પાંપણ વાટે સુંદર સપનાં પિગળે,પાષાણનાં હૈયે ચીરા પાડું,
લે આજ મુજ અશ્રુતણા તોફાનોને ચૈતરની હવામાં ખુલ્લા પાડું.
કદી એકાએક દિલ હોય ઉદાસ અતિ કરુણા અંતર ઉપજાવી,
લે આજ મુજ અશ્રુતણા તોફાનોને ચૈતરની હવામાં ખુલ્લા પાડું.
અબોલા શોભે નહિ ચૂપકીદી પ્રીત કેરો સંદેશ દઈ રહી છે,
લે આજ મુજ અશ્રુતણા તોફાનોને ચૈતરની હવામાં ખુલ્લા પાડું.
ઉદાસ આંખે વિરહ વ્યથા ને સ્મૃતિના રંગદાર ભ્રમર,
લે આજ મુજ અશ્રુતણા તોફાનોને ચૈતરની હવામાં ખુલ્લા પાડું.
હૈયે આગભરી આશ ધરી ઉષા ઊગી તો ય તું ના હજી આવી,
લે આજ મુજ અશ્રુતણા તોફાનોને ચૈતરની હવામાં ખુલ્લા પાડું.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


ભગવાનમાં ન માનનાર એટલા પ્રમાણિક તો ખરા જ કે જે કૈં થાય તેનો દોષ તેઓ ભગવાન પર ઢોળતાં નથી ને જવાબદારી સ્વીકારે છે, પણ ભગવાનમાં માનનારા એટલા નિર્લેપ હોય છે કે પોતાનો વાંક હોય તો પણ, જવાબદારી ભગવાનને માથે નાખે ને ભગવાન એટલો ઉપકાર તો ભક્તો પર કરે જ કે એમણે પીવાનું ઝેર પોતે પી લે. મોરબીમાં બંધ તૂટે કે પુલ, મરે છે લોકો ને એને માટે જવાબદાર હોય તે ભગવાનને નામે છટકવાના પ્રયત્નો કરતા રહે છે. 30મી ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો પુલ તૂટયો ને ચારસોથી વધારે લોકો પાણીમાં જઈ પડ્યાં. 26 ઓક્ટોબરે ખુલ્લો મુકાયેલો ઝૂલતો પુલ ચારેક દિવસમાં જ જળાશાયી થયો ને બધાંને નવાં વર્ષની જાણે ઉજાણી થઈ ગઈ ! આ અત્યંત દારુણ ઘટના ને કારણે 135 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ઘાયલ થયા ને તંત્રો પહોંચે તે પહેલાં મોરબીવાસીઓએ જીવને જોખમે બચાવ કામગીરી શરૂ કરી માનવતા દાખવી, પણ, મોત પર મિજબાની ન થાય તો રાજકારણ લાજે, એટલે સૌએ પોતપોતાનાં પાનાં ઉતરવાં માંડ્યાં. આ ખેલ એટલે પણ ખેલાયો, કારણ ગુજરાતને માથે ચૂંટણી આવી છે ને સૌએ સત્તામાં આવવું છે એટલે જે સત્તામાં છે તે ટકી રહેવા અને બીજાને ન ઘૂસવા દેવા કમર કસે જ, તો જે સત્તામાં આવવા મથે છે તે પણ એડીચોટીનું જોર લગાવવામાં કોઈ કસર ન છોડે, તે પણ ખરું. એવરીથિંગ ઈઝ ફેર ઇન વોર એન્ડ લવ-ને ન્યાયે લવ જેવું તો ચૂંટણીમાં શું હોય, પણ ચૂંટણીને વોર કરી મૂકનારાઓ બધા જ હથકંડા અપનાવે એમાં નવાઈ નથી. એક તરફ ગાય-કૂતરાનું જુદું કાઢ્યું હોય તેમ સરકારે પ્રજાનું એટલું બધું કરી નાખ્યું છે કે પ્રજાને ખબર જ નથી પડતી કે આટલું બધું તે હોય એવું આશ્ચર્ય તેને થાય છે. હજારો કરોડના પ્રોજેક્ટ્સ છાશવારે જાહેર થતાં રહે તો પ્રજા અંજાય જ કે બીજું કૈં? ખરેખર આવા વિકાસથી પ્રજા ડઘાઈ ગઈ છે. આવું હોય ત્યારે પ્રજા સરકારને ફરી ચૂંટે એવો ભય વિપક્ષોને લાગે છે એટલે એ બીજું કૈં ન કરી શકે તો પણ એટલું તો કરે જ કે સરકારનાં કામો નકામા પુરવાર થાય. પુલ તૂટવામાં એવું પણ બહાર આવ્યું છે કે એક વિપક્ષે પુલ તૂટી પડે તેવું આગોતરું આયોજન કર્યું, એવા મેસેજ વહેતા થયા કે ગુજરાતમાં કશુંક એવું થવાનું છે જેનાથી સરકાર હાલી જશે ને ત્રીસમીએ પુલ એવો હાલ્યો કે સરકાર ખરેખર જ હચમચી ગઈ. વડા પ્રધાનથી માંડીને મુખ્ય મંત્રી સુધીના મોરબી પર મંડરાયા. એવું પણ ચર્ચામાં છે કે એક વિપક્ષી પાર્ટીના સભ્યોએ ઇરાદાપૂર્વક પુલ પર જ તેને તોડવાની નિર્લજ્જ પ્રવૃત્તિઓ કરી. આમાનું સાચુંખોટું તો બહાર આવે ત્યારે, પણ આપણે રાજનીતિ વગરના શ્વાસો લઈ શકીએ એવું હવામાન હવે રહ્યું નથી ને રડવાનું તો એનું ય છે.

Elaben Bhatt breathed her last on 2 November 2022 at the age of 89 years. She was quintessentially a Gandhian Volunteer. She was a critical observer, careful analyst, and innovative constructive worker who designed and demonstrated a world where feminine forces tried successfully to build a non-violent, dignified and nurturing society.
Elaben was appointed as Chancellor of Gujarat Vidyapith, Ahmedabad and President of the Sabarmati Ashram Preservation and Memorial Trusts (SAPMT) known as Sabarmati Gandhi Ashram during the last decade of her life. She was reluctant to take up the Chancellorship as she was succeeding Gandhiji, Sardar Patel, Dr Rajendra Prasad, Moraji Desai and other prominent people including her immediate predecessor Narayan Desai. She had a dream for Gujarat Vidyapith. She envisioned a new avatar of the Vidyapith. In it, she wanted Vidyapith to give up the run-of-the-mill higher education degree-distributing universities to an innovative centre for excellence in promoting Roti Pith, Khadi Pith, and Urja Pith. She wanted to educate youth with hands-on experience in producing food, and clothing with help of sustainable and clean energy technologies. Had she lived longer, her vision had chances of getting translated gradually into reality. She wanted to free Gujarat Vidyapith from a government grant receiving higher educational institution to a public-supported vibrant place for the youth of the country to learn to build a non-violent society based on her philosophy of Anubandh – Correlating Individual, society and nature.