Opinion Magazine
Number of visits: 9458902
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચ રાજ્યોના પ્રકાશમાં

દીપક બી. દવે|Opinion - Opinion|15 April 2022

 પાંચ રાજ્યની હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં એકંદરે ભા.જ.પ. બહુમતીથી ચૂંટાઈ આવ્યો. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સૌથી સારો દેખાવ કર્યો, અને તે જ રાજ્ય ભા.જ.પ. માટે મહત્ત્વનું હતું. ભા.જ.પ.ની જીત માટે ઘણા સમાચારપત્રો અને વિવેચકોએ આઘાત-પ્રત્યાઘાત રજૂ કર્યા છે. ઘણા વિવેચકો અને નિરીક્ષકોનું માનવું હતું કે ભા.જ..પ ઉત્તર પ્રદેશમાં માર ખાશે અને બહુમતી ઘટી જશે.

આ ચૂંટણીમાં ભા.જ.પ. જીતી ગયું તે કરતાં બીજાં મહત્ત્વનાં પાસાંઓ પણ વિચારવા જેવાં છે.

સૌ પ્રથમ દુર્ભાગ્યની વાત એ છે કે વિરોધપક્ષોએ સંગઠનની ભાવના રાખી હોત તો ચૂંટણીનું પરિણામ કંઈક જુદું હોત. કાઁગ્રેસ જેવો રાષ્ટ્રીય પક્ષ એ મજબૂત ગઠબંધન દ્વારા ભા.જ.પ.ને ટક્કર આપી શકત. આ વાત બતાવે છે કે આ દેશના રાજકીય પાસાંઓમાં સમજૂતી અને સંપ લાવવો મુશ્કેલ છે. કાઁગ્રેસ, સમાજવાદી પક્ષ અને માયાવતીનો બહુજન સમાજ પક્ષ ભેગાં થઈ ગયાં હોત તો એક મજબૂત ગઠબંધન જરૂરથી બનત. સૌથી દુઃખની વાત એ છે કે આપણા દેશમાં એવી વ્યક્તિનો અભાવ છે કે કે બધાને તાંતણે બાંધવા મધ્યસ્થી કરી લાવી શકે. પશ્ચિમના દેશોમાં આવી વ્યક્તિઓ મળી રહેશે. મધ્યમ માર્ગ કાઢી પ્રજાનું અને દેશનું હિત થાય એવા નેતાઓ જરૂરથી મળી આવશે.

બીજું, આ ચૂંટણીમાં ‘આપ’ રાજકીય પક્ષ તરીકે પંજાબમાં બહુમતીથી જીતી આવ્યો તેથી એક આશા બંધાય છે કે ભારતીય લોકશાહીમાં વિરોધ પક્ષ તરીકે બીજા પક્ષો આવી રહ્યા છે. તૃણમૂલ કાઁગ્રેસ પણ પશ્ચિમ બંગાળમાં જીતી હોવાથી આશા છે કે રાષ્ટ્રીય કાઁગ્રેસ ભલે નબળો પડ્યો પરંતુ બીજા પક્ષોમાંથી કોઈક પક્ષ જરૂરથી આવશે. એક મજબૂત વિરોધપક્ષની બહુ જરૂર છે. જરૂર છે જૂજ નેતાની અને વિવેચકોની કે જેઓે થોડા પણ મહત્ત્વના સિદ્ધાંતો અને કેન્દ્રીય મુખ્ય વિચાર રજૂ કરે અને તેના વડે બીજા બધાને દોરે.

ભા.જ.પ. કે નરેન્દ્ર મોદીને હરાવીને પછાડવાની ભાવના રાખવી નહીં જોઈએ. જરૂરથી નરેન્દ્ર મોદીની રાહબરી નીચે કામ કરતી ભા.જ.પ.ની સરકાર અમુક અંશે લોકોને લાભદાયક બની છે; પરંતુ તેઓની નીતિ, આર્થિક બાબત અને લોકોમાં પરિવર્તનને લગતી બાબતો દીર્ઘદૃષ્ટિ અને ઉચ્ચ ભાવનાથી દૂર છે.

આપણે હવે આને સ્પષ્ટ કરતી બાબતોને અને હકારાત્મક વિચારોને સ્થાન આપવું જોઈએ.

દાખલા તરીકે ઇતિહાસકાર અને સામાજિક કર્મશીલ રામચન્દ્ર ગુહાએ બહુ સરસ વાત કરી : “ભા.જ.પ. શા માટે બોઝની જયંતી ઉજવે છે?  એક, ભા.જ.પ. પાસે સ્વતંત્રતાની લડાઈના કોઈ મોટા નેતા નથી. બીજું, એ નેહરુ નથી અને ત્રીજું, શૂરવીરતા બતાવવામાં એ ભા.જ.પ.ની નજીક છે. આવા માનસ ધરાવતું ભા.જ.પ. ભવિષ્યમાં એવું પણ બને કે ૧૫મી ઑગસ્ટે અરવિદં ઘોષનો જન્મ દિન ઉજવે. વળી ગુહાએ બીજી વાત એમ પણ કહી કે ભા.જ.પે. કાઁગ્રેસના બે મહાન નેતાઓ સરદાર પટેલ અને બોઝનો તેમના હિરો તરીકે કબજો કરી લીધો છે. કાઁગ્રેસે જ ભા.જ.પ.ને આ બે નેતાઓને ધરી દીધા છે.”

નકારાત્મક ટીકા અને પ્રત્યાઘાત ભા.જ.પ. સામે નહીં કરતા આ પ્રકારની બાબતો વિષયને સ્પષ્ટ કરે છે. પ્રજાને સાચી દિશામાં અને સારાં પગલાં માટે ઘડી શકાશે. તેમ જ તેઓ ટૂંકી દૃષ્ટિથી દૂર રહેશે.

૧૫, ઉપહાર, ચિરંજીલાલ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૬

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 04 

Loading

ખિસ્સાકાતરુનો પોતરો ….

ભરત મહેતા|Opinion - Opinion|15 April 2022

લઈ લો … લઈ લો …
કરતો આવ્યો છે વેચણહારો વણઝારો!
કવિઓ તાબોટા પાડી પાડીને મંડી પડ્યા છે ગાવા
જીવો વણઝારા વ્હાલમ, જીવો વણઝારા ..
વેચણહારો વણઝારો પોઠ ભરીને લાવ્યો છે
સરકારી કંપનિયું, બસના અડ્ડા, રેલવેસ્ટેશનું,
થોડીક નદિયું,ચપટીક સમંદર, ચાંગળુક પર્વતો!
લાગે કે જાણે સરકાર રંડાણી!
પછી તો ભાઈ લેવા માંડ્યું હંધુય
કાં અદાણી, કાં અંબાણી, કાં કોઈ પણ રાણીએ મા આણી!
વેચાયા પછી બની જાય છે
બસનો અડ્ડો, ચકચકતો મોલ!
માતાજીનો ભૂવો માથાના વાળથી પગની પાની લગી
ફેરવે સાવરણી એમ
તમે પ્રવેશો કે કંઇક ફેરવે છે સુરક્ષાકર્મીઓ!
તમે ચ્યાંક આતંકવાદી તો નથી ને?
પણ આપણને તો મિનિટ બે મિનિટ હારું લાગે હોં!
જાણે આપણેય ન હોય મોટ્ટા વીઆઈપી!
વળી આપણે આ વીઆઈપીપણામાંથી ભાનમાં આવીએ
ન આવીએ, ત્યાં તો ફેંકાય ..
થૅન્ક્યૂ, હેવ અ ગુડ ડે સર …
આપણને થાય કયાં ગ્યાં
પેલાં શેરડીના રસના ગ્લાસ લઈને આવનારાં છોકરાંવ?
ખાટીમીઠી ને શીંગચણાવાળા?
દંતમંજન અને ખોટ્ટાં ઘરેણાંવાળા?
જે ઘરેણાં લઈ, જાણે સાચ્ચેસાચા લીધા હોય એમ મલકાતી
નવી વહુવારુ?
'જો, જો લ્યા, કોઈનું ખિસ્સું કપાય ન હોં? માદરબખત અહીં
રખડતા હોય છે’
કહી બૂમો પાડતા દાદાનું જ કપાતું ખિસ્સું!
એ ખડ ખડ હસી પડતા,  માળો મારા પર જ કળા કરી ગયો!
આપણે તો હાળું હસાયેય નંઈ ને રડાય નંઈ
કયાં ગ્યા એ દાદા?
કયાં ગ્યા હશે એ ખિસ્સાકાતરુ?
પણ ઊભા રો, ઊભા રો
આ વેચણહારા વણઝારાની મોં કળા
ઓલા ખિસ્સાકાતરુ હારે કાં મળતી આવે?
એનો પોતરો બોતરો જ લાગે છે!

E-mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 05 

Loading

આર્થિક રીતે પછાત વર્ગ : વ્યાખ્યા અને વાસ્તવિક્તા

રમેશ બી. શાહ|Opinion - Opinion|15 April 2022

ભારતમાં રાજકીય પક્ષો રોજગારી સર્જવામાં નિષ્ફળ ગયા છે. એના વિકલ્પે સરકારમાં સર્જાતી રોજગારી વહેંચી આપવાની નીતિ એમણે અપનાવી છે. શરૂઆતમાં એસ.સી. અને એસ.ટી., એમ બે વર્ગો માટે અનામત હતી. એમાં સમય જતાં અન્ય પછાત વર્ગો (ઓ.બી.સી.) માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૧ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ ભારત સરકારે એક પરિપત્ર બહાર પાડીને સરકારમાં ૧૦ ટકા જગ્યાઓ, આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામત જાહેર કરી. આ અનામત એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સિવાયના વર્ગોને લાગુ પડે છે. એમની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી છેઃ કુટુંબની આવક બધાં ક્ષેત્રોમાંથી ૮ લાખથી વધારે ન હોવી જોઈએ. કુટુંબ પાસે કોઈ સંપત્તિ હોય, દા.ત. ૫ એકર જમીન ખેતી માટે હોય અથવા સો ચોરસ વારનો રેસિડેન્શિયલ પ્લૉટ હોય. (જાહેર કરવામાં આવેલી મ્યુનિસિપાલિટીઓના વિસ્તારમાં અથવા અન્ય મ્યુનિસિપાલિટીઓમાં ૨૦૦ ચોરસ વારનો પ્લૉટ હોય તો આવકની ગણતરી કર્યા વિના આર્થિક રીતે પછાત વર્ગોમાંથી તે કુટુંબને બાદ કરવામાં આવશે. કુટુંબમાં પતિ-પત્ની, મા-બાપ એમનાં ૧૮ વર્ષથી નીચેનાં સંતાનોનો સમાવેશ થાય છે.

આ વ્યાખ્યા અત્યંત મનસ્વી (arbitary) છે. રૂ. ૮ લાખની વાર્ષિક આવક ઘણી ઊંચી સપાટી ઉપર છે. એનો અર્થ એ થાય માસિક આવક રૂ. ૬૬,૬૬૬ થાય. આ આવક દેશમાં બહુ ઓછાં કુટુંબોને મળે છે. એ કુટુંબ આર્થિક રીતે પછાત ના જ ગણાય.

બે અર્થશાસ્ત્રીઓએ ભારત સરકાર દ્વારા ૨૦૧૮ જુલાઈથી ૨૦૧૯ના જૂન સુધી જે મોજણી કરવામાં આવી હતી તેના આંકડાનો ઉપયોગ કરીને આવકની કસોટીએ કેટલાં કુટુંબો આર્થિક રીતે પછાત વર્ગનાં આવી શકે એનો અંદાજ મૂક્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં ૯૯ ટકા કુટુંબો અને શહેરી વિસ્તારમાં ૯૫ ટકા કુટુંબોની આવક વાર્ષિક ધોરણે રૂ. ૮ લાખથી ઓછી હતી. બીજા ધોરણે એક સરેરાશ આવકનો ઉપયોગ કરીને તેમણે ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં કેટલાંક કુટુંબો આર્થિક રીતે પછાત વર્ગમાં આવી શકે તેની ગણતરી કરી હતી. ગ્રામીણ વિસ્તારમાં મધ્યસ્થ આવક દર મહિને રૂ. ૯ હજાર હતી અને શહેરી વિસ્તારોના એ આવક રૂ. ૧૫ હજાર હતી. આ કુટુંબોને બાદ કરવામાં આવે તો પણ ગ્રામીણ વિસ્તારમાં ૯૯ ટકા કુટુંબો અને શહેરી વિસ્તારમાં ૯૪ ટકા કુટુંબોની આવક ૮ લાખથી ઓછી હતી. ટૂંકમાં, મોટા ભાગનાં કુટુંબો આવકની કસોટીએ આર્થિક રીતે પછાત વર્ગમાં આવી શકે.

બીજી કસોટીમાં સંપત્તિનું મૂલ્ય જોવામાં આવ્યું નથી. મ્યુનિસિપલ વિસ્તારોમાં ૧૦૦૦નો પ્લોટ કે ૨૦૦નો પ્લૉટ એના મૂલ્ય વગર ધ્યાનમાં રહીને કુટુંબને આર્થિક રીતે પછાત વર્ગમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. આમાં, ગ્રામવિસ્તારોમાં ૫ એકર જમીન ધરાવતા કુટુંબને બાકાત રાખવામાં આવ્યું છે. દેશના બધા વિસ્તારોમાં ૫ એકરની જમીન ધરાવતો ખેડૂત ૮ લાખની આવક મેળવી શકતો નથી. વળી, જેની પાસે સંપત્તિનાં અન્ય સાધનો હોય જેમ કે સોનું તેને; આ વ્યાખ્યા નડતરરૂપ નહીં થાય. આનો કેસ સર્વોચ્ચ અદાલત સમક્ષ ચાલી રહ્યો છે. એનો ચુકાદો જે આવશે તે આ દૃષ્ટિએ રસપ્રદ હશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 05

Loading

...102030...1,4311,4321,4331,434...1,4401,4501,460...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved