Opinion Magazine
Number of visits: 9667163
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

स्वतंत्रता दिवस: बंटवारे की विभीषिका को याद करने की क्या ज़रुरत है

राम पुनियानी|Opinion - Opinion|22 August 2023

राम पुनियानी

हम अपना स्वाधीनता दिवस 15 अगस्त को मनाते हैं और हमारा पड़ोसी पाकिस्तान 14 अगस्त को. भारत के लोगों ने आज़ादी हासिल करने के लिए लंबा और कठिन संघर्ष किया था. स्वधीनता दिवस हमें औपनिवेशिकता के विरुद्ध हमारे संघर्ष की याद दिलाता था. सुरेन्द्रनाथ बनर्जी की एक पुस्तक का शीर्षक है ‘नेशन इन द मेकिंग’. इसमें वे बताते हैं कि औपनिवेशिक काल में भारत “बनता हुआ राष्ट्र” था. स्वतंत्रता दिवस हमें राष्ट्रपिता महात्मा गाँधी के नेतृत्व में देशवासियों द्वारा किये गए संघर्षों और आंदोलनों की याद भी दिलाता है (विशेषकर 1920, 1930 और 1942 में). यह दिन हमें भगत सिंह और चन्द्रशेखर आज़ाद जैसे क्रांतिकारियों की याद भी दिलाता है जो न गोलियों से डरे और ना ही फांसी से. उन्होंने हँसते-हँसते सीने पर गोलियां खाईं और फांसी पर चढ़ गए. स्वाधीनता दिवस हमें यह भी याद दिलाता है कि कैसे हिन्दुओं, मुसलमानों और सिक्खों ने कंधे से कंधा मिलाकर औपनिवेशिक शासन का जुआ उतार फेंकने की लड़ाई लड़ी थी.

पिछले तीन सालों से मोदी सरकार ने 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में मनाना शुरू किया है. इसके साथ ही यह प्रचार भी किया जा रहा है कि जिन्ना की पाकिस्तान की मांग के कारण देश का बंटवारा हुआ. मुसलमान अलग देश की मांग पर अड़े हुए थे और नेहरु किसी भी तरह प्रधानमंत्री बनना चाहते थे. इसलिए देश बंटा. स्वतंत्रता के 71 साल बाद सरकार ने यह दिवस बनाने का निर्णय लिया. ऐसी प्रदर्शनियां आयोजित की गईं जिसमें हिन्दुओं के बेघरबार होने और उनके नरसंहार की त्रासदी को दिखाया गया है. इस सिलसिले में एक सांप्रदायिक विमर्श शुरू कर दिया गया जिसका सच्चाई से कोई वास्ता नहीं है और जिसका एकमात्र उद्देश्य नफरत फैलाना है.

यह विमर्श बहुत योजनाबद्ध ढंग से फैलाया जा रहा है. इसमें ज़मीनी स्तर पर काम करने वाले कार्यकर्ताओं से लेकर गोदी मीडिया और उससे लेकर अफवाहों फैलाने वाला तंत्र शामिल है. इस प्रचार में यह बताया जाता है कि जिन्ना कहते थे कि हिन्दू और मुसलमान दो अलग-अलग राष्ट्र हैं और वे एक साथ नहीं रह सकते. नफरत फैलाने में झूठ का बड़ा योगदान होता है परन्तु अर्धसत्य भी इसमें महती भूमिका अदा करते हैं.

यह सच है कि सन 1940 में जिन्ना ने पाकिस्तान के निर्माण की मांग को लेकर प्रस्ताव पारित करवाया था. परन्तु यह प्रस्ताव, दरअसल, दो समानांतर किन्तु विरोधी प्रक्रियाओं का नतीजा था. इन दोनों प्रक्रियाओं के मूल में थी मुस्लिम साम्प्रदायिकता (मुस्लिम लीग) और हिन्दू साम्प्रदायिकता (हिन्दू महासभा, आरएसएस).

हिन्दू और मुस्लिम साम्प्रदायिकता एक साथ परवान चढीं. पूना सार्वजनिक सभा, मद्रास महाजन सभा और बॉम्बे एसोसिएशन सहित कई संगठनों ने मिलकर सन 1885 में भारतीय राष्ट्रीय कांग्रेस का गठन किया था. कांग्रेस नए उभरते सामाजिक तबकों का प्रतिनिधित्व करती थी जिनमें शामिल थे व्यापारी, उद्योगपति और श्रमिक वर्क व शिक्षित वर्ग. इसके साथ ही दलितों और महिलाओं को शिक्षित करने की प्रक्रिया भी शुरू हुई.

इसकी प्रतिक्रिया स्वरुप सामंती वर्गों, जिनमें हिन्दू और मुसलमान ज़मींदार और राजे-महाराजे शामिल थे, ने मिलकर यूनाइटेड इंडिया पेट्रियोटिक एसोसिएशन का गठन किया. सर सैयद अहमद और काशी के राजा शिवप्रसाद सिंह ने अंग्रेजों के प्रति अपनी वफ़ादारी जाहिर की. समय के साथ, इस एसोसिएशन के हिन्दू और मुस्लिम घटक अपनी-अपनी राहों पर चल पड़े और उन्होंने अपने-अपने संगठन – हिन्दू महासभा और मुस्लिम लीग – बना लिए.

जहाँ कांग्रेस के नेतृत्व वाला राष्ट्रीय आन्दोलन, समग्र राष्ट्रवाद की बात करता था वहीं मुस्लिम लीग, भारत को  मुस्लिम राष्ट्र, और हिन्दू महासभा और आरएसएस हिन्दू राष्ट्र बताते थे. द्विराष्ट्र की बात सबसे पहले जिन्ना ने नहीं बल्कि सावरकर ने की थी. सन 1923 में प्रकाशित अपनी पुस्तक “हिंदुत्व ऑर हू इज़ अ हिन्दू” में सावरकर ने लिखा कि भारत में दो राष्ट्र हैं – हिन्दू राष्ट्र और मुस्लिम राष्ट्र. आरएसएस के मुखिया गोलवलकर ने इस सिद्धांत को अपनी पुस्तक “वी ऑर अवर नेशनहुड डिफाइंड” में और आगे बढ़ाया. उन्होंने हिटलर का गुणगान किया और कहा कि मुसलमानों को द्वितीय श्रेणी के नागरिक का दर्जा दिया जाए. उन्होंने लिखा “… हिंदुस्तान में रहने वाली विदेशी नस्लों को या तो हिंदू संस्कृति और भाषा अपना लेनी चाहिए, हिंदू धर्म के प्रति आदर और सम्मान करना सीख लेना चाहिए, हिंदू नस्ल और संस्कृति को गौरवान्वित करने वाले विचारों को अपना लेना चाहिए और अपने पृथक अस्तित्व को हिंदू नस्ल में पूरी तरह समर्पित कर देना चाहिए या पूर्ण रूप से हिंदू राष्ट्र के अधीन रहते हुए देश में टिके रहना चाहिए और ऐसा करते समय उन्हें न तो किसी तरह का दावा करना होगा, न किसी तरह का उन्हें कोई विशेषाधिकार मिलेगा और किसी तरह के सुविधाप्राप्त व्यवहार की तो बात दूर उन्हें एक नागरिक का भी अधिकार प्राप्त नहीं होगा.”

सावरकर ने द्विराष्ट्र सिद्धांत की विस्तार से व्याख्या करते हुए लिखा: “भारत में दो परस्पर विरोधी राष्ट्र एक साथ रहते हैं. कुछ बचकाने राजनीतिज्ञ यह मानने की गंभीर भूल करती है कि भारत एक समरसतापूर्ण राष्ट्र बन चुका है…हमें हिम्मत के साथ कुछ अप्रिय तथ्यों को स्वीकार कर लेना चाहिए. आज के भारत को एकताबद्ध और एकसार राष्ट्र नहीं माना जा सकता. इसके विपरीत भारत में मुख्यतः दो राष्ट्र हैं – हिन्दू और मुस्लिम.”

जहां तक विभाजन के लिए नेहरू की सत्ता की लिप्सा को जिम्मेदार ठहराने का प्रश्न है, इसमें सच्चाई का तनिक भी अंश नहीं है. सच यह है कि देश के दो टुकड़े करने के माउंटबेटन के प्रस्ताव को सबसे पहले सरदार पटेल ने मंजूरी दी थी. सन् 1942 के भारत छोड़ो आंदोलन ने ब्रिटिश औपनिवेशिक शासकों को यह एहसास करा दिया था कि अब वे लंबे समय तक भारत पर राज नहीं कर पाएंगे अतः उन्होंने भारत को स्वाधीनता देने का निर्णय लिया परंतु अपने राजनैतिक और रणनीतिक हितों की रक्षा के लिए यह भी तय किया कि वे आजाद भारत को एक नहीं रहने देंगे. अंग्रेज अध्येता डेविड सेन्डर्स लिखते हैं कि ‘‘एटली की सरकार को यह समझ में आ गया था कि राष्ट्रवाद की भावना से प्रेरित नागरिक असंतोष जिस तेजी से बढ़ रहा है उसके चलते ब्रिटिश राज को कायम नहीं रखा जा सकता.”

औपनिवेशिक ताकतों को यह भी पता था कि कांग्रेस का शीर्ष नेतृत्व वामपंथ की ओर झुका हुआ है और इसलिए स्वतंत्र भारत के साम्राज्यवादी गुट की बजाए सोवियत गुट के साथ जुड़ने की अधिक संभावना है. इसलिए वे चाहते थे कि दक्षिण एशिया में उनका एक ठिकाना हो और इसी ठिकाने के निर्माण के लिए वे देश को बांटना चाहते थे.

विभाजन विभिषिका स्मृति दिवस केवल हिन्दुओं के विरूद्ध हुई हिंसा पर जोर दे रहा है. सच यह है कि पूर्वी और पश्चिमी पाकिस्तान से आने वाले हिन्दुओं और सिक्खों और भारत से पाकिस्तान जाने वाले मुसलमानों दोनों को भयावह परिस्थितियों का सामना करना पड़ा. और जहां तक देश के विभाजन का प्रश्न है उसके लिए हिन्दू और मुस्लिम दोनों साम्प्रदायिक तत्व जिम्मेदार हैं.

विभाजन विभिषिका स्मृति दिवस का एजेंडा केवल मुसलमानों को पृथकतावादी सिद्ध करना है और वह इस बहाने से कि केवल जिन्ना ही पाकिस्तान के निर्माण के लिए जिम्मेदार थे. साथ ही इसका एक और लक्ष्य पंडित नेहरू को ऐसे नेता के रूप में प्रस्तुत करना है जो अपने देश के बंटवारे की कीमत पर भी सत्ता हासिल करना चाहता था. विभाजन विभिषिका स्मृति दिवस की दरअसल कोई जरूरत नहीं है. यह साम्प्रदायिक ताकतों के हाथ में सौंपा गया एक औजार है जिसका उद्धेश्य दोनों समुदायों के बीच की खाई को और गहरा करना और उन लोगों को कलंकित करना है जिन्होंने अपना सब कुछ स्वाधीनता के संग्राम को समर्पित कर दिया था.

16/08/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/partition-horrors-remembrance-day-is-new-tactic-to-spread-hatred-not-to-remember-the-pain-of-partition-article-by-ram-puniyan

Loading

ખસવામાંથી હસવું

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 August 2023

‘આમ તો ‘હસવામાંથી ખસવું’ કહેવાય છે…’

‘તો?’

‘તમે ‘ખસવામાંથી હસવું’ કેમ કહો છો?’

‘શું છે કે એક જણને હસવાની ગાંડી ટેવ હતી, તે એક વાર એટલું હસ્યો કે તેનું ખસી ગયું.’

‘તે તો બરાબર, પણ આ ‘ખસવામાંથી હસવું’…?’

‘એટલે કે પેલાનું ખસી ગયેલું તે જોતાં…બીજા હસવા લાગેલા, એટલે ખસવામાંથી હસવું.’

0

‘સાહેબ, આ મૂર્તિઓ 9 ફૂટથી ન વધારવાનો ફતવો છેક હમણાં બહાર પાડ્યો?’

‘કેમ, તને ના ગમ્યું?’

‘ગમ્યું, પણ ઘણાંએ તો ઓલરેડી 20 ફૂટની મૂર્તિઓ બનાવી દીધી છે.’

‘એમણે ફતવાની રાહ જોવી જોઈએને!’

‘એનાં કરતાં 9 ફૂટવાળો નિયમ કાયમી કરી દો તો કોઈ 20 ફૂટમાં પડે જ નહીંને !’

‘એવું ન થાય. દર વર્ષે ફતવો બહાર પાડવો પડે.’

‘નવ ફૂટનો કાયદો કરી દો તો…’

‘ડોબા, ગયે વર્ષે તું કેટલાં વર્ષનો હતો?’

’50 વર્ષનો.’

‘તું 50નો 51 થાય તો મૂર્તિ પણ 9ની 10 થઈ શકેને !’

0

‘સાહેબ, તમે જેનેરિક દવાઓ લખો, તો?’

‘કેમ, આ દવાથી શું તકલીફ છે?’

‘આ બહુ મોંઘી છે.’

‘પેલી સસ્તી છે એ ખરું, પણ ગુણવત્તા ઠીક નથી.’

‘કોની? દવાની કે ડોક્ટરની?’

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

પ્રકૃતિ અને પરમની સંનિધિમાં …

દર્શના ધોળકિયા|Opinion - Opinion|21 August 2023

તારીખ ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ડાંગ મુકામે પ્રવાસ કરવાની ઈચ્છા થઈ ને એ અંગે જાણીતાં લેખિકા અને “ભૂમિપત્ર”નું અંતિમ પૃષ્ઠ સુંદર રીતે સંભાળતાં આશાબહેન વીરેન્દ્ર સાથે મારી વાત થઈ ને તરત જ એમણે મને પોતાને ઘેર આવવાનું નિમંત્રણ પાઠવ્યું. એટલું જ નહીં, ત્રણ દિવસના કાર્યક્રમનું સુંદર આયોજન કરવાની પણ ઈચ્છા સામેથી પ્રગટ કરી ને મારે તો દોડવું ’તું ને ઢાળ મળ્યો.

ખડકી મુકામે : સુજાતાબહેન શાહ જોડે દર્શનાબહેન ધોળકિયા અને આશાબહેન શાહ

૧૨ની રાત્રે મારી ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્યારે કચ્છ યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે કામ કરતી જીલ ડાભી અને હું – અમે બંને ડાંગ ભણી જવા રવાના થયાં. અમારું ઉતરાણ આશાબહેનને ત્યાં જ હતું. રેલવે સ્ટેશને જાણીતાં હાસ્ય લેખિકા કલ્પનાબહેન દેસાઈ પણ બહુ હોંશભેર અમને લેવા આવેલાં. આશાબહેને જ એમને સાથે જોડાવાનું નિમંત્રણ આપેલું અને કલ્પનાબહેને એ તરત સ્વીકારી લીધેલું. એ દિવસે આશાબહેનને ત્યાં જ તૈયાર થઈને અમો નીકળી પડેલાં ડાંગ ભણી ..

આખા ય રસ્તે પ્રકૃતિનું અપાર સૌંદર્ય વણાયેલું હતું અને ખાસ કરીને ત્યાંની આદિવાસી પ્રજાની સાદાઈ, એની સરળતા, કુદરત સાથે કામ કરવાની એની આવડત – એ બધું જોઈને હું વધારે દંગ થઈ ગઈ. ‘ડાંગી’ સ્ટોરમાં આ પ્રદેશનું જ ઉત્પાદન જોયું. બોટનિકલ ગાર્ડન, શબરીધામ, ગીરાધોધ અને પંપા સરોવરનું સૌંદર્ય અમોએ મનભરીને માણ્યું.

‘ડાંગી સ્ટૉર’ને આંગણે : દર્શનાબહેન ધોળકિયા, આશાબહેન શાહ, કલ્પનાબહેન દેસાઈ તથા જીલબહેન ડાભી 

આ બધું જોવામાં આશાબહેન અને કલ્પનાબહેનનો જે સથવારો હતો એને કારણે આખી વાત બદલાઈ જતી હતી. અને હા અમારા સારથી તરીકે સમાજશાસ્ત્રના પ્રોફેસર જીતેન્દ્ર વસાવા હતા કે જેઓ આ જ વિસ્તારના રહેવાસી હતા. એમને કારણે અમને અજાણી એવી કેટલી ય જગ્યાઓનું જ્ઞાન મળ્યું –  જે અમે એકલાં નીકળી પડ્યાં હોત તો કદાચ ક્યારે પણ ન મળત.

[ડાબેથી] કોકિલાબહેન વ્યાસ, હિમાંશીબહેન શેલત, દર્શનાબહેન ધોળકિયા, આશાબહેન શાહ, જીલબહેન ડાભી, સંધ્યાબહેન ભટ્ટ, દક્ષાબહેન વ્યાસ તથા તરલાબહેન શાહ

(ડાબેથી) મનીષભાઈ મિસ્ત્રી, દક્ષાબહેન વ્યાસ, સંધ્યાબહેન ભટ્ટ, આશાબહેન શાહ, કોકિલાબહેન વ્યાસ, કલ્પનાબહેન દેસાઈ, હિમાંશીબહેન શેલત, તરલાબહેન શાહ, દર્શનાબહેન ધોળકિયા તેમ જ જીલબહેન ડાભી

બીજો દિવસ મારા માટે વધારે અગત્યનો હતો – એટલા માટે કે વર્ષોથી વાલોડ મુકામે જુગતરામભાઈ દવેની નિશ્રામાં જેમણે ધૂણી ધખાવી હતી એવાં દંપતી તરલાબહેન શાહ – બાબુભાઈ શાહની મુલાકાત થવાની હતી. (અત્યારે તરલાબહેન બાબુભાઈ વતી પણ કામ કરે છે) જોગાનુજોગ તરલાબહેન સંબંધે મારાં મામાનાં દીકરી પણ ખરાં! હું વર્ષોથી એમને જાણતી હતી કે, એક ખૂણે બેસીને તેઓ કેવું ઝીણું કાંતે છે. એકાદ વખત મારે ત્યાં જવાનું થયું છે પણ આ વખતે એમણે બહુ સરસ એક ઉપક્રમ રચ્યો. ગુજરાતી સાહિત્યની જાણીતી એવી  લેખિકાઓને હિમાંશીબહેન શેલતની રાહબરીમાં એમણે એકઠાં કર્યાં. હિમાંશીબહેને તો  સામેથી અમારી સાથે રહેવાય અને તરલાબહેનને મળાય એટલે આવવાનું સ્વીકાર્યું. એ અમારી સાથે પ્રવાસમાં વલસાડથી જ જોડાયાં. તરલાબહેને વ્યારાથી દક્ષાબહેન વ્યાસને અને બારડોલીથી સંધ્યાબહેન ભટ્ટને બોલાવી લીધેલાં, કોકીલાબહેન વ્યાસ તો ત્યાં હતાં જ. એક મહાસંમેલન જેવું વાતાવરણ ત્યાં રચાઈ ગયું. વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની મને તક મળી અને તરલાબહેનને ૮૫ પછીની ઉંમરે એટલાં ટટ્ટાર અને વિધાયક જોઈને સાનંદ આશ્ચર્ય થયું. એમનો સૂક્ષ્મ પ્રભાવ આ પ્રદેશ પર કેવી રીતે છવાયેલો છે એ જાણી પ્રસન્નતા પણ થઈ. કોકીલાબહેનનાં દોહિત્રી માધવી પણ ખૂબ પર્યાવરણ પ્રેમી, એ પણ ઘરબાર મૂકીને વેડછી અને વાલોડમાં વૃક્ષ વાવવાની હોડમાં જોડાયાં હતાં.

ધ્વજવંદન, પિંડવળ : અતિથિ વિશેષ દર્શનાબહેન ધોળકિયા

ત્રીજા દિવસે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમ નિમિત્તે પિંડવળ અને ખડકી મુકામે જવાનું થયું. નાના બાળકોની હકારાત્મક ભૂમિકા, જીવન પ્રત્યેનો શિક્ષકોનો પ્રેમ આ બધું જોઈને સ્તબ્ધ થઈ જવાયું. પિંડવળ પછી જવાનું થયું ખડકી, જ્યાં સુજાતાબહેન કામ કરે છે. નદી કિનારે હતી એ સંસ્થા. આ સંસ્થાનું પવિત્ર વાતાવરણ અને એમાં થતો એ નીરવ સંવાદ .. સંસ્થાનું વાતાવરણ અને સુજાતાબહેનની વાતો સાંભળીને અવાક થઈ જવાયું. આ પ્રદેશ જોઈને એમ લાગ્યું કે ગાંધીજી ત્યારે પણ સદ્દભાગી હતા કે એમને જબરજસ્ત ટીમ સાંપડી. એમની ક્ષરદેહે અત્યારે ઉપસ્થિતિ નથી ત્યારે પણ એમના સિદ્ધાંતોને અનુલક્ષીને એમના પછીની ચોથી પેઢી આજે એટલા જ ઉત્સાહથી અહીંયા કાર્યરત છે, સમર્પિત છે. પાછા ફરતાં નંદીગ્રામ મુકામે મકરંદભાઈની અંતિમ યાદગીરીની મુલાકાત લીધી અને એ ક્ષણે એમની ક્ષરદેહની અનુપસ્થિતિએ મને ઘેરા શૂન્યાવકાશમાં મૂકી દીધી. કુંદનિકાબહેન સાથે સાત ડગલાં ભરવાનો લાભ મેળવ્યો. મકરંદભાઈ હજુ હમણાં જ ભર્યા માહોલની વચાળેથી ઉઠ્યા હોવાનો અહેસાસ અનુભવ્યો ને એમની ઉપસ્થિતિની અગાઉ અનુભવેલી સભરતા તાજી થઈ.

નંદીગ્રામની જાતરા : મકરન્દભાઈ દવે તથા કુન્દનિકાબહેન કાપડિયાના થાનકે – (ડાબેથી) વીરેન્દ્રભાઈ શાહ, દર્શનાબહેન ધોળકિયા, જીલબહેન ડાભી તથા આશાબહેન શાહ

સમગ્ર રીતે આ પ્રવાસનો નિષ્કર્ષ મારે તારવવો હોય તો મને એમ લાગ્યું કે પ્રાચીનકાળના ઋષિઓ પ્રકૃતિની નિશ્રામાં આત્માના કલ્યાણ અર્થે જે રીતે એકાગ્ર થઈને જાતને તપાસતા હતા, આત્મનિરીક્ષણ કરતા હતા અને એ રીતે મોક્ષ પ્રાપ્તિની સાધનામાં લાગેલા રહેતા હતા અને જોગાનુજોગ તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા પણ હતા. સૌ કોઈનું આત્મકલ્યાણ કરાવવામાં સિંહ ફાળો આપતા હતા – એનો વારસો આજે જુદી રીતે એ પછી સવજીભાઈ, આશાબહેન ને સંધ્યાબહેન જેવાં અધ્યાપકો હોય કે પછી તરલાબહેન જેવો આજનો વેડછીનો વડલો હોય.  એવા લોકો જે ચૂપચાપ આજે ત્યાં કામ કરે છે એમને જોઈને પ્રાચીન ઋષિઓની સાધના આજે કેવી તો જુદા અર્થમાં ત્યાં પરિવર્તિત થઈ છે એ જોવાનો મોકો મને મળ્યો.

કુટુંબ, પરિવાર, સમાજના નીતિ-નિયમો સૌ કાંઈ બાજુ પર મૂકીને આ લોકો માત્ર ને માત્ર પોતાના કામને કેટલા તો પ્રતિબધ્ધ થઈને ચાહે છે, મહાત્માના સિદ્ધાંતોને અનુસરે છે એનું દર્શન થયું.   એટલું જ નહીં પણ બીજા લોકો પણ મહાત્માનો વિશ્વાસ કરે એવી અનાયાસ સાધના એમના દ્વારા એ પ્રગટ કરે છે – એ જોઈને મૌન થઈ જવાય. બહારની દુનિયા જાણે કે ભોગવિલાસમાં તરબતર છે અને એની વચ્ચે એક એવી જગા છે કે, જેમાં લોકો જુદી રીતે સમાજ સાથે રહ્યા છે એવું મને લાગ્યું.

ચાલતી ગાડીએ હિમાંશીબહેન પાસેથી પણ અમુક વાતો જાણવા મળી. એમના બાળપણમાં આચાર્ય વિનોબાએ તેમની સંસ્થા જીવન ભારતીની મુલાકાત લીધેલી અને બધા પાસેથી કંઈક કંઈક નાનકડી પ્રતિજ્ઞા કરાવેલી અને હિમાંશીબહેનથી ત્યારે કહેવાઈ ગયું કે, “હું ક્યારે ય પણ ભેદભાવ નહીં રાખું, બધાંને સમાન માનીશ.” ત્યારે હિમાંશીબહેનને માથે હાથ ફેરવતા વિનોબા આ ગાડીમાં એ ક્ષણે મને સાક્ષાત્‌ થયા. અને મન ભરાઈ આવ્યું કે આ લોકોનો પ્રભાવ કેટલો બધો વ્યાપક રીતે પડ્યો અને એ પેઢી ઉપર જે આજે ૭૦ ઉપરની ઉંમરમાંથી પસાર થઈ રહી છે ! ઘણા બધા વાળાઢાળા આ લોકોએ જોયા છે ત્યારે પણ આ ગુરુજને આપેલી મંત્રદીક્ષાને તેઓ કેવી તો ચૂપચાપ સાચવી રહ્યા છે, એમની સુવાસને ફેલાવતા રહ્યા છે. આ બધું જોતા હું એ નક્કી જ ન કરી શકી કે, આખા પ્રદેશની બહાર ફેલાયેલી સુંદરતાને પ્રણામ કરવાં કે અંદરના સૌંદર્ય લઈને જીવતાં આ મહાનુભાવોને.  એ બે વચ્ચે જાણે અહીંયા હરીફાઈ ચાલી રહી હતી. મારા જેવા ત્રણ – ચાર દિવસ આ રીતે રખડવા નીકળી પડ્યા હોય અને કુદરત કે આ સંસ્થાઓની પ્રશંસા કરે એ મને નર્યો દંભ લાગે કારણ કે ત્યાં રહેવું, ત્યાની મુશ્કેલીઓમાંથી પસાર થવું એ કાચા પોચાનું કામ નથી. બલકે મને એમ લાગ્યું કે આવા કેટલાક ચોક્કસ લોકોની નિયતિ જ આવી હોય છે. એનું અનુકરણ કરીને કોઈ સામાન્ય વ્યક્તિ આવી ઘટનાઓમાં ઝંપલાવી ન શકે કે કૂદકો પણ મારી ન શકે. એટલે આ બધાને જોઈને મને જ્ઞાનદેવની એક સરસ કવિતા જેનો, ‘જ્ઞાનદેવ ચિંતનિકા’માં વિનોબાએ અનુવાદ કર્યો છે એ યાદ આવી ગઈ કે, ‘અમે નિત્ય સંન્યાસી છીએ, બધું જ છોડતાં છોડતાં અમે છેવટે છોડવાની ભાવના પણ છોડી’. બહાર અખંડ પ્રવૃત્તિ અને અંદર અખંડ નિવૃત્તિ. છોડવાની ભાવના પણ જેની છૂટી ગઈ છે એવા આ લોકોને મળીને મને એમ લાગ્યું કે કુદરત ઉપર પણ એમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે.

વનસ્થલી મુકામે

ડાંગની ભવ્ય પ્રકૃતિ આ સૌ પાસે જાણે નતમસ્તક થઈ ગઈ છે. કોઈ જ પરિચય વિના ત્રણ ત્રણ દિવસ પોતાના ઘરના સભ્યની જેમ અમને સંભાળીને રાખતાં આશાબહેનથી માંડીને સુજાતાબહેન અને આશાબહેનના પતિ વીરેન્દ્રભાઈ કે જેમણે આ સંસ્થાઓ અને આ સંસ્થાના લોકોને જોઈને પોતાનું કામ છોડીને આ સંસ્થાને ચરણે બેસવાનું પસંદ કર્યું અને એવી તો કેટકેટલી વાતો થઈ કે જે એમણે અંગતભાવે મારા સાથે વહેંચી અને હા, આશાબહેનનાં મિત્ર ડોક્ટર દંપતી સરોજબહેન અને એમના પતિ કાંતિભાઈ કે જેમણે મકરંદભાઈથી માંડીને બધાની વૈદકીય સેવા કરી. એમનો આ બધા પ્રત્યેનો પ્રેમ અને પોતાની વિદ્યા આ સૌ માટે વપરાઈ એનો અહોભાવ અને મારા જેવા બિલકુલ અજાણ્યા લોકોની સાથે બેસવાની અને સાહિત્યની ઉપાસના કરવાની એમની ધગશ એ બધું જોઈને એમ લાગ્યું કે, પ્રકૃતિએ તો ડાંગના લોકોને પોતાની નિર્મળતાનો ચેપ લગાડ્યો છે.

આ ત્રણ દિવસ મેં અનુભવેલી નિર્મળતા જો મને નિર્મળ થવા ભણી દોરશે તો હું આ પ્રવાસને આ સાર્થક ગણીશ. અંતે આ સૌને મહાત્મા લાઉત્સેનું એક વિધાન અર્પણ કરું છું : “મહાન વ્યક્તિત્વોનાં પગલાં પક્ષી જેવાં હોય છે.” અર્થાત્‌ પક્ષીને પગલાં જ હોતાં નથી. એ તો અનંત આકાશમાં વિહરતું હોય છે – કોઈ છાપ છોડ્યા વિના. આ સૌનાં આવાં ઉડયનને સૌ વતી મારાં પ્રણામ.

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0171,0181,0191,020...1,0301,0401,050...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved