Opinion Magazine
Number of visits: 9742974
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સનાતન ધર્મ વિશે ગાંધીજી શું કહે છે?

કિરણ કાપુરે|Opinion - Opinion|23 September 2023

“જિસ સનાતન કો ગાંધીજીને જીવનપર્યંત માના. જિન ભગવાન શ્રીરામને ઉનકો જીવનભર પ્રેરણા દી. ઉનકે આખરી શબ્દ બને થે રામ. જિસ સનાનતને ઉન્હે અસ્પૃશ્યતા કે ખિલાફ આંદોલન ચલાને કે લિએ પ્રેરીત કિયા. યહ I.N.D.I.A. ગઠબંધન કે લોગ, યહ ઘમંડિયા ગઠબંધન કે લોગ ઉસ સનાતન પરંપરા કો સમાપ્ત કરના ચાહતે હૈ ..” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં મધ્ય પ્રદેશના બીનામાં એક કાર્યક્રમમાં વિરોધ પક્ષના ગઠબંધન પર પ્રહાર કરતાં ઉપરોક્ત ભાષણબાજી કરી હતી. જો કે નરેન્દ્ર મોદીએ સનાતન ધર્મને ગાંધીજી સાથે જોડીને જે વાત કરી તેની પાછળ તેમનો હેતુ ધર્મના નામે રાજકારણ રમવાનો છે. ગાંધીજીના સનાતન ધર્મને લઈને જે વિચારો હતા તે ધર્મની આજે જે વ્યાખ્યાઓ અને અર્થ કરાયા છે તેનાથી ઘણા ભિન્ન હતા. ગાંધીજી એ ધર્મ અંગેના પોતાના વિચારો ખૂબ સ્પષ્ટતાથી રજૂ કર્યા છે. 1921માં ‘નવજીવન’ સામયિકમાં તેમણે ‘હિંદુ ધર્મ’ના મથાળેથી સનાતન ધર્મ વિશે ખૂબ વિગતે લખ્યું છે.

તેઓ લેખની શરૂઆતમાં લખે છે : “હું હંમેશાં જ મને પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવું છું .… અને છતાંયે હિંદુ ધર્મને નામે થનારી એવી કેટલીયે બાબતો છે જે મને માન્ય નથી. જો હું સાચો સનાતની ન હોઉં તો પોતાને સનાતની અગર એવા જ બીજા નામથી ઓળખાવવાની મને ઇચ્છા નથી. તેમ એક મોટા ધર્મના નામનો આશ્રય લઈને તેમાં છૂપી રીતે કશો સુધારો કે બગાડો દાખલ કરવાની પણ મારી અલબત્ત ઇચ્છા નથી. તેથી મારો એ ધર્મ થઈ પડ્યો છે કે સનાતન હિંદુ ધર્મનો હું કેવો અર્થ કરું છું તે મારે એક વાર સ્પષ્ટપણે ચોખ્ખું કરી દેવું. “સનાતન” શબ્દ હું એના સ્વાભાવિક અર્થમાં જ હંમેશાં વાપરું છું. હું મને પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણ કે : 

  1. હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રોને નામે ઓળખાય છે તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મને પણ માનું છું. 

     2.  હું વર્ણાશ્રમધર્મને મને લાગે છે કે એના મૂળ વૈદિક અર્થમાં માનું છું; એના આજના લૌકિક અને અણઘડ અર્થમાં નહીં.

     3.  હું ગૌરક્ષાને તેના આજના લૌકિક અર્થ કરતાં ઘણા વધારે વિશાળ અર્થમાં માનું છું.  

     4.  મૂર્તિપૂજાને વિષે મારી અનાસ્થા નથી.

સનાતન ધર્મ અંગે ગાંધીજીએ અહીંયા જે ચાર બાબતો ટાંકી છે તેમાં હિંદુ ધર્મની જે પરંપરાગત આસ્થા છે તેનો સૂર છે. પરંતુ અહીં તુરંત ગાંધીજી હિંદુ ધર્મશાસ્ત્રો વિશે સ્પષ્ટતા કરતા લખે છે : “… વેદો તેમ જ બીજાં શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં તેમને મેં અપૌરુષેય અગર ઈશ્વરપ્રણીત કહ્યાં નથી. કારણ એકલા વેદ જ અપૌરુષેય કે ઈશ્વરપ્રણીત હોય એમ હું માની શકતો નથી. હું તો બાઇબલ, કુરાન અને ઝંદઅવસ્તાને પણ વેદના જેટલાં જ ઈશ્વરપ્રેરિત સમજું છું. આ ધર્મગ્રંથોનું મને કશું પ્રત્યક્ષ જ્ઞાન છે એવો મારો દાવો નથી. છતાં જે મુદ્દાનાં સત્યો ધર્મશાસ્ત્રો ઉપદેશે છે તે હું અંતરથી ઓળખું છું અને લાગણીથી સમજું છું એવો અલબત્ત મારો દાવો છે. શાસ્ત્રના મારી બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિને અળખામણા લાગે એવા કોઈ પણ અર્થથી — પછી તે ચાહે તેટલા વિદ્વત્તાપૂર્ણ કાં ન હોય — બંધાવાની હું ના પાડું છું. અત્યારના શંકરાચાર્યો અગર શાસ્ત્રીઓ પોતે હિંદુ ધર્મશાસ્ત્રોનો જે અર્થ કરી બતાવે છે તે જ એક સાચો છે એવો દાવો તેઓ કરતા હોય તો હું તેનો વધારેમાં વધારે આગ્રહપૂર્વક નિષેધ કરું છું. ઊલટું હું એમ માનું છું કે આ ધર્મગ્રંથોનું આપણું અત્યારનું જ્ઞાન છેક જ અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલેકી અને ધનવૈભવનો ત્યાગ નથી કર્યો, તેવો કોઈ પણ મનુષ્ય શાસ્ત્રોને ખરેખરાં સમજી ન જ શકે એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે.”

અહીં ગાંધીજી કુરાન, બાઈબલ અને ઝંદાઅવસ્તાને વેદોની હરોળમાં મૂકે છે. આ ઉપરાંત શાસ્ત્રો જો બુદ્ધિ અને નૈતિક દૃષ્ટિએ યોગ્ય ન લાગે તો તેમાં બંધાઈ જવાનો પણ ઇન્‌કાર કરે છે. શંકરાચાર્યો પર પ્રશ્નો કરીને તેઓના ધર્મગ્રંથોનું જ્ઞાન અસ્તવ્યસ્ત છે તે પણ જણાવે છે. ગાંધીજીના નામનો આધાર લઈને સનાતન ધર્મની વાતો કરનારા આજના રાજકારણીઓ શું ખુલીને ગાંધીજીના આ વિચારોનો સ્વીકાર કરી શકશે?

જો કે ગાંધીજીએ સનાતન ધર્મની બાબતે વર્ણાશ્રમને લઈને જે વિચારો મૂક્યા છે તેના સ્વીકારને લઈને સતત વિવાદ થતા રહ્યા છે. ખાસ કરીને વર્તમાન સમયે ગાંધીજીના વર્ણાશ્રમ સંબંધિત વિચારો સાથે સહમતિ સાધી શકાતી નથી. વર્ણાશ્રમનો સ્વીકાર કરતા ગાંધીજી આભડછેટનો મક્કમતાથી વિરોધ કરે છે. તેઓ આ બાબતે એક પ્રસંગ ટાંકતા લખે છે : “દુર્ભાગ્યે આજકાલ હિંદુ ધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહેલો જોવામાં આવે છે. એક વાર એક ધર્મશીલ હિંદુ ભાઈ સમક્ષ મેં મુસલમાનના ઘરમાં બેઠાં ડબલ રોટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી મૂક્યા હતા. મેં જોયું કે એક મુસલમાન મિત્રે આણી આપેલા પ્યાલામાં મને દૂધ રેડી લેતો જોઈને તેમને ભારે દુ:ખ થયું. પણ જ્યારે તેમણે મને એ મુસલમાન મિત્રના હાથની ડબલ રોટી લેતો જોયો ત્યારે તો તેમની વ્યથાનો પાર જ રહ્યો નહીં! મને ભય છે કે શું ખાવું અને કોની જોડે ખાવું એના ઝીણામાં ઝીણા વિધિનિષેધ નક્કી કરવા પાછળ જ જો હિંદુ ધર્મ પોતાનું બધું બળ રોકશે તો તે થોડા જ વખતમાં ખરી વસ્તુને ખોઈ બેસશે. માદક પદાર્થો અથવા ખોરાકોના સેવનથી દૂર રહેવું અગર તો માંસાહાર ન કરવો એ આત્માના વિકાસની દિશાએ ભારે મદદકર્તા છે એ સાવ સાચું, પણ તેથી તે એક જ વસ્તુ કંઈ ધર્મનું સારસર્વસ્વ નથી. હરકોઈની જોડે બેસીને ખાનારા ને માંસાહાર કરનારા અને છતાં ઈશ્વરથી ડરનારા અનેક માણસો માંસાહારથી અને બીજી ઘણી વસ્તુઓથી ભારે ચુસ્તતાપૂર્વક દૂર રહેનારા અને છતાંયે પોતાના પ્રત્યેક કાર્યથી ઈશ્વરને અપમાન પહોંચાડનારા માણસના કરતાં મોક્ષદશાની વધુ જ નજીક છે.”

વર્ણાશ્રમ પછી તેઓ હિંદુ ધર્મ અને ગાય વિશે પણ આ લેખમાં ખાસ્સું લખ્યું છે અને તેઓ ગોરક્ષામાં આપણે ગાયની કેવી દુર્દશા કરી મૂકી છે તેના વિશે પણ લખવાનું ચૂક્યા નથી. ગાંધીજીએ ગીતા, રામાયણ અને મહાભારત તરફની તેમની મમતા વિશે કહ્યું છે :  … એક અતૂટ મમતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. તે જ મમતાની ભાવના હિંદુ ધર્મને માટે પણ તેના બધા દોષો અને મર્યાદાઓ છતાં મારા અંતરમાં છે. ગીતા કે તુલસીરામાયણ(જે બે પુસ્તકોનું જ આખા હિંદુ ધર્મગ્રંથરૂપી અર્ણવમાં મને જ્ઞાન છે એમ કહેવાય)નું સંગીત મારામાં જે જીવન પૂરે છે તે દુનિયામાં બીજો કોઈ ગ્રંથ પૂરી શકે એમ નથી. જ્યારે હું અંતકાળને કિનારે છું એમ મને લાગ્યું હતું ત્યારે ગીતા જ મારા અંતરનો વિશ્રામ હતી. હિંદુ મંદિરો અને દેવસ્થાનોમાં આજકાલ જે અનાચાર પ્રવર્તે છે તેથી હું અજાણ નથી. પણ એ બધા અકથનીય દોષો છતાં હું એ સંસ્થાઓને ચાહું છું. એની વાતોમાં મને જે રસ આવે છે તે બીજીમાં નથી આવતો. હું ઠેઠનો સુધારક છું; છતાં સુધારાની વ્યાકુળતામાં હું હિંદુ ધર્મના કોઈ પણ આવશ્યક અંગનો ત્યાગ કરવા તૈયાર નથી. હું પાછળ કહી ગયો કે મૂર્તિપૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્ય ભાવ પણ પેદા નથી કરતી. છતાં હું માનું છું કે મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે.”

ગાંધીજીએ અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનો સૌથી મોટી મર્યાદા ગણાવી છે : “આવી મારી હિંદુ ધર્મની સમજણ હોવાથી હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને હું કદી પણ સાંખી શક્યો નથી. અસ્પૃશ્યભાવનાને હું હંમેશાં હિંદુ ધર્મની ઉપર વળગેલો મેલ માનતો આવ્યો છું. અનેક પેઢીઓથી એ ચાલતો આવ્યો છે એ ભલે, પણ એવી બીજી પણ અનેક પ્રથાઓ આજદિન લગી ચાલતી આવી છે. દેવદાસીઓ અને મુરલીઓની પ્રથા હિંદુ ધર્મનું એક અંગ છે એ વિચારે હું તો શરમથી મરી જ રહ્યું. અને છતાં દેવધર્મને નામે આ ઉઘાડો વ્યભિચાર હિંદુસ્તાનના ઘણા ભાગોમાં હિંદુઓમાં પ્રવર્તે છે. વળી કાળીને બકરાંનો ભોગ આપવો એ વસ્તુને પણ હું નર્યા અધર્મ માનું છું અને એ હિંદુ ધર્મનું અંગ છે એવું માનતો નથી. હિંદુ ધર્મ એ તો અનેક યુગોનો વિકાસ છે.”

હિંદુ ધર્મની આ વાતો ગાંધીજીએ 1921માં લખી છે અને એ પછી પણ તેઓ સતત લખતા રહ્યા છે. ગાંધીજીના ઘણા વિચારોમાં વિરોધભાસ જોવા મળે છે તો કેટલાંક વિચારોમાં પરિવર્તન પણ આવ્યું છે. આ બાબતે તેમણે 1933માં લખ્યું છે કે, “મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈના મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયના બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત માને.”

e.mail : kirankapure@gmail.com

Loading

‘इंडिया’ का इस्तेमाल रोकने की सरकारी कवायद

राम पुनियानी|Opinion - Opinion|23 September 2023

राम पुनियानी

यह संयोग ही है कि विपक्षी पार्टियों के ‘इंडिया’ (इंडियन नेशनल डेमोक्रेटिक इंक्लूसिव अलायन्स) के नाम से एक मंच पर आने के बाद से भाजपा सरकार आधिकारिक दस्तावेजों में ‘इंडिया’ शब्द के इस्तेमाल से बच रही है और उसके पितृ संगठन आरएसएस ने एक फतवा जारी कर कहा है कि हमारे देश के लिए केवल ‘भारत’ शब्द का प्रयोग होना चाहिए. जी20 की शिखर बैठक में भाग लेने दिल्ली आए विदेशी मेहमानों को ‘भारत की राष्ट्रपति’ ने भोज पर आमंत्रित किया. सत्ताधारी भाजपा भी ‘इंडिया’ शब्द के इस्तेमाल से बच रही है. उसका कहना है कि हमारे देश को यह नाम हमारे औपिनिवेशिक शासकों ने दिया था और इसलिए इससे औपनिवेशिकता की बू आती है. पार्टी नेता हेमंत बिस्वा सरमा ने कहा कि ‘इंडिया’ शब्द हमारे देश की औपनिवेशिक विरासत का हिस्सा है और हमें इससे छुटकारा पा लेना चाहिए.

आरएसएस के मुखिया और अन्य पदाधिकारी भी यही बात कह रहे हैं. गुवाहाटी में एक कार्यक्रम में बोलते हुए मोहन भागवत ने कहा, “हमें इंडिया शब्द का प्रयोग बंद कर देना चाहिए और इसकी जगह भारत शब्द का इस्तेमाल करना चाहिए. कब-जब हम इंडिया इसलिए कहते हैं ताकि अंग्रेजी-भाषी लोग समझ सकें कि हम किस देश के बारे में बात कर रहे हैं. अक्सर हम प्रवाह में इस शब्द का प्रयोग करते हैं. हमें यह बंद करना चाहिए.” यह जताने के प्रयास भी हो रहे हैं कि इंडिया और भारत शब्द हमारे देश के अलग-अलग हिस्सों और अलग-अलग सांस्कृतिक धाराओं का प्रतिनिधित्व करते हैं. कई मौकों पर ‘इंडिया’ और ‘भारत’ को देश की परस्पर विरोधाभासी प्रवृत्तियों या घटकों के रूप में भी प्रस्तुत किया जाता है. जैसे भागवत ने ही हमें बताया था कि “बलात्कार, इंडिया में होते हैं भारत में नहीं.” उनके अनुसार, बलात्कार और सामूहिक बलात्कार केवल ‘शहरी भारत’ में होते हैं जहाँ पश्चिमी संस्कृति का बोलबाला है और ‘ऐसी चीज़ें’ ग्रामीण भारत में नहीं होतीं, जहाँ पारंपरिक मूल्यों की प्रधानता है. कहने की ज़रुरत नहीं कि भागवत पूरी तरह गलत हैं. यही बहस एक बार फिर जिंदा हो गयी है और इसका कारण है विपक्ष द्वारा अपने गठबंधन के लिए एकदम उपयुक्त और प्रभावी नाम चुनना.

सच तो यह है हमारे देश के नाम के अनेक स्त्रोत हैं. सभ्यताएं स्थिर पोखर की तरह नहीं होतीं. वे बहती हुई नदी की तरह होतीं हैं. समय और परिस्थितियों के साथ उनमें परिवर्तन आते रहते हैं. अतीत में कई महाद्वीपों और देशों के नाम बदले हैं.

हमारे देश को मुख्यतः दो नामों – भारत और इंडिया – से पहचाना जाता रहा है. इन दोनों ही नामों के कई स्त्रोत हैं. भारत शब्द का स्त्रोत मुख्यतः धर्मग्रन्थ हैं. कुछ धर्मग्रंथों में इस भूमि को जम्बूद्वीप भी कहा गया है. सम्राट अशोक के शिलालिखों में जम्बूद्वीप शब्द ही प्रयुक्त हुआ है. जम्बूद्वीप का अर्थ है मेरु पर्वत के चारों ओर जो चार महाद्वीप हैं, उनमें से दक्षिण में स्थित महाद्वीप. यह परिकल्पना प्राचीन ब्रह्माण्ड ज्ञान का भाग है. जामुन के पेड़ के नाम पर जम्बूद्वीप कहे जाने जाने वाले दुनिया के इस हिस्से में आधुनिक मालदीव, नेपाल, पाकिस्तान और बांग्लादेश भी शामिल हैं. इसी तरह, गंगा नदी की घाटी, जिसमें आर्यों ने सबसे पहले डेरा डाला, को आर्यावर्त भी कहा जाता है.

भारत शब्द का सबंध महान भरत राजा के भरत वंश से है. ऋग्वेद (सप्तम अध्याय, ऋचा 18) में भरत वंश के राजा सुदस और दसराजन (दस राजाओं) के बीच युद्ध का वर्णन है. महाभारत में चक्रवर्ती सम्राट भरत का ज़िक्र आता है, जो कौरवों और पांडवों के पूर्वज थे. विष्णुपुराण में भरतवंशम की चर्चा है. भरत का साम्राज्य, वर्तमान भारत के अलावा वर्तमान पाकिस्तान, अफ़ग़ानिस्तान और ईरान तक फैला हुआ था. जैन साहित्य में बताया गया है कि चक्रवर्ती सम्राट भरत प्रथम तीर्थंकर के सबसे बड़े पुत्र थे.

इसके अलावा, हमारे देश के नामकरण में सिन्धु नदी की भी भूमिका है. अवेस्ता में इसे हप्तहिन्दू कहा गया है. वेदों में कुछ स्थानों पर इसे सप्तसिंधु बताया गया है. हखामानी (पर्शियन) स्त्रोतों में सिन्धु नदी के आसपास के इलाके को हिन्दुकुश कहा गया है. इसके भी पहले, चौथी सदी ईसा पूर्व में मेगस्थनीज ने इसे इंडिया बताया था, जो यूनानी भाषा में इंडिके हो गया. यहीं से इंडिया नाम की शुरुआत हुई. जो लोग कह रहे हैं कि इंडिया शब्द औपनिवेशिक विरासत हैं, वे इस शब्द के जटिल इतिहास से परिचित नहीं हैं और राजनैतिक उद्देश्यों से संविधान की शब्दावली “इंडिया, जो भारत है” का इस्तेमाल करना नहीं चाहते.

मानव सभ्यताएं ठहरती नहीं हैं. बल्कि ठहरी हुई सभ्यताएं प्रगति नहीं करतीं. इस सत्य का उन विभूतियों को अहसास था जो औपनिवेशिक ताकतों के विरुद्ध संघर्ष कर रही थीं. यही कारण था कि सुरेन्द्रनाथ बैनर्जी ने “इंडिया: द नेशन इन द मेकिंग” की बात की थी. यही कारण था कि गांधीजी ने अपने समाचारपत्र का नाम ‘यंग इंडिया’ रखा था और यही कारण था कि आंबेडकर ने पहले इंडियन लेबर पार्टी और बाद में रिपब्लिकन पार्टी ऑफ़ इंडिया का गठन किया था. ‘इंडिया’ शब्द कतई औपनिवेशिक विरासत नहीं है. यह शब्द ब्रिटिश ईस्ट इंडिया कंपनी द्वारा भारत में व्यापार करने और उसे लूटने के लिए यहाँ आने से बहुत पहले से प्रचलन में था. इस शब्द का इस्तेमाल औपिनिवेशिकता-विरोधी आन्दोलन में भी किया गया था. और पूरी दुनिया हमारे देश को इंडिया के नाम से ही जानती है.

जो लोग औपनिवेशिक विरासत और पश्चिमी प्रभाव के नाम पर ‘इंडिया’ शब्द के इस्तेमाल को बंद करवाना चाहते हैं, वे तो समानता, स्वतंत्रता और बंधुत्व जैसे प्रजातान्त्रिक मूल्यों को अपनाने के भी खिलाफ हैं. यह भी दिलचस्प है कि यही लोग अभी कुछ समय पहले तक इसी शब्द का जम कर इस्तेमाल करते थे. मेड इन इंडिया, स्किल इंडिया, क्लीन इंडिया ये सब नाम आखिर किसके दिए हुए हैं? अपनी चुनावी सभाओं में मोदी ‘वोट फॉर इंडिया’ का नारा भी देते रहे हैं.

“इंडिया, जो भारत है”, निरंतरता और परिवर्तन दोनों को एकसाथ अभिव्यक्त करता अद्भुत शब्द समूह है. वह हमारी महान परम्पराओं को कायम रखने के साथ ही समयानुरूप परिवर्तनों को गले लगाने की बात करता है. इन्हीं परिवर्तनों ने आधुनिक भारत की नींव रखी है.

भारत के संविधान निर्माताओं को ‘भारत’ शब्द से कोई एलर्जी नहीं थी. उन्होंने उसे हमारी आत्मा के रूप में स्वीकार किया. वे ‘भारत’ और ‘इंडिया’ को एक-दूसरे का विरोधाभासी नहीं मानते थे. वे आधुनिक भारत की आवश्यकताओं और प्राथमिकताओं को समझते थे. यही कारण है कि उन्होंने गुरुदेव रबीन्द्रनाथ टैगोर के ‘जन गण मन’ को राष्ट्रगान के रूप में स्वीकार किया, जिसमें ‘भारत भाग्य विधाता’ की बात कही गयी है. राजीव गाँधी ने 21वीं सदी के भारत की परिकल्पना करते हुए ‘मेरा देश महान’ का नारा दिया था.

पूरी दुनिया हमारे देश को ‘इंडिया’ नाम से ही जानती है. यह भी दिलचस्प है कि ‘भारत’ शब्द के प्रयोग पर सबसे पहले जिस व्यक्ति ने आपत्ति की थी, उनका नाम था मुहम्मद अली जिन्ना. हमारी स्वतंत्रता के चार हफ्ते बाद, जिन्ना ने भारत के गवर्नर जनरल लार्ड माउंटबैटन को लिखे एक पत्र में हमारे देश के लिए ‘इंडिया’ शब्द के इस्तेमाल का विरोध किया था. उन्होंने लिखा था, “यह दुखद है कि किन्हीं छुपे हुए कारणों की वजह से हिंदुस्तान ने अपने लिए ‘इंडिया’ शब्द को अंगीकार किया है. यह गुमराह करने वाला है और इसका उद्देश्य भ्रम फैलाना है.” जिन्ना के अनुसार, ‘इंडिया’ उस अविभाजित राष्ट्र का नाम था, जिसका अस्तित्व बंटवारे के बाद समाप्त हो गया है. क्या हम कह सकते हैं कि आज जो लोग इंडिया शब्द के इस्तेमाल पर हमलावर हैं, वे जिन्ना की राह पर चल रहे हैं?

20/09/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/great-uneasiness-among-bjp-rss-about-india-efforts-are-being-made-to-stop-its-use-article-by-ram-puniyani

Loading

અખોવન 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|23 September 2023

પ્રીતમ લખલાણી

‘શું કહ્યું બા, તમે? મિતાબહેનનો ખોળો કેથરિન ભરશે? અરે સુઘા, તું સાંભળે છે ને, બા શું કહે છે? મિતાબહેનનો ખોળો પેલી કાળી, નિગ્રો, કર્લી વાળવાળી અને જાડા હોઠવાળી હેમેનભાઈની ડોકટર વહુ ભરશે! અને આપણે બંને શોભાનું પૂતળું થઈ એની સાર-સરભરા કરતાં જાણે ફોટો પડાવવા આવ્યાં છીએ. કેમેરા સામે હસતું મોઢું રાખીને તેની બાજુમાં ઊભા રહેવાનું!’

‘સુચિતા ભાભી! જેવી બા તેમ જ નણંદબાની ઈચ્છા! શું કામ આપણે કારણ વગર દુઃખી થવાનું!’ સુઘાએ ઘીમા તાપે સ્ટવ પર ચઢતી દાળમાં ચમચો હલાવતાં પોતાનો સૂર પુરાવ્યો!

ભલે બા અને મિતાબહેન રાજી થાય એમ કરજો. બાકી આ કાળી અમેરિકનનો શું ભરોસો?

ભગવાન જાણે લગ્ન પહેલા કેટલા જોડે રંગ રેલીઓ કરી આવી હશે. અને કોણ જાણે કેટલાં ઍબોર્શન કરાવી નાખ્યાં હશે? કોણ કારણ વગર નરકના દરવાજા ખખડાવે! સુઘા, તને તો ખબર જ હશે? આપણાંમાં તો એ જ સ્ત્રી ખોળો ભરી શકે કે જે અખોવન હોય.

‘અરે! સુચિતા! મેં તને આટલા નાના મનની કયારે ય નહોતી જાણી. મને તો એમ કે તેં અમેરિકાની યુનિવર્સિટીમાંથી એક નહીં પણ બે માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. વળી છેલ્લા બે દાયકાથી અમેરિકામાં છે, એટલે તું તો આ દેશની સંસ્કૃતિમાં ઘણી જ ઓતપ્રોત થઈ ગઈ હોઈશ. ભલે, તારી આ સાસુએ સાતમી ચોપડી પાસ નથી કરી, છતાં મને એક વાતનો હૈયે ગર્વ છે કે અમેરિકામાં આવીને અહીંની રહેણીકરણી સમજ્યા પછી તો જૂનાગઢની  શેરીને તો ક્યારની ભૂલી ગઈ છું અને તું તો હજી અમદાવાદની પોળમાંથી એક ડગલું પણ બહાર નીકળી શકી નથી!’

‘બા! આ તમારી અમેરિકાની રહેણીકરણી નથી બોલતી, પણ અમારા કરતાં તમને નાના પ્રત્યે વઘારે લાગણી છે તેની વરાળ થઈને મનમાંથી બહાર આવે છે.’

અને ત્યાં જ ડ્રાઈવ-વે પર કોઈની કાર આવી એવું કિચનમાં કામ કરતી સુઘાને લાગ્યું …. તે દરવાજા તરફ દોડી … બોલી, ‘અરે બા, લ્યો … હેમેનભાઈ અને કેથરિન પણ આવી ગયાં!’

‘સુચિતા ભાભી! જરા કિચનમાંથી બહાર તો આવો અને કેથરિનને જુઓ તો ખબર પડે. અરે! આપણ બંનેને તો તેણે ક્યારના પાછળ છોડી દીઘાં છે. શું હેર સ્ટાઈલ કરાવી છે? અને ‘તાલ’માં ઐશ્વર્યા રાયે જે સાડી પહેરી છે, એવી આબેહૂબ સાડી કેથરિનને હેમેનભાઈએ અપાવીને તેના રૂપમાં ચાર ચાંદ લગાડી દીઘા છે! કેથરિન! તું તો પ્રિન્સેસ ડાયેના જેવી લાગે છે.’

‘સુઘા, રાજકુંવરી છે તો રાજકુંવરી જ લાગે ને! એમાં વળી તારે અને મારે શું કહેવાનું હોય? વાત રહી બનવા-ઠનવાની તો શું કામ ન બને? આવો અવસર પાછો કયાં જિંદગીમાં ઘડી ઘડી આવવાનો હતો? અરે! હેમેનભાઈ તમને અને કેથરિનને ખબર નહીં હોય તો લ્યો હું તમને સરપ્રાઈઝ આપું. બા અને મિતાબહેનની ઈચ્છા છે કે ખોળો કેથરિન ભરે!’ સુચિતાએ નેણ સહેજ વાંકા કરી મનની વરાળ કાઢતાં કહ્યું.

‘ભાભી! તમારો પ્રેમ અને તમારી વાત સાવ સાચી છે! પણ હું તમને બઘાંને એક મોટી સરપ્રાઈઝ આપું? હું પ્રેગનન્ટ છું!’ કેથરિને કહ્યું.

‘શું વાત છે? કોંગ્રેચ્યુલેશન ! કેથરિન!’

‘ભાભી! હવે મારે આથી વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી! તમે તો મારા કરતાં આપણા રીતરિવાજ વિશે વઘુ જાણતા હશો કે પ્રેગનન્ટ સ્ત્રી ખોળો ભરી ન શકે!’ કેથરિને ખુશી વ્યકત કરતાં જણાવ્યું.

‘બા શું ઈચ્છા છે તમારી?’ સુચિતાએ પૂછ્યું.

‘અરે! ભાભી! એમાં વળી બાને શું પૂછવાનું? બસ, તમે તૈયાર થઈ જાઓ એટલે બઘી સમસ્યાઓ  પર પૂર્ણવિરામ.’

‘સુઘા, તું નાની વહું ઘરમાં બેઠી હો અને હું મિતાબહેનનો ખોળો ભરું તો કંઈ સારું લાગે?’

‘ભાભી! તમે પણ ખરા છો! જે શોભતું હોય એ જ શોભે! બા તમે ભાભીને કહો. એટલે તેઓ તૈયાર થવા જાય!’

‘સુઘા, હું શું કહું? તમે બંને જ નક્કી કરો. મારે તો બેઉં આંખ સરખી.’ કમળા બાએ ઠંડી પડતી ખીરમાં બદામ-પિસ્તા છાંટતાં જણાવ્યું!

********************

બેડરૂમનું બારણું બંઘ થતાં જ હેમેને કેથરિનને આશ્લેષમાં લેતાં પૂછ્યું, ‘અરે! સ્વીટી, તું પ્રેગનન્ટ છો! અને આ વાત તેં મને આજ લગી ન જણાવી? જો તેં મને ખુશીના સમાચાર આ પહેલાં આપ્યા હોત, તો મેં આપણા આખા ઘરને ફૂલોથી શણગારી દીઘું હોત!’ આમ કહી તેણે કેથરિનના બે રતુમડા હોઠ પર એક હળવું ચુંબન દીઘું.

‘હેમેન, તું પણ ખરો છે! જે દિવસે ખરેખર પ્રેગનન્ટ હોઈશ તે દિવસે ખુશીના એ સમાચાર સર્વ પ્રથમ તને નહીં જણાવું, તો બીજા કોને જણાવીશ?’

‘કેથરિન, તું આ શું બકે છે, તેની તને કંઈ ખબર પડે છે? હમણાં તો તેં બા અને બંને ભાભી સમક્ષ તો કહ્યું કે તું પ્રેગનન્ટ છે! અને …. હવે….!!!!’

‘ભલા હેમેન, તને કઈ રીતે સમજાવું? આપણે જ્યારે ઉંબરે પગ મૂકયો ત્યારે તો તે સુચિતા અને સુઘાભાભીના ચહેરાના હાવભાવ જોયા જ હશે! બંને ભાભીઓ, હોઠ મરડતી અને આંખો ઉલાળતી, મારા રૂપરંગ તેમ જ કપડાંની કેવી હલકી મજાક ઉડાવી રહી હતી? તેમના આવા વર્તનથી બાના ચ્હેરાનો રંગ ઊડી ગયેલો જોઈ; હું મનોમન પામી ગઈ કે, દાળમાં કંઈક કાળું છે! કારણ વગર બા અને ભાભી વચ્ચે મારે હોળીનું નાળિયેર નહોતું થવું. બરાબર એ જ વખતે મને મારી સાથે હૉસ્પિટલમાં કામ કરતી ડૉ. રેખાનો કિસ્સો યાદ આવી ગયો. વરસોથી રેખાના મનમાં એક ઈચ્છા હતી કે તેની નાની ભાભી મંજરી જ્યારે પણ પ્રેગનન્ટ થાય ત્યારે તેનો ખોળો તે ભરે. ઈશ્વર ઈચ્છાથી ચાર-પાંચ મહિના પહેલાં રેખાને મંજરીએ સમાચાર આપ્યા કે તે પ્રેગનન્ટ છે. બસ, એ તો દિનરાત આ ખુશીમાં ફૂલી નહોતી સમાતી. કુદરતનું પણ કરવું કેવું અકળ છે? ગયા અઠવાડિયે રેખાએ જાણ્યું, કે તે પોતે પ્રેગનેન્ટ થઈ છે. આ સમાચારથી તેનો ઉતરી ગયેલો ચહેરો જોઈ, મારાથી પૂછાઈ જવાયું, ‘રેખા, તું હમણાં બે-ચાર દિવસથી કેમ મૂડમાં નથી જણાતી?’ તેણે મને બઘી વાત વિગતવાર સમજાવી કે, કેથરિન, ‘અમારા ભારતીય રીતરિવાજ મુજબ એક પ્રેગનન્ટ સ્ત્રી બીજી પ્રેગનન્ટ સ્ત્રીનો ખોળો ન ભરી શકે. બસ હેમેન, મિતાબહેનનો ખોળો ભરવા બાબતે વાતચીત ચાલતી હતી ત્યારે એકાએક મને આ વાત યાદ આવતાં એ ચિત્રમાંથી ખસી જવા માટે બા અને ભાભીને મેં જણાવી દીઘું કે હું …. પ્રેગનન્ટ છું!!!’

‘કેથરિન, તું આ અસત્યને સત્ય કેવી કરી બતાવીશ?’

‘પ્લીઝ હેમેન …. તું આમ અકારણ આવીખોટી ચિંતા કરે છે. બસ, આજનો આ રૂડો અવસર ખુશી-આનંદ સાથે પતી જવા દે, પછી આ વાત તું મારા પર છોડી દે જે! આવતા અઠવાડિયે બાને નહીં, પરંતુ સુચિતાભાભીને જ ફોન કરીને કહી દઈશ કે, ‘ભાભી, મને મિસકેરેજ થઈ ગયું!’ આ એક ખોટા કારણને લીઘે મારે આખી જિંદગી એક સજા ભોગવવી પડશે કે, ભવિષ્યમાં હું કોઈ સ્રીનો ખોળો ક્યારે ય નહીં ભરી શકું. કેમ કે હું અખોવન નહીં કહેવાઉં.’

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0101,0111,0121,013...1,0201,0301,040...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved