Opinion Magazine
Number of visits: 9458550
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Am I alone?

Vijay Bhatt|English Bazaar Patrika - Features|25 September 2022

Am I alone?

Is it just only me or there is a club out there?  After reading this, may be you can validate my parking spot on this planet earth occupied by the humans.

I am older than a quadragenarian. Of course, I will hide the exact age!

In my profession, my charges are more than the minimum legal wage.

Socially, I love to have a drink with friends and have out of control laughs on jokes which are at times biased or politically incorrect.

I watch stupid movies with family.

I jump and scream while watching Lakers basketball or the Super Bowl.

Sometimes, I have fun discussing my first crush in high school.

I pick my nose at a traffic signal if no one is watching.

When among people, if I need to release air pressure from my stomach, I do go aside and finish the business where other noise would suppress my natural alerts!

At a vacation with a chum, I told him my pee will go further than his, even at this age!

Though I am a regularly performing artist, singer, and a writer, I always sing very loud in the bathroom.

I do make funny facial expressions when I am alone in front of a mirror.

In professional meetings and during socials, my mind wanders all over.  I myself feel “why do I get such thoughts?

These thoughts include imagining the people around me without cloths, telling the guy next to me that he has a body odor, urge to slap my boss, my customer, my banker, or a co traveler at times.

Many times wished I was four inches taller.

When I teach a college class, I exactly know what my students must be thinking of me. It must be the same as what I felt about my professors, some mixed feelings.

When I see teenagers having fun, I feel younger.

Many times I think what if I have a body of a twenty year old with my current savvy wisdom and maturity! Things could be so different.

I always wished I had a control to reverse the calendar and clock!

At the same time, I must admit I am happy in my own skin!

I always wish for the chance to talk to the dear ones who have passed and ask how things are up there… I feel like telling them “I love you and miss you”.

I specifically want to ask them if there is such a thing as life after death.

And definitely ask “by the way, did you meet anyone who saw the hyper-discussed heaven, hell, or the most desirable mokhsh yet?”

I tend to think there could be some great super God somewhere, but I do not have a tangible proof. I am not sure either way. But still, due to fear and faith combined, I believe, there must be a Godly power.

I get tears seeing others cry.  I cannot stop smiling if others are laughing around me.

I get empathy towards sufferers and anger towards brutality and injustice.

Some days, I feel very strong. Some days I feel helpless for not being able to change things around me.

Am I alone feeling such?

September 23, 2022
e.mail : vijaybhatt01@gmail.com

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૯) 

સુમન શાહ|Opinion - Literature|25 September 2022

(આ સારસંક્ષેપ હું પૂરો કરવામાં હતો ને કોઈ કારણે એ આખું લખાણ ઊડી ગયું. કંટાળા સહિતના શ્રમથી બધું યાદ કરીને ફરીથી લખવામાં આટલા દિવસ લાગ્યા.)

પ્રકરણ : ૯ : 

(આ પ્રકરણનાં ૧૮ પેજ છે. આ પ્રકરણ જેરિનેલ્ડો અને સવિશેષે હોસે ઔરેલિયાનો બ્વેન્દ્યા સંદર્ભે ઘણું મહત્ત્વનું છે. એ કારણે હું આ સાર-સંક્ષેપને ટુંકાવી શક્યો નથી. મિત્રો ફુરસદ લઈને વાંચે એમ વિનન્તી.)

સૌ પહેલાં, કર્નલ જેરિનેલ્ડો માર્ક્વેઝને યુદ્ધ હેતુવિહીન લાગે છે. માકોન્ડો એના તાબામાં હતું. ગામની નાગરિક અને સેનાવિષયક બાબતો સંભાળતો’તો. અઠવાડિયામાં બે વાર કર્નલ ઔરેલિયાનો સાથે એનો ટેલિગ્રાફિક વાર્તાલાપ ચાલતો’તો. બન્ને વચ્ચે યુદ્ધની રૂપરેખાની ચર્ચાઓ થતી’તી, વગેરે.

બને છે એવું કે જેરિનેલ્ડોના યુદ્ધ સાથેના બધા સમ્પર્ક ક્રમે ક્રમે તૂટી જાય છે. યુદ્ધસંલગ્ન એ યૌવનસભર પ્રવૃ્ત્તિ એના માટે માત્ર સંભારણું બની રહે છે. યાદ આવે તો એ નર્યો ખાલીપો અનુભવે છે. એટલે પછી, એનો એક માત્ર આશ્રય બની રહે છે – અમરન્તાનો શીવણરૂમ. ત્યાં રોજે બપોરે પ્હૉંચી જાય છે. રેમેડિયોસે ચાલુ છોડી દીધેલા મશીનને બંધ રાખીને એમાંથી ઘમ્મર ઘાઘરાનું કપડું કાઢીને વાળી લેતા અમરન્તાના હાથ જોયા કરવાનું એને બહુ ગમે છે. બન્ને જણાં એકમેકની હાજરીથી સંતુષ્ટ પણ રહેતાં હોય છે અને કશું બોલ્યા વિના કલાકો પસાર કરી શકતાં હોય છે. જેરિનેલ્ડોના ગૃહાગમનના સમાચારથી અમરન્તા આતુરતાની મારી ઊંચીનીચી થઈ ગયેલી તેમછતાં એ એને કૉઠું નથી આપતી. ઊલટું એ કે અંદરખાને એને જેરિનેલ્ડોની પ્રેમઅગનને જીવતી રાખવાનું ગમતું હોય છે. પણ જેરિનેલ્ડોને એ અગમ્ય હૃદયની ગૂઢ ડિઝાઈનો સમજાતી નથી.

ઘણી વાર રેમેડિયોસ ધ બ્યુટિ શીવણરૂમમાં હોય નહીં, ત્યારે શીવણમશીનનું વ્હીલ જેરિનેલ્ડો ચલાવી આપતો. રેમેડિયોસ બધી વાતે જડસુ લાગે, બધાં એને મનોરોગી ગણતાં, તો પણ જેરિનેલ્ડોની અમરન્તાને વિશેની પ્રેમનિષ્ઠાને એ પામી ગયેલી, અને એટલે, જેરિનેલ્ડોની તરફેણ કરવા માંડેલી. અમરન્તાને તરત સમજાઈ ગયેલું કે ઉછેરીને મોટી કરેલી એ છોકરી, હજી તો જેણે તરુણાઈમાં પગ મૂક્યો છે, માકોન્ડો આખામાં લોકો જેને મોટી રૂપસુન્દરી ગણે છે, એ કંઈક ગરબડ કરી રહી છે. અમરન્તાના દિલમાં દ્વેષ જાગે છે, જે દ્વેષ ગતકાલીન દિવસોમાં રેબેકા માટે જાગેલો. અને અમરન્તા પ્રાર્થે છે કે – ભગવાન ! મને એવી બુદ્ધિ ન આપતો કે હું ઇચ્છું કે એ મરે …

એણે રેમેડિયોસને શીવણરૂમમાંથી હમ્મેશને માટે કાઢી મૂકી.

જેરિનેલ્ડોએ પોતાના અનુનયોને અને પોતાની વિશાળ છતાં દુભાયેલી કોમળતાને સ્વરક્ષા સારુ યાદ કરીને બોલાવ્યાં; અમરન્તા માટે પોતાના ગૌરવને જતું કરવાની તૈયારી બતાવી – એ ગૌરવ કે જેને પામવા પોતાનાં ઉત્તમ વર્ષોનું બલિદાન આપેલું – પરન્તુ અમરન્તાને એમાંનું કશું પણ સમજાવવામાં એ નિષ્ફળ નીવડ્યો.

કશા પાર વગરની એ રાત્રિએ જેરિનેલ્ડો અમરન્તાના શીવણરૂમમાં પોતાની નિષ્પ્રાણ બપોરો વિશે વિમાસતો હતો ત્યારે હોસે ઔરેલિયાનો બ્વેન્દ્યા ક્યારનો પોતાના એકાન્તના કોટલાની કઠણ છાલને  ઉખેડ્યા કરતો’તો. ઔરેલિયાનોની સુખદ ક્ષણો એ હતી કે પિતા એને બરફ જોવા લઈ ગયેલા એ દૂરવર્તી બપોરથી માંડીને સિલ્વર શોપની એ જગ્યાએ લઈ ગયેલા જ્યાં એને નાની સુવર્ણ માછલીઓને ભેગી બેસાડવાની લાંબા સમય સુધી મજા પડી ગયેલી. ઔરેલિયાનોને ૩૨-૩૨ યુદ્ધ કરવા જરૂરી લાગેલાં અને એ માટે મૃત્યુ વિશેની મનોદશાને ફગાવી દેવી પડેલી. અને ૪૦-૪૦ વરસથી સાદાસીધા જીવનના વિશેષાધિકારોના મહિમાને સારુ છાણના ઢગમાં મસ્ત ડુક્કરની જેમ પડ્યા રહેવું પડેલું.

પોતાની હઠના અસહ્ય ભારથી હારી ગયેલી અમરન્તાએ, ઑગસ્ટની એક બપોરે, પોતાના એ દૃઢ દાવેદારને છેલ્લો જવાબ આપી દીધો : ‘આપણે બન્ને એકબીજાંને ભૂલી જઈએ; આવા પ્રકારની વસ્તુ માટે આપણે ઘણાં ઘરડાં થઈ ગયાં છીએ’ : અને અમરન્તા પોતાના એકાન્તને આમરણ રડી લેવા બેડરૂમમાં પુરાઈ ગઈ.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને પણ યુદ્ધ નિર્હેતુક લાગે છે, એનો પણ યુદ્ધમાંથી વિશ્વાસ ઊઠી જાય છે. પોતાની અંદર એ એટલો બધો વળી જાય છે કે એને જોતાં, એ એક ગૌરવહીન ઠીઠું લાગે; વળી – લાગણીશૂન્ય – સ્મરણશૂન્ય અને સાવ એકાકી.

એક વાર એક બપોરે કર્નલ જેરિનેલ્ડોને કર્નલ ઔરેલિયાનો તરફથી ટેલિગ્રાફિક કૉલ મળે છે. જડતાભર્યા યુદ્ધમાં કશો ફર્ક ન પડે એવી રોજિંદી વાતચીત હતી. છેલ્લે જેરિનેલ્ડો વિજન શેરીઓને અને બદામડીનાં પાન પરના ચોખ્ખાં પાણીને જોતો જોતો એકાન્તમાં ખોવાઈ જાય છે. મશીન પર એ દુ:ખદ અવાજમાં બોલ્યો, ‘ઔરેલિયાનો ! માકોન્ડોમાં વરસાદ વરસી રહ્યો છે.’ ક્યાં ય લગી વળતો ઉત્તર ન આવ્યો, પણ એકાએક ઔરેલિયાનો તરફથી કઠોર અક્ષરો ખડકાયા : જેરિનેલ્ડો ! તું ગધો છું ! ઑગસ્ટમાં વરસાદ ન વરસે તો શું વરસે ! : બન્ને ઠીકઠીક સમય લગી ભેગા નહીં થયેલા એટલે જેરિનેલ્ડોને એ આક્રમક પ્રતિક્રિયા સમજાયેલી નહીં, એ ઉદાસ થઈ ગયેલો.

બે માસ પછી ઔરેલિયાનો માકોન્ડો આવે છે. એની ઉદાસી તો ઑર વધી ગયેલી. એ એટલો બધો બદલાયેલો લાગતો’તો કે ઉર્સુલાને પણ અચરજ થયેલું. એક પણ અવાજ વિના ઘરમાં દાખલ થયો, સાથે અનુરક્ષક નહીં, ગરમી હતી તો પણ ઓવરકોટ ચડાવેલો, નવાઈ તો એ કે સાથે ત્રણ રખાતને લઈ આવેલો. પોતે કાયમ પડી રહેતો’તો એ હૅમકવાળા ઘરમાં એણે એ ત્રણના નિવાસની વ્યવસ્થા પણ કરી દીધેલી.

જેરિનેલ્ડો યુદ્ધવિષયક કશી આજ્ઞા કે સલાહ માગે તો એને ‘મને પજવ નહીં’ કહીને તોડી પાડતો. વધારામાં ક્હૅતો – ‘વિશ્વનિયન્તા ભગવાનને પૂછ !’

યુદ્ધ સંદર્ભે કદાચ એ કટોકટીનો સમય હતો. બળવાના પ્રારમ્ભે મદદ કરનારા લિબરલ જમીનદારોએ કૉન્ઝર્વેટિવ જમીનદારો જોડે ખાનગીમાં સંતલસ કરી લીધેલી – એમને મિલકતોના દસ્તાવેજબદલાવ ન્હૉતા જોઈતા. યુદ્ધ માટે નાણાં પૂરાં પાડનારા રાજકારણીઓએ કર્નલ ઔરેલિયાનોના સખત હેતુઓને જાહેરમાં નકારેલા. એ બધાને કારણે ઔરેલિયાનોનો સત્તાધિકાર જતો રહેલો, પણ એને એની ખાસ કશી તમા ન્હૉતી.

એને પોતાનાં કાવ્યો વાંચવાની ય પડી ન્હૉતી. પાંચ પાંચ સંગ્રહો ટ્રન્કમાં હવા ખાતા’તા. રાતે કે વામકુક્ષી વખતે હૅમકમાં કોઈ એક રખાતને બોલાવી લેતો ને પ્રાથમિક કામસંતોષ મેળવી લેતો. અને પછી કોઇપણ જાતની ચિન્તા વિના એવો ઊંઘી જતો, પથરો લાગે ! એને મનોમન થયા કરતું કે એના વ્યગ્ર હૃદયને ક્યારે ય જંપ નથી વળવાનો. રાજ્યના પ્રતિનિધિઓ સાથેનો એનો ઇન્ટર્વ્યૂ ઘણા સમયથી ઠેલાયા કરતો’તો તે ડિસેમ્બરની શરૂઆતમાં પત્યો. મોટા ભાગનાઓએ ધારેલું કે પાર વગરની દલીલો થશે, પણ બધું સરળતાથી ઊકલી ગયેલું, કલાકે ય ન્હૉતો લાગ્યો.

ઔરેલિયાનો એના રાજકીય સલાહકારો વચ્ચે એક ખુરશીમાં બેઠેલો, ગરમ ધાબળો ઓઢી રાખેલો, શાન્તિથી એણે પ્રતિનિધિઓના પ્રસ્તાવ સાંભળેલા. હસીને કહેલું કે – એનો મતલબ એ કે એ બધું આપણે સત્તાને માટે લડી રહેલા. કોઈ કોઈ પ્રતિનિધિઓએ વાંધા ઉઠાવેલા. ઔરેલિયાનોના એક સલાહકારે યુદ્ધના લોકપ્રિય આધારને વિકસાવવાની વાત કરેલી ને વાતને લંબાવેલી. એટલે ઔરેલિયાનોએ એને ‘ડોન્ટ વેસ્ટ યૉર ટાઇમ ડૉક્ટર’ કહીને વારેલો. ઉમેરેલું કે ‘હવે આપણે માત્ર સત્તાને માટે જ લડવાનું છે’.

હસતામુખે એણે ડૉક્યુમૅન્ટ્સ હાથમાં લીધા ને સહી કરવા જતો’તો એ ક્ષણે કર્નલ જેરિનેલ્ડો માર્ક્વેઝ બોલ્યો, ‘માફ કરજો સર, બાકી આ દગલબાજી છે’. ઔરેલિયાનોની પેન હવામાં અધ્ધર થઈ ગઈ ને પોતાની સત્તાનો બધો જ ભાર જેરિનેલ્ડો પર નાખતાં એણે હુકમ કર્યો, ’તારાં બધાં શસ્ત્ર સૉંપી દે !’ જેરિનેલ્ડોએ ઊભા થઈને પોતાના ખભા પરનો શસ્ત્રસરંજામ ટેબલ પર મૂક્યો. ઔરેલિયાનોએ વળી હુકમ કર્યો, ‘બેરૅક્સમાં રીપોર્ટ કર; રીવૉલ્યુશનરી કૉર્ટમાં હાજર થવા તત્પર થઈ જા !’

બે દિવસ પછી, જેરિનેલ્ડો પર ઉચ્ચ કોટિના દેશદ્રોહનો આરોપ મુકાયો, ને એને દેહાન્તદણ્ડની સજા ફરમાવાઈ. હૅમકમાં સૂતેલો ઔરેલિયાનો સજામાફીની દલીલો સાંભળવા વિશે બેતમા હતો. દેહાન્તદણ્ડની આગલી સાંજે ઘરમાં એણે હુકમ કરી રાખેલો – મને કોઈએ ડિસ્ટર્બ ન કરવો, તેમ છતાં ઉર્સુલા એના બેડરૂમમાં મુલાકાત માટે ગયેલી. કાળા વસ્ત્રથી લપેટાયેલી હતી, મુલાકાતની ત્રણેય મિનિટ દરમ્યાન એણે દુર્લભ ગમ્ભીરતાનું સેવન કરી રાખેલું. શાન્તિથી કહેવા લાગી, ‘મને ખબર છે કે તું જેરિનેલ્ડોને શૂટ કરવાનો છું, મને એ પણ ખબર છે કે હું એ કૃત્યને રોકી શકવાની નથી, પણ સાંભળી લે, હું તને ચેતવું છું, મારાં માબાપના સૉગંદ ખાઈને કહું છું, હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને યાદ કરીને કહું છું, ઈશ્વરને માથે રાખીને કહું છું, કે હું તને તું જ્યાં પણ છુપાયો હોઈશ ત્યાંથી ખૅંચીને બ્હાર કાઢીશ ને મારા આ બે હાથો વડે મારી નાખીશ’.

રૂમની બ્હાર નીકળતાં પહેલાં એણે નિષ્કર્ષ ઉચ્ચાર્યો, ‘આ તો, તું ડુક્કરની પૂંછડી સાથે જન્મ્યો હોત, એના જેવું છે !’

પેલી રખાતોને ઘરમાં ઘાલી તે પછી પોતાના જ એ ઘરમાં એ બેત્રણ વાર જ દેખાયેલો. એને જમવા બોલાવાય ત્યારે પણ જવું હોય તો જ જાય. રેમેડિયોસ ધ બ્યુટિ અને યુદ્ધ ચાલતું’તું એ દિવસોમાં જન્મેલાં પેલાં બે જોડિયાં એને ભાગ્યે જ ઓળખી શક્યાં. એની સાથે અમરન્તા એ ભાઈનો મેળ પાડી શકી નહીં કે જેણે તરુણાવસ્થામાં સોનાની નાની નાની માછલીઓ બનાવેલી, કે જેણે માનવતા સાથે દસ ફીટનું અન્તર રાખીને એક પૌરાણિક સૈનિકનો આભાસ ઊભો કરેલો.

પણ જેવો બધાંને યુદ્ધવિરામનો અભિગમ સમજાઈ ગયો, લાગ્યું કે પોતાનાં જ લોકોનાં હૃદયભાવને સારુ ગયેલો એ ઔરેલિયાનો અન્તે માનવીય રૂપમાં પાછો ફરશે, ઘણા સમયથી સુષુપ્ત છે એ પારિવારિક લાગણીઓ જાગશે અને પહેલાં કરતાં વધારે ગાઢ અનુભવાશે. ઉર્સુલા બોલી પડેલી, ‘ઘરમાં પાછો આપણો ભઇલો છેવટે આવી જવાનો !’

ઉર્સુલા —

Pic courtesy : Etsy Finland

છ મહિના પહેલાં, ઉર્સુલાએ જેવી યુદ્ધવિરામની વાત સાંભળી કે તરત બ્રાઇડલ ચૅમ્બર ખોલીને વાળીઝૂડીને સ્વચ્છ કરી નાખેલી, ખૂણાઓમાં સિસિલી વૃક્ષરસના સુગન્ધી દીવા પ્રગટાવી દીધેલા. એને એમ કે રેમેડિયોસની હવડ ઢીંગલીઓ જોડે ઔરેલિયાનો ઘરડો દીસવાને આસ્તે રહીને તત્પર થઈ જશે. પણ હકીકત એ હતી કે છેલ્લાં બે વર્ષથી એ એની જિન્દગીનાં અન્તિમ લૅણાં ચૂકવી રહેલો – વધી રહેલા ઘરડાપા સહિતનાં. ઉર્સુલાએ પૂરા ખન્તથી સજાવેલી સિલ્વર શોપ પાસેથી જ્યારે એ પસાર થયો, ત્યારે એને એટલું પણ ન દેખાયું કે બારણાના તાળામાં ચાવીઓ લટકે છે. સમયે ઘરને અતિશય નુક્સાન પ્હૉંચાડેલું. પણ એને કે જેનાં સ્મરણો હજી મર્યાં ન્હૉતાં એને, પોતાની આટલી લાંબી ગેરહાજરી પછી પણ, એ વિનાશ લગીરે ય દેખાયો-પરખાયો નહીં. ભીંતોની સફેદીના પોપડા ઉખડી ગયેલા, બેગોનિયાં પર ધૂળ બાઝી ગયેલી, પીઢિયાં પર ઉધઇનાં નિશાન, મિજાગરા પરનો કાટ કે અતીતની ઝંખનાએ જગવેલી કશી પણ વાતનું એને જરા જેટલું ય દુ:ખ ન થયું.

એ પ્રવેશદ્વારે બેસી પડ્યો. એણે ધાબળો ઓઢી રાખેલો, બૂટ કાઢ્યા ન્હૉતા – એવી આશામાં કે વરસાદમાં આપોઆપ ધોવાઈ જશે. આખી બપોર એ બેગોનિયાં પરના વરસાદને જોતો રહ્યો. દરેકે દરેક વસ્તુ એને એટલી બધી પરાઈ લાગી કે રેમેડિયોસ પોતાના બેડરૂમ તરફ નગ્ન જતી’તી એ પણ એને ન દેખાઈ. એક ઉર્સુલા જ હતી જે એના બેધ્યાનનો ભંગ કરી શકે. ‘તારે વળીને પાછા જવું હોય તો,’ રાતના ભોજન દરમ્યાન બોલેલી, ’જા, પણ ઓછામાં ઓછું એટલું યાદ રાખજે કે આપણે આજની રાતે કેવાં સાથે હતાં.’

એટલે ઔરેલિયાનોને બરાબરનું ભાન પડ્યું કે માત્ર ઉર્સુલા જ એક એવી મનુષ્યવ્યક્તિ છે જે એની વ્યથાને પામી શકવામાં સફળ નીવડી છે. અને, ઘણાં વરસો પછી પહેલી વાર એણે ઉર્સુલાના ચ્હૅરા સામે જોયું. ઉર્સુલાની ત્વચા પર કરચલીઓ પડી ગયેલી; દાંત સડી ગયેલા; વાળ સફેદ થઈ ગયેલા; બિહામણી લાગતી’તી. ઉર્સુલાને એણે પોતાના એક જૂનામાં જૂના સ્મરણમાં જોયા કરી – જ્યારે એક બપોરે ઉર્સુલાને પૂર્વાભાસ થયેલો કે ગરમ સૂપનું વાસણ ટેબલ પરથી નીચે પડવાનું છે, ને એણે જોયું કે પળ વારમાં એના ટુકડે ટુકડા થઈ ગયા. તરત ઔરેલિયાનોએ ઉર્સુલાનાં ધાબાં, ઉઝરડા, ચાંદાં, અને અરધીથીયે વધુ સદીના રોજિંદા જીવનના બધાં જ અંગોને ધ્યાનથી જોયાં, અને એને થયું કે એ બધી નુક્સાનીની પોતાને કશી જ લાગણી થતી નથી, કેવું ક્હૅવાય ! એ પછી એણે પોતાના હૃદયમાં એ ભાગ શોધવાની કોશિશ કરેલી, જ્યાં એનો પ્રેમ સડીને મરી ગયેલો, પણ એ ભાગ એને જડેલો નહીં.

પછીના દિવસોમાં ઔરેલિયાનો દુનિયા સાથેના પોતાના સમ્પર્કમાર્ગ પરનાં બધાં જ પગલાં ભૂંસી નાખવામાં વ્યસ્ત થઈ ગયેલો. સિલ્વર શોપને એણે એવી સાફ કરી નાખી કે જે કંઈ શેષ રહ્યું તેની કોઈને કશી વિસાત જ ન્હૉતી. એણે એનાં કપડાં અનુચરોને આપી દીધાં. પિતાએ પ્રુદેન્સિયો આગિલારની હત્યા ભાલાથી કરેલી ને પાપના પ્રાયશ્ચિત રૂપે ભાલો આંગણામાં દાટી દીધેલો એ જ ભાવથી એણે એનાં હથિયાર ત્યાં દાટી દીધાં. એણે પોતાની પિસ્તોલ રાખી લીધી, જેમાં એક જ ગોળી હતી. આ બધાંમાં ઉર્સુલાએ કશી દરમ્યાનગીરી ન કરી. પણ જેવો એ અહર્નિશ પ્રજ્વલિત દીપ સાથે પાર્લરમાં સાચવેલાં રેમેડિયોસનાં ડેગોરોટાઈપ્સ નષ્ટ કરવા ગયો, ઉર્સુલાએ એને વાર્યો, ‘એ તસવીરો બહુ પહેલેથી તારી નથી રહી, હવે એ પારિવારિક સ્મૃતિચિહ્ન છે.’

યુદ્ધવિરામની આગલી સાંજે ઘરમાં એક પણ સ્મરણીય વસ્તુ બચી ન્હૉતી ત્યારે એણે પોતાનાં કાવ્યોની ટ્રન્ક ઉપાડી અને સાન્તા સોફિયા પિયાદાદની બેકરીએ લઈ ગયો; ત્યારે એ સ્ટવ પેટાવતી’તી. પણ સાન્તાએ કાવ્યોને મૂલ્યવાન ગણ્યાં ને સળગાવવાની ના પાડી, જાતે સળગાવી લેવા કહ્યું. ઔરેલિયાનોએ કાવ્યો સળગાવી દીધાં, એટલું જ નહીં, ટ્રન્કને કુહાડીથી ભાંગી નાખી ને ટુકડા આગમાં ફૅંકી દીધા.

યુદ્ધવિરામના મંગળવારનું મળસ્કું ઠીક ઠીક હૂંફાળું હતું, વાતાવરણ વરસાદી હતું. ઔરેલિયાનો પાંચ વાગ્યા પહેલાં કીચનમાં પ્હૉંચી ગયો અને હમ્મેશની જેમ સુગર વિનાની બ્લૅક કૉફી પીધી. ઉર્સુલા બોલી, ‘તું આ ધરતી પર આવા જ દિવસે આવેલો, તારી ઉઘાડી આંખો જોઈને બધાં અચંબામાં પડી ગયેલાં.’

સવારે સાત વાગ્યે કર્નલ જેરિનેલ્ડો માર્ક્વેઝ ઔરેલિયાનોને લેવા આવ્યો, બળવાના અધિકારીઓનું એક જૂથ પણ એની સાથે હતું, ત્યારે એ એને, પહેલાં કરતાં વધારે ઓછાબોલો, વિચારગ્રસ્ત અને એકાકી લાગેલો. ઉર્સુલાએ એના ખભે એક નવો કામળો ઓઢાડ્યો અને બોલી, ‘સરકાર એમ માનશે કે તેં આત્મસમર્પણ કરી દીધું છે ને તારી પાસે એક પાઈ પણ બચી નથી જેનાથી તું એકાદ કામળો પણ ખરીદી શકે.’ પણ ઉર્સુલાએ ઓઢાડેલો કામળો એણે કાઢી નાખ્યો. જો કે બારણે પ્હૉંચ્યો એ વખતે ઉર્સુલાએ હોસે આર્કાદિયોનો એક જૂનો ફૅલ્ટ હૅટ એના માથે મૂક્યો, તો મૂકવા દીધો.

ઉર્સુલા સાદ કરીને બોલી, ‘જ્યારે તને લાગે, ઔરેલિયાનો, કે તારા માટે ખરાબ સમય આવી લાગ્યો છે, ત્યારે તું મને મા-ને યાદ કરજે, મને વચન આપ !’ ઔરેલિયાનોએ બધી આંગળીઓ ફેલાવીને હાથ ઊંચો કર્યો ને એટલે દૂરથી સ્મિત પણ મોકલ્યું. અને એમ કશું જ બોલ્યા વિના ઘર છોડી ગયો.

સમારમ્ભ માકોન્ડોથી પંદર માઈલ દૂર એક ઘટાદાર સીબાવૃક્ષની છાયામાં ચાલુ થયેલો. ઔરેલિયાનો કાદવથી ખરડાયેલા એક ખચ્ચર પર બેસીને આવેલો. દાઢી ન્હૉતી કરી. સપનાંની નિષ્ફળતા કરતાં તો એ એનાં અનેક ઘા-ના દર્દથી વધારે પીડિત લાગતો’તો. કીર્તિ અને કીર્તિની ઝંખનાથી યે દૂર એ સાવ જ નિરાશ થઈ ગયેલો.

સમારમ્ભ બધા ડૉક્યુમેન્ટ્સ પર સહી થઈ જાય એટલો ચાલેલો. ’બધી ઔપચારિકતા પાછળ સમય ના બગાડો’ એમ કહીને એ વગર વાંચ્યે પેપરો પર સહી કરવા માંડ્યો. એણે પૂછ્યું, ‘બીજું કંઈ?’ એટલે એક જુવાનિયો બોલ્યો, ‘રીસીપ્ટ’. ઔરેલિયાનોએ પોતાના હાથે રીસીપ્ટ લખી આપી.

એ પછી એણે ગ્લાસ ભરીને ટુકડો બિસ્કુટ ખાધું, લિમ્બુનું સરબત પીધું, અને એના આરામ માટે ખાસ સજાવેલા તમ્બુમાં ચાલી ગયો. એ પછી એણે ખમીસ કાઢી નાખ્યું અને કૉટની ધાર પર બેઠો. પેલા અંગત દાક્તરે છાતી પર આયોડિન સર્કલ ચીતરી આપેલું ત્યાં બપોરના ત્રણ-પંદરે એણે પોતાની પિસ્તોલથી પોતાને ગોળી મારી.

એ વખતે માકોન્ડોમાં ઉર્સુલાએ સ્ટવ પરના દૂધની તપેલીનું ઢાંકણ ખસેડેલું અને એને સમજાતું ન્હૉતું કે – દૂધ ઉકળવામાં આટલી વાર કેમ લાગી રહી છે – જોયું તો તપેલી કીડાથી ખદબદતી’તી.

એનાથી બોલાઈ ગયું, ‘એ લોકોએ ઔરેલિયાનોને મારી નાખ્યો છે !’

ઉર્સુલાને પોતાના એકાન્તને લીધે આંગણા ભણી જોવાની ટેવ પડી ગયેલી, અત્યારે એ આંગણું જોઈ રહી, તો એને વરસાદમાં ભીંજાઈ રહેલા હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનો ભાસ થયો. એ ઉદાસ હતો, ને મર્યો ત્યારે હતો એથી વધારે ઘરડો લાગતો’તો. એ બોલી, ‘ને ત્યારે કોઈ એટલું ય પરોપકારી ન્હૉતું કે ઔરેલિયાનોની પાંપણો વાસી દે.’

હજી રાત ઊતરતી’તી એવા ટાણે ઉર્સુલાએ પોતાનાં આંસુ દ્વારા, ઉચ્છવાસની જેમ આકાશ પાર કરતી ચમકદાર ડિસ્કસ જોઈ; અને એણે થયું કે એ મૃત્યુનો સંકેત છે.

એ લોકો કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને એક ધાબળામાં લપેટીને લાવ્યા, ધાબળો કડક થઈ ગયેલો કેમ કે એ પર લોહી સૂકાઈ ગયેલું. ઔરેલિયાનોની આંખો ગુસ્સામાં ખુલ્લી હતી. ઉર્સુલા ત્યારથી ચેસ્ટનટ વૃક્ષ નીચે પોતાના પતિના ઘૂંટણ પાસે ડૂસકાં ભરતી’તી, પણ ઔરેલિયાનો બચી ગયો. ગોળી એવા સાફ માર્ગે થઈને ગયેલી કે દાક્તર આયોડિનથી તરબોળ દોરી એની છાતીમાં નાખીને પાછળથી કાઢવામાં સફળ થયેલો. ‘એ મારો ઉત્તમ વાર હતો’, ઔરેલિયાનોએ સંતોષપૂર્વક બોલેલો, ‘એ એક એવું નિશાન હતું જ્યાંથી ગોળી કોઇપણ મહત્ત્વના અંગને નુક્સાન પ્હૉંચાડ્યા વિના સડસડાટ નીકળી જઈ શકે’.

ઔરેલિયાનોએ ગુમાવેલી પ્રતિષ્ઠા એના મૃત્યુની નિષ્ફળતાએ થોડાક કલાકોમાં પાછી આણી આપી. 

(September 25, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સૉરી ટકરભાઇ! સમૃદ્ધ રાષ્ટ્રને પાંગળા બનાવનારા અંગ્રેજોએ ભારતને આપ્યાં ગરીબી અને નિરક્ષરતા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 September 2022

અમેરિકન ટેલિવિઝન એંકરની પાયા વિહોણી ટિપ્પણીની વાઇરલ ક્લિપને કારણે છેડાઇ ચર્ચા કે શું અંગ્રેજોએ ભારતને ખરેખર ‘સિવિલીઇઝ્ડ’ કરીને છોડ્યો હતો?

હજી ગયા મહિને જ અંગ્રેજોના સામ્રાજ્યવાદમાંથી છૂટવાને 75 વર્ષ પૂરાં થયાંની આપણે ઉજવણી કરી. ક્વીન એલિઝાબેથ બીજાંને ગુજરી ગયાંને બે અઠવાડિયા થયા છે. આમ તો આ બન્ને ઘટનાઓને એકબીજા સાથે કંઇ લેવાદેવા નથી, અને આમ જોવા જઇએ તો ચોક્કસ છે. ક્વીન એલિઝાબેથ બીજાંનું મૃત્યુ થતાં આખી દુનિયાના અલગ અલગ ખૂણેથી અંગ્રેજોએ પોતાની કૉલોનિઝ – એટલે કે જ્યાં પોતાના સામ્રાજ્યવાદની પકડ જમાવી હતી તેવા દેશો પર કરેલાં દમનની ચર્ચાઓ છેડાઇ. શું ક્વીન એલિઝાબેથને પોતાનાં પૂર્વજોએ વર્તાવેલા કાળા કેર પ્રત્યે કોઇ પસ્તાવો હતો ખરો? એવા પ્રશ્નો સાથે આ વાતો શરૂ થઇ, વળી કિંગ ચાર્લ્સે તેમના વડવાઓએ કરેલા જુલમો અંગે માફી માંગવી જોઇએ. આવા બધા ગણગણાટમાં યુ.એસ.એ.ના ‘ફોક્સ ન્યૂઝ’ના એંકર ટકર કાર્લસને ટેલિવિઝન પર એમ કહ્યું કે, ‘જ્યારે અંગ્રેજોએ ભારત દેશ છોડ્યો ત્યારે તેમણે આખી એક સંસ્કૃતિ (સિવિલાઇઝેશન) ત્યાં મૂકી.’  ટકર કાર્લસન એવું ય બોલ્યા કે, “આઝાદીના ૭૫ વર્ષ પછી પણ શું એ દેશે બોમ્બે ટ્રેન સ્ટેશન જેટલી અદ્ભૂત ઇમારત બનાવી છે ખરી, જે સામ્રાજ્યવાદી અંગ્રેજોએ બનાવી હતી? ના, દુઃખની વાત છે કે તેઓ એમ નથી કરી શક્યા.”

આ ન્યૂઝ એંકરના મતે મજબૂત અને શક્તિશાળી દેશ નબળા દેશો પર રાજ કરે જ, તેમનું દમન કરે જ પણ અંગ્રેજોએ જ્યારે સામ્રાજ્યવાદ ફેલાવ્યો ત્યારે તેમણે પોતાની સામ્રાજ્યવાદી જવાબદારીઓને બહુ નિષ્ઠાપૂર્વક અને એકદમ ગંભીરતાથી નિભાવી હતી. તેઓ માત્ર વસ્તુઓ લઇ નહોતા લેતા બલકે તેમણે જે તે દેશમાં વસ્તુઓ ઉમેરી પણ. જે રીતે અમે (યુ.એસ.એ.) અફઘાનિસ્તાનમાંથી નિકળ્યા તો અમે એરસ્ટ્રીપ્સ, શસ્ત્રો અને બંદૂકો ત્યાં મૂકી તે રીતે અંગ્રેજોએ ભારતમાં આખી સંસ્કૃતિ મૂકી, ભાષા, કાયદાનું તંત્ર, શાળાઓ, ચર્ચ અને જાહેર ઇમારતો જેવું તમામ મૂક્યું અને તેનો આજે ય ઉપયોગ થઇ રહ્યો છે.

ટકર કાર્લસનની આ વીડિયો ક્લિપ વાઇરલ થઇ અને નેટિઝન્સે સોશ્યલ મીડિયા પર ભારે ગુસ્સો ઠાલવ્યો. શશી થરૂરે પણ ટ્વિટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. શશી થરૂરે પોતાનો ગુસ્સો જ્યારે કાબૂમાં ન રહી શકે તેમ હોય, ત્યારે તે વ્યક્ત કરવા માટે ટ્વિટર પર કોઇ ‘પ્રેસ બટન’ હોવું જોઇએ એમ લખ્યું. અંગ્રેજોએ ભારત સાથે જે કર્યું છે તે સંદર્ભે તો શશી થરૂરે ઑક્સફોર્ડ યુનિયનમાં ૨૦૧૫માં જે વક્તવ્ય આપ્યું હતું તે ભારે ચર્યાયું હતું. તેમણે આ વક્તવ્યમાં કહ્યું હતું કે અંગ્રેજોએ ભારત અને તેમની પહેલાની કૉલોનીઝને વળતર આપવું જોઇએ. શશી થરૂરના એ વક્તવ્યને લોકોએ વધાવ્યું હતું તો કેટલાકે તેમાં કોઇ તર્ક નથીનાં કારણો પણ ટાંક્યા હતા. ટૂંકમાં અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિની વાહવાહી તો કરનારા અંગ્રેજો સિવાય આ એક ટકરભાઇ નિકળ્યા. તેમણે જે સામ્રાજ્યવાદી જવાબદારીઓ નિભાવનારા અંગ્રેજોની વાત કરી, તેમાં એ ભૂલી ગયા કે આ જવાબદારીઓ અંગ્રેજોએ જાતે વહોરી હતી. તેમને કોઇએ પણ કહ્યું નહોતું કે આવો અને અમારા દેશને તમારો ગુલામ દેશ બનાવો, અહીં વ્યાપાર કરો, અહીંથી નાણું તમારા દેશમાં લઇ જાવ અને પછી તમને અહીં બધું પડાવી લેવામાં મદદરૂપ થાય એટલે સવલતો ખડી કરો! આ બધું તેમણે જાતે કર્યું હતું. ટકરભાઇને નિશાળમાં ઇતિહાસ બરાબર નહોતો ભણાવાયો એમાં એ કંઇપણ બોલીને વાઇરલ વીડિયોના પ્રણેતા થઇ બેઠા.

અંગ્રેજોએ ભારતને સંસ્કૃતિ આપી છે – વાળું વિધાન એટલી હદે પાયા વિહોણું છે કે એ કેમ વેતા વગરનું છે એની ચર્ચા કરવી પણ નિરર્થક છે. અંગ્રેજોએ ભારતને વિભાજન આપ્યું, રાજકીય ભેદભાવભર્યું તંત્ર આપ્યું અને જે રાજકીય તંત્ર હતું તેને વિખેરીને એક બિનજરૂરી અસ્થિરતા આપી. અંગ્રેજોએ આ બધું આપ્યું હતું કારણ કે તેમ કરે તો જ તેઓ પોતાનું રાજ ચલાવી શકે તેમ હતા. ૧૭૫૭માં અંગ્રેજોએ ભારતીય રાજવીઓ વચ્ચે અંતર પેદા કરીને – ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સુપેરે લાગુ કરવાની શરૂઆત કરી દીધી હતી, પણ ૧૮૫૭ના વિપ્લવમાં જ્યારે તેમણે જ્યારે હિંદુ અને મુસલમાનોને ભેગા લડતા જોયા ત્યારે તેમને ફાળ પડી. જો કે ત્યારે તેમને ખબર પડી કે આ સાથે મળીને લડનારાઓને એકબીજા સામે લડાવવામાં આપણો ફાયદો છે. અંગ્રેજ સમાજમાં વંશ-જાતિવાદ એટલે કે શ્રેણીઓના વિભાજન હતા અને તેમને ભારતમાં પણ એ જ જોવું હતું. લોકોની જાત-પાત, ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિને સમજવાના તેમના ધખારાને કારણે ભેદભાવ ઘટવાને બદલે વધ્યા. તેમની વસ્તી ગણતરી પણ ભાષા, સંપ્રદાય, જાતિ, ઉપ-જાતિ અને વર્ણને તફાવત પ્રમાણે થતી. લોકો જે પોતાને બીજાથી અલગ ન માનતા તેમનામાં ય આ ભેદભાવની ત્રિરાશીઓ મંડાતી થઇ કારણ કે અંગ્રેજોએ જ એ બીજ વાવ્યાં. ભાગલામાં આપણા દેશનો ભોગ લેવાયો તે આપણાથી બહેતર કોણ જાણતું હશે, ભલા!

વળી અંગ્રેજો ભલે એવો દેખાડો કરતા હોય કે તે લોકશાહીમાં માને છે પણ જ્યારે તેમણે ભારત પર રાજ કર્યું હતું ત્યારે તો ગ્રામીણ સ્તરે રહેલા સ્વ-સરકારના તંત્રને પણ તેમણે ખોરવી નાખ્યું હતું. અંગ્રેજોએ ખડાં કરેલા તંત્રમાં ન્યાય, મહેસૂલ અને વહીવટ હતા ખરા, પણ તેમાં ક્યાં ય ભારતીયોનો સમાવેશ નહોતો કરાયો. ગુલામ દેશના લોકોને ગુલામોની જેમ જ રખાતા. રંગભેદ તો તેમની પ્રકૃતિનો હિસ્સો હતો તો આધુનિક ભારતની વાત આવી ત્યારે રેલવે શરૂ કરવા માટે વાહવાહી મેળવી ચૂકેલા અંગ્રેજોએ રેલવેમાં એકેય ભારતીયોને નોકરીએ નહોતા રાખ્યા. જે ભારતમાં અંગ્રેજો પ્રવેશ્યા તે એક સમૃદ્ધ સંસ્કૃતિ હતી અને માટે જ અંગ્રેજોએ અહીં ઘુસણખોરી કરીને રાજ કર્યું હતું. ભારતના સ્રોતોને ખાલી કરી પોતાના ગજવાં ભરનારા અંગ્રેજો જો આપણે માથે ન પડ્યા હોત તો આપણે આજે જે છીએ તેના કરતાં કંઇક ગણા આગળ હોત. પણ ટૂંકમાં કહીએ તો અંગ્રેજો જ્યાં પણ ગયા ત્યાં તેમણે જે કર્યું તે પોતાના સ્વાર્થ માટે કર્યું, તેનો લાભ જે-તે દેશના લોકોને મળે એવો તેમનો ઇરાદો હતો જ નહીં.

અંગ્રેજોએ ભારતમાં જે કર્યું તેની વાતો ખૂટે તેમ નથી. શશી થરૂરના પુસ્તક ‘ઇન્ગ્લોરિયસ એમ્પાયર’માં રસપ્રદ વિગતો છે. ટકરભાઇની ક્લિપ વાઇરલ થઇ બીજા કોઇએ નહીં અને માર્ટિના નવરાતી લોવાએ તેમને શશી થરૂરનું આ પુસ્તક વાંચવાનું સૂચન પણ આપ્યું હતું.

બાય ધી વેઃ

ટકરભાઇ જે સિવિલાઇઝેશનની વાત કરે છે તેના આંકડા જોઇએ તો અંગ્રેજોએ ભારતમાંથી વિદાય લીધી ત્યારે એક એવો દેશ મૂકીને ગયા જેમાં ૧૬ જ ટકા શિક્ષણ હતું, ૨૭ વર્ષની લાઇફ એક્સપેક્ટન્સી એટલે કે જીવનની વય મર્યાદા હતી અને ૯૦ ટકા લોકો ગરીબીની રેખાની નીચે જીવતા હતા અને કોઇ પણ સ્થાનિક ઉદ્યોગોનું નોંધપાત્ર અસ્તિત્વ પણ નહોતું. આજે અંગ્રેજો – એટલે કે બ્રિટનની હાલત કંઇ બહુ સારી નથી, ત્યાં પડકારોની કોઇ ખોટ નથી. ભારતીય સંસ્કૃતિ કર્મના સિદ્ધાંતમાં માને છે, બ્રિટનની સ્થિતિ માટે આપણે અંગ્રેજોના કર્મો પર કળશ ઢોળીએ. ઇતિહાસને કારણે બદલો ન લેવાનો હોય કારણ કે ઇતિહાસ જ તેનો પોતાનો બદલો બને છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 સપ્ટેમ્બર 2022

Loading

...102030...1,2451,2461,2471,248...1,2601,2701,280...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved