Opinion Magazine
Number of visits: 9671840
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

उमाशंकर जोशीनी  विचारयात्रा : જાહેર જીવનમાં કવિએ કરેલાં માતબર પ્રદાન વિશેનું એકમાત્ર પુસ્તક

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|21 July 2022

ગુજરાતીમાં ઉમાશંકર જોશી વિશેનાં લખાણોનો ખડકલો છે. પણ એમાંનાં પુસ્તકોમાંથી વીણીને ય ભાગ્યે જ  મળે એવી વાચનસામગ્રી  उमाशंकर जोशीनी  विचारयात्रा નામના લેખ-સંગ્રહમાંથી મળે છે.

ઉમાશંકર માત્ર કવિ ન હતા. તેઓ જે દેશ, જે સમાજનો હિસ્સો હતા તેના રાજકારણ સહિતના જાહેર જીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલા રહેનારા, તે જીવનને કલાત્મક રીતે પોતાના સાહિત્યમાં ઝીલનારા કવિ હતા.

આ દૃષ્ટિકોણનો ઉમાશંકરના appreciation અને સમગ્રતયા મૂલ્યાંકનમાં અરધી સદી સુધી એકંદર અભાવ હતો. એટલે  उमाशंकर जोशीनी  विचारयात्रा ગુજરાતીમાં ઉમાશંકર જોશીને ‘જાહેર જીવનના કવિ’ તરીકે પ્રતિતીજનક રીતે સ્થાપિત કરતું પહેલું પુસ્તક છે.

તેનું સંપાદન દલિત વિષયના અભ્યાસી ચંદુ મહેરિયા, કર્મશીલ મનીષી જાની અને ઉમાશંકરના વિદ્વાન પુત્રી સ્વાતિ જોશીએ કર્યું છે. ઑક્ટોબર 2011માં ગૂર્જર પ્રકાશને પ્રસિદ્ધ કરેલાં ત્રણસો પાનાંના સંચયના મુખપૃષ્ઠ પર મોટા ચિત્રકાર ભૂપેન ખખ્ખરે દોરેલું ઉમાશંકરનું રેખાચિત્ર છે, જે પણ વિશિષ્ટ છે. લેખકવૃંદમાં મુખ્ય ધારાના સાહિત્યકારો ઓછા છે. અહીં કેટલાંક કર્મશીલો અને જાહેર જીવનના બૌદ્ધિકો(public intellectuals)એ પણ ઉમાશંકરની મહત્તા પોતાની રીતે વર્ણવી છે.

પુસ્તકનો પહેલો જ સાઠેક પાનાંનો લેખ ‘ઉમાશંકર જોશીની જીવનયાત્રા’ સ્વાતિ જોશીએ લખેલો છે. એમાંની માહિતી અને તેના ઉમાશંકરના ઘડતર-સર્જન-વ્યક્તિત્વ સાથેના સંબંધનું અહીં જે રીતે નિરુપણ થયું છે તે અન્યત્ર ભાગ્યે જ વાંચવા મળે છે.

સ્વાતિબહેન ઉમાશંકરના જીવનનો વિશાળ પટ તેની અનેક ઘટનાઓ, કવિના આંતરિક તેમ જ બાહ્ય સંઘર્ષો, તેમના વિચારોની ગહનતા અને સામાજિક નિસબત આપણી સામે સરસ રીતે ઊઘાડી આપે છે. તેમનું લખાણ સાદું છતાં પ્રાસાદિક,વાગ્મિતા કે શબ્દાળુતા વિનાનું અને સંકીર્ણ મુદ્દાઓને બિલકુલ સ્પષ્ટ રીતે મૂકી આપનારું છે.

આ લેખમાં ઘણી વિશિષ્ટ વિગતો છે. તેમાંથી ચાર દાખલા : (1) મીઠાના સત્યાગ્રહના ભાગરૂપે એપ્રિલ 1930માં વીરમગામ નજીક ખારાઘોડામાં ઉમાશંકર અને બીજાઓએ મીઠું લીધું. ઘોડેસવાર પોલીસ તેમની પાછળ પડી. એમની પર લાઠીચાર્જ થયો જેના ચિહ્નો ઉમાશંકરના શરીર પર છેક  સુધી હતાં. (2) જ્ઞાતિપ્રથાના વિરોધમાં ઉમાશંકરે જનોઈનો ત્યાગ કર્યો હતો. (3) 1981ના અનામત વિરોધી આંદોલન દરમિયાન એક દિવસ ઉમાશંકર ઘવાયેલા દલિતોને મળવા વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ ગયા  હતા. ત્યારે કેટલાક અનામત વિરોધીઓએ તેમને હડફેટમાં લીધા, એમનો ઝભ્ભો ફાડી નાખ્યો અને એમના નાકમાથી લોહી નીકળ્યું હતું. (4) ઉમાશંકરે 1956માં પદ્મશ્રી અને 1972માં  પદ્મવિભૂષણ સન્માન સ્વીકાર્યાં ન હતાં.

સ્વાતિ જોશીનો આ લેખ એક અલગ પુસ્તક તરીકે લોકો સુધી પહોંચાડવા જેવો છે. તે વાંચતાં ઉમાશંકર વિશેની જાણકારી મેળવીને અને તેમની મહત્તા વિશે જાણીને તૃપ્ત થઈ  જવાય છે.

આ પુસ્તકના મોટા ભાગના લેખોમાંથી દરેકમાં એક એવો દૃષ્ટિકોણ છે કે જેના સંદર્ભે ઉમાશંકરના જીવનકવનનું અત્યાર સુધી જવલ્લે જ વિશદ નિરુપણ થયું હોય, અથવા બિલકુલ ન થયું હોય. લેખકોનાં નામ સાથે લેખોના મથાળાની યાદી પણ આ પુસ્તકની આવશ્યકતા અને અનન્યતાનો ખ્યાલ આવે છે.

પુસ્તકનો અનુક્રમ આ મુજબ છે : વીસમી સદીની શરૂઆતમાં ઉત્તર ગુજરાતનાં ગામડાંઓની સામાજિક સ્થિતિ (લેખક : પ્રાગજીભાઈ ભામ્ભી), ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ઉમાશંકર જોશીનું બૌદ્ધિક   ઘડતર (હેમન્ત દવે),  પ્રગતિશીલ  સાહિત્ય આંદોલન  અને  ઉમાશંકર (ભરત મહેતા), ઉમાશંકરભાઈ  એક સાંગોપાંગ કેળવણીકાર (રોહિત શુક્લ), ઉમાશંકર જોશી – પ્રાધ્યાપક છતાં વિચારક અને લડવૈયા (ગિરીશ પટેલ), ઉમાશંકર જોશી : કુછ યાદેં (વારીસ અલવી), યુવાન ઉમાશંકર અને યુવાનો સાથે ઉમાશંકર (મનીષી જાની), ઉમાશંકર કટોકટી મોઝાર (પ્રકાશ ન. શાહ), સત્તાકીય રાજકારણ સામેનો સાતત્યપૂર્ણ અવાજ (ઉર્વીશ કોઠારી), ઉમાશંકર જોશી અને સ્સામાજિક ન્યાય : ‘મથામણોની ન મણા હજો મને’ (ચંદુ મહેરિયા), અકાદમીઓની સ્વયત્તતાને મુદ્દે ઉમાશંકરનો ‘સમયરંગ’ આપણને અડશે? (ડંકેશ ઓઝા), ઉમાશંકર અને સર્વોદય (નારાયણ દેસાઈ), પ્રતિ
બદ્ધ બૌદ્ધિક ઉમાશંકર જોશી (ઘનશ્યામ શાહ), ઉમાશંકર – અમદાવાદનું અરધી સદીનું સાંસ્કૃતિક જીવન અને એમાં એમની ભૂમિકા (અચ્યુત યાજ્ઞિક), મૂર્તિ જે અમિતા (હિમાંશી શેલત), ‘સમયરંગ’ના કવિ : ઉમાશંકર જોશીની કવિતામાં સમસામયિકતા (સરૂપ ધ્રુવ), ઉમાશંકર જોશીની કવિતામાં કાવ્યચેતના અને યુગચેતનાનું  અદ્વૈત (નિરંજન ભગત),  Umashankar Joshi : the Shining Star of the Dark Midnight – Nisheeth (Indra Nath Chaudhuri), Umashankar Joshi and the Idea of Indian Literature (K. Satchidanandan), Remembering Umashankar Joshi (B.G.Verghese), अंधकारयुग और उमाशंकर (नामवर सिंह).

ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના વીસમી સદીના અગત્યના ઘટક ઉમાશંકર જોશી પરના આવા  વિચાર અને વિગત સમૃદ્ધ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય જેવા પ્રતિષ્ઠિત પ્રકાશને પ્રસિદ્ધ કરેલાં પુસ્તક વિશેનો ભાગ્યે જ કોઈ લેખ ગયાં અગિયાર વર્ષમાં ગુજરાતીમાં આવ્યો છે. એ સૂચવે છે કે આપણું સાહિત્ય જગત સાહિત્ય અને જાહેર જીવન વચ્ચેના સંબંધની ભાગ્યે જ દરકાર કરે છે.

પ્રાપ્તિસ્થાન : ગુર્જર પ્રકાશનના પુસ્તક ભંડારો; ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ફોન 079 -26587949; કિંમત રૂ. 225/- 

21 જુલાઈ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ક્યાં સુધી આ ધરતી બોજો સહન કરતી રહેશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|21 July 2022

ઉદ્યોગપતિ જે.આર.ડી. તાતા જીવ્યા ત્યાં સુધી એક વાત કહેતા રહેતા કે ભારતની એક માત્ર સમસ્યા વસ્તીવધારો છે. વસ્તી નિયંત્રણમાં આવી જશે એટલે ભારતની દરેક સમસ્યાનો અંત આવી જશે. તેમની સખાવત પણ મોટે ભાગે પરિવાર નિયોજનને લગતી પ્રવૃત્તિ માટે રહેતી. માત્ર તાતા જ નહીં; એ સમયે વિશ્વબેંક, આંતરરાષ્ટ્રીય નાણાનિધિ, સંયુક્ત રાષ્ટ્રસંસ્થા (યુનો), ખાનગી રાહે ચાલતી અનેક અધ્યયનસંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓ પણ લગભગ આવો જ મત ધરાવતા હતા. ત્રીજા વિશ્વના દેશો(સાવ ગરીબ કે અવિકસિત દેશો તેમ જ ભારત જેવા વિકાસશીલ દેશો જે મોટા ભાગે એશિયા અને આફ્રિકામાં આવેલા છે તેને એ યુગમાં થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવતા હતા.)માં વસ્તીનું નિયંત્રણ થવું જોઈએ. એ દેશોમાં શિક્ષણનું પ્રમાણ વધશે અને જાગૃતિ વધશે એટલે વસ્તીનું પ્રમાણ ઘટશે. ‘દો યા તીન બચ્ચે હોતે હૈ ઘર મેં અચ્છે’ એવું એ સમયે ભારત સરકારનું કુટુંબ નિયોજન માટેનું સૂત્ર હતું. એ પછી એમાં સુધારો કરીને ‘હમ દો હમારે દો’ એવું સૂત્ર વહેતું કરીને એક બાળક ઘટાડી દેવામાં આવ્યું. વળી પાછો એમાં સુધારો કરવામાં આવ્યો અને ‘હમ દો હમારા એક’ સૂત્ર વહેતું કરીને વળી એક બાળક ઘટાડવામાં આવ્યું. લોકો ફરજિયાત કુટુંબ નિયોજન કરવાની પણ હિમાયત કરતા હતા અને ચીનને અનુસરવાની સલાહ આપતા હતા.

આની પાછળ સાદી સમજ એવી હતી કે તમે ગમે તેટલો વિકાસ કરો, આખરે રહેવાનું તો આ ધરતી ઉપર જ છે અને તેની પાસે મર્યાદિત સાધનો છે. અત્યાર સુધી વિજ્ઞાનનો, ખાસ કરીને આરોગ્યવિજ્ઞાનનો વિકાસ નહોતો થયો ત્યાં સુધી મૃત્યુદર એટલો મોટો હતો અને સરેરાશ આયુ (life expectancy) ટૂંકું હતું જેને કારણે બધું સરભર થઈ જતું. વીસમી સદીમાં આયુર્વિજ્ઞાન એટલું વિકસ્યું કે મૃત્યુદર ઘટી ગયો અને લોકો લાંબુ જીવતા થતા અને એને કારણે વસ્તી વધાવા માંડી. એ તો દેખીતી વાત છે કે પૃથ્વી ઉપર જેટલો બોજો ઓછો એટલી સુખાકારી વધુ. ક્યાં સુધી આ ધરતી બોજો સહન કરતી રહેશે!

આજે જગતમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે ત્યારે આ સાદી સમજ પણ બદલાઈ રહી છે. આજે દરેક ચીજનું રાજકારણ રમાઈ રહ્યું છે એમાં વસ્તીનું પણ રાજકારણ રમાઈ રહ્યું છે. વસ્તીનું રાજકારણ એ સંખ્યાનું રાજકારણ છે. સાંખ્યદર્શનમાં પ્રકૃત્તિતત્ત્વની ગણના અને ચિત્તમાં રહેલા ગુણ-દોષોની ગણનાને અર્થાત્ સંખ્યાને સાંખ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. મૂળ ઉદ્દેશ આંતરબાહ્ય વિવેક કરવાનો છે કે જેથી માણસને મોક્ષ મળે. અત્યારે પ્રકૃત્તિતત્ત્વને ભોગવનાર અને ચિત્તમાં રહેલા દોષો(રાગ, દ્વેષ, અનેક પ્રકારની પૃથક અસ્મિતાઓ અને વિષયસુખ)ને સંઘરનાર માનવીની સંખ્યાનું રાજકારણ રમાઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે આધુનિક અર્થતંત્રને રસ છે ઉપભોક્તાઓ(દરેક અર્થમાં)ની સંખ્યામાં અને અસ્મિતાજન્ય રાજકારણ કરનારાઓને રસ છે એકબીજા સામે ઝેર ઓકનારા જંગમ શસ્ત્રોની સંખ્યામાં. સાંખ્યથી સંખ્યાની દિશામાં ઊલટો પ્રવાસ ચાલી રહ્યો છે. ઉપભોક્તાઓની જેટલી સંખ્યા વધુ એટલો નફો વધુ અને પ્રતિબદ્ધ દ્વેષ્ટાઓની જેટલી સંખ્યા વધુ એટલો સત્તાનો ભોગવટો વધુ. ગયા રવિવારની કોલમમાં મેં લખ્યું હતું કે સત્યમેવ જયતે કહેનારા મૂંડક ઉપનિષદના ઋષિ અને ઋષિના મુખે એમ કહેવડાવનારા ઈશ્વરની કસોટી થઈ રહી છે. એ જ રીતે સાંખ્યદર્શનના પ્રણેતા કપિલમુનિની પણ કસોટી થઈ રહી છે. કપિલમુનિએ માનવીને થઈ રહેલા નફાની અને નુકસાનની એમ બન્ને ગણતરી કરી હતી જ્યારે અત્યારે વેપારીઓ અને સત્તાધીશો પોતાને થવા જોઈતા નફાની જ ગણતરી કરી રહ્યા છે. જે નુકસાન થવાનું છે એ પ્રજાનું થવાનું છે જે પ્રજાને નજરે પડતું નથી. 

ગયા અઠવાડિયે યુનોએ ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ’ના નામે વિશ્વવસ્તીના આંકડા જાહેર કર્યા એ પછી તે વિષે પ્રતિક્રિયા આપતા વિશ્વના સૌથી ધનિક માણસ એલન મસ્કે કહ્યું છે કે વસ્તીનો ઘટાડો સભ્યતા સામેનું સંકટ સાબિત થવાનો છે. અંગ્રેજીમાં તેમનું કથન આ મુજબ છે: “a collapsing birth rate is the biggest danger civilisation faces by far.” અત્યારે જગતની વસ્તીમાં વધારો થયો છે અને ૧૫મી નવેમ્બરે વિશ્વવસ્તી આઠ અબજનો આંકડો પાર કરવાની છે એ વાતનો તેમને સંતોષ નથી. ઈ. સ. ૨૦૮૦ સુધીમાં વિશ્વવસ્તી વધીને ૧૦ અબજ ૪૦ કરોડ થશે એ વાતનો પણ તેમને સંતોષ નથી. તેમનો અસંતોષ એ વાતનો છે કે એ પછી વસ્તીનો આંકડો દાયકાઓ સુધી સ્થિર રહીને ઘટશે. કારણ કે જન્મદર ઘટી રહ્યો છે. Collapsing birth rate એમ તેમણે કહ્યું છે. એક સમયે જે.આર.ડી. તાતા ચિંતા વ્યક્ત કરતા હતા તેના સામેના છેડાની આ ચિંતા છે. 

એક સમયે ચીનનો હવાલો આપીને કેટલાક લોકો કહેતા હતા કે ભારતે ચીનની જેમ ફરજિયાત કુટુંબ નિયોજન દાખલ કરવું જોઈએ. એક કરતાં વધુ બાળક પેદા કરે તેને સરકારી લાભોથી વંચિત રાખવા જોઈએ, દંડ કરવો જોઈએ, વગેરે વગેરે. યુનોના તાજા આંકડા મુજબ ભારત આવતા વર્ષે વિશ્વનો સૌથી મોટો વસ્તી ધરાવનારો દેશ બનશે અને ચીન તે સ્થાન ગુમાવી દેશે. મૂળ અનુમાન કરતાં ચાર વરસ વહેલી આ સુખદ કે દુઃખદ ઘટના બની છે. એટલા માટે નહીં કે ભારતની પ્રજાએ વધારે બાળકો જણ્યાં છે, પણ એટલા માટે કે ચીનાઓએ ઓછાં બાળકો પેદા કરી રહ્યા છે. ચીનના શાસકો માટે આ ગૌરવનો વિષય નથી, ચિંતાનો વિષય છે. પોતાની વસ્તી ઘટે નહીં એ માટે ચીને વસ્તી નિયંત્રણની નીતિ ઢીલી કરીને એક બાળકની જગ્યાએ બે બાળક પેદા કરવાની છૂટ આપી હતી. એ પછી પણ ધાર્યું પરિણામ મળ્યું નહીં તો બેની જગ્યાએ ત્રણ બાળક જણવાની છૂટ આપી અને છતાં ય ચીન ભારત સામે પછડાટ ખાઈ રહ્યું છે. ચીન હવે પછી કદાચ પ્રોત્સાહન નીતિ પણ અપનાવે તો નવાઈ નહીં. 

સંખ્યાના અર્થકારણના અને સંખ્યાના રાજકારણના આ વસ્તીમહિમાના યુગમાં સંખ્યાનાં પરિણામો સમજી લેવાં જોઈએ. માટે આટલી પ્રસ્તાવના પછી આવતા અઠવાડિયે સંખ્યાના સૂચિતાર્થો બતાવવાનો ઈરાદો છે. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2022

Loading

हम एक हैं !

कुमार प्रशांत|Opinion - Opinion|20 July 2022

पता नहीं कब से, कलेजे का पूरा जोर लगा कर हम चिल्लाते रहे : आवाज दो, हम एक हैं; लेकिन हम एक नहीं हुए ! वे कोई आवाज नहीं लगाते, जुलूस नहीं निकालते लेकिन समय पड़ने पर इस तरह एक होते हैं कि समय भी हक्का-बक्का रह जाता है.

श्रीलंका के अपराधी, अपदस्थ, अपमानित व भगोड़े राष्ट्रपति गोटाबाया राजपक्षे तब अपना देश छोड़ भागे जब सारा देश जल रहा था और उनकी बनाई सारी व्यवस्था ध्वस्त पड़ी थी. यह वैसा दौर था जिसमें कोई देशभक्त देश छोड़ कर भाग नहीं सकता है. उसका भागना ही प्रमाणित करता है कि वह और कुछ भी हो, देशभक्त तो नहीं है. देशभक्त होगा तो अपने मन-प्राणों का पूरा बल जोड़ कर हालात को संभालने की कोशिश करेगा और इस कोशिश में होम होना ही बदा हो तो वही स्वीकार करेगा. लेकिन गोटबाया की देशभक्ति ने उसे भागने का रास्ता दिखाया. भागने से पहले वह गायब हो गया था क्योंकि श्रीलंका की सड़कों पर, सरकारी इमारतों पर, राष्ट्रपति भवन पर नागरिकों का कब्जा हो गया था. नागरिक यानी लोक जिनसे श्रीलंका का ही नहीं, सारी दुनिया का लोकतंत्र बनता है. लोकतंत्र की शोकांतिका यह है कि वह बनता लोक से है, चलता तंत्र से है. चलाने वाले वेतनभोगी बड़े-छोटे हर कर्मचारी को अक्सर यह भ्रम हो जाता है कि वे हैं तो राष्ट्र है. इसलिए जब कभी लोक अपनी हैसियत बताने सामने आता है, तंत्र के होश उड़ जाते हैं वह फौज-पुलिस, लाठी-गोली, अश्रुगैस-पानी की तलवारें ले कर मुकाबले को उतर आता है. यही गोटाबाया ने भी किया, और जब कोई बस नहीं चला तो भय से कहीं जा छुपा. कहां ?

यही कहानी मुझे आज आपको सुनानी है. जब श्रीलंका के सागर में उत्ताल लोक लहरें उठ रही थीं और सेना ऐसा दिखा रही थी कि वह लोक से सहानुभूति रखती है, ठीक उसी वक्त, वही सेना लोकद्रोही गोटाबाया को पनाह भी दे रही थी. इतना ही नहीं, वह बयान दे रही थी कि हमने गोटाबाया को न तो छुपा रखा है, न छुपने में मदद ही की है. गोटाबाया में थोड़ा भी नैतिक बल होता तो वह तभी-के-तभी इस्तीफा दे देता. सभी गोटाबाया ने ऐसा ही तो किया था.

यह भयानक हकीकत हममें से कम लोग ही जानते होंगे कि श्रीलंका की राष्ट्रीय सरकार में ‘गोटाबायों’ की उपस्थिति कैसी व कितनी थी. प्रधानमंत्री महिंदा राजपक्षे ने अपने भाई गोटाबाया राजपक्षे को राष्ट्रपति बनाया था, अपने दूसरे भाई बासिल राजपक्षे को वित्त मंत्री, अपने भतीजे नामाल को खेल व युवा मंत्री, दूसरे भाई चामाल को सिंचाई मंत्री, और चामाल के बेटे शाशींद्र को कृषि मंत्री बनाया था. महिंदा ने अपने बेटे योशिथा को प्रधानमंत्री कार्यालय का प्रमुख नियुक्त किया था तो दामाद निशांता विक्रमसिंघे को लंकन एयरलाइंस का प्रमुख बनाया था. ऐसा राष्ट्रीय परिवारवाद क्रूरता व आतंक के सहारे ही टिकाया जा सकता है, यह जानते हुए महिंदा और गोटाबाया ने तमिल लंकाइयों से युद्ध छेड़ दिया और दुश्मनों की तरह उनका खात्मा करवाया. इसके लिए जरूरी था कि लंकाई समाज में चरम घृणा फैलाई जाए ताकि सभी एक-दूसरे के खून के प्यासे हो जाएं. इसलिए तमिल बनाम सिंघली का खूनी दौर चला, बौद्ध पंडे-पुजारी राजा के समर्थन में धर्म-ध्वजा ले कर उतर पड़े. सत्ता प्रायोजित इस सामाजिक तांडव में कमजोर व भ्रष्ट विपक्ष बिखर कर रह गया.

जब जन असंतोष उभरने लगा तो उस पर पानी डालने के लिए राष्ट्रपति गोटाबाया ने अपने भाई प्रधानमंत्री महिंदा का इस्तीफा ले लिया और सरकार की पूरी कमान खुद  संभाल ली. जनता को संदेश गया: देखो, कैसा राजा है, अपने भाई को भी नहीं छोड़ता है ! हमारे यहां इन दिनों इसे ‘जीरो टॉलरेंस’ कहा जाता है. इस्तीफा देने के बाद प्रधानमंत्री महिंदा कहीं गुम हो गए और ऐसे हुए कि आज तक किसी को पता नहीं है कि वे कहां हैं. इसे हम चाहें तो ‘अज्ञातवास’ की साधना कह सकते हैं. महिंदा के बाद गोटाबाया ‘अज्ञातवासी’ हुए. जनता से द्रोह करने वाले गोटाबाया को फ़ौज ने छुपा कर रखा और फिर मौका पाते ही फौजी विमान से, 5 परिवारजनों के साथ 3 सरकारी अधिकारियों की देख-रेख में मालदीव भेज दिया.

मालदीव का सत्तापक्ष समझता था कि लंका के सत्तापक्ष का प्रतिनिधि अपना आदमी है. इसलिए उसने श्रीलंका की जनता के द्रोही गोटाबाया को पनाह दी. वहां सरकारी सुरक्षा में बैठ कर गोटाबाया ने अपनी गोटियां बिठायीं और फिर उड़ कर पहुंचा सिंगापुर. सिंगापुर के सत्तापक्ष ने भी स्वधर्म निभाया और एक राजनीतिक भगोड़े के लिए अपना द्वार खोल दिया. कैसा मासूम बयान दिया वहां के सत्तापक्ष ने : न हमने शरण दी है, न उन्होंने शरण मांगी है ! अपने देश से चोरी से भाग निकला कोई साधारण अपराधी  इस तरह घोषणा कर के सिंगापुर आए तो क्या उसे सिंगापुर में प्रवेश व पनाह मिल जाएगी ? सरकार जवाब नहीं देती है, धमकी देती है : किसी को, किसी प्रकार का विरोध जताने की सिंगापुर में अनुमति नहीं है ! खबर गर्म है कि गोटाबाया सिंगापुर में जमा व निवेश की गई अपनी अरबों की दौलत को ठिकाने लगाने की व्यवस्था करने में जुटे हैं. सिंगापुर सत्तापक्ष को पता है कि उनकी अर्थ-व्यवस्था ऐसे ही गोटाबायों के दम पर जिंदा है, सो उसे उनका साथ देना ही है.

यह है सत्ता प्रतिष्ठान का हम एक हैं! इसमें सत्तापक्ष व विपक्ष जैसा भेद नहीं है, देश-विदेश का फर्क नहीं है. आप देखिए, गोटाबाया की हत्या, लूट, दमन, धोखा और फिर देश की आंखों में धूल झोंक कर भाग निकलने की किसी महाशक्ति ने निंदा की ? किसी ने मालदीव या सिंगापुर से पूछा कि एक अपराधी को उसने कैसे पनाह दी ? नहीं, सभी चुप हैं क्योंकि सभी जानते हैं कि कल अपनी जनता से बचने का ऐसा रास्ता उन्हें भी पकड़ना पड़ सकता है. इसलिए ये सभी मिल कर ऐसा सत्ता प्रतिष्ठान बनाते हैं जिसमें समय-समय पर कारपोरेट, न्यायपालिका, कार्यपालिका, पुलिस-फौज, बैंकिग आदि अपनी-अपनी भूमिका निभाते हैं.

गांधी ने बहुत पहले, बहुत गहराई से इसे पहचाना था. न्यायालय के बारे में उन्होंने कहा था कि निर्णायक घड़ी में यह अंतत: सत्ता प्रतिष्ठान के साथ जाएगा और इसलिए लोक को अपने अधिकार के संघर्ष में न्यायालय पर आधार नहीं रखना चाहिए. दूसरे विश्वयुद्ध के दौरान अकेले गांधी ही थे कि जिन्होंने फासिज्म के खिलाफ लोकतंत्र का नाम ले कर युद्ध करने वाले मित्र राष्ट्रों से पूछा था कि भारत जैसे महादेश को गुलाम रखकर आप लोकतांत्रिक लड़ाई का नाम भी कैसे ले सकते हैं ? तब जवाब किसी तरफ से नहीं आया था और गांधी ने ‘भारत छोड़ो’ आंदोलन का ऐसा बिगुल फूंका कि साम्राज्यवाद को भारत छोड़ कर निकलना पड़ा था. तब गांधी ने भी ‘हम एक हैं’ का हाथ बढ़ाया था और  धर्म-जाति-भाषा-वर्ग आदि का भेद पार कर लोगों ने उनका हाथ थामा था. सामने आज़ादी खड़ी थी.

ऐसी एकता साधे बिना श्रीलंका को भी और हमें भी थामने वाला कोई नहीं होगा.

(19.07.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...1,4521,4531,4541,455...1,4601,4701,480...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved