Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતનું શિક્ષણ તળિયે ગયું છે, ત્યારે શિક્ષણ વિભાગ તળિયું ટાઢું કરી રહ્યો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 October 2025

રવીન્દ્ર પારેખ

કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગનાં રાષ્ટ્રીય સર્વેક્ષણ-2024 ‘પરખ’(પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ)ના રિપોર્ટ મુજબ ગુજરાતનાં શિક્ષણનું ધોરણ એટલું કથળ્યું છે કે તે ટોપ ટેનમાં તો નથી જ, પણ સૌથી નબળું પ્રદર્શન કરનારા રાજ્યોમાં પણ તે તળિયે છે. રિપોર્ટમાં પંજાબ લગભગ તમામ કેટેગરીમાં ટોચ પર છે. વર્ષ 2024 માટે થયેલાં સર્વેક્ષણમાં કેન્દ્ર સરકારે દેશની 74,229 શાળાના 21,15,૦22 બાળકોનાં શિક્ષણની સમીક્ષા કરી ને તેમાં 781 જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા. એમાં ટોચના 50 જિલ્લાઓમાં ગુજરાતનો ક્યાં ય પત્તો નથી, પણ સૌથી નબળું પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં ગુજરાતના જામનગર, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર, પોરબંદર જેવા અનેક જિલ્લાઓ છે. સૌથી નબળા 50 જિલ્લાઓમાં ખેડાનો 44, છોટાઉદેપુરનો 47 અને પોરબંદરનો 48મો ક્રમ છે.

શાળાકીય સ્તર સુધારવા ગાંધીનગરમાં 5  કરોડને ખર્ચે 2019માં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. એ કેન્દ્ર ચલાવવા 85 લાખનું આંધણ કરાયું છે, એમાં અધિકારીઓનું આર્થિક ધોરણ જરૂર સુધર્યું હશે, પણ શાળાકીય શિક્ષણનું ધોરણ તળિયે ગયું છે. એક શિક્ષકના કહેવા મુજબ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાછળ કરોડોનો ધુમાડો થયો છે ને દર મહિને લાખોનો ખર્ચ થાય છે, પણ અધિકારીઓ વાતો ને વીડિયો કોન્ફરન્સ કરીને રાજી રહે છે. ઓનલાઈન મોનિટરિંગની વાતો થાય, પણ તે વાતો જ રહે તેની કાળજી રખાય છે. કેટલા ય ખાઈ બદેલા અધિકારીઓને દૂર કરવાની માંગણીઓ થઈ છે, પણ ઉપર બેઠેલાં માઈબાપ સાથે ઘરોબો હોવાથી એ શક્ય બને એમ નથી. અંદરોઅંદર ગુણવત્તાનું એનાલિસિસ થતું રહે છે, પણ તે કુલડીમાં ગોળ ભાંગવાથી વિશેષ કંઇ નથી. એવું ન હોત તો ‘પરખ’ દ્વારા આવેલા રિપોર્ટમાં ગુજરાતનું શિક્ષણ આટલું ઉઘાડું ન પડ્યું હોત !

આમ થવામાં સરકાર શિક્ષકોની ભરતીને મામલે આંગળાં ચાટીને પેટ ભરી રહી છે, તે અનેક કારણોમાંનું મુખ્ય કારણ છે. હકીકત એ છે કે ગુજરાતનાં બજેટમાં સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગનું છે, પણ મોટે ભાગની રકમ ગુણોત્સવ, પ્રવેશોત્સવ, જેવા તાયફામાં ખર્ચાતી હોય તો નવાઈ નહીં ! 2011થી 2025 સુધીમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં માધ્યમિકમાં 7,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 5,500 શિક્ષકોની ઘટ છે. 700 જેટલા આચાર્યો ખૂટે છે. રાજ્યની લગભગ 1,6૦૦ જેટલી સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. દેશનું કોઈ રાજ્ય આટલું ગરીબ અને રીઢું નથી, જે આટલો સર્વનાશ જોઇને પણ આંખ આડા કાન કરી શકે છે … 

ગુજરાતમાં શિક્ષણ વિભાગ મુખ્યત્વે બે કામ કરે છે – ફતવાઓ બહાર પાડે છે અને ડેટા કલેક્ટ કરે છે. એમ કરવાથી શિક્ષણ સુધરી જશે એમ તે માને છે. ફતવા પણ એવા કે એક બહાર પાડીને ભૂલી જવાનો ને બીજો એમ જ વિચાર્યા વગર બહાર પાડી દેવાનો. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 6 ઓક્ટોબરથી (14 ઓક્ટોબર) એટલે કે આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. એ કાર્યક્રમ પણ સરકારે જ જાહેર કર્યો છે ને તેમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે પરીક્ષા દરમિયાન કોઈ જિલ્લામાં રજા આવતી હોય તો તે રદ કરીને પણ પરીક્ષા ચાલુ રાખવાની રહેશે. તેની ધૂળધાણી કરતો બીજો ફતવો એવો બહાર પડ્યો છે કે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ શરૂ થાય છે, તો તેના કાર્યક્રમો યોજીને તેના ફોટા મોકલી આપવાના રહેશે. આ બંને ફતવા બહાર પાડનાર શિક્ષણ વિભાગને એ ખબર જ નહીં પડતી હોય કે આમાં અક્કલનું પ્રદર્શન થઈ રહ્યું છે? શિક્ષણનું થવાનું હોય તે થાય, પણ વિકાસ(કે વિનાશ?)ના કાર્યક્રમો યોજી બધું બહુ સરસ ચાલી રહ્યું છે તેવા દેખાડા કરવાની સ્કૂલોને ફરજ પડાઈ રહી છે. સ્કૂલોમાં થતાં સરકારી ઉજવણાંઓએ શિક્ષણનું તો ઉઠમણું જ કરી નાખ્યું છે.

આવું બધું ચાલે છે, તે જોનારું આખા ગુજરાતમાં કોઈ જ નથી? આટલા શિક્ષકો, આટલા આચાર્યો, આટલા વાલીઓને આ બધું દેખાતું જ નથી કે તેમણે બાળકોને નમાલાં ને કાયર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે? આ વેપલામાં ભણાવવાનું તો ક્યાં ય આવતું જ નથી. કમાલ છે ને ! કોઈ કંઇ બોલતું જ નથી. કોઈને કંઇ થતું જ નથી. આટલી મોટી સંખ્યામાં મરેલું જીવનારાં તો કોઈ કાળે ન હતાં !

બને ત્યાં સુધી શિક્ષણનું સ્તર કથળતું જ જાય એને માટે શિક્ષણ વિભાગ બહુ મહેનત કરે છે. આ વખતે શ્રેષ્ઠ નબળાં રાજ્યોમાં કદાચ ગુજરાત સાતમાં ક્રમે છે. આવતે વર્ષે તે દસમાં ક્રમે પહોંચે તે માટે શિક્ષણ ખાતું બનતું બધું કરી છૂટે એમ છે. જો કે, આટલા નમાલા શિક્ષકો, આચાર્યો, વાલીઓ છે, એટલે સરકારને છેક તળિયે જવામાં વાંધો નહીં આવે. આખું રાજ્ય શિક્ષણ વિભાગની પડખે છે. જેમ કે, સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ૨૦૩6માં યોજાનારી ઓલિમ્પિકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમતવીરો તૈયાર કરવા માંગે છે. તેને માટે યુનિફોર્મ ને બૂટ પણ આપી દેવાયા છે. ખરેખર રમતવીરો તૈયાર થાય તો આનંદ અને ગૌરવ થાય, પણ બાળકો યુનિફોર્મ-બૂટથી રમતવીર ના થઈ જાય તે સમિતિ પણ જાણે છે. ખરેખર તો તેની તાલીમ પણ અપાવી જોઈએ ને વાસ્તવિકતા એ છે કે શિક્ષણ સમિતિના દોઢ લાખ વિદ્યાર્થીઓ માટે વ્યાયામ શિક્ષકો ગણીને 50 છે. આ આંકડો પાછો શાસકો જ આપે છે ને સાથે ઉમેરે છે કે બીજા વ્યાયામ શિક્ષકો દિવાળી પછી આવી જશે. કઈ દિવાળીએ, તેની સ્પષ્ટતા નથી, કારણ કે અગાઉની દિવાળીઓમાં પણ શિક્ષકોનો દુકાળ તો હતો જ !

400 સ્કૂલોમાં 50 વ્યાયામ શિક્ષકો રાખીને સમિતિ 2036ની ઓલિમ્પિક સુધી જવાની છે? સમિતિ હોલસેલમાં હાંકે છે. સમિતિના સજ્જનો તો બચાવમાં એવું પણ કહે છે કે બધા વિદ્યાર્થીઓને કંઇ સંગીત કે વ્યાયામની તાલીમની જરૂર નથી. સમજી શકાય એવું છે કે કેટલા અક્કલવાળા સજ્જનો સમિતિ શોભાવી રહ્યા છે. એમાં સમિતિનો વાંક જ નથી. શિક્ષકોની ઘટ એ આખા રાજ્યનો રાજરોગ છે.

વારુ, જે છે તે શિક્ષકોને ભણાવવા દેવાય છે? એમને તો કારકૂનીમાં કે અન્ય સેવાઓમાં ધકેલાય છે ને યુનિયનો હોવા છતાં તેમને શિક્ષણ સિવાય રાજકીય, સામાજિક પ્રવૃત્તિઓમાં જોતરી દેવાય છે. શિક્ષણ સમિતિના શિક્ષકોને ચાર મહિનામાં 40 પ્રકારની કામગીરી સોંપી દેવાઈ છે. આ અંગે શિક્ષકો કે તેમના યુનિયનોએ કંઇ કહેવાનું નથી? જો કે, બાયડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, અરવલ્લીના મંત્રી અને પ્રમુખે બાયડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, મોડાસાને ૩ ઓક્ટોબર, 2025ને રોજ પત્રમાં જણાવ્યું છે કે શિક્ષક, શિક્ષણ સિવાયની ઓનલાઈન 56 કામગીરીઓ કરે છે. પત્રને અંતે એક સવાલ મુકાયો છે કે આ કામગીરી સરેરાશ 110 દિવસ ચાલે એમ હોય ને સત્ર એમાં જ પૂરું થઈ જાય તો શિક્ષક ભણાવે ક્યારે? શિક્ષકોએ ખરેખર તો ભણાવવાનું જ હોય ને અન્ય કામગીરી માટે કારકૂનોની નિમણૂક કરવાની હોય. આવા તમામ યુનિયનોના પત્રો સરકાર સુધી પહોંચે તો સરકારને ખબર પડે કે માસ્તર કૈં મજૂર નથી.

પરખના રિપોર્ટમાં ગુજરાત સર્વશ્રેષ્ઠ નબળું ઘોષિત થયું તેનો એવો આઘાત શિક્ષણ વિભાગને લાગ્યો કે રિપોર્ટ આવતાંની સાથે જ સ્કૂલોના એક્રિડિટેશનમાં ફેરફાર કરવાની જાહેરાત થઈ ગઈ, એટલું જ નહીં, સમિતિની રચના પણ કરી દેવાઈ ને તેની પહેલી મીટિંગ પણ થઇ ગઈ ને બીજી મીટિંગ 9મીએ મળે ત્યારે તેણે રિપોર્ટ પણ સબમિટ કરી દેવાનો છે. આ ધડાધડી ન થઈ હોત, જો પરખના રિપોર્ટમાં ગુજરાતનું શિક્ષણ તળિયે ન ગયું હોત. સમિતિના વેપલામાં શિક્ષણનું સ્તર કેટલું સુધરશે તે શિક્ષણ વિભાગ જાણે, પણ ગુણોત્સવ કાર્યક્રમ એટલે કે સ્કૂલ એક્રિડિટેશન માટેના ફેમવર્કમાં ફેરફાર કરવાનું તો નક્કી થયું જ છે. આ બધાંમાં ખૂટતા શિક્ષકોની નિમણૂકની કોઈ વાત નથી, વળી છે તે શિક્ષકો વર્ગમાં જઈને ભણાવે તેવા પણ કોઈ એંધાણ નથી, તો સવાલ એ થાય કે સમિતિના રિપોર્ટથી શિક્ષણ સુધરી જશે એવું સરકારને કઈ રીતે લાગે છે?

સો વાતની એક વાત એ કે શિક્ષકો વગર શિક્ષણ કોઈ પણ જન્મમાં સુધરવાનું નથી. એ સિવાયના તમામ વેપલા ખાતર પર દિવેલ સાબિત ન થાય એટલું જોવાનું રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ઑક્ટોબર 2025

Loading

जीजी: एक कर्मयोगी 

कुमार प्रशांत|Opinion - Opinion|6 October 2025

कुमार प्रशांत

जिस आदमी ने महात्मा गांधी को देख कर अपनी सामाजिक समझ की आंखें खोली थी, उसने महात्मा गांधी के जन्मदिन 2 अक्तूबर के दिन अपनी आंखें बंद कर लीं; और इन दोनों के बीच उसने 101 साल का लंबा सफर भी तय कर लिया; और यह लंबा सफर शुचिता,सक्रियता,आत्मीयता से भरा रहा; और हमेशा परिवर्तनकारियों के साथ खड़ा रहा.  है न हैरानी की बात !

1992 में बाबरी मस्जिद के ध्वंस के बाद, मुंबई में सांप्रदायिक दंगा भड़क उठा था. मुंबई का चेहरा कैसा डरावना हो गया था ! उसका ऐसा चेहरा हमने पहले देखा नहीं था. मुंबई के मणि भवन में हम कई रंग के गांधीजन उस रात जमा हुए थे. मणि भवन यानी बंबई में गांधीजी का घर ! 1942 के भारत छोड़ो आंदोलन की घोषणा करने के बाद, इसी मणि भवन से गांधीजी की गिरफ्तारी हुई थी.

गांधीजी की उस गिरफ्तारी के ठीक आधी सदी बाद, उसी मणि भवन में विचलित व मुरझाए-से हम कुछ गांधीजन जमा हुए थे यह सोचने के लिए कि हम मुट्ठी भर लोग उस सांप्रदायिकता के जहर से लड़ने के लिए क्या कर सकते हैं जिसने बंबई में और सारे देश में आग लगा दी है. जान देने की तैयारी से कम में इसका मुकाबला संभव नहीं है, यह सभी जानते थे. लेकिन यह जानना व इसकी तैयारी करना दो भिन्न बातें हैं, यही बात हमारी बात में से बार-बार उभर रही थी. राय यह ही बन रही थी कि इस विकराल स्थिति में हमारे बस का खास कुछ है नहीं, इसलिए सरकार जो कर रही है उससे ही हम भी जुड़ जाएं व शांति व राहत का काम करें.

ऐसे रूख से मैं परेशान था. मैंने शांति सैनिक की भूमिका में पहले भी कई सांप्रदायिक दंगों में काम किया था. वहां की लाचारी मुझे पच नहीं रही थी. मैंने अंत में इतना ही कहा कि हम अभी हारे नहीं हैं, बंबई को यह बताने के लिए कल सुबह से ही हमें दंग्राग्रस्त इलाकों में पहुंच जाना चाहिए. हम वहां पहुंचेंगे तभी हमें आगे का रास्ता समझ में आएगा. यह अंधेरे में आंख खोल कर छलांग लगाने की बात थी.

सब उठे और अकेले-अकेले घर गए. जीजी बेआवाज-से मेरे पास आए, और आश्वस्ति से भरी धीमी आवाज में बोले : “ आपने जो कहा, वही असली बात है. मैं आपके साथ हूं.”

उस दिन से उनके साथ परस्पर विश्वास का, स्नेह-सम्मान का वह रिश्ता बना जो अंत तक बना रहा. जीजी समाजवादी पृष्ठभूमि से आते थे; मैं उस समाजवाद को कहीं पीछे छोड़ कर, गांधी के रास्ते चलने वाले विनोबा-जयप्रकाश के रास्ते का यात्री था. यह भेद था, प्रकट भी होता था लेकिन हम दोनों इसे संभाल लेते थे.

1974 के संपूर्ण क्रांति के जयप्रकाश-आंदोलन ने देश में तब जैसी खलबली मचाई थी उसमें बहुत कुछ टूटा था, तो बहुत कुछ जुड़ा भी था. जो सबसे कीमती जुड़ाव हुआ था वह तब के राजनीतिक दलों में बचे ईमानदार व आदर्शवादी तबके का गांधीजनों से जुड़ाव था. ऐसे समाजवादियों के सिरमौर थे जीजी. उनके आसपास समाजवाद, गांधी और जयप्रकाश का बड़ा अनोखा त्रिभुज बनता था.

         लगता है न कि दूसरा कुछ न भी हो तो भी ऐसे आदमी के बारे में हमें ज्यादा जानना चाहिए ? अगर मैं यह कहूं कि यह डॉ. गुणवंतराय गणपतलाल पारीख की बात है, तो शायद ही कोई इस आदमी को पहचान सकेगा, क्योंकि ताउम्र उनका अपना शहर मुंबई, उनका अपना प्रांत महाराष्ट्र और उनका अपना देश हिंदुस्तान उन्हें एक ही नाम से जानता आया है : जीजी ! वे सबके जीजी थे. इससे बड़े नाम का बोझ उनका सरल व्यक्तित्व उठाता ही नहीं था.

गांधी से गांधी तक की अपनी इस यात्रा में जीजी को साम्यवादी मिले, समाजवादी मिले, जयप्रकाश नारायण, राममनोहर लोहिया, महाराष्ट्र के पहले दौर के कई विलक्षण समाजवादी नायक मिले. गांधी ने तरुण जीजी को 1942 के भारत छोड़ो आंदोलन में 10 महीनों की जेल-यात्रा करवाई, तो उम्र के उतार के दौर में जयप्रकाश ने उन्हें आपातकाल में 15 महीनों की जेल यात्रा करवाई. “ मैं तो इसी तरह बना हूं !” दोनों जेलों की याद करते हुए जीजी बोले, “ जब हम आजादी के लिए लड़ रहे थे तब नहीं जानते थे कि आजादी पाने के लिए ही नहीं, आजादी कायम रखने के लिए भी जेल जाना पड़ता है. लेकिन वह हुआ. मुझे अंग्रेज पुलिस ने भी जेल में डाला और भारतीय पुलिस ने भी . तब से ही मैं मानता हूं कि सच बोलना और सच बोलने की जो भी कीमत देनी पड़े वह देना, लोकतंत्र के सिपाहियों का धर्म है. गांधीजी ने यही तो सिखाया था हमें कि न अहिंसा कभी छोड़नी है, न लड़ाई लड़ना कभी छोड़ना है. ”

वे ऐसे ही थे. उनकी दो खास विशेषताएं थीं : वे संघर्ष व रचना के दोनों गांधी-तत्वों को समान कुशलता से साध पाते थे व युवकों के साथ संवाद बनाने से कभी हिचकिचाते नहीं थे. उन्होंने कभी चुनाव नहीं लड़ा लेकिन समाजवादियों के साथ चलने में कभी पीछे नहीं रहे. मुझे नहीं लगता है कि मुंबई व महाराष्ट्र में कोई भी समाजवादी पहल ऐसी रही होगी कि जिसमें जीजी शामिल न रहे हों या जिसके संयोजन में उनकी भूमिका न रही हो. समाजवादियों की पत्रिका ‘जनता’ गुमनामी में खो नहीं गई या संसाधनों के अभाव में दम नहीं तोड़ गई तो इसके पीछे जीजी की अपूर्व प्रतिबद्धता व कुशलता थी. वे भागते-दौड़ते कहीं-न-कहीं से संसाधन जोड़ते ही रहते थे. मुझे नहीं याद आता है दूसरा कोई नाम जिसने समाज के हर संभव तबकों से धन संग्रह कर, अपनी हर गतिविधि को जीवंत बनाए रखा. गांधी  कहते थे : “ समाज अपने सच्चे सेवकों के लिए संसाधन जुटाने में कभी कंजूसी नहीं करता है.” जीजी गांधी के इस विश्वास की सबसे उम्दा मिसाल थे.

मिसाल ही देखनी हो तो हम महाराष्ट्र के पनवेल में जीजी का यूसुफ मेहरअली सेंटर देख सकते हैं. जीजी न होते तो यूसुफ मेहरअली जैसा समाजवादी सितारा हमारी स्मृति से शायद खो ही जाता. आज हमने अपना देश जैसा बना दिया है, उसमें किसी यूसुफ मेहरअली के नाम से अपना सार्वजनिक काम शुरू करना संभव ही न हो शायद लेकिन जीजी ने रचनात्मक कामों का बड़ा संसार ही इस नाम से खड़ा कर दिया. रचनात्मक कामों के अधिकांश प्रकार आपको यूसुफ मेहरअ ली सेंटर पर जीवंत मिलेंगे. सहकारी भंडारों की अपनी श्रृंखला से उन्होंने खादी-ग्रामोद्योग को आगे बढ़ाने का लंबा प्रयोग चलाया. इतना सारा कुछ करते हुए भी डॉक्टर जीजी पारीख अपने दवाखाने में नियमित बैठ कर इलाज भी करते रहे. यह क्रम तभी टूटा जब शरीर ने इसकी इजाजत देनी बंद कर दी.

जीजी की मृ्त्यु के साथ एक ऐसी जीवन-गाथा का पटाक्षेप हो गया जिस पर से पर्दा उठा कर , उसे बार-बार पढ़ने-जानने व उस दिशा में चलने के बिना भारतीय समाज का टिकना मुश्किल होगा.

(05.10.2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

બિહાર 2025 : જૂના જોગીઓનો જંગ, નવા વ્યૂહકારનો દાવ, અને જાતિવાદ-ધ્રુવીકરણની ચોપાટ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 October 2025

બિહાર પર યુ.પી.નાં રમખાણોનું નિયંત્રણ હશે ખરું? કદાચ નહીં પણ છતાં ય તેની બારીકીને નકારવી ન જોઇએ. સાંપ્રદાયિક તણાવ પૃષ્ઠભૂમિ બનશે એ ચોક્કસ પણ બિહારના ખેલમાં જાતિ, કલ્યાણ અને નેતૃત્વની વિશ્વસનિયતા જ મહત્ત્વનાં પાસા રહેશે તે નક્કી છે.

ચિરંતના ભટ્ટ

બિહાર ફરી એક વાર એવા ચૂંટણીઅભિયાન માટે તૈયાર થઈ રહ્યું છે જે આકરું પણ હશે અને નિર્ણાયક પણ. પરંતુ આ વખતે મેદાન ફક્ત રાજ્ય પૂરતું નથી. પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં ફાટી નીકળેલા સાંપ્રદાયિક રમખાણોનો પડછાયો પણ લાંબો છે અને રાજકીય વ્યૂહકારથી નેતા બનેલા પ્રશાંત કિશોરની વાપસીના કારણે, આ લડતના દાવ ખૂબ મોટા છે. પ્રશાંત કિશોર બિહારના રાજકીય અંકગણિતને ફરી ગોઠવવાની મથામણમાં છે. અગત્યનો સવાલ એ છે— શું બિહાર પ્રાથમિકતાઓ પર મતદાન આપશે કે પછી પડોશી રાજ્યના ધ્રુવીકરણના રાજકારણથી પ્રભાવિત થશે?

પડોશી યુ.પી.નાં રમખાણો : ગુંજ બિહાર સુધી

બિહાર અને યુ.પી. ફક્ત સરહદ જ નહીં, પણ અહીં બ્લડલાઇન્સ પણ એક થાય છે તો, આવન-જાવન એટલે કે સ્થળાંતરના રસ્તાઓ, જાતિના બંધારણો અને હવે વધતી રાજકીય વાર્તાઓ બન્ને રાજ્યો વચ્ચે એક લઘુત્તમ સામાન્ય અવયવ બનાવે છે. યુ.પી.માં રમખાણ થાય ત્યારે બિહાર તેનાથી દૂર રહે તે શક્ય નથી. વોટ્સએપ ફોરવર્ડ, પ્રાદેશિક મીડિયા અને ભાવનાઓ ઉશ્કેરતાં રાજકીય ભાષણો મારફતે સમાચાર પળોમાં ફેલાઈ જાય છે.

2024માં યુ.પી.માં બહરાઈચ જેવા રમખાણોમાં થયેલી હિંસા અને તેના પછીના ધ્રુવીકરણની ચર્ચાઓ બિહારની રાજકીય વાતાવરણમાં ઘૂસી ગયી છે. ભા.જ.પ. માટે 2029માં રાષ્ટ્રીય બહુમતી માટે બિહાર બહુ જ જરૂરી ગઢ છે, ચૂંટણીને “હિન્દુત્વ નેતૃત્વ હેઠળના કાયદો-વ્યવસ્થા”ની નજરથી પ્રસ્તુત કરવાની કોશિશ કરશે. યુ.પી.નાં રમખાણો પક્ષ માટે એક બીજા ખતરાની સણસણતી થપ્પડ જેવી યાદગીરી છે— આ ખતરો કે જોખમ છે જેમાં “બીજું” કોણનો ભય, જે હિન્દી હાર્ટલેન્ડમાં ચૂંટણીલક્ષી રીતે કારગર સાબિત થયો છે.

પરંતુ બિહાર એ યુ.પી. નથી. બન્ને રાજ્ય સાવ નજીક હોવા છતાં ય બન્નેમાં ફેર છે. બિહારમાં સાંપ્રદાયિક ધ્રુવિકરણ હોવા છતાં અહીંનું રાજકીય વ્યાકરણ હંમેશાં જાતિ, ગરીબી અને વિકાસની શાહીથી લખાયું છે – મુદ્દાઓની હાજરી અને ગેરહાજરી બિહારમાં રાજકારણનો રસ્તો નક્કી કરનારી રહી છે. લાલુપ્રસાદ યાદવ, નીતીશકુમાર અને રામવિલાસ પાસવાન જેવા નેતાઓએ ધાર્મિક વિભાજન નહીં, પણ જાતિના ચોકઠા અને સશક્તિકરણના વાયદાઓથી રાજનીતિ ગઢી છે. સવાલ એ છે કે યુ.પી.નું ધ્રુવીકરણ બિહારની “જાતિ-પ્રથમ” રાજનીતિમાં ગુંજે છે કે પછી આ ધ્રુવીકરણ બિહારમાં ટકાવી રાખવા માટે કૃત્રિમ આયાત સાબિત થશે?

બિહારની ખામીઓ : અહીં આજે પણ જાતીવાદનું શાસન ચાલે છે

યુ.પી.માં વિવિધ જાતિના હિંદુઓને એક છત હેઠળ લાવવાની ભા.જ.પા.ની કલા સફળ રહી છે. પરંતુ બિહારમાં પરિસ્થિતિ જુદી છે. બિહાર અને યુ.પી. સરખા નથી. બિહારમાં અહીં યાદવ-મુસ્લિમ (આર.જે.ડી.), કુર્મી-કોઈરી (જે.ડી.-યુ.) અને વિખરાયેલા દલિત મતો (એલ.જે.પી., હમ, વગેરે) હજી પણ નિર્ણાયક મતદારો છે. રમખાણો મુસ્લિમ મતદારોમાં ચિંતા જરૂર જગાવે, પરંતુ તેઓ તૂટવાને બદલે વધુ સંયુક્ત થઈ તેજસ્વી યાદવ પાછળ, તેમને ટેકો આપતા ઊભા રહેશે.

બીજી બાજુ, ઉચ્ચ જાતિઓ અને ઓ.બી.સી.ના કેટલાક વર્ગો ભા.જ.પા.ની તરફેણમાં વધુ ઝૂકી શકે છે, તેમને માટે “હિન્દુત્વ” એક રક્ષા કવચ કે ઢાલ હશે. પરંતુ નિર્ણાયક “ઈ.બી.સી.” (અતિપછાત જાતિઓ) અને મહાદલિતો વ્યવહારિક મતદારો છે— તેઓ સાંપ્રદાયિક ભાષણ કરતા રોજગારી, કલ્યાણયોજનાઓ અને સ્થાનિક નેતાઓના કાર્યથી વધુ પ્રભાવિત થાય છે. તેમને તર્ક ખપે છે, વાતોના વડા નહીં. એટલે યુ.પી.નાં રમખાણો બિહારના રાજકારણમાં સામ્પ્રદાયિક રંગ લાવશે, પરંતુ જાતિ આધારિત સમીકરણોને બદલી શકાવાની તેમનામાં તાકાત નથી. 

નીતીશકુમાર : બચી ગયેલા રાજકારણી દ્વિધા

લાલુપ્રસાદ યાદવ અને નીતીશ કુમાર

બિહારની સ્થિતિનું કોઈ વિશ્લેષણ “સર્વાઈવર” નીતીશકુમાર વિના સંપૂર્ણ ન ગણાય. તેમણે અનેકવાર ગઠબંધન બદલ્યાં છે— એટલી બધી વાર તેમણે પાટલી બદલી છે કે તેમના કાર્યકરો પણ એ ગણતરીમાં ખોવાઈ જાય. નીતીશ કુમારની પકડ નબળી ચોક્કસ પડી છે પણ તે હજી પણ એટલા જ પ્રાસંગિક છે. તે ધારે તો ડઝનેક મત વિસ્તારોમાં પરિણામો ફેરવી શકવાની ક્ષમતા ધરાવે છે.

નીતીશ કુમાર માટે યુ.પી.નાં રમખાણો બમણા પડકાર ખડા કરનારા છે. ભા.જ.પા. સાથે રહે તો મુસ્લિમો તેમનાથી દૂર જશે. જો ભગવા છાવણીનો વિરોધ કરશે તો રાજકીય એકલતા ભોગવવાની આવશે. લાંબા સમયથી નીતીશ કુમારે પોતાને માટે ખડી કરેલી “સુશાસન બાબુ” બ્રાન્ડ હવે પહેલા જેવી ચમક નથી ધરાવતી. “સુશાસન બાબુ” નીતીશ કુમાર હવે ઝાંખા પડ્યા છે અને એટલે તે હવે માત્ર એક “ઓછા ખરાબ વિકલ્પ” તરીકે બચી શકે તેમ છે. બિહારના મતદારો તેમને એક વ્યવહારવાદી રાજકારણી તરીકે જુએ છે જે પવનની દિશા પ્રમાણે ઝૂકી જાય છે, તેમને કદાચ એ પ્રતિષ્ઠા ટકી રહેવામાં મદદ કરી શકે છે. પણ માત્ર ટકી જવામાં તેમને કદાચ ધાર્યું પ્રભુત્વ ન મળે તેમ બની જ શકે છે. 

પ્રશાંત કિશોર : રાજકીય વ્યૂહકારથી નેતા સુધીની સફર

પ્રશાંત કિશોર

આ ફિલ્મી રાજકારણના કથાનકમાં પ્રવેશ કરે છે પ્રશાંત કિશોર— જેમણે એક સમય નરેન્દ્ર મોદી, નીતીશ કુમાર અને મમતા બેનર્જીની જીત માટે રણનીતિ ઘડી હતી. પ્રશાંત કિશોર હવે ચૂંટણીના મેદાનમાં છે જે હવે પોતાના ‘જન સુરાજ’ અભિયાનથી પોતાના નેતૃત્વની કસોટી કરીને પોતાનું સ્થાન બનાવવાની ભાંજગડમાં છે. એક સમયે વ્યૂહરચના બનાવનારા પ્રશાંત કિશોર પોતે એ વાર્તાનો હિસ્સો બની શકશે?

પ્રશાંત કિશોર પાસે આંકડા, ડેટા અને પેકેજિંગની કુશળતા છે. પરંતુ બિહારની રાજનીતિ ધીરજ, નેટવર્ક, જાતિની ગાંઠ અને પાયાના મહેનતથી ચાલે છે. પ્રશાંત કિશોરનું ગ્રાઉન્ડ વર્ક ગજબ છે, તેમણે 5,000 કિલોમીટરથી વધુની પદયાત્રા કરી છે, 5,500થી વધુ ગામોની મુલાકાત લીધી છે અને પોતે નાના જૂથો સાથે જોડાઇ પણ રહ્યા છે. તેમણે નવા બિહારનું વચન આપ્યું છે. તાજેતરના C-Voters સર્વેમાં 23% મતદારો પ્રશાંત કિશોરને મુખ્ય મંત્રી તરીકે જોવા માંગે છે— નીતીશ કુમારના 16%થી વધુ. છતાં તેમની અસર 2025માં મર્યાદિત રહે તેમ બની શકે છે.

છતાં તેમની અસર 2025માં મર્યાદિત રહે તેમ બની શકે છે. તેમના જન સુરાજમાં આર.જે.ડી., ભા.જ.પ. કે જે.ડી.-યુ. જેટલું સંગઠનાત્મક ઊંડાણ નથી. જો કે પ્રશાંત કિશોર ધારે તો પરંતુ 3-5% મતો પણ ત્રિકોણીય લડતમાં પાસા પલટી શકે છે. યુવાનો, પહેલીવારના મતદારો અને શહેરી સુધારાવાદીઓ તેમને મત આપે તો તેઓ આ ચૂંટણી માટે – ખાસ કરીને ભા.જ.પા. અને આર.જી.ડી. માટે “સ્પોઈલર” બની શકે છે. પ્રશાંત કિશોર આ માર્જીનનો લાભ મેળવી શકે છે પણ તેનાથી વધુ વિચારવું કદાચ અત્યારે તાર્કિક નથી લાગતું. પ્રશાંત કિશોરની વાસ્તવિક કસોટી એ છે કે શું તેઓ તેમની વ્યૂહાત્મક કુશળતા માટે અત્યાર સુધી જે પ્રશંસા એકઠી કરી છે તેને વાસ્તવિક મતોમાં ફેરવી શકે તેમ છે ખરા? – આ એ જ ભારતીય રાજકારણ છે જેમાં ભલભલા અનુભવી ટેક્નોક્રેટ્સ પણ નિષ્ફળ ગયા છે.

આગળ શું થશે?: બિહાર લખશે પોતાનું રાજકીય નસીબ

બિહાર પર યુ.પી.નાં રમખાણોનું નિયંત્રણ હશે ખરું? કદાચ નહીં પણ છતાં ય તેની બારીકીને નકારવી ન જોઇએ. સાંપ્રદાયિક તણાવ પૃષ્ઠભૂમિ બનશે એ ચોક્કસ પણ બિહારના ખેલમાં જાતિ, કલ્યાણ અને નેતૃત્વની વિશ્વસનિયતા જ મહત્ત્વનાં પાસા રહેશે તે નક્કી છે. ભા.જ.પા. કાયમની માફક હિન્દુત્વ કાર્ડ આગળ કરશે, આર.જે.ડી. સામાજિક ન્યાયની વાતો કરીને તેનો સામનો કરશે અને નીતીશ કુમાર સ્થિરતાની બ્રાન્ડનું માર્કેટિંગ કરશે – પ્રશાંત કિશોરની પોતાની નવી વાર્તા રજૂ કરવાનો પ્રયાસ રહેશે. 

જો યુ.પી.નાં રમખાણો ધ્રુવીકરણની લહેર ઊભી કરે, તો ભા.જ.પ.ને સૌથી વધુ ફાયદો થશે. જો ચૂંટણીમાં થનારી ચર્ચા નોકરીઓ, સ્થળાંતર અને મોંઘવારી તરફ વળશે તો તેજસ્વી યાદવનો આર.જે.ડી. પક્ષ મજબૂત બનશે. જો પ્રશાંત કિશોર સત્તા વિરોધી મતોને એકીકૃત કર્યા વિના તેમાં કાપ મૂકે છે, તો તે ભા.જ.પ.નો અનાયાસે ફાયદો કરાવી શકે છે. બરાબર એ જ કારસો અહીં ઘડાશે જે 2022માં ગુજરાતમાં ઘડાયો, જ્યારે આમ આદમી પાર્ટીનો ગુજરાતની ચૂંટણીમાં છાનો ભાગ હતો તેવો આક્ષેપ મૂકાયો હતો. ચૂંટણીમાં કોનો ચમત્કાર ચાલે છે એ રાજકારણીઓ જાણે છે, મતદારો મૂડી હોય છે અને તેમના મિજાજને પારખવાની ગેરંટી લેનારા ભલભલા નિષ્ફળ ગયા છે ત્યારે આગે આગે દેખીએ હોતા હૈ ક્યાનું ગાણું ગાઈને ખેલ જોવા સિવાય આપણે કંઇ કરી શકીએ તેમ નથી. 

બાય ધી વેઃ 

આખરે બિહાર પોતાની રાજકીય સ્ક્રિપ્ટ પોતે જ લખશે. બિહારમાં હંમેશાંથી એમ જ થતું આવ્યું છે. આ ખેલ થશે અને બિહાર બાકીના ભારતને ટકોર કરશે કે પાડોશી રાજ્યની વાર્તાઓ અને ઘટનાઓ સરહદ પાર કરી શકે છે પણ મત તો સ્થાનિક વાસ્તવિકતાઓને આધારે જ આપવામાં આવે છે. પરંતુ 2025 એક નિર્ણાયક સવાલો છોડી જશે: શું ભા.જ.પ. યુ.પી.ના ફોર્મ્યુલા બિહારમાં ચાલવી શકશે? શું આર.જે.ડી. લાલુ-યુગના જાદુ વિના જીતી શકશે? શું નીતીશ કુમાર ગઠબંધન બદલ્યા પછી પણ પ્રાસંગિક રહી શકશે? અને સૌથી મહત્ત્વપૂર્ણ— શું પ્રશાંત કિશોર ચૂંટણી જીતતા શીખ્યા વિના જીતનાર બની શકશે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઑક્ટોબર 2025

Loading

...102030...119120121122...130140150...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved