Opinion Magazine
Number of visits: 9667484
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વખોડું છું….   

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|30 March 2023

ગુજરાતી સાહિત્ય પરિષદની અસાધારણ સામાન્ય સભા આજે બપોરે બે વાગ્યે તેના બંધારણમાં જરૂરી ફેરફાર અંગે મળી રહી છે. તેમાં હાજર રહેવા વિશે ગઈ કાલે રાત્રે વિચારતો હતો ત્યારે અચાનક જ થયું કે કે ‘લાવ ને, આ સભામાં જતાં પહેલાં પરિષદના 2022ના વાર્ષિક અહેવાલ પર નજર ફેરવી લઉં.’

આ અહેવાલ મને સાયલા ખાતે 15-16-17 ડિસેમ્બર 2022 દરમિયાન યોજાયેલા જ્ઞાનસત્રમાં મળ્યો હતો, તેની સાથે પારિતોષિક-પુરસ્કૃત લેખકો વિશેની પુસ્તિકા પણ હતી. એ વખતે તે વાંચી, પણ અહેવાલની પુસ્તિકા વંચાઈ નહીં, ને ગેરવલ્લે મુકાઈ ગઈ. અત્યારે આ આસાધારણ સભા સંદર્ભે યાદ આવ્યું એટલે એક મિત્રને પૂછતાં તેણે અહેવાલ-પુસ્તિકાની પી.ડી.એફ. બનાવીને મોકલી.

પાનાં ફેરવતાં યાદ આવ્યું કે  ‘2022 જાન્યુઆરીમાં પરિષદમાં થયેલું વૃક્ષછેદન, તે અંગે નિમાયેલી તપાસ સમિતિ, તેણે પરિષદને સુપરત કરેલો એકસો છ પાનાંનો અહેવાલ, તેની પરિષદના સભ્યોને મોકલવામાં આવેલી મુદ્રિત નકલ અને અહેવાલને પગલે પરિષદના તત્કાલીન મહામંત્રીએ આપેલું રાજીનામું આ બનાવોનો ઉલ્લેખ 20022 ના વાર્ષિક અહેવાલમાં ક્યાં ?’

એને લગતો એક પણ શબ્દ ન જડ્યો.

વાર્ષિક અહેવાલ બે વખત વાંચ્યો. થયું કે કદાચ હું ચૂકી ગયો હોઉં. પરિષદ જેવી જાહેર સંસ્થાના અહેવાલમાં આટલી મોટી વાત પડતી મૂકાય તે ન બને. પણ મારી ચૂક ન હતી.

એક માતબર વાચક-સંપાદકને પણ ખરાઈ કરી આપવા વિનંતી કરી. તેણે પણ કહ્યું : ‘વૃક્ષછેદન અંગે કશું જ નથી.’

અરે, સમિતિ અને અહેવાલ તો જવા દો, પણ પરિષદમાં મોટા પાયે વૃક્ષછેદન થયું અને તેને પગલે મહામંત્રીએ રાજીનામું આપ્યું આ બે બનાવો — તેનું સારા — નરસાપણું કે તેની અભૂતપૂર્વતા બાજુ પર રાખીને ય – બનાવો  તરીકે તો અહેવાલમાં હોવા જોઈએ કે નહીં ? 2022માં ઉમાશંકર જોશીના જન્મદિવસે થયેલા વૃક્ષારોપણ કાર્યક્રમની નોંધ થાય તેમ, ‘અહેવાલ’માં  એક ‘બનાવ’ તરીકે વૃક્ષછેદનની નોંધ ન હોય?

ગ્લાનિ અને આક્રોશની લાગણી થઈ આવી. શું કહેવું ?

વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તેની તવારીખ તરીકે વાર્ષિક અહેવાલમાં નોંધ કરવામાં પરિષદને સંકોચ થયો (સૌમ્ય શબ્દપ્રયોગ) ? અપરાધભાવ જાગ્યો ?

વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તેની તવારીખ તરીકે નોંધ પડતી મૂકવામાં પરિષદને સંકોચ ન થયો ( સૌમ્ય શબ્દપ્રયોગ )? અપરાધભાવ ન જાગ્યો ?

વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદને આ અહેવાલના લેખન-નિર્માણ દરમિયાન અને તે છપાયાં પછી વરેણ્ય સામૂહિક સ્મૃતિભ્રંશ – collective selective amnesia –  થયો ?

વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદમાં એકંદરે જળવાયેલાં મૌનના કારસ્તાન – conspiracy of silence -ને વર્ષ 2022ના અહેવાલમાં કાયમી સ્વરૂપ આપવામાં આવ્યું – enshrine કરવામાં આવ્યું ?

દેશના સર્વોચ્ચ સાહિત્યિક પારિતોષિકો-સન્માનો મેળવનાર, લેખો – પુસ્તકો – ભાષણોમાંમાં વારંવાર મૂલ્યોની દુહાઈ દેનારા, વર્ષોથી ઇતિહાસબોધની વાતો કરતા રહેનારા,  સાહિત્યમાં ઇતિહાસદૃષ્ટિ પર ચર્ચાઓ કરનાર વગેરે સહુને કહેવું ઘટે કે –

પરિષદમાં વૃક્ષછેદન થયું હતું, તે અંગે સમિતિએ લખેલા અહેવાલે એક કરતાં વધુ વ્યક્તિઓને જવાબદાર ગણ્યા હતા, અહેવાલને પગલે તત્કાલીન મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું – આ બનાવ વાર્ષિક અહેવાલ રૂપે સમકાલીન ઇતિહાસમાં ન જાય, તેની નોંધ જ ન હોય તેની પૂરેપૂરી તકેદારી લેવાઈ હોય તેમ લાગે છે. ઇતિહાસ જ ન હોય ત્યાં બોધ શેનો ?

વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદે શાસકો જેવી નીતિ સ્વીકારી ? – ઇતિહાસને ઢાંકો, છૂપાવી દો, વિકૃત કરો અને બને તો ભૂસી જ નાખો ! અથવા સહુથી ઉત્તમ તો પોતાના ચોપડે ચઢવા જ ન દો !

એક નાની હકીકત (સત્ય તો મોટો શબ્દ છે) વાર્ષિક અહેવાલમાં આવે તેનાથી પણ ડરીએ છીએ, તેની ભોંક સહન નથી થતી ?

સૉક્રેટિસ, ટૉલ્સ્ટૉય, ગાંધી, ચૉમ્સ્કી, દર્શક ને એવાં (યાદી તો ઘણી લાંબી થાય જ ને…) વિશે લખ્યું છે ને ? તેમને ટાંક્યા છે ને ? રથ જમીનને અડ્યા જ કરે છે, ને જાહેરમાં લખવા-બોલવામાં લોકોને બતાવવાની કોશિશ છીએ કે રથ ઊંચો ચાલે છે ?  

ગુજરાતી સાહિત્ય પરિષદના 2022ના વર્ષિક અહેવાલ મુજબ post- truth (કંઈ નહીં તો ય આ શબ્દની તો મને પણ ખબર છે) એ છે કે પરિષદમાં વૃક્ષછેદન થયું જ ન હતું …. No one killed Jessica!

30 માર્ચ 2023  
[582 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાહુલ ગાંધી હવે જૂના રાહુલ ગાંધી નથી રહ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|30 March 2023

રમેશ ઓઝા

રાહુલ ગાંધી જ્યાં સુધી ચૂંટણી જીતવાનું અને બી.જે.પી.ને હરાવવાનું સત્તાકીય સંસદીય રાજકારણ કરતા હતા, ત્યાં સુધી નરેન્દ્ર મોદીને અને બી.જે.પી.ને રાહુલ ગાંધીનો ખાસ ભય નહોતો. ક્યાં નરેન્દ્ર મોદીનું કદ અને ક્યાં રાહુલ ગાંધીનું! ક્યાં નરેન્દ્ર મોદીની વક્તૃત્વશક્તિ અને ક્યાં રાહુલની! ક્યાં બી.જે.પી.ની આર્થિક તાકાત અને ક્યાં કાઁગ્રેસની! ક્યાં બી.જે.પી.નું સોશ્યલ મીડિયા મેનેજમેન્ટ અને ક્યાં કાઁગ્રેસનું! ક્યાં બી.જે.પી./સંઘપરિવારની સમર્પિત કેડર અને ક્યાં કાઁગ્રેસનું કાર્યકર્તા વિહોણું સંગઠન! ઉપરથી સિવાય રાહુલ ગાંધીને પપ્પુ ઠરાવીને હાસ્યાસ્પદ બનાવી મુકવામાં આવ્યા હતા. બી.જે.પી. વિરોધીઓએ પણ રાહુલ ગાંધીના નામનું નાહી નાખ્યું હતું. આમ રાહુલ ગાંધીથી ડરવા માટે ખાસ કોઈ કારણ નહોતું. જો કે સાવ નહોતા ડરતા એવું પણ નહોતું. આખરે કાઁગ્રેસ દેશભરમાં ઓળખ ધરાવનારો પક્ષ છે અને કાલે મતદાતા વિકલ્પ શોધતા થાય તો વિકલ્પ કાઁગ્રેસ બને. માટે બી.જે.પી.એ સૌથી વધુ સમય, શક્તિ અને પૈસા રાહુલ ગાંધીની પાછળ ખર્ચ્યા છે.

પણ હવે રાહુલ ગાંધીનો પહેલાં કરતાં વધુ ભય લાગે છે. એટલા માટે નહીં કે તેઓ અદાણી-મોદી કનેક્શન વિષે પ્રશ્ન પૂછે છે, પણ એટલા માટે કે રાહુલ ગાંધીને એક ચીજ જડી ગઈ છે. એ ચીજ પહેલાં પણ હાથવગી હતી જ, પણ હવે રાહુલે તેને હાથવગી નથી કરી, જીવવગી કરી છે. ખરું પૂછો તો એમ કહેવું જોઈએ કે રાહુલ ગાંધીએ નાનીનાની ચૂંટણીકીય લડાઈ લડવાનું પડતું મૂકીને મોટી અને મૂળભૂત લડાઈ લડવાનું બીડું ઝડપ્યું છે. જીહાદ એ એકબર. મારા હિન્દી સાહિત્યકાર મિત્રે જાણીતા હિન્દી વ્યંગ લેખક હરિશંકર પરસાઈનું એક કથન કહ્યું હતું. પરસાઈજીએ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સ્વીકારતી વખતે જે વ્યાખ્યાન આપ્યું હતું તેમાં તેમણે પ્રારંભમાં જ કહ્યું હતું કે “મેં લેખક તો છોટા હૂં, લેકિન સંકટ બડા હૂં.” મોટા મોટા આચાર્યો, વાચસ્પતિઓ, જે તે સંસ્થાઓના અધિપતિઓ, સાહિત્ય-સન્સ્કૃતિના ઠેકેદારો માટે હું સંકટ છું. રાહુલ ગાંધીને પણ આ વાત લાગુ પડે છે. રાહુલ ગાંધી ચૂંટણીકીય પડકાર નથી, સંકટ છે.

તમે એક વાત નોંધી? મીડિયા જગતના વાચાળ વાચસ્પતિઓ અને વિરોધ પક્ષોના કેટલાક નેતાઓ એક પ્રશ્ન વારંવાર ઉપસ્થિત કરી રહ્યા છે કે, “હા, રાહુલ ગાંધી અઘરા સવાલો પૂછી રહ્યા છે, રસ્તા ઉપર ઉતરે છે, તેમનામાં સાતત્ય જોવા મળે છે, પદયાત્રા કરી પણ એ આખરે મતમાં પરિવર્તિત થશે?” અને પછી ઈંગિત કરે છે કે આ બધો દળીદળીને ઢાંકણીમાં ઉધારવાનો ધંધો છે, વગેરે વગેરે. તેઓ ધરાર રાહુલ ગાંધીને હાર-જીતનાં ચૂંટણીના મેદાનમાં ધકેલે છે, પણ રાહુલ એ તરફ નજર પણ કરતા નથી. તેઓ ઇરાદાપૂર્વક રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીના રાજકીય પ્રતિસ્પર્ધી બનાવવા માગે છે, પણ રાહુલ ગાંધી તેમની જાળમાં સપડાતા નથી અને વૈચારિક અંતિમે ઊભા રહે છે. રાહુલ ગાંધીએ તેમની પદયાત્રા દરમ્યાન એક માર્મિક વાત કહી હતી. મેં વહ રાહુલ ગાંધી કો પીછે છોડકર નિકલા હું. વહ એટલે કે હાર-જીતનું સત્તાકીય રાજકારણ કરનારો રાહુલ ગાંધી.

આગળ કહ્યું એમ જીહાદ એ અકબર. મુકાબલો વૈચારિક છે. મુકાબલો ભારતની ધરોહરનો છે. મુકાબલો ભાતીગળ અને વિદેશથી આયાત કરેલી વિચારધારા વચ્ચેનો છે. મુકાબલો સહિયારા ભારત માટેનો છે. મુકાબલો સેક્યુલર લોકતાંત્રિક બંધારણીય ભારત માટેનો છે. મુકાબલો લઘુતાગ્રંથિ અને આત્મવિશ્વાસ વચ્ચેનો છે. મુકાબલો અતીત અને વર્તમાન વચ્ચેનો છે. મુકાબલો ડરતું રોતલું ભારત અને પોતીકી જગ્યા બનાવનારા સંઘર્ષરત ભારત વચ્ચેનો છે. મુકાબલો સદ્દગુણની ઉપાસના કરનારા ભારત અને સદ્દગુણને નબળાઈ કે વિકૃતિ તરીકે જોનારા ભારત વચ્ચેનો છે. ટૂંકમાં મુકાબલો એવા ભારત માટેનો છે જે હિંદુ ભારત કરતાં ૧૮૦ ડિગ્રી સામેના છેડાનું છે. વેદોના ઋષિઓથી લઈને વિનોબા ભાવે સુધીના દાર્શનિકોએ અને આધુનિક યુગમાં રામમોહન રાયથી લઈને નેહરુ-આંબેડકર સુધીનાઓએ જે ભારતની કલ્પના કરી છે એ ભારત આપણી પોતાની માટીની સુગંધ ધરાવે છે. ભારત નામની એ કલ્પના ભારતમાં ઊગી, ભારતમાં ઉછરી, ભારતમાં વિકસી, ભારતમાં એ સમૃદ્ધ થઈ અને એણે ભારતને વિશ્વમાં પ્રતિષ્ઠા આપી. સામે સંઘનો બહુમતી રાષ્ટ્રવાદ સો ટકા વિદેશી છે. વિનાયક દામોદર સાવરકર દ્વારા વિદેશથી ભારતમાં આયાત કરેલો છે. બહુમતી રાષ્ટ્રવાદ આપણી માટીનો છોડ નથી. 

ભારત વિશેની આયાતી કલ્પના ભારત વિશેની ભાતીગળ કલ્પનાને ઉઝેડી નાખવા માગે છે. રાહુલ ગાંધી ભારત વિશેની આયાતી કલ્પનાને અને તેના વરવા પ્રદર્શનને પડકારે છે અને ભાતીગળ ભારતને પકડી લીધું છે જે વાતે શાસકો ડરે છે. આખરે આયાતી એ આયાતી છે અને પોતાનું એ પોતાનું છે. પોતાની માટીમાં એક ગજબની સંભવના રહેલી છે. આ અર્થમાં રાહુલ ગાંધી એક સંભાવના છે અને રાહુલ ગાંધી નામની સંભાવનાનો ડર લાગે છે. શાસકોને ઇશારે જાણીબૂજીને રાજકીય નિરીક્ષકો ચૂંટણીને વચ્ચે લાવે છે અને રાહુલ ગાંધી ચૂંટણી તરફ નજર પણ કર્યા વિના ભાતીગળ ભારતની વાત કરે છે. ભાતીગળ ભારત સામે વિદેશથી આયાત કરેલા હિંદુ ભારતને બે પગે ઊભુ રાખવું એ કપરું કામ છે. ક્યાં સુધી કોઈ પ્રજાને ડરાવી અને રડાવી શકાય? અને એ પણ એવી પ્રજા જેને વિદેશી કે વિધર્મીઓથી ડરતા અને રડતા ક્યારે ય આવડ્યું જ નથી. સાવરકર પણ આ નહોતા કરી શક્યા. નરેન્દ્ર મોદી, ભા.જ.પ. અને સંઘ પરિવાર માટે આ દુ:ખતી નસ છે.

બાકી ક્યારે ય કોઈ ભડવીરને પપ્પુનો ડર લાગે?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 માર્ચ 2023

Loading

FULFILLED DESIRE

કુમાર ભટ્ટ|Poetry|29 March 2023

All caterpillars 

Of fulfilled desires

Do not 

Metamorphose into

Butterflies of happiness! 

—————-

દરેક

પૂરી થયેલી ઇચ્છા – ઈયળ, 

સુખ – પતંગિયું

નથી બનતી! 

e.mail : kumarbhatt6@gmail.com

Loading

...102030...1,1911,1921,1931,194...1,2001,2101,220...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved