આ શહેરને વિંટળાઈ વળેલા સમુદ્રના સમ!
મને વિંટળાઈ રહેવા દે તારામાં, મારા જીવ!
શહેર ક્યાંયે નહીં જાય …
ઊછળતું રહેશે સતત સમુદ્રની ઐતિહાસક્તામાં!
સમુદ્રમાં રોજ આ શહેર આથમે
‘ને ઝળહળતું પાછું ઊગે
ધીમા ગર્જન જેવું આકાશ મારામાં ઝમતું રહે …..
– એ આકાશે સભરસભર
મને રહેવા દે અંદર, મારા જીવ!
શહેરમાંથી શેરીઓ
રસ્તા ‘ને કોલાહલો વિસ્તરતા –
‘ને દિશાઓ વછૂટીને
મારામાં વિખરાઇ જાય છે
આ વિખરાપામાંથી
– શહેરનું સમુદ્રાંતર કરતી રહેતી
મને મળી છે એક ભાષા!
એ ભાષાના ભેદ મને ઉકેલવા દે, મારા જીવ!
સમુદ્રાંતરે –
દુ:ખ એ દુ:ખ નહીં
તો સુખ પણ સુખ નહીં
દુ:ખ સુખ :
વિરોધાભાસ;
વિરોધનો આભાસ
– વિરોધ નહીં !
જેમ –
સમુદ્ર અને શહેર
શહેર અને હું
હું અને સમુદ્ર
સમુદ્ર અને ભાષા
ભાષા અને હું
હું અને —
હે, મારા જીવ!
૨૩.૦૭.’૨૨.
![]()


સુખ્યાત હિન્દી નવલકથાકાર ‘અજ્ઞેય’-નું એક વાક્ય મને વસી ગયું છે : શામ બડી ગમગીન હોતી હૈ : જો કે સાંજ વિશેના મારા અંગત અનુભવો જુદા છે; મને સાંજ ગમગીન લાગી જ નથી; ક્યારેક ક્યારેક લાગી હતી.
‘નિરીક્ષક’ના ૧૬ જૂનના અંકમાં સત્યકામ જોષીએ ભીખુભાઈ વ્યાસને આપેલી સર્વાંગી અંજલિ પછી, એમના સાદગીભર્યાં જીવન, સાતત્યભર્યાં કામ અને સૌમ્ય-હસમુખા વ્યક્તિત્વ અંગે વિશેષ કશું લખવાનું બચતું નથી. પણ એમનો એ લેખ આવ્યો ત્યારે અડધોપડધો લખાયેલો અને પછી સંપાદકીય કર્મ વચ્ચે … “ઠીક છે, બહુ મોડું થઈ ગયું હવે” એવી લાગણીથી ત્યાં જ વિરમાવી દીધેલો તે, નિરીક્ષક-તંત્રીના ધક્કાથી સૌ વાચકો સમક્ષ ….
પરિચય લખી આપ્યો હતો. ફોન રીસિવ કરતાં જ એમણે વાત શરૂ કરી. “રચનાત્મક કામમાં મારા ગુરુ જેવા કહેવાય એવા ભીખુભાઈ વ્યાસને તમને મળવું છે. અંક જોઈને બહુ જ ખુશ થયા છે. બપોર પછી તમે નવજીવનમાં છો, તો મળવા આવે.” આ અગાઉ, અશ્વિનભાઈ (અધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ)એ ભીખુભાઈને આ અંકની પી.ડી.એફ. મોકલી આપેલી હતી. એની પણ કંઈક છાપ મનમાં હોઈ શકે.