
મેલ કરવત પાણીડાંનાં પાણીડાં !
આવા ફોટા જોઈને કાં’થી યાદ આવે એ પાણીડાંનાં ગીતો?
કે આ જ અમે પાણીડે ગ્યા’તા સઈઅર મોરી ને જોયો સાયબો!
લખાઈ જાય છે જનમથી જ છઠ્ઠીના લેખમાં
કે મેલ કરવત પાણીડાં ને પાણીડાં!
કાં’તો નાનકાં ભઈલાને હાચવો કે નાનકી બેનડીને,
કાં’તો ઈંધણાં વીણવા જાવ ને કાં’તા પાણીડે !
ને કાં’તો દાદા-દાદીને દવાખાને લેઈ જાવ.
આ પીંછાટિયાએ કોઈ’દી તેલ ભાળ્યું નથી.
ને નવાં કપડાં કોને કે’વાય તે જાણે મારી બલારાત!
તમે માનો કે એખલો બાપો જ છાંટોપાણી કરે ને
માઈ કોરી રે’ય?
અરે, મારો એ બાપ તો માઈ છાંટોપાણી કરે ને
તો જ છોડે ની’ તો એને હારી પેઠે ઢીબે
ને હું વાત કરું?
દાદા-દાદી નિરાંતે જુએ પણ અરફ ની’ કાડે.
એક દા’ડો નિહારે ગેઈલી,
બાજુવારી લેઈ ગયેલી ને પછી થોડા દાડા વધારે ગેઈ
ને લખતાંવાચતાં હીખી,
નિહારમાં નિબંધ લખવા કે’યું કે
તમારી દિનચર્યા લખો –
ને મેં તો આ બધું લઈખું
એટલે મે’તી તો રડવા લાગી!
પૂછે કે તું હાચ્ચે ઘેરે આટલું કામ કરે કે?
મેં કેયું કે ની’ કરું ને તો માઈબાપને ઢીબેડી કાઢતા વાર ની’ લાગે.
પણ લઈખું તે હારું કયરું, મે’તીને ખબર પડી એટલે
માઈ નિહાર ની’ મોકલતી ઉતી તે મે’તીએ હમજાવી એટલે
મને નિહાર જવાનું મલતું છે
ને હા……સ
કે એટલી વાર તો છૂટી એ ઘરથી.
જોકે નિહારમાં બી’ બધું કાંઈ હારું ની’મલે!
અમારી પાહે જ નિહારમાં કચરા વરાવે
ને સંડાસ બી’ સાફ કરાવે!
એમ કે’ય કે સ્વાવલંબન ને આત્મનિર્ભરતા!
આટલા ભારી શબ્દમાં હમજ તો ની’ પડે
પણ મે’તી કે’ય કે ૨૦૨૦ નો
નારો છે કે આત્મનિર્ભર બનો એટલે …….
બનવાનું!
તિયારે તો થાય કે જો બધે હરખું જ ઓય તો
હારું કાં ઓહે?
૮/૭/૨૦૨૦
તસવીર સૌજન્ય : સૌમ્યા
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


થોડા સામે પહેલાંની વાત છે. એક સ્ટેજ કાર્યક્રમમાં એક એન્કર પ્રખ્યાત વ્યક્તિઓની મુલાકાત લઈ રહ્યા હતા. એન્કર પોતે જાણકાર અને અનુભવી માણસ હતા, પણ પોતે જ એટલું બોલતા હતાં કે પેલી પ્રખ્યાત વ્યક્તિ, જેને સાંભળવા લોકો આવ્યા હોય તેને મોં ખોલવાનો મોકો ઓછો મળે અને તેમાં પણ એન્કર મહાશય વચ્ચે વચ્ચે બોલે. મુલાકાતની મઝા મારી જવા માંડી.
પોતાના ભાષાપ્રભુત્વનું શ્રેય અમીનજી પોતાનાં માતા કુલસુમ સાયાની ને તેમના ‘રાહબર’ સામાયિકને આપતા. ‘મારા મા પાકાં ગાંધીવાદી. મુંબઇમાં કન્યાશિક્ષણ અને પ્રૌઢશિક્ષણનું ખૂબ કામ કરતાં. ગાંધીજીના સૂચનાથી તેમણે ચાર ભાષામાં રાહબર નામનું સામાયિક કાઢવાનું શરૂ કર્યું અને 1940થી 1960 એમ વીસ વર્ષ ચલાવ્યું. ગાંધીજી કહેતા, ‘જો બેટા કુલસુમ, સામાયિક દ્વારા લાખો લોકો સુધી પહોંચવાનું છે. તેમને સમજે અને ગમે એવી સરળ ભાષામાં વિચારો આપવાના છે તે ન ભુલાય. આ સામયિકના પ્રકાશનમાં માને મદદ કરતાં, લખતાં, લેખો સુધારતાં, ભાષાંતરો કરતાં મારી ભાષા ખૂબ ઘડાઈ. મેં મહેનત પણ કરી. એક મિનિટ નકામી જવા ન દેવાના સંસ્કાર કામ આવ્યા.’ અમીનજીને મળેલા પદ્મશ્રી સહિતના અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં એક ‘હિન્દીરત્ન’ પણ છે.
અર્વાચીન ગુજરાતની પ્રતિષ્ઠા કરવામાં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે (7 જુલાઈ 1821 – 31 ઑગસ્ટ 1865) જે મહત્ત્વનો ફાળો આપ્યો, તેને પરંપરાગત ઉપમાનો દ્વારા, કોઈ અજ્ઞાત કવિની આ પંક્તિઓ સચોટ રીતે દર્શાવે છે. ગુજરાત બહાર ફાર્બસ મુખ્યત્ત્વે ‘રાસમાળા’ના કર્તા તરીકે જાણીતા છે. પણ અર્વાચીનતાની જે ગંગા ઓગણીસમી સદીના મધ્યભાગમાં ગુજરાતમાં – અને ખાસ કરીને અમદાવાદમાં – અવતરી તેના ભગીરથ હતા ફાર્બસ. નવા વિચારો, નવી સંસ્થાઓ, નવાં સાધનો, નવી સગવડો, વગેરેનો તેમણે પુરસ્કાર કર્યો, તો સાથોસાથ ગુજરાતનાં ઇતિહાસ, કળા, સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, વગેરેનો અભ્યાસ કરી તેનું ઉચિત ગૌરવ કર્યું અને ‘રાસમાળા’ના બે દળદાર ગ્રંથ દ્વારા ગુજરાતના ભૂતકાળની મહત્તા પહેલીવાર અંગ્રેજીભાષી વિદ્વાનો અને અભ્યાસીઓ આગળ રજૂ કરી.
ફાર્બસનો જન્મ લંડન શહેરમાં ૧૮૨૧ના જુલાઈ મહિનાની સાતમી તારીખે થયો હતો. જોન ફાર્બસ-મિચેલ અને એન પોવેલને કુલ છ સંતાનો. તેમાં એલેક્ઝાન્ડર સૌથી નાના. તેમના બીજા ભાઈઓનાં નામ આ પ્રમાણે હતાં : ડંકન, મેજર જોન જ્યોર્જ, આર્થર એન્ડ્રુઝ ચાર્લ્સ, ડેવિડ અર્સ્કિન, અને ફ્રેડરિક ફોર્બ્સ. યુવાન વયે એલેક્ઝાન્ડરની આંખોમાં સ્થાપત્ય વિશારદ થવાનું સપનું અંજાયું હતું. પ્રખ્યાત અંગ્રેજ સ્થપતિ બસેવી પાસે તેમણે આઠેક મહિના અભ્યાસ પણ કર્યો. પણ પછી તેમણે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાવાનું પસંદ કર્યું. તે માટે ઇસ્ટ ઇન્ડિયા કોલેજમાં જોડાવાનું જરૂરી હતું.
હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂક્યા પછી ફાર્બસે પહેલું કામ કર્યું તે હિન્દુસ્તાની ભાષા શીખવાનું. આ માટે તેમને અહમદનગર મોકલવામાં આવ્યા. ૧૮૪૩ના નવેમ્બરની ૨૦મી તારીખે તેઓ અહમદનગર પહોંચ્યા તે પછી બે મહિનાના ટૂંકા ગાળામાં તેમણે હિન્દુસ્તાની ભાષાની પરીક્ષા આપી હતી અને તેમાં સફળ થયા હતા. ત્યાર બાદ અહમદનગરના થર્ડ આસિસ્ટન્ટ કલેકટર તરીકે તેમની નિમણૂક થઇ હતી. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લંડનમાં બેઠેલા ડિરેક્ટરોએ ઘડેલા નિયમો પ્રમાણે હિન્દુસ્તાનમાં કામ કરવા આવનાર દરેક બ્રિટિશ અધિકારી માટે હિન્દુસ્તાની ભાષાનું જ્ઞાન ફરજિયાત હતું. પણ ડિરેકટરોને એ હકીકતનો ખ્યાલ નહોતો કે દેશના ઘણા મોટા ભાગોમાં હિન્દુસ્તાનીનું નહિ, પણ બીજી ‘દેશી’ ભાષાઓનું ચલણ છે. ૧૮૧૯માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન જ્યારે બેમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા, ત્યારે તેમના ધ્યાનમાં આ હકીકત આવી. આથી તેમણે વધારાનો નિયમ બનાવ્યો કે આ વિસ્તારમાં કામ કરનાર દરેક બ્રિટિશ અધિકારીને હિન્દુસ્તાની ઉપરાંત ઓછામાં ઓછી બીજી એક ‘દેશી’ ભાષા (મરાઠી, ગુજરાતી, કાનડી વગેરે) આવડતી હોવી જોઈએ. આવી જાણકારી મેળવનારને જ નોકરીમાં બઢતી મળે એવો નિયમ પણ તેમણે કર્યો. ૧૮૪૪ના ઓક્ટોબરની ૧૦મી તારીખે ફાર્બસે મરાઠી માટેની પરીક્ષામાં પણ સફળતા મેળવી. પરિણામે ૧૮૪૪ના નવેમ્બરની આઠમી તારીખથી તેમને બઢતી મળી, અને તેમની નિમણૂક ખાનદેશના ‘સેકન્ડ આસિસ્ટન્ટ કલેકટર’ તરીકે થઇ. ૧૮૪૬ના એપ્રિલ સુધી તેઓ આ પદે રહ્યા. એ વર્ષના એપ્રિલની છઠ્ઠી તારીખે ફાર્બસની નિમણૂક મુંબઈની સદર અદાલત (બોમ્બે હાઈ કોર્ટની પુરોગામી અદાલત)ના એક્ટિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે થઇ. પણ બે જ દિવસ પછી, આઠમી એપ્રિલે તેમની નિમણૂક અમદાવાદના આસિસ્ટન્ટ જજ તરીકે થઇ. જો કે એ વર્ષના નવેમ્બર સુધી તેઓ મુંબઈમાં જ રહી સદર અદાલતનું કામ કરતા રહ્યા. એ પછી નવેમ્બર મહિનામાં તેઓ અમદાવાદ ગયા. અને ત્યારથી તેમના ગુજરાત સાથેના પરસ્પર હિતકારી સંબંધની શરૂઆત થઇ.
ફાર્બસે પોતાની આસપાસ જે જોયું તેનાથી એક વાત તો તેમના મનમાં ઠસી ગઈ : આ સમાજને અર્વાચીનતા તરફ લઇ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય, પણ શરૂઆત કરવી તો પડશે જ. પણ લોકોની ભાષા – ગુજરાતી – જાણ્યા વગર આ દિશામાં ઝાઝું કામ થઇ શકે નહિ એ હકીકતથી પણ ફાર્બસ સભાન હતા. અમદાવાદમાં ૧૮૪૬માં પહેલવહેલી અંગ્રેજી સ્કૂલ શરૂ થઇ તેમાં ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ‘માસ્તર’ તરીકે કામ કરતા હતા. એટલે ફાર્બસે તેમની પાસેથી ગુજરાતી ભાષા શીખવાનું શરૂ કર્યું. ત્યાર પછી અમદાવાદના ઉત્તમરામ, વિજાપુરના એક બારોટ, નડિયાદના કવિ રણછોડ, વગેરેને અજમાવી જોયા, પણ ફાર્બસને એકેથી સંતોષ ન થયો.