Opinion Magazine
Number of visits: 9459033
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

इंद्रा नूई के गांधी

कुमार प्रशांत|Opinion - Opinion|1 April 2022

मैं चाहता हूं कि नीचे लिखा उद्धरण आप महात्मा गांधी के संदर्भ में पढ़े : 

“एशिया और अफ्रीका में जनसंख्या की जैसी वृद्धि अभी हो रही है, उसका परिणाम यह होगा कि इस दुनिया में प्रोटीन की मांग बेहद बढ़ेगी और उसका परिणाम यह होगा कि हमें ज्यादा-से-ज्यादा जानवरों को पालना होगा; और उसका परिणाम अधिकाधिक वायरसों और महामारियों के रूप में सामने आएगा क्योंकि वायरसों के लिए जानवरों से मनुष्यों तक पहुंचना आसान होता जाएगा; इन सबके परिणामस्वरूप मौसम में अनेक अनजाने परिवर्तन होंगे; दुनिया में वृद्धों की संख्या बढ़ती जाएगी और इन सबसे पार पाने का रास्ता खोजने में हमारी तकनीकी दुनिया इस रफ्तार से भागेगी कि मनुष्य का दिमाग घूम जाएगा – मानव-जाति के समक्ष ये खतरे मुंह बाए खड़े हैं … 2030-35 के काल में यदि दुनिया की आबादी 9 खरब होगी तो उसमें से 7 खरब लोग एशिया व अफ्रीका के होंगे और जब आप एशिया-अफ्रीका के सकल घरेलू उत्पाद से इनकी जनसंख्या का आकलन करेंगे तो आपको वहां भारी असंतुलन मिलेगा… तो खतरा केवल जनसंख्या बढ़ने का नहीं है बल्कि चुनौती यह भी है कि हमारी दुनिया के इन हिस्सों की आय कैसे बढ़े अन्यथा अपार वैश्विक असमानता का खतरा पैदा होगा… अाज महिलाएं तेजी से कामकाज में जुटने को तैयार हैं लेकिन हम उन्हें पीछे कर रहे हैं क्योंकि समस्या यह है कि सारी दुनिया में वृद्धों की संख्या बढ़ती जा रही है. यदि महिलाओं को कामकाज से हम जोड़ेंगे नहीं तो इस वृद्ध आबादी की आर्थिक देखरेख असंभव हो जाएगी. इस स्थिति की भयावहता सोच कर मैं परेशान होती हूं. दो ही रास्ते दिखाई देते हैं : भौगोलिक-राजनीतिक आवाजाही को वैश्विक स्तर पर बढ़ावा दिया जाए और अकल्पनीय स्तर पर मानवीय कौशल्य को बढ़ाया जाए. तो भावी की तीन तस्वीरें बनती दिखाई देती है : अंधाधुंध तकनीक विस्तार पर रोकथाम की कोई प्रभावी व्यवस्था; पूंजीवाद का चाहा-अनचाहा एकदम नया चेहरा, और मनुष्य को मनुष्यता की तरफ लौटाने की चुनौती !… यह कैसे होगा, मैं नहीं जानती लेकिन मैंने आशा खोई नहीं है क्योंकि जीवन में मेरा जितने लोगों से पाला पड़ा है, उनमें से 85% लोगों ने हर तरह से मेरी मदद की है. 15% थे जो समस्याएं खड़ी करते रहे. अब मैं उन 15% के चश्मे से दुनिया को क्यों देखूं ! इसलिए नेतृत्व की कसौटी यह है कि वह हमेशा खतरों का सामना करने में आगे रहे और जो कर सकना संभव है, वह सब करे !”

अब आप यह मत खोजने लगिए कि महात्मा गांधी ने ऐसा कब और कहां कहा था, क्योंकि महात्मा गांधी ने ऐसा कभी कहा ही नहीं था. फिर भी आप खोजना चाहेंगे तो एक नहीं, अनेक जगहों पर आपको महात्मा गांधी ऐसा ही कुछ बार-बार कहते मिलेंगे. और यदि आप ‘हिंद-स्वराज्य’ देखेंगे तो उस पूरे आख्यान में महात्मा गांधी इन्हीं सारी बातों को अपनी तरह कहते मिलेंगे. लेकिन आपने ऊपर जो पढ़ा वह महात्मा गांधी का कहा या लिखा नहीं है. फिर ऊपर जो बातें लिखी हैं, वह किसने कही हैं ? इंद्रा नूई ने ! कभी दुनिया की सबसे प्रभावी, शक्तिशाली महिला कही जाने वाली पेप्सी कंपनी की सीईओ इंद्रा नूई ! अभी-अभी एक समाचार-पत्र के साथ आमने-सामने की बातचीत में उन्होंने यह कहा है मतलब बात बिल्कुल ताजा है, और आधुनिक दुनिया की सिरमौर महिला ने कही है, तो वह बात दकियानूसी तो हो नहीं सकती है ! क्या इंद्रा नूई को यह अंदाजा है कि उनकी और महात्मा गांधी की बात एक जैसी ही है और वे जिन बातों से चिंतित हैं, महात्मा गांधी भी उनसे ही, उसी तरह चिंतित थे, और दुनिया को बताना चाह रहे थे कि आप जिस रास्ते पर चल रहे हो वह चाहे जितना चमकीला दीखता हो, ले जाएगा उस अंधेरे की तरफ जहां हाथ को हाथ नहीं थाम सकेगा, दिल दिल की बात नहीं सुन सकेगा ?

महात्मा गांधी भी अनियंत्रित जनसंख्या के खतरों से सावधान हैं लेकिन उसके नियंत्रण के लिए वे आत्मसंयम का रास्ता सुझाते हैं. वे तब देख सके थे कि जनसंख्या नियंत्रण के नाम पर कंपनियां ऐसा वृहद उद्योग खड़ा करेंगी जो व्यक्ति की पूंजी तो लूटेगा ही, मानव समाज को आत्मसम्मानहीन भीड़ में बदल देगा. समाज के लिए खाना जुटाना ही चुनौती नहीं है, उसे एक नैतिक, विेवेकशील ईकाई में बदलना भी बहुत बड़ी चुनौती है. सत्तावालों को समाज वोट की शक्ल में दिखाई देता है, तानाशाहों को भीड़ की शक्ल में और पूंजीवाद को मजदूर की शक्ल में. इन तीनों के लिए नैतिकता व विकेकशीलता कभी कसौटी होती ही नहीं है. विवेक व नैतिक अधिष्ठान के बिना समाज नहीं बनता,  भीड़ बनती है जिसके सर तो अनेक होते हैं लेकिन आंतरिक रेगिस्तान बहुत बड़ा व भयावह होता है. हम ऐसे ही वक्त के सामने खड़े हैं.

इंद्रा नूई को अपने वक्त में जो 85% समाज मददगार मिला, वह आज तेजी से सिकुड़ता जा रहा है. अगर वह 15% से भी कम बचा तो इंद्रा नूई जैसों के लिए खड़े रहने की जगह नहीं बचेगी. इसलिए गांधी ऐसी जीवन-शैली की बात करते हैं जो कम-से-कम संसाधनों का उपभोग कर चलती हो, और जितना उपभोग करती हो, उसका उत्पादन भी करती हो. एशिया और अफ्रीका के देशों की जनसंख्या व उनके सकल घरेलू उत्पादन के बीच की जिस खाई का खतरा इंद्रा को दिखाई दे रहा है,  एक आत्मनिर्भर समाज ही उस खाई को पाट सकता है. वह खाई रुकेगी तो प्रोटीन की लूट की जरूरत नहीं पड़ेगी; और प्रोटीन की वैसी जरूरत नहीं पड़ेगी तो मांसाहार के लिए कृत्रिम पशु/पक्षी बनाने की जरूरत नहीं पड़ेगी. जैसे-जैसे वह जरूरत कम होती जाएगी, वैसे-वैसे नये-नये वायरसों व नई-नई बीमारियों का खतरा कम होता जाएगा. यह तो असंभव ही है कि हम जीवन-शैली तो ज्यों-की-त्यों रखें लेकिन उससे पैदा होने वाली मुसीबतों से बच जाएं ! इसलिए इंद्रा नूई के लिए यह समझना कठिन नहीं होना चाहिए कि हम जीवन-शैली बदलेंगे तो मुसीबतों से छुटकारा पाएंगे.

गांधी दुनिया में नागरिकों की आवाजाही पर किसी तरह का प्रतिबंध लगाने की कल्पना नहीं करते हैं. वे यह जरूर चाहते हैं कि सामाजिक-राजनीतिक परिस्थितियां ऐसी रहें कि किसी को अपना घर-समाज छोड़ने की लाचारी न हो लेकिन चाहे पढ़ाई के लिए हो कि कमाई के लिए हो, जिसे जहां जाना हो, वहां जाने से किसी को रोका जाए, ऐसा वे नहीं चाहते हैं. वे तो खुद भी पढ़ने व कमाने दूसरे देशों गए थे. हां, वे यह जरूर चाहते हैं कि आप जहां रहो, वहां के समाज को अपना समाज मान कर चलो. इसलिए वे दक्षिण अफ्रीका के हिंदुस्तानियों की लड़ाई को अपनी लड़ाई बना लेते हैं. वे देश का विभाजन तो रोकना चाहते थे लेकिन विभाजन हो गया तो भारत-पाकिस्तान में आबादी की अदला-बदली हो, वे यह नहीं चाहते थे. रहना चाहने वाले मुसलमान भारत में रहें, पाकिस्तान के हिंदू पाकिस्तान में रहें और दोनों देशों की सरकारों का यह नैतिक व वैधानिक दायित्व हो कि उसके सभी नागरिक आजादी व स्वाभिमान से साथ रह सकें, इसका आग्रह वे अंत-अंत तक करते रहे. 30 जनवरी  1948 को तीन गोलियों ने उनका आग्रह समाप्त किया.

इंद्रा नूई जिसे पूंजीवाद का नया चेहरा कहती हैं लेकिन जिसकी कोई तस्वीर उनके पास नहीं है,  गांधी उसे ग्रामस्वराज्य कहते हैं और उसका पूरा व पक्का खाका भी देते हैं. वे बार-बार समझाते हैं कि पूंजी पर पूर्ण नियंत्रण रखने वाला समाज नहीं बनेगा तो मानव-जाति का कल्याण संभव नहीं होगा.

तकनीक को विज्ञान समझने की भूल हम लोगों ने की जबकि गांधी दोनों का स्पष्ट फर्क समझते व समझाते रहे. विज्ञान मानव कल्याण की दिशा बतलाता है, बल्कि जो यह न बतलाए, गांधी उसे विज्ञान मानने से इंकार करते हैं. विज्ञान मानव कल्याण की जो दिशा बतलाता है, तकनीक समाज को उस दिशा में ले जाने का रास्ता खोजती है. आज वह विज्ञान ही कहीं खो गया है (या बिक गया है !) और विज्ञानविहीन तकनीक ने खुदा की जगह ले ली है. इंद्रा जिस अंधाधुंध तकनीक वाले भावी से सशंकित होती हैं, गांधी हमें उससे हमेशा सावधान करते रहे थे. उनकी बात एकदम सीधी थी : जो समाज अपनी रोटी के लिए पसीना नहीं बहाएगा (ब्रेड लेबर), वह अपने हाल पर जार-जार आंसू बहाएगा और कुछ भी उसके हाथ नहीं आएगा. श्रम शर्मनाक नहीं है, श्रम लाचारी नहीं है; श्रम स्वाभिमान है, श्रम समता का आधार है. जो अक्षम हों उन पर श्रम न लादा जाए (न बालश्रम, न वृद्ध-अक्षम श्रम) यह समाज की सभ्यता का प्रमाण है. मनुष्य को मनुष्यता की तरफ लौटाने का यही स्वर्णिम मार्ग है. यह कठिन मार्ग नहीं है, मजबूत मन का मार्ग है.  जो मन से मजबूत नहीं है, वह न नया मन बना सकता है, न नया समाज गढ़ सकता है.

मानव का भावी अंधकारमय इसलिए नहीं है कि महात्मा गांधी और इंद्रा नूई दोनों एक-सी दुनिया की चाहत रखते हैं; और इंद्रा नूई भी कहती हैं कि 85% लोगों का समाज ही तै करेगा कि हमारा भावी समाज कैसा होगा. यह भी गांधी की ही बात है जिसे इंद्रा अपनी भाषा में कहती हैं.

(31.03.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com   

Loading

યુદ્ધ એ જ કલ્યાણ? – યુદ્ધકાવ્યોની દુનિયામાં ડોકિયું

સોનલ પરીખ|Opinion - Opinion|1 April 2022


મરેલ માનાં સ્તન ચાવી થાક્યું
બેઠું અહીં બાળક માર્ગ વચ્ચે
શૂન્યે કશું ભાળતું નિનિર્મેષ.
થીજેલ એ દૃષ્ટિ તણી સરાણે
આવો જરા શસ્ત્રની ધાર કાઢીએ;
ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ

                                                                                                — સુરેશ જોષી

ગઈ સદીએ બે વિશ્વયુદ્ધ જોયાં છે. કદાચ આ સદી ત્રીજું વિશ્વયુદ્ધ જોશે. એ પછી ચોથું વિશ્વયુદ્ધ થાય છે કે નહીં તે જોવા બહુ ઓછા બચશે, પણ બચશે એટલા ફરી નવા યુદ્ધ માટે પ્રવૃત્ત થયા વિના નહીં રહે એ નક્કી, પછી ભલે એ યુદ્ધ આઈન્સ્ટાઈન કહેતા એમ પથ્થરોથી લડાય.

માણસ આટલો યુદ્ધ-ઉત્સુક એમ હશે? કાળના મહાપ્રવાહમાં દરેકની 70-80 વર્ષની હસ્તી એક નાના એવા પરપોટા જેટલી પણ નથી, છતાં સત્તાની લાલસા, વર્ચસ્વની પિપાસા અને યુયુત્સાની તૃપ્તિ માણસને કેવાં ભયાનક યુદ્ધો કરવા પ્રેરે છે! એક આફ્રિકન કહેવત છે, ‘વૉર ઇઝ ક્રિએટેડ બાય ધ પીપલ ટૂ ઑલ્ડ ટુ ફાઇટ ફૉર ધોઝ ટૂ યંગ ટુ ડાય’.

યુદ્ધનો એક ચહેરો બર્બરતા અને વિનાશનો છે, બીજો ચહેરો બલિદાન અને વીરત્વનો. વેદના બંને ચહેરાઓમાં છે. વિશ્વ કવિતા દિવસની ઊજવણી હજી તાજી જ છે ત્યારે થોડાં યુદ્ધકાવ્યો જોઈશું.

યુદ્ધ સાથે જોડાયેલા ખમીરને મધ્યકાલીન સાહિત્ય ખૂબ ગાય છે. ‘ભલ્લા હુઆ જુ મારિઆ બહિણી મારા કન્તુ, લજ્જેજ્જં તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એન્તુ’ (બહેન, મારો પતિ યુદ્ધમાં ખપી ગયો એ સારું થયું, ઘેર ભાગી આવ્યો હોત તો સખીઓમાં લાજતી ફરત) અને ‘પુત્તેં જાયેં કવણુ ગુણ, અવગુણુ કવણુ મૂએણ, જા બપ્પીકી ભૂંહડી, ચંપી જઈ અવરેણ’ (એવા પુત્રના જન્મથી શો આનંદ ને મૃત્યુથી શો શોક, જેના પિતાની ભૂમિ દુશ્મનોના પગ તળે ચંપાય)

આ ખમીરને ઝવેરચંદ મેઘાણીએ ખૂબ ખીલ્યું ને ગાયું છે. તેઓ પ્રેમશોર્યના ખરા કવિ હતા – પોઢજો રે મારાં બાળ, પોઢી લેજો પેટ ભરીને આજ – કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાં ય ન રહેશે’ કહી શિવાજીને પોઢાડતી જીજાબાઈને અને ‘ભેટે ઝૂલે છે તલવાર’ના ‘મોટાના મોત ચાર ડાઘુડે જાણિયાં, નાનાની ખાંભી પુજાય’ એ નાનેરા વીરને કોણ ભૂલી શકે?   

ચાર્લ્સ મેકેન્ઝીના ‘ધ કાવર્ડ’ અને મેરી લાકોસ્ટના ‘સમબડીઝ ડાર્લિંગ’ના મેઘાણીએ અનુવાદો નહીં, અદ્દભુત રૂપાંતરો કર્યા છે અને ‘પૃથ્વી પર કોઈ શત્રુ નથી માહરે, કાયરો એ અહંકાર ધરતા, મર્દ કર્તવ્ય-સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નીતરતા’ અને ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે’ જેવી અમર પંક્તિઓ આપી છે. ન્હાનાલાલની કુંતી કહે છે, ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’.

મહાભારત અને રામાયણનો મોટો ભાગ યુદ્ધ રોકે છે. વિશ્વનાં યુદ્ધકાવ્યોમાં માનવઇતિહાસની કુરુપ અને કાળી ક્ષણો જ નહીં, વિભીષિકાઓ વચ્ચે દેખાઈ જતી સુંદર અને પ્રકાશમય ક્ષણો પણ પકડાઈ છે અને વિજય, ગર્વ, પરાજય, સ્વમાન, સન્માન, સ્મૃતિઓ, રુદન, શોક, હત્યાકાંડ, ક્રૂરતા, કરુણતા, વિદ્રોહ વગેરે અનુભૂતિઓની વિશાળ શ્રેણી મળી છે.

ઈ.સ.પૂર્વે 2300માં સુમેર(હાલનું ઈરાક)ની એક કવયિત્રીએ લખ્યું હતું, ‘હે રાજવીઓ, તમે પર્વતો પરથી વહી રહેલું રક્ત છો; ધિક્કાર, લોભ અને ક્રોધની આગ છો…’ એ પછી હજારેક વર્ષો પછી હોમરે ‘ઈલિયડ’માં યુદ્ધ એ ‘મહાન યોદ્ધાઓને ખલાસ કરતી’ અને તેમના ‘સડતા માંસને ગીધ અને કૂતરાની મિજબાની’ બનાવતી વિભિષીકા છે એમ કહ્યું હતું. 750 ઈ.સ.માં ચીની કવિ લિ પોએ કહેલું, ‘માનવીઓના ક્ષતવિક્ષત શરીર રણના ઘાસને લોહિયાળ કરી રહ્યા છે. સેનાપતિઓ કશું હાંસલ કરી શક્યા નથી.’ 991માં થયેલા એક મોટા યુદ્ધ વખતે લખાયેલું ‘બેટલ ઑફ મેડોના’, પશ્ચિમના દેશોને દેશપ્રેમ અને વીરતા માટે એક હજાર વર્ષ સુધી પ્રેરણા આપતું રહ્યું હતું.

18મી સદીમાં જેમ્સ થૉમસનનું ‘રુલ, બ્રિટાનિયા, રુલ ધ વેવ્ઝ’ બ્રિટનના મિલિટરી સમારંભોમાં હંમેશાં ગવાતું. ટેનિસનનું ‘હાફ એ લીગ, હાફ એ લીગ, હાફ એ લીગ ઓનવર્ડ’ અને જુલિયા વૉર્ડનું ‘બેટલ હિમ’ પ્રસિદ્ધ કૂચગીતો છે. એમર્સને સ્વાતંત્ર્યની ઊજવણી માટે ‘કૉન્કૉર્ડ હિમ’ લખ્યું હતું અને ફ્રાન્સિસ સ્કૉટ કીએ લખેલું અમેરિકાનું રાષ્ટ્રગીત મૂળ તો અમેરિકા અને બ્રિટન વચ્ચેના 1812ના ભયાનક યુદ્ધ પછી રચાયું હતું. વિયેટનામ યુદ્ધ વખતે સિતાંશુ યશશ્ચંદ્રે ટેંકની કૂચને એના ધ્વનિઓ સાથે આલેખતું એક અલગ પ્રકારનું કાવ્ય લખ્યું હતું – હેન્ક ટેન્ક કચ ડાન્ક તોન્ક હાં …

શેલી, ટેનિસન, યિટ્સ, એમર્સન, થૉમસ હાર્ડી, રુડ્યાર્ડ કિપ્લિંગ આ બધાએ ખુવારી વેઠી હતી, પણ રણમેદાનમાં જઈ યુદ્ધનો ખરો અનુભવ લીધો ન હતો, પણ પહેલા વિશ્વયુદ્ધના મોટાભાગનાં યુદ્ધકવિઓ સૈનિક હતા. એમણે રણમેદાનને રોમેન્ટિસાઈઝ કરીને જે કાવ્યો લખ્યાં તેને સંગીતબદ્ધ કરીને લોકોએ ખૂબ ગાયાં. એક યુદ્ધનૌકા સાથે જળસમાધિ લેતાં પહેલાં રુપર્ટ બ્રૂકે ‘ધ સૉલ્જર’ સોનેટ લખેલું જે ‘ઈફ આઈ શૂડ ડાઈ’ ગીત રૂપે લાખો લોકોના હૃદયમાં બિરાજ્યું. એમાં એ કહે છે, ‘જો મારે મરવાનું થાય, તો એટલું જ વિચારજો, વિદેશની ભૂમિના કોઈક ખૂણો કાયમી ઈંગ્લૅન્ડ બન્યો …’ એલન સીગર ‘રેન્ડેવ્યૂ વિથ ડેથ’માં કહે છે, ‘હૂંફાળા છાંયડા સાથે વસંત આવશે અને પાકતાં સફરજનની સુગંધ હવામાં ભળશે ત્યારે મારે મોત સાથે મુલાકાત હશે, કોઈ એક વિવાદાસ્પદ સરહદ પર …’ ગુલઝારની ‘મૌત તૂ એક કવિતા હૈ, મુઝસે એક કવિતા કા વાદા હૈ, મિલેગી મુઝકો’ યુદ્ધકાવ્ય નથી, છતાં આ પંક્તિ સાથે યાદ આવી ગઈ.    

પણ અમુક કવિઓને આવું રોમેન્ટિસિઝમ પસંદ ન હતું. વીસમી સદીની શરૂઆતમાં આવેલા આધુનિકતાવાદે સર્જકોને માળખાની બહાર જવા પ્રેર્યા હતા. 25 વર્ષની ઉંમરે માર્યા ગયેલા વિલ્ફ્રેડ ઓવેનનું કાવ્ય લોહિયાળ કીચડમાં કૂચ કરતા સૈનિકો, ગાડામાં ફેંકાઈ ગયેલું શરીર અને ચહેરામાં ફરતી રહી ગયેલી સફેદ આંખો જેવાં ચિત્રાત્મક વર્ણનોથી આઘાત આપે છે. બ્રિટિશ કવિ સેફ્રિજ સેશન કહે છે, ‘સવાર પડે અને ધૂળ ઉડાડતું દળ સૂર્યના રક્તિમ ઉજાસને ઢાંકી દે અને સાંજ એક વિસ્ફૉટ સાથે આથમે … ઈશ્વર, અટકાવ હવે આ દૃશ્યોને’ માનસિક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા બ્રિટિશ કવિ આઈવર ગુર્ને કહે છે કે પહેલું વિશ્વયુદ્ધ અને બીજા સૈનિકો સાથેની દોસ્તીના પરિણામે જ પોતે કવિ થયો છે. એનો સૂર હંમેશાં ઉદાસી અને આનંદના મિશ્રણ જેવો રહ્યો છે.

યુદ્ધમાં ભાગ લીધો ન હોય, પણ કવિએ યુદ્ધના સાક્ષી કે કેદી તરીકે દમન અથવા માનવઅધિકારના હનનનો ભોગ બનીને લખ્યાં હોય એવાં કાવ્યો ‘પોએટ્રી ઑફ વિટનેસ’ કહેવાય છે. તેમાં શૌર્યની ગાથા કરતાં પીડાનું આલેખન અને સામાજિક નિસબત વધારે હોય છે. અલ સાલ્વાડૉરમાં આંતરકલહ ફાટી નીકળ્યો ત્યારનું એક અતિવાસ્તવવાદી કાવ્ય કહે છે, ‘સાર્જન્ટે અડધા કાપેલા સુકવેલા પીચ જેવા માણસોના કપાયેલા કાન ટેબલ પર પાથર્યા. એમાંનો એક કાન હાથમાં લઈ તેણે અમારી સામે હલાવ્યો અને પાણીભરેલા પ્યાલામાં નાખ્યો. પાણીમાં પડતા જ તે તાજો, જીવતો થઈ ગયો …’

પોએટ્રી ઑફ વિટનેસમાં લોકોનો રસ કદી ન સુકાયો. પ્લેટોએ કહ્યું છે, કવિની જવાબદારી છે કે તેણે સાક્ષી હોવાની પીડા ઝીલવી અને વર્ણવવી. અમેરિકન સિવિલ વૉર વખતે નર્સ તરીકે 80,000 ઘાયલોની પરિચર્યા કરનાર વૉલ્ટ વ્હીટમેન લખે છે, ‘કપાઈ ગયેલા હાથના ખભા પરથી, હું ચોંટી ગયેલું કપડું ઉખેડું છું અને સડેલું માંસ કાપી લઈ લોહી અને કચરો ધોઉં છું’ ચિલીના કવિ પાબ્લો નેરુદા સ્પેન સિવિલ વૉર સમયનાં એમનાં જુગુપ્સાજનક છતાં સંવેદનશીલ કાવ્યો માટે જાણીતા છે. અમેરિકાના હૉલોકાસ્ટ મ્યુઝિયમમાં નાઝી કેમ્પોમાં લખાયેલાં કાવ્યોનો મોટો સંગ્રહ છે. જાપાનના કવિ શોડા શિનોએ એટમબૉમ્બે વેરેલા સર્વનાશનાં કાવ્યો લખ્યાં છે. ક્રોએશિયન કવિ મારિઓ સુસ્કોએ બૉસ્નિયાના યુદ્ધનાં કરપીણ ચિત્રકાવ્યો આલેખ્યાં છે. ઇરાકી કવિ મિખાઈલ યુદ્ધને વિવિધ પડાવોમાંથી પસાર થતા માણસ તરીકે વર્ણવે છે. યુસુફ કોમુન્યાકા લખે છે, ‘છાવણીના માર્ગમાં નરપિશાચો અમારાં વસ્ત્રો ફાડે છે, આથમતા સૂર્યનું બિંબ ઊડતા પથ્થરોથી ઢંકાઈ જાય છે. અમારા વાંસા પર કાંચિડાઓ ફરે છે, દિવસ રાત્રિમાં પલટાઈ રહ્યો છે, લાલ આકાશ અને લીલી જમીન કાળાં થતાં જાય છે. ચંદ્ર અમારાં હથિયારોને સ્પર્શે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે.’ અમેરિકાએ ઈરાક પર આક્રમણ કર્યું ત્યારે યુદ્ધવિરોધી કવિઓએ વ્હાઈટ હાઉસના દરવાજે કાવ્યપઠન કરેલું. આની વૈશ્વિક અસર પડી અને અનેક કાવ્યપઠનો યોજાયાં અને એક દસ્તાવેજી ફિલ્મ તેમ જ 13,000 કવિઓની એક વેબસાઈટ બન્યાં.

અને અંતે યાદ કરીએ સુરેશ જોષીને, ‘મરેલ માનાં સ્તન ચાવી થાક્યું, બેઠું અહીં બાળક માર્ગ વચ્ચે, શૂન્યે કશું ભાળતું નિનિર્મેષ. થીજેલ એ દૃષ્ટિ તણી સરાણે, આવો જરા શસ્ત્રની ધાર કાઢીએ; ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ’.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 માર્ચ 2022 

Loading

કિંમત

પ્રીતમ લખલાણી|Poetry|1 April 2022

કોઈ સવારે
તમે ચાંદીની થાળીમાં
મજેથી પરિવાર જોડે
પૂરણપોળી
ખાતાં હોય અને હું,
વીજળીના તારેથી
ક્રાંઉ ક્રાંઉ કરતો
મારા હકના
રોટીના બે ટુકડા માટે
તમારા આભને
ચીસોથી ખરડી નાંખું તો?
કદાચ
તમે આવેશમાં આવીને
મારી ક્રાંઉ ક્રાંઉને સદા માટે ચૂપ કરી દેવા
ગોળીએ વીંધી નાખશો તો?
હું ઈશ્વર પાસે
બે હાથ જોડી
તમે કરેલા ઉપકારનો
આભાર વ્યક્ત કરી શકે,
મારી આવનાર નવી પેઢીને
આટલું તો જરૂર સમજાઈ જશે કે,
અહીં પેટનો ખાડો પૂરવા
રોટીના બે ટુક્ડા માટે
મારાં પૂર્વજનોને લોહી આપવું પડ્યું હતું!
હક્ક મેળવવા!
અમારે શું નહીં આપવું પડે?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 02 

Loading

...102030...1,4471,4481,4491,450...1,4601,4701,480...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved