Opinion Magazine
Number of visits: 9554092
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—302

દીપક મહેતા|Opinion - Opinion|16 August 2025

નાણાવટી ખૂન કેસમાં ઇન્ડિયન નેવીના વડાની અને વિશ્વવિખ્યાત ડોકટરની જુબાની 

બેલાર્ડ પિયરના ટાઈગર ગેટ નજીક આવેલા વેસ્ટર્ન નેવલ કમાન્ડની ઓફિસ ધમધમી રહી હતી. સમય સવારના સાડા દસ. ટાઈગર ગેટનો લોખંડી દરવાજો સહેજ પણ કિચૂડાત કર્યા વગર ખૂલ્યો. પહેલાં ઇન્ડિયન નેવીની ખુલ્લી સફેદ જીપ બહાર આવી. તેમાં નેવીના જવાનો ભરી બંદૂકે ઊભા હતા. લશ્કરનાં વાહનોની નંબર પ્લેટ મારા-તમારા વાહનની નંબર પ્લેટ કરતાં સાવ જૂદી હોય છે. તેમાં સૌથી પહેલાં બ્રોડ એરો, કે ઊભા તીરનું નિશાન હોય છે, જે જણાવે છે કે આ વાહન લશ્કરનું છે. પછીના બે આંકડા એ વાહન કયા વરસમાં ખરીદાયું એ બતાવે છે. તે પછી અંગ્રેજી વર્ણમાળાનો એક અક્ષર હોય છે જે આ વાહન લશ્કરના કયા વિભાગનું છે તે જણાવે છે. તે પછીના ચાર આંકડા જે-તે વાહનનો સિરિયલ નંબર બતાવે છે. છેલ્લે ફરી એક અક્ષર મૂકાય છે જે બતાવે છે કે વાહન કયા પ્રકારનું છે : મોટર, ટ્રક, મોટર સાઈકલ, વગેરે. આવી નંબર પ્લેટ માત્ર લશ્કરનાં વાહનો માટે જ વાપરી શકાય છે. ખાનગી વાહનો માટે તે વાપરવી એ ગંભીર ગુનો ગણાય છે. અને લશ્કરનાં બધાં જ વાહનોની નોંધણી સ્થાનિક RTO પાસે નહિ, પણ સંરક્ષણ મંત્રાલયના ખાસ વિભાગ પાસે થતી હોય છે. 

ભારતીય લશ્કરના વાહનની નંબર પ્લેટ

તો આવી નંબર પ્લેટવાલી સફેદ જીપની પાછળ આવી રહી હતી એવી જ નંબર પ્લેટવાળી સફેદ એમ્બેસડર મોટર. તેના બોનેટ પર હતી ઇન્ડિયન નેવીના વડાની માનક પતાકા. હા, જી. એ વખતે આ દેશમાં બે જ મોટર બનતી હતી : એમ્બેસડર અને ફિયાટ. અને સરકારી વાહનો એટલે સફેદ એમ્બેસડર. તેની પાછળ ફરી નેવીની એક જીપ, ખુલ્લી, સશસ્ત્ર સૈનિકોવાળી. બંધ કાચવાળી સફેદ એમ્બેસડરમાં બેઠા હતા એડમિરલ રામદાસ કટારી, ઇન્ડિયન નેવીના પહેલવહેલા હિન્દુસ્તાની વડા. જન્મ ૧૯૧૧ના ઓક્ટોબરની આઠમીએ, અવસાન ૧૯૮૩ના જાન્યુઆરીની ૨૧મી તારીખે. દેશ આઝાદ થયો તે પછી પણ ઇન્ડિયન નેવીના પહેલા બે વડા અંગ્રેજ હતા. તેમાંના બીજા વાઈસ એડમિરલ સર સ્ટીફન હોપ કારલીલ પછી એ હોદ્દો સંભાળ્યો એડમિરલ રામદાસ કટારીએ. ૧૯૫૮ના એપ્રિલની ૨૨મીથી ૧૯૬૨ના જૂનની ચોથી સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. તેઓ આ હોદ્દા પર હતા તે દરમ્યાન પહેલવહેલું એરક્રાફ્ટ કેરિયર આઈ.એન.એસ. વિક્રાંત ઇન્ડિયન નેવીમાં દાખલ થયું. તેમની રાહબરી નીચે ગોવાના મુક્તિસંગ્રામમાં ઇન્ડિયન નેવીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. નિવૃત્ત થયા પછી એડમિરલ કટારીએ પોતાના અનુભવો વિશેનું પુસ્તક પ્રગટ કર્યું હતું : A Sailor Remembers.

ઇન્ડિયન નેવીના એડમિરલની પતાકા

ઇન્ડિયન નેવીનો આ કાફલો આવી પહોંચ્યો જજ મહેતાની અદાલત પાસે. કમ્પાઉન્ડની બહાર ફરી ઇન્ડિયન નેવીના સશસ્ત્ર સૈનિકો. આગલી જીપમાંના એક સૈનિકે તરત ઊતરીને એમ્બેસડરનું ડાબી બાજુનું પાછળનું બારણું ખોલ્યું. એડમિરલ રામદાસ કટારી ઊતર્યા. બોમ્બે હાઈ કોર્ટના પ્રોટોકોલ ઓફિસરે તેમને આવકાર આપ્યો અને અદાલતના મકાન તરફ લઈ ગયા. બરાબર અગિયારમાં બે મિનિટે બચાવ પક્ષના પહેલા સ્ટાર વિટનેસ એડમિરલ રામદાસ કટારી કોર્ટ રૂમમાં દાખલ થયા. અગિયાર વાગે જજ મહેતા આવ્યા પછી એડમિરલ રામદાસ કટારીની જુબાની શરૂ થઈ.

આવા ક્રિમિનલ કેસોમાં આરોપીનો સ્વભાવ, તેની ચાલચલગત, તેની આદતો, વગેરેનો વિચાર કરીને તેને ધ્યાનમાં રાખવાનું બહુ મહત્ત્વનું હોય છે. એટલે બચાવ પક્ષે કમાન્ડર નાણાવટીની બાબતમાં આ બધાની માહિતી મેળવવા માટે ઇન્ડિયન નેવીના સર્વોચ્ચ અફસર એડમિરલ રામદાસ કટારીને જુબાની આપવા વિનંતી કરી હતી અને તેમણે જુબાની આપવાનું સ્વીકાર્યું હતું. શરૂઆતમાં જજ મહેતાના સવાલના જવાબમાં એડમિરલ રામદાસ કટારીએ કહ્યું હતું કે કમાન્ડર નાણાવટીનો આજ સુધીનો સર્વિસ રેકર્ડ કશા ડાઘ વગરનો છે. તેમનો સ્વભાવ અને તેમનું ચારિત્ર્ય ચોખ્ખાં છે. 

પછી બચાવ પક્ષના વકીલના સવાલના જવાબમાં એડમિરલ કટારીએ કહ્યું કે કમાન્ડર નાણાવટી અને પ્રોવોસ્ટ માર્શલ કમાન્ડર સેમ્યુઅલ, બંનેને હું અંગત રીતે ઓળખું છું. 

કમાન્ડર નાણાવટીને રાજી રાખવા માટે સેમ્યુઅલે તેમની તરફેણમાં જુબાની આપી એ વાત સાચી છે?

બિલકુલ નહિ. કમાન્ડર સેમ્યુઅલ કમાન્ડર નાણાવટીના હાથ નીચે કામ કરતા નથી. કમાન્ડર સેમ્યુઅલની બઢતી, પગાર વધારો, વગેરે કોઈ બાબત પર કમાન્ડર નાણાવટીનો અખત્યાર નથી. એટલે કમાન્ડર સેમ્યુઅલે તેમને રાજી રાખવાનું કોઈ કારણ નથી. ઇન્ડિયન નેવીમાં પ્રોવોસ્ટની બ્રાંચ બીજી બ્રાન્ચો કરતાં અલગ અને સ્વતંત્ર હોય છે. તેનું મુખ્ય કામ નેવીમાં શિસ્ત જાળવવાનું હોય છે. 

તમે કહ્યું કે તમે કમાન્ડર નાણાવટીને અંગત રીતે ઓળખો છો. કઈ રીતે?

કમાન્ડર નાણાવટીએ ત્રણ વખત સીધેસીધા મારા હાથ નીચે કામ કર્યું છે. પહેલી વાર ૧૯૪૬માં જ્યારે તેઓ આઈ.એન.એસ. કાવેરીના કમાન્ડિંગ ઓફિસર હતા ત્યારે. બીજી વાર ૧૯૫૧માં, જ્યારે તેઓ દિલ્હીમાં નેવલ હેડક્વોરટર્સમાં મુખ્ય ઓફિસર તરીકે કામ કરતા હતા ત્યારે. અને ત્રીજી વાર ૧૯૫૭-૧૯૫૮માં જ્યારે હું મારા ફ્લેગશીપ આઈ.એન.એસ. માઈસોર પર ફ્લેગ ઓફિસર હતો ત્યારે કમાન્ડર નાનાવાટી એ જહાજના એક્ઝીક્યુટીવ ઓફિસર હતા ત્યારે. 

અચ્છા. કમાન્ડર નાણાવટીના સ્વભાવ વિષે, તેમના ગમા-અણગમા વિષે તમે શું કહેશો?

તેઓ એક પ્રામાણિક, ઠરેલ, કાર્યદક્ષ માણસ છે. તેમને આકળા-ઉતાવળા થતા મેં જોયા નથી. તેઓ સ્વભાવે શાંત છે અને બીજાની સાથે હળીમળીને કામ કરવામાં માને છે. 

ફરજના ભાગ રૂપે તમે તેમને મળ્યા હો એટલાને આધારે આમ કહો છો?

ના. એ ઉપરાંત પણ સામાજિક કાર્યક્રમો કે મેળાવડાઓમાં પણ અમારે મળવાનું થયું છે. તેઓ કોઈ સાથે ઝગડ્યા હોય, કે આકળા થયા હોય તેવું મેં જોયું જાણ્યું નથી. 

કમાન્ડર નાણાવટીને ઇન્ડિયન નેવીની નોકરીમાંથી સસ્પેન્ડ શા માટે કરવામાં આવ્યા છે?

ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના અને નેવલ હેડ ક્વોર્ટર્સના એમ કરવા અંગેના હુકમને કારણે.

એવા હુકમ પાછળનું કારણ?

એક માણસનું ખૂન કરવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે અને એ અંગે તેમના પર આ અદાલતમાં ખટલો ચાલે છે એટલે. 

ખટલો ચાલે તે દરમ્યાન કમાન્ડર નાણાવટીને મુંબઈ પોલીસના તાબામાં નહિ, પણ નેવલ પોલીસના તાબામાં રાખવાની ભલામણ તમે કરી હતી?

એવી ભલામણ મેં પોતે કરી નહોતી કારણ એવી ભલામણ કરવાની મને સત્તા નથી. પણ આમ કરવા માટે મેં નેવલ હેડક્વોર્ટર્નેસ વિનંતી કરી હતી, જે તેમણે સ્વીકારી હતી. 

અત્યારે કમાન્ડર નાણાવટી ઇન્ડિયન નેવીની નોકરીમાં છે કે નથી?

નોકરીમાં છે, પણ તેમને બરતરફ કરવામાં આવ્યા છે. પણ આજે ય તેઓ ઇન્ડિયન નેવીના એક અફસર છે જ. 

બરતરફ થયા હોવા છતાં કમાન્ડર નાણાવટી જયારે પણ અદાલતમાં હાજર થાય છે ત્યારે નેવીનો યુનિફોર્મ પહેરીને કેમ આવે છે?

એમ કરવા અંગેનો હુકમ મેં નથી કર્યો.

તો કોણે કર્યો છે?

ઇન્ડિયન નેવીના પ્રોવોસ્ટ માર્શલે. કારણ એ તેમના અધિકારક્ષેત્રની બાબત છે. 

આ ખટલામાં સાક્ષી તરીકે હાજર રહેવા તમે સંમતિ શા માટે આપી?

કારણ કમાન્ડર નાણાવટી ઇન્ડિયન નેવીના એક મહત્ત્વના અફસર છે. હું તેમનો વડો છું એટલું જ નહિ, તેમને અંગત રીતે પણ હું ઓળખું છું. અને હું તેમને ઓળખું છું એક ચારિત્ર્યવાન, સીધાસાદા આદમી તરીકે. એટલે આ ખટલામાં જુબાની આપવાની હું મારી ફરજ સમજુ છું. 

બચાવ પક્ષના વકીલ : થેન્ક યુ એડમિરલ કટારી. યોર ઓનર! આરોપી કમાન્ડર નાણાવટીના સ્વભાવ અને ચારિત્ર્ય વિષે દેશના નૌકાસૈન્યના વડાએ જે કાંઈ કહ્યું એની ઉચિત રીતે નોંધ લેવાની આપને અરજ ગુજારું છું. 

એડમિરલ કટારી કોર્ટમાંથી જઈ રહ્યા હતા ત્યારે કમાન્ડર નાણાવટીએ તેમની સામે જઈને સેલ્યુટ કરી, અને પછી બંનેએ શેકહેન્ડ કરી હતી. એડમિરલ કટારી નીચે ઊતર્યા એટલે ફરી તેમને વળાવવા બોમ્બે હાઈ કોર્ટના પ્રોટોકોલ ઓફિસર આવ્યા. એડમિરલ કટારીનો રસાલો ફરી ટાઈગર ગેટ જવા રવાના થયો.

 

ડો. એ.વી. બાલીગા

બચાવ પક્ષના બીજા સ્ટાર વિટનેસ હતા પ્રખ્યાત સર્જન ડો. એ.વી. બાલીગા. જન્મ ૧૯૦૪માં, અવસાન ૧૯૬૪માં. ગ્રેટ બ્રિટનની રોયલ કોલેજ ઓફ સર્જન્સના ફેલો હતા. ગ્રેટ બ્રિટનમાં અભ્યાસ કરીને પાછા આવ્યા પછી તેઓ કે.ઈ.એમ. હોસ્પિટલમાં અસિસ્ટન્ટ ઓનરરી સર્જન નિમાયા હતા. વખત જતાં એક અત્યંત બાહોશ ડોક્ટર તરીકે તેમની ખ્યાતિ દેશમાં અને દેશની બહાર ફેલાઈ હતી. તેમણે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી હતી અને પાછલાં વરસોમાં ‘પેટ્રીઅટ’ નામનું વર્તમાનપત્ર અને ‘લિન્ક’ નામનું મેગેઝીન શરૂ કર્યાં હતાં. તેમના અવસાન વખતે પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું : “ડોકટર બાલીગા એક અસાધારણ કુશળ સર્જન હતા એટલું જ નહિ, એક ઉમદા માણસ પણ હતા. સમાજને ઉપયોગી થાય તેવાં સારાં કામ માટે તેમણે છુટ્ટે હાથે દાન આપ્યાં હતાં. તેઓ સાચા અર્થમાં દેશભક્ત હતા.”  

આવા જગવિખ્યાત ડોકટર બાલીગાએ તેમની જુબાની દરમ્યાન પ્રેમ આહુજાનું મૃત્યુ કઈ રીતે થઈ શક્યું હોય, કેવા હથિયારને કારણે થયું હોય, એ માટે કોણ જવાબદાર હોઈ શકે, વગેરે ઘણા પ્રશ્નોની મેડિકલ દૃષ્ટિએ છણાવટ અને સ્પષ્ટતા કરી. જે મારા-તમારા જેવા માટે સમજવી જરા મુશ્કેલ. 

એક-બે વખત ફરિયાદ પક્ષના વકીલ અને ડો બાલીગા વચ્ચે શાબ્દિક ચકમક પણ ઝરી. અગાઉ બેલાસ્ટિક (દારૂગોળાને લગતા) નિષ્ણાતે જે અભિપ્રાય આપ્યો હતો તેના કરતાં ડો. બાલીગાએ જુદી શક્યતા સૂચવી. ત્યારે ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે તમે ડોક્ટર છો, બેલાસ્ટિક એક્સપર્ટ નહિ. છતાં વાત એવી રીતે કરો છો કે જાણે તમે તેમના કરતાં સવાયા જાણકાર હો. 

ડોક્ટર બાલીગા : મેં એવું કહ્યું જ નથી. મેં એટલું જ કહ્યું છે કે આ બનાવ અંગે વિચાર કરતી વખતે બીજી શક્યતાઓ – જેમ કે અકસ્માતની શક્યતા – પણ તપાસવી જોઈએ. ફરિયાદ પક્ષના વકીલે એક-બે પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો હતો પણ નામદાર જજ સાહેબે એ પ્રશ્નો પૂછવાની મંજૂરી આપી નહોતી. ડોક્ટર બાલીગાની જુબાની કુલ સાડા છ કલાક ચાલી હતી. 

એડમિરલ રામદાસ કટારી અને ડો એ.એસ. બાલીગા જેવા મહત્ત્વના સાક્ષીઓ પછી બીજે દિવસે પણ એક ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ અદાલતમાં હાજર થવાની હતી. જો કે ફરિયાદ પક્ષના વકીલે પહેલેથી જ જણાવ્યું હતું કે આ સાક્ષી ઉપર અમને મુદ્દલ ભરોસો નથી. એટલે હું તેમની ઊલટતપાસ નહિ લઉં. પણ બચાવ પક્ષે એ સાક્ષીની જુબાની માટે આગ્રહ રાખ્યો હતો અને એટલે નામદાર જજ સાહેબે બીજે દિવસે એને હાજર રાખવાની સૂચના આપી હતી. 

એ સાક્ષી તે કોણ, અને તેની જુબાની વિશેની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 ઓગસ્ટ 2025

Loading

Letters by Manubhai Pancholi (‘Darshak’)

Purvi N. Upadhyay|English Bazaar Patrika - Features|16 August 2025

The letters presented here are translations of original Gujarati correspondence between Manubhai Pancholi and Mrudulaben Mehta, excerpted from Chetovistarni Yatra. This collection was compiled and published by Mrudulaben Mehta through Sarvoday Sahakari Prakashan Sangh, Lokbharti, Sanosara, Bhavnagar. The book is divided into three thematic sections: letters on literature, letters on history, and letters on contemplation, which collectively offer valuable insights.

— Dr. Purvi N. Upadhyay

Asst. Professor (English)

Government Arts College, Talaja

Dist. Bhavnagar

‡‡‡‡

Chiranjiv* Mrudula,

According to Lord Krishna, self discipline is also a form of austerity, since it requires curving other interest and pursuits. In Indian civilisation, Lord Krishna is revered as the only epitome of perfection, offering unparalleled guidance on life’s multifaceted aspects. Lord Krishna’s teachings cover various aspects of life, including, physical discipline, education, philosophy, art and aesthetic philosophy, culture and social dynamics, all illustrated with practical examples.

In Sanosara, a young farmer’s death weighed heavily on my mind. I repeatedly chanted “Shnatakaram Bhujagshayanam”**.  Despite reclining on a serpent bed, Lord Vishnu exemplifies perfect calmness. What a profoundly touching and thought provoking point the poet has made!

 *              *.           *

Having directed Mukharaj there,  you must have gained some understanding of the importance of verbal and physical acting, essential for a skilled actor.

Apart from these two elements, the play’s theme should neither be too elevated nor too mundane for the audience. Additionally, it should have the power to elevate and engage the viewer; this power is achieved by valuing the three elements of introduction, development and resolution; all the three should be at their highest. When these elements are optimised, other aspects like costumes and decorations can add richness to the performance. Wiesenthal*** spent twenty years tracking down high ranking Nazi officials, including Eichmann. His memoir, ‘The Murderers Amongst Us’ offers a gripping and insightful account of his experiences.

                                                                                            Blessings of Manubhai

*In a personal letter to a younger person, this salutation conveys blessings and good wishes for a long life.

**The mantra is used to invoke Lord Vishnu’s presence for inner peace, protection, and guidance through life’s challenges. It is often chanted to remove fear and anxiety.

***Simon Wiesenthal (31 December 1908 – 20 September 2005) was an Austrian Holocaust survivor, Nazi hunter, and writer.

°°°°°°°

Chiranjiv* Mrudula,

Tomorrow is Janmashtami, and I, being here, have to share something. Had Lord Krishna’s teachings been followed, the Mahabharata war would have been averted, rendering war altogether unnecessary, the Brahmins who performed Yajna would have abandoned violent Yajna and the concept of Sannyasa (Renunciation) might have retained its original context as the fourth stage of life (Chaturthashram**), rather than emerging as a separate path to salvation. The Gita introduces many forms of Yajna and has made the revolutionary statement that Japa Yajna is the most superior practice. Karma can never be abandoned, without being aware of its fruits. In this context, the path of renunciation (Sannyasa) is forbidden. Had Lord Krishna’s teachings bin followed, there would have been no opposition of Buddhism regarding upper and lower caste system, since he has said that Varna system (Social classification) is based on merit and karma, rather than birth. And by enjoying buttermilk of the shepherds and carrying for the cows, Lord Krishna even exemplified this; but if people had believed the visionaries why would individuals like us need to strive to work! Good thing, we didn’t obey!

The biographers of Lord Krishna have not recorded whether he went to Gokul after leaving Mathura. They must have found detachment in this act of Lord Krishna; but for a loving friend like him, it is unthinkable that he had not paid the visit. It is unimaginable that the one who tenderly cared for the lapwing bird, has not warmly embraced the Gopies, Nand and Yeshoda (Let us set Radha’s character aside, as she was included later in the narrative). Lord Krishna, being a perfect being, manifests in whatever form one desires to behold.

Blessings of Manubhai

*In a personal letter to a younger person, this salutation conveys blessings and good wishes for a long life.

**Chaturashram, also known as Chaturashrama, refers to the four stages of human life in Hinduism: Brahmacharya(student), Grihastha (householder), Vanaprastha (retired), and Sannyasa (renunciate).

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Loading

અમેરિકન ભારતીયો કોને વફાદાર? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 August 2025

जय हिंद કે जय जगत? 

હેમન્તકુમાર શાહ

અમેરિકન ભારતીયો કે જેઓ સત્તાવાર રીતે અમેરિકાના નાગરિકો છે, કે જેમની પાસે અમેરિકન પાસપોર્ટ છે, કે જેઓ ભારતના નાગરિક છે જ નહિ, તેઓ ભારતનો તિરંગો લહેરાવીને ૧૫મી ઓગસ્ટે ભારતનાં રાષ્ટ્રગીતો જન ગણ મન અને વંદે માતરમ્ ગાઈને ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરે તો તે અમેરિકાની દૃષ્ટિએ દેશદ્રોહ કહેવાય કે નહીં?

અમેરિકન સરકાર તેમની સામે દેશદ્રોહનો કેસ કરે છે? ના. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને કોઈ રાજકીય પક્ષ કે કોઈ સંસ્થાના લોકો એ બધાને અર્બન નક્સલ કહે છે? ના. “गोली मारो सालों को, देश के गद्दारों को” એવું ત્યાંનો કોઈ પ્રધાન જાહેર સભામાં ઘાંટા પાડીને બોલે છે? ના. એનો અર્થ એમ છે કે અમેરિકાના મૂળ ભારતીય નાગરિકોને ભારતનો ઝંડો જાહેરમાં લહેરાવવાની સંપૂર્ણ આઝાદી છે અને તેથી અમેરિકા માટે કોઈ ખતરો ઊભો થાય છે એમ અમેરિકન સરકાર માનતી જ નથી. અમેરિકાનું આકર્ષણ એ જ છે : શક્ય તેટલી આર્થિક, સામાજિક અને રાજકીય આઝાદીવાળું મનુષ્યનું જીવન. 

અમેરિકામાં જો આમ કરવાની આઝાદી અમેરિકન ભારતીયોને હોય તો તે મનુષ્યની સાચી આઝાદી કહેવાય કે નહીં? અમેરિકાએ આટલા પૂરતો પણ वसुधैव कुटुम्बकम्-નો આદર્શ સિદ્ધ કર્યો કહેવાય કે નહીં? 

રાષ્ટ્રધ્વજ એ દેશના સન્માનનું અને દેશની ઓળખનું પ્રતીક છે. ભારતીય અમેરિકન નાગરિકો અમેરિકાના આઝાદી દિન ચોથી જુલાઈએ અમેરિકન રાષ્ટ્રધ્વજને સલામી આપે અને અમેરિકાનું રાષ્ટ્રગીત ગાય જ. તો તેઓ અમેરિકા અને ભારત એમ બે દેશ પ્રત્યે વફાદારી બતાવે છે એમ કહેવાય? 

આજના વૈશ્વિકીકરણના જમાનામાં દેશો વચ્ચે ભૌગોલિક સરહદો હોવા છતાં રાષ્ટ્રના અને રાષ્ટ્રવાદના ખ્યાલો કેવા ભૂંસાઈ અને ઘસાઈ ગયા છે તે આ ઉદાહરણ પરથી સમજવું જોઈએ. ભારતમાં રાષ્ટ્રવાદને નામે જે ધમપછાડા ચાલે છે તે કેટલા વાહિયાત છે એનો ખ્યાલ આનાથી આવવો જોઈએ. 

કંસના નિકંદન પછી ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને ત્યાંના લોકોને લઈને દ્વારકા આવીને વસેલા કારણ કે મથુરા પર જરાસંધે ૧૭ વખત હુમલા કરેલા અને ત્યાંના નગરજનોને પરેશાન કરેલા. કૃષ્ણ માટે દ્વારકા એવી જગ્યા હતી કે જ્યાં કોઈ ભય ન હોય. ભગવાન પણ ભાગેલા, ભય વિનાની જિંદગી જીવવા! આજકાલની ભાષામાં એને immigration કહે છે. એ જમાનામાં દ્વારકા કંઈ મથુરા રાજ્યનો ભાગ નહોતું, એટલે એને મથુરાના સંદર્ભમાં તો વિદેશ જ કહેવાય. માણસને કોઈ પણ જાતના ભય વગરની જિંદગી જીવવી હોય છે. એવો ભય વગરનો સમાજ ઊભો થાય એનું નામ સ્વાતંત્રતા.

ભગવાન કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે કે જે કૃષ્ણે માતા જશોદાને ગોકુળમાં પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું. આ દંતકથા એમ દર્શાવે છે કે આપણે બધા મનુષ્યો એક જ છીએ, પછી ભલે ને ધર્મ કે જાતિ અલગ અલગ હોય. 

આનો સ્પષ્ટ અર્થ એ છે કે માણસજાતે પોતાના દેશના નકશાઓને પ્રેમ કરવાનો છે એના કરતાં માણસને જ વધુ પ્રેમ કરવાનો છે. પૃથ્વી પરના નકશાઓ તો એક નાછૂટકે ઊભી થયેલી મનુષ્યોનાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે ઊભી થયેલી વ્યવસ્થા છે. નકશાઓ રહેવાના જ છે, પણ નકશાઓથી આગળ વધીને સમગ્ર માનવજાતને પ્રેમ કરવાની જરૂર છે. વિનોબા ભાવે કહેતા હતા તેમ जय हिंदથી આગળ વધીને जय जगत। 

જન્માષ્ટમી, ૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...126127128129...140150160...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved