Opinion Magazine
Number of visits: 9458297
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

नदव लापिद की ‘कश्मीर फाइल्स’

कुमार प्रशांत|Opinion - Opinion|5 December 2022

जिस तरह का सच यह है कि आईना झूठ नहीं बोलता, उसी तरह का सच यह भी है कि कैमरा झूठ नहीं बोलता. इसे हम इस तरह भी समझ सकते हैं कि सच प्राकृतिक है; झूठ गढ़ना पड़ता है- फिर वह झूठ सौंदर्य प्रसाधनों से बोला जाए या खुराफाती-स्वार्थी इंसानी दिमाग से ! गोवा में आयोजित भारतीय अंतरराष्ट्रीय फिल्म महोत्सव के आखिरी दिन, महोत्सव की जूरी के अध्यक्ष इस्राइली फिल्मकार नदव लापिद ने यही बात कही – न इससे कम कुछ, न इससे अधिक कुछ ! इसके बाद गर्हित राजनीति का जो वितंडा हमारे यहां फूट पड़ा, वह भी इसी सच को मजबूत करता है कि सच घटे या बढ़े तो सच ना रहे / झूठ की कोई इंतहा ही नहीं.

इतिहास बनाना इंसानी साहस की चरम उपलब्धि है; इतिहास को विकृत करना मानवीय विकृति का चरम है. हम दोनों ताकतों को एक साथ काम करते देखते हैं. इंसानी व सामाजिक जीवन में कला की एक अहम भूमिका यह भी है कि वह इन दोनों के फर्क को समझे व समझाए ! जो कला ऐसा नहीं कर पाती है वह कला नहीं, कूड़ा मात्र होती है. इसलिए कोई पिकासो ‘गुएर्निका’ रचता है, कोई चार्ली चैपलिन ‘द ग्रेट डिक्टेटर’ बनाता है, कोई एटनबरो ‘गांधी’ ले कर सामने आता है. अनगिनत पेंटिंगों, फिल्मों के बीच ये अपना अलग व अमर स्थान क्यों बना लेती हैं? इसलिए कि युद्ध की कुसंस्कृति को, विकृत मन की बारीकियों को तथा इंसानी संभावनाओं की असीमता को समझने में ये फिल्में हमारी मदद करती हैं. तो कला की एक सीधी परिभाषा यह बनती है कि जो मन को उन्मुक्त न करे, उद्दात्त न बनाए वह कला नहीं है.

दूसरी तरफ वे ताकतें भी काम करती हैं जो कला का कूड़ा बनाती रहती हैं ताकि सत्य व असत्य के बीच का, शुभ व अशुभ के बीच का, उद्दात्तता व मलिनता के बीच का फर्क इस तरह उजागर न हो जाए कि  ये ताकतें बेपर्दा हो जाएं. विवेक की इसी नज़र से गोवा फिल्मोत्सव में बनी जूरी को 14 अंतरराष्ट्रीय फिल्मों को देखना-जांचना था. लापिद इसी जूरी के अध्यक्ष थे. जूरी में या उसके अध्यक्ष के रूप में उनका चयन सही था या गलत, इसका जवाब तो उन्हें देना चाहिए जिनका यह निर्णय था लेकिन 5 सदस्यों की जूरी अगर एक राय थी कि ‘कश्मीर फाइल्स’ किसी सम्मान की अधिकारी नहीं है, तो इस पर किसी भी स्तर पर, किसी भी तरह की आपत्ति उठना अनैतिक ही नहीं है, घटिया राजनीति है जिसका दौर अभी हमारे यहां चल रहा है.

लापिद ने जूरी के अध्यक्ष के रूप में महोत्सव के मंच से जब ‘कश्मीर फाइल्स’ को ‘अश्लील शोशेबाजी’ ( ‘वल्गर प्रोपगंडा’ का यह मेरा अनुवाद है) कहा तब वे कोई निजी टिप्पणी नहीं कर रहे थे, जूरी में बनी भावना को शब्द दे रहे थे. जूरी के बाकी तीनों विदेशी सदस्यों ने बयान दे कर लापिद का समर्थन किया है. भारतीय सदस्य सुदीप्तो सेन ने अब जो सफाई दी है वह बात को ज्यादा ही सही संदर्भ में रख देती है : “ यह सही बात है कि यह फिल्म हमने कला की कसौटी पर खारिज कर दी. लेकिन मेरी आपत्ति अध्यक्ष ने बयान पर है जो ‘कलात्मक’ नहीं था. ‘वल्गर’ व ‘प्रोपगंडा’ किसी भी तरह कलात्मक अभिव्यक्ति के शब्द नहीं हैं.”  मतलब साफ है कि ‘कश्मीर फाइल्स’ कहीं से भी कला से सरोकार नहीं रखती है, इस बारे में जूरी एकमत थी. ऐसा क्यों था, इसकी सबसे गैर-राजनीतिक सफाई जो कोई भी अध्यक्ष दे सकता था, लापिद ने दी. उन्हें यह बताना ही चाहिए था कि क्यों जूरी ने उन्हें सौंपी गई 14 फिल्मों में से मात्र 13 फिल्मों में से ही अपना चयन किया, और 14वीं फिल्म को फिल्म ही नहीं माना ? जूरी के अध्यक्ष लापिद का धर्म था कि वे यह बताते. जिन शब्दों में लापिद ने वह बताया, वह कहीं से भी राजनीतिक, गलत, अशोभनीय या कला की भूमिका को कलंकित करने वाला नहीं था.

हमारे यहां ही कला-साहित्य-पत्रकारिता का आसमान इन दिनों इतना कायर व कलुषित हो गया है कि वहां कला व सच की जगह बची नहीं है. जूरी के विदेशी सदस्यों ने अपने बयान में इसे पहचाना है : “ हम लापिद के बयान के साथ खड़े हैं और यह साफ करना चाहते हैं कि हम इस फिल्म की विषयवस्तु के बारे में अपना कोई राजनीतिक नजरिया बताना नहीं चाहते हैं. हम केवल कला के संदर्भ में ही बात कर रहे हैं और इसलिए महोत्सव के मंच का अपनी राजनीति के लिए व नविद पर निजी हमले के लिए जैसा इस्तेमाल किया जा रहा है, उससे हम दुखी हैं. हम जूरी का ऐसा कोई इरादा नहीं था.”

जब नविद से पूछा गया कि जिस फिल्म को जूरी ने किसी सम्मान के लायक नहीं माना, उस फिल्म पर आपको कोई टिप्पणी करनी ही क्यों चाहिए थी, नविद ने बड़ी ईमानदारी के साथ अपनी बात रखी. यह कहने की जरूरत नहीं है कि ईमानदारी से खूबसूरत कलात्मक अभिव्यक्ति दूसरी नहीं होती है. नविद ने कहा : “ हां, आप ठीक कहते हैं, जूरी सामान्यत: ऐसा नहीं करती है. उनसे अपेक्षा यह होती है कि वे फिल्में देखें, उनका जायका लें, उनकी विशेषताओं का आकलन करें तथा विजेताओं का चयन करें. लेकिन तब यह बुनियादी सावधानी रखनी चाहिए थी कि ‘द कश्मीर फाइल्स’ जैसी फिल्में महोत्सव के प्रतियोगता खंड में रखी ही न जाएं. दर्जनों महोत्सवों में मैं जूरी का हिस्सा रहा हूं, बर्लिन में भी, केंस में भी, लोकार्नो और वेनिस में भी. इनमें से कहीं भी, कभी भी मैंने ‘द कश्मीर फाइल्स ’ जैसी फिल्म नहीं देखी. जब आप जूरी पर ऐसी फिल्म देखने का बोझ डालते हैं, तब आपको ऐसी अभिव्यक्ति के लिए तैयार भी रहना चाहिए.”

सारा खेल तो यही था. यह सरकारी आदेश था या आयोजकों की स्वामी भक्ति का खुला प्रदर्शन था, यह तो वे ही जानें लेकिन चाल यह थी कि झांसे में एक अंतरराष्ट्रीय फिल्म महोत्सव में सरकारी क्षद्म का यह चीथड़ा दिखा लिया जाए. जूरी मेजबानी के दवाब में आ कर अगर इसे सम्मानित कर दे, तो बटेर हाथ लगी; हाथ नहीं लगी तो दुनिया भर में हम अपना प्रचार दिखा गए, यह उपलब्धि तो हासिल होगी ही. नविद ने यह सारा खेल बिगाड़ दिया. इसलिए हमने देखा कि नविद को भारत स्थित इसराइल के राजदूत से गालियां दिलवाई गईं. जिन ‘अनुपम’ शब्दों में ‘ द कश्मीर फाइल्स’ गैंग ने नविद का शान-ए-मकदम किया, वह कला के चेहरे पर गर्हित राजनीति का कालिख मलना तो था ही, अंतरराष्ट्रीय कला बिरादरी में भारत को अपमानित करना भी था.

(05.12.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

સૌંદર્યશાસ્ત્રનો પ્રશ્ન ——

અભિમન્યુ આચાર્ય|Opinion - Literature|5 December 2022

બહુ ઓછાં પુસ્તકો એવાં હોય છે જે તમારા વિચારોની ધરીને ૧૮૦ ડિગ્રી ફેરવી શકતા હોય. તમે સડસડાટ તમારા વિચારોના હાઈ-વે પર જતા હોય, અને કોઈક એવું પુસ્તક આવે કે તમારે બ્રેક તો મારવી જ પડે, પણ યુ-ટર્ન ય મારવો પડે. મારા માટે આવું એક પુસ્તક એટલે મરાઠી દલિત સાહિત્યકાર શરણકુમાર લિમ્બાલેનું પુસ્તક ‘દલિત સાહિત્યાચે સૌંદર્યશાસ્ત્ર’. હું ૨૦૧૬માં કર્ણાટકમાં ભણતો હતો ત્યારે મારી યુનિવર્સિટીએ ભારતીય દલિત સાહિત્ય વિશે એક સેમીનાર યોજેલો. એ સેમીનાર માટે અમને ઘણાં દલિત સાહિત્યનાં પુસ્તકો વાંચવા માટે આપવામાં આવેલાં. એમાંનું એક આ પુસ્તક. અગાઉ લિમ્બાલેનું ‘અક્કરમાશી’ વાંચેલું, અને ધ્રૂજી ગયેલો. ઘણા દિવસો સુધી ઊંઘ હરામ થઈ ગયેલી. પછી આ પુસ્તક હાથમાં આવ્યું – દલિત સાહિત્યના સૌંદર્યશાસ્ત્ર વિશેનું. મારી એ વખત સુધી બંધાયેલી સૌંદર્યશાસ્ત્ર વિશેની બધી જ માન્યતાઓને આ પુસ્તકે પ્રશ્નાર્થ હેઠળ લાવી દીધેલી.

સૌંદર્યશાસ્ત્ર એટલે મૂળે તો કોઈ પણ કળાને સમજવાનું શાસ્ત્ર. કળાને સમજવાની, એના વિશે વિચારવાની ચાવી આપનારું શાસ્ત્ર. વળી, સારી કળાકૃતિ અને નબળી કળાકૃતિ વચ્ચે શો તફાવત હોય એ પણ આ શાસ્ત્ર જણાવે. પશ્ચિમમાં એરીસ્ટૉટલનું ‘પોએટીકસ’, અને ભારતમાં ભારતમુનિનું ‘નાટ્યશાસ્ત્ર’ આ સંદર્ભે સૌથી પ્રભાવશાળી ગ્રંથો રહ્યા છે. સૌંદર્યશાસ્ત્ર વિશેની મોટા ભાગની થિયરીઝના મૂળમાં આ બે ગ્રંથો છે. ભારતીય સંદર્ભમાં જોઈએ તો, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે, રસાનુભૂતિને કોઈ પણ કળાકૃતિનો ઉદ્દેશ ગણવામાં આવે છે. ભરતમુનિએ જણાવેલ આઠ રસોમાંથી (હાસ્ય, કરુણ, શ્રુંગાર, વીર, બિભત્સ, રૌદ્ર, અદ્ભુત, ભયાનક) એક યા એકથી વધારે રસોનું ભાવન કોઈ કલાકૃતિ થકી થાય, એના થકી ભાવકને સૌંદર્યની અને આનંદની અનુભૂતિ થાય, તો એ કૃતિનો ઉદ્દેશ પમાયો છે એમ ગણાય.

શરણકુમાર લિમ્બાલે આ શાસ્ત્રના આધારરૂપ પૂર્વવિધાન સામે, બેઝીક પ્રેમાઈસ સામે સવાલ ઉઠાવે છે. સૌંદર્યની વાતો કોણ કરે? શાસ્ત્ર લખવાની અને તેના વિશે વિચારવાની મંજૂરી, તેમ જ સગવડ કોની પાસે હોય? શાસ્ત્રો લખવા અને કળાકૃતિના ધોરણો ઊભા કરવા એ સદીઓથી સવર્ણ લેખકો-વિચારકોની ઈજારાશાહી રહી છે. વળી, સવર્ણ લેખકો દ્વારા લખાયેલ શાસ્ત્રોને એ રીતે રજૂ કરવામાં આવે છે જાણે એ શાસ્ત્રની વાતો શાશ્વત (eternal) અને સાર્વત્રિક (universal) હોય. શરણકુમાર લિમ્બાલે પુસ્તકમાં આ પ્રકારની પેટર્ન સામે સવાલ ઉઠાવે છે. 

તેમના મતે કળાના ધોરણો શાશ્વત કે સાર્વત્રિક નહિ, બલકે સામાજિક/આર્થિક સત્તાના જોરે ઘડાયેલા હોય છે. એ ધોરણો સત્તામાં રહેલા લોકોને ફાયદો થાય એ રીતે જ ઘડવામાં આવ્યા હોય છે. આ કારણે લિમ્બાલે દલિત લેખકો દ્વારા લખાયેલા સાહિત્યને વિવેચનમાં જે અન્યાય થાય છે એ વિશે ઝુંબેશ ઉઠાવે છે. તેમના મતે દલિત લેખકો દ્વારા લખાયેલ સાહિત્યને સવર્ણ લેખકો દ્વારા રચાયેલ શાસ્ત્રની નજરે જોવું એ ભૂલભરેલું પગલું છે. આમ કરવાથી હંમેશાં દલિત સાહિત્ય ટૂંકુ પડતું જ લાગશે. કારણ કે આનંદ કે સૌંદર્યની અનુભૂતિ કરાવવી એ દલિત સાહિત્યનો ઉદ્દેશ જ નથી. દલિત સાહિત્યને માપવા માટે અલગ ફૂટપટ્ટી જોઈએ, દલિત સાહિત્યનું એક અલગ શાસ્ત્ર જોઈએ. 

આ શાસ્ત્ર કેવું હોય? કળાકૃતિને માપવાના એના મુખ્ય ધોરણો કેવા હોય? લિમ્બાલે પુસ્તકમાં આ મુદ્દા પર પ્રકાશ પાડે છે. લિમ્બાલેના મત મુજબ દલિત સાહિત્યકારો આંબેડકરની વિચારસરણીને અનુસરે છે. એટલે એ સાહિત્યમાં મુખ્ય ઘટકો સૌંદર્ય અને આનંદ નહિ, સમાનતા, આઝાદી અને સામાજિક ચેતના છે. આ સાહિત્ય ઘોર પીડા અને અન્યાયના અનુભવમાંથી ઉદ્ભવે છે. સૌંદર્યની અનુભૂતિનો સવાલ જ નથી. આ સાહિત્ય થકી અસામનતામાં ખચિત સમાજનો કદરૂપો, બિહામણો ચહેરો તાદૃશ થાય એ મુખ્ય ઉદ્દેશ છે.

દલિત સાહિત્ય લેખકોની કલ્પનાથી નહિ, પણ નક્કર વાસ્તવિક અનુભવથી સર્જાય છે. એ અનુભવની વાત વાચક સુધી પહોંચે એ જ ઉદ્દેશ છે. રૂપની સાધના કરતા વિવેચકોએ આ સાહિત્ય પાસે પહોંચવું હશે તો પોતાના આગ્રહો છોડવા પડશે. ટેકનીક, સ્વરૂપ કે ભાષાસૌંદર્યના ઘટકો નહિ, પણ સામાજિક અસમાનતા વિશે કોઈ દલિત સાહિત્યની કળાકૃતિ વાચકને કેટલી જાગૃત કરે છે, એને માનવતાવાદી અભિગમ કેળવવા તરફ વિચારતી કરે છે કે કેમ, એ કળાકૃતિને મૂલવવાના મુખ્ય ઘટકો હોવા જોઈએ.

કળાકૃતિમાં ભાષાસૌંદર્યની અપેક્ષા રાખતા વિવેચકો સામે પણ લિમ્બાલે સવાલ ઉઠાવે છે. દલિત સાહિત્ય એ વિદ્રોહનું સાહિત્ય છે. એની ભાષા પણ વિદ્રોહની ભાષા હોવાની. જુગુપ્સા પ્રેરે એવી ઘટનાઓ, ગાળો કે જાતીયતાનું સાવ અનાવૃત નિરૂપણ દલિત સાહિત્યમાં આવે તો એને લીધે એ કૃતિઓને ડિસમીસ કરી દેવી એ વિવેચકોની તાસીર છે. પણ લિમ્બાલે કહે છે કે આ પ્રકારની ઘટનાઓ કે ભાષા એ ઘણા દલિત લેખકોના અનુભવનું ભાથું છે. જો એ બધું વિવેચકોને અસ્વસ્થ કરે છે તો એનું કારણ જાતિગત સામાજિક અસમાનતા છે. સમાજ ગંદો છે. દલિત લેખક તો એ સમાજને સચ્ચાઈથી, પોતાના અનુભવના ભાથામાંથી વ્યક્ત કરવાનું નિમિત્ત માત્ર છે. લિમ્બાલેના મત મુજબ દલિત સાહિત્ય વાંચીને તમને સૌંદર્ય કે આનંદનો અનુભવ જો ન થાય, પણ ગુસ્સો આવે, ઉબકા આવે, ઊંઘ ઉડી જાય, દીવાલને મુક્કા મારવાનું મન થાય તો એ દલિત સાહિત્યની નબળાઈ નહિ, પણ તાકાત છે.

લિમ્બાલેની વાત અસરકારક એટલા માટે છે કે પુસ્તકની દલીલો ખૂબ જ તર્કપૂર્ણ છે. પોતાની દલીલોને ટેકો આપવા લિમ્બાલે અશ્વેતોના વિદ્રોહના સાહિત્યની—બ્લેક લીટરેચર—ની પણ વાત કરે છે. આંબેડકરવાદી અને માર્ક્સવાદી સાહિત્યની પણ વાત કરે છે, આંબેડકર અને માર્કસની વૈચારિક સમાનતા અને બંને વિચારસરણીઓ ક્યા અલગ પડે છે એની પણ વાત કરે છે. મજબૂત સંદર્ભો સહિત, તર્કપૂર્ણ દલીલો થકી લિમ્બાલે કળાના સાર્વત્રિક અને શાશ્વત ધોરણોની હેઠળ રહેલા બોદાપણાને ઉજાગર કરે છે.

આ જ વાત ઈટલીના મહાન વિવેચક અને લેખક ઉમ્બર્તો એકો, અલબત્ત થોડી અલગ રીતે, પોતાના સંપાદિત પુસ્તક ‘ઓન બ્યૂટી’માં કરે છે. પુસ્તકમાં તેઓ પશ્ચિમમાં સૌંદર્યશાસ્ત્રનો ઇતિહાસ કેવી રીતે વિકસ્યો એની વાત કરે છે. એકો જણાવે છે કે સૌંદર્યના ધોરણો કદી ય સાર્વત્રિક અને શાશ્વત હતા જ નહિ, પણ અલગ અલગ સમયે એ બદલાતા રહ્યા છે. સત્તામાં રહેલા તત્ત્વોએ હંમેશાં સૌંદર્યના શાસ્ત્રોને પોતાની વિચારસરણી મુજબ બદલ્યા છે. સત્તા બદલાય, એમ સારી કળા કેવી હોય એના ધોરણો ય બદલાય. એક ફૂટપટ્ટીથી બધું જ ન મપાય.

આપણે કોઈ કળાકૃતિને માણીએ ત્યારે ઘણીવાર એને જજ કરવામાં, એનું વિવેચન કરી નાખવા ઉતાવળા થઈ જતા હોઈએ છીએ. કોઈ કૃતિ સારી છે કે ખરાબ, એ સવાલ પૂછવાની જગ્યાએ, કેવા સૌંદર્યશાસ્ત્રને આ કળાકૃતિ અનુસરે છે, અથવા તો, આ કળાકૃતિને માપવા/માણવા માટે મારે કઈ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ, એ સવાલ વધારે મહત્ત્વનો છે.

હું માનું છું કે આ બદલાયેલો સવાલ એ કૃતિની નજીક પહોંચવામાં, એને માણવામાં વધારે મદદ કરી શકે છે.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મતદારો વધ્યા, છતાં મતદાન ઘટ્યું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 December 2022

આજે 93 બેઠકો માટેની 14 જિલ્લાઓમાં 833 ઉમેદવારોની ગુજરાતના બીજા તબક્કાની ચૂંટણી છે. સવારે દસ સુધીમાં બધાં જ મતદાન કરી આવે એવી તાકીદ પણ કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવી છે. તાકીદ કરવાનું કારણ એ પણ ખરું કે પહેલા તબક્કામાં અગાઉની ચૂંટણીઓ કરતાં મતદાનની ટકાવારી ઘટી છે. તાપીનું 72 ટકાથી વધુ મતદાન બાદ કરતાં લગભગ તમામ સ્તરે મતદાનની ટકાવારી ઘટી છે. આ થવું  જોઈતું ન હતું, પણ થયું છે. તમામ પક્ષના ટોચના નેતાઓએ સભાઓ યોજી, રોડ શો કર્યા, પણ તેની અસર મતદાનમાં જોવા મળી નહીં. તમામ પક્ષોના રોડ શોમાં, તેની સભાઓમાં લોકોએ ભીડ નથી કરી એવું નથી, પણ સભામાં ભીડ કરનારાઓ મતદાનમાં ભીડ કરી શક્યા નથી તે વાતે પક્ષના નેતાઓ ચિંતામાં છે. એ જ કારણ છે કે બીજા તબક્કામાં સવારથી જ લોકો મતદાન કરે એવી અપેક્ષા રાજકીય નેતાઓ રાખી રહ્યા છે. ઈચ્છીએ કે પ્રથમ તબક્કાનો અનુભવ, બીજા તબક્કાનો ન હોય ને મતદાનની ટકાવારી વધે.

મતદાનની ઘટતી ટકાવારી ઘણાં રાજકીય સમીકરણો બદલી શકે એવું અગાઉના અનુભવો કહે છે. ગુજરાતની ચૂંટણીનાં પરિણામોએ અગાઉ કેન્દ્ર પર પણ અસરો પાડી છે. એટલે પણ રાજ્યની ચૂંટણીનું મહત્ત્વ છે. એમ લાગે છે કે ગુજરાતની ચૂંટણીઓ એક જ તબક્કામાં યોજાય એવું આયોજન થવું જોઈએ. જો ચૂંટણીનાં પરિણામો છૂટક જાહેર ન થતાં હોય તો એક જ રાજ્યની ચૂંટણી પણ છૂટક શું કામ યોજાવી જોઈએ? એક સાથે ચૂંટણી યોજાય તો જુદા જુદા તબક્કાની ચૂંટણીઓ ને તેની અસરોથી રાજ્ય બચી શકે. આ એટલા માટે કે પહેલા તબક્કાની ચૂંટણીની અસરો બીજા તબક્કા પર ન ખેંચાય. પહેલાં તબક્કામાં મતદારો ઉદાસીન રહ્યા એ જોઈને બીજા તબક્કાના મતદારો પણ ઘરની બહાર ન નીકળે એમ બને. આમ તો નેતાઓએ મતદાતાઓને મતદાન કરવાનો આગ્રહ કર્યો જ છે, છતાં મતદારોને મથક સુધી ખેંચાવાની આળસ ચડે એમ બને. એનાં કરતાં એક સાથે જ રાજ્યની ચૂંટણી થાય તો તેની અસર પણ એકસરખી પડે. આ અંગે સંબંધીતોએ વિચારીને નિર્ણય લેવો જોઈએ.

આમ તો ગુજરાતના મતદારોની સંખ્યા 20 ટકા વધી છે, તો મતદાન પણ વધવું જોઈએ, તેને બદલે સમીકરણો બદલાઈ જાય એ હદે પહેલાં તબક્કામાં મતદાન ઘટ્યું છે. આમ કેમ બન્યું તેનાં કારણો પણ છે. મતદારો 20 ટકા વધ્યા, પણ પોલિંગ બૂથ 10 ટકા પણ માંડ વધ્યાં. એ ખરું કે મતદાન ઓછું થયું હોય ત્યાં, બૂથ વધે તો પણ, બહુ ફેર ન પડે, પણ કેટલાંક બૂથ પર મતદાનની પ્રક્રિયા ઇ.વી.એમ. ન ચાલ્યાં એટલે મોડી શરૂ થઈ, એને કારણે લાઈનો લાગી, એમાં સિનિયર્સ લાંબો સમય ઊભાં રહે એ શક્ય ન હતું, એટલે ઘણાં મત આપ્યાં વગર જ પાછાં ફર્યાં. ક્યાંક પ્રક્રિયા ધીમી રહી એટલે પાંચ પછી પણ લાઈનો રહી. એ મતદાતાઓને ટોકન આપવા પડ્યા. અહીં પણ રાહ ન જોઈ શકે એવા મતદારો મત આપ્યા વગર પરત થયા હોય એમ બને. સિનિયર્સની ને સ્ત્રીઓની અલગ લાઇન હોય એ અંગે પણ આગામી ચૂંટણીઓમાં વિચારી શકાય. જે લાઇનમાં રહ્યા તેમને પણ, ક્યાંક તો મત આપતા સાડા સાત વાગ્યા.

એક તરફ આ સ્થિતિ હતી, બીજી તરફ ગુજરાતના 40 ટકા જેટલા મતદારોને મતદાનમાં, લોકશાહીમાં અને એની સરકારમાં ભરોસો રહ્યો ન હતો એટલે એ મત આપવાથી દૂર રહ્યા. આ ગંભીર ચિંતાનો વિષય છે. ગુજરાતમાં 27 વર્ષથી ભા.જ.પ.ની સરકાર છે. ભા.જ.પ.ને તો હોય કે તેની જ સરકાર બનશે, પણ લોકોને પણ એવું હશે કે આ વખતે પણ વાતાવરણ ભા.જ.પ. તરફી જ છે, તો એની જ સરકાર બનશે. આનું પરિણામ એ આવ્યું હોય કે ભા.જ.પ.ના કાર્યકર્તાઓ પોતે મત આપવામાં આળસ કરી ગયા હોય ને એમણે જ મતદારો, મતદાન મથક સુધી પહોંચે એની બહુ ચિંતા ન કરી હોય. એની સામે આપ કે કાઁગ્રેસે તો સત્તામાં આવવું જ છે એટલે એને કોઈ આળસ પરવડે નહીં ને એમણે તો મતદાન પોતાની તરફે થાય એ અંગેની બધી જ કોશિશો કરી હોય. આ કોશિશોની અસર પરિણામો પર પડે એમ બને.

એ તરફ ભલે બહુ ધ્યાન ન અપાયું હોય તો પણ, બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો મધ્યમવર્ગીય મતદારો ભૂલ્યા નથી. પેટ્રોલના ભાવ દુનિયામાં ઘટયા હોય ને ભારતમાં વધ્યા હોય એ લોકોને ન દેખાય એવું તો કેમ બને? ગેસ સિલિન્ડર સાથે મતદાનના પ્રયત્નો થયા એ એટલું તો સૂચવે જ છે કે સિલિન્ડરનો ભાવ વધારો ભુલાયો નથી. સિનિયર્સને રેલવેમાં અપાતી સવલતો કપાઈ એ પણ ઘણાંને યાદ રહ્યું જ છે. મોંઘવારી વધે અને 2014થી ઇન્કમટેક્સનો સ્લેબ બદલાય જ નહીં એ કેવું? કોરોનામાં ઓનલાઈન વર્ગો ચાલ્યા, વર્ગ શિક્ષણ બંધ હતું, પણ ફી ઘટી નહીં. એ અંગે શિક્ષણ જગત અને સરકારની ઉદાસીનતાનો પડઘો મતદાનમાં પડ્યો હોય એમ બને. મોંઘવારીએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, એ ઉપરાંત ઇલેક્શનમાં મહિલા ઉમેદવારોની સંખ્યા પણ ઘટી. એને લીધે પણ ક્યાંક મહિલા મતદાતાઓ મતદાન મથકથી દૂર રહી હોય એમ બને. પરિણામ ગમે તે આવે, પણ બે બાબત નોંધવા જેવી છે. એક તો એ કે લોકો ભક્ત હોય તો પણ મૂરખ નથી ને બે, મતદાતા પોતાનું મન કળાવા દે એટલો ભોળો નથી. તે બધી સભામાં જાય છે, બધે ભીડ કરે છે, પણ મત આપવો કે ન આપવો કે આપવો તો કોને આપવો તે એ પોતે નક્કી કરે છે. ખરેખર તો પરિણામો આવે ત્યારે પાકી ખબર પડે, પણ આ વખતે નોટામાં પડેલા મતોની સંખ્યા પણ નાની હોવા વિષે શંકા છે.

એક વાત સ્પષ્ટ છે કે કાઁગ્રેસનાં શાસનની ટેવ ગુજરાતને છૂટી ગઈ છે. એ ફરી સત્તામાં આવવા બધું જ કરી છૂટે એમ બને, છતાં એનો આ વખતે ઉત્સાહ ઓછો જ જણાયો છે. એનો લાભ ભા.જ.પ.ને મળી શકે. આમ આદમી પાર્ટીનો તો ગુજરાતમાં વિધાનસભામાં પ્રવેશ જ નથી થયો, છતાં જે એણે કરવું જોઈએ તે બધું જ તેણે પણ કર્યું, છતાં એ પાર્ટી સીધી સત્તામાં આવે તો એ ચમત્કાર જ હશે, પણ જે પાર્ટી 27 વર્ષથી સત્તામાં છે, તે ભા.જ.પે. આ વખતે ક્યાંક કાચું કાપ્યું હોવાનું લાગે છે. પ્રજા એને ગુડ વિલ પર સત્તા સોંપે એ જુદી વાત છે, પણ ભારતીય જનતા પાર્ટીએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર વર્તાય છે. એ ખરું કે વ્યક્તિ કરતાં પક્ષ મોટો નથી, પણ ભા.જ.પ.માં વ્યક્તિઓનું કદ પક્ષ કરતાં વધુ હોય એવું ઘણા વખતથી લાગે છે. પક્ષમાં મોવડીઓ તો હોય, પણ મોવડીઓ મનસ્વી થઈ ઊઠે તો એમને કટ ટુ સાઇઝ કરવા જ જોઈએ. એવું પ્રમાણમાં ઓછું થાય છે. આ વખતે ભા.જ.પ.ના કેટલાક નિર્ણયો પુનર્વિચારને પાત્ર હતા, પણ ‘હરિ કરે તે ખરું’, એમ બધું વડા પ્રધાન આધારિત જ રહ્યું. કોઈને પોતાનો મત કે વિચાર જાણે હતો જ નહીં. હતો તેને સમજવાની વૃત્તિ કે તૈયારી મોવડીઓની ન હતી.

વડા પ્રધાન સર્વેસર્વા છે, તેની ના નથી, પણ પક્ષમાં તે જ હોય ને કેન્દ્રમાં કે રાજ્યમાં પક્ષના અન્ય કોઈ નેતાનો અવાજ જ ન હોય એ લોકશાહીના હિતમાં નથી. વડા પ્રધાને અન્ય નેતાઓનું કોઈ અસ્તિત્વ જ ન હોય, એમ એમને શોભાનાં ગાંઠિયાની જેમ જ રાખ્યા એ ઠીક ન થયું. નાનામાં નાના નેતાથી માંડીને મોટામાં મોટો નેતા પણ મોદી મોદીની માળા જપવાનું ભૂલે નહીં ને એમાં સ્વયંભૂ ઓછું ને પ્રેરિત વધારે હોય તો તે પુનર્વિચારને પાત્ર છે. મોટે ભાગના મોવડીઓને પણ ‘ન બોલ્યામાં નવ ગુણ’ને અનુસરવાની ફરજ પડાતી હોય તે ક્ષમ્ય નથી. પક્ષના કાર્યકરોની ગતિવિધિ પણ દિલ્હીથી નક્કી થતી હોય તો ગુજરાતનો સ્વતંત્ર રાજ્ય તરીકે કોઈ અવાજ કે દરજ્જો છે કે કેમ એ પ્રશ્ન છે. એ દુ:ખદ છે કે કોઈ અવાજ ન ઊઠે એની કાળજી રખાય છે ને વધુ દુ:ખદ એ છે કે અવાજ સંભળાય જ નહીં એવા સેન્સિટિવ કાન રખાય છે. ગુજરાતની ચૂંટણી હોય ને ગુજરાતનો જ અવાજ ન સંભળાય એ કેવું? ગુજરાતમાં વડા પ્રધાન બોલ્યા છે એટલું મુખ્ય મંત્રી બોલ્યા નથી એ સૂચક છે. એ મિતભાષી છે, પણ મૂકભાષી નથી, ત્યારે પ્રશ્ન થાય કે એ બોલતા નથી કે એમને બોલવા દેવાતા નથી? એ નહીં બોલે એટલે તો પદ પર નથીને? આમ તો કોને બોલવા દેવાય છે એ પણ પ્રશ્ન જ છે. આ સ્થિતિ લોકશાહીની સૂચક નથી. આટલી ભૂમિકા એટલે આપવી પડી, કારણ એને મતદાન ઓછું થયું તેની સાથે સંબંધ છે.

ગયા સપ્ટેમ્બરમાં ગુજરાતની આખી સરકાર બદલી કઢાઈ. આખી સરકાર બદલવી પડે એવી કશી અનિવાર્યતા વગર દિલ્હીને લાગ્યું કે બદલવી છે ને બદલી કઢાઈ. દેશમાં ને રાજ્યમાં બધું એકદમ અને સામટું થવાના (નોટબંધી, લોકડાઉન જેવા) દાખલા હાથવગા છે. ગયે વર્ષે થયેલી આખેઆખી સરકારની બદલી તે વખતના મંત્રીઓને સહ્ય હોય જ એમ ન પણ બને. એ પછી આ વખતે ટિકિટ આપવામાં ‘નો રિપીટ’નો પ્રયોગ થયો. (આ ‘નો રિપીટ’નો અર્થ આ સરકાર પણ રિપીટ ન કરવી એવો તો નથીને?) 75ની ઉપરનાંને ટિકિટ નહીં. (એમાં પણ બાંધછોડ કરવી જ પડી.). વળી અગાઉ ઉતારી મુકાયેલા મંત્રીઓ પાસે લખાવી લેવાયું કે તેમને ચૂંટણી લડવામાં રસ નથી. કોઈએ પૂછ્યું ન હતું કે ચૂંટણી લડવામાં રસ છે કે નહીં? ને સામેથી જ લખી અપાયું કે રસ નથી, એ શું સૂચવે છે? એ પણ ત્યારે જ્યારે આમાંના જ કેટલાંક જાહેર કરી ચૂક્યા હતા કે તેઓ ટિકિટ માંગશે. આ બધું સિનિયર મંત્રીઓને ગમ્યું હોય એમ માનવાને કારણ નથી. માની લઇએ કે વડા પ્રધાનની શરમે મંત્રીઓ ચૂપ રહ્યા હોય, પણ એ મંત્રીઓના સમર્થકો ને ચાહકોનો મોટો વર્ગ છે. તે એટલે કે એ બધા ચૂંટણી જીતીને મંત્રી થયા હતા. એમના એ સમર્થકો અને ચાહકો, પોતાના નેતાઓને આમ સરેઆમ ડિસ્કાર્ડ કરી દેવાય ને ચુમાઈને બેસી રહે એવું તો કેમ બને? બને કે આ મંત્રીઓએ ને એમના ચાહકોએ ચૂંટણીમાં આ કારણોસર રસ ઓછો લીધો હોય ને એ બધાં મતદાતાઓને મતદાન મથક સુધી લાવવામાં નિષ્ફળ રહ્યાં હોય. મતદાન ઓછું થયું એમાં ભા.જ.પ.ના ચાહકોએ જ મત આપવામાં ઢીલાશ રાખી હોય એવું ખરું કે કેમ?

આમ જ બન્યું હોય એવું નહીં, પણ આમ ન જ બન્યું હોય એવું પણ નહીં …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ડિસેમ્બર 2022

Loading

...102030...1,1751,1761,1771,178...1,1901,2001,210...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved