Opinion Magazine
Number of visits: 9744966
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડેથ ઓન ધ રોડ: દેશની પ્રગતિમાં તેના રોડ્સ રોડાં નાખે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 September 2022

તાજેતરમાં, દેશના 54 વર્ષીય અગ્રણી ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રોડ દુર્ઘટનામાં અવસાન થયું, તે પછી કાર વાહકોની સલામતીને લઈને ફરીથી ઉગ્ર ચર્ચા શરૂ થઇ. મિસ્ત્રીનું અવસાન એટલું આઘાતજનક હતું કે સરકાર પણ સફાળી જાગી અને તાત્કાલિક અસરથી કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત કરી નાખ્યું (મિસ્ત્રી તેમની મર્સીડીઝ કારમાં પાછળ બેઠા હતા અને તેમણે સીટ બેલ્ટ પહેર્યો નહોતો).

કારની પાછલી સીટ પર બેલ્ટની આવશ્યકતાને લઈને દેશમાં ઘણી ચર્ચા થઇ, તેની સાથે બીજો મુદ્દો દેશના રોડની ગુણવત્તાનો પણ ઉઠ્યો. ભારતમાં રોડ દુર્ઘટનાઓ રોડની ડિઝાઈનથી લઈને તેની તૂટેલીફૂટેલી હાલત પણ કારણભૂત છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ એકત્ર કરેલા આંકડા મુજબ દેશમાં દર વર્ષે 1.5 લાખ લોકો રોડ પર મરી જાય છે, જેમાંથી ત્રીજા ભાગનાં મોત નેશનલ હાઇવે પર થાય છે. કેન્દ્રિય પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એકવાર કહ્યું હતું કે રોડ દુર્ઘટનાઓ અને તેમાં મૃત્યુનું મુખ્ય કારણ રોડની ડિઝાઈનમાં ત્રુટી, ખામીભર્યા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ, જંકશન્સની ત્રુટીપૂર્ણ બનાવટ, અપૂરતી રોડ સાઈન્સ અને માર્કિંગ્સ છે.

સાયરસ મિસ્ત્રીના કિસ્સામાં પણ, સાત સભ્યોની એક ફોરેન્સિક ટીમે સ્થળ-તપાસ કરીને તારણ આપ્યું છે કે ત્યાં બ્રિજની ડિઝાઈનમાં “ખામી”ના કારણે તેમની મર્સીડીઝ-બેન્ઝને અકસ્માત થયો હતો. કાર અને બાઈક્સના ઓનલાઈન ઓટોમોબાઇલ મેગેઝીન “ઓવરડ્રાઈવ”ના એડિટર બોબ રુપાણી લખે છે, “મને અમદાવાદ-મુંબઈ હાઈવેનો સારો પરિચય છે. એ દેશના સૌથી ખરાબ રીતે ડિઝાઈન કરેલા, ગીચ અને અરાજકતાથી ભરેલા હાઇવે પૈકીનો એક છે.”

ભારતમાં દાયકાઓથી રોડ્સની ગુણવત્તા એક રાષ્ટ્રીય મુદ્દો છે. ઘણા લોકોને એ ખબર નથી દેશની આર્થિક પ્રગતિમાં ઉત્તમ રોડ નેટવર્કનું યોગદાન બહુ અગત્યનું હોય છે. ચીને પાછલા દાયકાઓમાં જે તોતિંગ આર્થિક વિકાસ કર્યો છે, તેમાં તેણે બાંધેલા અનેક રોડ્સના યોગદાનની નોંધ લેવામાં આવતી નથી.

રિસર્ચ આધારિત રિપોર્ટ્સ પ્રકાશિત કરતા મૂળ ઓસ્ટ્રેલિયાના ઓનલાઈન વૈશ્વિક પોર્ટલના એક અહેવાલ અનુસાર, 2000ની સાલમાં ચીનમાં 50,000 કિલોમીટરના હાઇવે હતા. 2020ના અંતે તેમાં ત્રણ ઘણો વધારો થઇને તે 1,60,000 કિલોમીટર થઇ ગયા હતા. પૂરા અમેરિકામાં જેટલા આંતરરાજ્ય હાઇવે છે, તેના કરતાં 20% લાંબા હાઇવે ચીને બનાવ્યા છે. ચીનના કુલ રોડ્સમાં આવા રોડ્સની સંખ્યા 40% છે.

આ રિપોર્ટ અનુસાર, ભારતે પણ આ જ સમયગાળા દરમિયાન ત્રણ ગણા હાઈવે જોડ્યા છે, પરંતુ તેનું નેટવર્ક ઓછુ સંતોષકારક છે. તેની ગુણવત્તા ઉતરતી છે, તે સાંકડા છે, તેની સાર-સંભાળમાં દુર્લક્ષ સેવવામાં આવે છે અને દેશના સમગ્ર રોડ નેટવર્કમાં તેનો હિસ્સો મામુલી છે. આનું સીધું પ્રતિબિંબ બંને દેશોની આર્થિક પ્રગતિમાં જોવા મળે છે. 2014ના વિશ્વ બેંકના સર્વે અનુસાર, દસમાંથી એક ભારતીય કંપનીએ કહ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઊણપ તેમની પ્રગતિમાં મોટો અવરોધ છે. એટલા માટે જ ભારત હવે રોડ નેટવર્કમાં વિશાળ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે.

ભારતનું 5.9 મિલિયન કિલોમીટરનું રોડ નેટવર્ક ચીન કરતાં મોટું (4.6 મિલિયન કિલોમીટર) છે, પણ ગુણવત્તામાં તે ઉતરતું છે; એ નેટવર્કમાં માત્ર 3% રોડ્સ નેશનલ હાઈવે છે અને 75% હાઇવે માત્ર બે લેનવાળા છે. આ રોડ્સ ભરચક છે અને સમારકામ પાછળ પૂરતા પૈસા ફાળવાતા નથી. 40% રોડ્સ ગંદા છે અને 30%થી વધુ ગામડાંની બારમાસી રોડ્સ સુધી પહોંચ નથી. ભારતમાં રોડ્સ કેમ ખરાબ છે? એક અમેરિકન રિસર્ચ સમૂહ વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના કર્તાહર્તા માધવ પાઈએ, ‘ધ ઇકોનોમિસ્ટ’ મેગેઝિનને તેનાં ત્રણ કારણો સમજાવ્યાં હતાં.

એક, ઘણા ગરીબ દેશોએ તેમના રોડ્સ ધનિક દેશોની તર્જ પર બનાવ્યા છે. આ દેશોનો મોટા ભાગનો ટ્રાફિક મોટરો અને લોરીઓનો બનેલો છે. ભારતમાં મોટા ભાગનાં શહેરોનો 75% ટ્રાફિક મોટરસાઇકલ અને સ્કૂટર્સનો બનેલો છે. કારની સરખામણીમાં આ વાહનોને અકસ્માત થવાની શક્યતા 30 ગણી વધારે છે. છતાં, ભારતના રોડ્સમાં ટૂ-વ્હીલર્સ માટે અલગ લેન કરવામાં નથી આવતી.

બે, ડ્રાઈવિંગના શિક્ષણનો અભાવ. 2017ના એક સર્વે અનુસાર દસમાંથી છ ડ્રાઈવરોએ ડ્રાઈવિંગ ટેસ્ટ વગર જ લાઇસન્સ મેળવેલાં છે. દેશમાં ડ્રાઈવિંગ ટેસ્ટ કડક કરવામાં આવ્યાં છે તે સાચું, પરંતુ હજારો લોકો શોર્ટ-કટથી લાઈસન્સ મેળવે છે. 37% ટ્રક ડ્રાઈવરોએ કબૂલ કર્યું હતું કે મહાકાય ટ્રકોને ચલાવાની વિશેષ તાલીમ વગર જ તેમણે લાઈસન્સ મેળવ્યાં છે.

ત્રીજું કારણ સ્વાસ્થ્ય સેવાની ઊણપ છે. ધનિક દેશોની સરખામણીમાં ભારતમાં અકસ્માતમાં તાત્કાલિક સારવાર નથી મળતી એટલે મૃત્યુ વધુ થાય છે. શહેર બહાર ઈમરજન્સી સેવાઓની અછત છે. હોસ્પિટલોમાં ઘાયલ દરદીઓ માટે પૂરતી પથારીઓ નથી. દર એક હજાર દરદીઓએ એકથી પણ ઓછા ડોકટર ઉપલબ્ધ છે. ધરમ કરતાં ધાડ પડે તે ન્યાયે લોકો પોલીસના ‘લફડા’થી બચવા માટે થઈને અકસ્માતમાં મદદ કરતા નથી.

ભારત સરકારે આ ત્રણે સમસ્યાઓને ઉકેલવા માટે અનેક પગલાં ભર્યા છે, પરંતુ તેનાં ધાર્યા પરિણામો આવ્યાં નથી.

ભારતમાં સાર્વજનિક જગ્યાઓને લઈને લોકોમાં પણ ખાસ કદર નથી. કહેવાય છે કે ભારતના લોકો તેમની અંગત જરૂરિયાત માટે જેટલા જાગૃત છે, જાહેર જરૂરિયાતની વાત આવે ત્યારે “મારે શું?”ની માનસિકતા બનાવી રાખે છે. ભારતમાં રોડ જેવી સીધી-સાદી જરૂરિયાતમાં પણ છ પ્રકારના લોકો તેમનાં વિભિન્ન હિતો સાધતા હોય છે; રાજકારણીઓ, બાંધકામ વિભાગ, પ્રોજેક્ટના ઈજનેરો, રોડ જ્યાં બંધાતો હોય ત્યાંના સ્થાનિક લોકો, બાંધકામ કરનારી કંપની અને તેના કર્મચારીઓ.

આપણા શહેરમાં આપણે રોડની જે દશા જોઈએ છીએ તેના માટે આ છ લોકો જવાબદાર છે, કારણ કે રોડ બનાવવાના વિચારથી શરૂ કરીને તેને પૂરો કરવાની પ્રક્રિયા સુધી અલગ-અલગ સ્તરે સંડોવાયેલા લોકો આ કામને “માથાનો દુઃખાવો” ગણે છે અને “ગમે-તેમ” કરીને તે પતે અને જાન છૂટે તેની રાહ જોતા હોય છે. ઉપરથી નીચે સુધીની આવી માનસિકતામાં આપણને, સારો કે ખરાબ, રોડ મળે છે તે જ એક મોટો ચમત્કાર છે.

આશ્ચર્ય નથી કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયનો 2019નો અહેવાલ કહે છે કે 2018ના વર્લ્ડ રોડ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ 199 દેશોમાં રોડ દુર્ઘટનાઓના પગલે થતાં મૃત્યુમાં ભારતનો નંબર પહેલો છે. તે પછી ચીન અને અમેરિકા આવે છે.

(‘બ્રેકિંગ વ્યૂઝ’ કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

इतिहास के चीते

कुमार प्रशांत|Opinion - Opinion|19 September 2022

70 साल बाद चीते भारत में दिखाई दिए; अौर वह भी प्रधानमंत्री के जन्मदिन पर, प्रधानमंत्री के साथ जन्मदिन मनाते हुए; और यह भी कि प्रधानमंत्री ने खुद नामीबिया से चीतों को भारत ला कर मध्यप्रदेश के कूनो नेशनल पार्क में बसाया है. बना न इतिहास !! ऐसे बनता है इतिहास; और यहां तो रोज-रोज ही बनाए जा रहे हैं इतिहास. आपने नहीं देखा, राजपथ को कर्तव्यपथ बना कर अभी-अभी तो इतिहास बनाया गया. इतने इतिहास बनाए जा रहे हैं कि गिनने की फुर्सत नहीं है कि कौन-सा इतिहास कहां से निकला और कब बे-इतिहास हुए, इतिहास के गर्त में समा गया !

इतिहास के साथ यही परेशानी है. जिसके काल में वह बना दिखाई देता है, उसी के काल में बनता नहीं है. इतिहास की जंजीर काल की सातत्यता से ही बनती है. अब इन चीतों की बात ही लीजिए. 2010 में तब की सरकार ने चीतों के देश से विलुप्त होने की बात पर ध्यान दिया था और बाहर से चीतों को भारत ला कर बसाने की योजना बनाई थी. गुजरात, राजस्थान, मध्यप्रदेश से जुड़ी जंगलों की वह पट्टी भी तभी चुनी गई थी जिसमें कूनो भी आता है. अब चीते भले बिजली की गति से दौड़ने वाले प्राणी हों, सरकारी योजनाएं तो कछुए की गति से भी चलें तो तेज मानी जाती हैं. सो अब जा कर चीते आए हैं. सच्चा इतिहास तो तब बनता न जब यह सारा इतिहास देश के सामने रखा जाता. लेकिन इतिहास के नये चीते इतनी सच्ची-सरल चाल कैसे चलें ? तो ऐसी तस्वीर बनाई जा रही है मानो सारा कुछ चीते की चाल से 2014 से ही दौड़ने लगा है.

ऐसी अंधी दौड़ में यह जरूरी सवाल न कोई पूछ रहा है, न कोई बता रहा कि अपने देश से चीते लुप्त हुए ही क्यों ? अभी दूसरे लुप्त व लुप्तप्राय प्राणियों-पौधों की बात नहीं करता हूं लेकिन एशियाई चीतों की हमारे यहां अच्छी फसल होती थी. कहा यह जा रहा है कि कोरिया रियासत के महाराज रामानुज प्रताप सिंह देव ने 1947 में उन तीन चीतों का शिकार कर डाला था जो भारत में चीतों के आखिरी वंशज थे. लेकिन क्या यही अंतिम सच है ? भारत सरकार ने 1952 में कबूल किया कि अब भारत में कोई एशियाई चीता नहीं बचा है. तो कोई पूछे तो कि 1947-52 तक भारत सरकार क्या कर रही थी ? और उससे पहले क्या कर रही थी, और उसके बाद क्या करती रही ? चीता बहुत तेजी से भले भागता है लेकिन है बेहद नाजुक प्राणी – बिल्ली-परिवार के विशालकाय व खतरनाक 7 सदस्यों में चीता ही है कि जो मनुष्यों पर हमलावर नहीं होता है, जंगल में भी बहुत बच-छिप कर रहता है, पालतू बनाया जाता रहा है, और घने घास-झाड़ी-झंखाड़ से जुड़े जंगल जिसका सहज निवास हैं.

यह सरकार आज जिसे चीख-चीख  कर विकास कहती है, जिसका घटाटोप सब तरफ दिखाई देता है, उस विकास की तेज आंधी में सबसे पहले ऐसे ही जंगलों का विनाश हुआ. चीतों के स्वाभाविक घर नहीं रहे तो उनका छिपना-बचना कठिन होने लगा. उस पर से राज-परिवार के, सरकारी-परिवार के कानूनी व पेशेवर गैर-कानूनी शिकारी भी उनके पीछे पड़े थे ही. चीते इनसे तेज नहीं दौड़ सके, तो दम तोड़ गए. विकास की वही अवधारणा आज भी चल रही है, तो चीते नामीबिया से लाएं कि दक्षिण अफ्रीका से, वे बचेंगे कैसे, फले-फूलेंगे कैसे ? प्रधानमंत्री को यदि इतनी फुरसत है कि वे चीतों को जंगल में छोड़ने व उनका फोटो खींचने में वक्त लगा सकें, तो उन्हें थोड़ा वक्त यह सोचने पर भी लगाना चाहिए कि चीते के साथ तालमेल बिठा कर चलने वाला विकास का मॉडल क्या हो सकता है और कैसे चलाया जा सकता है? तब उन्हें यह रहस्य भी समझ में आएगा कि सहज मानवीय ऊष्मा से भरा इंसान ही प्रकृति को भी बचा व संवार सकता है. उस इंसान के संरक्षण का कौन-सा पार्क है हमारे यहां ?

ऐसा ही मामला कर्तव्यपथ का भी है. उस दिन भी कहा गया कि हम दासता के इतिहास से मुक्त हो, एक नए इतिहास का सर्जन कर रहे हैं, क्योंकि हम राजपथ का साइनबोर्ड बदल कर कर्तव्यपथ का साइनबोर्ड लगा रहे हैं. साइनबोर्ड बदलने का यह खेल नया नहीं है. इसका इतिहास और वर्तमान भी उलट कर देखना चाहिए. सड़कों-नगरों-संस्थानों-विभागों आदि-आदि के नाम बदलने की दिशाहीन आंधी ही देश में बहाई जा रही है जिसमें इतिहास, परंपरा, जनबोध सभी बहे जा रहे हैं. सत्ता के जोर पर वक्त की कठपुतलियों को वक्त का जादूगर बता कर स्थापित करने की कोशिश देश का इतिहास-बोध धुंधला व विस्मृत कर रही है.

औपनिवेशिक दासता के मानसिक-सांस्कृतिक-राजनीतिक चिन्हों से मुक्त होने की तुमुल अावाज जिसने उठाई ही नहीं थी बल्कि मुक्ति की उस दिशा में देश को साथ ले कर जो चल पड़ा था उस महात्मा गांधी की हत्या करने का पुण्य कर्तव्य किसने निभाया था, वह इतिहास भले आप याद न करिए, यह सावधानी तो रखिए कि उस हत्या का, उस हत्यारे का व उस हत्यारी मानसिकता का महिमामंडन न हो ! लेकिन परेशानी यह है कि उस हत्या से चला इतिहास सीधा आप तक पहुंचता है तो क्यों ? आप उसे गले लगाते हैं तो क्यों ? आपके यहां उनके मंदिर बनते हैं तो क्यों ? जब वे ही लोग आपके सांसद-विधायक हैं, तो आप संविधान व इतिहास के साथ खड़े कैसे हो सकते हैं ? आपका सारा शासन उसी औपनिवेशिक दासता के पदचिन्हों पर पांव धर-धर कर चलता है. राष्ट्रपति, प्रधानमंत्री, राज्यपाल, मंत्रिमंडल की सारी अवधारणा व उसका सारा तामझाम दासता के पदचिन्हों को चूमता ही तो है. मुक्ति मन से होती है तब तन पर, व्यवहार में दिखाई देती है.

जिस छतरी पर किंग जार्ज की प्रतिमा स्थापित थी, उसी छतरी पर नेताजी सुभाष की प्रतिमा की स्थापना, और वह भी फौजी लिबास में, किस मानसिकता का प्रतीक है ? वह फौजी लिबास नेताजी का सामान्य लिबास नहीं था, एक दौर का लिबास था जैसे गांधी भी एक दौर में टाई-सूट में मिलते हैं. देश नेताजी को इस रूप में तब पाता है जब वे आजादी की हमारी सामूहिक लड़ाई से उकता कर निकले थे और दूसरी औपनिवेशिक ताकतों से जा मिले थे. तब गांधी ने उनसे यही तो पूछा था कि एक औपनिवेशिक ताकत से जूझते हुए हम दूसरी औपनिवेशिक ताकत को गले लगाएं यह कैसी बुद्धिमत्ता है ? सुभाष न तब उसका जवाब दे सके थे, न बाद में ही. उनकी उस चूक को आज हम जन-मानस में स्थापित कर क्या किसी आजाद मानसिकता का परिचय दे रहे हैं ? युद्धों को आल्हादकारी बनाने वाला राष्ट्रीय समर स्मारक संस्कृति का नहीं, विकृति का प्रतीक बन जाता है क्यों कि उसमें से वीरता व बलिदान का संदेश नहीं मिलता है, न युद्ध के अंत की लालसा पैदा होती है. भारत राष्ट्र का मान तो कल्याण व बलिदान से भरा बनाना है.

सत्ता-तालियां-उन्माद-जयजयकार-चाटुकारिता आदि से ऊपर उठ कर जो हासिल होता है उसे विवेक कहते हैं. स्वतंत्र मन का गहरा नाता इसी विवेक से होता है. व्यक्ति और समूह में वह विवेक खोता जा रहा है. विवेकहीनता न दासता से मुक्ति है, न आजादी का सयानापन है. विवेकहीनता गुलामी का ही दूसरा नाम है. मनुष्यों का अपमान-तिरस्कार होता रहे और हम चीतों के स्वागत में खड़े हो जाएं, तो यह क्षद्म विवेकहीनता का चरम है.

नामीबिया के चीते भारत के कूनो में फले-फूलें और हमें विवेकवान बनाएं, आज तो हम इतनी ही प्रार्थना कर सकते हैं.

(18.09.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ભારત જોડો યાત્રા: કાઁગ્રેસને તારશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 September 2022

એક મિનિટ માટે રાજકારણને બાજુએ રાખો અને માત્ર શારીરિક અને માનસિક શ્રમની જ વાત કરો, તો રાહુલ ગાંધીની “ભારત જોડો યાત્રા” એક અપ્રતિમ સાહસથી ઓછી નથી. 7મી સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ પદયાત્રા, 11 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થવાની છે અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થવાની છે. રાહુલ ગાંધી અને 100 યાત્રીઓ રોજે રોજ પગેથી ચાલીને 20થી 25 કિલોમીટરનું અંતર કાપશે અને આગામી પાંચ મહિનામાં યાત્રાનો 3,570 કિલોમીટરનો આખો રૂટ પૂરો કરશે. યાત્રા બે બેચમાં થશે : સવારે 7થી 10:30 અને સાંજે 3:30થી 6:30. અમુક યાત્રીઓ “અતિથિ યાત્રી” જોડાશે અને સાંજ પડે સૌના ઘરે જશે. રાહુલ સહિતના 250 યાત્રીઓ, ટ્રકો પર બનાવામાં આવેલાં 60 કન્ટેનરોમાં રાત વિતાવશે. કન્ટેનરોમાં એરકંડિશન સિવાયની બધી સુવિધા છે.

પણ “ભારત જોડો યાત્રા” શારીરિક વ્યાયામ નથી, એ એક રાજકીય કવાયત છે. કાઁગ્રેસના 52 વર્ષીય નેતા રાહુલ ગાંધીએ આ યાત્રા દ્વારા તેમના નિષ્ફળ નેતૃત્વ અને સતત પતનના માર્ગે જઈ રહેલી કાઁગ્રેસ પાર્ટીમાં જોર પુરવા માટે તેમની કારકિર્દીનો સૌથી મોટો જુગાર ખેલ્યો છે. રાહુલ તેમાં સફળ રહેશે? દેશમાં મતદારો છેલ્લા આઠ વર્ષથી ચૂંટણી દર ચૂંટણી જે રીતે કાઁગ્રેસને જાકારો આપી રહ્યા છે, તે જોતાં આગામી ચૂંટણીમાં કોઈ ચમત્કાર થવાની શક્યતા નહીંવત છે.

તેનું મુખ્ય કારણ સત્તા-વિરોધી લહેરનો અભાવ. નરેન્દ્ર મોદીની સરકારે અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે, છતાં આમ જનતામાં સરકાર વિરોધી ભાવના જોવા મળતી નથી. મોદીની “મજબૂત નેતા”ની છબી લોકોના માનસમાં એવી ઘર કરી ગઈ છે કે મતદારો તેમની કમજોરીને નજરઅંદાજ કરે છે. “મોદી જે કરે છે તે સારા માટે કરે છે” એવો એક વિશ્વાસ જનમાનસમાં છે તેનું કારણ એ છે કે લોકો એવું માનવા તૈયાર નથી કે મોદી અંગત સ્વાર્થ માટે કશું કરે છે. નિર્ણયો વિવાદાસ્પદ હોય તો પણ, છે તો લોકો માટે અથવા રાષ્ટ્ર માટે. આવી લોક ભાવના મોદીને સરસાઈ આપે છે અને વિરોધીઓ(કાઁગ્રેસ)ને નુકસાન કરાવે છે.

એનો અર્થ એવો પણ નથી કે લોકો પાસે સરકારની ટીકા કરવાનાં કારણો નથી. અર્થવ્યવસ્થા નબળી પડી છે અને દેશમાં કોમી સોહાર્દને જબરદસ્ત આઘાત લાગ્યો છે એ બે બાબતોથી બધા લોકો વાકેફ છે, પરંતુ નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ? તે પ્રશ્નનો કોઈ ઉત્તર ન હોવાથી મતદારો દરેક ચૂંટણીમાં મોદીના નામ પર ભા.જ.પ.ને સત્તા આપે છે. આ સ્થિતિ નવાઈની નથી. એક જમાનામાં કાઁગ્રેસના જ જવાહરલાલ નહેરુ (16 વર્ષ) અને ઇન્દિરા ગાંધી(બે તબક્કે 14 વર્ષ)ના શાસનમાં પણ વિરોધ પક્ષોની હાલત એટલી નબળી હતી કે તે વખતે પણ “ટિના” (ધેર ઈઝ નો ઓલ્ટરનેટિવ) ફેકટર પ્રચલિત થયું હતું.

જો કે કટોકટી કાળમાં સત્તા વિરોધી ભાવના મજબૂત હતી પણ ઇન્દિરા તેમની લોકપ્રિયતાના ભ્રમમાં રહ્યાં હતાં અને 1977માં વિપક્ષોના ગઠબંધન “જનતા પાર્ટી”એ તેમને ઘરે બેસાડી દીધાં હતાં. “ભારત જોડો યાત્રા”ના નામે રાહુલ ગાંધી મોદી સરકાર સામે જનજાગૃતિ પેદા કરવા માંગે છે. દેખીતી રીતે જ, યાત્રાનો હેતુ 2024ની લોકસભાની ચૂંટણી છે. કાઁગ્રેસ અત્યારે બે જ રાજ્યો (રાજસ્થાન અને છતીસગઢ)માં સત્તામાં છે અને જ્યાં પણ સ્થાનિક પાર્ટીઓ મજબૂત છે, ત્યાં તે ત્રીજા નંબરે છે. એ ઉપરાંત, પાર્ટીમાં ભયાનક આંતરિક ખટપટો ચાલે છે અને તેના અનેક અગ્રણી નેતાઓ પાર્ટી છોડી ગયા છે.

એટલે એવું કહેવામાં અતિશયોક્તિ નથી કે એક સમયે એક જમાનામાં 16 રાજ્યોમાં શાસન કરતી કાઁગ્રેસ પાર્ટીનો આ યાત્રા મારફતે તેની કેડરમાં ઉત્સાહ ભરવાનો, રાજ્યોમાં પાર્ટીને સક્રિય કરવાનો અને 2024 સુધીમાં ભા.જ.પ.ના વિકલ્પ તરીકે ઉભરવાનો છેલ્લો અને મોટો પ્રયાસ છે. આજની નવી પેઢી માટે પદયાત્રા કદાચ જોણું સાબિત થતી હશે, પરંતુ ભારતના ઇતિહાસમાં તેની નવાઈ નથી.

મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે જનજાગૃતિ ફેલાવા માટે 1930માં દાંડી યાત્રા કરી હતી. જનતા પાર્ટીની ખીચડી સરકારને ઉખાડી ફેંકીને પુન: સત્તામાં આવેલાં ઇન્દિરા ગાંધી 1983માં તેમની લોકપ્રિયતાની ચરમસીમાએ હતાં, ત્યારે જનતા પાર્ટીના વડા ચંદ્રશેખરે કન્યાકુમારીથી દિલ્હીના રાજઘાટ સુધી “ભારત યાત્રા” આદરી હતી. તેનાથી તેઓ ગરીબ અને પછાત વર્ગના હિરો બની ગયા હતા. બદ્દનસીબે, 31 ઓક્ટોબર 1984માં શિખ સુરક્ષા કર્મચારીઓએ ઇન્દિરાની હત્યા કરી નાખી અને ચંદ્રશેખરનું કર્યું કરાવ્યું ધૂળમાં મળી ગયું.

ભા.જ.પ. આજે રાહુલની પદયાત્રાની ભલે મજાક ઉડાવે, પણ ભારત પર તેના શાસનના મૂળમાં 1990ની સોમનાથથી અયોધ્યાની રથયાત્રા છે. ભા.જ.પ.ના તત્કાલીન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના નામે જનજાગૃતિ ફેલાવા આ યાત્રા કાઢી હતી (જેના સંચાલનમાં મોદી હતા). એમાં અડવાણી જનનાયક બની ગયા હતા અને ભા.જ.પ. કાઁગ્રસના મજબૂત વિકલ્પ તરીકે ઉભરી હતી.

રાહુલની “ભારત જોડો યાત્રા”નું નામ પણ પહેલીવાર નથી. અડવાણીએ જે વાવ્યું હતું, તેને પાણી સિંચવાના આશયથી, તેમના ઉત્તરાધિકારી મુરલી મનોહર જોશીએ 1991માં કન્યાકુમારીથી શ્રીનગર સુધીની “એકતા યાત્રા” આદરી હતી. એમાં પણ નરેન્દ્ર મોદી કર્તાહર્તા હતા. હાલ કેન્દ્રમાં મંત્રી અનુરાગ ઠાકુરે 2011માં કોલકત્તાથી શ્રીનગર સુધીની “એકતા યાત્રા” કાઢી હતી. 1990માં, સત્તા ગુમાવ્યા પછી રાજીવ ગાંધીએ પણ ટ્રેનમાં બેસીને “ભારત યાત્રા” કાઢી હતી. જો કે, એ યાત્રાનું ધાર્યું ફળ મળ્યું નહોતું.

“ભારત યાત્રાઓ”નો આ ટૂંકો ઇતિહાસ એક જ વાત સાબિત કરે છે કે લોકોને પોતાની સાથે જોડવા એ લોકતાંત્રિક રાજનીતિમાં કોઈ નેતા કે પાર્ટીનો પાયાનો હેતુ હોય છે. એટલે આવી યાત્રાઓ હંમેશાં આવકારદાયક જ હોય છે. કાઁગ્રેસે તેની યાત્રા માટે જે માર્ગ પસંદ કર્યો છે તેમાં લોકસભાની લગભગ 65 જેટલી બેઠકો પડે છે. આ સંખ્યા નાની નથી. તેનો લાભ ચૂંટણીમાં મળશે કે કેમ તે બીજો પ્રશ્ન છે, પરંતુ પૂરા ભારતને સમાવતી લોકસભાની 12 ટકા બેઠકો અને તેની આજુબાજુની અન્ય બેઠકો પર એ ચર્ચા તો જરૂર જગાવશે.

એટલા માટે, કાઁગ્રેસના બે પ્રમુખ ટીકાકારો આ યાત્રાની ઉપેક્ષા કરી શક્યા નથી. પહેલા છે ભા.જ.પ.ના બીજા નંબરના કદાવર નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ. દેખીતી રીતે જ, તેમણે તેનો વિરોધ જ કરવો પડે, પરંતુ તેમણે વિવિધ વર્ગના ભારતીયોને કાઁગ્રેસના સર્વધર્મ સમાન સિદ્ધાંત સાથે જોડવાના યાત્રાના બૃહદ્દ હેતુને અડક્યા વગર, કુનેહપૂર્વક રાહુલ ગાંધીને અંગત નિશાન બનાવ્યા છે.

બે દિવસ પહેલાં, રાજસ્થાનના જોધપુરમાં ભા.જ.પ.ના બૂથ-સ્તરના કાર્યકરોને સંબોધતાં અમિત શાહે રાહુલ ગાંધીના અગાઉના એક નિવેદનનો સહારો લઈને કહ્યું હતું, “હું રાહુલ બાબા અને કાઁગ્રેસીઓને સંસદમાં તેમના ભાષણને યાદ કરાવવા માગું છું. રાહુલ બાબાએ કહ્યું હતું કે ભારત એક રાષ્ટ્ર નથી. રાહુલ બાબા, તમે ક્યા પુસ્તકમાં આ વાંચી આવ્યા છો. આ રાષ્ટ્ર માટે લાખો લોકોએ તેમના જીવનનું બલિદાન આપ્યું છે. તમારે ઇતિહાસ ભણવાની જરૂર છે.” (રાહુલ ગાંધીએ બંધારણને ટાંકીને કહ્યું હતું કે ભારત રાષ્ટ્ર નથી, પણ રાજ્યોનો સંઘ છે).

બીજી, પ્રમાણમાં થોડી હળવી ટીકા ચૂંટણી વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોરની હતી. યાત્રાના માર્ગને લઈને તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “તેઓ જે યાત્રા કરી રહ્યા છે, તેની કેટલી અસર પડશે તે મને ખબર નથી. હું એટલું કહી શકું કે તેમની યાત્રાનો માર્ગ મોટા ભાગે એવા રાજ્યોમાંથી છે, જ્યાં કાઁગ્રેસ અને ભા.જ.પ.નો સીધો મુકાબલો નથી. તમે જો ભા.જ.પ.ની વિચારધારાના વિરોધમાં હો, તો ભા.જ.પ. શાસિત રાજ્યોમાંથી પણ પસાર થવું જોઈએ.”

પ્રશાંત કિશોરની સરખામણીમાં કર્મશીલ અને ચૂંટણી વિશ્લેષક યોગેન્દ્ર યાદવે આશાવાદી સુરે કહ્યું હતું કે, “તમે કાઁગ્રેસ અને રાહુલની તસવીરો ચારે તરફ જોશો, પણ એવી ભૂલ ના કરતાં કે આ યાત્રા એક પાર્ટી કે એક નેતાની નથી. ઘણાં જનઅંદોલનોમાંથી લોકો એમાં જોડાયા છે. આ ભારતીય ગણરાજ્યને પાછુ ઊભું કરવાનો પ્રયાસ છે. એ લોકો તોડે છે, અમે જોડીશું.” ઉલ્લેખનીય છે કે આ જ યાદવે, 2019માં નરેન્દ્ર મોદીને મળેલા પ્રચંડ બહુમતને જોઈને કહ્યું હતું કે “કાઁગ્રેસે હવે ખતમ થઇ જવું જોઈએ.”

રાહુલની યાત્રામાં એક જ કમજોરી છે; તેમાં જનભાવના નથી. યાત્રામાં લોકો જોડાય એનો અર્થ એ નથી કે લોકોની લાગણીઓ તેમાં જોડાયેલી છે. છેક મહાત્મા ગાંધીની દાંડીયાત્રાથી લઈને અડવાણીની રથયાત્રા સુધી, ભારતની રાજનીતિની એ તાસીર રહી છે કે સામાન્ય લોકો દિમાગથી નહીં, પણ દિલથી કોઈ ચળવળમાં જોડાય છે. રાહુલ ગાંધી ભણેલા-ગણેલા અને અમુક મૂલ્યો સાથે ચાલનારા ઉમદા વિચારોવાળા નેતા છે, પરંતુ તેમનામાં, તેમની દાદી ઇન્દિરા કે પ્રતિસ્પર્ધી મોદીની જેમ, જન નેતાના ભાવનાત્મક કરિશ્માનો અભાવ છે. પરિણામે આ દેશની બહુમતી ગરીબ અને નિરક્ષર પ્રજા તેમની સાથે તાદામ્ય અનુભતી નથી.

એનું કારણ એ પણ છે કે રાહુલ પાસે ભા.જ.પ.ની ટીકા કરવા સિવાય વૈકલ્પિક રાજકીય દર્શન નથી. જનતા તમારી સાથે તેમના બહેતર ભવિષ્ય માટે જોડાય છે અને તેના માટે તમારે પાસે યોજના હોવી જોઈએ. ભા.જ.પ.ની ટીકા કરવાથી મતદારો રીઝાતા નથી એ ભૂતકાળમાં સાબિત થઇ ચૂક્યું છે. રાહુલ ગાંધી તેમના જીવનના સૌથી મોટી રાજકીય ચળવળમાં કદાચ એ વાત ફરી ચૂકી ગયા છે.

લાસ્ટ લાઈન :

“તાકાત શારીરિક ક્ષમતામાંથી નથી આવતી. તે અદમ્ય ઈચ્છાશક્તિમાંથી આવે છે.”

— મહાત્મા ગાંધી

(‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 18 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4151,4161,4171,418...1,4301,4401,450...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved