Opinion Magazine
Number of visits: 9667003
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નકામો

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|4 August 2023

લાગણી વગરનો માણસ નકામો.

તાવણી વગરનો માસ્તર નકામો.

ગમે તેટલાં વસાણા ઉમેર્યાં હોય,

તાંસળી વગરનો દૂધપાક નકામો.

ભલેને અદ્યતન પદ્ધતિ જાણતો,

વાવણી વગરનો કૃષિકાર નકામો.

હોય છોને મોંઘોને રત્નજડિત એ,

માપણી વગરનો પહેરવેશ નકામો.

છોને સંમુખ ” માગ માગ ” કહેતો એ,

માગણી વગરનો દાતાર નકામો.

પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com

Loading

ભેદ ખોલી દે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|4 August 2023

રહસ્ય ક્યારેક ભેદ ખોલી દે,

ધર્મના ચાર વેદ બોલી દે.

જિંદગી કંટકો ભરી વિતી,

ઈશ દરદને સખેદ તોલી દે.

માન-સન્માન રાખજે ઈશ્વર,

આત્મ ગુમાન, મેદ છોલી દે.

હું કદી કોઈને નહીં બોલું,

જીભ મૂંગી અછેદ પો’લી દે.

જીવડો રોજ જીવ બાળે છે,

જીવડાને પ્રસ્વેદ ઝોલી દે.

e.mail : addave68@gmail.com

Loading

નખશિખ માણસ 

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|4 August 2023

નાનામોટા હરેકને આદરપૂર્વક બોલાવતા ખાદીધારી ગુરુજીના પ્રવેશ સાથે અમારા માળાની બંધ ઓરડીનાં બારણાં ફટાફટ ખૂલી જતાં. ઘડી બે ઘડીમાં ગુરુજીના આગમનના સમાચાર વાયુવેગે ત્રણે માળામાં ફેલાઈ જતા. બાળકો હડી કાઢતાં આવી તેમની આસપાસમાં ઘેરાઈ જતાં. ગુરુજી ખભે ઝૂલતા બગલથેલામાંથી નાનીમોટી વસ્તુઓ કાઢી પ્રેમથી બાળકો વચ્ચે લહાણી કરે. પળવારમાં બાળકોના કિલકિલાટથી માળામાં ખુશીનો સાગર છલકાઈ જતો.

રસોડામાં રસોઈ કરતી મારી બા, પૂજાપાઠમાં ગૂંથાયેલ મારા બાપુજીને પૂછતી, “માળામાં આ શેનો શોરબકોર થઈ રહ્યો છે?” બાપુજી બાને કહેતા, “તું તારી રસોઈમાં ધ્યાન રાખ, માળામાં વીરજીભાઈનો ઓટીવાળ શાંતિ આવ્યો છે.” કયારેક બાપુજી ઘરે ન હોય અને ગુરુજી માળામાં આવી ચઢ્યા હોય તો હું મારી બાને પૂછતો, “બા, આ ગુરુજી કેટલા માયાળુ અને પ્રેમાળ સ્વભાવના વ્યકિત છે? આખું સંઘાણી ગામ તેમને બેહદ ચાહે છે! પણ મને એક બાબતની હજી સુઘી ખબર પડતી નથી કે આ ભલા માણસને બાપુજી કેમ વાતવાતમાં ઓટીવાળ કહીને સંબોધે છે?”

મારો આવો અટપટો સવાલ સાંભળી મારી બા તેમ જ મારી મોટી બહેનો ખડખડાટ હસતી. તેઓ મને તેમની રીતે સમજાવવાની કોશિશ કરતાં કહેતાં કે ગુરુજીએ આખી જિંદગીમાં કોઈ દિવસ બે પૈસા ભેગા કરીને પોતાનું ઘર ન વસાવ્યું. તેઓ જે કંઈ કમાતા તેમાંથી ગામનાં છોકરાંઓને ખવડાવે રાખ્યુંઃ જાણે પોતે નરસિંહ મહેતાનો અવતાર! ગુરુજીના આવા વર્તનથી ત્રાસી ગયેલ પત્નીએ આવા અલગારી પતિથી છેડો ફાડી નાખ્યો. તારા બાપુજી લોહીને નાતે ગુરુજીના કાકા થાય કે એમ.એ. સુધી ભણેલગણેલ આ માણસે ગામને માટે ઘર બાળીને તીરથ કર્યુ.

ગુરુજીનું વ્યકિતત્વ બહુ જ પ્રભાવશાળી હતું. ગોળમટોળ રુપાળો ચહેરો, આંખમાં બારે માસ છલકાતો સ્નેહનો દરિયો, સંપૂર્ણ ખાદીનો સ્વચ્છ સફેદ બગલા જેવો ઝભ્ભો, સુરવાલ, માથે શોભતી ગાંઘી ટોપી અને જાકીટમાં હસતું ગુલાબ.

લગભગ આજથી સીત્તેર વર્ષ પહેલાં ઘાટકોપરમાં જ્યાં આગળ આજે સંઘાણી એસ્ટેટ વસેલું છે ત્યાં એક કાળે ઘોર જંગલ હતું. ચારેબાજુ ઘટાદાર વૃક્ષોની ઝાડીઓ. કડ સમાય એટલાં લીલાંસૂકાં ઘાસનાં છૂટાંછવાયાં મેદાનો. આજુબાજુમાં જ્યાં નજર કરો ત્યાં કાળી મોટી શિલાઓના ઢગ. પાણીથી ફાટફાટ છલકાતાં નાનાંમોટાં ખાબોચિયાંની ગોદમાં લહેરાતાં ખેતરો. જાણે પશ્ચિમ ઘાટની નાનીમોટી ટેકરીઓ વચ્ચે પ્રકૃતિના ખોળે રમતું એક નાનકડું ગામ. આજુબાજુ બેપાંચ મકાનોને લીધે આપણને લાગે કે આસપાસમાં ક્યાંક શહેરનું પરગણું હશે. મુંબઈ શહેરમાં આવેલ આ ગ્રામપ્રદેશમાં ગામડાની જેમ કોઈ શાળા નહીં. જે બે ચાર શાળાઓ હતી તે પણ ગામથી ઘણી દૂર. માબાપને એક વિકટ પ્રશ્ન હતો કે નાનાં ભૂલકાંઓને ભણવા કયાં મોકલવાં.

લોકોની મુશ્કેલીને પોતાની મુશ્કેલી સમજીને ગુરુજીએ ગામમાં વનશાળા શરૂ કરી. સવારે આઠનવ વાગ્યે ગુરુજી આસપાસની શેરીનાં બાળકોને પોતાના ફળિયામાં ભેગાં કરી બબ્બેની જોડીમાં લગભગ સિત્તેરથી એંસી બાળકોને વનવગડે લીલાં વૃક્ષોની છાયામાં ભણાવવા લઈ જાય. બાળકો કુદરતના ખોળે રમતાંભમતાં આનંદના કિલકિલાટ સાથે હસતાંગાતાં ભણે. બપોરટાણે ગુરુજી બાળકોને એક મોટા વર્તુળમાં બેસાડી, ઘરેથી સાથે લાવેલ ટિનના મોટા ડબ્બામાંથી ચણા, મમરાનો નાસ્તો આપે. ટાઢા પહોરે બાળકોને રમત રમાડતાં ગીતો ગવડાવે. સાંજ પડતાં સામેની પશ્ચિમ ઘાટની ટેકરીઓ પછવાડે સૂરજ હળતો હોય ત્યારે રમતાંભમતાં બાળકોને પાછા સંઘાણી ગામ તરફ લઈ આવે. બાળકો જાણે મનગમતા પર્યટન પર જઈને પાછાં ફર્યા હોય, એટલા આનંદઉત્સાહ સાથે ગુરુજીના ફળિયામાંથી છૂટાં પડે. ગુરુજીનું જીવન રાષ્ટ્રીય રંગે રંગાયેલું હતું. પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી અને ગાંધીજયંતી તેમને મન એક પર્વ સમાન હતી. આ પવિત્ર દિવસે તેઓ હોંશેહોંશે ઘાટકોપરની શેરીમાં પ્રભાતફેરીનું આયોજન કરતા.

નાનાંમોટા લગભગ બસોથી ત્રણસો બાળકો કોઈ નાતજાતના બંધન વિના ગુરુજીના નેજા તળે ભારતમાતાનાં ગુણગાન ગાતાં પ્રભાતફેરીમાં નીકળતાં. પ્રભાતફેરીમાં સર્વથી મોખરે અખિલ ભારતનાં તમામ રાજયોના લોકોના પહેરવેશમાં પરિધાન થયેલાં બાળકોના હાથમાં લહેરાતો રાષ્ટ્રીય ધ્વજ. તેમની પાછળ લેજીમ, ઢોલનગારાં વગાડતા શાળાના વિધાર્થીઓની કદમકૂચ. અને સર્વથી છેલ્લે બાળકોને માર્ગદર્શન આપતા રાષ્ટ્રીય ગીત ઉત્સાહભેર લલકારતા ગુરુજી ચાલતા હોય.

સવારે દસેક વાગ્યે આખી પ્રભાતફેરી ઘાટકોપરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સંઘાણી એસ્ટેટના ચોકમાં પાછી ફરતી. સેવાદળના સ્વયંસેવકો, બાળકો અને સામાજિક કાર્યકરો સંગે ગુરુજી ધ્વજવંદન કરી બાળકોને હર્ષઆનંદ સાથે મીઠાઈ વહેંચતા.

બાળકોનો આનંદ તેમની જિંદગી હતી. બાળકો તેમની અમૂલ્ય મૂડી હતી. બાળકોનાં રમકડાં, કસરત તેમ જ વ્યાયામનાં સાધનો અને પુસ્તકોથી તેમનું નાનકડું ઘર છલકાતું. તેમના ઘરની દીવાલ મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની છબીઓથી શોભતું.

ગુરુજીનું જીવન બહુ જ સાદું અને પરોપકારી હતું. તેમના રોજિંદા ઉપયોગમાં ફકત બેચાર ખાદીનાં સ્વચ્છ કપડાંની જોડી. સૂવાબેસવા માટે એક ચટાઈ, બેચાર રજાઈ અને એકાદ બે તકિયાને જો આપણે તેમની જીવનજરૂરિયાત વસ્તુઓમાંથી બાદ કરી નાખીએ તો તેમનું સંપૂર્ણ જીવન એક ગાંધીવાદી સમાન હતું.

બાળકોના આ પ્રિય ગુરુજીના જીવનનો અંત બહુ જ કરુણ રીતે આવ્યો. ફકત છેતાલીસ વર્ષની નાની વયે ફકત એકાદબે દિવસની સામાન્ય તાવ જેવી બીમારીથી મુંબઈ સરકારી સાયન હૉસ્પિટલમાં એકાએક મૃત્યુને ભેટ્યા ત્યારે તેમની પથારીની આસપાસ કોઈ સગુંસંબધી કે કોઈ એકાદ મિત્ર પણ ન હતો.

ગુરુજી એક સારા કવિ, લેખક અને પ્રવીણ ચિત્રકાર હતા તેમના અક્ષરો સ્વામી આનંદ અને મહાદેવ દેસાઈ સમા સુંદર અને મરોડદાર હતા. જગતમાઁ જેમ બનતું આવ્યું છે તેમ તેમના મૃત્યુ બાદ બન્યું. તેમનાં ઘણાં હસ્તલિખિત પુસ્તકો, તેમની જીવન રોજનીશી, અને તેમનાં ચિત્રો કમનસીબે એવી ગેરલાયક વ્યકિતઓ પાસે ગયાં કે જેની કિંમત તેઓ કયારે ય ન સમજી શકી.

“વાંચવું, વિચારવું અને લખવું” આ ત્રને શબ્દોનું મહત્ત્વ ગુરુજીને મન જીવનમાં ખૂબ જ હતું. ઘણી વાર તેઓ અમને કહેતા કે આ ત્રણે શબ્દો મને ગોવર્ઘનરામ માધવરામ ત્રિપાઠીનો એક લેખ વાંચતા મળી ગયા. આ ત્રણ શબ્દો થકી ભલે હું ક્યારે ય ધનવાન ન થઈ શકયો પણ જીવનમાં અમીર તો થઈ શક્યો તે બદલ હું જન્મોજન્મ તેમનો ઋણી રહીશ.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0391,0401,0411,042...1,0501,0601,070...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved