એ મજૂર છે,
એ જ તો રોગ ફેલાવે છે,
એનાથી જ અર્થતંત્ર ભાંગ્યું છે.
હા, આ બધો જ વાંક મજૂરો ને
આમ જનતાનો છે,
એવું ‘એ’ કહે છે.
ને હવે આ એકાએક,
બધાંને છૂટછાટ મળી ગઈ છે,
જુઓ, આ કીડીઓનાં
ટોળેટોળાં જઈ રહ્યાં છે,
કોઈ ઉત્તર
કોઈ દખણ
બધી જ દિશાઓમાં ભમી રહ્યાં છે.
એને કોઈ રોકતું નથી, કોઈ ટોકતું નથી.
છપ્પનની છાતીઓ તૈયાર છે !!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020