થયો !
પંખી ટહુક્યું; લાગ્યું કૉલાહલ થયો !
કલરવોનો પ્રશ્ર્ન ના કૈં હલ થયો !
સ્પર્શ પીંછાનો સકળ ધડકન મહીં,
હું ભીતરથી ઔર પણ કોમલ થયો !
મારી સહુ વાણી ય સરવાણી થઈ;
મારો આ પોષાક પણ વલ્કલ થયો !
મૌન પણ મારું ય અર્થોથી સભર,
તું ઉપસ્થિત જ્યારે કે જલ-થલ થયો !
થઇ પ્રતીક્ષા જીવની, વ્યાકુળ ધરા,
એ પછી પરબ્રહ્મ પણ બાદલ થયો !
તારી બદનામી ય ના થઇ શ્હેરમાં,
મારો એતબારે ય અહીં નિશ્ચલ થયો !
એનું કારણ શોધવામાં રસ ન લો,
જે અહીં કારણ વિના નિષ્ફલ થયો !
એને દુનિયાએ બહુ આપ્યા છે દુ:ખ,
ના દીવાનો; કે ન જે પાગલ થયો !
એને દુનિયાથી રહી ના નિસ્બતે,
જેને લીધે એ અહીં પાગલ થયો.
જલકમલવત્ જીવવાનું ત્યાં હતું,
શબ્દ ઉદ્દભવ્યો; તો એ ઉત્પલ થયો !
આપના સાંનિધ્યની થઇ છે અસર,
આખરે હું પણ અહીં નિર્મલ થયો !
જો અહમ્ રહ્યો નહીં સ્હેજે ‘પ્રણય’,
શખ્સ જળ થઇ, વ્હેતો પણ કલ-કલ થયો !
તા. ૦૫-૦૪-૨૦૨૦
•••
વૃક્ષ આ પણ
ના શ્રવણ; કે કૈં ઉચરવાનું નથી !
મૌન રેʼજો; કૈં જ કરવાનું નથી !
કોઇ ભયથી, સ્હેજે ડરવાનું નથી,
મન પડે એ સ્થળ વિહરવાનું નથી.
હોય કરવા; તો ઉધામા સહુ કરો,
મન છે ચંચળ; ક્યાં ય ઠરવાનું નથી.
મરવા વાંકે જે જીવે; એને જીવાડ,
તારે જીવવાનું છે; મરવાનું નથી.
સ્હેજ કડવા પણ થવાનું શીખ હવે,
સહુને ‘હા’ એ ‘હા’ જ કરવાનું નથી.
આજ પણ વાવું છું હું કોઈ વિચાર,
વૃક્ષ આ પણ અહીં ઉઝરવાનું નથી !
વાયદાઓ વંધ્ય પણ નીવડે ‘પ્રણય’,
ઝાંઝવામાં રોજ તરવાનું નથી.
તા. ૧૮-૦૪-૨૦૨૧
![]()


ભારતમાં પુલોનાં નિર્માણમાં બેદરકારી રાખવામાં આવે છે તે વાત નવી નથી. એમાં ખૂબ ભ્રષ્ટાચાર થતો હોય છે તે વાત પણ નવી નથી. દરેક સરકારે આ બાબતમાં ઉદાસીનતા સેવી છે (અથવા તેમની મિલીભગત છે) તે પણ એટલી જ જાણીતી વાત છે. મોરબીના ઝૂલતા પુલની હોનારત, આપણી સિસ્ટમની ખામીનું પરિણામ છે. જે દેશમાં માણસના જીવનની કિંમત ન હોય, જ્યાં દંગાઓ કે દુર્ઘટનાઓમાં માણસોનું મરી જવું કર્મોનું ફળ કે ઈશ્વર-ઈચ્છા ગણાતું હોય, ત્યાં સિસ્ટમ નબળી અને ભ્રષ્ટ હોય તેમાં નવાઈ નથી.
ઇલા ભટ્ટ હવે સદેહે નથી. પણ એ ખરેખર નથી? 89 વર્ષની વયે, ૨જી નવેમ્બરે અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં બપોરે ૧૨.૨૦ વાગ્યે તેમણે દેહ છોડ્યો. ૩જી નવેમ્બરની સવારે જ્યારે માનવ મેદની વચ્ચે તેમના અંતિમ સંસ્કાર માટેની પ્રક્રિયાઓ આગળ વધી રહી હતી, ત્યારે સેવા સાથે જોડાયેલી ગુજરાતના વિવિધ ગામડાંઓની બહેનોનો અવાજ ગુંજી રહ્યો હતો, ‘દરેક બહેન, ઇલા બહેન..’ – આ અવાજ ઘૂંટાતો જતો હતો. આ સંજોગોમાં એમ કહેવું કે ઇલા ભટ્ટ હવે નથી, એ કેટલું યોગ્ય? હવે તો બહુ બધાં ઇલા ભટ્ટ છે, ક્યાંક – કોઇને કોઇ રીતે પોતાનું કર્મ આગળ ધપાવતાં, ગાંધી મૂલ્યોની શીખીને એ પ્રમાણે જીવનારી દરેક બહેનમાં ઇલા ભટ્ટ જીવે છે.