Opinion Magazine
Number of visits: 9667540
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મિલ મઝદૂર : સિનેમાનો “પ્રેમ” અને સાહિત્યનો “ચંદ”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 May 2023

રાજ ગોસ્વામી

ધનપત રાય શ્રીવાસ્તવની કઠણાઈ 8 વર્ષની ઉંમરે જ શરૂ થઇ ગઈ હતી. તેણે હજુ ભણવાનું જ શરૂ કર્યું હતું ત્યાં તેની માતા આનંદી દેવી બીમારીમાં અવસાન પામી. તેના પિતા અજબ અલીએ બીજાં લગ્ન કર્યા અને ધનપતને દાદીના સહારે મુક્યો. થોડા વખત પછી દાદી પણ પરધામ સિધાવી ગઈ. ધનપત બાળપણમાં જ માતા-પિતાના પ્રેમથી વંચિત થઇ ગયો. એ 15 વર્ષનો થયો અને તેનાં લગ્ન કરાવી દેવામાં આવ્યાં. તેને ભણવું હતું, પણ ત્યાં જ પિતાનું અવસાન થઇ ગયું. ધનપત પર સાવકા પરિવારની જવાબદારી આવી પડી. સાવકી માનો ત્રાસ સહન કરવો પડતો હતો તે અલગ જ દુઃખ હતું. તેણે ભણવાનું છોડી દીધું. મહિનાના પાંચ રૂપિયાના પગારે તેને એક ટ્યુશન મળ્યું. ત્રણ વર્ષ પછી, એક સરકારી સ્કૂલમાં મદદનીશ શિક્ષકની નોકરી મળી. 

શિક્ષકની નોકરીમાં પ્રગતિ થતી રહી, પણ ઘરમાં અણગમતી પત્ની અને સાવકી માતા સાથે ઝઘડામાં પણ “વિકાસ” થતો રહ્યો. એકવાર પત્નીએ ગળે ફાંસો લગાવ્યો પણ બચી ગઈ. ધનપતે તેને એટલો ઠપકો આપ્યો કે તે પિતાના ઘરે જતી રહી. ધનપતે તેને ફરી કયારે ય ન બોલાવી. એ પછી ધનપતે એક બાળ વિધવા સાથે લગ્ન કરી લીધાં. ધનપતે જિંદગીની ગાડીને ફરી પાટે ચઢાવા કોશિશ કરી. મામૂલી પગારે નોકરીમાં ટકી રહીને એણે કોલેજનું ભણતર પૂરું કર્યું. સાથે વાર્તાઓ લખવાનો શોખ પોષ્યો. તે પછી સ્કૂલોના ડેપ્યુટી ઇન્સ્પેકટરની નોકરી મળી, પણ ત્યાં સરકારી નોકરીઓના બહિષ્કારનું ગાંધીજીનું આહ્વાન આવી પડ્યું. ધનપત આમે ય નોકરીઓમાં થાક્યો હતો. પત્નીએ સંમતિ આપી એટલે છોડી દીધી.

ધનપતે હવે લખીને જ જીવવાનું નક્કી કર્યું, અને બનારસમાં પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કર્યો. લખીને કમાણી આજે ય થતી નથી, તો 40ના દાયકામાં ક્યાંથી થાય! લખીને ચાર પૈસા કમાવાની ફિરાકમાં ધનપત મુંબઈ આવ્યો. સાંભળ્યું હતું કે મુંબઈમાં ફિલ્મવાળાઓ લખવાના સારા એવા પૈસા આપે છે. વાત તો સાચી હતી. અજંતા સિનેટોન નામની એક ફિલ્મ કંપનીએ મહિને 8,000 રુપિયાના પગારે સ્ક્રીપ્ટ લખવાની નોકરી આપી. બનારસ પાસેના લખમી ગામમાં દારુણ ગરીબીમાં પેદા થયેલા અને મામૂલી નોકરી માટે થઈને કાનપુર, ગોરખપુર અને બનારસ ફરતા રહેલા ધનપત માટે 8 હજાર રૂપિયા શાહી રકમ હતી. ધનપતને સિનેમામાં કોઈ રસ નહોતો, પણ પૈસા એટલા મળતા હતા કે ના પાડી શકાય તેમ નહોતી. તેણે એક વર્ષના કરાર પર અજંતામાં નોકરી લીધી.

હૈદરાબાદ(પાકિસ્તાન)ના એક સિંધી સાહસિક મોહન દયારામ ભવનાનીએ 1933માં અજંતા સિનેટોનની સ્થાપના કરી હતી. આ મોહન 1924માં માન્ચેસ્ટર (ઇંગ્લેન્ડ) જઈને ફોટોગ્રાફીની ટેકનોલોજીનું ભણ્યો હતો અને પછી જર્મનીમાં ફિલ્મ નિર્માણ શીખી આવ્યો હતો. ત્યાંથી પાછા આવીને મોહને દ્વારકાદાસ સંપતના કોહિનૂર સ્ટુડીઓ માટે વીર બાલા” નામની ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. એ ફિલ્મ મારફતે તેણે હિન્દી સિનેમાની પહેલી ‘સેક્સ સિમ્બલ’ સુલોચનાની ભેટ આપી, જેનું અસલી નામ રૂબી માયર્સ હતું, જે યહૂદી એક્ટ્રેસ હતી. અજંતા સિનેટોનના બેનર હેઠળ મોહને ધનપતની ભેટ આપી.

31 મે 1934ના રોજ ધનપત રાય શ્રીવાસ્તવ મુંબઈ આવ્યો અને દાદર વિસ્તારમાં ઘર ભાડે લીધું. ફિલ્મ સ્ક્રીપ રાઈટરની નવી નોકરીમાં તેણે જે પહેલી ફિલ્મ લખી, તેનું નામ હતું “મિલ મઝદૂર.” ફિલ્મનું નિર્દેશન મોહન ભવનાનીએ કર્યું હતું. તેમાં મિલ માલિકની દીકરી પદ્માની ભૂમિકા 30ના દાયકાની સ્ટાર મિસ બિબો નામની એક્ટ્રેસે કરી હતી, જ્યારે તેના ભાઈ વિનોદની ભૂમિકા એસ.બી. નયમપલ્લીએ કરી હતી. મિલ માલિક ભાઈ-બહેનની સામે શિક્ષિત બેરોજગાર કૈલાશની ભૂમિકામાં હેન્ડસમ હિરો પી. જયરાજ હતો.

હિન્દી સિનેમાના ઇતિહાસમાં “મિલ મઝદૂર”નું નોંધપાત્ર સ્થાન છે. આ ફિલ્મ બની ત્યારે ભારતમાં ઉધોગના નામ પર કપડાંની મિલો ધમધમતી હતી. ગરીબ અને તવંગરની વ્યાખ્યા ત્યારે મિલ માલિક અને મિલ મઝદૂર તરીકે થતી હતી. શહેરીકરણની એ શરૂઆત હતી, કારણ કે બ્રિટિશરો તેને રહેવા લાયક બનાવ્યાં હતાં. ભારત એક ગરીબ દેશ હતો અને ગામડાંના લોકો સુખ-સુવિધાની શોધમાં શહેરો તરફ વળી રહ્યા હતા.

ગરીબી અને નિરક્ષરતા એટલી હતી કે મિલ માલિકો તેમનું શોષણ કરવામાં પાછા પડતા નહોતા. માલિકો અને મઝદૂરોના સંઘર્ષના એ દિવસો હતા. મુંબઈની મિલોની આ વાસ્તવિકતાનો આધાર લઈને “મિલ મઝદૂર” ફિલ્મને બનાવામાં આવી હતી. 1934માં આવી ફિલ્મ બનવી એ જ એક ઘટના છે, કારણ કે એ પહેલાં આવી ફિલ્મ બની નહોતી. આજની ભાષામાં, “મિલ મઝદૂર”ને અર્બન નક્સલોની પહેલી ફિલ્મ કહી શકાય.

ફિલ્મનો વિષય મોહન ભવનાનીએ પસંદ કર્યો હતો, અને ધનપત રાયે તેની રસપ્રદ વાર્તા બનાવી હતી.

ધ હંસરાજ મિલના માલિક શેઠ હંસરાજ, મિલની માલિકી તેમના દીકરા અને દીકરીને આપીને મૃત્યુ પામે છે. દીકરો વિનોદ શરાબી અને ઐયાશ છે, જ્યારે દીકરી પદ્મા ઉદાર અને સેવાભાવી છે. મિલના કામદારો વિનોદની જોહુકમીથી પરેશાન થઇ જાય છે. એક દિવસ પદ્માની ગાડી મિલમાં બહાર નીકળી હોય છે, ત્યાં દરવાજા પાસે એક યુવાન બેહોશ મળે છે. તે કૈલાશ છે અને નોકરી માટે ભટકી રહ્યો છે.

પદ્મા તેની સારવાર કરે છે અને મિલમાં નોકરી આપે છે. કૈલાશ મિલના હિંસક કામદારોની આગેવાની લે છે અને તેમને અહિંસક રહેવા મનાવે છે. કૈલાશના એ ગુણથી પદ્મા તેના તરફ આકર્ષાય છે. એક દિવસ કામદારો વિનોદના કારભારથી ત્રાસીને હડતાળ કરે છે. એમાં પદ્મા અંગત રીતે કામદારોને આર્થિક મદદ કરે છે. એમાં એક દિવસ પ્રશ્નો લઈને મળવા આવેલા કામદારો પર વિનોદ ગોળીબાર કરે છે. એમાં કૈલાશ પણ ઘાયલ થાય છે.

પોલીસ વિનોદની ધરપકડ કરે છે. તેને પાંચ વર્ષની જેલની સજા થાય છે. હવે મિલનું સંચાલન પદ્મા પાસે આવે છે. વિનોદની ઐયાશી અને હડતાળના કારણે મિલની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં કૈલાશની આગેવાનીમાં કામદારો ઓછા પગારે કામ કરવા તૈયાર થાય છે. થોડા દિવસ પછી મિલને એક મોટું ટેન્ડર મળે છે અને તે સ્થિતિ સુધારે છે. અંતે કૈલાશ અને પદ્માનાં લગ્ન થાય છે અને કામદારો બંનેને હર્ષથી વધાવી લે છે.

આજે આપણને આ ફિલ્મમાં કશું વાંધાજનક ના લાગે, પરંતુ 1935માં તે સેન્સર બોર્ડની મંજૂરી માટે ગઈ, તો બોર્ડના સભ્યોને ‘આઘાત’ લાગ્યો. મિલ માલિકો વિરોધી આવી ફિલ્મને કેવી રીતે મંજૂરી અપાય? આ તો કામદારો અને વહીવટીતંત્ર વચ્ચે દુ:શ્મની ઊભી કરે તેવી ફિલ્મ છે! બોર્ડના એક પારસી સભ્ય બેરામજી જીજીભોય મુંબઈના મિલ માલિકોના સંગઠનના અધ્યક્ષ હતા અને તેમને આ ફિલ્મ મિલ વિરોધી લાગી હતી.

ફિલ્મ પર મુંબઈમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. તેને લાહોર, દિલ્હી અને લખનૌમાં પ્રદર્શિત કરવા દેવાઈ પણ થોડા જ દિવસમાં તેણે કામદારોમાં એવો ઉશ્કેરાટ ઊભો કર્યો કે તેને ત્યાં પણ પ્રતિબંધિત કરી દેવામાં આવી. વિડંબના કેવી કે ફિલ્મ જોઇને સ્ક્રીન રાઈટર ધનપત રાયના બનારસ પ્રિન્ટીંગ પ્રેસના કામદારોએ પણ બાકી પગાર માટે હડતાળ કરી દીધી! ધનપતના મુંબઈનું સ્વપ્ન ચકનાચૂર થઇ ગયું. એક તો ફિલ્મ રિલીઝ ના થઇ, ઉપરથી પ્રિન્ટીંગ પ્રેસ બંધ થઇ ગયો. તેણે એક મિત્રને કાગળમાં લખ્યું હતું, “સિનેમાનો ધંધો દારુના ધંધા જેવો છે. લોકોને ખબર જ નથી કે સારું શું કહેવાય અને ખરાબ શું કહેવાય. મેં બહુ વિચાર કરીને આ દુનિયા છોડી દેવાનું નક્કી કર્યું છે.”

1935માં તેમણે મુંબઈ છોડીને પાછી બનારસની વાટ પકડી. કદાચ એ સારું જ થયું. તેમના જવાથી હિન્દી સિનેમાનું જે નુકસાન થયું, તેમાં ભારતીય સાહિત્યનો ફાયદો થયો. “મિલ મઝદૂર” ફિલ્મની પ્રિન્ટ તો હવે મળતી નથી, પણ તેના નિષ્ફળ સ્ક્રીન રાઈટર ધનપત રાય શ્રીવાસ્તવને આજે આપણે મુંશી પ્રેમચંદ તરીકે ઓળખીએ છીએ.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 31 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અને તું? 

ઉમેશ સોલંકી|Poetry|31 May 2023

“બોલ, કહીશ શું

પ્રેમને તું?”

“બીજું શું,

વરસાદનું પહેલું ટીપું;

અને તું?”

“ગટરનું ઢાંકણું.”

e.mail : umlomjs@gmail.com

Loading

સોશિયલ મીડિયા પર અભદ્રતા રોકવાની ફરજ પોલીસની નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|31 May 2023

દેશ-દુનિયામાં કોઈપણ મુદ્દા પર લોકોના અભિપ્રાયો એકત્ર કરવા માટે સોશિયલ મીડિયા એક મજબૂત મંચ છે. આ મંચનો ઉપયોગ સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારના માણસો કરે છે. ડિજિટલ ઈન્ફ્લુઅર્સ આપણા દૃષ્ટિકોણ પર વ્યાપક પ્રમાણમાં અસર કરે છે અને આપણી માનસિક્તા બદલી શકે છે. નકારાત્મક દૃષ્ટિકોણવાળા અને એજેન્ડાધારી લોકોમાં માનસિક પ્રદૂષણ ફેલાવે છે, અભદ્રતા ફેલાવે છે. સત્તાધારી પક્ષના IT Cell અને ગોદી મીડિયા આ પ્રદૂષણનું ઉદ્દભવ સ્થાન છે. દેશાના CJI-ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા માનનીય ચંદ્રચૂડ વિશે સોશિયલ મીડિયામાં હુમલા થયા છે : ”ઘરના દુ:શ્મન. વિદેશી એજન્ટ. લોકતંત્ર માટે જોખમી. વૈશ્વિક હિતોથી સંચાલિત. હિન્દુ વિરોધી.” જો દેશના ચીફ જસ્ટિસને આવી રીતે વગોવતા હોય તો કોઈ પણ જાગૃત નાગરિકને ટ્રોલ-સેના કઈ હદે માનસિક ત્રાસ આપતી હશે, તેનો અંદાજ લગાવી શકાય છે.

સવાલ એ છે કે સોશિયલ મીડિયા પર અભદ્રતા રોકવાનું કામ પોલીસનું નથી? પોલીસ ઈચ્છે તો આવી અભદ્રતા અટકી શકે છે. નમૂનારૂપ કેસ કરીને સખ્ત કાર્યવાહી કરી આ કામ થઈ શકે. પરંતુ પોલીસ ઈચ્છે તો ને? પોલીસ સત્તાપક્ષના નિયંત્રણ હેઠળ છે. દિલ્હી પોલીસ POCSO એક્ટના આરોપી બ્રિજભૂષણ સિંહને એક મહિનાથી એરેસ્ટ કરતી નથી; આશારામ જેવો જ આ કેસ છે છતાં વડા પ્રધાન બ્રિજભૂષણ સિંહને બચાવે છે ! ટ્રોલ-સેના ગંદી ગાળો / અભદ્ર ટીકાની નીચે ‘જય શ્રી રામ’/ ‘હિન્દુ રાષ્ટ્ર’ વગેરે લખે છે. તેમની ID ફેઈક હોય છે. શું સરકારનું ગુપ્તચર તંત્ર આ બાબત જાણતું નહીં હોય?

સંજય ઈઝાવા

અભદ્રતા શા માટે? ભિન્ન મત ધરાવનારનો નૈતિક જુસ્સો તોડી પાડવા અને તેને ચૂપ કરવા માટે. અભદ્રતા લોકતંત્ર માટે ઘાતક છે ! સામાન્ય રીતે ટ્રોલ સેનાની અભદ્રતા સામે કોઈ શીંગડા ભરાવતું નથી. ભૂંડ સાથે કુસ્તી ન કરાય; આપણાં કપડાં ખરડાય અને ભૂંડની ખંજવાળ ભાંગે ! એમ માની ટ્રોલિયાઓને બ્લોક કરવાનો આપણે રસ્તો લઈએ છીએ. પરંતુ કોઈએ તો અવાજ ઊઠાવવો પડે. આ કામ સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ હાથ ધર્યું છે.

સંજયે 28 મે 2023ના રોજ સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનમાં ફેસબૂક પોસ્ટ પર અભદ્ર કોમેન્ટ કરવા સબબ IPC કલમ-354A/ 354D/ 503/ 509/ 292/ 298/ 499 તથા IT એક્ટ કલમ- 66E/ 67/ 67A હેઠળ 22 ઈસમો સામે FIR નોંધી કાયદેસર કાર્યવાહી કરવા લેખિત અરજી કરી છે. સંજયે 22 મે 2023ના રોજ ફેસબૂક પર હિન્દી ફિલ્મ ‘કેરાલા સ્ટોરી’ પર આંકડાકીય વિશ્લેષણ સાથે એક પોસ્ટ મૂકી હતી. તેમાં કોઈ વ્યક્તિગત આક્ષેપ ન હતો. પોસ્ટમાં સંસદીય ભાષા હતી. પરંતુ 22 ઈસમોએ બિન સંસદીય, ઉશ્કેરણીજનક, અભદ્ર, વાચકોને શરમમાં મૂકે તેવી કોમેન્ટ્સ કરી હતી અને ગંદા ફોટો મૂકેલ હતા. સંજયની પોસ્ટ પર ટ્રોલ ઈસમોએ કાઁગ્રેસની ભયંકર માનહાનિ કરતાં ચિત્રો મૂકેલ છે. સુરતની કોર્ટ રાહુલ ગાંધીને બદનક્ષી સબબ 2 વરસની સજા કરી શકતી હોય તો, ગુજરાત કાઁગ્રેસે તેમનો આત્મા જાગતો હોય તો ટ્રોલ ઈસમો સામે બદનક્ષી સબબ કેસ કરવો જોઈએ.

સંજયે અભદ્રતાના ઝેરીલા કાળા નાગને નાથવાની હિમ્મત કરી છે; પરંતુ પોલીસ અભદ્ર ઈસમો સામે FIR નોંધી સખ્ત પગલાં ભરશે તેવી આશા નથી; કેમ કે અભદ્રતા આચરવાનો પરવાનો સત્તાપક્ષે ટ્રોલ-સેનાને આપેલો છે ! સંજય કહે છે : “જો સ્થાનિક પોલીસ FIR નહીં નોંધે તો પોલીસ કમિશ્નર / DGP / ગૃહ સચિવ સમક્ષ રજૂઆત કરીશ. Gujarat State Police Complaints Authority સમક્ષ ફરિયાદ કરીશ. છેવટે કોર્ટમાં IPC કલમ – 166 (A) 166(B) હેઠળ ફરિયાદ કરીશ. આખરે સોશિયલ મીડિયા પર અભદ્રતાને ડામવી છે !” લોકો નિર્ભય બની પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી શકે તે લોકતંત્ર માટે અનિવાર્ય છે. આપણે બીજું કંઈ ન કરીએ તો ચાલશે, પણ સંજયની સાથે ઊભા રહીએ !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1241,1251,1261,127...1,1301,1401,150...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved