એ દોસ્ત આપણી દોસ્તી,
જો મ્હેર તારી આપદા ટળે.
દોસ્તીની વસંત બારમાસી,
અહમનાં ફૂલ ખરતાં મળે.
મારી ભર્યા કૂવાની ઉદાસી,
તારી હાજરીનું દોરડું તરે.
મિત્ર તણો હુંફાળો જીવ,
મારા વિશેની અંજલિ ફળે.
મૈત્રીનું લાગણી ભર્યું ફૂલ,
શ્રીકૃષ્ણના દ્વારે જ મળે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


થોડાં વરસો પહેલાં ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના જંગ બહાદુર ગંજ ગામની શાળાના પરિસરમાં અગ્રણી દલિત પત્રકાર-લેખક ચંદ્રભાણ પ્રસાદની પ્રેરણા અને પહેલથી અંગ્રેજી માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. આઠસો ચોરસ ફૂટ જમીનમાં બનાવેલા આ મંદિરમાં અંગ્રેજી માતાની ત્રણ ફૂટની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. એક હાથમાં કલમ અને બીજા હાથમાં ભારતનું બંધારણ ધારણ કરેલી અંગ્રેજી માતાની આ પ્રતિમા અમેરિકાના સ્ટેચુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ હતી. દલિતોનાં સઘળાં દુ:ખોનો ઈલાજ અંગ્રેજી શિક્ષણને માનતો દલિતોનો એક વર્ગ ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો નાંખનાર લોર્ડ મેકોલેને પોતાના ઉદ્ધારક માને છે. અને તેમનો જન્મદિવસ પણ ઉજવે છે !
જીવન એટલે શું? ઘણા લોકો એવું કહેશે કે જીવન એટલે જીવવું. ખોટું. જીવવું તો બાય ડિફોલ્ટ છે. એ આપણા હાથમાં નથી. એમાં આપણી પસંદ-નાપસંદ નથી. જીવવું એ પ્રકૃતિની કરામત છે, આપણી નહીં. કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે. જીવન આપણા નિર્ણયોનું પરિણામ છે. નિર્ણયો કરવા એનું નામ જીવન. આપણે સવારથી સાંજ સુધી અને જન્મથી મરણ સુધી લગાતાર નિર્ણયો કરતા રહીએ છીએ. અમુક નિર્ણયો સાધારણ હોય છે અને અમુક અસાધારણ. જેમ કે સવારે પથારીમાંથી બહાર નીકળવું કે બ્રશ કરવું એ સાધારણ નિર્ણય છે, શું ભણવું, શું કામ કરવું કે કોની સાથે લગ્ન કરવાં એ અસાધારણ નિર્ણય છે.