनाने का इशारा दिया गया था तब उन्होंने अदालत की संवैधानिक भूमिका को उजागर ही नहीं किया था, पुलिस को कठघरे में भी खड़ा किया था. लेकिन इसके अगले ही दिन उनकी अदालत बदल दी गई. क्या जज बदल जाने से अदालत की संवैधानिक निष्ठा भी बदल जाती है ? रमना साहब, यदि हमारा संविधान ही न्यायपालिका की एकमात्र गीता है तो उसके इतने अलग-अलग पाठ कैसे पढ़े व पढ़ाए जाते  हैं ? एक लिखित निर्देशिका आपके पास भी है, हमारे पास भी है. आप उसके हिसाब से चलते हैं, हम उसके हिसाब से देखते हैं. हम देख रहे हैं कि आप उसके हिसाब से नहीं चल रहे हैं. हम गलत भी हो सकते हैं तो हमें विश्वास में लेना अदालत का संवैधानिक दायित्व है.

क्या अदालत वह सब देख ही नहीं पा रही है जो सारा देश देख रहा है : संवैधानिक संस्थाओं  को निकम्मा बनाना, कानूनों पर बुलडोजर चलाना, संसद को जी-हुजूरों की भीड़ में बदलना, मीडिया को खरीद कर कायर बना देना, स्वतंत्र अभिव्यक्ति की हर संभावना को कुचलना ? हमारे जांबाज कमांडर सारकारी नीतियों का बचाव करने टीवी पर दिहाड़ी मजदूरों की तरह लाए जा रहे हैं. अब कौन अग्निवीर युवा मानेगा कि फौजी ‘बहादुर’ होते हैं ? सेना व सेना के अधिकारियों का ऐसा खतरनाक राजनीतिक इस्तेमाल क्या संविधान पर ही ग्रहण नहीं लगा सकता है ? फौजी जनरल कहेंगे कि अग्निवीर योजना फौज ने बनाई है? कहेंगे तो यह पूछना लाजिमी होगा कि नीतियां बनाने का काम संविधान की किस धारा के अंतर्गत फौज के हवाले किया गया ?

रमना साहब ने कहा कि संविधान को छोड़ कर अदालत का कोई पक्ष नहीं है. ऐसे बयान पर अमरीका में भी तथा भारत में भी तालियां बजेंगी लेकिन तालियों की गड़गड़ाहट में यह बात दबा तो नहीं दी जानी चाहिए कि संविधान की भी अपनी स्पष्ट पक्षधरता है. वह न्याय-अन्याय के बीच, सच-झूठ के बीच, संवैधानिकता-असंवैधानिकता के बीच तटस्थ नहीं है. संविधान के शब्द और उसकी आत्मा साफ-साफ कहती है कि वह भारत के उन्हीं लोगों का पक्ष लेती है जिन्होंने उसे बनाया है – “ हम भारत के लोग, अपने लिए यह संविधान बना कर, इसे अपने ऊपर लागू करते हैं…”  रमना साहब क्या हमें बताएंगे कि हमारी अदालत – सर्वोच्च अदालत- कब भारत के  लोगों के साथ खड़ी रही है ?  मैं उन्हें और अपनी संपूर्ण न्याय-व्यवस्था को आपातकाल के शर्मनाक दौर की याद नहीं दिला रहा हूं लेकिन यह जरूर पूछ रहा हूं कि हमारा एक चीफ जस्टिस अपनी बनाई बेंच के साथ बैठ कर बाबरी मस्जिद के बारे में एक ऐसा फैसला सुनाता है जिसका न तो कोई ऐतिहासिक संदर्भ है, न जिसकी कोई लोकतांत्रिक परंपरा है. फिर हम देखते हैं कि जिस चीफ जस्टिस ने वह फैसला सुनाया, अगले दिन वही सरकार की अनुकंपा से राज्यसभा का सदस्य बन गया. यह होता है तो हम समझ पाते हैं कि किसका कौन-सा पक्ष है. क्या उनका यह आचरण संविधान की आत्मा के अनुकूल था ?  था तो कहें, नहीं था तो कहें, तब पक्षधरता हमारी समझ में आएगी.

जाकिया जाफरी के मामले में सुप्रीम कोर्ट के उनकी याचिका अंतिम तौर पर खारिज कर दी. हम उसे समझ सकते हैं. अदालतें जैसे साक्ष्यों की, जैसी मांग करती हैं शायद वैसे साक्ष्य व दस्तावेज जाफरी पेश नहीं कर पाई होंगी. लेकिन क्या न्यायपालिका यह नहीं समझती है कि कई बार – या अक्सर ? – सच उसके सामने पेश गवाहों-प्रमाणों-दस्तावेजों से अलग खड़ा पाया जाता है ? जाकिया जाफरी के मामले में क्या अदालत को यह याद नहीं आया कि वह एक ऐसे मामले के बारे में फैसला सुना रही है जिसने गुजरात में संविधान, प्रशासन की सामान्य प्रक्रिया तथा सभ्य समाज की तमाम पहचानों की धज्जियां उड़ा दी थीं ? क्या वह भूल गई कि यह वह मामला है जिसके बारे में सर्वोच्च न्यायालय को निर्देश देना पड़ा था कि गुजरात के मामलों की सुनवाई गुजरात के बाहर की जाए? यह वह मामला है जिसने भारतीय लोकतांत्रिक व्यवस्था की जड़ें हिला दी थीं और तत्कालीन प्रधानमंत्री को सार्वजनिक तौर पर कहना पड़ा था कि ‘यहां का राजा’ राजधर्म के पालन में विफल हुआ है ? जब ऐसे मामलों में आप फैसला सुनाते हैं तब आपकी ही नहीं, आपके साथ-साथ हमारे न्याय-संस्थान के धर्म की कसौटी भी होती है. जाने कब कोई अटलबिहारी वाजपेयी आएगा यह कहने कि मी लार्ड, आप न्याय-धर्म का पालन करने में विफल हुए हैं ! 

जाकिया जाफरी की याचिका खारिज करने का पूरा अधिकार हमने – संविधान ने – आपको दिया है लेकिन उसके बाहर जा कर, उस बेंच ने जैसी टिप्पणियां कीं, उनका औचित्य क्या है ? आप उन्हें झूठी, षड्यंत्रकारी, मामले को जिंदा बनाए रखने का चाल खेलने वाली बताएं और उनकी मदद करने वाले हर इंसान को कठघरे में खड़ा करें ? फिर सरकारी इशारे पर कुछ भी कर गुजरने से गुरेज न रखने वाली पुलिस तिस्ता सेतलवाड तथा आर. बी. श्रीकुमार को गिरफ्तार कर ले? रमना साहब, क्या आपकी न्यायपालिका पूरे सरकारी-तंत्र के सामने खड़े एक अकेले नागरिक की स्थिति भी नहीं समझती है ? आप याचिका खारिज कर सकते हैं, नागरिक की हैसियत खारिज करने का अधिकार आपको संविधान की किस धारा से मिला है ? यही वह गुस्सा है जिसका जिक्र मैंने शुरू में किया. यही वह गुस्सा है जिसका प्रतिवाद वजाहत हबीबुल्लाह, सुनील मिश्रा, जी.के.पिल्लई,सुजाता सिंह जैसे प्रशासकीय व पुलिस के वरिष्ठ व विशिष्ठ अधिकारियों ने भी किया है. इनसे हमारे मतभेद हो सकते हैं लेकिन न्याय की इनकी समझ व राष्ट्रप्रेम पर कोई अंगुली नहीं उठा सकता है. क्या इनकी गिरफ्तारी भी इसलिए की जाए कि जाकिया जाफरी की न्याय की तलाश का ये समर्थन करते हैं ? नहीं, न्यायपालिका के स्वास्थ्य व न्याय के भविष्य के लिए यह गुस्सा बहुत महंगा पड़ सकता है. संविधान गुस्से की नहीं, गरिमा की मांग करता है. आज हमारा न्यायतंत्र गहरे दवाब में है क्योंकि दूसरी संवैधानिक व्यवस्थाएं घुटने टेक रही हैं. इसलिए हम अदालतों से सीधा खड़े रहने की अपेक्षा भी करते हैं व आग्रह भी. हम भारत के आम नागरिक संविधान के निर्माता भी हैं तथा सारी संवैधानिक व्यवस्थाओं के सर्जक व संरक्षक भी.

(08.07.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

ચલ મન મુંબઈ નગરી—153

દીપક મહેતા|Opinion - Opinion|9 July 2022

સી. પી. ટેન્ક નામમાંના ‘સી.પી.’ તે કોણ?

પિરોજાબાઈ અને રુસ્તમજી પરણ્યા કઈ રીતે?

દરિયા પાસે આવેલો ભીખા બહેરામનો કૂવો

એનું સત્તાવાર નામ ભલે ગમે તે હોય, લોકો તો આજે પણ એ વિસ્તારને સી.પી. ટેન્ક તરીકે જ ઓળખે છે. ત્યાં ટેન્ક કહેતાં તળાવનું નામનિશાન રહ્યું નથી, છતાં. પણ એ વિસ્તારના રહેવાસીઓમાંથી પણ બહુ ઓછાને ખબર હશે કે ‘સી.પી.’ એટલે કોણ? ’સી’ કાવસજી અને ‘પી’ એટલે પટેલ. આખું નામ કાવસજી પટેલ ટેન્ક. જો કે આજે હવે ત્યાં ટેન્ક કહેતાં તળાવનું નામોનિશાન ત્યાં રહ્યું નથી. આ કાવસજીનું ખાનદાન તે મુંબઈમાં વસવાટ કરનારું પહેલવહેલું પારસી ખાનદાન. સુરતના મોગલાઈ રાજ્યના તાબા હેઠલનું એક નાનકડું ગામ. નામ સુમારી. પારસીઓની ઠીક ઠીક વસતી. તેમાંના એક દોરાબજી નાનાભાઈ. એવણે માદરે વતન શા સબબે છોડવાનું નક્કી કરેલું એ અંગે તો કશું જાણવા મળતું નથી. પણ પોતાના કુટુંબકબીલાને લઈને ઈ.સ. ૧૬૪૦માં મુંબઈ આવી વસ્યા. ત્યારે અંગ્રેજોએ તો મુંબઈની ધરતી પર પગ પણ મૂક્યો નહોતો. રાજ હતું પોર્ટુગીઝ સરકારનું. એ વખતે મુંબઈ સાત ટાપુનું શહેર પણ બન્યું નહોતું. સાતે સાત ટાપુ એકબીજાથી અલગ હતા. મુંબઈ એટલે એક જ ટાપુ. અને પોર્ટુગીઝ સરકારને મુંબઈના અને તેના લોકોના વિકાસમાં મુદ્દલ રસ નહિ. એમને રસ હતો જાતજાતના વેરા નાખીને પોતાની તિજોરી ભરવામાં. અને સરકારી નોકરોને સરકારની તિજોરી ભરવા કરતાં પોતાના ઘરની તિજોરી ભરવામાં વધુ રસ. એટલે અહીંના લોકોની ભાષા, તેમના રીતરિવાજ, ગમાઅણગમા વિષે ભાગ્યે જ કશું જાણતા. દોરાબજી ગુજરાતી ઉપરાંત થોડુંઘણું મરાઠી અને પોર્ટુગીઝ પણ જાણતા. પોર્ટુગીઝ કઈ રીતે શીખ્યા હશે તે તો ખોદાયજી જાણે. એટલે પોર્ટુગીઝ સરકારને આ માણસ કામનો જણાયો. એટલે રાખી લીધા દોરાબજીને સરકારી નોકરીમાં. પછી કાળચક્ર ફર્યું. પોર્ટુગીઝ શાસન ગયું અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ આવ્યું. પોર્ટુગીઝ અમલદારો દોરાબજીના કામથી એટલા તો ખુશ, કે મુંબઈ છોડતી વખતે તેમણે દોરાબજીને નોકરીમાં રાખી લેવા અંગ્રેજ અમલદારોને સિફારિશ કરી. અને એટલે દોરાબજી બન્યા અંગ્રેજ સરકારના ચાકર.

એ વખતે તો અંગ્રેજ સરકારને પણ ફક્ત કરવેરા ઉઘરાવવામાં રસ. પણ એ વખતના મુંબઈમાં નહોતા કોઈ ધંધાધાપા, નહોતા કોઈ વેપારવણજ. હતા તો ફક્ત મચ્છીમારી કરતા કોળીઓ. આવામાં સરકારની આવક તો કેમની વધે? પણ કોળીઓ તો છે ને! નાખો એમના પર ટેક્સ! ૧૬૬૮માં અંગ્રેજ સરકારે બધા માછીમારો પર નાખ્યો ‘બોડી ટેક્સ.’ એ વખતે તો રૂપિયા-આના-પાઈનું ચલણ પણ નહોતું. પણ આજની ગણતરીએ દરેક માછીમારે દર વરસે છ રૂપિયા તેત્રીસ પૈસાનો ટેક્સ ભરવાનો. અને આ ટેક્સ ઉઘરાવવાનું કામ સરકારે સોંપ્યું દોરાબજીને. બસ, એવણ વિષે આટલી જ બાબત જાણવા મળે છે. તેઓ ક્યારે ગુજરિયા તે બી જાણવા મળતું નથી.

દોરાબજીને બે બેટા. મોટા માકુજી તો ઈ.સ. ૧૭૪૦માં વગર વારસે આ ફાની દુનિયામાંથી કૂચકદમ કરી ગિયા. પણ નાલ્લા બેટા રુસ્તમજીએ બાપનું નામ રોશન કર્યું. ઈ.સ. ૧૬૬૭માં જન્મ. દોરાબજીની કામગીરીથી ખુશ થયેલી અંગ્રેજ સરકારે તેમના બેટા રૂસ્તમજીને પણ નોકરીમાં રાખી લીધા. કામ તો એ જ – કોળીઓ પાસેથી ટેક્સની વસૂલી કરવાનું. પણ ચાણક બુદ્ધિના રૂસ્તમજીએ જોયું કે મુંબઈના ટાપુનું બહારના આક્રમણથી રક્ષણ કરવા માટે અંગ્રેજ સરકારે ઝાઝી સગવડ ઊભી જ નહોતી કરી. રુસ્તમજીને ખબર કે કોળીઓ હોય ગરમ દિમાગના. વખત આવ્યે લડી જાણે. એટલે તેમણે કોળીઓને તેમના ફાજલ વખતમાં ‘લશ્કરી તાલીમ’ આપવાનું શરૂ કર્યું. હા, અંગ્રેજ સૈનિકોની બનેલી નાનકડી ફોજ હતી ખરી, મુંબઈનું રક્ષણ કરવા માટે. પણ બન્યું એવું કે થોડા વખત પછી મુંબઈમાં મરકીનો રોગ ફેલાયો જેમાં મોટા ભાગના અંગ્રેજ સૈનિકો મરી ગયા. આ તકનો લાભ લઈને ઈ.સ. ૧૬૯૨માં જંજીરાના સીદીઓએ મુંબઈ પર ચડાઈ કરી. એ વખતે ગવર્નર તો સુરતમાં રહેતો. બીજો કોઈ મોટો અંગ્રેજ ઉપરી પણ હાજર નહિ. એટલે રૂસ્તમજીએ આગેવાની લઈને કોળી સેનાની મદદથી સીદીઓને હરાવીને તગેડી મૂક્યા. અને પછી તરત આ ખબર કાસદ દ્વારા મોકલ્યા સુરતની અંગ્રેજ સરકારની કોઠીએ. તેમની મુખ્ય માંગણી હતી મુંબઈનો કારભાર સંભાળવા માટે કોઈ અંગ્રેજ અમલદારની નિમણૂક કરવાની.

સુરતથી હાકેમ આવ્યો પણ ખરો. રુસ્તમજીની બહાદુરીની તારીફ કીધી. એક અંગ્રેજ અમલદારની નિમણૂક કરી. અને રૂસ્તમજીની બહાદૂરી અને વફાદારીની કદર રૂપે તેમની નિમણૂંક મુંબઈના ‘પટેલ’ તરીકે કરી, અને એ પણ વંશપરંપરાગત! અને ત્યારથી રૂસ્તમજી અને તેના વંશવારસો ‘પટેલ’ તરીકે ઓળખાવા લાગ્યા. એટલું જ નહિ, માછીમારો પાસેથી રૂસ્તમજી જે ‘બોડી ટેક્સ’ ઉઘરાવે તેનો અમુક ભાગ તેમને મળે એવી જોગવાઈ પણ કરી. અને હા, કોળીઓમાં અંદરોઅંદર જે કાંઈ નાના-મોટા ટંટાફિસાદ થાય તેનો ઇન્સાફ કરવાનું કામ પણ એવણને જ સોંપ્યું. હવે, તે વખતે મુંબઈ આવવાજવા માટે જમીન રસ્તા તો હતા જ નહિ. બધી આવનજાવન દરિયાઈ માર્ગે નાનાંમોટાં વહાણો દ્વારા. એટલે કંપની સરકાર કાયમ માટે જરૂર પ્રમાણે વહાણો ભાડે રાખે. આ રીતે વહાણો ભાડે રાખવાનું કામ પણ રૂસ્તમજીને સોંપાયું. અને તે પણ વંશપરંપરાગત ધોરણે! આ વહાણોને જે જરૂરી માલસામાન જોઈએ તે પૂરો પાડવાનો ‘કન્ટરાક’ પણ રુસ્તમજી પાસે! વળી બીજી બી એક તજવીજ કીધી. મુંબઈના બારામાં માછીમારોની જે બી હોડી કે વહાણ નાંગરે તેની પાસેથી વહાણ દીઠ એક માછલી ઉઘરાવવાનો હક્ક રુસ્તમજીને આપ્યો! અને આ બધા ઉપરાંત દર મહિને આજના ૬૯ રૂપિયા જેટલો માતબર પગાર પણ બાંધી આપ્યો!

મચ્છીમારી પછી મુંબઈના રહેવાસીઓનો બીજો મુખ્ય ધંધો હતો ખેતીનો! હવે તો ખેતવાડી, ફણસ વાડી, કાંદા વાડી, ફોફળ વાડી, તાડ વાડી, મુગભાટ લેન જેવાં લોકજીભે ટકી રહેલાં નામોમાં જ એ ખેતરો જોવા મળે. એ વખતે મુખ્ય પાક ડાંગરનો. અને ખેતરમાંના પાકની લણણી કરતાં પહેલાં ખેડૂતો સરકારી વેરો ભરી, રૂસ્તમજી પાસેથી લિખિત પરવાનો લઈ, પછી જ લણણી કરી શકતા.

રૂસ્તમજી પટેલ એક પછી એક ત્રણ વાર અદરાયા. તેમાં ત્રીજી વખત અદરાયા તેની હકીકત તો બડી ગમ્મત ભરેલી છે. એવણનું નામ પિરોજાબાઈ. જનમ ઈરાનમાં. એ વખતે દેખાવડી છોકરીઓને ઉપાડી જતા એટલે તેમનાથી બચાવવા મા-બાપે એક જર્મન મુસાફરને સોંપી અને કહ્યું કે આ છોકરીને હિન્દુસ્તાન લઈ જજો અને બને તો કોઈ સારા જરથોસ્તી વેરે અદરાવજો. પિરોજાબાઈ હિન્દુસ્તાન આવ્યાં ત્યારે એમની ઉંમર ૧૩-૧૪ વરસની. મુંબઈ આવીને પેલા મુસાફરે ભીખા બહેરામને એ છોકરી સોંપીને કહ્યું કે કોઈ સારો પારસી છોકરો જોઈ એની વેરે આ છોકરીને પરણાવજો.

આ ભીખા બહેરામ તે આજના ચર્ચ ગેટ સ્ટેશનથી થોડે દૂર આવેલો પ્રખ્યાત કૂવો બંધાવનાર શેઠ. તેમની અટક તો હતી ‘પાંડે’ પણ વધુ જાણીતા ભીખા બહેરામ તરીકે. એવણનો જનમ ક્યારે થયેલો તે તો જાણવા મળતું નથી. પણ બેહસ્તનશીન થયા તે ઈ.સ. ૧૭૮૩ના ઓગસ્ટની ૨૩મી તારીખે. છેક ૧૭૨૫માં તેમણે ‘અંગ્રેજ બજાર’(આજનું હોર્નિમેન સર્કલ)માં દુકાન ખોલી હતી. તેમાં ગ્રેટ બ્રિટનથી આયાત કરેલો સામાન વેચતા. મોટા ભાગના ઘરાક અંગ્રેજ, જે ભીખાશેઠને એક પ્રામાણિક દુકાનદાર તરીકે ઓળખતા. તેમણે કૂવો બંધાવ્યો ત્યારે નહોતું ચર્ચગેટ સ્ટેશન, નહોતી ચર્ચ ગેટ સ્ટ્રીટ. કિલ્લાની બહારની જગ્યા ‘પવન ચક્કીના મેદાન તરીકે ઓળખાતી કારણ ચર્ચ ગેટની બહાર મોટી પવન ચક્કી હતી. તેનાથી થોડે દૂર ભીખાશેઠે બંધાવ્યો કૂવો. અને એ કૂવાથી થોડે દૂર હતો દરિયા કિનારો.

ભીખાજીના વડવા ખરશેદજી પહોંચાજી પાંડે ઈ.સ. ૧૬૬૫માં ભરૂચ છોડી મુંબઈ આવેલા. એ વખતે ગુજરાતમાં મરાઠા અને મુસલમાનો વચ્ચે લડાઈ ચાલતી હતી. કોણ જાણે કેમ પણ ખરશેદજી જાસૂસ હોવાનો વહેમ પડ્યો એટલે તેમને કર્યા કેદ. વલસાડ પાસેના પારનેરાના કિલ્લામાં બનાવ્યા બંદીવાન. પણ પછી ત્યાંથી છૂટીને આવ્યા મુંબઈ. એ વખતે તો હજી મુંબઈનો કિલ્લો બંધાતો હતો. એટલે અહીં આવીને મજૂરો અને બાંધકામ માટેનો સામાન પૂરો પાડવાનો કોન્ટ્રેક્ટ લીધો.

એ વખતે કેટલાક પારસી જુવાનો કોટ વિસ્તારમાં આવેલા તળાવની પાળે ભેગા બેસી ગપ્પાં મારતા. (ત્યારે મુંબઈમાં ઘણી જગ્યાએ આવાં નાનાં-મોટાં તળાવ હતાં.) ભીખા બહેરામ પિરોજાબાઈને એક સાંજે ત્યાં લઈ ગયા. અને પેલા છોકરાઓની ઓળખાણ કરાવીને કહ્યું કે આમાંથી કોઈ પણ એકને પસંદ કરી લે. પણ તેમાંના કોઈની સામે પણ જોયા વગર છોકરીએ તો અજાણ્યા રૂસ્તમજી પાસે જઈને એમનો હાથ પકડી લીધો! આ જોઈને ભીખા બહેરામ શેઠ તો ડઘાઈ જ ગયા. પણ કોઈ કશું બોલે એ પહેલાં હાથ છોડાવીને રૂસ્તમજી તો ત્યાંથી ચાલતા જ થયા! બીજે દિવસે પિરોજાબાઈને લઈને ભીખાશેઠ એ જ જગ્યાએ ગયા. પણ તે દિવસે તો રુસ્તમશેઠ બીકના માર્યા ત્યાં આવેલા જ નહિ! એટલે ભીખાશેઠે કહ્યું : ‘હવે તો તમુ બીજા કોઈ માટીડાને પસંદ કરી લો.’ ફરી એ જ જવાબ : ‘અદરાઉં તો રૂસ્તમજી શેઠ સાથે. બીજા કોઈ સાથે નહિ.’ છેવટે પીરોજાને સાથે લઈને ભીખાશેઠ અને બીજા બે-ચાર મોવડીઓ રુસ્તમજીને ઘરે ગયા. અને તેમને પિરોજાબાઈ સાથે લગ્ન કરવા મનાવ્યા. આગલી બે ધણિયાણીથી સંતાન થયું નહોતું એ ખોટ પણ પછી પિરોજાબાઈએ પૂરી કરી, ચાર ચાર દીકરા આપીને. એ ચાર તે કાવસજી, દોરાબજી, કેખુશરો, અને તેહમૂલજી. ઘણી જાહોજલાલી ભોગવીને 96 વરની પાકટ વયે રુસ્તમજીશેઠ પરવરદિગારની ખિદમતમાં પહોંચી ગયા.

ત્યારે ‘પટેલ’નો હોદ્દો તેમના ૧૯ વરસની વયના કાવસજીને મળ્યો. એમનો મુખ્ય વ્યવસાય નાના મોટા વાહન સરકારને પૂરા પાડવાનો. ઈ.સ. ૧૭૭૪મા મરાઠા સરદાર રઘુનાથ દાદાસાહેબ પાસેથી ઠાણે અને વસઈની હકૂમત અંગ્રેજ સરકારે લઇ લીધી ત્યારે એ બંને જગ્યાનો વહીવટ સરકારે કાવસજી શેઠને સોંપ્યો. કારણ હવે માછીમારો પરનો ‘બોડી ટેક્સ’ અહીં પણ લાગુ કરવાનો હતો. કહેવાય છે કે થાણેનો તાલુકો અંગ્રેજ હકૂમત નીચે આવ્યો ત્યાર ત્યાં પારસીઓની વસ્તિ મુદ્દલ હતી જ નહીં. પણ ત્યાં જરૂરી સગવડો ઊભી કરીને એવાને ઘણા પારસીઓને વસાવ્યા. અને હા, પેલું સી.પી. ટેંક નામનું તળાવ ઈ.સ. ૧૭૮૦ના અરસામાં બંધાવ્યું તે પણ આ કાવાસજી પટેલ શેઠે જ. ૧૮૩૪ સુધી તો એ તળાવ અંગેનો નાનોમોટો બધો ખર્ચ આ પટેલ કુટુંબ જ કરતુ હતું. પણ પછી સરકારે આ તળાવ પોતાને હસ્તક લઇ લીધું અને ત્યારથી એની પાછળનો બધો ખરચ પણ સરકાર કરવા લાગી. સખાવતનાં બીજા કામ બી કર્યા પછી ૫૪ વરસની ઉંમરે તેઓ બેહસ્તનશીન થયા.

કહે છે કે કાવસજી એકદમ ફૂટડા, દેખાવડા હતા, અને એટલે માતાએ તેમણે પહેલેથી જ ઈરાની પોશાક જ પહેરાવ્યો હતો. કાવસજીએ પણ આખી જિંદગી એ જ પોશાક અપનાવ્યો હતો. પટેલ ખાનદાનનાં કાવસજી પછેના નબીરાઓ વિશેની વાતો હવે પછી.

જો કે બે-ત્રણ પેઢી પછી રૂસ્તમજી પટેલના પોતારાઓ આમાંની કોઈ જવાબદારી સંભાળી શક્યા નહિ. એટલે તેમની પાસે રહી ફક્ત ‘પટેલ’ની અટક.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 09 જુલાઈ 2022

Loading

ધર્મનાં મૂળ તત્ત્વો અને એનાં આવરણો

મનસુખ સલ્લા|Opinion - Opinion|8 July 2022

અત્યારે દેશમાં જે માહોલ છે તેમાં લાગણીઓ વધુ સક્રિય છે. અંગત સંબંધોમાં લાગણી બળ પૂરું પાડે, પરંતુ રાષ્ટૃ કે તમામ નાગરિકો વિશે વિચારીએ ત્યારે નિરપેક્ષ વિચારને કેન્દ્રમાં મૂકવો જોઈએ. અત્યારનો મુખ્ય પ્રશ્ન ‘ધર્મ’ના સ્વરૂપ વિશેનો છે. તમામ ધર્મોના પ્રવર્તકો કોઈ વ્યક્તિ હોય છે. તેઓનાં મહાન કાર્યો અને વિચારોને કારણે લોકોએ તેમને ભગવાન, ખુદા, ઈશ, ગોડ તરીકે સ્વીકાર્યા હોય છે.

ધર્મ માટે એક સાદી વાત એ છે કે તેમાં અન્ય ધર્મ માટે આદર હોય, સન્માન હોય. કોઈ પણ ધર્મને ઊંચો કે નીચો ગણવાની જરૂર નથી. વળી ધર્મક્ષેત્રમાં બળજબરી, લાલચ કે ભયને સ્થાન નથી. એવું કરનારા ધાર્મિક તો નથી જ.

હવે એ વિશે સ્પષ્ટ થવું જરૂરી છે કે તમામ ધર્મોનાં મૂળ તત્ત્વો લગભગ સમાન હોય છે. માણસાઈને પોષણ આપનારા હોય છે. કોઈ પણ ધર્મ મનુષ્યનાં શુભ તત્ત્વોનો જ પુરસ્કાર કરે છે. સત્ય, પ્રેમ, કરુણા, સેવા, સાદગી, નિરહંકાર, વિશ્વાસ વગેરેને જે ધર્મો પુરસ્કારતા હોય છે, કારણ કે એ મૂળ તત્ત્વો છે.

સાથે જ ધર્મ સાથે વ્યવહાર, રીતરિવાજ, ઉપાસના પદ્ધતિ પણ જોડાયેલાં હોય છે. એમાં તફાવત હોય તે સહજ છે. એ તફાવત માટે ન પક્ષપાત હોય, ન નફરત હોય. કારણ કે ધર્મ આખરે તો વ્યક્તિની અંગત બાબત છે, પસંદગી છે. જેને જે રુચે તે ધર્મ પાળે. એ ચર્ચાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. હિન્દુધર્મ તો નાસ્તિકનો પણ સ્વીકાર કરે છે. માણસ સ્વભાવ અને વલણ મુજબ જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ પસંદ કરતો હોય છે. એ વ્યક્તિની પોતાની પસંદગી હોય છે. એમાં બીજા કોઈએ વચ્ચે નહીં આવવું જોઈએ. સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારની બળજબરી એ ધર્મથી વિરોધી બાબત છે. બળજબરી હોય ત્યાં ધર્મ હોઈ શકતો નથી.

છેલ્લી ત્રણ સદીમાં એક નવો વ્યાપક સંદર્ભ, પણ ઊભો થયો છે − તે લોકશાહી રાજ્યરચનાનો. રાજાશાહી, બાદશાહી કે કોઈ પણ પ્રકારના એકહથ્થુ શાસનની જગ્યાએ લોકશાહી રાજ્યરચના વધુ માનવતાવાદી હોઈ શકે છે. કારણ કે તેમાં બંધારણ અને કાયદાનું શાસન નિર્ણાયક હોય છે.

ધર્મક્ષેત્રમાં પણ મૂળતત્ત્વો સિવાયની બાબતોમાં બંધારણ અને કાયદાનું શાસન જ મહત્ત્વનું રહેવું જોઈએ. બંધારણ માનવ અધિકારોના રક્ષણ માટે હોય છે. લગ્નપ્રથા અને લગ્નસંસ્થા, કાયદાભંગની સ્થિતિ, સ્ત્રીઓ સાથે કે નીચલી ગણાતી જાતિ-જ્ઞાતિ સાથેના વ્યવહારોમાં ધર્મના રીતરિવાજોને બદલે બંધારણના નિયમો જ લાગુ પડી શકે, એ ધર્મની બાબતો નથી, માનવઅધિકારની બાબતો છે, દા.ત. અસ્પૃશ્યતા. આ બાબતોમાં ધર્મને વચ્ચે નહીં લાવવો જોઈએ.

ઈસ્લામમાં વ્યાજ ન લેવું એવી ભલામણ છે. દોઢ હજાર વર્ષ પહેલાં સમાજને જાળવી રાખવા એ જરૂરી હતું. વ્યાજ ન લેવા પાછળ ખ્યાલ એ હતો કે બીજાને મુશ્કેલીમાં મદદરૂપ થવું જોઈએ, એનું વળતર ન લેવાય. આજે બેકીંગ પદ્ધતિ જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રવેશી છે. બધા ધર્મના લોકો વ્યાજ લે છે કે આપે છે. પરિસ્થિતિ બદલાતા આ બદલાયું છે. એમાં ધર્મતત્ત્વનો ભંગ નથી. આજે શિક્ષણ, માંદગી, રોજ-બ-રોજની સુવિધાઓ અને સેવાઓ સરકાર અને અનેક સામાજિક સંસ્થાઓ નિ:શૂલ્ક આપે છે. એમાં નબળાને મદદરૂપ થવાની ભાવના જળવાય છે.

ધર્મના ક્ષેત્રમાં શબ્દોને નહીં વળગવું જોઈએ, એની પાછળનાં ભાવના, આદર્શ કે ધ્યેયને સ્વીકારવાં, સમજવાં જોઈએ. છૂટાછેડાનો કાયદો પિતૃપ્રધાન સમાજમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને ઘડાવો જોઈએ. એમાં ધર્મ વચ્ચે આવતો નથી. દરેક ધર્મ સૌ પ્રત્યે કરુણા અને માનવીય ગૌરવની વાત કરે છે તો તેમાં મહિલાઓના ગૌરવની બાદબાકી કેવી રીતે હોઈ શકે ? સતીપ્રથા, બહુપત્નીત્વ, સ્ત્રીઓના હકો એ ધાર્મિક મુદ્દો નથી સમાજવ્યવસ્થાનો, માનવીય ગૌરવનો મુદ્દો, તમામ નાગરિકને સ્પર્શતો મુદ્દો છે.

કોઈ પણ વિષય, તત્ત્વ કે રચનામાં અમુક પરિસ્થિતિમાં ખાસ હેતુથી અમુક બાબતો ગોઠવાયેલી હોય છે. તેમાં ચિરકાલીન તત્ત્વો હોય છે એમ જ તત્કાલીન જરૂરિયાત હોય છે. પરંતુ સમય જતાં મૂળ (ચિરકાલીન) તત્ત્વોને બદલે વ્યવહારો, પરંપરાઓ, રીતરિવાજો મુખ્ય બની જાય છે. એને જ ધર્મ ગણવાનું પણ શરૂ થઈ જાય છે. એમાંથી એને જાળવવાનું ઝનૂન ઊભું થાય છે.

ધર્મ અને ઝનૂન તદ્દન વિરોધી શબ્દો છે. તમામ ધર્મો તો ઉદાર, સહિષ્ણુ અને કરુણાળુ થવાનું શીખવે છે. પણ થાય છે એથી ઊલટું. તમામ ધર્મોમાં આ માટે સંઘર્ષો થયા છે. એ ધર્મવાળાએ જ એ ધર્મના લોકોને પજવ્યા કે પીડ્યા હોય છે. કોઈ વાર તત્કાલીન જરૂરિયાત માટે સદીઓ પહેલાં કહેવાયું હોય એને નવા સંદર્ભમાં બદલવાની મોકળાશ પણ હોવી જોઈએ. માનવતા મુખ્ય છે, રીતરિવાજ કે ઉપાસના પદ્ધતિ નહીં.

કોઈ પણ ધર્મમાં પૂજારી, પાદરી, મૌલવી કે ધર્મગુરુઓ રચાય છે. કારણ કે તેઓ અમુક ધારા-ધોરણો, વ્યવહારો, રીતરિવાજોને જાળવવાનું કામ કરે છે. પરંતુ તેમના શબ્દોને આખરી નહીં ગણવા જોઈએ. તેઓ પણ માનવીય મર્યાદાઓથી, અહંકાર, સ્વાર્થ કે ઈર્ષાથી ભરેલા હોઈ શકે છે. તેઓ પોતાનું સ્થાન મજબૂત રાખવા ધર્મતત્ત્વોને ગૌણ પણ ગણતા હોઈ શકે છે. એટલે વીસમી સદીના મહાન સાધક રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે, ‘દાણો બંધાય માટે ફોતરાં જરૂરી હોય છે, પણ આપણે ફોતરાં નહીં, દાણા ખાઈએ છીએ.’ આ વિવેક ધર્મક્ષેત્રમાં જાળવવા જેવો છે.

લોકશાહીના નાગરિક તરીકે આપણે ધર્મનાં મૂળ તત્ત્વો(સત્ય-પ્રેમ-કરુણા)ને પારખવા અને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂજારી, પાદરી કે મૌલવીઓએ જો ધર્મનાં મૂળતત્ત્વો આડે પડદો ઊભો કર્યો હોય તો એને પારખીને હટાવવો જોઈએ. જે કોઈ આપણે સત્ય-પ્રેમ-કરુણા સુધી લઈ જાય તેનો આદર કરીએ, પરંતુ જેઓ આપણને સંકુચિત, અભિમાની કે વિદ્વેષી બનાવે તેનાથી વેગળા થવું જોઈએ.

ધર્મતત્ત્વો અને એની ઉપાસના-પદ્ધતિ અને રીતરિવાજો એક નથી. રીતરિવાજો અને ઉપાસના પદ્ધતિઓનું મહત્ત્વ ત્યાં સુધી જ છે કે એ આપણને ધર્મતત્ત્વ સુધી લઈ જાય.

આજે માસમીડિયાનું ગાંડું પૂર આવ્યું છે. તેથી અસ્પષ્ટતા, ગેરસમજ, સંદર્ભરહિત હકીકતો, આખી વાતમાંથી ઉતરડીને અમુક જ બાબતને ઉપસાવવી આ બધું શક્ય બન્યું છે. કરુણતા એ છે કે લોકો વગર વિચાર્યે એને સ્વીકારે છે.

ધર્મક્ષેત્ર એવું શ્રદ્ધાક્ષેત્ર છે કે લોકો તપાસવા કે વિચારવાને બદલે માનીને બધું સ્વીકારી લે છે. રામકૃષ્ણ પરમહંસે બહુ વાજબી કહ્યું છે કે, ‘જેમ રૂપિયો સાચો છે કે બોદો એ ખખડાવીને લો છો એમ ગુરુને ખખડાવીને પસંદ કરવો જોઈએ.’ નહીં તો પૂજારી, પાદરી, મૌલવી આપણી આંખે પાટા બંધાવી દે એવું પણ બની શકે છે.

રાજકીય પક્ષો પણ જીતવાના સ્વાર્થમાં ગમે તેવાં વિધાનો, અવલોકનો કે અભિપ્રાયો રજૂ કરતા હોય છે. એના કેન્દ્રમાં સત્તા અને સ્વાર્થ હોય છે. પણ આપણે કાળજુ ઠેકાણે રાખીને એમને સાંભળવા જોઈએ. જે વિચાર કે અભિપ્રાય રાષ્ટૃને અને સમાન્ય જનને સમૃદ્ધિ, સ્વસ્થતા અને શાંતિ આપી શકે તેવો હોય તેનો જ સ્વીકાર કરવો જોઈએ. ધર્મનાં વાઘાં પહેરાવીને વહેંચાતા વિચારોને પારખતાં અને છોડતાં શીખવું એ આજની ગંભીર આવશ્યક્તા છે.

બહુ સાદી રીતે કહીએ તો જે જોડે, વિરોધને શમાવે અને સંવાદિતા વધારે એ જ ખરો ધર્મ છે. એ સિવાયનું ધર્મતત્ત્વ સિવાયનું છે. આપણે આવા કાળમાં દાખલ થઈ ચૂક્યા છીએ એ ધર્મના ભેદ વિના તમામ નાગરિકોએ સમજવું પડે તેમ છે.

06 જુલાઈ 2022

e.mail : mansukhsalla@gmail.com

C/403, Surel Apartment, Judges’ Bunglows area, AHMEDABAD – 380 015, India

Loading

...102030...1,4641,4651,4661,467...1,4701,4801,490...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved