Opinion Magazine
Number of visits: 9670963
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા:  શ્રેણી 1 

વિજય ભટ્ટ|Opinion - Opinion|7 October 2022

ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા,
સાચું કહું કે એ બધા રસ્તા ઉપર મળ્યા.
એથી તો મારો રાહ સરળ થઇ ગયો બધે,
રસ્તા મને ઘણાબધા રસ્તા ઉપર મળ્યા.
ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા

                                                    — કવિ હરીન્દ્ર દવે 

એવો એક મઝાનો ચહેરો : ભાણાભાઈ સાહેબ

આજે કવિશ્રી હરીન્દ્ર દવેની આ સુંદર ગઝલ વાંચીને તેને સ્વરબદ્ધ કરવા બેઠો અને તે સાથે સાથે જ મને પણ મળેલા કેટલા બધા મઝાના ચહેરાઓ આંખ સામે આવી ચડ્યા! ખરેખર, કેટલા મઝાના ચહેરાઓ હતા! … વાહ!

હરીન્દ્ર દવેની આ ગઝલને સંગીતમય કરવાનું થંભી ગયું. હાર્મોનિયમ પરનો હાથ બાજુમાં પડેલ લેપટોપ પર જઈ પહોંચ્યો … ‘ચહેરા મઝાના’ને સ્વરબદ્ધ કરવાનું બાજુ પર રાખીને મને મળેલા મઝાના ચહેરાઓને શબ્દમય કરવા બેસી ગયો. મંડી પડ્યો …. આ લખવા.

ઘણીવાર જેમ બને કે કોઈ સરસ સ્વપ્ન ચાલતું હોય અને જાગી જવાય અને પ્રયત્ન કરીએ કે પાછા એ સ્વપ્નની અંદર પેસી જઈએ તેમ, રખે આ ચહેરાઓ પાછા ક્યાંક ગરકી જાય અતીતની ખીણમાં તો? એ ચહેરાઓ એમ જલદી પાછા હાથવગા નથી આવતા માનસપટ પર, શબ્દ સ્વરૂપ પામવા.

મૂળ વાત એ છે કે જુદા જુદા સમયે જે જે ચહેરાઓ મળ્યા તે બધા તે તે સમયે ખૂબ અગત્ય ધરાવતા હતા. સમયાંતરે તે ચહેરાઓ માત્ર એક મોજભરી દન્તકથા જેવા જ બની જાય છે! જેને વાગોળવાની મઝા કંઈક ઓર છે!

ચાલો, એવા એક ‘મઝાના’ ચહેરાને શબ્દના વાઘા પહેરાવીએ!

ક્યાંથી શરૂ કરું ? હા .. આજનો ચહેરો એટલે અમારા પેલા ઇતિહાસ-ભૂગોળના શિક્ષક ભૂપેન્દ્રભાઈ પટેલનો. પણ એમને બધા જ ભાણાભાઈ કહેતા. વલ્લભ વિદ્યાનગરના સ્થાપક અને સૌથી વધુ આદરણીય એવા ભાઈકાકા મૂળ સોજીત્રા ગામના. ભૂપેન્દ્રભાઈનું મોસાળ સોજીત્રા. તેથી એ ભાઇકાકાના ભાણા થાય, એટલે આખા વલ્લભવિદ્યાનગરમાં તે ભાણાભાઈ તરીકે જ ઓળખાય. કોઈ જો એમના વિષે વાત કરવામાં “ભૂપેન્દ્રભાઈ” કહે તો અચૂક સામો સવાલ આવે “કોણ, ભાણાભાઈ?”

જીવન પર્યન્ત તેમની પહેચાન ભાણાભાઈ તરીકેની જ!  અરે છેલ્લે અમેરિકામાં રહ્યા ત્યારે પણ!

ચરોતરમાં ગુજરાતી મીડિયમની શાળાઓમાં એ સમયમાં પુરુષ શિક્ષકોનાં નામ પાછળ ‘ભાઈ’ અને ‘સાહેબ’ કહેવાનો શિરસ્તો. જો કે હવે છેલ્લા કેટલા ય વર્ષોથી શિક્ષકોને ‘સર’ કહેવાની પદ્ધતિ વધુ છે. જેમ કે શિક્ષક રમેશ પટેલને વિદ્યાર્થીઓ “રમેશ ભાઈ સાહેબ” કહીને સંબોધે. પણ આપણા ભૂપેન્દ્રભાઈને ‘ભૂપેન્દ્રભાઈ સાહેબ’ કહેવાને બદલે વિદ્યાર્થીઓ ‘ભાણાભાઈ સાહેબ’ જ કહે.

પહેલી નજરમાં થોડા કડક, થોડા પ્રેક્ટિકલ, ઉત્સાહી, અને તદ્દન સરળ પારદર્શક વ્યક્તિત્વ છે તે દેખાઈ જ આવે, પણ કોઈથી અંજાય નહિ! કદાચ તેમના વતનની ધરતી અને પાણીની આ ખૂબી હશે! તેમનું અને સરદાર પટેલનું વતન એક જ, કરમસદ.

ભૂગોળ, ઇતિહાસ, કે ભાષા ભણાવતાં તેમની શૈલી તળપદી ચરોતરી થઇ જ જાય!

શિવાજીના યુદ્ધની વાત આવે કે અંગ્રેજો સામેના સત્યાગ્રહની વાત આવે, એ એવી રસપ્રદ રીતે કરે કે આખો વર્ગ એકાગ્ર થઇને સાંભળે. બધાંને માત્ર શિવાજી જ નજર સામે દેખાય, કે જાતે જ દાંડીકૂચ કરી હોય એવું ગૌરવ થાય!

ભૂગોળના વર્ગમાં ઉત્તર ધ્રુવની અને એસ્કિમોની ઠંડીની વાત કરતાં કરતાં એ પોતાના બંને હાથ ભેગા કરીને ખભા ઊંચા કરીને એવી તો વાત કરે કે વિદ્યાર્થીઓને પણ ઠંડીનો અનુભવ થઇ જાય!

ચંદ્ર અને પૃથ્વીની ગોળ ફરવાની પ્રક્રિયા એકદમ નાટકીય રીતે, એક વિદ્યાર્થીને ચંદ્ર અને બીજાને પૃથ્વી બનાવી અને ગોળ ગોળ ફેરવે. જેથી ચંદ્ર અને પૃથ્વીની ગતિ વર્ગમાં જ દેખાઈ જાય અને સમજ પડી જાય. એકદમ, પ્રેક્ટિકલ!

વર્ગમાં ચેરાપુંજીના વરસાદની વાત એવી તો અસરકારક રીતે કરી હોય કે સાંજે જો વરસાદ આવે તો બીક જ લાગે કે ચેરાપુંજી જેવો વરસાદ જો અહીં વલ્લભવિદ્યાનગરમાં પડશે તો!?

તેમના હાવભાવ, હાથ અને ખભા ઊંચા નીચા થાય, એ બોલતાં આગળ ચાલે પાછળ ચાલે, અવાજ પણ ઊંચો નીચો થાય, ક્યારેક નાકમાં આંગળી નાખે, આ બધી ટેવો સૌએ પ્રેમથી તેમના વ્યક્તિત્વના એક ભાગ રૂપે સ્વીકારી લીધેલી. કાંઈ જ જુદું લાગતું જ નહીં.

કોઈ વિદ્યાર્થી જો બેધ્યાન લાગે તો ઊભો કરીને પૂછે, ”તું અઈં ઢોરા ચરાવા આયો છું?”

ભાણાભાઈ શિસ્તના આગ્રહી.

ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ વલ્લભવિદ્યાનગરમાં ભણવા આવે. તેમાંથી ચરોતર વિસ્તારના જુદા જુદા ગામોના વિદ્યાર્થીઓની ટોળકીઓ હોય. ખાસ કરીને કરમસદ, બાકરોલ, ધર્મજ, અને નડિયાદના વિદ્યાર્થીઓની ટોળકીઓથી બીજા ગામોના બધા જ વિદ્યાર્થીઓ ડરે. એ ટોળકીઓના લીડર્સ ‘દાદાઓ’ ગણાય! તેઓ ખુલ્લે આમ દાદાગીરી કરે. શાળા કોલેજોની ચૂંટણી વખતે તો લાકડી, ધારિયા અને સાંકળો  લઇને મારામારી પર આવી જાય. ઘણા ઘવાય. મોટા ભાગના સ્થાનિક વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો, અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા બીજા ગામોના વિદ્યાર્થીઓ આ ટોળકીઓ અને તેના દાદાઓથી ડરે!

પણ અમારા ભાણાભાઈ સાહેબ નિર્બલ કે બલરામ! એક નીડર લીડર અને તે પણ અજાતશત્રુ!

બધાં જ ગામોના લોકોમાં તેમનું માન અને ભાર પડે. કોઈ જો ખોટી દાદાગીરી કરીને બીજાને રંજાડતો હોય અને જો ભાણાભાઈને વાત કરીએ તો વચ્ચે પડીને પેલાને અટકાવે, વઢે, અને સમાધાન કરાવે જ.

શાળામાં જો કોઈ છોકરી જરા વધારે ફેશન કરીને આવે તો એક સ્ત્રી શિક્ષિકા દ્વારા કહેવડાવે “એ છોડીને જરા હમજાવજો, આપડે એક્ટ્રેસ નઈ પણ મેટ્રિક થવાનું છે. તો જ ઠેકાણું પડશે.”

ભાણાભાઈ બીજા શિક્ષકોની સરખામણીમાં પૈસેટકે ઘણા સુખી.

કોઈ વિદ્યાર્થી પાસે પુસ્તકો કે કંપાસનાં સાધનો માટે પૈસા ન હોય તો ભાણાભાઈ સાહેબ પોતાના ખર્ચે પણ વ્યવસ્થા કરાવી જ આપે. પ્રિન્સિપાલ અને મેન્જમેન્ટ પણ તેમનું માન રાખે. ભાણાભાઈ કહે તો વજન પડે જ!

જ્યારે તેમનો સ્કૂલમાં ફ્રી પિરિયડ હોય ત્યારે પોતાનું બજાજ સ્કૂટર લઇને નીકળી પડે, કોઈકના પ્રશ્નોનું નિવારણ કરવા કે કોઈકનું કામ પતાવવા. ભાણાભાઈ પાછા સમયસર પોતાના વર્ગના સમયે હાજર થઇ જાય. સમયનો સદુપયોગ અને પાબંદી!

કોઈને પણ લગ્ન પ્રસંગે કે બીજા અગત્યના પ્રસંગે વ્યવસ્થામાં મુશ્કેલી હોય તો ભાણાભાઈને પૂછે તો કામ થઇ જાય.

ભાણાભાઈ બી.એડ. કરતા હતા ત્યારે મારા પિતાજીના એ વિદ્યાર્થી અને એ પછીથી મારા શિક્ષક થયેલા. બીજા ઘણાને હતો તેમ મારા પિતાજીને પણ તેમની પર વિશ્વાસ.

એક વાર એવું બન્યું કે મારા પિતાજીએ પહેલીવાર એક સ્કૂટર ખરીદવાનું નક્કી કર્યું. સેકન્ડ-હેન્ડ લેમ્બ્રેટ્ટા. પૈસા અપાઈ ગયા અને સ્કૂટર ઘરની બહાર આવી ગયું. સ્કૂટર વિષે ખાસ સમજણ ઓછી. હજી ચલાવતાં ય નહતું આવડતું તેથી લાઇસન્સ પણ ન હતું. તેથી એમણે નકકી કર્યું કે ભાણાભાઈને સ્કૂટર બતાવી જોઈએ. મને ચિઠ્ઠી આપી “સ્કૂલમાં ભાણાભાઈને આપજે.” (તે વખતે વલ્લભવિદ્યાનગરમાં માત્ર કોલેજોની ઓફિસમાં અને પોસ્ટ ઓફિસમાં જ ફોન હતા,  તે પણ ડાયલ થાય તેવા નહિ, ઓપરેટર પાસે નંબર જોડાવવો પડે.)

મારો ઇતિહાસનો વર્ગ પૂરો થયો એટલે મેં ભાણાભાઈ સાહેબને મારા પિતાજીની ચિઠ્ઠી આપી.

એ તરત જ બોલ્યા, “આજે શનિવાર છે, બપોરે સ્કૂલ નથી, તો ચાલ છેલ્લા પેરિએડ પછી આવીશ.”

સ્કૂલ પછી એમના જ સ્કૂટર પર મને બેસાડી સીધા અમારા ઘરે આવી ગયા. “ભટ્ટ સાહેબ, બોલો”, મારા પિતાજીને તે “ભટ્ટ સાહેબ” કહેતા. પિતાજીએ વાત કરી અને સ્કૂટર બતાવ્યું અને ચાવી આપી. ભાણાભાઈએ કિક મારી .. લેમ્બ્રેટ્ટા ચાલ્યું નહિ, બીજી કિક મારી તોયે ના ચાલ્યું, સ્કૂટરને એક તરફ વાંકુ વાળ્યું કારણ કે સ્કૂટરમાં જો પેટ્રોલ ઓછું હોય તો સહેજ વાંકુ વળે પછી જ ચાલે, તોયે ના ચાલ્યું. પછી એ સહેજ ગુસ્સે થઇ ગયા.

“ભટ્ટ સાહેબ આ લેમ્બ્રેટા અને તે પણ સેકન્ડ હેન્ડ ? ના લેવાય, કોણે પધરાયું તમને?”

“મારો એક જૂનો સ્ટુડન્ટ હતો કિરીટ પટેલ, તેનું છે” પિતાજી બોલ્યા.

“કયો પેલો બાકરોલ વારો કિરીટ?”

“ના .. ના તમે નથી ઓળખતા આ તો આણંદનો છે.”

“કેટલામાં તમને પધરાયુ?”

“૨૮૦૦”

“અરે હોય? એ માણસ કોને ઉલ્લુ બનાવે છે, ૨૮૦૦? અને તે પણ સેકન્ડ હેન્ડ લેમ્બ્રેટ્ટા?

હું બેઠો છું ને ભટ્ટ સાહેબને એ છેતરે?

ચાલો, બેસી જાવ મારા સ્કૂટર પાછળ, આપણે એને મળવા જઈએ.”

ભાણાભાઈના બજાજ સ્કૂટર પર બેસી એ બંને પહોચ્યા પેલા કિરીટ પટેલ પાસે.

બીજી કંઈ પણ વાત કરતાં પહેલાં જ ભાણાભાઈ બોલ્યા ” અલ્યા તું કિરીટ?”

“હા”

“ચાલ ભટ્ટ સાહેબ ને ૨૮૦૦ પાછા આપ. બીજી વાર અમારા સાહેબને બનાઈશ નઈ હારા પટેલ થઇ ને તારા જ સાહેબને છેતરે છે? કેટલી કીકો મારી તોય ચાલતુ નથી.”

પછી ભટ્ટ સાહેબને કહ્યું, “જુઓ આ મારું બજાજ, બજાજ સિવાય બીજું કોઈ સ્કૂટર લેવાય જ નહીં. ટોપ કોલીટી. અડધી રાતે ઊઠીને કિક મારો કે ચાલુ! નવું પેટી-પેક જ લેવાનું. ઓન આપવા પડે તો પડે. બજાજ સેકન્ડ હેન્ડ વેચવા જાવ તો ય સારા પૈસા મળે.”

અને છેલ્લે કિરીટ પટેલને કહ્યું, “ભટ્ટ સાહેબને ઘરે જઈને લઇ જજે તારું ઠગારુ લેમ્બ્રેટ્ટા પાછું. બીજા પેલા ગરાજ વારાને વેચજે.”

પછી તેમણે ભટ્ટ સાહેબને બજાજ કેવી રીતે નોંધાવવું એ સમજાવ્યું.

“અને જો થોડા વધારે ખરચવાની તૈયારી હોય તો હું ધ્યાન રાખીશ. કોઈનું નોંધેલું આવશે  તો ઓન આપીને આપણે લઇ લઈશું.”

વાત પૂરી!

આવા તો કંઈ અનેક દાખલા કેટલા ય લોકો આપશે તમને અમારા ભાણાભાઈ સાહેબના.

ચરોતરમાંથી અમેરિકન કોન્સુલેટમાં વિસા લેવા જનારાની સંખ્યા ઘણી. એની બાબતમાં એ કહેતા કે “કોન્સુલેટમાં જો જૂઠુ બોલશો તો પછીથી પણ વીસા નહિ મળે, સીધી સાચી જ વાત કરવાની.”

ભાણાભાઈ સાહેબ ખાવાના અને ખવડાવવાના ખૂબ શોખીન. જાતે રાંધવાના પણ શોખીન. ઊંધિયાની સીઝનમાં માટલાના ઊંધિયાની પાર્ટીઓ રાખે અને બધાને પોતાને ત્યાં બોલાવે.

સ્કૂલના પ્રવાસમાં જો ભાણાભાઈ સાહેબ સાથે આવે તો બધે જ સરસ ખાવાનું મળે!

એકવાર ભાણાભાઈ બીજા શિક્ષકો સાથે અમારા નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ બસ કરીને રાજસ્થાનના પ્રવાસે લઈ ગયા. ભાણાભાઈનું હિન્દી ચરોતરી હિન્દી – “તુમ દોડ કે જાઓ મેં હેન્ડ કે આતા હું ..” એવું. હવે થયું એવું કે અમે એક મોટી ઢાબા જેવી રેસ્ટોરન્ટમાં ભોજન લેવા ગયા. બસ ડ્રાઈવરને પણ ખાસ જોડે જ ખવડાવે. હવે અમે જ્યારે બસ પાસે પાછા આવ્યા, ત્યારે એક મોટી ટ્રક અમારી બસની એકદમ બાજુમાં પાર્ક થયેલી હતી. તેથી બસમાં કોઈ બેસી શકે જ નહિ. બારણું જ ખૂલી ના શકે.

ભાણાભાઈએ મોટેથી બૂમો પાડી, “કોણ હે ઇસ ખટારે કે ડ્રાઈવર?” એક માણસ દોડતો આવ્યો.

ભાણાભાઈ એને કહે : “તુમને તુમ્હારા ખટારા હમારી બસ કે બોયણે કે સામને મેલા હે તો હમારી બસ કે બોયણે  કૈસે ખુલેંગે?” આ સાંભળી અમે સૌ એટલા તો હસ્યાં હતાં કે આજે દસકાઓ પછી પણ જ્યારે શાળાના જૂના મિત્રો મળીએ કે ફોન પર શાળાની વાત કરીએ ત્યારે એ ડાયલોગ યાદ કરીને એટલું જ હસીએ અને ભાણાભાઈ સાહેબને પ્રેમથી યાદ કરીએ.

પાછળથી એ ટી.વી. પટેલ કોલેજમાં હાયર સેકન્ડરીમાં ભણાવતા હતા. રિટાયર થઇને એમના પત્ની, ભાનુબહેન, જે પણ એક આજીવન શિક્ષિકા હતાં, તેમની સાથે અમેરિકામાં એમના દીકરા ગૌરાંગ સાથે રહેતા હતાં. ન્યૂજર્સીમાં રહેતા વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ તેમને થોડા વારસો પહેલાં નવાજી અને બહુમાન કર્યું હતું. થોડાં વર્ષ પહેલાં જ ભાણાભાઈ સાહેબે સૌની વિદાય લીધી.

કેટલો મઝાના ચહેરો – ભાણાભાઈ સાહેબ!

આવતા અંકે બીજા મઝાના ચહેરાને મળીશું …

[ઓક્ટોબર ૫, ૨૦૨૨]

— 

e.mail : vijaybhatt01@gmail.com

Loading

मुंह और मुखौटों की आवाज

कुमार प्रशांत|Opinion - Opinion|7 October 2022

मुखौटे बहुत खतरनाक होते हैं लेकिन बड़े काम के होते हैं. जो अआप मुंह से नहीं बोल पाते हैं, मुखौटा वह आसानी से बोल सकता है. मतलब हींग, ना फिटकरी, रंग फिर भी चोखा !

जो जानते हैं वे जानते हैं कि कब मुंह बोल रहा है, कब मुखौटा; जो नहीं जानते हैं वे मुंह की कम सुनते हैं, मुखौटे की ज्यादा. यह खेल तब तक मजे से चलता है जब तक आप मुखौटे को मुखौटा कह कर, उसका मुखौटा छीनने नहीं लगते हैं. ऐसा खतरनाक खेल हुआ है 80 के दशक में. भारतीय राजनीति में चाणक्य होने का मुगालता पालने वाले एक आचार्यजी ने, भारतीय संस्कृति की अलंबरदार पार्टी के शीर्ष नेता को मुखौटा कह दिया. उन्हें भरोसा था कि मुखौटा जिस मुंह का मुखौटा था, वह असली मुंह उनकी रक्षा करेगा. लेकिन मुखौटा-शास्त्र का प्राथमिक पाठ वे भूल गए कि जो असली मुंह होता है, वह मुखौटे की कीमत जानता है. वह मुखौटे को कभी अरक्षित नहीं छोड़ता है.

ठीक भी है न, मुखौटा खिसक जाए तो फिर तो मुंह ही बचेगा; और वह मुंह, मुंह दिखाने लायक नहीं होगा तभी तो मुखौटे की जरूरत पड़ी. तो मुंह मुखौटा को ही बचाएगा, मुखौटा-चोर को नहीं. सो, तब हुआ यूं कि मुंह भी बचा रहा और मुखौटा भी; रेगिस्तान-बियाबान में जो गया वह मुखौटा-चोर था; और ऐसा गया कि आज तक उसकी घर वापसी नहीं हुई है.

आज हमारे सामने 2014 के बाद वाले मुखौटे हैं. लेकिन आगे की बात करने से पहले मैं बता दूं कि आधुनिक विज्ञान के युग में मुंह कौन और मुखौटा कौन, यह स्थिर सत्य नहीं होता है. कभी मुंह मुखौटा बन जाता है, कभी मुखौटा मुंह बन जाता है. बहुत ज्ञानी लोग ही जान पाते हैं कि कौन, कब किसका मुखौटा है और कौन, किसे, कब मुंह बनने की अनुमति दे रहा है. तो यूं समझ लीजिए कि होते तो दोनों मुखौटा ही हैं, मुंह बनने का खेल खेलना पड़ता है.

तो अब बात की बात पर आते हैं. एक है राष्ट्रीय स्वंयसेवक संघ और एक हैं दत्तात्रेय होसबाले ! संघ परिवार ने एक को काम दिया है समाज को बेहोश रखने का, होसबाले साहब को काम दिया है इस सरकार को होश में लाने व रखने का. आप समझ ही सकते हैं कि जिस काम पर होसबाले लगाए गए हैं, वह काम वे तभी कर सकते हैं जब सरकार उसके लिए रजामंद हो. इसे मुखौटा निर्माण की प्रक्रिया कहते हैं. तो बात कुछ इस तरह तै हुई कि जब होसबाले होश में रहेंगे तो मुंह रहेंगे; जब होश छोड़ देंगे तो मुखौटा बन जाएंगे. 80 के दशक वाला हादसा फिर न हो, इसलिए यह सावधानी जरूरी है. तो आइए, अब कहानी पर आते हैं.  होसबाले साहब ने कहा कि देश में भयंकर गरीबी है, बेरोजगारी है तथा विषमता का ग्राफ बढ़ता ही जा रहा है. उन्होंने भारतीय संस्कृति का सहारा लिया और बोले कि ये सब दानव हैं जिनका सामना देश कर रहा है. बात को विज्ञान का बल देना भी जरूरी होता है, सो वे बोले : देश में 20 करोड़ लोग ऐसे हैं जो गरीबी की रेखा के नीचे हैं जिन्हें देख कर बेचारे होसबाले दुखी हो जाते हैं. फिर उन्होंने कहा कि 23 करोड़ लोग ऐसे हैं कि जो प्रतिदिन 375 रुपयों से कम कमाते हैं. उनके मुताबिक देश में 4 करोड़ बेरोजगार हैं. फिर वे एक कदम आगे जाते हैं : कहा जाता है कि हमारा देश संसार की 6 सबसे बडी अर्थ-व्यवस्था में एक है. लेकिन क्या यह बड़ी सुखद स्थिति है कि देश के सबसे ऊपर के 1 फीसदी लोग देश की राष्ट्रीय आय के 20 फीसदी के मालिक हैं जबकि देश के 50 फीसदी के पास मात्र 13 फीसदी है. वे और आगे गए कि देश की बड़ी आबादी को पीने का साफ पानी व पौष्टिक आहार नहीं मिलता है.

किस्सा तमाम यह कि देश का यह हाल देख कर होसबाले साहब का होश गुम है. मैं सोच रहा हूं कि क्या देश का असली हाल बताने वाले ये आंकड़े ऐसे नये हैं कि जिन्हें पहली-पहली मर्तबा संघ-परिवार की विशेषज्ञ समिति ने खोज निकाला है? नहीं, ऐसे आंकड़े तो पता नहीं कब से हमारे सामने हैं. फिर आज इनकी बात क्यों? यहां मुखौटा अपने खेल खेलता है. केंद्र व राज्य के कई चुनाव सामने हैं और संघ व पार्टी में कई सारों को सारे पासे जगह पर दिखाई नहीं दे रहे. सभी सावधान हैं कि कोई अनहोनी हो न जाए ! ऐसे में संघ-परिवार को एक तीर से कई शिकार करने हैं.

केंद्र में यह सरकार वापस लौटे, उसे यह देखना है क्योंकि संघ-परिवार जानता है कि उसके लिए भारतीय जनता पार्टी से अधिक अनुकूल सरकार हो ही नहीं सकती है. लेकिन वह महसूस करता है कि मोदी-सरकार उस तरह इनके इशारे पर चलती नहीं है कि जिस तरह ये चाहते हैं. संघ चाहता है कि खेल के नियम वह तय करें, सरकार का काम खेलना भर हो. इसलिए यह मुखौटा सामने लाया गया. इसे दो कामों के लिए आगे किया गया है. ये आंकड़े मतदाताओं के सामने रखे तो गए हैं लेकिन दरअसल यह सरकार को सावधान करने के लिए हैं. इशारा यह है कि लाइन पर आओ, नहीं तो सरकारी प्रचार की पोल खोली जा सकती है. होसबाले साहब को बारीकी से सुनेंगे तो पाएंगे कि वे यह भी बताते चलते हैं कि इस सरकार की किस योजना से, कौन-सी समस्या हल होगी. जहां वे गरीबी व शिक्षा व्यवस्था की बुरी दशा की बात करते हैं वहीं यह भी कहते हैं कि इसलिए ही नई शिक्षा-नीति का प्रारंभ किया गया है. स्वावलंबी भारत अभियान, स्किल डेवलपमेंट आदि का उल्लेख भी करते हैं. वे कोरोना काल में मिली इस सीख की भी बात करते हैं कि ग्रामीण रोजगार गांव में ही विकसित हो तथा यह भी कि आयुर्वेदिक दवाओं के विकास की दिशा में सही कदम बढ़ाया जा रहा है. मतलब, मुखौटा हटाएंगे तो आपको सरकार से नाराज होने जैसा कुछ नहीं मिलेगा. एक तेवर है जो सरकार को सावधान करता है कि हमसे बना कर चलो.

आप देखेंगे कि संघ प्रमुख भागवत भी लगातार कुछ ऐसा कहते रहते हैं कि जो सरकार की दिशा से एकदम-से मेल नहीं खाता है. लगता है, रास्वंसं को सरकार से न केवल परेशानी हो रही है बल्कि उसके पास ज्यादा फलदायी दूसरी दिशा भी है. लेकिन यह भी गौर करने लायक है कि ये सब मिल कर डोर उतनी ही और वहीं तक खींचते हैं कि जहां से वह टूटने न लगे. सब कुछ जैसा है वैसा ही चलता रहे लेकिन एक हवा ऐसी बनी रहे कि कोई है जो अंकुश लगाने का काम कर रहा है. लेकिन न तो अंकुश लगता है, न लगाया जाता है, न सरकार की दशा-दिशा में कोई फर्क पड़ता है. ऐसा ही हाल हमारे सड़क कल्याण मंत्री का है. वे भी कुछ अलग व तीखा कहने की मुद्रा में बोलते हैं लेकिन मर्यादा का ध्यान रखते हैं. मर्यादा का ध्यान रखना भी चाहिए. मुखौटों ने मर्यादा तोड़ी तो वे टूट ही जाते हैं. फिर उनकी कोई राजनीतिक दशा बचती नहीं है.

इसलिए हम मुखौटों की बात सुनें जरूर लेकिन यह ध्यान रखें कि मुंह और मुखौटे में फर्क होता है; और कब मुंह बोल रहा है और कब मुखौटा, यह फर्क करने की तमीज अनुभव के बाद ही आती है.

(06.10.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ગુજરાત સરકાર ‘જય જય ગરવી ગુજરાત’ અંગ્રેજીમાં ગવડાવે તો નવાઈ નહીં…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat|7 October 2022

એક સમય હતો જ્યારે ગુજરાતમાં ‘જય જય ગરવી ગુજરાત’ સરકારી કે અન્ય કાર્યક્રમોમાં શરૂઆતમાં ગવાતું. હવે એ ગવાય જ નહીં એવા સંજોગો છે. જો ગાવું જ પડે તો એનો અંગ્રેજી અનુવાદ વેસ્ટર્ન મ્યુઝિકમાં સરકાર ગવડાવે એમ બને, કારણ થોડાં વર્ષ પછી ગુજરાતી બોલવાના જ ફાંફાં હોય ત્યાં ‘જય જય ગરવી ગુજરાત’ ન ગાઈ શકાય એટલી વરવી ગુજરાત કરવા સરકાર ખૂબ મહેનત કરી રહી છે. ગુજરાતી બોલનારા જ ન રહે એ રીતે સરકાર જ માતૃભાષાનો એકડો કાઢી નાખવા બેઠી છે ને પ્રયત્ન એ ચાલે છે કે ગુજરાતની માતૃભાષા અંગ્રેજી બને. ગુજરાતમાં ગુજરાતી મરવા પડે તો તેનો બધો યશ કેસરિયાં કરતી સરકારને આપવો પડે એ હદે તે ગુજરાતી ભાષા પરત્વે ઉદાસીન છે. આ કેળવેલી ઉદાસીમાં શરમ ને સમજ વગરની, મતલબી ને સ્વાર્થી પ્રજાનો પણ એટલો જ ફાળો છે. કોઈ પ્રજા આટલી સ્વમાન વિહોણી પણ હોઈ શકે એનું ઉત્તમ દૃષ્ટાંત ગુજરાતે પૂરું પાડ્યું છે. જે પ્રજાને પોતાની ભાષા માટે માન નથી એનું  દુનિયા અપમાન કરે તો આશ્ચર્ય ન થવું જોઈએ.

આમ તો ભેંશ આગળ ભાગવત જેવું જ છે, પણ સંઘના પ્રમુખે પણ માતૃભાષાનો મહિમા કરતાં યોગ્ય રીતે જ કહ્યું છે કે આપણે નેમ પ્લેટ માતૃભાષામાં લગાવી શકીએ, નિમંત્રણો માતૃભાષામાં પાઠવી શકીએ. સંઘ પ્રમુખે એ પણ સ્પષ્ટ કર્યું છે કે માતૃભાષામાં શિક્ષણ આપતી નીતિ બનવી જોઈએ. આ બધું તો આપણા હાથમાં છે. એક પ્રજા તરીકે એટલું તો આપણે કરી જ શકીએ, પણ એવું ઓછું જ થાય છે. એ દુ:ખદ છે કે શિક્ષણને આપણે કમાવાનું સાધન માત્ર બનાવી મૂક્યું છે. શિક્ષણથી કમાણી નથી જ થતી એવું નથી, ન કમાવું એવું પણ કહેવાનું નથી, પણ શિક્ષણ સાહિત્ય, કળા કે સંસ્કારનું સિંચન પણ કરે તો તેમાં હાનિ શી છે? તો, કેમ એ દિશામાં પ્રયત્નો ઘટતા આવે છે? જન્મ મા આપે છે ને એ ગુજરાતી હોય તો એની ભાષાનો આટલો છોછ કેમ? બીજા બધાંને તો ઠીક, પણ સરકારને જ માતૃભાષાની સૂગ હોય તેમ તે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરાવે છે ને ગુજરાતી માધ્યમની શાળાઓ એમ કહીને બંધ કરે છે કે એમાં વિદ્યાર્થીઓ મળતા નથી. આ બચાવ પાયામાંથી ખોટો છે. ગુજરાતમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ન મળે તો તે શું અમેરિકા કે ઇંગ્લેન્ડથી મળવાના છે? વારુ, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ન મળે એવી સ્થિતિ ઊભી કરી કોણે? એને માટે સરકાર જવાબદાર છે. હકીકત એ છે કે સરકાર નફાખોર વેપારીનું માનસ ધરાવે છે. બને તો સર્વે કરવા જેવો છે કે અંગ્રેજી માધ્યમની કેટલી સંસ્થાઓ સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓની ને એમના વળના માણસોની છે? સીધું ગણિત એ છે કે ખાનગી સ્કૂલો પર આ બધાંનું વર્ચસ્વ છે ને એમાંની મોટે ભાગની સંસ્થાઓ અંગ્રેજી માધ્યમની છે. એ નિમિત્તે ઊંચી ફી વસૂલાય છે અને એના સંચાલકો ને ટ્રસ્ટીઓ, વાલીઓની ચામડી ખોતરીને તિજોરીઓ ભરે છે. આ બધું સરકાર જાણે છે. બીજી બાજુએ સરકારી સ્કૂલો ગુજરાતી માધ્યમની છે ને તે મફત શિક્ષણ આપે છે. એમાં આવક નથી ને કેવળ ખર્ચ જ છે. એ બોજ સરકારને માથે છે. આમ તો એ પ્રજાના જ પૈસા છે, પણ સરકાર તે ખર્ચવા ઉત્સુક નથી. એ પૈસા બચે તો નફો વધે ને ખાનગી સ્કૂલો વધે તો ઊંચી ફી મળે ને આવક વધે. ખાનગીકરણનો મહિમા પણ એટલે જ થાય છે, કારણ, એમાં આવક છે ને સરકારીકરણમાં ખર્ચ જ છે. બાકી, સરકારે જાતે પરિપત્ર બહાર પાડ્યો હોય તો માતૃભાષામાં શિક્ષણ આપવામાં આટલા અખાડા થાય ખરા?

કોઠારી કમિશને (1968) ત્રિભાષી ફૉર્મ્યુલાના અમલનું સૂચન કરેલું, જેમાં માતૃભાષા, રાષ્ટ્રભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા શિખવવાની વાત છે. એ જ વાતનું નવી શિક્ષણ નીતિમાં પણ સમર્થન થયું છે. એ સંદર્ભે ગુજરાત સરકારનો 13 એપ્રિલ, 2018નો પરિપત્ર પણ છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતપણે ગુજરાતી વિષય ભણાવવામાં આવે તેવો આદેશ છે, પણ તેનો ચુસ્તપણે અમલ થતો નથી ને ખુદ સરકાર તરફથી જ માતૃભાષાની અવહેલના થતી હોય એવો ઘાટ છે. ખાસ કરીને ખાનગી શાળાઓ અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ગુજરાતી વિષય ભણાવાતો નથી. ત્યાં માધ્યમ અંગ્રેજી છે એટલે અંગ્રેજી તો ભણાવાય  છે, રાષ્ટ્રભાષા તરીકે હિન્દી પણ ભણાવાય છે, પણ સ્થાનિક ભાષા તરીકે ગુજરાતી ભણાવાતું નથી.  માતૃભાષાની આવી ઘોર ઉપેક્ષા અક્ષમ્ય છે. એ ખરું કે અંગેજીનું મહત્ત્વ છે ને જેમણે વિદેશમાં જઈને ભણવું છે એમને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ ઉપયોગી થાય, એની પણ ના નથી, પણ ગુજરાતી માધ્યમમાં ભણનારા વિદેશ જતા જ નથી, એવું પણ નથી. ત્યાં જતાં પહેલાં એ જરૂરી અંગ્રેજી શીખી જ લે છે ને વિદેશમાં સારો દેખાવ પણ કરે છે. જરા વિચારીએ કે કોઈ રશિયા કે જાપાન જઈને ભણે છે, તો તે અહીંથી રશિયન કે જાપાની ભાષા શીખીને જાય છે? મોટે ભાગે તો તે ત્યાં જઈને જ શીખે છે. અમેરિકા કે ઇંગ્લેન્ડથી સંશોધન માટે અહીં આવતા વિદ્યાર્થીઓ અહીં આવીને ગુજરાતી કે અન્ય ભાષા શીખે જ છે. એને માટે જો અમેરિકા કે ઈંગ્લેંડમાં ગુજરાતી કે અન્ય માધ્યમની સ્કૂલો શરૂ ન કરી દેવાતી હોય તો અમેરિકા કે ઈંગ્લેન્ડ જઈને ભણવાના છે તેને માટે અહીં અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરી દેવાનો કોઈ અર્થ ખરો? અહીં અંગ્રેજીનું બહુ વહી જાય છે એવી વાત નથી, પણ સરકારને અંગ્રેજીમાં સારો ધંધો થાય છે એટલે, અંગ્રેજીનું આટલું કૂટે છે. એવું નથી કે વધુ અભ્યાસ માટે ગુજરાતમાંથી જ બધા વિદેશ જાય છે, અન્ય રાજ્યોમાંથી પણ જાય જ છે, પણ ત્યાં અંગ્રેજી માધ્યમની આટલી ધંધાકીય ઘેલછા નથી. અંગ્રેજી ઓલાદો પેદા કરવાના ત્યાં આવાં કારખાનાં ચાલતાં નથી.

અન્ય રાજ્યોમાં માતૃભાષાની આટલી અવગણના કદાચ નથી, પણ સરકારે તો ગુજરાતમાં જ ઈંગ્લેન્ડ વસાવવું છે, એટલે અંગ્રેજીના મોહમાં ગુજરાતીનો સર્વનાશ કરવા બેઠી છે. કેટલીક સરકારી સ્કૂલોમાં ગુજરાતી ભણાવાય પણ છે, પણ સી.બી.એસ.ઈ. કે આઇ.સી.એસ.ઈ. કે આઇ.બી. જેવાં અન્ય બૉર્ડ દ્વારા ગુજરાતમાં જ ગુજરાતી ભણાવાતું નથી. રાજ્યનો પરિપત્ર છે, ગુજરાતી વિષય એકથી આઠ ધોરણમાં ફરજિયાત ભણાવવા અંગેનો, પણ પરિપત્રની ઐસીતૈસી થાય છે. એને લીધે સ્કૂલમાં કે બહાર ગુજરાતી વાંચવા, લખવા, બોલવાનું ઘટતું જાય છે. એનું ચલણ પછી નથી ઘરમાં રહેતું કે નથી બહાર તેનો ખાસ પ્રભાવ રહેતો. આવી  ઉપેક્ષા ધ્યાનમાં આવતાં જ ગુજરાતી વિષય અંગેની વાત ગંભીરતાથી લેવાય એટલે દાદ માંગતી પી.આઈ.એલ. હાઇકોર્ટ સમક્ષ આવી અને કોર્ટે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને સંબંધિત સત્તાવાળાઓને શો કોઝ નોટિસ પાઠવી છે. હાઇકોર્ટે ગુજરાતની ગુજરાતી માટે આટલી દખલ કરવી પડે એની રાજ્ય સરકારને શરમ આવવી જોઈએ, પણ સરકારો બહુ શરમાતી નથી તે હકીકત છે.

એ પણ છે કે ગુજરાતીની આ ઉપેક્ષા સ્કૂલ શિક્ષણ પૂરતી જ મર્યાદિત નથી, તેનો પડઘો યુનિવર્સિટી શિક્ષણ સુધી પડે છે. સ્કૂલોમાં ગુજરાતીનું મહત્ત્વ ઘટવાને લીધે કોલેજમાં પણ ગુજરાતી વિષય ભણવાનું ઘટી રહ્યું છે. મોટે ભાગે વ્યવસાયલક્ષી શિક્ષણનો મહિમા થાય છે એટલે કળા, સાહિત્યના શિક્ષણનું મહત્ત્વ આમ પણ ખાસ રહ્યું નથી. સંસ્કૃતના, ગુજરાતીના વિષયો ને વિભાગો યુનિવર્સિટીઓમાં બંધ કરવા પડે તેવી કંગાળ હાલત ભાષા શિક્ષણની છે. ગુજરાતીના પીએચ.ડીના વિષયોનું ને તેમના ગાઈડનું દારિદ્ર્ય જગજાહેર છે. એ પણ હવે ખાનગી નથી કે શિક્ષણના ઉચ્ચ હોદ્દાઓ પર હાઈલી ક્વોલિફાઇડની પસંદગી કેવળ અકસ્માત છે. મોટે ભાગે તો ચાપલૂસી કરનારાઓ જ મહાસુખ માણે છે. ક્યાંક સુખદ અપવાદો હશે જ, પણ આજનું સરકારી ગણિત એવું છે કે યોગ્યને અયોગ્ય જગ્યાએ અને અયોગ્યને યોગ્ય જગ્યાએ મૂકો જેથી ભણેલા અભણોથી આરતી ઊતરે અને અભણ ભણેલાઓ કારભાર કરે. એક પણ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી ન હોય ને જે અરાજકતા સર્જાય તેથી વધુ અરાજકતા આટલી સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓ મળીને ફેલાવી રહી છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ઑક્ટોબર 2022

Loading

...102030...1,3671,3681,3691,370...1,3801,3901,400...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved