પરિભાષા
સારા શબ્દોમાં
આ અનુ-સત્યયુગ
ના કળિયુગ.
*
‘પોસ્ટ-ટ્રુથ’
ચાલો જપીએ
અસત્ય એ જ તથ્ય
યુગમંત્ર જે.
*
કળિયુગ
માનવી જાણે
જંતર, ફરે જેમ
કળ ફેરવ્યાં.
*
વસુધૈવ કુટુંબકમ્
કોણ બોલે છે
માણસ કે પોપટ
ફેર પડે છે.
*
શૂરાનો મારગ
વાર તો લાગે
અહિંસાને મારગ
વેર ના જાગે.
બોસ્ટન
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 15