Opinion Magazine
Number of visits: 9458202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોર્ટે માત્ર રાહુલ ગાંધીને સજા નથી કરી; પરંતુ વડાપ્રધાનની આલોચના કરનાર જાગૃત નાગરિકોને પણ સજા કરી છે !

રમેશ સવાણી|Opinion - Opinion|23 March 2023

2019માં, લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક નજીકની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહેલ કે ‘બધા મોદી ચોર છે !’ જેથી સુરત પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 15 એપ્રિલ 2019ના રોજ, કોર્ટમાં IPC કલમ-કલમ 499/ 500 હેઠળ માનહાનિનો કેસ કરેલ. આ કેસમાં 23 માર્ચ 2023ના રોજ નીચલી અદાલતે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 1000નો દંડ કરેલ છે.

થોડા સવાલ : 

[1] ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી જે બોલ્યા તે પૂર્ણેશ મોદીને ઉદ્દેશીને કહેલ કે લલિત મોદી / નિરવ મોદીના સંદર્ભમાં કહેલ? શું રાહુલ ગાંધી પૂર્ણેશ મોદીને ઓળખતા હતા? તેમની સાથે કોઈ પરિચય હતો? 

[2] વડાપ્રધાન / લલિત મોદી / નિરવ મોદી અંગે કહેલ કથન પૂર્ણેશ મોદી પોતાના માથે લઈ શકે? બંધ બેસતી પાઘડી સબબ કોર્ટ 2 વર્ષની સજા કરી શકે? 

[3] રાહુલ ગાંધીએ ગુનો કર્યો હોય તો તેમને સજા અવશ્ય થવી જોઈએ; પરંતુ વિપક્ષના નેતાનું મોં બંધ કરવા જ સજા થાય તે લોકશાહી માટે ખતરા સમાન નથી? 

[4] લોકશાહીમાં વિપક્ષના નેતાને આલોચના કરવાનો અધિકાર હોય કે નહીં? વળી વડા પ્રધાન જે રીતે માનહાનિ વાળી ભાષાનો પ્રયોગ કરે છે તેવી ભાષાનો પ્રયોગ રાહુલ ગાંધી કરતા નથી. વડા પ્રધાને ‘કાઁગ્રેસની વિધવા’ જેવા શબ્દપ્રયોગ કર્યા છે; તે જોતા રાહુલ ગાંધીને 2 વરસની સજા કરવી કોર્ટને કઈ રીતે ઉચિત લાગ્યું હશે? 

[5] હવે આ મેટર ઉપલી કોર્ટમાં જશે. ત્યાં નિવૃત્તિ પછી લાભ ઈચ્છતા જજ હશે તો સજા કાયમ રહેશે અથવા બંધારણને વફાદાર જજ હશે તો આવા વાહિયાત કેસમાં સજા કરનાર નીચલી કોર્ટની ટીકા કરશે. જો રાહુલ ગાંધીને આ પ્રકારના માનહાનિ કેસમાં સજા થાય તો વડા પ્રધાનને તેમની માનહાનિ વાળી ભાષા સબબ 20 વરસની સજા થઈ શકે કે નહીં?

આ પ્રકારના માનહાનિના કેસમાં માત્ર રાહુલ ગાંધીને સજા નથી થઈ; પરંતુ કોર્ટે આડકતરી રીતે વડા પ્રધાનની આલોચના કરનાર જાગૃત નાગરિકોને પણ સજા કરી છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જગતના રાજદ્વારી ઇતિહાસમાં એક વિક્રમ

રમેશ ઓઝા|Opinion - Opinion|23 March 2023

રમેશ ઓઝા

હવે ગામના ઉતાર જેવા નેતાઓ જગતનું નેતૃત્વ કરશે. ચીને આ મહિનાના પ્રારંભમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ચીને સમજૂતી કરાવી અને બન્ને દેશોએ રાજદ્વારી સંબંધો ફરી વાર સ્થાપવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાના રાજા અને વડા પ્રધાન સલમાને ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસને સાઉદી આવવાનું નિમંત્રણ પણ આપી દીધું છે, અને રઇસે તેનો સ્વીકાર કર્યો છે. બન્ને દેશો શિખર મંત્રણા માટે સ્થાનની પસંદગી કરી રહ્યા છે. સાઉદી અરેબિયા સુન્ની દેશ છે અને ઈરાન શિયા. સદીઓ જૂનું સુન્ની-શિયા વેર બે દેશોને નજીક નહીં આવવા દેવાનું મુખ્ય કારણ છે, પણ બદલતા વૈશ્વિક સંદર્ભોમાં નજીક આવવું જરૂરી પણ છે. ચીને સમજૂતી કરાવી આપી અને અમેરિકાએ સમજૂતીનું સ્વાગત કરવું પડ્યું છે.

હવે ચીનના વડા શી ઝિંગપીંગ મોસ્કો ગયા છે, રશિયા અને યુક્રેન વચ્ચે સમજૂતી કરાવવા. યુક્રેનમાં રશિયાનો પગ એવી બૂરી રીતે ફસાઈ ગયો છે કે રશિયાને સમજૂતી કરવી પડે એમ છે. દેખાવ માત્ર એવો કરવામાં આવી રહ્યો છે કે રશિયા ચીનની વિનંતીને માન આપી રહ્યું છે અને સમજૂતીની દિશામાં રચનાત્મક અભિગમ અપનાવી રહ્યું છે. રશિયન અખબારોમાં રશિયાના તાનાશાહ વ્લાદિમીર પુતીને એક લેખ લખીને પોતાના શી ઝિંગપીંગ સાથેના સંબંધો કેટલા સૌહાર્દપૂર્ણ છે તેનો ચિતાર આપ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે ૨૦૧૨માં ઝિંગપીંગ ચીનના પ્રમુખ બન્યા એ પછી તેમની વચ્ચે ૪૦ કરતાં પણ વધુ મુલાકાતો થઈ છે. દોસ્તીના બીજા અનેક દાવાઓ કરવામાં આવ્યા છે, પણ નોંધનીય છે બાર વરસમાં ૪૦ મુલાકાતો. કદાચ જગતના રાજદ્વારી ઇતિહાસમાં આ એક વિક્રમ હશે.

એની વચ્ચે પહેલાં ભારતની વાત કરી લઈએ. ગલ્ફના દેશોમાં આરબ-ઈરાન સમીકરણો બદલાય એ ભારતનાં હિતમાં નથી, પણ એ બદલાઈ રહ્યાં છે અને વળી એ ચીન દ્વારા બદલાઈ રહ્યાં છે. ચીને અરબી સમુદ્ર અને ઓમાનના અખાતમાં પડતા પાકિસ્તાનના ગ્વાડર બંદર દત્તક લીધું છે. ગ્વાડરથી સીધો બીજિંગ સુધીનો મહામાર્ગ બાંધવામાં આવી રહ્યો છે. ગ્વાડર દ્વારા ચીન અખાતનાં મુસ્લિમ દેશોનાં આગણે પહોંચી ગયું હતું. ભારતે ચીનના પ્રભાવને ખાળવા એ જ ભૌગોલિક સ્થળે ગ્વાડરથી અંદાજે સોએક કિલોમીટર પશ્ચિમે ઈરાનનું ચાબહાર બંદર ભારતે દત્તક લઈને વિકસાવવાની ઈરાન સાથે સમજૂતી કરી હતી. હવે નવી સ્થિતિમાં એ સમજૂતી સાકાર થશે એવી કોઈ શક્યતા નજરે પડતી નથી. ચીને અખાતના દેશોમાં પણ પગપેસારો કર્યો છે.

રશિયાએ વરસ પહેલાં યુક્રેન ઉપર હુમલો કર્યો ત્યારે ભારતે રશિયાની નિંદા નહીં કરીને રશિયાને આડકતરી રીતે મદદ કરી હતી. ભારતની ગણતરી એવી હતી કે જો આવતીકાલે ભારત અને ચીન વચ્ચે સીમા પર તંગદીલી પેદા થાય તો રશિયા ભારતને મદદ કરી શકે. કમ સે કમ રશિયા ચીન ઉપરની પોતાની વગનો ઉપયોગ કરી શકે. આ સિવાય રશિયા પાસેથી બળતણ મેળવવાની પણ ભારતની ગણતરી હતી. માટે અમેરિકા અને પશ્ચિમના લોકશાહી દેશોની નારાજગી વહોરી લઈને પણ ભારતે રશિયાની નિંદા નહોતી કરી. યુનોની સલામતી સમિતિમાં ગેરહાજર રહ્યું હતું. અને ચીન? ચીને રશિયાને ખુલ્લો ટેકો આપ્યો હતો અને સલામતી સમિતિમાં એક વાર રશિયાની તરફેણમાં અને એક વાર ગેરહાજર રહીને રશિયાને ટેકો આપ્યો હતો. રશિયા ઉપર પશ્ચિમના દેશોએ નાકાબંધીનાં પ્રતિબંધાત્મક પગલાં લીધાં તેનો પણ ચીને વિરોધ કર્યો હતો. ભારતે માત્ર એટલું જ કહ્યું હતું કે “આ યુદ્ધ કરવાનો સમય નથી.”

એક સમયે એમ કહેવામાં આવતું હતું કે ભારત રશિયા-યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરશે. ગોદી મીડિયાએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બની ચુક્યા છે અને યુદ્ધ રોકીને દુનિયામાં શાંતિ સ્થાપનારા શાંતિદૂત બની ચુક્યા છે, એવી આરતી પણ ઉતારવા માંડી હતી. પણ આજે પરિણામ આપણી સામે છે. યુદ્ધખોર દેશનું ઊઘાડું સમર્થન કરનાર ચીન મધ્યસ્થી કરવાનું છે. કારણ બહુ સરળ છે. રશિયા થાક્યું છે. જગતમાં નાક કપાઈ ગયું છે. રશિયા યુદ્ધ જીતી શકે એમ નથી તેની રશિયનોને પણ ખાતરી થઈ ગઈ છે. ઓછામાં પૂરું પશ્ચિમના દેશોએ લાદેલી આર્થિક નાકાબંધીના કારણે રશિયાનાં અર્થતંત્રની કમર તૂટી ગઈ છે. અમેરિકા અને પશ્ચિમના દેશો યુક્રેનને એવી રીતે મદદ કરી રહ્યા છે કે યુક્રેન રશિયાની સામે હારે પણ નહીં અને આર્થિક સહાયના પરિણામે ભૂખે મરે પણ નહીં. એ દેશો રશિયા સામે સીધા યુદ્ધમાં નથી ઉતરતા અને ઉતર્યા વિના વરસો સુધી લડી શકાય એવી વ્યવસ્થા પણ કરી આપી છે.

પણ રશિયાએ બહાર નીકળવા માટે ભારતની જગ્યાએ ચીનની પસંદગી કરી છે. ચીને યુદ્ધમાં તટસ્થ ભૂમિકા ભજવી ન હોવા છતાં. રશિયાને ખાતરી છે કે ચીન યુક્રેનને તેની વિરુદ્ધ ભૂમિકા લીધી હોવા છતાં પણ સમજાવી લેશે અને બન્ને દેશ આબરૂ બચાવીને યુદ્ધમાંથી બહાર આવે તેવી સમજૂતી કરી આપશે. કારણ બહુ સ્પષ્ટ છે. એક તો એ કે રશિયાને ખબર છે કે ચીન ભારતની જેમ દહીંદૂધમાં પગ નથી રાખતું. ચીનને અમેરિકાની પડી નથી, જ્યારે ભારતને અમેરિકાનો અને અમેરિકાને ભારતનો ખપ છે. બીજું, લોકતંત્ર અને સભ્ય દેશના વાઘા ચીન પહેરતું નથી જે ભારત પહેરે છે. આ બાબતે વિશ્વમાં નથી ચીનની આબરૂ કે નથી રશિયાની આબરૂ. “આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા” જેવી સ્થિતિ છે. ત્રીજું, ભારત કરતાં ચીન રશિયાને આર્થિક મદદ કરી શકે એમ છે. ચીનની આર્થિક સ્થિતિ બગડતી જાય છે એ છતાં. અને ચોથું અને સૌથી મોટું કારણ એ છે કે બન્ને દેશો સ્પષ્ટપણે અમેરિકા અને પશ્ચિમના દેશોની વિરુદ્ધ છે અને તે અમેરિકા અને પશ્ચિમ વિરુદ્ધ ધરી રચવા માગે છે. ભારતની હાલત કફોડી છે. ભારત ખુલ્લી રીતે અમેરિકાની ધરીનો હિસ્સો બની શકતું નથી કારણ કે ચીન પડોશમાં માથે છે.

કાલે ભારત અને ચીન વચ્ચે સરહદે અથડામણ થાય તો હવે નવા સંજોગોમાં રશિયાની મદદ મળી શકે? શંકા છે. નઠારાઓની ધરી રચાઈ રહી છે જેમાં ભારત ગોઠવાઈ શકે એમ નથી. રશિયા કેવળ પોતાનો સ્વાર્થ જોશે અને તેનો મોટો સ્વાર્થ ચીન સાથે છે. એમાં ચીને હવે અખાતી દેશોમાં પણ વગ વિસ્તારી છે.

તો પછી ભારત પાસે કયો માર્ગ બચે છે? સભ્ય દેશોની સાથે બેસવાનો. પણ એ માટે ઘર આંગણે સભ્ય રાજકારણ કરવું જરૂરી છે. વિશ્વમાં સભ્યતાનો ઢોંગ કરવો અને ઘર આંગણે લોકતંત્રનું ખૂન કરવું એ બન્ને માર્ગે ચાલવાથી કોઈ લાભ નથી. દુનિયા બધું જ જાણે છે. ભારતમાં શું ચાલી રહ્યું છે એની દુનિયાને જાણ કરવા રાહુલ ગાંધીની જરૂર નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2023

Loading

ચેન્નાઈનો પક્ષીજણ

સુરેશ જાની|Opinion - Opinion|22 March 2023

સત્યકથા

કેમ નવાઈ લાગીને આ શબ્દ વાંચીને? પક્ષીગણ તો જીવશાસ્ત્રનો શબ્દ. પણ આ તો જણ છે, જણ – જીવતો જાગતો જણ. પણ અફસોસ! એ સ્પાઈડરમેનની જેમ ઊડી નથી શકતો – ‘એ ઊડતા પક્ષીઓના પ્રેમમાં ગળાડૂબ બની ગયેલો, માણસ’ કહેવાય એવો એક જણ છે!

આમ તો જોસેફ સેકર સાવ સામાન્ય માણસ છે. ચેન્નાઈના રોયાપેટ્ટા વિસ્તારમાં ભાડાના મકાનમાં ૨૭ વર્ષથી તે રહે છે. મકાન પણ પચાસ વર્ષ જૂનું છે અને પાંચ ભાડવાત એમાં રહે છે. વ્યવસાયે તે ઇલેક્ટ્રિશિયન છે અને  કેમેરા પણ  રિપેર કરે છે. ઘણી વાત ઘરાક ન મળતાં તેને બે ટંક ભેગા કરતાં ફાંફાં પણ પડતા હતા. પણ જોસેફનું દિલ અમીર છે. ૬૩ વર્ષના જોસેફે ૨૦૦૫ની સાલમાં આવેલ ત્સુનામી વખતે જોયું કે, બે ચાર પોપટ તેની અગાસી પર ચકલીઓએ ન ખાધેલા થોડાક ચોખા શોધવા આમ તેમ ઘૂમી રહ્યા હતા. આમ તો ત્યાં ચકલીઓ અને કબૂતર જ ચણ માટે આવતાં હતાં. તે ઘરમાં પાછો ફર્યો અને થોડાક ચણા લઈ આવ્યો અને અગાસી પર વેરી દીધા. બીજા આઠ દસ પોપટ પણ થોડીક જ વારમાં ત્યાં ભેગા થઈ ગયા અને આનંદની કિકલારીઓ કરવા લાગ્યા.

બસ, ત્યારથી જોસેફને આ નિર્દોષ પક્ષીઓની ભૂખ શમાવવાનું ઘેલું લાગ્યું છે. વધારે પક્ષીઓ ચણી શકે અને ચણનો બગાડ ઓછો થાય એ માટે અગાસી પર લાકડાના પાટિયા પર તે રોજ સવારે ૬ વાગે અને બપોરે ચાર વાગે આ પક્ષી વીશી ચાલુ કરે છે!

એક અંદાજ મુજબ, રોજના ૧,૦૦૦ પક્ષીઓ આ લોજમાં પધારે છે. શિયાળામાં તો આ આંકડો ૮,૦૦૦ સુધી પહોંચી જાય છે. આગંતુકોમાં મોટા ભાગે પોપટ હોય છે. પણ કબૂતર અને ચકલી પણ ખરાં  જ. એ બે જાતનાં ચણ નીરે છે. પાણીમાં પલાળેલા અને વિટામિન પાવડર ઊમેરેલા ચોખા અને ચણા. પોતાની આવકનો ૪૦ % એ જીવદયાના આ કામમાં વાપરી નાંખે છે. સવારે ચાર વાગે જોસેફ ઊઠી જાય છે અને ૭૫ કિલોગ્રામ ચોખા પલાળી દે છે. કલાક બાદ પાંચ છ ફેરા કરી અગાસી પર ચોખા પીરસે છે.

આ કામ પતી જાય પછી તે મકાનના ભોંયતળિયે આવેલી દુકાન ચાલુ કરે છે. બિમાર હોય અને માંડ ઊડી શકતાં હોય તેવાં પક્ષીઓને તે પોતાના ઘરની હોસ્પિટલમાં સારવાર પણ આપે છે, અને તંદુરસ્ત બની જાય પછી એમને છોડી મૂકે છે. આવાં પક્ષીઓ તો તેનાં મિત્ર બની જાય છે. કોઈક વખત તેને બહારગામ જવાનું હોય, ત્યારે એના કુટુમ્બના સભ્યો આ કામ ચાલુ રાખે છે. આમ ૩૬૫ દિવસ આ અભિયાન પંદર વર્ષથી અટક્યા વિના ચાલુ જ છે.

જોસેફનું આ સત્કાર્ય એટલું તો બધું જાણીતું બની ગયું છે કે,એની આ વીશી ચેન્નાઈના ઘણા પ્રવાસીઓ માટે યાદગાર મુલાકાત લેવાનું સ્થળ બની ગઈ છે!

https://www.youtube.com/watch?v=FDqzE-ApAXs

સંદર્ભ –

https://www.newindianexpress.com/cities/chennai/2020/jun/22/chennais-birdman-c-sekar-makes-ends-meet-for-birds-amid-covid-19-lockdown-2159641.html

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...1,0641,0651,0661,067...1,0701,0801,090...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved